Tuesday, September 11, 2018

ખાટલા વિશે આટલું જાણો

જો કે આજના મોર્ડન અને બદલાઈ રહેલા યુગમાં ખાટલા જેવી વસ્તુ જાણે કે લુપ્ત થઇ ગઈ છે. આજે તેની જગ્યા સોફાસેટ, બેડશીટ વગેરેએ લઇ લીધી છે. પહેલાના જમાનામાં દરેક કોઈના ઘરમાં ખાટલાઓ હતા અને તેઓ આના પર જ સુતા હતા. આજે ભાગ્યે જ કોઈક ના ઘરમાં ખાટલો જોવા મળશે. પણ તમને જણાવી દઈએ કે ખાટલા પર સુવાના બહુમૂલ્ય ફાયદાઓ છે જેને તમે કદાચ નહીં જાણતા હોવ.


કહેવામાં આવે છે કે પહેલાના દરેક લોકો ચારપાઈ એટલે કે ખાટલા પર જ સુતા હતા અને તેને લીધે તેઓને ખુબ જ સારી ઊંઘ આવતી હતી. જેનાથી તેઓના રક્તચાપનું સંતુલન બની રહે છે જેની સીધી જ અસર તેઓના સારા સ્વાસ્થ્ય પર પડે છે, અને તેઓને સારી ઊંઘ આવતી હતી. માટે તમે પણ આજથી જ ખાટલા પર સુવાની ટેવ પાડી દો.



1. જણાવી દઈએ કે સેટી કે ગાદલા પર સૂવાથી કમરની સમસ્યા રહે છે, એવામાં ખાટલો તમને આરામ આપી શકે છે.

2. આ સિવાય ખાટલા પર સૂવાથી શરીરને સંપૂર્ણ રીતે આરામ મળી શકે છે, જેને લીધે ઊંઘ સારી આવે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

3. ખાટલામાં સૂતી વખતે વચ્ચેનો ભાગ નીચેની તરફ નમેલો રહે છે જેને લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ બની રહે છે. જો કે જમીને તરત જ સૂવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે પણ એવામાં ખાટલામાં સૂવાથી લોહીના યોગ્ય પરિભ્રમણને લીધે પાચનક્રિયા પણ સારી રીતે થઇ શકે છે, સાથે જ પાચનક્રિયા પણ મજબૂત બને છે.

4. આ સિવાય ખાટલા માં ગૂંથેલા દોરડાની વચ્ચે હોલ હોય છે જેનાથી લોહીમાં પરિભ્રમણ સારી રીતે થઇ શકે છે અને તે તમારા શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

5. તમને જો કમરનો દુઃખાવો કે કરોડ રજ્જુ સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો એવામાં ખાટલામાં સૂવાથી તમને અનેક ગણો આરામ મળી રહે છે.

Monday, September 10, 2018

શું તમે મીઠાઈ પર લગાવતી વરખનું આ સત્ય જાણો છો?

આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે, જ્યાં ખાવાની વસ્તુઓ પર ચાંદીની વરખમાં લપેટીને વેચવામાં આવે છે. ખરીદનારા પણ તેને બહુ જ હોંશેહોંશે ખાય છે. ચાંદીની વરખમાં લપેટીને વેચાતી વસ્તુઓ લોકો શાનથી ખાય છે. પરંતુ બધા જ લોકો ચાંદીના વરખની બનવાની રીત જાણતા નથી હોતા. ખાવાની વસ્તુઓ જેમ કે, પાન, મેવો, મીઠાઈઓમાં ચાંદીના વરખનો પ્રયોગ કરવામાં આવે છે. જે ભારતમાં મુઘલ કાળથી શરુવાતમાં આવી હતી.

*કેવી રીતે તૈયાર થાય છે*
પ્રાણીઓના ચામડાની વચ્ચે ચાંદીના ટુકડાને રાખીને હથોડાથી મારી મારીને ચાંદીની વરખ તૈયાર કરવામાં આવે છે. જો હકીકતમાં તેમાં ચાંદીના ટુકડાનો ઉપયોગ કરાયો હોય, તો પણ તેને પ્રાણીના ચામડાની વચ્ચે રાખવામાં આવે છે. જે ગંદુ તેમજ બીમારી ફેલાવનારું હોય છે.

*બિનઆરોગ્યપ્રદ છે ચાંદીનું વરખ*
ચાંદીના વરખનો ઉપયોગ કરવાથી તે ધીરે ધીરે આપણા શરીરમાં ઘર કરી જાય છે. જે ક્યારેય પાછળથી મોટી મુસીબત બની શકે છે. તેનાથી કેન્સર પણ થઈ શકે છે. આ વરખ શરીરને બહુ જ નુકશાન પહોંચાડી શકે છે. તેથી જો તમે માર્કેટમાંથી મીઠાઈ ખરીદતા હોવ તો આવી વરખવાળી મીઠાઈ ખાવાની ટાળજો.

આર્યુવેદ તથા યુનાની ચિકિત્સામાં દવાઓમાં ચાંદીના ઉપયોગનો ઉલ્લેખ આવે છે. અનેક પ્રયોગો કરીને તેને દવામાં મિક્સ કરવામાં આવે છે. પરંતુ આધુનિક સાયન્સ ચાંદી તથા ચાંદીના વરખના લાભને સ્વીકારતું નથી.

બીજી તરફ, ચાંદીના સ્થાને આજે નકલી તથા એલ્યુમિનિયમ બનાવવામાં આવી રહ્યુ છે, જેને ચાંદીની વરખ બતાવીને ભારતમાં વેચવામાં આવે છે.


તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો.

Saturday, September 8, 2018

Connect Android Phone to TV

How to turn on television from mobiles








The right-hand shopping link is given.➹




રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...