Sunday, December 11, 2022

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”


પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.


કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.


મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ...🙏🌹🙏

ક્યારેક એમ થાય છે કે....

ક્યારેક એમ થાય છે કે.. મધ્યમવર્ગ ની જીંદગી આમ જ પુરી થઈ જશે ?😢😢



કાલે સાંજે...

હું થોડો વહેલો ઘરે આવવા નીકળ્યો.

રસ્તા મા શાકભાજી ની માર્કેટ ઘર પાસે ભરાઈ છે..

ત્યાં મારી પત્ની ઘરે થી ચાલતી ચાલતી શાક લેવા રોજ  આવે.

👍

મને થયું એ ઉભી હોય તો તેને બેસાડી ઘરે લઈ જાવ...

તેને ચાલવું નહીં..

મેં એકટીવા ઉભું રાખ્યું..

આજુ બાજુ નજર કરી...

મારી પત્ની ક્યાંય દેખાણી નહીં..

મેં એકટીવા ચાલુ કર્યું..

ત્યાં મારી નજર પાણી પુરી વાળા ના ખુમચા ઉપર પડી.

મારી પત્ની ઉભી ઉભી પાણી પુરી ખાતી હતી.👌👍

દોસ્ત એ એટલી સ્વાદ થી લીજ્જત અને આનંદ થી પાણી પુરી એ ખાતી હતી કે..

આવો તેના ચહેરા નો ભાવ કે.. આનંદ તો હું તેને મોંઘી હોટેલ માં જમવા લઈ જાવ ત્યારે પણ જોયો ન હતો

તેના ચહેરા પરનો નિર્દોષ  આનંદ  જોઈ  મને તેને  ડિસ્ટ્રબ કરવી યોગ્ય ન લાગ્યું..

મેં મારું એકટીવા બંધ કરી તેના ભોળા ચહેરા ને નિરખતો રહ્યો.

તેણે પાણી પુરી નો રાઉન્ડ પુરો કર્યા પછી ની છેલ્લી મસાલા પુરી માંગી

અને તૃપ્ત થયા નો આનંદ લીધો.

એટલે મેં એકટીવા ચાલુ કર્યું

અને તેની બાજુ મા જઈ ઉભો રહ્યો.

અચાનક મને જોઈ..હસ્તા..હસ્તા

મોઢું લૂછતાં બોલી..

આજે વહેલા વહેલા ?👌👍

હા આજે વહેલો છુટ્યો..

ચાલ સ્કૂટર ની પાછળ બેસી જા...

તારે ચાલવું નહીં..

અમે ઘરે પહોચ્યા..

હું બૂટ કાઢતા હસી પડ્યો..🤣

એટલે મારી પત્ની  બોલી..

હસવાનું શું એમાં ?😢

હું રોજ થોડી પાણી પુરી ખાઉ છું ? 😢

તમારી જાણ માટે દસ રૂપિયા ની જ પાણીપુરી મેં ખાધી છે..

રોજ શાક ની લારી લારી એ ફરી તમારા રૂપિયા બચાવું છું તો..

કોઈ વખત આનંદ કરવાનો મારો અધિકાર નથી

😢

એ નિર્દોષપણે બોલતી રહી  તેમ તેમ મારી આખો માંથી આંસુ પડતા રહ્યા.😢😢


અરે તેમાં રડો છો શુ ?😢

આજ થી પાણીપુરી ખાવા નું બંધ..મારી પત્ની બોલી

અરે ગાંડી.. 

મને દુઃખ એ વાત નું નથી કે તે પાણી પુરી કેમ ખાધી ?👍

દુઃખ એ વાત નું છે..

આટલા વર્ષના લગ્ન જીવન પછી પણ  હું એ  ન જાણી શક્યો કે..

તને પાણીપુરી આટલી બધી ભાવે છે.👍👌♥️

આવ બેસ..મારી બાજુ મા.. આજે વહેલું આવવા નું કારણ તું મને પૂછતી હતી ને ?

યાદ છે..

ગયા ઉનાળે તે કિધુ હતું..

ગરમી બહુ લાગે છે.

AC હોવું જોઈએ.

મેં કીધું હતું..

AC નું બિલબહુ આવે.

તે કિધુ હતું કેટલું આવે ? 

મહિને  બે ત્રણ હજાર  રૂપિયા થી વધારે આવે.

તમને કદી હું ઉનાળા મા હિલસ્ટેશન ઉપર ફરવા લઈ જાવ તેવી જીદ તો કદી પકડતી નથી..

ત્યાં તમારે  એક દિવસ ની હોટલ નું ભાડું ત્રણ હજાર કે..

ચાર હજાર આપવું પડે તો અહીં ઘર મા મહિનાના ત્રણ હજાર AC પાછળ ખર્ચી ના શકો ?


તારી વાત મેં  ગંભીરતા થી વિચારી હતી

અને સાચી પણ લાગી હતી

એટલે જાન્યુઆરીમા આવેલ લીવ એનકેશમેન્ટ ના રૂપિયા માથી મેં AC લખાવી દીધું છે.

