Friday, October 28, 2016

ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓ : એક ઝલક*

ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ થનારા વિજય રૃપાણી હોદ્દાની મુદતની રીતે ગુજરાતના ૨3મા મુખ્યમંત્રી છે. તો વ્યક્તિની રીતે સોળમા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી ઓછી રાજકીય સ્થિરતા જોઇએ છે. આમ છતાં ગુજરાતની પ્રજાએ વિકાસપથની સફર સતત જારી રાખી છે.

👉 *ડો. જીવરાજ મહેતા*
(૧-૫-૬૦ થી ૮-૩-૬૨, ૮-૩-૬૨ થી ૧૯-૯-૬૩) કુલ ૬૭૭ દિવસ

🌀ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૯૬૦ ના મેની ૧લી તારીખે. અલગ રાજ્યો બન્યાં. સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી માટે ખંડુભાઇ દેસાઇ ને બળવંતરાય મહેતાનાં નામો વિચારાયાં હતાં, પરંતુ છેવટે મુંબઇ રાજ્યના મંત્રીમંડળમાં ગુજરાતના મંત્રીઓમાંથી સૌથી વરિષ્ઠ એવા ૭૩ વર્ષીય નાણામંત્રી ડા. જીવરાજ મહેતા પર પસંદગીનો કળશ ઢોળાયો.
અમરેલીના વતની જીવરાજભાઇએ મુંબઇ અને લંડનમાં તબીબી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્રયની લડતમાં સક્રિય હતા. નવરચિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે ખાધવાળા રાજ્યના વહીવટનો ભાર ઉપાડ્યો. મુંબઇ રાજ્યનું વિભાજન થતાં તેમણે રાજ્યના વહીવટનો પાયો સુદ્દઢ કર્યો. ગુજરાતમાં ખેતી, સિંચાઇ, વીજળી, રસ્તાઓની ઊણપ વગેરે ક્ષેત્ર તેમણે ઝડપથી કામ કર્યું. તેમણે ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. કાયદો કરી રાજ્યમાં ગૌહત્યા બંધ કરાવી. તેમણે વિધાનસભામાં પંચાયતધારો પસાર કરાવ્યો. તેમણે ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરી. જીવરાજભાઇની આગેવાનીમાં ૧૯૬૨માં કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળી. જોકે ૧૯૬૩ માં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ. આ દરખાસ્ત ૩૧ વિરૂદ્ધ ૧૦૧ મતથી ઊડી ગઇ, પણ રાજકીય ખટપટના વિરોધી જીવરાજભાઇએ રાજીનામું આપી દીધું.

👉 *બળવંત મહેતા* (૧૯-૯-૬૩ થી ૧૯-૯-૬૫) કુલ ૭૩૧ દિવસ

🌀૧૮૯૯માં ભાવનગરમાં જન્મેલા બળવંતરાય મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. તેઓ ઠક્કરબાપાએ ઉપાડેલા હરિજન સેવાકાર્યમાં પણ જોડાયા હતા. ૧૯૫૨માં ચૂંટણી જીતી તેઓ લોકસભામાં પણ ગયા હતા. તેમણે પંચાયતી રાજ સુદ્દઢ કર્યું. તેમની વહીવટ પર પકડ હતી. તેમના શાસન દરમિયાન વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લા થયા. કંડલા ફ્રી ટ્રેડ ઝોન તેમના સમયમાં સ્થપાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રચના માટે તેમણે સમિતિ નીમી.
૧૯૬૫ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન, યુદ્ધિવરામ સમયે તેઓ વિમાનમાં બેસી કચ્છ સરહદ જોવા ગયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ તેમના વિમાનને તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

👉 *હિતેન્દ્રભાઇ દેસાઇ*
(૧૯-૯-૬૫ થી ૪-૩-૬૭, ૪-૩-૬૭ થી ૧૩-૫-૭૧)

