Sunday, July 28, 2024

The Top Five Regrets of Dying

 The Top Five Regrets of Dying 

(મરતી વખતે થતા મુખ્ય પાંચ અફસોસ)

લેખક

Bronnie ware

મરતી વખતે માણસને કઈ વાતોનો અફસોસ થાય? - લોકોએ પોતાના શોખ એ વિચારીને પૂરા ન કર્યા કે લોકો શું વિચારશે. એવા અફસોસ ન થાય એ માટે શું કરવું જોઈએ એની સલાહ Bronnie ware આપી છે.

લેખિકા અને Motivational સ્પીકર તરીકે જગમશહૂર બનેલી ઓસ્ટ્રેલિયન લેખિકા બ્રોની વૅરે ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ (મરતી વખતે થતા મુખ્ય પાંચ અફસોસ) નામનું પુસ્તક લખ્યું છે. બ્રોની વૅરે એ પુસ્તકમાં જે વાતો લખી છે એ દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે. બ્રોનીએ 2009માં તેના બ્લોગમાં ‘રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ શીર્ષક હેઠળ લખ્યું હતું કે મરતી વખતે મોટાભાગના માણસોના મનમાં કયા-કયા અફ્સોસ હોય છે. એ બ્લોગને ખૂબ જ સફળતા મળી. 2012 સુધીમાં એંસી લાખ લોકો તેના બ્લોગ પર એ વાત વાંચી ચૂક્યાં હતાં. એ પછી 2012માં બ્રોનીએ એ વાતને વધુ વિસ્તૃત રૂપે, ‘The Top Five Regrets of Dying’ નામના પુસ્તક સ્વરૂપે લખી. એ પુસ્તક Bestseller સાબિત થયું અને દુનિયાની 27 ભાષાઓમાં એ પુસ્તકનો અનુવાદ થયો. બ્રોની ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતી હતી ને એવા દર્દીઓનું ધ્યાન રાખતી હતી કે જેઓ જીવનના છેલ્લા સ્ટેજમાં તેની પાસે આવ્યા હોય. એવા દર્દીઓ સાથે વાતચીત દરમિયાન બ્રોનીએ અનુભવ્યું કે દરેક મરતા માણસના મનમાં કોઈ ને કોઈ અફસોસ જરૂર હતો. કમાલની વાત એ હતી કે એ દર્દીઓના જીવનમાં બીજી કોઈ સમાનતા નહોતી, પણ તેમના અફસોસ સમાન હતા. એ દર્દીઓ જે અફસોસ વ્યકત કરતા હતા એ આધારે મરતા માણસોના મનમાં હોય છે એ ટોચના પાંચ અફસોસ વિશે બ્રોનીએ તેના પુસ્તકમાં લખ્યું છે. 

માણસ જ્યારે મરણ પથારીમાં હોય ત્યારે એમને આ મુખ્ય પાંચ અફસોસ થતા હોય છે. જેનો ટૂંકમાં સાર અહીં આપવામાં આવ્યો છે.

પ્રથમ અફસોસ :-

બ્રોની વૅરના એ પુસ્તકનો ટૂંક સાર જોઈએ. મોટાભાગના માણસોના મનમાં મરતી વખતે જે અફસોસ હોય છે એ પૈકી પ્રથમ અફસોસ આ હોય છે: કાશ! મેં મારી જિંદગી મારી રીતે જીવવાનું પસંદ કર્યું હોત! એ વાતની પરવા કર્યા વગર કે લોકો શું વિચારશે! બ્રોની કહે છે કે દરેક મરતા માણસના મનમાં એ અફસોસ હતો કે અમે આખી જિંદગી લોકોની અપેક્ષા પ્રમાણે જ જીવ્યા. અમે એ વિચારતા રહી ગયા કે લોકો શું વિચારશે. એ ડરને કારણે અમે ક્યારેય પોતાની મરજી પ્રમાણે ન જીવ્યા. એવો ડર રાખ્યો કે આવાં કપડાં ન પહેરાય, લોકો શું વિચારશે! અહીં ન જાઓ કે ત્યાં ન જાઓ, લોકો શું વિચારશે! આવું ન કરો કે તેવું ન કરો, લોકો શું વિચારશે! કેટલાક લોકોએ પોતાની મનપસંદ વ્યક્તિ જોડે એવા ડરથી લગ્ન ના કર્યાં કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાના શોખ એ વિચારીને પૂરા ન કર્યા કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાની મનપસંદ નોકરી ન કરી કે લોકો શું વિચારશે! બ્રોની કહે છે કે મોટાભાગના માણસો મરણપથારીએ હોય છે એ વખતે તેમને એ વાતનો અફસોસ થાય છે કે પોતે જે લોકોને ધ્યાનમાં રાખીને પૂરી જિંદગી વિતાવી એવા લોકો જીવનના અંત સમયે મળવા પણ ન આવ્યા!

બ્રોની આ અનોખા પુસ્તકમાં સલાહ આપે છે: હું એમ કહું છું કે જે વાતોમાં તમે જે ચીજમાં વિશ્વાસ કરો છો એ કરો. અને આખી જિંદગી તમે એ ના વિચારતા કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે? નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે કે સાલું લોકોના ડરથી આપણી ઈચ્છા હતી એ રીતે ન જીવ્યા, આપણી ઈચ્છાઓ મારીને જીવ્યા! 


બીજો અફસોસ :-

મરતી વખતે મોટાભાગની વ્યક્તિઓને બીજો અફસોસ આ હોય છે કે કાશ! મેં આટલું કામ ન કર્યું હોત! મેં મારા મિત્રો સાથે, મારાં માતાપિતા સાથે આટલો ટાઈમ વિતાવ્યો હોત તો કેવું સારું થાત! કાશ, મેં મારાં બાળકોને મોટાં થતાં જોયાં હોત! બ્રોની કહે છે કે હું એમ નથી કહેતી કે તમે હાર્ડવર્ક ના કરો, પણ જો તમે સક્સેસફુલ છો અને એ અમૂલ્ય સમય તમે વેડફી નાખ્યો છે જે તમારી જિંદગીમાં ફરી ક્યારેય પાછો નથી આવવાનો, તો તમે સફળતા મેળવવા માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. તો તમારી જિંદગીનું આયોજન કરો અને જે લોકો તમારા દિલની વધુ નજીક છે તેમના માટે સમય કાઢો. નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે કે મેં આખી જિંદગી ઢસરડા જ કર્યા!


ત્રીજો અફસોસ :-

મરતી વખતે લોકોને ત્રીજો અફસોસ આ હોય છે: કાશ, મારામાં એટલી હિંમત હોત કે હું મારી લાગણી લોકો સામે વ્યક્ત કરી શકત! બ્રોની અહીં માત્ર રોમેન્ટિક લાગણીની વાત નથી કરતી. મરતી વખતે વ્યક્તિને એવો અફસોસ પણ થતો હોય છે કે ‘કાશ, હું મારાં માતાપિતાને બતાવી શકત કે હું તેમને કેટલો પ્રેમ કરું છું. કાશ, હું મારા ભાઈને કહી શકત કે તે મારી જિંદગીમાં કેટલો મહત્ત્વનો છે. કાશ હું મારી (કે મારા) કઝિનને કહી શકત કે એ દિવસે તેં મારું કેટલું દિલ દુભાવ્યું હતું! મને માફ કરી દે. જે લોકો આપણી જિંદગીમાં મહત્ત્વના છે, આપણા દિલની નજીક છે. તેમને કશું કહેવું હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે ચાલો આજે નહીં પછી ક્યારેક કહીશું, જેથી સંબંધ ખરાબ ન થઈ જાય. જો તમારા મનમાં એવી કોઈ વાત હોય કે જે તમને લાગે કે તમારે કહી દેવી જોઈએ તો રાહ ના જુઓ અને કહી દો નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે. 