આજે AC ફિટ કરવા આપણા ઘરે આવે છે.👌👍

મારી પત્ની મને ભેટી પડી♥️♥️

મેં ચુકવેલ AC ની કિંમત તો તેની પ્રેમભરી નજરની સરખામણી માં શુન્ય હતી.

મારા કહેવાનો મતલબ એજ છે કે..ઘણી વાર

મોટી મોટી મહ્ત્વાકાંક્ષા રાખવા કરતા નાની

નાની વસ્તુ માંથી આનંદ મેળવતા શિખવુ જોઇયે.👌👍

કોઈ વખત પાણી પુરી ની લારી એ ઉભા રહો..👌👍

કોઈ વખત રસ્તા ઉપર ઉભા રહી બરફ નો ગોળો ચૂસતા રહી ને જીંદગી ની પળે પળ નો આનંદ લૂટતા રહીએ..👌👍♥️

રૂપિયાને આપણી આત્મીયતા 

અને નિખાલસતા સાથે કોઈ સબંધ નથી.👍👌♥️

બાકી દોસ્ત..

ઈચ્છાઓ તો કદી શહેનશાહો ની પણ પુરી નથી થઈ.😢

કુછ પા કર ખોના હૈ..😢

કુછ ખો કર પાના હૈ.👌

જીવન કા મતલબ તો..

આના ઔર જાના હૈ.👍👌

દો પલ કે જીવન સે..

એક ઉમ્ર ચુરાની હૈ.👌👍

તુફાન કો આના હૈ..😢

આ કર ચલે જાના હૈ.👍  ......🎋🖊️🎯

*જીંદગી ઔર કુછ ભી નહી..* 🥰🤝🏻💕

તેરી મેરી કહાની હૈ.

....મિત્રો ને અર્પણ.... 🙏🙏🙏🙏

Saturday, December 10, 2022

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર કોણ ?

નીલ આર્મસ્ટ્રોંગ


સૌપ્રથમ ચંદ્ર પર આ યાત્રીઓએ પગ મૂક્યો હતો.

પ્રથમ વ્યક્તિ .. નીલ આર્મસ્ટ્રોંગ

બીજા વ્યક્તિ.. બજ એલ્ડ્રિન

ત્રીજા વ્યક્તિ .. પેટે કૉનરાડ

ચોથા વ્યક્તિ .. એલન બીન


નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન


 પેટે કૉનરાડ અને એલન બીન



અમેરિકાનાં અપોલો-11 મિશનનાં માધ્યમથી 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્ર પર પહેલીવાર નીલ આર્મસ્ટ્રોંગ પહોંચ્યા હતા. ત્યારે બજ એલ્ડ્રિન બીજા એવા વ્યક્તિ હતા કે, જેના કદમ ચંદ્ર પર પડ્યા હતા. તે પણ અપોલો-11 મિશનમાં નીલ આર્મસ્ટ્રોંગ સાથે જ હતા. પેટે કૉનરાડ ચંદ્ર પર પગ મૂકનારા ત્રીજા વ્યક્તિ હતા. તે વર્ષ 1969નાં નવેમ્બરમાં અપોલો-12 મિશનનો ભાગ હતો. કૉનરડની સાથે અપોલો-12 ચાલકદળમાં એલન બીન પણ સામેલ હતા. તે ચંદ્ર પર પગ મૂકનારા ચોથા વ્યક્તિ હતા.


Saturday, December 3, 2022

પોદળામાં હાઠીકુ

આનાથી નીતિમત્તાનો પુરાવો બીજો ક્યો હોઈ શકે.

બળતણ તરીકે કોઈને  છાણાની જરૂર હોય, અથવા તો કોઈને પશુ ન હોય, કાંતો કોઈનુ પશુ માર્ગમા કે ચરતી વખતે ખેતર/ચરાણમા પોદળો કરે તો તે પોદળાની જેને આવશ્યકતા હોઈ તે પોદળામાં એક ઉભુ સાંઠીકડું ખુતાડી દે. હવે આ સાંઠીકડું ખુતાડ્યું એટલે એ પોદળો એની માલીકીનો કહેવાય. અન્ય પાછળ છાણા થાપવા પોદળાની જરૂર હોઈ અને પોદળો જૂએ અને એમા સાંઠીકડું ખુતાડેલુ હોઈ તો એ ત્યાથી ચાલ્યા જાય. ભૂલથી પણ એ પોદળો ન લેતા કારણ કે એ બીજાની માલિકીનો થઈ ચૂક્યો છે હવે આપણાથી ન લેવાય.



વિચારો તો ખરા કે.. એક પોદળો પણ બીજાનો આપણાથી ન લેવાય એવી જેની નીતિ હોઈ, બીજાનુ મારાથી અડાય નહિ આવી જેની ટેક હોઈ ત્યા લાખોના સોનાના ઢગલા હોઈ તો પણ તે કોઈ અડે? ન અડે
આવા હતા આપણા વડીલો, તેમની નીતિમત્તા... અને આજે ????


સાભાર :- બી.એન.આહીર

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...