Saturday, August 31, 2019

આદર્શ શિક્ષક.... શ્રેષ્ઠ શિક્ષક....

દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસ તા. પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  માં બાપ પોતાનાં શિશુઓને ઊઠવા, બેસવા, બોલવા આદિનું શિક્ષણ આપે છે. આસપાસનો સમાજ પોતાની સામાજિક રીતભાતોની એક અથવા બીજી રીતે તાલીમ આપે છે; જુદીજુદી કક્ષાના વ્યવસાયીઓ પોતપોતાના લાગતાવળગતાને વ્યાવસાયિક વૃત્તિના સંસ્કાર આપે છે. આ બધું ખરું, પણ છેવટે એ બધા શિક્ષકનું સ્થાન લઈ શકતા નથી

‘કાષ્ઠને ચંદન કરે,
ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને
કોણ ન વંદન કરે ?

"સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે.”

આદર્શ શિક્ષક કેવા હોય......એ જવાબ આપવો સરળ નથી.. છતાં... આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે

આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીનું સન્માન કરે છે. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. માયાળુ અને પ્રેમાળ હોય છે. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. વિષયમાં તજજ્ઞ હોય છે. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.

“શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે.”

પંડિત સુખલાલજી કહે છે,

“સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.”

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

“સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ”.

એમર્સન કહે છે, “જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે.”

આદર્શ શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ એ પૂરતું નથી. એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, શ્રમ કરવો જોઈએ. જ્ઞાન ઉપરાંત કર્મ અનિવાર્ય છે. વર્ગમાં જતા પહેલા તેની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. ત્રીજી જોઈએ છે ભક્તિ. ભક્તિ એ રાજમાર્ગ છે. તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

કદાચ આજના શિક્ષકમાં ઉપરોક્ત તમામ ગુણો ન  હોય. પણ સમાજ અને વિદ્યાર્થીના ઘડતર માટે કેટલાક  અનિવાર્ય લક્ષણો જરૂરી છે. જેમ કે,

શિક્ષકોનું ચારિત્ર્ય અણી શુદ્ધ હોવું જોઈએ. એ પોતાના વિષયમાં ઓછો પ્રવીણ હશે તો ચાલશે. પણ અશુદ્ધ ચારિત્ર કદાપી ચલાવી ન લેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન કરે તે જરૂરી છે. એવા શિક્ષક સાથે વિદ્યાર્થીની નિકટતા વધે છે.

શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ રીતે પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે. વળી, દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય સતત શોધતા રહેવા જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના પ્રશ્નોથી મુંઝાય છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની તક આપે છે.તેની જ્ઞાન મેળવવાની ઉત્સુકતાને જવાબો આપી ઠારે છે, તેનું સમાધાન કરે છે. આવા થોડા વિચારોને પણ જો શિક્ષક પોતાના વ્યક્તિત્વમાં અને વર્ગખંડમાં સાકાર કરેશે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આત્મીય અને માન પ્રેરક નાતો પુનઃ સ્થપાતા વાર નહી લાગે.

શિક્ષક તો શીખનારને ઘર, સમાજ અને વ્યવસાયનાં ક્ષેત્રે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે જે સંસ્કારો લાધ્યા હોય તે તમામને સૂક્ષ્મ રીતે વ્યાપકપણે ઊંડાણથી એવા સંસ્કારે છે કે જેને લીધે શિખાઉ વિદ્યાર્થી પહેલાંના સાંકડા અને નાના ચોકમાંથી જ્ઞાન-વિજ્ઞાનના વિશાળ પટ ઉપરથી વિહરતો થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષકની વિશેષતા એ છે કે તેની પાસે શિક્ષણ લેવા આવનાર વર્ગમાં નથી હોતો કોઈ જાતિભેદ, પંથભેદ, દેશભેદ કે ઓછીવત્તી શક્તિ ધરાવનારનો ભેદ.


જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. શિક્ષક કહી શકાય... આજના યુગમાં શિક્ષક સ્ત્રી હોય કે પુરુષ... શિક્ષક હમેશાં આદર્શ હોવા જોઈએ.. આજના યુગમાં માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.

અવનવી વાતો, નવી ફિલ્મ, નવુ પુસ્તક, નવી શિક્ષણની પ્રયુકિત, નવી શિક્ષણની એપ, શિક્ષણની વેબસાઈટસ, વગેરેથી જાણકાર, સતત અપડેટ રહેતો હોય એવા શિક્ષકને, વિદ્યાર્થીઓ હૃદય-હૃદયનાં વંદન પાઠવતાં હોય છે.

