Friday, March 10, 2017

હોળી

તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે. 

વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે? 

હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી.


આ ઉત્સવ ફાગણ સુદ – પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ‘ફાલ્ગુનિક’ પણ કહેવાય છે. હોળી એટલે પોતાના ગમતાનો ગુલાલ કરી એકબીજાના રંગે રંગાવાનો મહોત્સવ. શિશિરઋતુની ગુલાબી ઠંડી બાદ વસંતઋતુના સ્વાગત માટેનુ આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઊજવવામાં આવે છે. હોળીના આ ઉત્સવને આપણે ‘રંગોત્સવ’ નું નામપણ આપી શકીએ. અબીલ-ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશના મેઘઘનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે.
ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ‘ઋતુનાં કુસુમાકર:’ કહીને વસંત ઋતુને પોતાની વિભૂતિ ગણાવી છે. વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી. પ્રાચીન સમયથી એ ઋતુ-પરિવર્તનના તહેવાર તરીકે ઊજવાય છે. ‘નવાન્નેષ્ટિ’ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. શેકેલા અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે. આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કહેવાય છે. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતા. આમ, નવા અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર.
હોળી વિવિધ રીતે આત્મિક આનંદોલ્લાસ, અવનવા રંગ-ઢંગ અને ભારે દભદભપૂર્વક શાનદાર ઢંગથી મનાવવામાં આવે છે. સાયંકાળે શુભમુકૂર્તે નિશ્ચિત સ્થળે ખાડો ખોદવામાં આવે છે, જેમાં સૌપ્રથમ સાક્ષાત્ અગ્નિદેવને અર્પણ કરવાની ભાવના સાથે નવો શિયાળુ પાક (ઘઉં – ચણા) તથા સિક્કો મૂકેલ માટલું મૂકવામાં આવે છે. લાકડાં, ઘાસના પૂળા તથા છાણાથી હોળી ખડકવામાં આવે છે, જેની ટોચ ઉપર એક ધ્વજ પણ રાખવામાં આવે છે. રક્ષોઘ્ન મંત્ર ભણી અગ્નિ નાખી તાળી બજાવી મોટા શોરબકોર સાથે હોળી પ્રકટાવવામાં આવે છે. વૈદિક વિધિવત્ ઉચ્ચારણ સાથે હોલિકાપૂજન થાય છે. સ્ત્રી-પુરુષો જળ ધારાવાડી કરતાં હોળીની પરિક્રમા કરે છે. પરંપરા મુજબ શ્રીફળ, ધાણી, દાળિયા વગેરે તેમાં હોમાય છે.
આ હોળી માત્ર છાણાં-લાકડાંના ઢગલા બાળવાનો તહેવાર નથી, એ તો એની સાથે ચિત્તની દુર્બળતા દૂર કરવાનો, મનની મલિન વાસનાઓને બાળવાનો પવિત્ર દિવસ છે. આ દિવસથી વિલાસી વાસનાઓનો ત્યાગ કરી ભગવાન પ્રત્યે પ્રેમ, સદભાવના, સહનુભૂતિ, ઇષ્ટનિષ્ઠા, નિર્ભયતા, સ્વધર્મપાલન વગેરે દૈવી ગુણોનો વિકાસ કરવો જોઇએ.