🌀સુરતમાં ૧૯૧૫માં જન્મેલા હિતેન્દ્રભાઇ દેસાઇએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. હિતેન્દ્રભાઇએ વકીલાતના ક્ષેત્રે ઘણી નામના મેળવી હતી. ૫૦ વર્ષની વયે તેઓ મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્નો ઉકેલ્યો. ૧૯૬૮ - ૬૯ ના દુષ્કાળમાં તેમણે સફળ રાહતકામ કર્યું. પાટનગર ગાંધીનગરમાં તેમણે વસાહતોનાં મંડાણ કરાવ્યાં. વહીવટી તંત્રને સુદ્દઢ બનાવવા તેમણે વિજિલન્સ કમિશનની રચના કરી. નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થતાં તેઓ સંસ્થા કોંગ્રેસમાં જોડાયા. લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી તેમણે પોતાની સરકારનું રાજીનામું આપ્યું. જોકે પછી નાના પક્ષો અને અપક્ષોની મદદથી તેમણે પુનઃ સત્તા મેળવી, પણ ૩૫ દિવસમાં જ તેમનું મંત્રીમંડળ તુટ્યું. હિતેન્દ્રભાઇ દેસાઇના સમયકાળમાં ગુજરાતમાં સુવહીવટ, સંગઠન, સમતોલ વિકાસથી ગુજરાત સમૃદ્ધિ તરફ આગળ વધ્યું.

👉 *ઘનશ્યામભાઇ ઓઝા* (૧૭-૩-૭૨ થી ૧૭-૭-૭૩)

🌀ભારત પાકિસ્તાનના ૧૯૭૧ ના યુદ્ધ પછી માર્ચ, ૧૯૭૨માં યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસને ૧૬૮માંથી ૧૩૯ બેઠકો મળી. ૬૧ વર્ષના ઘનશ્યામભાઇ ઓઝાને ઇન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં. ૧૯૧૧માં ભાવનગરના ઉમરાળા ગામે જન્મેલા ઘનશ્યામભાઇ વકીલાત કરતા હતા. તેના સમયકાળમાં સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ તદ્‌ન મફત કર્યું. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપી. શહેરી જમીન ટોચમર્યાદા ધારો ઘડીને તેમણે જમીનની સટ્ટાખોરી અટકાવી. જૂન, ૧૯૭૩માં ઘનશ્યામભાઇ સામે અવિશ્વાસનો મત રજૂ થયો એટલે તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું.

👉 *ચીમનભાઇ પટેલ*
૧૭-૭-૭૩ થી ૯-૨-૭૪, ૪-૩-૯૦ થી ૧૭-૨-૯૪

🌀ઘનશ્યામભાઇના રાજીનામા પછી ચીમનભાઇ પટેલે ઇન્દિરા ગાંધીની વિરૂદ્ધમાં જઇને મુખ્યમંત્રીપદ હાંસલ કર્યું. જોકે ૧૯૭૪ માં થયેલા નવનિર્માણ આંદોલને ચીમનભાઇ પટેલ માટે સમગ્ર ગુજરાતમાં તિરસ્કાર ઊભો કર્યો. છેવટે ચીમનભાઇએ રાજીનામું આપ્યું.
૧૯૨૯ માં ત્રીજી જૂને વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે જન્મેલા ચીમનભાઇ અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક હતા. તેમણે જુન, ૧૯૭૫ માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો. આ પક્ષને ૧૨ બેઠકો મળી હતી. ૧૯૭૭ માં ચીમનભાઇ જનતા પક્ષમાં જોડાયા. ૧૯૯૦માં ગુજરાતની આઠમી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર રચી. ચીમનભાઇના સમયકાળમાં ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા યોજનાનું કામ ગતિમાં ચાલ્યું.તેઓ લડાક મિજાજ માટે જાણીતા હતા. મોટા ભાગે ગુજરાતનું કેન્દ્રમાં કશું ઊપજે નહિં. પણ ચીમનભાઇ કોઇને ગાંઠતા નહિ. વહીવટી તંત્ર ઉપર તેમની ઘણી પકડ હતી. તેમણે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પણ કેટલાક નક્કર પ્રયાસો કર્યાં હતા. ચીમનભાઇ સામે એવો આક્ષેપ થાય છે કે તેમના સમયથી રાજકારણમાં મૂલ્યોનું પતન શરૂ થયું. તેઓ કોઇપણ ભોગે પરિણામ ઝંખતા. તેમણે અસામાજિક તત્વોને પોષ્યાં તકવાદી રાજકારણના તેઓ પ્રેરક ગણાયા.