વેદમાં એક જગ્યાએ શિક્ષકને ‘ગાતુવિદ્’ કહયો છે. ‘ગાતુ’ એટલે ગમન-માર્ગ અને ‘ગાતુવિદ્’ ગમન-માર્ગને ખોળનારો, જેને અંગ્રેજીમાં ‘પાથ ફાઈન્ડર’ કહે છે. શિક્ષક માટે વેદનો આ વિશેષ શબ્દ છે. વેદ શિક્ષકને અત્યંત શકિતશાળી માર્ગદર્શકના રૂપમાં જુએ છે. બાળકો માટે નીચોવાઈ જતો માસ્તર કોઈ એવોર્ડ કે મેડલનો મોહતાજ નથી હોતો. વિદ્યાર્થીઓનો પ્રેમ એનો પુરસ્કાર બને છે. અરજી કરીને એવોર્ડ મેળવવો એની ફિતરતમાં નથી હોતુ. પ્રેરણા પૂરી પાડતો શિક્ષક સાચા અર્થમાં પથદર્શક (પાથ ફાઈન્ડર) છે. વિદ્યાર્થીઓ ભણાવનારા શિક્ષક કરતાં પ્રેરણા આપનારા શિક્ષકોને વધુ યાદ રાખે છે. બાળકોને પ્રેમ કરી શકનારા જન્મજાત શિક્ષકો પેઢીઓનું ઘડતર કરવાનું મંગલ કાર્ય કરે છે.

આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર શબ્દ વધુ ગૌરવવંતો બને છે.

શિક્ષકે મેઘ નહિ, માળી બનવાનું છે.’ વાદળું તો વરસી જશે, વરસાદ પડી જશે. વરસાદનું વરસી જવું એ એક વાત છે ને છોડને પાણી સિંચવું ને માવજત કરવી બીજી વાત છે. માળીનું કામ એ છે કે કયા છોડને કેટલું પાણી જોઈએ ? પાણી નકામું જતું રહે તે પણ તેને નહીં ગમે. ખરેખર, માસ્તર એ માળીની જેમ બાળકોની કાળજી રાખનારો શિક્ષણ પ્રહરી છે.

સાચા શિક્ષકનું અન્ય એક લક્ષણ છે: ધૈર્ય ! વિદ્યાર્થીની ગ્રહણશીલતા ઓછી હોય તો પણ શિક્ષકનું અખંડ ધૈર્ય ચમત્કાર સર્જી શકે છે. માતા-પિતાને જયારે એક કે બે બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારે એક શિક્ષકને એક સાથે ઘણાં બાળકોની સંભાળ લેવાની હોય છે અને આ ખરેખર ખૂબ તણાવજનક અને પડકારરૂપ પરિસ્થિતિ હોય છે.

જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે.  બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષક નું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.

તેમણે વધુમાં કહ્યું છે, એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઇ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુન ને ધીરે ધીરે ગંતવ્ય તરફ દોરી જાય છે! કૃષ્ણ એક અદ્ભુત શિક્ષક છે.


સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન છે. સામાન્યત: અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે. કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે. એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે.


શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના guide, friend and philosopher તરીકેની ભૂમિકા અદા કરવી જોઈએ. 

આજના યુગના આદર્શ શિક્ષક કેવા હોવા જોઈએ.

આજે શિક્ષણ વર્ગની ચાર દીવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય શ્રોતાઓ નથી. આજે શાળામાં વિદ્યાર્થી ‘empty mind’ સાથે આવતો નથી, કારણ કે વિવિધ માધ્યમો ટીવી, રેડિયો, news paper અને movie દ્વારા અનેકવિધ જ્ઞાન પિરસાઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો, મૂંઝવણ અને શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના મશીનગનથી વિદ્યાર્થીઓના માનસિક ભારને વધારવાનો નથી, પરંતુ વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવાનું છે જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય એટલે કે શિક્ષકે અહીં facilitator તરીકે વર્તવાનું છે. તેના માટે શિક્ષકે ચીલાચાલુ lecture methodના બદલે પ્રોજેક્ટ, ચર્ચા, group work, ક્ષેત્રિય મુલાકાત, પ્રવાસપદ્ધતિ સ્વીકારવી જોઈએ. દા.ત. “આપણા વ્યવસાયકાર’ પાઠમાં Pictureની મદદથી ‘કુંભાર’ની માહિતી આપવાને બદલે કુંભારના ઘરે વિદ્યાર્થીઓને લઈ જવા અને નિરીક્ષણ અને જાતઅનુભવથી વિદ્યાર્થીઓ કુંભારનું કાર્ય, ઉપયોગ થતાં સાધનોથી વાકેફ બને અને તે જ્ઞાન ચિર સ્થાયી બનાવે. જો શિક્ષક Facilitator તરીકે વર્તશે તો વિદ્યાર્થીઓમાં શીખવાનો ઉત્સાહ અનેરો જોઈ શકાય છે.


દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે Counsellor તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું Counselling કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.

ટૂંકમાં આદર્શ શિક્ષક એવા એક વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે. આપણા દેશના દરેક શિક્ષકોએ આદર્શ શિક્ષક તરીકે પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે.

.....જય હિન્દ જય ભારત......

Friday, August 16, 2019

ટોની સેબા અને મુકેશ અંબાણીનું ભવિષ્ય

શક્ય છે કે મુકેશ અંબાણી હવે પેટ્રો બિઝનેસનો પથારો સંકેલી નાંખે, તેનું કારણ છે આ માણસ...

સ્ટેનફોર્ડ યુનિ.ના અર્થશાસ્ત્રી ટોની સેબાએ ભવિષ્ય ભાખ્યું છે કે 2030 સુધીમાં પેટ્રોલ-ડિઝલ વાહનોના પૈડાં અટકી જશે.

શું આ ભવિષ્ય છે ?? તો વાંચો સંપુર્ણ લેખ...

હજુ ચાર દાયકા પહેલાં સૌરાષ્ટ્રના ગામડાંમાં લગ્નલાયક દીકરીનું માંગું આવે અને દીકરીનો બાપ પૂછે કે 'મૂરતિયો શું કરે છે?' એ સવાલના જવાબમાં કહેવામાં આવે કે, 'એને ક્યાં કંઈ કરવાની જરૂર જ છે, એનાં બાપને તો પેટ્રોલ પમ્પ છે!' આ જવાબ સાંભળીને પછી દીકરીનો બાપ વધુ કોઈ પડપૂછ કર્યા વગર હોંશેહોંશે સગપણ પાકું કરી નાંખે. પેટ્રોલ પમ્પ તો બહુ મોટી વાત છે, રેશનિંગ દુકાને કેરોસિન વેચવાનું લાયસન્સ ધરાવતા વેપારીના પગ પણ જમીનથી વેંત અદ્ધર પડતાં હોય એ મોભો બહુ દૂરનો ભૂતકાળ નથી.

પેટ્રોકેમિકલ્સ યાને ખનીજતેલ યાને જીવાશ્મિના રાસાયણિક અવશેષ યાને ફોસિલ ફ્યુઅલ... આશરે પોણા બસો વર્ષથી જગતના ચાલકબળ તરીકેનો દરજ્જો ભોગવતું ખનીજતેલ આધુનિક વિશ્વની દરેક ક્ષેત્રની હરણફાળનો પાયો ગણાય છે. ઈસ. 1848માં સ્કોટિશ રસાયણશાસ્ત્રીએ પથ્થરની ખાણના ઊંડાણમાંથી ઝમતાં ચીકણાં, ઘાટા રગડાને ઉકાળીને ઠાર્યો અને તેમાંથી મશીનમાં ઉંજવાનું તેલ, ઠરેલું મીણ અલગ તારવીને તેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી શરુ થયેલી ખનીજતેલ નિસ્યંદનની કહાની આજે દુનિયાની વિરાટ રિફાઈનરી અને મહાકાય તેલકૂવા સુધી વિસ્તરીને પોતાનો અને સમગ્ર માનવજાતની પ્રગતિનો અનોખો ઈતિહાસ રચી ચૂકી છે. જોકે, નામ તેનો નાશ એવું સનાતન વાક્ય અફર છે અને એ ખનીજતેલને ય એટલું જ લાગું પડે છે. પરંતુ બીજું ય એક સનાતન વાક્ય એવું છે કે, વખત જોઈને વળે એ જ જીવતો મળે. પહેલાં વાક્યની સચોટતા સ્વિકારીને બીજા વાક્યનો વહેવારું અમલ કરવામાં મુકેશ અંબાણીએ પરંપરાગત ગુજરાતી કોઠાસૂઝ દર્શાવી છે.