હોળી એ દુર્ગુણો, દુર્વ્સનો વગેરે દોષોને બાળવાનું અને સદગુણો ગ્રહણ કરવાનું પર્વ છે. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેતા અંત:શત્રુઓ, ખોટા વિચારો તેમજ મનમાં રહેલા મલિનતાઓ, ખોટા વિચારો તેમજ મનમાં રહેલી મલિનતાઓ વગેરે કચરાને પણ બાળવો જોઇએ. હોળી એક સંજીવની છે જે સાધકની સાધનાને પુનર્જીવિત કરે છે. એ સમાજમાં પ્રેમનો સંદેશ ફેલાવે છે. પોતાનાથી ક્યાંક કોઇનું અપમાન કેનિંદા ન થઇ જાય, ક્યાંક કોઇની કોઇ હાનિ ન થઇ જાય એની ડગલે ને પગલે સાવધાની રાખવી. એવી પરિસ્થિતિઓથી બચવું કે જે દુર્વ્યસનોના ઝેરીલા રંગોથી રંગવા ઇચ્છે. આપણે તો એક શ્રીજીમહારાજના સ્વરૂપમાં રંગાવાનું છે.
જીવનમાં ભક્ત પ્રહ્લાદ જેવી દ્રઢ ભગવતનિષ્ઠા, સહનશીલતા, ક્ષમાશીલતા, પ્રભુ-પ્રેમ, કરુણા, દયા, અહિંસા વગેરે દૈવી ગુણોનું આવાહન કરવું જોઇએ. આમ જોઈએ તો પ્રહ્લાદજીની કથા શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધમાં ભગવાનની ઉતીલીલાના અનુસંધાને કહેવામાં આવી છે. ઉતીલીલા એટલે સત્ (પ્રહ્લાદજી) અને અસત્ (હિરણ્યકશિપુ)ની સંઘર્ષ કથા. આ ભાગવતની કથામાં વક્તા નારદજી છે અને તેના શ્રોતા મહારાજા યુધિષ્ઠિર છે.
પુરાણ કથા મુજબ જોઇએ તો દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાદ ભગવાનનો પરમ ભક્ત હતો. આપણે સૌ જે વાતને જાણીએ છીએ તેમ ભક્ત પ્રહ્લાદને મારી નાખવા અસુર પિતાએ ઘણાક પ્રયત્નો કર્યા. પરંતુ જ્યારે કોઇમાં સફળતા ન મળવાથી પોતાની બહેન હોલિકાને બોલાવવામાં આવી; કારણ કે હોલિકાને એવું વરદાન હતું કે તેની પાસે રહેલી એક દૈવી ચુંદડી અોઢીલે પછી તેને અગ્નિથી કશું જ ન થાય. તેથી અસુર ભાઇના આગ્રહને વશ થઇ હોલિકા પોતાની ગોદમાં ભક્ત પ્રહ્લાદને રાખી પોતાની દૈવી ચુંદડી ઓઢીને ચિત્તામાં ગોઠવઇ ગઇ. ત્યારબાદ ચિત્તાને જલાવવામાં આવી… ત્યારે જ ભક્ત પ્રહ્લાદનું મનોમય ભગવત્સ્મરણ બહાર આવ્યું ને જોરજોરથી ભગવાનના નામનું રટણ શરુ કર્યું.
આ જગતમાં મનુષ્યોને માનવામાં આવતું દુ:ખ તે દુ:ખ જ નથી કે સુખ તે સુખ જ નથી. ખરેખર ભગવાનનું સ્મરણ ભૂલાય તે જ દુ:ખ છે. અને જ્યાં ભગવાનનું સ્મરણ હોય ત્યાં દુ:ખ ક્યારેય ન જ હોય ત્યાં સદૈવ સુખ જ હોય. એ સ્પષ્ટ વાતછે. આશાસ્ત્રોના વચનનો અહિં સાક્ષાત્કાર થયો. કારણ કે પ્રહ્લાદ ભગવાનના પરમ ભક્ત હતા અને મુખે ભગવાનનું અખંડિત નિર્ભિત નામસ્મરણ હતુ. જોરથી પવનના ઝપાટા શરૂ થયા. તે પવનના પ્રતાપથી હોલિકાની જ ચુંદડી ભક્ત પ્રહ્લાદને વિંટાઇ ને આખરે હોલિકા જ સળગી ગઇ અને ભક્ત પ્રહ્લાદજી બચી ગયા. આમ, આસુરી વૃત્તિનો ઘોર પરાજય થયો ને દૈવીશક્તિનો જ્વલંત વિજય થયો.

