Thursday, August 19, 2021

બોલતી તસ્વીર જીવનનું સત્ય બતાવે છે.

સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો. 



જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ મૃત્યુ પામ્યો હતો. 


મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહ ના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો.


આ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફર સમજાવે છે સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો.


એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે...


રવિ કાછડીયા.....✍🏼

Tuesday, August 10, 2021

ઈલેક્ટ્રોનિક ડ્રગ

જેનું ખૂન થવાનું હોય તેને તમે યેનકેન પ્રકારે કદાચ બચાવી શકો પણ જેણે આત્મહત્યા કરવાનું જ નક્કી કરી નાંખ્યું હોય તેને બચાવવો લગભગ અસંભવ છે. ક્યારેક આપણે દૂરનું જોઈએ શકતા નથી. શૈતાન આખરે તો શૈતાન જ છે, ચાહે એ જે રૂપમાં તમારી સમક્ષ પ્રગટ થાય ! મોં વાટે, નસ વાટે, સ્મોકિંગ સ્વરૂપે કે સૂંઘીને ડ્રગ્સ લઈ શકાય છે. જે સીધું જ લોહીમાં ભળીને “સુપર કીક” આપે છે ને વ્યસની મદહોશ બની જાય છે. 



આંખોથી મગજમાં પ્રવેશતાં ડ્રગ્સ એટલે મોબાઈલ દ્વારા ગેમિંગ, પોર્ન , જુગાર, સોશિયલ મીડિયા. એક વર્ષના શિશુથી માંડીને નેવું વર્ષના વૃદ્ધો સુધીનાં લોકો એના એડીકટ છે. મોબાઈલ એટલે “ઉપયોગી રાક્ષસ”. સાદો મોબાઈલ અને સ્માર્ટ ફોન વચ્ચે પ્રહલાદ અને હિરણ્યકશિપુ જેટલો તફાવત છે. આ વ્યસન કરોડો લોકોનાં અબજો કલાક સ્વાહા કરી જાય છે. પેલું ડ્રગ્સ શરીર અને પૈસાને બરબાદ કરે છે. આ ઈલેક્ટ્રોનિક ડ્રગ્સ શરીર, મગજ, પૈસો, સમય અને આત્મા સુદ્ધાને બરબાદ કરી નાંખે છે. 


શિક્ષણનાં નામે મોબાઈલ બાળકોનાં હાથમાં પહોંચી ગયો અને બાળકો શૈતાનના હાથમાં રમતાં થઈ ગયાં. કેટલાં માં-બાપોએ પોતાનાં દિકરા-દીકરીના મોબાઈલ ફોનમાં તેની હિસ્ટ્રી ચેક કરી ? કેટલાં માતા-પિતા છાતી ઠોકીને કહી શકે છે કે, અમારાં સંતાનો માત્ર એજ્યુકેશન માટે જ મોબાઈલ વાપરે છે ? શિક્ષણનાં ભોગે ચારિત્ર્ય નિર્માણ હોઈ શકે પણ ચારિત્ર્યનાં ભોગે શિક્ષણ કદાપિ ન હોવું જોઈએ. કેટલાંક વૃક્ષો સૌપ્રથમ ઊંડે સુધી જડ નાંખ્યા પછી વર્ષો બાદ ફળો આપે છે. ઈલેક્ટ્રોનિક ડ્રગ્સનાં ફળો બાળકો જ્યારે વયસ્ક થશે ત્યારે જોવા મળશે !!! 


