જન્માષ્ટમી પર્વ

ગુજરાતી પ્રજા ઉત્સવપ્રિય તરીકે ખ્યાતિ પામી છે. એ વર્ષના પ્રત્યેક તહેવારો દરમિયાન સિદ્ધ થયા વગર રહેતું નથી. પતંગ ચગાવવાનો ઉત્સવ હોય કે દિપાવલીની રોશની. એની વચ્ચે સેન્ડવિચની જેમ ઠસો ઠસ આવતા વિવિધ તહેવારો પણ ચોક્કસપણે રંગેચંગે મનાવાય જ છે. અને તેમાંય ખાસ સૌરાષ્ટ્ર સાથે આત્મીય સંબંધ છે, એ છે જન્માષ્ટમી.

ઊજવણીનો ઇતિહાસ

દુર્જન-સંહાર, સજ્જન-રક્ષણ, અધર્મ-નાશ અને ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ પ્રત્યેક યુગમાં (કલ્પમાં) અવતાર લે છે. પુષ્ટિમાર્ગની માન્યતા પ્રમાણે સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. સર્વસામાન્ય મત પ્રમાણે ઈ.સ. પૂર્વે 5000ના સમયગાળામાં શ્રાવણ વદ અષ્ટમીએ શ્રી કૃષ્ણે જન્મ ધારણ કર્યો હતો, તેથી કહી શકાય કે, સંભવત: સાત હજાર વર્ષ પહેલાં, શ્રાવણ-વદ આઠમથી 'જન્માષ્ટમી'ની ઉજવણીની શરૂઆત થઈ હતી.

શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે બાર વાગે, દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ નિર્વિધ્ને થાય, એવી પ્રાર્થના અને પ્રતિક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ હોવા છતાં ‘પંચાજીરી’નો પ્રસાદ શા માટે અપાય છે?

- ‘પંચાજીરી’ (કે ‘પંજરી’) એટલે (1) સૂંઠ, (2) અજમો, (3) વરિયાળી, (4) ધાણા અને (5) જીરું એ પાંચ પદાર્થોના ભૂકામાં ખાંડ ભેળવીને કરાતું મિશ્રણ. આ પાંચેય પદાર્થો ‘ફરાળી’ ગણાય છે અને સાથે-સાથે તે પાચક અને આરોગ્યવર્ધક ગણાય છે. તેથી ઉપવાસ હોવા છતાં એનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે.

જન્માષ્ટમીના દિવસે ‘દહીં-હાંડી’ ફોડવાનું માહાત્મ્ય શું છે?

- બાળકૃષ્ણ તો ભારે નટખટ, તે તો બાળકો-ગોવાળિયાંઓ માટે મસ્તીખોર માખણચોર ગોઠિયા છે. બાળકૃષ્ણને ઊંચે છીંકામાં મૂકેલ મટકીમાં રાખેલ દહીં-માખણ, મટકી ફોડીને કે ઊંચે ચઢીને પણ ચોરીછૂપીથી ખાવાની મજા પડતી. તે કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ એના પર હેત વરસાવે. દહીં-માખણ તે એકલા ન ખાતા પણ સૌ ગોપ બાળકોને, વાંદરાઓને વહેંચી દેતા. દૂધ-દહીં-માખણનો સંગ્રહ ન કરાય. તેનું તો સૌને વિતરણ કરાય . ખાવુંને ખવડાવવું માખણચોરીની લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્વજ્ઞાન છે. આવી મીઠાસ હોય ત્યાં નંદ-યશોદાનું ગોકુળિયું સર્જાય. બાળકૃષ્ણની આવી લીલાને અનુસરી આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલ દહીં-હાંડી ફોડાય છે.


સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એટલે આપણી ભાષામાં સાતમ આઠમ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર. સ્વભાવે રંગીલા અને કર્મે યુગપુરુષ એવા શ્રી કૃષ્ણના જન્મદિવસની સૌથી વધારે રંગીન ઉજવણી જ્યાં થાય છે એ સૌરાષ્ટ્ર. ધાર્મિક મહાત્મય ધરાવતા દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉજવણી ચરમસીમાએ હોય છે. ગામેગામ થતા સુશોભનોથી માંડીને લોકમેળા અને અષ્ટમીની રથયાત્રા પછી ‘નંદ ઘેર આનંદ ભયો’ ના નાદ સાથે જન્મદિનની આખરી ક્ષણોનો માહોલ જીવનનું એક અવિસ્મરણીય સંભારણું બની રહે છે. એન.આર.આઈ ગુજરાતીઓ વેબસાઈટ કે ટી.વી.ની સ્ક્રીન પર, જન્મભૂમિનું સ્મરણ કરતાં આનંદ કરે છે તો દેશના જ અલગ અલગ રાજ્યોમાં ધંધાર્થે જઈ વસેલા આપણા ગુજરાતીઓનું મન પણ સૌરાષ્ટ્રના પોતીકા આ તહેવારની ઉજવણીના સમાચાર વાંચવા કે જોવા ચોક્કસ લલચાય છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન રચાતા માહોલ તરફ એક નજર કરીએ તો સુશોભનો, રાસ, તથા મેળાઓ સૌથી વધારે ધ્યાનાકર્ષક હોય છે. સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ, નગર કે શહેર નહિ હોય જ્યાં જન્માષ્ટમીની ઉજવણી નહીં થતી હોય. પોતપોતાની આગવી પરંપરા અનુસાર રાંધણછઠ્ઠથી આઠમ સુધી ઉલ્લાસ, ઉલ્લાસ અને માત્ર ઉલ્લાસ જ હોય. ગામડાઓમાં સૌરાષ્ટ્રના મોટા શહેરોની માફક ઉત્સવ સાથે આધુનિકતા હજુય આવી નથી, જો કે સમય સાથે પરિવર્તન જરૂર આવ્યું છે. શુદ્ધ ગામઠી ભાષામાં રચાયેલા, લોકગીતોના સથવારે ગામડાના પટાંગણમાં જન્માષ્ટમીના દિવસે અગાઉ રાસ લેવાતા. ઢોલ, નગારા, ત્રાંસા, મંજિરા જેવા વાદ્યો વડે, ચગડોળની માફક, હુડો, પોપટિયું, પંચિયા, તાલી વગેરે શૈલીમાં જોશભેર રાસ રમતા પુરુષો અને મહિલાઓ નજરે પડતા. હવે એ બધું ઓછું થાય છે. આ તહેવારોને લીધે જોડિયા તાલુકાના લતીપર કે ટંકારાના હડાણા ગામના રાસમંડળો ખૂબ નામ કમાયા છે. આગવા પહેરવેશ અને સુંદર સંગીતથી મઢેલા ગુજરાતીઓના સાંસ્કૃતિક વારસાને ઝળહળાવતા રાસમંડળોની સંખ્યા હવે ઘટી રહી છે, લુપ્તતાને આરે છે. ખેર, આ ઉત્સવની પ્રાચીન રીત થઈ, પણ ગામડાના મેળાઓ હજી અકબંધ રહ્યા છે. શહેર જેટલી આધુનિકતા હજુ મંદ ગતીએ પ્રવેશી રહી છે. કદાચ એટલે હજુ પણ એનું મહાત્મય જળવાયું છે. સૌરાષ્ટ્રના શહેરોમાં જન્માષ્ટમી પાશ્ચાત્ય બની રહી છે. પાશ્ચાત્યપણાની સાથે ટેકનોલોજી આવતા ઉત્સવમાં ચાર ચાંદ લાગી ગયા છે એનો પ્રભાવ રંગીલા રાજકોટ તથા અન્ય શહેરોમાં ગલીનાકે થતા અવનવા ‘ફ્લોટ્સ’માં મનોરંજન સાથે જોવા મળે છે. કૃષ્ણ ભગવાનના જીવનચરિત્રને તાદશ કરતા દ્રશ્યો મનમોહક હોય છે. બાળપણના, કાનુડાથી મહાભારતમાં ગીતાસાર આપતા વિરાટ કૃષ્ણ અનેક વિસ્તારોમાં જોવા મળી જાય. કેટલાક ઠેકાણે તો રૂપિયો કે પાંચ રૂપિયા આપો તો કૃષ્ણ ભગવાન તમને પ્રસાદી આપવા પણ આવે છે ! શાળાઓ તેમજ જાહેરમાં થતા અત્યંત આકર્ષક આવા ‘ફ્લોટસ’ ની સજાવટમાં અનેક લોકોનો સખત પરિશ્રમ સમાયેલો હોય છે. છતાં એમાં થાક નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિનો અફાટ ભક્તિરસ છલકાય છે, સાથોસાથ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી આઠમની શોભાયાત્રા, અમદાવાદની જગન્નાથજીની યાત્રા કરતાં બેશેર ચઢે તેવી હોય છે.
‘મેળા’ સૌરાષ્ટ્રની પરંપરા છે. હાથમાં હાથ પકડીને હૈયે હૈયું દબાય એટલી હકડેઠઠ ભીડમાં પણ ઉજવણીના ઉત્સાહ વચ્ચે અનેક મેળા સૌરાષ્ટ્રવાસીઓ ઉજવે છે. મોટા મેળાઓમાં અત્યારનો રાજકોટ શહેરમાં યોજાતો મેળો ભારતભરમાં સુવિખ્યાત છે. દેશને આઝાદ થયાને જેટલા વર્ષો થયા એટલા જ વર્ષનો ઉંમરલાયક આ મેળો બની ગયો છે. રમકડા અને ખાવાપીવાના અનેક સ્ટોલ તથા એક સાથે ગોળગોળ ઘુમતા 20-25 ફજરફાળકા દિવસે ન દેખાય એટલા રાતે રમણીય ભાસે છે. બાળકો માટે રમકડાં અને મોટેરાંઓ માટે મેળાવળો, આ મેળો ગણાય છે. પૂરા એક અઠવાડિયા સુધી માત્ર એક જ દિવસના ઉત્સવની ઉજવણીના ઉત્સાહ વચ્ચે જનજીવન ફરીથી પાટે ચડતા પણ બીજું પૂરું અઠવાડિયું વહી જાય છે, એવી હોય છે આ મહોત્સવની રંગત.

