Thursday, February 23, 2023

Bio -Clock (માઈન્ડ સેટ)

મોટાભાગના લોકોનો અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના પહોરમાં બસ, ટ્રેન પકડવાની હોય કે અન્ય કામે બહાર જવાનું હોય ત્યારે આપણે સવારના ચાર વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ જતા હોય છે, આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ અને એલાર્મ વાગે તે પહેલાં જ ઉઠી જઈએ છીએ. ઘણી વાર એલાર્મ વાગવાને સમયે જ આંખ લાગી જાય છે. આને Bio-Clock(માઈન્ડ સેટ) કહે છે. આપણે જ આપણા મનથી આવા એલાર્મ જાણ્યે અજાણ્યે Set કરતાં હોઈએ છીએ.



આપણામાંના ઘણા એવું માનતા હોય છે 80 થી 90 વર્ષના થયા એટલે બહુ જીવ્યા. આપણે એવું માનતા હોય કે આપણું શરીર એક મશીન છે જે 50-60 ની ઉંમરે ખોટકાવા માંડે છે. આવી માન્યતા જ આપણું Bio clock set કરતું હોય છે અને આપણે ખરેખર બીમારીનો શિકાર થતાં હોઈએ છીએ, વૃદ્ધત્વ તરફ અજાણ્યે ધકેલાઈ જઇએ છીએ.

ઘણા  લોકો આરામથી 100 વર્ષ જીવતા હોય છે, કારણકે તેમનું Bio-Clock તે પ્રમાણે સેટ થયેલું હોય છે. આપણામાંના ઘણા લોકો પણ 100 વર્ષ કરતાં વધુ જીવતા જ હોય છે. એટલા માટે આપણે પણ આપણું Bio-clock એવી રીતે set કરીએ કે જેથી કમસે કમ 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવીએ.

આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે, જયારે  કેટલાય મિત્રો 50-60ની ઉંમરમાં ખખડી ગયેલા જોયા છે.

યાદ રાખીએ કે Age is number and Old age is mind set.

લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી વણમાગેલી Tip નીચે મુજબ છે, માનવું કે ના માનવું એ મરજીની વાત છે.

1. આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવીએ. મનમાંથી એવા નકારાત્મક વિચારોને તિલાંજલી આપીએ કે લાંબુ જીવન કોને માટે જીવીએ.?

આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ. આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે આપણું નિર્માણ લોકોના કામો કરવા માટે જ થયેલું છે. આપણે ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને અમાપ શક્તિનો ધોધ મળે છે. આવી રીતે વિચારવાથી આપણું Bio-clock એવી રીતે આપો આપ set થશે. એટલે સૌથી પહેલું  Important કામ.. Throw out negative thoughts from your mind and try to implant positive thoughts.

2.  Look Young..

તમારો દેખાવ પહેરવેશ એવો રાખો કે યુવાન લાગો.. એમાં આછકલાઈ ન ગણો, મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. Do Not Allow The Appearance Of Ageing.

3.  હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. ચાલો અને બની શકે તો દોડો. Be Active. Idle mind is devil's workshop.

4. Keep confidence that your health is improving. તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી જશે તેવા આત્મવિશ્વાસ રાખો.


5. Our Mindset Is The Reason For Everything. Never allow the Bio-clock to set your ending.

હંમેશા જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો.

6. તમારી જાતને કદી નીચી ના સમજો.  ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તમને કોઈ ફરક નથી પડતો. તમારામાં જ એક મહાન         શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન આપે છે. તો Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા માટે પોઝિટિવ કમાન્ડ જ આપવાના છે, આપણા કરમથી એ Bio- Clock ની જ ( માઈન્ડ સેટ)ની જ બધી અસર તમારા જીવનમાં થશે. 

જિંદગી ની આખી રમત જ

માઈન્ડ સેટ (Bio Clock) પર છે...

જો સમજાય તો..

હંમેશાં પોઝિટિવ કમાન્ડ જ આપવા..

No-  નેગેટિવ કમાન્ડ..

બસ ટુંક માં જેવો કમાન્ડ્સ આપશો આવું બહાર આવશે ..

ખુશ રહો અને તંદુરસ્ત રહો...🙏

Monday, February 20, 2023

રેલ્વે સ્ટેશન

રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) કેમ લખવામાં આવે છે? દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે? ચાલો જાણીએ..

   

ટર્મિનલ (Terminal) :

            

ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.


સેન્ટ્રલ (Central) :

          

સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.


જંકશન (Junction) :

           

જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે. ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં

3 રૂટવાળા : 181

4 રૂટવાળા : 109

5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)

6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)

7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)


ભારતીય રેલ્વે વિશે જાણવા જેવું :


● સૌપ્રથમ 8 મે, 1857માં મુંબઈ થી થાણા વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી.

● ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે.

● ભારતીય રેલ્વે કુલ 1,19,630 કિ.મી.નો રેલ્વે ટ્રેક ધરાવે છે.

● ભારતીય રેલ્વે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.

● ભારતીય રેલ્વે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.

● ભારતીય રેલ્વેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

● દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલ્વે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.

● આખા ભારતમાં ભાવનગર રેલ્વે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.

● દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ ”શ્રી વેન્કટનરસિંહરાજુવારીપેટા” ........


પોરબંદર એક ટર્મીનલ છે.




રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...