👉 *બાબુભાઇ જશુભાઇ પટેલ*
૧૮-૬-૭૫ થી ૧૨-૩-૭૬, ૧૧-૪-૭૭ થી ૧૭-૨-૮૦

🌀જનતા મોરચાને એપ્રિલ, ૧૯૭૫ માં થયેલી ચૂંટણીમાં ૮૬ બેઠકો મળી. અન્ય પક્ષોના ટેકાથી જનતા મોરચાએ સરકાર રચી અને બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૧૧ માં નડિયાદમાં જન્મેલા બાબુભાઇએ વિદ્યાર્થીકાળથી જ રાજકીય જીવનમાં ઝંપલાવ્યું હતું. દેશમાં કટોકટી લદાયા પછી ઇન્દિરા ગાંધીએ ‘કિમલોપ’ના ચીમનભાઇ પટેલનો સહકાર મેળવી બાબુભાઇની સરકાર તોડી. ૧૯૭૭, માર્ચમાં તેઓ જોકે પુનઃ મુખ્યમંત્રી થયા. તેમના બીજા શાસનકાળ દરમિયાન કેન્દ્રે નર્મદા જળવિવાદનો ચુકાદો જાહેર કર્યોં હતો. કટોકટીનો તેમણે મક્કમ વિરોધ કરેલો. બાબુભાઇએ પૂરહોનારતથી અસર પામેલા મોરબીને પુનઃ સ્થાપિત કર્યું.

👉 *માધવસિંહ સોલંકી*
૨૪-૧૨-૭૬ થી ૧૧-૪-૭૭, ૬-૬-૮૦ થી ૬-૭-૮૫,
૧૧-૩-૮૫ થી ૬-૭-૮૫, ૧૦-૧૨-૮૯ થી ૩-૩-૯૦

🌀માર્ચ, ૧૯૭૬ માં બાબુભાઇ પટેલની સરકારના પતન પછી માધવસિંહ સોલંકીએ પોતાનું મંત્રીમંડળ રચ્યું. ૧૯૨૭માં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદર ગામે જન્મેલા માધવસિંહે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.૧૯૭૭માં વિધાનસભામાં બહુમતી ઘટતાં તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ ૧૯૮૦ માં ૧૩૯ બેઠકોના વિજય સાથે તેમણે પુનઃ મુખ્યમંત્રીપદ સંભાળ્યું અને મંત્રીમંડળની પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા.૧૯૮૫ની ચૂંટણીમાં જીતી તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી અનામતિવરોધી આંદોલને તેમનો ભોગ લીધો. માધવસિંહ સોલંકી ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, આદિવાસી અને મુસ્લિમ) થિયરીને ગુજરાતમાં પ્રચિલત કરી એવું કહેવાય છે. સાહિત્યપ્રેમી માધવસિંહે ઉદ્યોગોના વિકાસ માટે પગલાં લીધાં. તેમણે સરદાર સરોવર બાંધકામનો પ્રારંભ કર્યોં. તેમણે પ્રાથમિક શાળામાં મફત મધ્યાહન ભોજન યોજના અમલી કરી. ૧૯૮૯ માં તેઓ ચોથીવાર મુખ્યમંત્રી બન્યા હતાં.

👉 *અમરસિંહ ચૌધરી* : ૬-૭-૮૫ થી ૯-૧૨-૮૯

🌀જુલાઇ, ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૪૪ વર્ષની સૌથી નાની વયે રાજ્યના મુખ્યમંત્રી બનનાર અમરસિંહ ચૌધરીનો જન્મ સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામે થયો હતો. તેમણે રાજ્યમાં શાંતિ સ્થાપી. ૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

👉 *છબીલદાસ મહેતા*: ૧૭-૨-૯૪ થી ૧૩-૩-૯૫

🌀ચીમનભાઇ પટેલના આકસ્મિક અવસાન પછી ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. ભાવનગરના મહુવા ગામે ૧૯૨૫માં જન્મેલા છબીલદાસ મહેતાએ સ્વાતંત્રયની લડતમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો કર્યાં.