ચોથો અફસોસ :-

મરતી વખતે લોકોના મનમાં ચોથો અફસોસ આ હોય છે: કાશ હું મારા દોસ્તોની નજીક રહેત. કાશ હું તેમની સાથે થોડો વધુ સમય પસાર કરત! બ્રોની કહે છે કે યાદ રાખો કે આ એ જ જ દોસ્ત હોય છે કે આપણા જીવનના એક તબક્કે જેના વગર આપણી જિંદગી નહોતી ચાલતી. કદાચ તેઓ ભણવા માટે બહાર ચાલ્યા ગયા હોય, નોકરી માટે બહાર ચાલ્યા ગયા હોય પરંતુ તમે તેને ફોન કરી શકો છો. વીડિયો કોલ કરી શકો છો, ટેક્સ્ટ મેસેજ કરી શકો છો.

બ્રોની કહે છે કે આ વાત તરત અમલમાં મૂકો નહીં તો દોસ્તોને ખોઈ બેસવાનો અફસોસ તમને પણ જરૂર થશે. 


પાંચમો અફસોસ :-

જીવનના અંત સમયે પાંચમો અફસોસ આ હોય છે: કાશ, મેં મારી જાતને ખુશ રાખી હોત! બ્રોનીએ નર્સ તરીકે ફરજ બજાવતી વખતે મૃત્યુના બિછાને પડેલી વ્યક્તિઓ સાથે વાત કરી. એ પૈકી દરેક વ્યક્તિએ એ વાત સ્વીકારી હતી કે તેમને ખબર હતી કે તેમને શાનાથી ખુશી મળે છે, પરંતુ તેમણે એ ખુશી મળે એવી પ્રવૃત્તિ ન કરી કે એવું કામ ન કર્યું. કારણ કે તેમણે જિંદગીભર એ વિચાર્યું કે તેમની ખુશી બીજા કોઈ સાથે જોડાયેલી છે. બ્રોની કહે છે કે આપણી ખુશીનો કંટ્રોલ આપણા હાથમાં છે અને આ વાતને જેટલી જલદી સમજી લઈએ ને એટલું જ આપણા માટે સારું છે, નહીંતર આ અફસોસ તમને જરૂર થશે. તમે ક્યારેય મરતા માણસને એ કહેતા જોયો છે કે કાશ, હું એક બંગલો વધારે બનાવી લેત કે એક પ્લોટ વધારે ખરીદી લેત! ના. મરતી વખતે ભૌતિક રીતે કિંમતી એવી કોઈ વસ્તુ ન મેળવી એ વાતનો અફસોસ નથી થતો. અફસોસ એ વાતનો થાય છે જે આપણી આજુબાજુ હતી, આપણી વચ્ચે હતી છતાં પણ આપણે તેની કદર ના કરી!



The Top Five Regrets of the Dying

1. I wish I'd had the courage to live a life true to myself, not the life others expected of me.

2. I wish I hadn't worked so much.

3. I wish I'd had the courage to express my feelings.

4. I wish I had stayed in touch with my friends.

5. I wish that I had let myself be happier.

ગુજરાતી ભાષા અને AI ટેકનોલોજી... વિચાર મંથન

ગૂગલ ટ્રાન્સલેશન એપ ગુજરાતી અનુવાદમાં ગરબડ કેમ કરે છે?

-------------------------

'ગુજરાતી ભાષાને બચાવવા માટે ગુજરાતીમાં બોલવું-લખવું-પુસ્તકો છાપવાં-ગુજરાતી ફિલ્મો-નાટકોને ઉત્તેજન આપવું... આ બધાં સૂચનો હવે જૂનાં થઈ ગયાં. ગુજરાતી ભાષાને જો જીવતી-ધબકતી રાખવી હશે તો તેને વહેલાસર આધુનિક ટેકનોલોજી સાથે જોડયા વગર નહીં ચાલે.'

----------------------------

વાત-વિચાર - એડિટ પેજ - ગુજરાત સમાચાર 

----------------------------

આપણે જો ઇચ્છતા હોઈએ કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જેમાં થયો હોય તેવાં ટૂલ્સ, ચેટબોટ વગેરે અંગ્રેજીની જેમ ગુજરાતીમાં પણ મસ્ત રીતે, બિલકુલ સ્મૂધલી ઓપરેટ થાય તો તે માટે નિષ્ણાતોએ હજુ અભિમન્યુની જેમ ઘણા કોઠા ભેદવાના બાકી છે. આપણે ગયા શનિવારે જોયું કે ચેટજીપીટી એ એ AIની સૌથી લોકપ્રિય એપ્લિકેશન છે. ચેટજીપીટી એક લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) છે, અને ત્યાં સુધી પહોંચવા માટે ગુજરાતી ભાષાએ સૌથી પહેલાં તો અફલાતૂન નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) મોડલ વિકસાવવા પડે. NLP મોડલ એટલે આપણે રોજબરોજ જે ગુજરાતી ભાષા બોલીએ-લખીએ છીએ તે કમ્પ્યુટર ભૂલ વગર સમજી લે, તેવું સોફ્ટવેર.કમ્પ્યુટરને ગુજરાતી ભાષા શીખવતી વખતે લખાણનો જે ડેટાસેટ ઉપયોગમાં લેવામાં આવે તે જોડણી અને વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધતમ હોય તે ખૂબ જરૂરી છે. ભગવોમંડળ અને સાર્થ જોડણી કોષ આ પ્રકારના આદર્શ ડેટાસેટ છે. તકલીફ એ છે કે લેંગ્વેજ મોડલને ટ્રેઇન કરવા માટે રિસર્ચરો માટે આ બન્ને સોર્સની સોફ્ટ કોપી યા તો એક્સેલ ફાઈલ્સ ઉપલબ્ધ નથી!

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સના હેડ ડો. અપૂર્વ દેસાઈ કહે છે, 'ઘારો કે ભગવોમંડળ અને તે કક્ષાના અન્ય ડેટાસેટ મળે તો પણ તેને પ્રોસેસ કરીને આખો ડેટાબેઝ તૈયાર કરવો પડે. તમને ઉદાહરણ આપીને સમજાવું. 'છોકરો' અને 'છોકરી' આ બે શબ્દોનું મૂળ રૂપ 'છોકર' છે. 'છોકર'ને 'ઓ' પ્રત્યય લાગે તો 'છોકરો' બને, અને 'ઈ' પ્રત્યય લાગે તો 'છોકરી' બને. શબ્દના મૂળ રૂપ સુધી જવાની પ્રક્રિયાને 'સ્ટેમિંગ' કહે છે. એક એવો ડેટાસેટ હોવો જોઈએ, જેમાં પ્રત્યેક ગુજરાતી શબ્દનું મૂળ રૂપ લખાયેલું હોય. સ્ટેમિંગ પછી  'ટેગિંગ'ની પ્રક્રિયા કરવી પડે. ટેગિંગ એટલે જે-તે શબ્દ સંજ્ઞા(નાઉન) છે, ક્રિયાપદ (વર્બ) છે કે વિશેષણ (એડજેક્ટિવ) ઇત્યાદિ છે તે ચિહ્નિત કરવું. ધારો કે આવું વાક્ય છે: 'રવિ નામનો છોકરો હતી.' આ ખોટું વાક્ય છે. કમ્પ્યુટરને ખબર હોવી જોઈએ કે રવિ એક નામ (સંજ્ઞા) છે અને તે પુલ્લિંગ છે, તેથી આ વાક્યના અંતે 'હતી' નહીં પણ 'હતો' આવે. જો વ્યવસ્થિત સ્ટેમિંગ અને ટેગિંગ સાથેનો ડેટાસેટ પ્રોસેસ થયો હોય તો જ કમ્પ્યુટરને ખબર પડે કે ગુજરાતી વાક્યમાં નાઉન - વર્બ કયા છે, એની સિકવન્સ કેવી હોવી જોઈએ અને તે વ્યાકરણને અનુરૂપ છે કે કેમ. અમે આ પ્રકારનો આવશ્યક ડેટાસેટ વિકસાવ્યો છે, પણ તે સરળ વાક્યો પૂરતો સીમિત છે.'