આ ઉપરના પ્રસંગથી જ સત્યુગથી આજ સુધી ભક્તાની રક્ષા ને આસુરી વૃત્તિના વિનાશને સાંગોપાંગ સમજાવવા લોકો ઘેર-ઘેર, નગરોનગર, ગામને ગોંદરે અગ્નિને પ્રગટાવી અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે વિષય વાસનારૂપ અમારી આસુરી આસુરી વૃત્તિઓને સળગાવી દઇ અમજેવા ભક્તોને બચાવી લેજ્યો. જ્યારે પ્રહ્લાદ બચી ગયા છે ને હોલિકા શળગી ગઇ છે ત્યારે આ વાતની લોકોને જાણ થતા સર્વત્ર આનંદ-ઉત્સવ થયો. સાથોસાથ રંગ-ઉત્સવ ઊજવીને ભક્ત પ્રહ્લાદજી પ્રત્યેના પ્રેમને પ્રગટાવ્યો, ત્યારે ફાગણ વદ – ૧ (એકમ, પડવો) નો દિવસ હતો. જેને આજે ‘ધૂળેટી’ ના નામથી ઓળખવામાં આવે છે. સાથોસાથ ફાગણ વદ ૨ ને દિવસે ભરતખંડના રાજા શ્રીનરનારાયણ ભગવાનો પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વત્ર ભારત દેશમાં પ્રાગટ્યદિન પણ ઊજવવામાં આવે છે. આ જ દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણને ગોપ-ગોપીઓએ નવીન ફૂલોથી શણગારી ફૂલનો હિંડોળે હિંચકાવ્યા હતા. અને ગુલાલ રંગ ઊડાડી રંગોત્સવ મનાવ્યો હતો તેથી આ દિવસને ‘ફુલદોલ ઉત્સવ દિન’ તરીકે વૈષ્વણ-ભક્તિ સંપ્રદાયમાં તેનું સ્થાન વિશિષ્ટ છે.