👉 *કેશુભાઇ પટેલ*
૧૩-૩-૯૫ થી ૨૧-૧૦-૯૫, ૪-૩-૯૮ થી ૭-૧૦-૨૦૦૧

🌀ભાજપે ૧૯૯૫ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૨૨ બેઠકો મેળવી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૩૦ માં રાજકોટમાં જન્મેલા કેશુભાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે નોંધપાત્ર કામ કર્યું હતું. શંકરશિંહ વાઘેલાએ બળવો કરતાં તેમણે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૯૮ ની ચૂંટણીમાં ભાજપની જીત થઇ અને માર્ચ, ૧૯૯૮માં તેઓ પુનઃ મુખ્યમંત્રી બન્યા. જોકે જાન્યુઆરી, ૨૦૦૧ માં આવેલા ભૂકંપ પછી તેમની અને પક્ષની લોકપ્રિયતા ઘટતાં કેન્દ્રીય મોવડીમંડળે તેમના સ્થાને નરેન્દ્રમોદીને મુખ્યમંત્રી બનાવ્યાં. કેશુભાઇનું પ્રથમ વખતનું શાસન ઘણું વખણાયું હતું, પરંતુ બીજી વખતના શાસનમાં વહીવટી તંત્ર ઉપરની તેમની પકડ ઢીલી થઇ હોવાનું પ્રજાએ અનુભવ્યું. તેમણે ગોકુળગ્રામ યોજના, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વિકાસ વગેરે ક્ષેત્રે કાર્ય કર્યું. તેમના શાસનમાં નર્મદા યોજનાનું સ્થગિત કામ પુનઃ શરૂ થયું.

👉 *સુરેશચંદ્ર મહેતા* : ૨૧-૧૦-૯૫ થી ૧૯-૯-૯૬

🌀શંકરસિંહ વાઘેેલાના બળવા પછી સુરેશચંદ્ર મહેતા રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ક્ચ્છમાંથી પ્રથમ મુખ્યમંત્રી બનનાર સુરેશભાઇનો જન્મ ૧૯૩૬માં માંડવીમાં થયો હતો. જોકે તેઓ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહિ અને ઓકટોબર ૧૯૯૬માં તેમની સરકારનું પતન થયું.તેઓ ભલે લો પ્રોફાઇલ વ્યક્તિ ગણાતા હોય, પણ તેમનામાં કાર્યદક્ષતા ઘણી ઓછી છે. તેમણે મુખ્યમંત્રી તરીકે ખાસ કોઇ છાપ છોડી નહીં. તેઓ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભામાંની ચૂંટણી હારી જતાં તેમની કારકિર્દીને મોટો ફટકો પડ્યો.

👉 *શંકરસિંહ વાઘેલા*
૨૩-૧૦-૯૬ થી ૨૮-૧૦-૯૭

🌀ભાજપમાંથી મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલા ૧૯૯૬માં રાષ્ટ્રીય જનતા પક્ષ સ્થાપીને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી બન્યા. આશરે એક વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. પણ તાત્કાલિક નિર્ણયો લઇને તેમણે રાજ્યની પ્રજાને પ્રજાને પ્રભાવિત કરી અને એક મજબૂત અને મક્કમ નેતા તરીકેની પોતાની ઓળખને સુદ્દઢ કરી.

👉 *દિલીપભાઇ પરીખ* : ૨૮-૧૦-૯૭ થી ૪-૩-૯૮

🌀માત્ર ચારેક મહિના માટે મુખ્યમંત્રીપદે રહેનાર દિલીપભાઇ પરીખ અત્યંત પ્રવાહી અને અનિશ્ચિત રાજકીય પરિસ્થિતમાં ખાસ કશું કરી શક્યા નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ શંકરસિંહ વાઘેલાની ઘણી નજીક હતા. અને અકસ્માતે મુખ્યમંત્રી બન્યા.

👉 *નરેન્દ્ર મોદી* : (સૌથી વધુ ૪૪૬૫ દિવસનું શાસન)
૭-૧૦-૨૦૦૧ થી ૨૨-૧૨-૨૦૦૨
૨૨-૧૨-૨૦૦૨ થી ૨૨-૪-૨૦૧૪