અંગ્રેજીમાં બે જ જાતિ (જેન્ડર) છે - સ્ત્રીલિંગ અને પુલ્લિંગ,  જ્યારે ગુજરાતીમાં ત્રીજી નાન્યતર જાતિ પણ છે. તેથી ગુજરાતી    NLP ડેવલપ કરવાનું કામ પણ વધારે જટિલ બની જાય છે. પ્રોફેસર બ્રિજેશ ભટ્ટ આ વાત વિગતવાર સમજાવે છે, 'ગુજરાતીમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ ત્રણેય જાતિના પ્રત્યય ક્રિયાપદને પણ લાગે છે. જેમ કે 'રાજેશ આવ્યો', 'ગીતા આવી', 'કૂતરૂં આવ્યું'. અંગ્રેજીમાં જ્યારે 'Rajesh comes' કે 'Geeta comes' કહીએ ત્યારે કોઈ લિંગભેદ દેખાતો નથી, પણ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં વાક્યનું ભાષાંતર કરીએ ત્યારે મશીને આ લિંગભેદ જાતે નક્કી કરવો પડે. આ ઉપરાંત ગુજરાતીમાં પ્રેરક વાક્ય એક વિશિષ્ટ રચના છે, જે અંગ્રેજી અનુવાદ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. ઉદાહરણ તરીકે આ વાક્ય: 'ગીતાએ લતા પાસે ગીત ગવડાવ્યું'. હવે, 'ગવડાવ્યું' શબ્દનું ભાષાંતર કરવા માટે અંગ્રેજીમાં એક કરતાં વધારે શબ્દોનો ઉપયોગ કરવો પડે (Geeta made Lata sing). ગુજરાતી અને અંગ્રેજીના શબ્દોની ગોઠવણી પણ અલગ છે. અંગ્રેજીમાં સામાન્યપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ - આ ક્રમમાં વાક્ય બનાવવામાં આવે છે (Ram eats an apple), જ્યારે ગુજરાતીમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ - આ પ્રમાણે વાક્ય ગોઠવાય છે (રામે સફરજન ખાધું). ભાષાંતર કરતી વખતે મશીને ગોઠવણની આ ફેરબદલ પણ ધ્યાનમાં લેવી પડે.'

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં કાર્યરત ડો. બ્રિજેશ ભટ્ટે આઈઆઇટી-બોમ્બેના પ્રોફેસર પુષ્કર ભટ્ટાચાર્યના ગાઇડન્સ હેઠળ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ વિષયમાં પીએચ.ડી કર્યું છે. તેઓ ગુજરાતી NLPની ટેકનિકલ બાજુને સરળતાથી સહેજ વધારે ઊઘાડી આપે છે, 'જુઓ, ગુજરાતીમાં નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ સોફ્ટવેર બનાવવા માટે ત્રણ તબક્કામાં કામ કરવું પડે. એક છે, લેક્સિકલ (શબ્દાનુવાદ), બીજું છે સિન્ટેક્ટિક (વાક્યરચના) અને ત્રીજું, સિમેન્ટિક (અર્થઘટન). લેક્સિકલ તબક્કામાં શબ્દો, તેને લાગતા પ્રત્યયો અને જો ભાષાંતર કરવું હોય તો બીજી ભાષાનો શબ્દો જાણવા પડે. મોર્ફોલોજીકલ એનેલિસિસ એ લેક્સિકલ પ્રોસેસિંગનું પહેલું પગથિયું છે. ઉદાહરણ તરીકે, 'ગવડાવ્યું' આ શબ્દનું મૂળ રૂપ 'ગાવું' છે અને તેને 'ડાવ્યું' પ્રત્યય લાગ્યો છે, એવું મોર્ફોલોજી એનેલિસિસ દ્વારા મશીનને  સમજાવી શકાય. બીજા તબક્કામાં વાક્યનું બંધારણ ચકાસવું પડે, જેના માટે પાર્ટ ઓફ સ્પીચ ટેગિંગ, પાર્સીંગ જેવા સોફ્ટવેરની જરૂર પડે. પાર્ટ ઓફ સ્પીચ ટેગર વાક્યમાં આવતા શબ્દોમાં નામ, ક્રિયાપદ, વિશેષણ વગેરે ઓળખી બતાવે, અને પાર્સર વાક્યમાં રહેલા શબ્દો એકબીજા સાથે કેવી રીતે જોડાઇને અર્થ બનાવે છે તે કહી શકે. ઉદાહરણ તરીકે, 'રામે ગીત ગાતા શ્યામને જોયો'. અહીં ગીત રામ ગાય છે કે શ્યામ? તે સમજવામાં ગોટાળો થઇ શકે. પાર્સર શબ્દોને એકબીજા સાથે જોડી અર્થઘટનમાં થતી ગરબડને દૂર કરે છે. છેલ્લા સિમેન્ટિક તબક્કામાં, શબ્દોના અર્થ અને તે અર્થોથી પૂરા વાક્યનો અર્થ કાઢવો પડે. એક શબ્દના ઘણા અર્થ હોઈ શકે છે. તેથી જ વર્ડ સેન્સ ડિસએમ્બિગ્યુએશન એ કદાચ NLPનો સૌૈથી અઘરો વિષય છે. જેમ કે, 'મારો ફોટો પડી ગયો' અને 'મારો મોબાઇલ પડી ગયો' આ બંને વાક્યોમાં 'પડી ગયો'નો અર્થ અલગ છે. આ પ્રકારના ગુજરાતી શબ્દપ્રયોગોનો અન્ય ભાષામાં અનુવાદ કરતી વખતે મશીન બાપડું ચકરાવે ન ચડી જાય અને અર્થનો અનર્થ ન કરી નાખે તેનું ધ્યાન રાખવું પડે.'

ગૂગલ ટ્રાન્સલેશન એપમાં ગુજરાતી વાક્યોના અંગ્રેજીમાં ને અંગ્રેજી વાક્યોના ગુજરાતીમાં ચક્રમ જેવા અનુવાદ થાય છે તેનું કારણ આ જ! અત્યારે ઉપકરણોમાં જે ગુજરાતી NLP વપરાય છે તેમાં ઉપર વર્ણવી તે ટેકનિકલ પ્રક્રિયાઓ પર પૂરતું કામ જ થયું નથી. પછી બિચારું મશીન ભાષાંતર કરવામાં લોચા જ મારેને! વળી, આપણે ગુજરાતી ભાષા બોલતી કે લખતી વખતે છૂટથી અંગ્રેજી-હિન્દી શબ્દો ભભરાવતા હોઈએ છીએ. નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ માટે આવી ખિચડી ભાષા પાછો એક અલગ જ પડકાર છે.

નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં પ્રો. સી. કે. ભેંસદડીયાના નેતૃત્વમાં ગુજરાતી વર્ડનેટ અને ઇંગ્લિશ-ગુજરાતી મશીન ટ્રાન્સલેશન સંબંધિત કામ થાય છે. પ્રો. ભેંસદડીયા લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી AIના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને  તૈયાર કરી રહ્યા છે. તેમની સાથે પ્રો. બ્રિજેશ ભટ્ટ નેચરલ NLP પર કાર્ય કરી રહ્યા છે. પ્રો. ભેંસદડીયાએ આઇઆઇટી-બોમ્બેના પ્રો. પુષ્પક ભટ્ટાચાર્યના ગાઇડન્સ હેઠળ એમટેક કર્યું છે. હાલ બન્ને નિષ્ણાત ડીપ લનગ બેઝ્ડ ન્યુરલ મશીન ટ્રાન્સલેશન પદ્ધતિથી અંગ્રેજીથી ગુજરાતી અનુવાદની સિસ્ટમ બનાવવામાં કાર્યરત છે.

ઘણું કામ છે, લાંબી સફર છે. કમ્પ્યુટરને ગુજરાતી શીખવવાનું કામ ઘણાં વર્ષોથી ત્રણ સ્તરે કામ થઈ રહ્યું છે - એકેડેમિશિયન્સ દ્વારા, સરકાર દ્વારા અને ગૂગલ-માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ દ્વારા. તકલીફ એ છે કે આ ત્રણેયને જોડતી કડીઓ કાં ગાયબ છે યા તો બહુ ઓછી છે. તેથી છૂટુંછવાયું કામ થતું રહે છે, પણ ત્રણેય જૂથને એકબીજાના જ્ઞાનનો લાભ જેટલો મળવો જોઈએ તેટલો મળતો નથી.

વાસદ સ્થિત સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર Brijesh Panchal કહે છે, 'ભાષા અને ટેકનોલોજી બન્ને જાણતા હોય તેવા લોકો બહુ ઓછા છે. વિદેશમાં આ બન્ને ક્ષેત્રોને સાંકળી લે તેવા કોમ્પોઝિટ કોર્સ ચાલે છે, જે આપણે ત્યાં પણ  હોવા જોઈએ. આપણે બીએ-એમએના વિદ્યાર્થીઓને કહેવું જોઈએ કે તમે માત્ર ટીચર કે એવું કશું જ નહીં, ભાષાશાસ્ત્રી પણ બની શકો છો. કમ્પ્યુટર એન્જિનીયરિંગ ભણતા વિદ્યાર્થીઓને ભાષાવિજ્ઞાાન તરફ આકર્ષણ હોતું નથી. તેમને પણ કહેવું જોઈએ કે જો તમે ગુજરાતી પુસ્તકો વાંચશો તો NLPમાં વધારે સમજ પડશે.'

અપૂર્વ દેસાઈ કહે છે, 'એક કોમન પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં એકેડેમિશિયન્સ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ, ભાષાવિદો, કમ્પ્યુટર એન્જિનીયરો અને સરકારના પ્રતિનિધિઓ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે કે જેથી ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજી સાથે વણી લેવાનું કામ સડસડાટ આગળ વધે, બોટલનેક ન સર્જાય અને કામનું અકારણ ડુપ્લિકેશન ન થાય. મારૂં તો સૂચન છે કે સાહિત્ય પરિષદ અને અકાદમીએ સાહિત્યકારોની સાથે સાથે આ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર એકેડેમિશિયન્સ અને એન્જિનીયરોને પણ અલાયદા અવોર્ડ્ઝ આપવાનું શરૂ કરવું જોઈએ કે જેથી તેમનો ઉત્સાહ વધે અને વધારે પ્રતિભાઓ આ દિશામાં આકર્ષાય.'

બિલકુલ. કેમ નહીં? 

ગુજરાતી ભાષા બચાવવાની બૂમરાણ વર્ષોથી એકધારી થઈ રહી છે. બ્રિજેશ પંચાલ સમાપન કરે છે, 'ગુજરાતી પુસ્તકો છાપવા ને વાંચવા, ગુજરાતી નાટકો-ફિલ્મોને ઉત્તેજન આપવું, ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખવો... આ બધાં સૂચનો હવે જૂનાં થઈ ગયાં. જો સાચી, શુદ્ધ ગુજરાતી ભાષાને આવનારી પેઢીઓ માટે  રિલેવન્ટ રાખવી હશે તો ગુજરાતી ભાષાનું ટેકનોલોજીકરણ કર્યા વગર છૂટકો નથી.'

ગુજરાતીમાં સુંદર રીતે ઓપરેટ થતાં AI ટૂલ્સની કલ્પના ખરેખર મોહક છે. આ સ્તર સુધી પહોંચવાનું કામ અઘરૂં જરૂર છે પણ અશક્ય નથી, જો યોગ્ય લોકો દ્વારા, યોગ્ય દિશામાં યોગ્ય પ્રયત્નો થાય તો!

સાભાર

લેખન

- શિશિર રામાવત 



#vaatvichar #GujaratiNLP #AI #gujaratsamachar #gujarati

Thursday, July 18, 2024

MS Word 2007 ચાલુ કરવાની વિવિધ રીતો..


માઈક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરવાની રીત :-

વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે.. નોટપેડ અને વર્ડપેડ કરતા તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. તેનો ઉપયોગ નાનો ફકરો, પત્ર, યાદી અને લાંબા દસ્તાવેજો, વિદ્યાર્થીઓ માટે પેપર વગેરે કંઈ પણ લખવા માટે થઈ શકે છે.  તમે ડોક્યુમેન્ટ માં સુધારા વધારા કરી શકો છો.. તથા વૈવિધ્ય પૂર્ણ લે આઉટ પણ રચી શકો છો..  ટૂંકમાં તમે Ms Word માં દસ્તાવેજી કાર્ય સરળતાથી કરી શકો છો..

માઈક્રોસોફ્ટ વર્ડ 2007 કેવી રીતે શરૂ કરશો ?
Ms word 2007 વિવિધ રીતે શરૂ કરી શકાય છે..

1. પ્રથમ રીત :-
ડેસ્કટોપ પર રહેલા Ms Wordના icon પર ડબલ ક્લિક કરતા માઈક્રો સોફ્ટ વર્ડ ઓપન થાય છે.



બીજી રીત :-
Step 1 :- કમ્પ્યુટર ચાલુ કરો.
Step 2 :- Start મેનુ ઓપન કરવા માટે Start 🌎 બટન પર ક્લિક કરો.
Step 3 :- સ્ટાર્ટ મેનુ માંથી સબ મેનુ All Programs પર માઉસ પોઇન્ટર લઈ જાઓ. જેથી અલગ અલગ મેનુ ઓપન થશે..
Step 4 :- તેમાંથી Microsoft Office સબ મેનુ પર ક્લિક કરો.
Step 5 :- તેમાંથી Microsoft office Word 2007 પર ક્લિક કરવાથી... Ms Word ચાલુ થશે.
 
 (નોંધ :- ઉપરોક્ત image સ્પષ્ટ જોવા માટે તેના પર ક્લિક કરી zoom કરો)
 3 ત્રીજી રીત :-
Step 1 :- કી બોર્ડમાંથી Window Key સાથે R કી પ્રેસ કરવાથી RUN  ડાયલોગ બોકસ ખુલશે.