હોળી  ઠંડી અને ગરમ ઋતુનોસંધિકાળ ગણાય છેસંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે  સમયમાં પ્રાણીમાત્ર બેઋતુનો ભોગ બને છેઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓજીવજંતુઓસમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છેઆવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખુબજઉપયોગી તહેવાર બની રહે છે..
 સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ છેઆવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા  નાનકડો દીવો પણ ઘણું  કામ આપે છે  ક્રિયાનુંપુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએઆથી નવરાત્રીમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્વ ખુબજ વધી જાય છેકેટલાક લોકો હોળી પ્રગટાવવાનો વિરોધ કરતા,

કેટલાક લોકો હોળી પ્રગટાવવાનો વિરોધ કરતાએવું કહે છે કે હોળી ને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકશાનપહોંચે છેપરંતુ હકીકત જુદી  છેપર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે કેવી રીતે તે હવેઆપણે જોઈએ :
ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે ઘાસ ઊગી નીકળે છે એવા પ્રકારનીવનસ્પતિ હોય છેજેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતીતેઆપોઆપજ ઉગી નીકળી હોય છેખેતરમાં કે વાડીમાં ઉગાડેલા અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાંભરપુર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએપરંતુ એવી અસંખ્યવનસ્પતિ છે જે માત્ર ચોમાસા પુરતી ઊગે છે અને શિયાળામાં સુકી હવાના કારણે સુકાઈ જાય છે ઉપરાંતવર્ષોથી જમીન પર ઊગેલા મોટા વૃક્ષો પણ મહા મહિનામાં પાનખર ઋતુમાં અસંખ્ય ડાળીઓ અને પાંદડાનોત્યાગ કરે છેજેમ મનુષ્યનું જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમ વૃક્ષોનું પણ જીવન અને મૃત્યુ નિશ્ચિત હોય છે.દર વર્ષે જેમ કોઈ ને કોઈ વૃદ્ધો શરીર છોડી દેતા હોય છે તેમ કેટલાય વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપીરસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છેજેમ મૃત વ્યક્તિનો આપણેઅગ્નિસંસ્કાર કરીએ છીએ એજ રીતે આવા સુકા વૃક્ષોપાંદડા અને સુકી ડાળીડાળખાં ભેગા કરીને ‘હોળીપ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્ય ‘અગ્નિસંસ્કાર‘  કરીએ છીએમહા મહિનામાં જમીન પરઅસંખ્ય પ્રમાણમાં ડાળીડાળખાં કે સૂકા પાંદડાને આપણે સળગાવીએ નહિ તો પણ  પૃથ્વી તત્વમાં ભળીજાય છેપણ એમ થતાં વધુ સમય લાગે છેજયારે આવા સુકા ઘાસપાંદડાંડાળખાં કે લાકડાને અગ્નિદાહદઈએ તો તેનો નિકાલ જલ્દી આવે છેવળીઆમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમકુદરતી ખાતર બને છેજે નવી વનસ્પતિ કે નવા વૃક્ષોને ઉગડાવા માટે કામમાં આવે છેજેમ પ્રત્યેક નવાઅવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે છે  પ્રાણીસૃષ્ટીનો નિયમ છે એજ રીતે વનસ્પતિની સૃષ્ટિમાંપણ  નિયમ લાગુ પડે છેઆપણે  બાળીએ તો  પોતે બળી મારે છેઘનઘોર જંગલમાં એકદમગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યા હોય અને તેમની વસ્તી એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણતેમને વીંધીને જમીન પર પહોચી  શકેત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથેઘસાઈ ને આગ પકડી લે છેજેને આપણે જંગલમાં ‘દવ‘ લાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દ ‘દવપરથીજ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતેજ પોતાનો વિનાશ સર્જે છેપણ સૂકા લાકડા કે વૃક્ષોપૂરેપૂરા સળગી જાય છેજયારે નવા વૃક્ષો લીલા હોઈ જલ્દી સળગતા  હોવાથી બચી જાય છેઆમ વૃદ્ધ,વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છેમરેલાને બાળવા  ગુનો નથીપણ સંસ્કારછે એમ સૂકા વૃક્ષોડાળીઓલાકડાંપાંદડાંને બાળવા  અપરાધ નહિપણ સંસ્કાર  છેએમાં પણ ઠંડીવિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતે ‘હોળી‘ ઊજવીને આપણે એક કાંકરેબે પક્ષીનો શિકાર કરીએ છીએએક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિનેકારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.
મૃત વ્યક્તિઓનો અગ્નિસંસ્કાર  કરીએ અને એમને એમ રઝળવા દઈએ તો પણ વરસો જતા તે કોહવાઇનેમાટી માં તો ભળીજ જવાનો છેપણ ત્યાં સુધી જે જીવતા રહેલા છેતેમને કેટલો ત્રાસદુર્ગંધ અને રોગચાળોસહન કરવો પડેઆજ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલા પાંદડાંડાળીડાળખાંસૂકા ઘાસવગેરેએટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલા મૂળિયાબીજ કે જીવજન્તુઓને હવાપાણી અને પ્રકાશમેળવવામાં ઘણીજ તકલીફ થાયમાટે તેમનો નિકાલ જરૂરી છેગામડાની સરખામણીએ શહેરોમાં વૃક્ષો અનેવનસ્પતિ ઓછા હોય છેએટલે કેટલાક લેભાગુ લોકો લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા હોય  પણ શક્ય છે.આવું કાર્ય કરતા લોકોને અટકાવવા  આપણી ફરજ છેપરંતુ એના લીધે હોળીજ  પ્રકટાવવી  અયોગ્યછેહોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે  છે વધુમાં શરીરના તંત્રમાં પણ અગત્યનોભાગ ભજવે છેમહાશિવરાત્રીમાં તમે ઉપવાસ કે જાગરણ  કરી શક્યા હોબિલીપત્રનો રસ  પી શક્યા હોતો મૂંઝાવાની જરૂર નથીશિયાળામાં શરીર માં જામી ગયેલા કફને ઓગાળવા હોળીની ગરમી ખુબજ કામલાગે છેહોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આજતો હેતુ છેજેમ થીજી ગયેલા ઘી ને ગરમકરતા તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એજ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવીઉત્સર્ગ ક્રિયા મારફતે શરીરથી છુટકારો આપી શકાય છેઆયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો,યુવાવસ્થામાં પિત્તનો અને વૃધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છેનાના બાળકને વાતવાતમાં કફ થઇજતો હોય છે માટેજ નવા જન્મેલા બાળકોને હોળીને ફરતે ફેરવવાનો રિવાજ પણ આપણે ત્યાં છેઆમકરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છુટો પડી મુત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થરહે છેઆથીજ જન્મદાત્રી માતાગાયમાતા અને ધરતીમાંતાની જેમ હોળી ને પણ આપણે માતાનાસ્વરૂપમાજ વંદન કરીએ છીએહોળીના દિવસોમાં ખાવામાં આવતા દ્રવ્યો તેમજ હોળીમાં પધરાવવામાંઆવતા દ્રવ્યો પાછળ પણ ઘણા વૈજ્ઞાનિક કારણો છે તે આપણે પછીના પ્રકરણ માં જોઈશું.