🌀‘નમો’ તરીકે જાણીતા મોદીનો જન્મ ઉત્તર ગુજરાતના વડનગરમાં ૧૭-૯-૧૯૪૯ ના રોજ થયો છે. તેઓ કુશળ સંગઠક. એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાની આગવી આભા અને ઓળખ ઊભી કરી હતી. ભારતની ૧૨૫ કરોડની પ્રજાના વડાપ્રધાન થવા પહેલાં તેમણે ગુજરાતના વિકાસને આખા વિશ્વમાં પહોંચાડ્યો. ‘પાંચ કરોડ ગુજરાતીઓ’ ના નેતૃત્વકાર ગણાતા નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના પંથે લઇ જવામાં સફળતા મેળવી હતી. તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક અને વકતૃત્વ પ્રભાવક. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સૂત્ર તળે તેમણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આઈટી, વગેરે ક્ષેત્રે તેમણે નવી નવી પહેલ કરી. માર્કેટિંગમાં માહેર. પ્રજા અને પક્ષ બન્ને પર એકસરખી પકડ. જે માને તે કરે અને જે કરે તે લોકોને મનાવીને જ રહે.

👉 *આનંદીબહેન પટેલ* :
૨૨-૪-૨૦૧૪ થી ૬-૮-૨૦૧૬ કુલ ૮૩૬ દિવસ

🌀‘બહેન’ના હુલામણા નામથી ઓળખાતાં આનંદીબહેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી.ગુજરાત સરકારમાં સૌથી અનુભવી મંત્રી. મહેસાણના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧-૧૧-૧૯૪૧ના રોજ આનંદીબહેનનો જન્મ થયો હતો.૧૯૮૬માં રાજકીય ક્ષેત્રે પ્રવેશેલાં બહેન મૂળે તો શિક્ષિકાનો જીવ. પોતે સ્ત્રી હોવાથી સ્ત્રીની પીડા, દુઃખ કે અનય લાગણીઓ યોગ્ય રીતે જાણી-સમજી અને અનુભવતાં આનંદીબહેને રાજ્યનાં દરેક ગામના દરેક ઘરમાં ં શૌચાલય બનાવવાની નેમ કરી. એના અસરકારક અમલ માટે રાજ્ય સરકારની ઘર શૌચાલય યોજનાનોનું નેતૃત્વ ગામની આગેવાન મહિલાઓને સોપ્યું. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાના અભિયાનને પ્રોત્સાહન વેગ મળે તે માટે કૃષિ મહોત્સવના સમાપન પ્રસંગે તેમને મળેલી ખાદ્યચીજવસ્તુઓની ભેટ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકો-સગર્ભા માતાઓને અપાતી હતી.આ ઉપરાંત મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તેમણે પોતાને બે વર્ષના કાર્યકાળમાં કામ ઘણું કર્યું પણ કદાચ સમય અને નસીબ તેમની ફેવરમાં નહોતું. પહેલાં પાટીદારોનું આંદોલન તેમને નડ્યું અને બાકી હતું તે દલિતો પર થયેલા અત્યાચારોએ પૂરું કર્યું. કમનસીબી એવી કે ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી પોતાનો ત્રણેક વર્ષનો કાર્યકાળ પણ પૂરો ના કરી શક્યાં.

👉 *વિજયભાઈ રૂપાણી* ૦૭-૦૮-૨૦૧૬થી....

🌀આનંદીબહેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ભાજપ ગુજરાતના પ્રમુખ હોવા ઉપરાંત આનંદીબહેન સરકારમાં મંત્રી પણ હતા. રાજકોટના આ ધારાસભ્ય કુશળ સંગઠક ગણાય છે. તેમણે ખૂબ જ નાજુક સ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પાટીદાર આંદોલન અને દલિતોના પ્રત્યાઘાત તેમને ઝિલવાના છે.
તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી છે. પાટીદારોની લાગણીને સાચવવા તેમને આ જવાબદારી સોંપાઈ હોય તેવી પણ ચર્ચા છે. એક-સવા વર્ષ પછી સપ્ટેમ્બર-૨૦૧૭માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે સતત કામ કરવું પડશે.

🌊🌊🌊🌊🌊

દેશમાં અલગ-અલગ સેકટરમાં કારોબાર કરનારા ઘણી એવા બ્રાન્ડ છે, જે પોતના પૂરા નામ નહિ પરતું શોર્ટ નામથી ફેમસ છે.