Step 2 :- RUN ડાયલોગ બોક્સમાં winword ટાઈપ કરી એન્ટર આપવાથી માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે..
 

 4. ચોથી રીત :-
Step 1 :-  Start બટન પર ક્લિક કરતા સર્ચ બટન (Search programs and files) માં ફક્ત word લખતા તમારી સામે Microsoft office word 2007 આવી જશે.. (પરંતુ અહીં એકવખત ઓપન થયેલ હશે તો જ જોવા મળશે.)
 


પરીક્ષામાં પુછાતા પ્રશ્નો..
1. માઈક્રોસોફ્ટ વર્ડ શરૂ કરવાના સોપાનો સમજાવો..
2. માઈક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરવાની કોઈપણ બે રીત સમજાવો..




Tuesday, July 16, 2024

બરડા ડુંગરનો વૈભવ

 






બરડા ડુંગરની એ આહલાદક ... કુદરતી ...વાતાવરણ ..જાણે આપણે તમામ પ્રકારની ચિંતાથી પર ઉઠીને કુદરતના ખોળામાં બરડાની ગોદમાં હોય એવું લાગે છે ..તન અને મનથી તમને પ્રફુલિત કરી દયે છે તમને આયાનું વાતાવરણ .... અનેક ફરવા લાયક સ્થળો ... જે સ્થળની મુલાકાત લ્યો તેનું વાતારણ તમારા તમામ થાકને દુર કરી દે તેમ છે ... જેમાં ઘુમલી ગામે આશાપુરા માતાજીનું મંદિર લગભગ ૧૦૦૦ જેટલા પગથીયા ચડતા આવે છે .... વિધ્યાવાસીની માતાજીનું મંદિર ... ૪૦-૫૦ પગથીયા ચડતા આવે છે ... ભૃગુકુંડ... નવલખો ...જે ૧૨મી સદીમાં બંધાયેલ સોલંકીયુગના સ્થાપત્યનું મહત્વનું દષ્ટાંત છે .. આવા તો અનેક સ્થળો છે ... એમાં પણ ઘુમલી થી ૩ – ૪ કિલોમીટર અને બરડા ડુંગરની ટોચ પર આવેલ આભપરાનેશ ... જ્યાં ત્રિકમજીબાપુનું મંદિર આવેલ છે ..જયા પગપાળા જઈ શકાય છે ... ૨ – ૩ કલાક જેવો સમય લાગે છે .... દરરોજ ૩૦-૪૦ જેટલા ભાવિકો ત્યાં દરરોજ આવે છે .. ત્યાં રાત્રી રોકાણ માટે તથા રહેવા માટે રૂમની વ્યવસ્થા છે ... અમારી પારંપરીક ગોદણાની તેમજ જમવા માટે વાસણો તથા રસોઈ માટેની તમામ વ્યવસ્થા છે ... જમવાનો કાચો સામાન સાથે લઇ જવાનો રહે છે .... અને અભયારણ્યમાં આવ્યું હોવાથી રાત્રી રોકાણ માટેની ફોરેસ્ટ વિભાગ પાસેથી મંજુરી મેળવવાની રહે છે ... અને ફોરેસ્ટની કેમ્પ ત્યાજ છે ... જે કપરા સંજોગોમાં મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે ..

તેમજ ભાણવડથી ૫ કિલોમીટર દુર કપુરડીનેશ ... અને ત્યાંથી ૫-૭ કિલોમીટર બરડાડુંગર પર આવેલ કિલેશ્વરનેશ .... જ્યાં કિલેશ્વર મહાદેવનું મંદિર તથા ફોરેસ્ટ વિભાગનું હેડક્વાટર આવેલ છે... જયા કિલેશ્વરનેસમાં આવેલ કિલેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન જામનગરના રાજા જામસાહેબ બાપુ ... અને જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ... જામ સાહેબ બાપુનું આસ્થાનું કેન્દ્ર ... હજુ હાલમાં પણ દર શ્રાવણમાસમાં ... જામનગરના રાજાના પુત્ર જામસાહેબ બાપુ આખો મહિનો ત્યાં વસવાટ કરે છે ... અને શ્રાવણ માસમાં હજારો ભાવિકો ત્યાં દર્શનનો લાભ લ્યે છે .... ત્યાં શ્રાવણ માસમાં પ્રસાદની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ..... અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં નજીકમાંજ હરણો અને સાબર રાખેલ છે ...... . પ્રવાસીઓને પણ વિનંતી કે રાત્રીના સમયે દીપડા જેવા પ્રાણીથી થોડી સાવધાની રાખવી …..











અહેવાલ – ભરત હુણ


બરડાનું વૃક્ષસૌંદર્ય  (અઢાર ભાર વનસ્પતિથી અભરે ભર્યા રહેતા બરડાડુંગરનું લીલુંછમ સૌંદર્ય. )

"ઘૂમલી-રાજકીય અને સાંસ્કૃતિક નામના પુસ્તકમાં કે.કા. શાસ્ત્રી અને સવિતાબેન મહેતાએ એકઠી કરેલી માહિતીને સંપાદિત કરીને નરોત્તમ પલાણ અને નાથાલાલ રૈયારેલાએ "ઘૂમલી ભૌગોલિક નામના પ્રકરણમાં એવું જણાવ્યું છે કે "બરડા ડુંગરની વિશીષ્ટ ભુસ્તરની પ્રકૃતિના કારણે અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ અહીયા થાય છે. બરડાનું ભૂસ્તર વિશિષ્ટ છે, પાણીનો અખૂટ ભંડાર છે. આદિત્યાણા અને અમરદડના પેટાળમાં તો સૌરાષ્ટ્રનો સૌથી વિશાલ જલભંડાર આવેલો છે. બરડા ડુંગરના પશ્ર્ચિમ ભાગે સમુદ્રતટનો જળમળ ખડક અથવા ચૂનાના થરો છે અને ઉત્તરપૂર્વે જવાળામુખીની અસરવાળા કાળમીંઢ અને કાળા પથ્થરો છે. ભૂસ્તરની આ વિશિષ્ટતાને કારણે ગુણધર્મમાં અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ બરડામાં થાય છે. વિરલ કહેવાય એવા થોડા ઉદાહરણો નોંધીએ તો બરડાનું લાડકું જાડ બીલીનું છે. શાસ્ત્રોમાં વર્ણવેલ આઠે આઠ પ્રકારની બીલી (તુલસી, બીલી, નિર્ગુન્ડી, અપામાર્ગ, કપિત્થ, શમી, આમલી અને દુર્વા) બરડામાં થાય છે. બીલી, આમલી અને નગોડ (નિર્ગુન્ડી) ના ઝાડવાથી ડુંગરના બધા જ ભાગો આચ્છાદિત થયેલા છે. એક વખત અહીં રબરના ઝાડ હતા. રક્તચંદન તો આજે પણ જોવા મળે છે. આર્થિક રીતે મૂલ્યવાન ગણાતા ગળીના છોડવાઓ બરડાના ઘણા ભાગોમાં થાય છે. ગળીના છોડમાંથી ગળીનો રંગ બને છે, પોરબંદર સંસ્થાને ગળીના રક્ષણ માટે પગલા લીધા હતા. ગળીને કાપવા ઉપર પ્રતિબંધ હતો. પણ આજે તો ચૂનારિયાની ભઠ્ઠીમાં એ કિંમતી છોડવો સસ્તામાં મળે છે. ગોઢાણા, નળિયાધાર અને હડિયાના જંગલો પોરબંદર સંસ્થાનમાં રક્ષિત હતા.