ખરેખર તો આ કોઠાસૂઝ જ અંબાણી ઘરાણાને અન્ય તમામ વ્યવસાયી ખાનદાનોથી બે આંગળ મોખરે રાખે છે. અગાઉ ધીરુભાઈ અંબાણીએ ટેક્સ્ટાઈલ્સ બિઝનેસનો ચડતો સિતારો હતો ત્યારે ઓન્લી વિમલની કમાણી પેટ્રોકેમિકલ્સમાં નાંખવા માંડી હતી. કારણ કે તેઓ બદલાતો વખત સૌથી પહેલાં પારખી શક્યા હતા. આજે મુકેશ અંબાણી પણ એ જ કરી રહ્યા છે. સમયની બદલાતી હવા બે દાયકા પહેલાં પારખીને હવે તેઓ પેટ્રોકેમિકલના ધિકતા કારોબારને ડેટામાં વાળી રહ્યા છે. સાઉદી અરેબિયાની ધરખમ કંપની અરામ્કોને રિલાયન્સનો 20 ટકા હિસ્સો વેચવાનો તેમનો એ નિર્ણય ઐતિહાસિક અને ભવિષ્યમાં વેપારી કોઠાસૂઝના આદર્શ નમૂના સમાન ગણાવાનો છે.

પેટ્રોકેમિકલ બિઝનેસમાં મુકેશ અંબાણી અને રિલાયન્સ અત્યારે જગતભરમાં નામના ધરાવે છે. આમ છતાં તેમણે આ ક્ષેત્રને સનસેટ ઈન્ડસ્ટ્રિઝ (જેનાં દિવસો આથમી રહ્યા છે એવું ક્ષેત્ર) ગણીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઊગતા સુરજને પૂજવાની દિશામાં આગળ વધવા માંડ્યું છે. રિલાયન્સ અને મુકેશ અંબાણીની આ બેહદ વ્યુહાત્મક ગણતરી પાછળ એક માણસને જવાબદાર ગણવો પડશેઃ તેનું નામ છે ટોની સેબા.

મુંબઈમાં કેમિકલ એન્જિનિયરિંગ ભણ્યા પછી મુકેશ અંબાણી અમેરિકાની મશહુર સ્ટેનફોર્ડ યુનિ.માં એમ.બી.એ. કરવા ગયા હતા અને એ અભ્યાસક્રમ પૂરો કર્યા વગર જ બિઝનેસમાં જોડાઈ ગયા હતા. એ જ સ્ટેનફોર્ડ યુનિ.માંથી એમબીએ થયેલો અને આજે એ જ યુનિ.માં ભણાવતો ટેક્નોક્રેટ ટોની સેબા મુકેશ અંબાણી જ નહિ, દુનિયાભરના ધનકુબેરો ઉપરાંત ટોચના અર્થશાસ્ત્રીઓનું પણ ધ્યાન ખેંચી રહ્યો છે.

જગતના ચાલકબળ તરીકે ખનીજતેલના ભંડાર કદીક તો ખૂટશે જ એ નિશ્ચિત છે. કારણ કે લાખો, કરોડો વર્ષની નૈસર્ગિક ઉથલપાથલ પછી ધરતીના પેટાળમાં જીવાશ્મિઓના અવશેષો સ્વરૂપે મળી આવતાં હાઈડ્રોકાર્બન ફ્યુઅલ યાને ખનીજતેલની પ્રાપ્તિ કરતાં તેનો વપરાશ અનેકગણો વધારે છે. ભૂગર્ભના સ્ત્રોત ઝડપભેર ઉલેચાતા જાય છે અને વધુને વધુ ઊંડા જતા જાય છે. વપરાશ વધે, પૂરવઠો ઘટે ત્યારે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ કિંમત વધે. કિંમત એક હદથી વધી જાય ત્યારે તેના વિકલ્પો ઊભા થાય અથવા તો વિકલ્પો શોધવાની ફરજ પડે.

આટલા મુદ્દા ધ્યાનમાં રાખીને સ્ટેનફોર્ડ યુનિ.એ વિવિધ વિષયોના તજ્જ્ઞો પાસે એક અહેવાલ તૈયાર કરાવ્યો હતો, જેમાં ટોની સેબા મુખ્ય હતો. આ અહેવાલનો પ્રાથમિક હેતુ એ હતો કે જગતમાં ખનીજતેલની પ્રાપ્તિ ક્યાં સુધી સહ્ય કિંમતે મળતી રહેશે? પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો ક્યાં સુધી ચલણી રહેશે? પેટ્રોલ-ડિઝલના વાહનોનો વિકલ્પ શું હશે? બે વર્ષ પહેલાં રજૂ થયેલા Rethinking Transportation નામના આ અહેવાલનું તારણ બહુ જ ચોંકાવનારું હતું, જેમાં સ્પષ્ટપણે તમામ આધારો ટાંકીને કહેવાયું હતું કે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલ-ડિઝલ સંચાલિત આંતરિક ઉર્જા દહન એન્જિન ધરાવતા વાહનોનો મૃત્યુઘંટ વાગી જશે અને તેનું સ્થાન ઈલેક્ટ્રિક અથવા સૌરઉર્જા સંચાલિત વાહનો લેશે.