Monday, October 24, 2016

Best Motivational Video in Hindi by Ujjwal Patni

Best Motivational Video Library


Click on blue link and see Video in Youtube

Ujjwal Patni Inspiration Video 



















Best Motivational Video in Hindi by Vivek Bindra, Dr Sneh Desai, Parikshit Jobanputra

Best Motivational Video in Hindi by Mittan Gupta

Best Motivational Video in Hindi by Sandeep Maheswari

Best Motivational Video Library

Click on blue link and see Video in Youtube

Sandeep Maheswari Video 

1. "I am the Greatest"


2. Emotional Intelligence


3. How to stay Motivated in your Career?


4. What is the Ultimate Goal of Life?


5. How to Stay Focused?


6. Stop Killing Time


7. Game of Life


8. Smart Work & Time Management

9. How to Conquer Yourself? 

10. How to control your Mind?

11. How to get Rich?

12. Absolute Freedom

13. How to choose your Career?

14. How to LEARN from everyone?

15. How to Achieve Success in Life?

16. For Students: How to Overcome Suicidal Thoughts?

17. ULTA SEEDHA by Sandeep Maheshwari


18. COURAGE for STUDENTS


19. The Sound of Silence


20. The Real Meaning of Meditation


21. Law of Karma

22. Realistic Positive Thinking

23. Overcoming Fear & Anger

24. Smart Work & Time Management

25. How to take the Right Decision?

26. How to control your Mind?


27. SEX: Biggest Distraction for Students - By Sandeep Maheshwari


28. A Fun Way to Achieve your Goals


29. Power of Belief ▶ An Inspirational Film by Sandeep

Friday, October 21, 2016

Thursday, October 20, 2016

Rangoli Best Design

Rangoli na best namuna
Niche aapeli Link parthi
CLIck kari Dowanload Karo

RANGOLI DESIGN PICTURE

Aaj no Vichar

એક સમજુ પિતાનો પત્ર :
=====================

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..

૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .

૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારૂ ને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મન માં ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર ના માની લેવા.

૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખ જે .

૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ
તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.

૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું.

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વિદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હંમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઇ જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ u કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.

મિત્રો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક વધુ માં શેર કરજો .
Pls read..its excellent


Nokri

Saturday, October 15, 2016

સારા માણસો સાથે સારા બનો​
​પણ​
​ખરાબની સાથે ખરાબ નહિં​
​કારણ કે​
​હીરાથી હીરો ધસી શકાય​
​પણ​
​કાદવથી કાદવ સાફ કરી શકાય નહિં​

posted from Bloggeroid

Friday, October 14, 2016

બીમારી માટે ઘરેલૂ નુસખાઓ

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જેથી આજે ઘરેલૂ નુસખાઓ તમારા માટે લઈને આવ્યા છે. જે સસ્તા અને સરળ છે.છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.

1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .

2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .

3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.

4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .

5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .

6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .

7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .

8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.

9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિનામાં પથરી ઓગળી જશે .

10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .

11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .

12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .

13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .

14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.

15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.

16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .

17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.

18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.

19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .

20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .

21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.

22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.

23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.

24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.

25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.

26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.

27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .

28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.

29. નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.

31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.

32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.

33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.

34. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.

35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.

36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.

37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.

38. ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.

39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.

40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.

41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.

42. સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે.

posted from Bloggeroid

ગુજરાતી News Paper આપના મોબાઈલ પર

આ વર્ષથી હવેથી છાપાનુ લવાજમ
ભરશો નહી
હુ તમોને દરરોજ છાપુ
આપે તેવી મોબાઈલ એપ આપુ છુ.