મોબાઈલનું સામ્રાજ્ય કેટલું વિશાળ છે ? ૧૫ થી ૪૫ વર્ષનો ભારતીય પ્રતિ વર્ષ ૧૮૦૦ કલાક મોબાઈલ પર પસાર કરે છે. આ સમયગાળો વ્યવસ્થિત રીતે ગણો તો અઢી મહિના જેટલો થાય. એક વર્ષમાંથી અઢી મહિનાની ચોખ્ખી બરબાદી. દર ૧૦૦ માંથી વીસ ભારતીય સવારે ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં લે છે. દર ૧૦૦ માંથી ૫૦ વીર ભારતીય ઊંઘમાંથી ઉઠયાની પંદર મીનીટમાં જ મોબાઈલ દર્શન કરે છે. દુનિયામાં જેટલાં માર્ગ અકસ્માતો થાય છે તેમાંથી ૨૧ % માર્ગ અકસ્માતો માટે મોબાઈલ મુજરિમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈ.સ. ૨૦૧૮ માં “ગેમિંગ ડીસ ઓર્ડર” ને માનસિક રોગ જાહેર કરી દીધો છે !!!

 

સતત મોબાઈલ યુઝનાં કારણે બાળકોની મૌખિક અભિવ્યક્તિ કુંઠિત થવા લાગી છે. ડીઝીટલ આંસૂ અને ડીઝીટલ સ્માઈલીનાં આભાસી જગતમાં ચહેરા પરનાં હાવભાવ ગાયબ થવા લાગ્યા છે. સપાટ ચહેરાનાં બાળકો સામાન્ય થઈ ગયાં છે. મોબાઈલપ્રેમી- પ્રકૃતિ અને પરિવારથી વિખૂટા પડેલા સંતાનોનું ભવિષ્ય શું હશે ? જેવું ફૂડ હોય એવો ઓડકાર આવે જ આવે. કેવી પેઢી નિર્માણ થઈ રહી છે જે સોશિયલ મીડિયા પર કનેક્ટેડ છે પણ ફેમિલીથી ડીસ કનેક્ટેડ છે ! 


ક્યારેય એવું વિચાર્યું કે, રામે રાવણ સામે લડવા વાલી પાસે સહાય કેમ ન માંગી ? વાલી સુગ્રીવ કરતાં બળવાન હતો. ઓલરેડી, તેણે રાવણને એક વખત હરાવ્યો પણ હતો. કારણ જાણવા જેવું છે. જેણે પોતે રાવણ જેવો જ અપરાધ કર્યો હોય તેની પાસે મદદ કેવી રીતે માંગી શકાય ? (વાલીએ સગાં ભાઈ સુગ્રીવની પત્નીને કેદ કરી હતી) એકસમાન ગુનો કરનાર ક્યારેય એકબીજાનો વિરોધ ન કરે. અત્યારનાં વડીલો વાલી-રાવણની જોડી જેવાં છે. પોતે મોબાઈલ વાપરે છે, પોતાનાં સંતાનોને છૂટથી વાપરવા દે છે એ બીજાને શું સલાહ કે શિખામણ આપવાના !!! 


આશ્ચર્યની વાત એ છે કે આ “ઈલેક્ટ્રોનિક ડ્રગ” અને “ઈલેક્ટ્રોનિક અફીણ” આ શબ્દો ચાઈનાએ દુનિયાને આપ્યા છે. છેલ્લે એક વાત સાંભળી લેજો...ગુજરાતનાં અતિ વિખ્યાત બાળરોગ નિષ્ણાત અને કુશળ લેખક ડૉ. આઈ.કે.વિજળીવાળાએ હમણાં એક લેખ લખ્યો હતો- “ ઓનલાઈન એજયુકેશનના ફાયદા-ગેરફાયદા – ૩ થી ૧૮ વર્ષનાં બાળકોમાં” એમાં પહેલી જ લીટીમાં લખ્યું હતું- 


“ફાયદા:- મારી દૃષ્ટિએ એકપણ નહી (કોલેજો માટે ઉપયોગી)”


થોડામાં ઝાઝું સમજજો.....

લેખન :- જે.કે.સાંઈ 

Saturday, August 7, 2021

મનની અમીરાત

 પૈસો આવે એટલે મનની અમીરાત પણ આવે તેવું હોતું નથી :

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે. રાજા તેની લાયકાત પુછે છે,


જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું, અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું.

રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે.

થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને  પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..


જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલ નથી”

 રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે, પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો.

રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી ? 

નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો.


રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ, ધી, અને પક્ષીઓનું માંસ વિ.મોકલી આપ્યું, અને નોકરને બઢતી આપીને તેને રાણી નાં મહેલમા નોકરી આપી,


અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે  રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી.


રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો.. તરતજ તેણે તેની સાસુને બોલાવી..

સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મી કે તરતજ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી. પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ .. એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે. 


રાજા એ નોકરને પુંછયુ કે તને આ કઈ રીતે ખબર પડી ?


નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણી માં નથી.


રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા વિ.ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું.


થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કંહ્યુ કે,


“અભય વચન આપો તો તમારી અસલીયત બાબત કંહુ” 


રાજા એ આપ્યું.., એટલે નોકરે  કંહ્યુ કે 


“ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”


રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે હું ખરેખર કોનો  દીકરો છું.??


જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે.


રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે તને કેવી રીતે ખબર પડી ...???


જવાબમાં નોકરે કંહ્યુ કે 


‘રાજા જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા ,મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે”


પરંતુ તમે તો મને કાયમ અનાજ, માંસ, ધેટા બકરા વિ.ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો.


બોધ પાઠ : ઇંસાનની અસલિયત તેના લોહીનો પ્રકાર, સંસ્કાર,  વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે. 


હેસિયત બદલાઇ જાય છે , પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼


વિજ્ઞાન માં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ.


લોહી ભલે લાલ હોય પણ એના ગુણધર્મ ક્યારેય ના બદલાય.


પૈસો કે કોઈ પદ મળે એટલે મનની અમીરાત પણ આવે તેવું જરા પણ હોતું નથી.


સંકલન :- 

સાહિત્ય વંદના




Thursday, August 5, 2021

રસભરી (પોપટી)

આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે.

ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો. આ વનસ્પતિનું નામ છે #રસભરી , જે આપણને આપણા આજુબાજુમાં પણ જોવા મળતી હોય છે. પણ આપણે જાણતા નથી હોતા કે તેના ફાયદા શું હોય છે. તેને લોકો #પોપટી નામે પણ ઓળખે છે. આ ફળનો ઉપયોગ કરતા પહેલા એક વાત જાણી લો તેને ક્યારેય પણ કાચું ન ખાવું જોઈએ પીળું થાય પછી જ તેને ખાવું જોઈએ.


આ ફળની અંદર વિટામિન 'એ' ભરપૂર માત્રામાં હોય છે. એવું કહેવાય છે કે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો આંખના નંબર દૂર થઇ જાય છે, જો તમારી આંખ દુખતી હોય તો પણ લાભદાયી છે. બીજું કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ સારી માત્રામાં હોય છે. જે કોઈને સાંધાના દુખાવાની તકલીફ હોય તેને આનું પાકું ફળ ખાવું. અત્યારે જોવા જઈએ તો સાંધાના દુખાવાની તકલીફ ઘણા લોકોને જોવા મળતી હોય છે તેમના માટે આ ફળ આશીર્વાદરૂપ છે.


જો કોઈને ડાયાબિટીસની બીમારી હોય તો તેના માટે આ રામબાણ છે. તમારે સુગર લેવલ નીચું લાવવું હોય તો આ રસભરીના પાન ચાવી લેવા અથવા તેનો રસ કાઢીને પીવો તેમને ખુબ ફાયદાકારક નીવડશે. કોઈને કમળો થયો હોય તો આ છોડના મૂળનો રસ અને દેશી ઘી બંને અડધી એક ચમચી લઇ લેવાનું બંનેનું પ્રમાણ સરખું રાખવું. તેને દિવસમાં વારંવાર નથી લેવાનું દિવસમાં ફક્ત બે વાર લેવાનું તેનું સારું એવું પરિણામ મળશે. આવી તો ઘણી વનસ્પતિ છે જે આપણી આસપાસ હોય છે પણ તે આપણે જાણતા નથી હોતા.


સૌજન્ય: ગુજરાતી અસ્મિતા



રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...