આ અહેવાલ સમગ્ર જગત માટે ભારે ચોંકાવનારો બની રહ્યો છે. કારણ કે છેલ્લી દોઢ સદીથી સમગ્ર દુનિયાનું તંત્ર ખનીજતેલની આસપાસ ફરતું રહ્યું છે. ખનીજતેલ એ હજારો વર્ષોની નૈસર્ગિક રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. મતલબ કે, લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. પરિણામે દરેક ખનીજ તત્વોની માફક કુદરતી રીતે મળી આવતું ખનીજતેલ પણ એક મર્યાદિત જથ્થામાં જ છે. કોઈ એક દિવસ તો તેની ડેડલાઈન આવવાની જ છે અને હવે ખબર પડે છે કે એ ડેડલાઈન સાવ ઢૂંકડી છે.

હાલ એવું મનાય છે કે ખનીજતેલની પ્રાપ્તિનો રોજિંદો ઉચ્ચાંક ગત વર્ષે આવી ગયો. સાદા શબ્દોમાં સમજીએ તો, એક દિવસમાં વધુમાં વધુ જેટલું ખનીજતેલ પ્રાપ્ત થઈ શકે એ આંકડો ગત વર્ષે સર થઈ ગયો. હવે પેટાળમાંથી ખનીજતેલ ઉલેચવાની પ્રક્રિયા રિવર્સ ગિયરમાં દોડવાનો પ્રારંભ થઈ ગયો છે. મતલબ કે, ઉત્પાદન ક્રમશઃ ઘટતું જશે અને ખનીજતેલના કુવાઓ ક્રમશઃ ઊંડે ઉતરતા જશે. તેની સામે વપરાશ તો સતત વધતો જ જાય છે. પરિણામે ભાવ સતત વધવાના છે. આ વધતા ભાવ એક તબક્કે એટલાં વધી જશે કે એ કોઈ કાળે પોષાય જ નહિ.

હવે વિચાર કરો, જો પેટ્રોલ-ડિઝલની પ્રાપ્તિ જ મુશ્કેલ અથવા અસહ્ય મોંઘી હોય તો પછી પેટ્રોલ-ડિઝલના જોરે દોડતાં વાહનોનું શું થશે? વાહનોના સ્પેરપાર્ટ્સ, રબર ઈન્ડસ્ટ્રિઝથી માંડીને એલ્યુમિનિયમ અને રોડ સાઈડ મિકેનિકથી લઈને પંચરવાળા સુધીના, ઓટોમોબાઈલ સાથે જોડાયેલા બિઝનેસનું શું થશે? ટોની સેબાના રિપોર્ટમાં આ દરેક સવાલોના બહુ ચોંકાવનારા જવાબો છે અને એ દરેક જવાબ છેવટે ઈલેક્ટ્રિક અથવા સૌરઉર્જા જેવા વિકલ્પોને જગતના નવા ચાલકબળ તરીકે જોડે છે.

અલબત્ત, ટોની સેબાનો અહેવાલ તો પેટ્રોબિઝનેસના મૃત્યુઘંટ તરફ આંગળી ચિંધે છે પરંતુ સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ યાને આવતીકાલના ઉગતા સુરજની દિશા હવે ડેટા છે એ મુકેશ અંબાણીની પોતાની કોઠાસૂઝ છે. આવતીકાલના ઉજાસને આજે પારખવાની કળામાં જે માહેર હોય એ જ અગ્રેસર રહે. દસ વર્ષ પહેલાં સ્માર્ટફોન ચમત્કાર લાગતો હતો. ટીવી પર આટલી બધી ચેનલ્સ હશે એવું 20 વર્ષ પહેલાં માનવું મુશ્કેલ હતું. એ ટીવી પોતે ય ત્રીશ વર્ષ પહેલાં છાકો પાડી દેતી લક્ઝરી ગણાતું હતું. ગામમાં મોટરગાડીનો દબદબો જ એવો હતો કે 'લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી' એવાં ગીતો લોકજીભે મોટરકારનો મહિમા વ્યક્ત કરતા હતા.