હોળી અને ધૂળેટીના રંગોત્સવની ઉજવણીમાં છૂટથી વપરાતા કેમિકલ મિશ્રિત રંગો ચામડીને હાનિકર્તા છે તેને બદલે હર્બલ રંગો વાપરવા હિ‌તાવહ છે.
તેમજ પાણીનો બગાડ પણ ઓછો થાય છે.
કેમિકલયુક્ત રંગોથી ચામડીના રોગ થાય છે. જ્યારે કેસૂડાના પાણીથી રંગે રમવાથી ચામડી ગૌર બને છે.કેસૂડો ઉપરાંત પલાસ અને ખાખરા જેવા વૃક્ષોના ફૂલોમાંથી કેસરી રંગ મળે છે. કપાસના ફૂલના અર્કમાં લીંબુનો રસ મેળવવાથી લાલ રંગ મળે છે. હળદરમાંથી ઘાટો પીળો રંગ મળે છે જેને સાબુના દ્રાવણ સાથે મિશ્રણ કરતા લાલ રંગ આપે છે. આવી તો અનેક વનસ્પતિ છે જેમાંથી પ્રાકૃતિક અને નિર્દોષ રંગ મળે છે જે સહેજ પણ નુકશાનકારક નથી.
અબીલ-ગુલાલની સાથે સુકી હોલી.દાડમની છાલને સૂકવી, ખાંડીને શ્રેષ્ઠ પ્રકારનો સિલ્વર રંગ બને છે, રજકાના પાનમાંથી લીલો, પારિજાતમાંથી કેસરી રંગ, હરડેમાંથી પીળો રંગ, કાથામાંથી લાલ રંગ, ખાવાના સોડામાંથી પણ લાલ રંગ મળે છે. જાંબુમાંથી જાંબલી અને બીટમાંથી ગુલાબી રંગ મળે છે.
પાણી બચાવવાના આ અભિયાનમાં અબીલ ગુલાલની સાથે સુકી હોળીનો ભાવ વ્યકત કરતાં સુંદર સ્લોગન
 તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે. 
લોકોને આ જ્ઞાન નથી તેથી આપણા પૂર્વજોએ તેને ધાર્મિક રૂપ આપ્યું છે અને આવનારી ગરમ ઋતુને સહન કરવાનું બળ મળે તે માટે તેમાં આપને વિવિધ વસ્તુઓ એમાં પધરાવીએ છીએ. નાળિયેર, લીમડો, આંબાના મોર, છાણ વગેરે એમાં પધરાવતા હોઈયે છીએ. આ બધું પધરાવવા પાછળ કારણો છે. આંબો ગરમીની સાથે સાથે મીઠો થતો જાય છે. લીમડાનો ધૂમાડો જંતુનાશક છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. ગાયનું છાણ પણ વાતાવરનને શુદ્ધ કરે છે. આ બધું બળ્યા પછી તેમાંથી ઉત્પન્ન થતી રાખ પણ ઉત્તમ છે. કાર્બનડાયોક્સાઈડ ઊડી જતાં તેનુ બાયપ્રોડક્ટસ [રાખ] માં સોડિયમ, પૉટેશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમનાં ઑક્સાઈડ આ રાખમાં હોય છે જે જંતુઘ્ન અને સ્વચ્છતાના ગુણ ધરાવે છે.
 પહેલાંનાં જમાનામાં આ રાખ એકબીજા પર ચોળી આ પર્વ મનાવતાં એટલે તો ‘ધૂળેટી’ કહેવાય છે. આ રાખ આવનારી ગરમીથી ચામડીનું રક્ષણ કરે છે. આ ઋતુમાં શીતળા, શીળસ, ઑરી અછબડા જેવા ત્વચાનાં રોગો ફેલાતાં હોય છે. તેની સામે રક્ષણ માટે આ હોળીની રાખ લગાડવામાં આવે છે. તે ઉપરાંત આ રાખ સાલભર સંઘરવામાં આવે તો નકારાત્મક વિચારો દૂર કરવાની શક્તિ આપે છે.
કેસુડાનાં ફૂલ કફ અને પિત્ત શામક છે. દૂધ અને કેળાં કદાચ પિત્ત શમાવે છે પણ કફ પણ વધારે છે. મરી આદુ કફ મટાડે છે પણ પિત્ત વધારે છે પરંતુ કેસુડાનાં ફૂલ આ બંને કામ કરે છે. ગરમી, ઠંડી મિશ્રિત વસંત ઋતુમાં કફનો જમાવટ થઈ જાય છે તે વખતે કેસુડાનું સ્નાન કફ અને પિત્તનો નાશ કરે છે. ગરમીથી થતાં તાવ સામે કેસુડાનું સ્નાન રક્ષણ આપે છે. આ રીતે કેસુડાનાં પાણીથી રમાતી ધુળેટી આપણને સ્વસ્થતા અર્પે છે.
  હોળીમાં ખવાતાં પદાર્થો પણ ગરમી સામે રક્ષણ આપનાર છે. જુવારની ધાણી, મકાઈની ધાણી, શેકેલાં ચણા, દાળિયા સ્નિગ્ધતા વગરના હોઈ પચવામાં હલકાં હોય છે અને શરીરને બળ પ્રદાન કરે છે. સાકરનાં હારડા પિત્તનાશક અને ઠંડક અર્પે છે. ખજૂર કફનો નાશ શરીરને બળવાન અને પુષ્ટ બનાવે છે. શેરડીનો રસ ભેળવેલી સુંવાળી પિત્તશામક છે.

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...