Wednesday, July 27, 2022

એટલે બકા ......

સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી.



( પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે ) 

ઘણા કહે છે :- આજનો યુવાન બુઢ્ઢો છે .

બુદ્ધિનો બુઠ્ઠો છે ..

મારો જવાબ :- માનવામાં નથી આવતું...

તેઓએ જે કારણો રજૂ કર્યા તે તમારી સામે છે..

👇👇👹

સવારે મોડું ઉઠવાનું..! 

ઉઠતા વેંત જ હાથમાં બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...

ન દાંત સાફ કરવા .. 

ન નહાવા જવું .. 

ન માતા પિતા સાથે વાત કરવી .. 

અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...


પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે .

તું તો નથી જ ... 


તું તો ડોબો જ છે . 

નથી તને દેશ- દુનિયાની ખબર , 

કે નથી પારિવારીક સમ્બંધોની ખબર , 

તું શાનો સ્માર્ટ છે બકા ?


અલ્યા મૂરખા ,

કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ , 

દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે ...


અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે . 

તારા મા બાપ સામે તો જો કોઈ વાર! 

બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી 


અલ્યા ડફોળ ,

તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો .. 


અને હા

લાટ સાહેબ ,

21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે ...


તું જેને પછાત સમજે છે , એ

તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે ...


ઘેલસાંગરા.....

કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે ...


પણ બકા , 

મેથી અને કોથમીર કોને કહેવાય: ? 

એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે ...


મકોડી પહેલવાન ,

બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે ...


અક્કલના બારદાન ,

માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી ..

"ઘર ને બદલે "ધર" 

અને 

"ધજા" ને બદલે "ઘજા" લખે છે , 

અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે ...


અલ્યા ગુગલીયા ,

"પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે ...


તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય ,

પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે .. 

અને તારો ફોન સ્માર્ટ છે ,

પણ તું સ્માર્ટ નથી ...


એટલે બકા ,

તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર ...


વાતવાતમાં  માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા ...


ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન ..

કારણ કે  તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે ...


અલ્યા ડફોળ ,

જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ , 

અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે .. 

તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે ...


એટલે બકા ,

કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો , 

એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ ...


ભઈલા ,

મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે , 

પણ એની આંતરડી અંદરથી બળતી રહે ...

'જન્મદાતા' , 'અન્નદાતા' , 'જીવનદાતા' ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી ...

બકા જા ,

અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર .. 

કારણ કે કાલ કોણે જોઈ છે ??


સાભાર : ડાયરાની મોજ 

Sunday, July 24, 2022

પરિવર્તન

📺🕰પરિવર્તન જુઓ🖥⏲



૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વાળા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે.

૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂‍♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ લોકો ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય.

૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે.

૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડી લઈને🚗જીમમાં જાય છે અને સાયકલ ચલાવવા માટે જાય છે.
           ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે

  વાહ રે મનુષ્ય તારો સ્વભાવ.....
મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે...

આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો.
જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે.

વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય...

 વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ
      અને લોકો આગળ ચાલે🚶‍♂ છે.
 સ્મશાન માં ઠાઠડી ⚰આગળ
અને લોકો પાછળ ચાલે છે.

એટલે કે લોકો ખુશીમાં😁 આગળ
અને દુઃખ😪 માં પાછળ હોય છે.

અજબ તારી દુનિયા
ગજબ તારો ખૈલ.
મીણબત્તી સળગાવીને મરેલાં⚰ ને યાદ કરવામાં આવે છે.
અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે.
  વાહ રે દુનિયા👏👏
લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે🎤🎤

💎 પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે
બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે.
એટલાજ માટે કીંમત નૂ  મહત્વ નથી  તેનું કાર્ય મહત્વ નું છે.
➖➖➖➖➖➖➖
એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા
        અને
જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી.📓📔
➖➖➖➖➖➖➖
લિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે,
મિઠી વાત કરનારા મતલબની હોય છે.

સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે,🚶‍♂🚶‍♀

🥛🥛🥛દુધ વેચવા વારાને ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને.
🥃🥃🥃🍾🍾પરંતુ દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે

👌ખુબ સુંદર પંક્તિ👌
મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને ""જાનવર""👹 કહો તો ગુસ્સે થાય છે.
અને"" સિંહ"" 🦁કહો તો ખૂશ થઈ જાય છે. 
જ્યારે ""સિંહ"" 🦁પણ એક જાનવરનું જ નામ છે.👍👍👍

Sunday, July 3, 2022

જીવનરૂપી ગણિત

આપણે શાળામાં ભણતા હતા કે આપણાં બાળકો અત્યારે ભણતાં હશે કે પછી કોઇ શિક્ષક તરીકે શાળામાં અભ્યાસ કરાવતા હશે તો તેઓ ગણિતથી પરિચિત હશે. ગણિતમાં ભૂમિતિનો અભ્યાસ કરવામાં આવતો હતો. પ્રાથમિક શિક્ષણમાં ભૂમિતિની શરૂઆત થાય એટલે સૌથી પહેલો આનંદ લોખંડનો કંપાસ લાવવાનો થતો હતો. કેટલીક કંપનીઓના કંપાસમાં પરિકર, કોણમાપક, કૂટપટ્ટી અને બીજાં કેટલાંક સાધનો આવતાં હતાં. મારા ટીચરે કહ્યું છે કે, હવે પછી જ્યારે આવો ત્યારે આ કંપાસ લઇને આવજો નહીંતર ગણિત ભણવાનું ફાવશે નહીં. આવું આપણે બોલ્યા જ હોઈશું, આપણી પહેલાંની પેઢી પણ બોલી હશે અને અત્યારની પેઢી પણ આપણને કહેતી જ હોય છે. ત્યારે આપણું કોઈ માનતું નહોતું અને અત્યારે આપણે સંતાનોનું નથી માનતા.



જીવન પણ આ ગણિત જેવું જ છે. આમ તો તેમાં ગણિત કરતાં ગણતરીઓ વધારે ચાલતી હોય છે. તેમ છતાં આ ગણિત કો કે ગણતરી કહો તેમાં પણ એવો કંપાસ રાખવો પડે છે જેનાથી બધું યોગ્ય રીતે માપી શકાય. ભૂમિતિમાં એક ખાસ સાધન કોણમાપક આવે છે. આ કોણમાપક કોણ માપતું હોય છે. કોણ એટલે કે ખૂણા. ત્રિકોણ, સમચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળકોણ, કાટકોણ જેવા ઘણા કોણ આવે છે. તેને માપવા અર્ધગોળાકાર કોણમાપક રાખવું પડે છે. કેટલા અંશનો ખૂણો પડે છે તેના આધારે કોણ નક્કી થતો હતો. જીવનમાં પણ સામે મળતા, સાથે રહેતા કે સમયાંતરેમળતા રહેતા લોકો પણ આવા જ હોય છે. તેમને માપવા માટે અનુભવનું કોણમાપક જોઈએ છે. આપણું કોણ, બીજાનું કોણ, પોતાનું કોણ, સામે કોણ, પાછળ કોણ, હવે કોણ જેવા ઘણા સવાલો હોય છે અને તેના જવાબ અનુભવોનું કોણમાપક જ આપી શકે છે. આપણી સાથે બનેલી ઘટનાઓ, આપણે જોયેલી ઘટનાઓ, આપણે અનુભવેલી ઘટનાઓ કે પછી આપણે સાંભળેલી ઘટનાઓના આધારે આપણા મનમાં સંબંધોના ખૂણા પડતા હોય છે. આ એવા ખૂણા છે જે વત્તે ઓછે અંશે નાનામોટા હોય છે. જ્યારે બંને છેડેથી સમાંતર રીતે સાયુજ્યની રેખાઓ આગળ વધે છે અને ચોક્કસ બિંદુએ ભેગી થાય છે ત્યારે સ્નેહનો ખૂણો પડે છે. તે વિસે આપણું કોણ તેનો પણ જવાબ મળી જાય છે.