બદલાવનો આ ક્રમ હવે મહિમાની નવી વ્યાખ્યા નક્કી કરી રહ્યો છે. કહેવા માટે આ ફક્ત રિલાયન્સના 20 ટકા હિસ્સાનું અરામ્કોને થયેલું વેચાણ માત્ર છે. પરંતુ સુક્ષ્મ રીતે જોઈએ તો આ ઝડપભેર નવી દિશાએ વહેતાં થયેલાં પવનની આછેરી લહેરખી છે, જેના સહભાગી-સાક્ષી આપણે ય બન્યાં.

*સંકલન :-*
સૌજન્ય દિવ્ય ભાસ્કરના વિવિધ આર્ટિકલ પરથી...

Thursday, August 15, 2019

બીલીપત્ર

પૂજા અર્ચના માં ઉપયોગ લેવાતા બીલીપત્ર નો ભગવાન ને અર્પણ બાદ યોગ્ય ઉપયોગ કરવા બાબતે ।

Xovak Pharma વડોદરાના સ્થાપક Raj Dangar જણાવે છે કે દેશ ભર માં શ્રાવણ માસ ની ખુબ જ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે। લોકો શ્રાવણ માસ પર ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાનને ચઢાવે છે। આ મહિના માં ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે પણ કોઈ દિવસ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા પછી એનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી અને અતિ મુલ્યવાન એવા બિલીપત્ર ઘણા જ વેસ્ટ થાય છે અને આપણે જાણતા નથી પણ આ બિલીપત્રના પાનનો ઘણી જ રીતે ઉપયોગ કરવામાં આવે છે।, ભગવાન ને અર્પણ બાદ ભગવાન ને ધરાવેલ બીલીપત્ર ને પ્રસાદ સમજીને રોજિંદા જીવન માં સેવન કરવામાં આવે તો વાત પિત્ત અને કફ પણ દૂર થાઈ છે। અલબત તે ચર્મ રોગ અને ડાયાબીટીસ માં રક્ષા આપે છે અને બ્લડ પ્રેસર માં ખુબજ ઉપયોગી નીવડે છે।

આયુર્વેદ પ્રમાણે બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે। બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી,કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે।

બીલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ શામક છે। જે હૃદયના ધબકારા વધી જવા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે।એક વાત ઘણા ઓછા લોકો જાણતા હશે। બીલીનાં પાન એ ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે। બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં। પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો। સવાર-સાંજ એક થી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે।


બીલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે। ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે।

ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે। પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે।


બીલીપત્ર એ હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો એ ખૂબ ફાયદાકારક માનવામા આવે છે .

બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે અને શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે અને આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમા ખૂબ લાભ થાય છે।

જો શરીરમા ગરમી વધતી ગરમીના કારણે અથવા તો મોંમા ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી જાય છે માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી એ કાયમ માટે છૂટકારો મળે છે, પેટમા કે આંતરડામા કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ એ ઝડપથી ગાયબ થઇ જાય છે।

જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમા કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે।

બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે।

જો કોઈ વ્યક્તિ ને પોતાનું લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે। આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રના દિવસે ગરમ પાણી ભેળવી અને પલાળી અને ત્યાર બાદ તેનું જ્યુસ બનાવીને પીવા થી તમારા શરીર નું લોહી એકદમ સાફ થઇ જશે। જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓ ના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો। આમ સારા કોલેસ્ટ્રોલ માં પણ ખુબજ ઉપયોગી નીવડે છે ।


જો આપડે ભગવાન પર ચડતી બીલીપત્ર નો ઉપયોગ પ્રસાદ ના ભાગ રૂપે સેવન માં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે...

આભાર.... રાજ ડાંગરભાઈ

Tuesday, August 13, 2019

દુનિયા બદલાઈ રહી છે !

આજની આ પોસ્ટ માટે મુકેશભાઈ અંબાણી જવાબદાર છે. તેમણે પોતાની ઓઈલ-કેમિકલ્સ કંપનીનો ૨૦% હિસ્સો સાઉદી અરેબિયાની અરામ્કો કંપનીને વેચીને પોતાને “ખરા ગુજરાતી” સાબિત કર્યાં. મળનારા પૈસાથી કંપનીનું દેવું ભરપાઈ કરશે, એક ધંધામાંથી હળવા થઈ બીજા ધંધામાં વજનદાર બનશે. મને કોઈ દૂરંદેશીની વ્યાખ્યા પૂછે તો ફટ દઈને કહું- સમયની સાથે ચાલવું તે દૂરંદેશી છે. વર્લ્ડમાં બે પ્રકારના બિઝનસ છે- (૧) સનસેટ ઈન્ડસ્ટ્રીઝ અને (૨) સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ. પેટ્રોલ-ડિઝલ ઉધોગ સનસેટ (ડૂબતો સૂરજ) છે અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉધોગ સનરાઈઝ (ઉગતો સૂરજ) છે.