ખંભાળાનો સરપંખો અને જેઠીમધના છોડવા એક વખત પ્રસિદ્ધ હતા. ગળી જેવી રંગ આપનારી બીજી વનસ્પતિ બિયાનું ઝાડવું છે. બિયાના લાકડામાંથી રંગ થાય છે અને આ પંથકના લોકવરણ ત્રાજવા ત્રોફાવવા માટે એનો ઉપયોગ કરે છે. ખાખરો, રોણ, સીધસરો, શેમળો, શિવણ, ઉમરો, ખેર, જાંબુ, ટીંમરું, બોરડી, ધ્રામણ, ધાવડો, સાજડ, કડાયો, કારીખડો, કોદારો, સીસમ, ચરણ, કરંજ, નેવરી વગેરે જેવા વૃક્ષો તો આજે ભાગ્યે જ દેખાય છે.

વનસ્પતિવિદ્ જયકૃષ્ણ ઈન્દ્રજીએ અધિકારી તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી ગુજરાતના મહાન વનસ્પતિવિદ્ જયકૃષ્ણ ઈન્દ્રજીએ પણ "બરડાની વનસ્પતિ માં એવો ઉલ્લેખ કર્યો છે કે, સને 1885 થી તેઓ પોરબંદરના જંગલ અને બગીચા ખાતાના અધિકારી તરીકે નિમાયા. અને સને 1904 સુધી એટલે કે 18-19 વર્ષ સુધી તેઓ ફરજ ઉપર રહ્યા ત્યારે જંગલખાતાના અધિકારી તરીકે તેઓ ઊંટ ઉપર સવારી કરતા અને બરડા ડુંગરમાં ફરી, ડુંગરમાં કુદરતી રીતે ઉગેલી વનસ્પતિઓને પારખી તેના નમુના મેળવતા અને તેની નોંધ તૈયાર કરતા. બરડા ડુંગરને તેમણે સંશોધન માટેનું મુખ્ય સ્થળ બનાવેલું. બરડા ડુંગરના પ્રત્યેક ઝાડની તેમને માહિતી હતી. કોઈપણ વૃક્ષની ડાળ કોઈ કાપી જતું તો તેમનું દિલ દુભાતું. બાળકને જોઈ માતા માતા હરખાય તેમ ખીલતા અને વિકાસ પામતા વૃક્ષને જોઈને તેમની છાતી ફુલાતી. બરડા ડુંગરના નેસોમાં વસતા રબારીઓ સાથે તેઓ એકરૂપ થઈ ગયા હતા. નેસમાં તેઓ રાત્રિઓ પણ ગાળતા. રબારીઓનો પ્રેમ તેમણે સંપાદન કરેલો હતો. દરરોજ એક વૃક્ષ વાવી તેને નમન કરવું એ તેમનો જીવન સંદેશ હતો. જંગલમાંથી વૃક્ષો કપાતા દેશને ઘણું નુકસાન પહોંચે છે તે બાબત તે સમયમાં જ તેમના લક્ષ પર આવી ગયેલી અને તેથી જંગલના રક્ષણ માટે તેમણે કડક નિયમો રખાવેલા હતા.

વનસ્પતિઓને અલગ-અલગ 18 રીતે વર્ણવી શકાય. વનસ્પતિવિદ જયકૃષ્ણ ઈન્દ્રજીને માતૃભાષા પર તેમને અત્યંત મમતા હતી અને તેથી જ સને 1910 માં "વનસ્પતિ શાસ્ત્ર નામનું અજોડ પુસ્તક તેમણે ગુજરાતી ભાષામાં જ લખી પ્રસિદ્ધ કર્યું. વનસ્પતિશાસ્ત્ર પુસ્તકમાં તેઓએ દરેક વનસ્પતિઓનું આ પ્રમાણે વર્ણન લખેલ છે વનસ્પતિનો કુદરતી વર્ગ, વર્ગનું ટુંકું વર્ણન અને ગુણદોષ, ચાલતો નંબર, વનસ્પતિનું શાસ્ત્રીય નામ, દ્રષ્ટાંત અથવા ઉલ્લેખ, દેશી નામ, વર્ણન, મૂળ, દાંડી અને શાખાઓ, પાન અને ઉપપાન, ફૂલ અને પુષ્પશાખા, પુષ્પપત્રો અને ફૂલની ડીંટડી, ફૂલનો પુષ્પ, બાહ્ય કોષ, ફૂલનો પુષ્પાભ્યંતર કોષ, પુંકેશરો, સ્ત્રી કેશર, ફળ, બીજ, ઉપયોગી અંગ, ઔષધીય ગુણદોષ, ઉપયોગીતા-ઔષધીય અને વ્યવહારૂ, સ્થાનિક અને વિશેષ વિવેચન વગેરેના આધારે વનસ્પતિ વિશેની માહિતી મેળવી શકાય છે.

ટૂંકમાં પોરબંદર નજીકના બરડા ડુંગરમાં વનસ્પતિઓનું અઢળક સૌંદર્ય અને વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેને નુકસાન કરનારાઓને અટકાવવામાં નહીં આવે તો આ વનસ્પતિઓ માત્ર બરડા ડુંગરની યાદ જ બની રહેશે.


ઇતિહાસ પર એક નજર

જયાર થી ઈતિહાસ લખવાની શરૂઆત થઈ ત્યારથી થી અત્યાર સુધી જેઠવાના રાજ ની રાજધાની ઘુમલી-બરડા ડુંગરની ઉપેક્ષા થઇ છે. ઞુજરાતના સૌરાષ્ટ્રના રજવાડાઓમાં એક જ જગ્યાએ લાંબો સમય રાજ કરવાનો ઘુમલીના જેઠવાઓનો કદાચ રેકોર્ડ હશે.


ઘુમલી, સીલધજકુવર, મેહ- ઉજળી, હલામણ જેઠવો- સોન કંસારી (પહેલી), નવલખો, ભૃગુ કંડ, કિલેસ્વર, વીર માંગડાવાળો- પદમાવતિ, ભાણવડ(ભાણ જેઠવાનો ભાણ અને ભૂતવડનો વડ એટલે ભાણવડ), ભાણ જેઠવો, સોનકંસારી (બીજી)નો ભાણ જેઠવાને શ્રાપ, જેઠવા રાજના 999 શિવ મંદિરો, હાથલા શનિ ભગવાનનું જન્મ સ્થળ, આવા અઢળક ઇતિહાસના જીવતા પુરાવા સદીઓથી ઊભા છે.

આજે બરડા ડુંગર વિશે આ પેલા કોઈ દિવસ ના જાણી હોઇ એવી વાત તમારા બધા જોડે share કરીએ છે. જો તમને માહીતી ગમે તો મિત્રો જોડે અચુક share કરજો. ધન્યવાદ.

બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્ય સાથે જગ્યાનાં નામોમાં પણ વૈાવિધ્યતા છે.

ભંભો ડુંગર, ચોરચીગો, ભમ્મરીયો કૂવો, ભૂતઘડો, વાંદર ઝર અને જેઠાણીવાવ અનેક ઝર, નેશ, ડુંગર, ધાર, ધડા, પાંઉ, ગાળા, ગાળી અને પાણા ધરાવતા બરડા ડુંગરમાં અઢળક જડીબુટ્ટીઓનો પણ ખજાનો.