આપણી સાથે બનતી ઘટનાઓ કે પછી આપણી સાથે બની ગયેલી ઘટનાઓમાં સંકળાયેલા કોણ છે તેના આધારે સંબંધના ખૂણા નક્કી થતા હોય છે. જે તમામ પરિસ્થિતિમાં સમાન રીતે રહે છે અને બધી જ પરિસ્થિતિઓમાં આપણને સમાન રીતે રાખે છે તેવા કાટકોણ જેવા માણસો ખૂબ જ ઓછા હોય છે. આપણાથી દૂર જતા કે આપણી પાસે આવતા આ માણસો જ જીવનના દરેક તબક્કે સાચા જવાબ આપે છે. તેમનામાં અંશમાત્ર ફેર પડતો નથી.

ત્યારપછી આવે છે પરિકર. આ ખૂબ જ સુંદર સાધન છે. તેની સાથે કૂટપટ્ટીનું પણ એટલું જ જોડાણ છે. પાના ઉપર એક કેન્દ્રબિન્દુ નક્કી કરીને તેના ઉપર પરિકરની અણી મૂકો અને બીજી તરફ જેટલા અંશનો ખૂણો રાખવો છે તે રાખીને બીજા છેડે રહેલી પેન્સિલને કાગળ ઉપર ગોળાકાર ફેરવો. સરસ મજાનું વર્તુળ બને છે. માણસની આસપાસ રહેતા લોકો આ વર્તુળોમાં સમાય છે. માણસ કેન્દ્રમાં હોય છે અને તેની આસપાસ તેનું પોતાનું એક ચોક્કસ વર્તુળ હોય છે. દરેક માણસનાં વર્તુળો પણ અલગ અલગ હોય છે. અહીંયાં કેન્દ્રમાં તે પોતે હોય છે અને પછી તેની ત્રિજ્યા અને વ્યાસના આધારે તેની આસપાસ માણસો ગોઠવાતા હોય છે. દર વખતે દરેક માણસ આપણા વર્તુળમાં સ્થાન પામે તેવું હોતું નથી અને દર વખતે આપણે પણ કોઇના વર્તુળમાં સ્થાન મેળવી લેવું એવું જરૂરી નથી. ઘણી વખત માણસનો વ્યાસ અને વ્યાપ એટલો વધારે હોય છે કે તેના વર્તુળમાં કોઇ પ્રવેશી શકતું નથી.


મહત્ત્વની વાત એ છે કે ભૂમિતિમાં વર્તુળનું પરિઘ માપવા માટે ચોક્કસ સંખ્યા છે. 314159 આ એવી સંખ્યા છે જે પરિઘને વ્યાસથી ભાગીએ ત્યારે આવે. તેને પાઇ કહેવાય છે. આપણું પણ આવું જ છે. આપણું વર્તુળ નાનું છે કે મોટું તે મહત્ત્વનું નથી, પણ આપણે કેન્દ્રમાં રહીને સામેના છેડા સુધી કેવી રીતે જોડાયેલા રહીએ છીએ તેના આધારે સંબંધનું વર્તુળ નક્કી થાય છે. આ સંબંધમાં વ્યક્તિ જો સ્વાર્થની ત્રિજ્યાઓ લંબાવતો રહે તો તેની કિંમત પાઈની થઈ જતા વાર લાગતી નથી.

જીવનનું ગણિત ખૂબ જ સરળ છે. તે ગણતરીઓની થિયરી ઉપર ચાલે છે. તેમાં પૂર્વધારણાઓ કામ કરતી જ નથી. અહીંયાં દરેક જગ્યાએ આપણે સંબંધોને માપવાનાં સાધનો સાથે રાખવાં જ પડે છે. ગણિત હોય કે ગણતરીઓ તેમાં યોગ્ય માપથી જ ચાલવું પડે છે. કોણ હોય કે પછી વર્તુળ ક્યાં 90 અંશે ભેગા થવું ક્યાં તો 360 અંશે ગોળ કરવાની તૈયારી રાખવી. આ બે સ્થિતિમાં જ સંબંધોના કોયડાના સાચા જવાબો આવે છે.


સાભાર

Source

રીલેશનના રિલેસન'- અર્ધસાપ્તાહિક પૂર્તિ

લેખક: રવિ ઇલા ભટ્ટ

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)


રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...