એક તો તમે જાણો છો કે, હવે પેટ્રોલ-ડિઝલના કૂવા ઓડ-ઉમરેઠ કૂવા બની ગયા છે. દરેક દેશ પેટ્રોલિયમ પદાર્થો પાછળ હૂંડિયામણ ખર્ચવા માંગતા નથી. જો રાજકીય ઈચ્છાશક્તિ મોળી નહીં પડે તો ૨૦૩૦ સુધીમાં ૫૦% થી વધુ વાહનો ઈલેકટ્રીક હશે ! એમ કહેવાય છે કે, દર ૫૦ વર્ષે એક એવી નવી શોધ આવે છે જે જગતના અર્થશાસ્ત્રમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરી નાંખે છે. આ પહેલાં કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની શોધે દુનિયાને 360 ડિગ્રીનું ચક્કર ફરાવી દીધું હતું. હવે ઈલેક્ટ્રોનિક વાહનો, ઈ-કોમર્સ, આર્ટીફીસિયલ ઈન્ટેલિજન્સ અને ડિઝિટલ કરન્સી નામના “હીરોલોગ” પૂરપાટ આવી રહ્યાં છે.

એલોન મસ્ક અને ટેસ્લા કંપનીનું નામ ન સાંભળ્યું હોય તો કઈં નહીં. હવે યાદ રહેશે. હાલ બે સ્વપ્નદ્ર્ષ્ટાઓ પર દુનિયા આખીની નજર છે. (૧) એલોન મસ્ક અને (૨) જોફ બેબોઝ (એમેઝોનનો માલિક). એક સ્વપ્નદ્ર્ષ્ટા જગતને કેવું બદલી શકે છે તે આપણે બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સના ઉદાહરણોમાં જોયુ છે. ટેસ્લા એક ઈલેકટ્રીક કાર કંપની છે. તે કાર એક વખતના ચાર્જિંગથી (૭૫ મિનિટ ચાર્જિંગ) ૩૫૦ થી ૪૫૦ કી.મી. ચાલે છે. ધૂમાડો અને ધ્વનિનું પ્રદૂષણ ઝીરો છે. ઈંધણના નામે કોઈ ખર્ચ નહીં. ૦ થી ૩ સેકન્ડમાં કાર ૯૫ કી.મી/કલાકની સ્પીડ પકડે છે. ટેસ્લાની દરેક ગાડીનો લૂક મર્સિડીઝ કે બી.એમ.ડબલ્યુથી કમ નથી. ગાડીનો ભાવ જરા વસમો છે. અત્યારે તો કોથમીર પણ ૨૦૦ રૂપિયે કિલો છે !!! મસ્કભાઈ સતત ગાડીના ભાવ ઘટાડી રહ્યાં છે એટલે જાન ભારતના આંગણે આવી સમજો. ટી.વી.એસ. અને રેનોટ જેવી કંપનીઓએ ઈલેકટ્રોનિક બાઈક બજારમાં મૂકીય દીધાં છે.

હવે વાત “લીબ્રા” નામની ડિઝીટલ કરન્સીની કરીએ. ફેસબુકની આ સ્વપ્ન કુંવરી બનીઠનીને તૈયાર છે. આમની જાડેરી જાન ૨૦૨૦ સુધીમાં આવી જશે. જે સફળ રહ્યું તો સમજી જજો, કેશલેસ દુનિયા તમે જીવતા-જીવ નિહાળીને જશો. નોર્વે, સ્વીડન, સ્વીટ્ઝર્લેન્ડ જેવા દેશોની નવી પેઢીએ ચલણી નોટો કેવી હોય તેનાથી અજાણ છે, જો કે ત્યાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ૧૦૦%ની આસપાસ છે. ત્યાં ૯૦% થી ૯૮% જેટલો આર્થિક વ્યવહાર કેશલેસ છે. હમણાં આપણે ત્યાં નિલેકણી સમિતિએ જે ભલામણો કરી છે, તેમાં જણાવ્યું કે, તમામ ડિઝીટલ પેમન્ટ પરથી સર્વ પ્રકારનો ચાર્જ હટાવી લો. એ.ટી.એમ.ની સંખ્યા જરા ભારતની વસ્તીને શોભે એવી રાખો !