ગરવા ગઢ ગિરનારનાં જોડીયા ભાઈ જેવા દેવભુમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની હદમાં આવેલા બરડા ડુંગરમાં ફાટફાટ થતાં સૌંદર્યને માણવા અને જાણવા માટે અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે ભાણવડ નજીકનાં આ ડુંગરમાં ખૂણેખૂણો ફેંદીને ઈતિહાસવિદે સ્થળ અને નામોનું વિલેષ્ણ કર્યું હતું.

જેમાં ત્યાંના નામો ચિત્ર - વિચિત્ર છતાં યોગ્ય અને અનુરૃપ હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આ બરડા ડુંગરમાં પ્રાકૃત્તિક વૈવિધ્યની સાથોસાથ જગ્યાના નામોમાં પણ વૈવિધ્યતા જોવા મળી છે. પોરબંદરનાં ઈતિહાસવિદ નરોતમભાઈ પલાણે અનેક પ્રકારની બરડા ડુંગર અને ધૂમલી ડુંગર આજુબાજુની રસપ્રદ માહિતીઓ આપતા જણાવ્યું હતું કે, અઢી હજાર વર્ષનાં અવશેષો ધરાવતી ધૂમલી નગરી સમૃધ્ધ માનવ વસાહત ધરાવતી હતી. છેલ્લા બારસો વર્ષનાં અભિલેખો તેને ભૂતામ્બીલીકા કહે છે. લોકજીભે જળવાયેલું તેનું નામ ધૂમલી છે. ઈસ્વીસન ૧૮૨૨ માં કર્નલ ટાંડ, ૧૮૩૭માં કેપ્ટન જેકોબ તથા ૧૮૭૪માં જેમ્સ બર્જેસ નામના પ્રવાસીએ તેમજ ઈ.સ. ૧૮૮૬ થી ૧૯૦૧ સુધી સતત ૧૫ વર્ષ બરડા ડુંગરમાં રહેનારા પોરબંદરના પ્રખ્યાત વસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજીએ બરડા ડુંગરની જડીબુટી નામનો બહુમૂલ્ય ગ્રંથે ૧૯૧૦ ની સાલમાં બહાર પાડયો હતો.

ઉપરાંત સૌરાષ્ટ્ર રાજયના મહેસૂલ ખાતાએ પણ ૧૯૫૦ પછી ધૂમલી અને બરડા ડુંગર આસપાસ સ્થળ અને નામોના વિચિત્ર પ્રકારો એકઠા કર્યા હતાં.

જેમાં નેશના નામો આંબલીચારો, રાવણો, ધ્રામણી, પાંસવાડી, પાલરો, દાદરો, કાંસવીડી, ખટારીયો, તાડી ઝરેરો, ખાખરાવાળો ધ્રાફડીયો, બેડાવાળો, આંટીવાળો, ઉમરીવાળો, દાંતણીયો, વાઘપાદી, મુંજીઆ વીરડો, જીંજકા વીડી, કપુરડી, છપીયો, વાગડીયો, સાતવીરા, સાજણવાળો, ફોદાળો, ઘસીયારો, ખોડીયાર ગુંદીયાવાડ, અજમાપાઠ, ખાતરો અને ધોળાધુના છે.

બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરનાં નામ બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરના પણ વિવિધ નામો શોધવામાં આવ્યા છે. ડુંગરમાળામાં ભિન્નભિન્ન શિખરોને અહીંના લોકો ડુંગર કહે છે. જેમાં વેણું, બંબુતકીયો, ગુગડીયો, કંટોળીયો, માલેક, ગેબનસર, મુરાદીયો, બાબરીયો, આભપરો, હડીઓ, કાનમેરો, હાંડીફોડ, ભંભો, પાયારો, મુંડીયો, વાંકો, ઘોડાલંકી, કાળો, વિજફાડો, દંતાર, પોલો, સરકારીઓ, ક્રોકચીયો અને ભતવારી જેવા નામો છે.

ધાર ચીંગા અને ઘડાનાં નામ શિખરના ઢોળાવને તેમજ ટેકરીઓની નાની હારને ''ધાર'' કહે છે અને બરડા ડુંગરમાં બગાધાર, રેવતધાર, કાતરધાર, ભુકાધાર, નોળીાધાર, હોડીધાર, ચુડાધાર અને પ રીયાધાર છે.

તો બે શિખરોનો ઢોળાવ જે જગ્યાએ ભેગા થતા હોય તેને ''ચીગો'' કહે છે. આવું સ્થળ યાદ રાખવા માટે પથ્થરોના ઢગલા ચણ્યા હોય તેને ''ચગો'' કહે છે અને બરડા ડુંગરમાં કેરેસરનો ચીગો, મોરચીગો, ચોરચીગો અને ભૂત ચીગો આવેલા છે.

કોઈપણ શિખરના ઢોળાવમાં વચ્ચે આઠ દસ ઝુંપડા બાંધી શકે તેવી કે તેથી વધારે જગ્યા ઉપસી આવી હોય તેને ''ઘડો'' કહે છે અને બરડા ડુંગરમાં વિણોયો, મુંજીયો ઘડો, કુંઢારીયો, સોનઘડો, મગતોઘડો અને ભૂતઘડો આવેલો છે.

ઝર, પાંઉ, તળી, ગાળા અને ગાળીનાં નામ બરડા ડુંગરની પર્વતમાળામાં બે શિખરોનો ખાળ જેવા જે ભાગ નીચે સુધી ચાલ્યો આવતો હોય તો તેને ઝર કહે છે. કયાંક એક જ શિખરમાં પણ વચ્ચેથી ઝર શરૃ થતી હોય છે અને ઝરમાં વહેતા પાણીને ઝરણું કહે છે ત્યારે બ રડા ડુંગરમાં ખોડિયાર ઝર, વાંદરઝર, નારઝર, સિંહઝર, ભમરીઝર, છીપાઝર, દીપડાઝર, જાનુઝર, શેમળાઝર, ફૂલઝર, આંબલીઝર, કંદવારી ઝર, મોરચુંપડાની ઝર, સરમણી બરડામાં લાંપડપાંઉ, ડુંઘીપાંઉ અને ભીમપાંઉ આવેલા છે. પાંઉ પછી શરૃ થતો ભાગ ''તળી'' કહેવાય છે અને બરડામાં ઝીંઝવાતળી, ભીંતળી, રાતડ, લાડુડી અને વેમણ વગેરે તળીઓ આવેલી છે.

સામસામે આવેલા બે શિખરો વચ્ચેના ભાગનો ગાળો કહે છે અને બરડા ડુંગરમાં જાવંત્રી ગાળો અને વેઢીગાળો આવેલા છે અને બે ટેકરા વચ્ચે તથા લાંબે સુધી જતા ભાગને તેમજ જમીનની સપાટીથી નીચે રસ્તાને ગાળી કહે છે. બરડામાં બોરડીની ગાળી, ભીમકોટની ગાળી તથા તોરણીયાની ગાળી આવેલા છે.

જંગલ, જમન, પાણા, સરોવર, વોકળા અને નદીનાં નામ બરડા ડુંગર વિસ્તારમાં અનેક જંગલો આવેલા છે. બીલીવન, ઉમવન, ગોઢાણાનું જંગલ, હડીયાનું જંગલ, નોળીયાધારનું જંગલ અને વેરણ જંગલનો સમાવેશ થાય છે. તો બાસર, ગોરાડ, લાંપડ, ખારચ, ખડો, ફૂલેજ, ચીંચર, બનેજ અને માંધલી જેવી જમીનો આવેલી છે. બરડા ડુંગરમાં પ્રખ્યાત પાણાઓમાં પોલો પાણો, વાંકો પાણો, ભીમ પાણો અને નાગ પાણો આવેલા છે. તો છેલેસર, ભોરાસર, સતસર અને રાણસર જેવા તળાવો ઉપરાંત પ્રાંસીયુ, સદોડી, બાબરીયુ, કંસારીયુ, ખંભાળા, મગતું, કાળુભાર જેવા તળાવો આવેલા છે.

ભૃગુકુંડ, દેવકુંડ, સુરજકંડ, શનિસરનો કંડ, હરબાઈનો કંડ તથા તનારીયો કંડ જેવા કંડ પણ આવેલા છે. પાણીથી ભરેલા અને મોટાભાગે કાદવવાળા ખાડા જેમાં ભેંસ બેસતી હોય તેને 'માદણું'' કહે છે અને બરડા ડુંગરમાં આશીયાપાટનું માદણું, ઉંટઢકું, માદણુ અને ધુનારીયુ માદણું આવેલા છે.

બિલેશ્વરી, કિલેશ્વરી ચામુંદ્રી અને નેતરી નદીઓ આવેલી છે. વોંકળા, વોંકળી, વાવ, કુવા , કુઈ અને ભોંયરાનાં નામો બરડા ડુંગરની પર્વતમાળામાં તોરણીયો, ડોકામરડો, ધ્રબકીયો, સુકાળવો જેવા વોંકળા અને વેણુની વોંકળી, ખારી વોંકળી, ખડી વોંકળી જેવી વોંકળીઓ આવેલી છે.

જેતાવાવ, રાણીવાવ, દેરાણીવાવ, જેઠાણીવાવ, વિંકીયાવાવ, નાગવાવ, હમીરવાવ, ભાણવાવ, બાપુની વાવ, અમરા કાજાની વાવ, સરમણી વાવ, ચણચણી વાવ, દેરવાવ અને તનારી વાવ ઉપરાંત આંબલીયારો કુવો, ખીજડાવાળો કુવો, પાતાળીયો કુવો, ભમ્મરીયો કુવો અને ભૂતકુવો આવેલા છે. જાંબુડી કુઈ, અંધારી કુઈ, ધોળી કુઈ અને ભીમકુઈ ઉપરાંત અવનવા ભોંયરાઓ પણ આવેલા છે.

ઉપરાંત બરડા ડુંગરમાં ભોંયરાઓના નામનાં પણ સૌંદર્ય છે. ભુવનેશ્વરનું ભોંયરૃં, કાળકાનું ભોંયરૃં, જાંબુવતીનું ભોંયરૃં, ભગત ભોંયરૃં, અઘોરીયું ભોંયરૃં, આંબલીયું ભોયરૃં, વાંદરઝરનું ભોંયરૃ અને દોલતગઢનું ભોંયરૃં આવેલા છે. ખંભાળાની કેડી, મગતા કેડી, લંબકેડી, કડાકેડી, જીવીકેડી, ભીલકેડી, સાંઢીયા કેડી અને બોકડ કેડી જેવી કેડીઓ પણ બરડા ડુંગરમાં આવેલી છે. તો કાગવીરડો, શેઠવીરડો અને ધાનવીરડો જેવા વીરડાઓ પણ બરડામાં છે.

Tuesday, July 2, 2024

गंगोत्री यमुनोत्री यात्रा

पब्लिक transport से भी यात्रा सुखद और सुगम होती है। 

आज बात करते हैं,,अपनी दिल्ली से उत्तराखण्ड राज्य में स्थित गंगोत्री एंवम यमुनोत्री धाम की यात्रा में आये खर्चे की। 


अभी 25 जून को अचानक बने प्रोग्राम से मेरा परिवार और भाई  Neeraj Jalan और उनकी मम्मी जी का जाना तय हुआ। 


तो हमने  ISBT कश्मीरी गेट से ऋषिकेश के लिए flix bus की AC bus book की। 

अगर आप flix bus app पर भिन्न भिन्न जगहों के रेट देखते हैं। 

तो Most affodable रेट पर सस्ते टिकट भी मिलतें है


तो हमें रात्रि 10-30 बजे की टिकट मिली 400 रूपये per person

बस ने हमें रायवाला ( घुम्मकडी जिंदाबाद headquarter) से आगे नेपाली फार्म प्रातः 4बजे उतारा। 


वंहा से 50 रूपये ऋषिकेश बस स्टैंड के प्रति सबारी। 

ऋषिकेश से बस से गंगोत्री,,प्रातः 5-30 से जिसने शाम को 5-30 गंगोत्री धाम उतारा। 

ऋषिकेश से गंगोत्री धाम विश्वनाथ बस सेवा का किराया रहा। 

570 रूपये प्रति सबारी। 


दूसरे दिन यानी 27 जून सुबह स्नान, पूजा,दर्शन सूर्य कुंड ,गौरी कुंड आदि देखने के बाद सुबह 9 बजे, गंगोत्री से उत्तरकाशी के लिए बस से प्रस्थान। 

दोपहर दो बजे तक उत्तरकाशी पहुँच गये। 

गंगोत्री से उत्तरकाशी प्रति सबारी किराया रहा 210 रूपये। 


उत्तरकाशी में लंच करके 3 बजे की बस पकडी बरकोट के लिए। 

शाम 6 बजे बरकोट पहुचे। 

उत्तरकाशी से बरकोट किराया रहा 175 रूपये प्रति सबारी। 


बरकोट से जानकीचट्टी के लिए टैक्सी ली। 

किराया रहा 150 प्रति सबारी। 

जानकीचट्टी रात्रि 8 बजे पहुँच गये। 


 अगले दिन यानी 28 जून सुबह 5 बजे यमुनोत्री धाम के लिए 5 किलोमीटर की चढाई शुरू किये। 

8 बजे मंदिर पर पहुचे। 


2 घंटे में गर्म पानी के कुंड में स्नान, पूजा करके, और वही नास्ते में आलू के पंराठे खाकर 10 बजे चलकर 12 बजे जानकीचट्टी बापस आ गयें। 


12-30 बजे जानकीचट्टी से बरकोट की टैक्सी लिए। 

प्रति सबारी किराया वही 150 रूपये। 

जिसने हमें 2-30 बजे बरकोट छोड़ दिया। 


3 बजे आखिरी टैक्सी चलती है देहरादून के लिए। 

तो हमने वह पकड़ ली। 

किराया रहा 300 रूपये प्रति सबारी। 

जिसने हमें रात्रि 8-30 बजे देहरादून छोड़ दिया। 


बरकोट से देहरादून के रास्ते ही हमने flix AC bus से 

मुस्कान होटल देहरादून से ISBT कश्मीरी गेट दिल्ली के लिए 

रात्रि 11-30 की बस बुक की। 

जिसका किराया रहा 300 प्रति सबारी। 


यानि ये हमारी तीन दिवसीय गंगोत्री यमुनोत्री यात्रा रहीं। 

Transport पर आये खर्च की बात करें तो लगभग

2500 प्रति सबारी खर्च आया। 

देहली से देहली। 

वह भी देहली से ऋषिकेश AC बस

देहरादून से दिल्ली AC बस। 

प्लानिंग के साथ आगे बढो तो आप बजट में भी सुखद सुगम यात्रा कर सकते हैं। 


धन्यवाद🙏💕

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...