અને હા આખરે આપણે બધાં ઘણી આતુરતાથી વાટ જોતાં હતાં અને હવે એ દિવસ આવી રહ્યો છે જન્માષ્ટમી. એટલે કે સાતમ આઠમ. અને હા સમય બદલાયો છે વિચારો બદલાયા છે એમ ઊજવણીઓમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે લોકો અલગ-અલગ પોતાની રીતે જન્માષ્ટમી મનાવે છે, કોઈ મંદિર સજાવટ અને ભજન-કીર્તન કરીને તો કોઈ જુગાર રમીને.

આજની જન્માષ્ટમીમાં ભગવાનનાં નામ કરતાં જુગાર રમીને વધારે મનાવાય છે, જાણે કે જન્માષ્ટમી એટલે આજની યુવા પેઢી માટે જુગાર રમવાનો તહેવાર બની ગયો છે, જન્માષ્ટમી આવી રહી હોઈ તેનાં અઠવાડિયા પેલાં જુગાર માટેના સ્થળ, સભ્યો અને સુવિધાઓ ની માહિતી એકઠી કરવાં લાગે છે. જન્માષ્ટમી અવતાતો બધું ફાઈનલ થય જાય છે.

આપણે એ ભૂલીજય રહ્યાં છીએ કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ, અને જો આપણને યાદ હોઈ તો આપણે આવી રીતે ના ઉજવીએ, કારણ કે આપણે આપણો જન્મદિવસ ને પોતાનું નામ લઈને ઉજવીએ છીએ અને તે દિવસે આપણને ગમતુજ કરીએ છીએ, કપડાં થી લઈને જમવાનું, ફરવાનું, કામ કરવાનું વગેરે. તો આતો ભગવાન નો જન્મદિવસ કેમ જુગારમાં પસાર કરી નાખીએ છીએ ?

મેં મહાભારત ની એક વાત સાંભળી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિર પર ક્રોધિત થાય છે, પિતામા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય જેવાં યોધ્ધાઓ, આચાર્યો અને બ્રમ્હાં જેવાં દેવો પણ ધર્મરાજ યુધિષ્ઠિર સાથે વાત કરવામાં માટે વિચાર કરે છે. એવા ધર્મરાજ યુધિષ્ઠિર પર શ્રી કૃષ્ણ ક્રોધિત થાય છે અને કહે છે: યુધિષ્ઠિર તે તારા જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી કે તું જુગાર(પાંડવો અને કવરવો વચ્છે રમાય છે તે) રમ્યો તારે આનુ પરિણામ ભોગવવું પડશે, ભગવાન મહાભારતમાં પાંડવો પર ક્યારે પણ ક્રોધિત નથી થયા, પણ પાંડવો જુગાર રમ્યાં ત્યારે થયા, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જુગાર પસંદ નથી. અને આપડે એના જન્મદિવસેજ જુગાર રમવાનું ચાલુ કરી દીધું. તો ભગવાન શ્રી કૃષ્ણ એના પ્રિય પાંડવો પર ક્રોધિત થયા, તે આપડા પર કેમ ખુશ થાશે જુગાર રમીશું તો?

તો આપણે વિચારવું જોઈએ અને ભગવાન કેવી રીતે ખુશ થાય તેનાં માટે કોશિશ કરવી જોઈએ.

જન્માષ્ટમી – સિક્કા ની બે બાજુ….