મુકેશભાઈ ભારતને બિનસાંપ્રદાયિક બનાવી દેવાના મૂડમાં છે. દરેક જ્ઞાતિ- જિઓ, દરેક સ્થળે- જિઓ, દરેક ધર્મ- જિઓ, દરેક ઘરમાં-જિઓ, દરેક ઓફિસમાં- જિઓ, દરેક મોબાઈલમાં જિઓ, દરેક હોસ્પિટલમાં જિઓ..... મીઠાથી માંડીને મીઠાઈ સુધીની તમામ વસ્તુઓ જિઓ દ્વારા આવશે. મુકેશભાઈ જાણે કે સરકારને સમાંતર દેશને બદલવાનું નક્કી કરીને બેઠા હોય એમ લાગ્યું.

કદાચ જાણતા જ હશો- તમને ગમે ત્યાં “લાગે” તો હવે ઉબેર અને ઓલાની એવી ગાડી આવશે કે તેમાં તમારા માટે “હલકા” થવાની તમામ વ્યવસ્થા હશે !

સાભાર :- જે.કે.સાંઈ

Monday, August 12, 2019

સાતમ આઠ્મ મા ફરવા લાયક સ્થળો (સૌરાષ્ટ્ર)

*સાતમ આઠ્મ મા ફરવા લાયક સ્થળો*
( સોરઠ- કાઠીયાવાડ )

*કુદરતી સૌંદર્ય - નાહવા માટે*
🌊🌧🏃🏼‍♀🏃🏼🌴🌳💧💦🏊🏻🤽🏼‍♂

1 - મથુરેશ્ર્વર (જંગલ , નદી)
2 - દ્રોણેશ્ર્વર
3 - ચોરેશ્ર્વર (મંદિર, નદી ,વહેણ)
5 - ઘોઘમ
6 - ઉમબા
7 - ગાઠીલા (મંદિર, નદી)

*નયનરમ્ય સ્થળ તથા ટ્રેકીગ..*
🌿🌫🧗🏼‍♀⛰

1 - જટાશંકર ( ધોધ )
2 - ઈન્દ્રેશ્ર્વર
3 - આત્મેશ્ર્વર , ઇંટવા
4 - તુલશીશ્યામ
5 - કાશમીરી બાપુ - શીવ ગુફા
6 - બોરદેવી થઈ કાલાઘુના ખોડીયાર થઈ રામનાથ (નદી)
7 - સરકડીયા હનુમાન (નદી)
8 - જીણા બાવાની મઢી ( પાણી નું વહેણ)
(બધા જંગલ વિસ્તાર )
9 - કિલેશ્વર, ઘુમલી (ભાણવડ)

*ઐતીહાસીક મંદીર..*

1 - સોમનાથ ( દરીયો)
2 - માધવપુર ( દરીયો)
3 - દેલવાડા ગુપ્તપ્રયાગ
4 - ભવનાથ, ઇન્દ્રેશ્વર
🕉🔱🔔🔔🚩🚩

*બાકી અન્ય*

દીવ ,( બીચ)

કનકાઈ , બાણેજ, (ગાઢ જંગલ)

જમજીર,( પાણી નો ધોધ, નદી)

કમલેશ્ર્વર ( ડેમ, જંગલ)

ભોજદે ગીર ,( રીસોર્ટ)

સાસણ સદન, (લાયન સફારી )

દેવડીયા પાકૅ, (લાયન સફારી )

સકકર બાગ ( ઝુ)

ધારી સફારી પાકૅ, ( લાયન સફારી)

મધુવંતી સીચાઈ યોજના ડેમ સાઈટ,

ખોડીયાર ઘુનો ૧ ને ૨, ( ગાઢ જંગલ પાણી નું વહેણ, ધોધ)

વીલીંગ્ડન ડેમ.( ડેમ, ડુંગર નયનરમ્ય કુદરતી સૌંદર્ય )


અને...

*સોરઠ ના સાવજ તો ખરા જ...*

આવો જીદંગી ની મોજ માણીએ...કાઠયાવાડ ને સંગ 🙏

*૭મ/૮મ/૯મ ......ફુલ ફન..*

*કુછ દિન તો ગુજારીયે સોરઠ મે....*

⛹🏻‍♀🤸🏻‍♀👩‍👩‍👧🙋🏼🙋🏻‍♂💁🏻‍♂💁

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...