દરરોજ ડાઉનલોડ કરો તમારુ મનપસંદ છાપુ
નીચે આપેલી એપ્સ દ્વારા


https://play.google.com/store/apps/details?id=com.kp.epaperpdf

posted from Bloggeroid

Saturday, October 1, 2016

નવરાત્રિનૂ મહત્વ

*આપના વર્ગમા વિદ્યાર્થીને આ વાત કહો*

*શરીરની શુદ્ધિ માટે નવરાત્રિ*

_નવરાત્રિનાં ઉપવાસ કરવાની કેટલીક રીતો_

ચોમાસું પૂરું થાય કે તરત જ નવરાત્રિ શરૂ થાય છે. ચોમાસાંનાં ચાર માસ દરમિયાન ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણેયની સાથે આપણાં શરીરની સિસ્ટમને કામ કરવું પડે છે. આથી, શરીર નાની-મોટી બીમારીઓનો ભોગ બને છે. નવરાત્રિ દરમિયાન જો આપણે ફળાે, જ્યુસ, છાસ, દૂધ, પાણીની મદદથી ઉપવાસ કરીએ તો શરીરની ઈમ્યૂન સિસ્ટમ ફરીથી મજબૂત બને છે. વળી, ઉપવાસ દરમિયાન શરીર પોતાની અંદર જમા થયેલો કચરાે(ટાેક્સિક) બહાર ફેંકવા લાગે છે એટલે શરીર અંદરથી શુદ્ધ અને જંતુમુક્ત બનવા લાગે છે.
વર્ષમાં કુલ બે વખત વાતાવરણમાં ભારે ફેરફારો થાય છે. એક તો આપણે જ્યારે શિયાળાની ઋતુમાંથી ઉનાળામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અને બીજો સમય ચાેમાસાંની ઋતુ પૂરી થાય છે ત્યારે. આ બંને સમયે હિન્દુસ્તાનમાં નવરાત્રિ આવે છે અને એ બંને નવરાત્રિને ધર્મ સાથે જાેડી દેવાઈ છે જેથી લોકો સહ્જતાથી એવાં ઉપવાસ કરે અને તંદુરસ્ત રહી શકે.
સિઝન બદલાય ત્યારે અનેક લોકોને જુદી જુદી બીમારી થાય છે. એનું પણ ખાસ કારણ છે. શિયાળા દરમિયાન શરીરમાં જમા થયેલો કફ ઉનાળો શરૂ થાય એટલે પીગળીને નીચે ઊતરે છે, પેટમાં અમુક જગ્યાએ આવાે કફ ભરાવાથી તાવ, શરદી, શ્વાસની તકલીફ અને ચામડીની બીમારી થાય છે. આવા સમયે ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિનાં ઉપવાસ કરાય તો શરીર વગર દવાએ આપોઆપ શુદ્ધ થઈ જાય છે.
ફરીથી, ચાેમાસું પતે એટલે ચાેમાસાં દરમિયાન વિકૃત થયેલું પિત(બાઈલ) આપણને પજવે છે. ચાેમાસામાં ભેજવાળાં વાતાવરણને કારણે આપણી પાચનશક્તિ મંદ રહે છે. અને, વધુમાં વધુ તહેવારો ચાેમાસાં દરમિયાન જ આવે છે એટલે પેટ ઉપર અત્યાચાર ચાલુ જ રહે છે. જાેકે વધુમાં વધુ ઉપવાસ ચોમાસામાં જ છે પરંતુ ફરાળી ભજિયા અને ફરાળી સમોસા શોધીને જાતને છેતરનારી પ્રજાનું પેટ આવા ઉપવાસો પછી તો વધુ ખરાબ થાય છે.
વધુમાં વધુ બીમારી ચોમાસામાં જ કેમ હોય છે? કારણ કે, ચોમાસાં દરમિયાન સૂર્યની ગેરહાજરી હોય છે. સૂર્યનું કામ સતત જંતુઓને મારતાં રહેવાનું છે. વળી, સૂર્યનાં કિરણોને લીધે જ આપણું મગજ સેરોટોનિન નામનાં ન્યૂરાે ટ્રાન્સમીટર્સને સારી રીતે મેળવી શકે છે. સેરાેટોનિન આપણને મૂડમાં રાખે છે, ડીપ્રેશનથી બચાવે છે. ચોમાસાંમાં આપણાં શરીરમાં અનેક રસ્તેથી જંતુઓ પ્રવેશે છે અને ચોમાસાંમાં આપણું પાચન નબળું હોય છે સૂર્યની ગેરહાજરીને લીધે આ ઋતુમાં આપણું મન તણાવ(ટેન્શન)માં રહે છે.

*ગરબા શા માટે*
નવરાત્રિનો સમય પેટને આરામ આપવાનો અને ગરબાં વડે શક્તિ મેળવીને મનને ફરીથી ચાર્જ કરવાનો, મૂડમાં આવવાનો ઉત્સવ છે. ઉપવાસ કઈ રીતે કરવા એ વ્યક્તિ જાતે પણ નક્કી કરી શકે છે. છતાંય એક ટાઈમટેબલ જોઈએઃ
જ્યારે તરસ લાગે ત્યારે માત્ર ઊકાળેલું પાણી જ પીને પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી શકાય છે.
દિવસમાં બે વાર ચા કે કોફી, બેથી ત્રણ વખત એક ગ્લાસ જેટલું દૂધ પીને પણ ઉપવાસ કરાય.
ચા-કોફી, ગોળ કે ખાંડવાળો લીંબુ શરબત, સંતરા-મોસંબીનો મિક્સ જ્યુસ, પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ, એકાદ બે વખત કેળા કે ચીકુનો શેઈક( જે દૂધ અને ફળથી બને એને શેઈક કહેવાય..!) લઈને પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી શકાય છે.
જો એક સમય ભોજન લઈને નવરાત્રિનાં ઉપવાસ કરવા હોય તો દિવસે ભોજન લેવું વધુ સારું છે. રાત્રે ભોજનને બદલે જ્યુસ, ફળો અથવા શેઈક લેવાય તો એનાંથી ઉપવાસનો વધુ લાભ મળી શકે છે. આવા નવ દિવસથી શરીરમાં રહેલો કચરો બહાર નીકળે છે, રોગપ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી) વધુ સારી બને છે.
કોઈ પણ ધર્મનાં ઉપવાસ હોય એનાંથી મનની ધાર નીકળે છે, કુદરત સાથેનું આપણું જોડાણ વધું સરળ બને છે, આપણું જીવન સરળ બને છે.
માતાજી(આપના ઈષ્ટદેવ) આપને નવ દિવસ સુધી પૂરા ઉપવાસ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

posted from Bloggeroid

નવરાત્રી

મિત્રો નવરાત્રીના પર્વો આજથી શરુ થઇ રહ્યા છે.


આપણા ગુજરાતીઓ માટે મોટે ભાગે એક જ નવરાત્રીનું મહત્વ હોય છે. પણ શું તમે જાણો છો કે એક વર્ષમાં કુલ પાંચ નવરાત્રી આવે છે? આ પાંચ નવરાત્રી નીચે મુજબ છે.


૧. વસંત નવરાત્રી

આ નવરાત્રી વસંત ઋતુમાં આવે છે. વસંત ઋતુ ચૈત્ર મહિનામાં આવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ અને અપ્રિલ વચ્ચે આવે છે.

૨. ગુપ્ત નવરાત્રી

અષાઢ નવરાત્રી તરીકે પણ ઓળખાતી આ નવરાત્રી તેના નામ પ્રમાણે અષાઢ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે જુન અને જુલાઈની વચ્ચે આવે છે.

૩. શરદ નવરાત્રી

શરદ ઋતુ એટલે કે શિયાળો શરુ થવાની ઋતુમાં આવતી આ નવરાત્રીનું મહત્વ ખુબ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માં આવતી આ નવરાત્રી દેશમાં સૌથી વધુ ઉજવાય છે. ગુજરાતમાં ગરબા દ્વારા માતાજીની સ્થાપના કરીને તો બંગાળમાં દુર્ગાપૂજા દ્વારા આ તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે.

૪. પોષ નવરાત્રી

તેના નામ પ્રમાણે આ નવરાત્રી પોષ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ નવરાત્રી ડિસેમ્બર-જાન્યુઆરી માં આવે છે.

૫. માઘ નવરાત્રી

માઘ (માગસર) મહિનામાં આવતી આ નવરાત્રી અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે.


ઉપર જણાવેલી પાંચ નવરાત્રીઓમાંથી બે નવરાત્રીઓ સૌથી વધુ પ્રચલિત છે. એક તો શરદ નવરાત્રી કે જેમાં આપણે ગરબા રાસનો આનંદ લઈએ છીએ, અને બીજી છે ચૈત્ર મહિનામાં આવતી ચૈત્રી નવરાત્રી. લગભગ બધી જ નવરાત્રીઓ મહિનાના શુક્લા પક્ષમાં (અજવાળિયા દિવસોમાં) જ આવે છે. નવ દિવસ ચાલતી નવરાત્રીમાં દરેક દિવસે એક એટલેકે શક્તિના અલગ અલગ નવ સ્વરૂપોની આરાધના થાય છે. આ દિવસો દરમ્યાન શક્તિની આરાધના જે તે દેવીનું અનુષ્ઠાન કરીને કરવામાં આવે છે

posted from Bloggeroid

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...