સિક્કાની ખરાબ બાજુ

લોકો જન્માષ્ટમી ને , મજાક ગણી, નાચવા-ગાવા ના પ્રોગ્રામો કરવા લાગ્યા છે..જેમાં કૃષ્ણ ભક્તિ તો ક્યાંય દેખાતી જ નથી…..
અરે લોકો…આજના દિવસે ભક્તિ-સત્સંગ કરવાને બદલે-જુગાર રમે છે…..!! જન્માષ્ટમી અને જુગાર….??? ભગવાન ના નામ પર હદ થઇ રહી છે….અને કેટલાક તો સહ-પરિવાર જુગાર રમે છે…અને એને ભક્તિ નો એક પ્રકાર માને છે. આમ તો જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ (કે પછી જન્મરાત્રિ ?) છે. આ દિવસને જુગાર સાથે શું લેવા દેવા હોઈ શકે એ સમજાતું નથી. ઘણો પ્રયત્ન કર્યો કોઈ આધારભૂત માહિતી મળી નથી એટલે એવું માની શકાય કે જુગારના શોખીન લોકોને જુગાર રમવા માટે કોઈ બહાનાની તલાશ હશે અને એમાં એમણે જન્માષ્ટમી ઉપર પસંદગી ઉતારી હશે. આખું વરસ સાદા, સીધા, સરળ અને સંતુલિત (Sane)દેખાતા મારા ઘણા બધા મિત્રોનું વર્તન જન્માષ્ટમી આવે એટલે એકાએક બદલાઈ જાય છે. જન્માષ્ટમી પહેલાં ત્રણ-ચાર દિવસ અને ત્યારપછીના ત્રણ-ચાર દિવસ આ બધા જેમને અંગ્રેજીમાં Out of the World એટલે કે દુન્યવી વાતાવરણથી દૂર કહે છે તેવી સ્થિતિમાં પહોંચી જાય છે. એકાએક એમનામાં આખું વરસ સુષુપ્ત અવસ્થામાં પડેલો જુગારી જાગી ઉઠે છે અને ડીજેની ધૂન પર જેમ જાનૈયા નાચતા હોય તે રીતે એનો અંતરાત્મા પત્તાં કે પૂલ જેવી વ્યવસ્થાઓ જોઈને તાનમાં આવી ઝુમી ઉઠે છે. કોઈક ફાર્મ હાઉસ, પંચતારક હોટલ, ક્લબ કે પછી કોઈ મિત્રનું ઘર જેવી વ્યવસ્થા એને ઉપલબ્ધ બને એટલે એ સાતમા આસમાને વિહાર કરવા માંડે છે. સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનો અને શિવભક્તિ જુગાર વગર અધુરી રહે તેવું લાગે એમ ગલીએ ગલીએ, વાડીમાં, ફાર્મ હાઉસમાં કે અન્ય અનુકૂળ જગ્યાએ જુગારની મહેફિલ જામી જાય છે. કાયદેસર રીતે જુગાર રમવો કે રમાડવો એ પ્રતિબંધિત છે. પણ કાયદો અને અનુશાસનના તંત્રવાહકો શુકન ખાતર ક્યાંક ક્યાંક કોઈકને ઝપટમાં લઈ લે બાકી મોટા પાયે આંક આડા કાન થતા હોય એવો અનુભવ છે. આ જુગારની સાથે હવે દારુનું પણ ઘુસી ગયું છે.


સિક્કા ની સારી બાજુ

કૃષ્ણ ભગવાન નું જીવન-પળેપળ એક સંદેશ હતું…..શ્રીજી નો જન્મ જ કારાગૃહમાં થયો અને એ મોટા થયા અને છેક દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી, એ સતત વિપરીત પરિસ્થિતિઓ સામે લડતા રહ્યા…..સંઘર્ષ કરતાં રહ્યા….પણ એમના મુખનું હાસ્ય અને એમની લીલાઓ અનન્ત રહી…..એમ મનુષ્ય એ ,જન્માષ્ટમી પર થી શીખવાનું કે ,જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવે પણ…..

સ્થિર રહો…..ભલે ને એ સુખ હોય કે દુખ હોય……જીવન નું બીજું નામ જ સંઘર્ષ છે….કર્મ અને કર્તવ્ય બજાવવા મા થી ક્યારેય પાછા ન પડો…..એક શ્રીહરિ નો આશરો દ્રઢ હશે, કર્મ સંપૂર્ણ હશે….તો જીવન સફળ જ છે…..

ગીતામાં કૃષ્ણ એ અર્જુન ને આજ કહ્યું છે…..જીવનમાં ધર્મ માટે , ક્યારેક કઠીન નિર્ણય લેવા પડે તો , લેવા ના જ…..પાછા ન પડવું…….ધર્મ ,જ્ઞાન અને વૈરાગ્ય જ જીવન ના સિદ્ધાંતો છે……


અંતે એટલું જ કહેવું છે કે ભારતમાં અનેક અવતારો થયા છે. પણ બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના 
જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram