Monday, June 22, 2020

કાશ આ સમય ફરીથી પાછો આવી જાય તો...



સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.

અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સિલેટ ચાટવાથી કઈ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...

અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..

અને હા ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.

અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કી ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારે અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે.

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારે ક્યારે અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારે શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણકે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.

અને મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણકે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.

અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.

એ સત્ય છે કે અમો દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાલ્યા હતા અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

કાશ આ સમય ફરીથી પાછો આવી જાય તો કોઈને ડિપ્રેશનમાં માં આત્મહત્યા નહીં કરવી પડે...

Sunday, June 14, 2020

'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ....

💫😊એક આખું ગ્રુપ કોલેજ
છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.🧑🏻👩👱🏻👩🏻‍🦰👨‍🦰👦🏻

બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.

એ લોકો પોતાના ફેવરેટ
પ્રોફેસરના ઘરે ભેગા થયા.👨🏻

પ્રોફેસર સાહેબે એમના
કરીયર વિષે પૂછ્યું

ધીરે ધીરે વાત જીવન માં
વધતા સ્ટ્રેસ અને કામ ના
વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,

ભલે એ હવે આર્થિક રીતે ઘણા
મજબુત હતા પણ હવે
એમના જીવનમાં એ મજા,
સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,

એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા
અને બોલ્યા,,

'ડીયર સ્ટુડન્ટ'
હું તમારા બધા માટે ગરમા ગરમ
'ચા' બનાવીને આવ્યો છું,

પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને
પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો
કપ શોધવા લાગ્યા.☕🍵☕

કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ
ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

બધાના હાથમાં ચા આવી ગઈ
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,

"જો તમે ધ્યાન આપ્યું હોય તો,
જે કપ દેખાવમાં શાનદાર અને
મોઘાં હતા તમે એજ કપ લીધા છે,

સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે

સૌથી શ્રેષ્ઠ
વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,

ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં
સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..

ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ
ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,

એ તો બસ એક સાધન છે
જેના માધ્યમથી તમે ચા પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું

એ માત્ર ચા હતી,
કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને
નિહાળવા લાગ્યા.

હવે એક વાતને ધ્યાનથી સાંભળો,

"આપણું જીવન ચા સમાન છે,
આપણી નોકરી, પૈસા,
પોઝીશન કપ સમાન છે.
એ બસ જીવન જીવવાના સાધનો છે
ખુદ જીવન નહિ... અને
આપણી પાસે કયો કપ છે
એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.

ચા ની ચિંતા કરો, કપ ની નહિ...

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી
જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,
પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ
ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

સાદગી થી જીવો,
સૌને પ્રેમ કરો,
સૌનો ખ્યાલ રાખો,
જીવન નો આનંદ લો.
એકબીજા સાથે
જોડાયેલા રહો.
આ જ સાચું જીવન છે.

'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ....

બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ..😎👍

'હસતા' શીખો યાર.. 😊😊
'રડતા' તો 'સમય' શીખડાવી દેશે..

Thursday, June 11, 2020

ઔષધીય જ્ઞાન :- સરગવો

શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો.

ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.

સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે.

એક તો એની શિંગ,

અને

બીજાં એનાં પાંદડાં.

ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે,

સરગવાની બાફેલી શિંગો ખાધી છે,

સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે

પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી.

સરગવાનાં પાન પોષણનો ભંડાર છે.

જે લોકો એના પોષણનું મહત્વ સમજે છે તેઓ આ પાનનો મૂઠિયાં-થેપલામાં નાખીને ઉપયોગ કરે છે.

ઘણાં આયુર્વેદિક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણાં લોકો જ્યુસ ના રૂપમાં પણ એને પીએ છે.

સરગવાનાં પાન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે.

સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.

૧૦૦ મિલીલિટર દૂધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે.

ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે.

આ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે.

ગાજર કરતાં વધુ વિટામિન-એ, પેરુ જેટલું વિટામિન-સી, કેળા કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે.

વળી આ બધાં જ પોષકતત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે.

મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પૂરી માત્રામાં મળશે જ એની ગેરન્ટી હોય છે.

બીજા શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે.

સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં એનું પ્રમાણ ઘટી જાય છે.

આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજી શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.

સરગવાની શિંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાની શિંગ અને દૂધીનો જ્યુસ.

આમાં સરગવાની શિંગને બાફીને દૂધીની સાથે ક્રશ કરીને જ્યુસ બનાવવામાં આવે છે.

શિંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબિત થાય છે.

*સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઇએ?*

નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ.

સરગવાનાં પાન ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી.

જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે.

જો વાનગી ન બનાવો તો સરળ જયુસ બનાવી નાખો.

દરરોજ ૧૫ મિલીલિટર જેટલો સરગવાનાં પાનનો જ્યુસ ખૂબ જ ગુણકારી રહેશે.

*ફાયદા શું છે?*

સરગવાની શીંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે? આવો જાણીએ

• સરગવાનાં પાન અને સરગવાની શીંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.

• જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.

• સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.

• સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.

• *ડાયાબિટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.*

• સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.

• જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

• સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.

• *સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે,*

કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

• સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.

સંપૂર્ણ ઓર્ગેનિક સરગવા નો પાવડર ઉપલબ્ધ છે.
ઓમ આયુર્વેદિક સારવાર કેન્દ્ર :- બોટાદ
ચેતન ઠાકોર :- 9265404987

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

Tuesday, June 9, 2020

Life Story On Nana Patekar

“મને ‘ભૂખ અને અપમાન’ની યુનિવર્સીટીમાંથી શિક્ષણ મળ્યું છે”


*લેખક : પાર્થ દવે*


મહાસાગર નામના નાટકના ત્રણ શો હતા. વિક્રમ ગોખલે, મોહન ભંડારી અને ત્રીજી એક વ્યક્તિ: એ ત્રણે અભિનેતા હતા. એ ત્રીજી વ્યક્તિના પિતા શો દરમ્યાન મૃત્યુ પામ્યા. બાકીના શો કેન્સલ કરવાનું બધાએ કહ્યું, પેલાએ ના પાડી. બીજો શો ચાલુ થયો. એમાં એક દ્રશ્ય આવે છે; જેમાં વિક્રમ પેલી વ્યક્તિને પૂછે છે: ‘તારા પિતાજી ક્યાં છે?’ અને પેલાએ સામે કહેવાનું છે કે, ‘હશે ક્યાંક, બે મહિના પહેલા આવ્યા હતા.’ પણ વિક્રમ ગોખલે એ ડાયલોગ બોલી જ નહોતો શકતો. જીભ ઉપડતી જ નહોતી.



કારણ કે, એ અને બધા જાણતા હતા કે ખરેખર એના પિતાનો મૃતદેહ અંતિમસંસ્કારની રાહ જુએ છે.. નાટક ચાલુ હતું, દર્શકો જોઈ રહ્યા હતા, એટલે પેલી વ્યક્તિએ સામેથી યાદ દેવડાવ્યું-કહ્યું કે, ‘બોલ.. તું શું કેહવા માંગે છે?!’… અને એ શો પૂરો થયો. બીજા અને ત્રીજા શોની વચ્ચેના સમયમાં પિતાજીના અંતિમસંસ્કાર થયા. શો જરૂરી હતો. કેમ કે, શોમાંથી મળતા પૈસા જરૂરી હતા! પિતાનું મૃત્યુ પણ સરકારી હોસ્પીટલમાં, તેમની સારવાર કરાવવા જેટલા પૈસા ન હોવાથી થયું હતું.. આવા અંગત દુઃખોના બચાવેલા આંસુને કેમેરા સામે રોઇને વેંચી નાખનાર એ અભિનેતાનું નામ છે: નાના પાટેકર!

નાના પાટેકર એના ફિલ્મી પાત્રોની જેમ રીઅલમાં પણ સનકી, મૂડી, ગરમ મિજાજી લાગે. દોસ્તો ઓછા. અભિનેતા કરતા રસોઈયા વધારે સારા! જે સાચું છે એ કહી દેવાની ખુમારી અને જુઠું કોઈનું સાંભળી ન શકે. બાળપણ દરિયાકિનારે વીત્યું, એટલે સ્વભાવ સમન્દર જેવો! થોડા દિવસો પહેલા જ તેઓ ચુપચાપ, મીડિયાને જાણ કર્યા વગર ખેડૂતોની બેકાર હાલત ધરાવતા મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા. ખેડૂતોની કંગાળ અને દયનીય હાલત જોઇને હ્રદય હચમચી ઉઠ્યું. નાનાએ તરત જ જરૂરિયાતમંદ ખેડૂતોને રૂ. ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ સુધીનું પેકેજ આપ્યું. અત્યાર સુધી રૂપિયા ૬૦ લાખ વહેંચી ચુક્યા છે. આ વાત જૂની નથી, ઓગસ્ટ ૨૦૧૫ની છે. કોઈ પણ હોહા કર્યા વિના કે ગામમાં ઢંઢેરો પીટ્યા વગર ગરીબોની સહાય કરવામાં મચી પડ્યા. થોડા સમય પછી એક ન્યુઝપેપરમાં એ વિષે ન્યુઝ છપાયા બાદ દરેકને જાણ થઇ. અક્ષય કુમાર પણ નાનાસાથે જોડાયો છે.ભારતના ખેડૂતોની દયનીય હાલત, તેમની મજબૂરી, આત્મહત્યા કરનારની સંખ્યા- આ વાતો આઝાદીના છ દાયકા પછી પણ આપણે સાંભળીએ છીએ, એ શરમની વાત છે. એ વિષે અલગ લેખ થઇ શકે. આજે વાત આ દરિયાદિલ નાના પાટેકરના સફરની કરવી છે. શા માટે તેમને ઈચ્છા થઇ ગરીબોની મદદ કરવાની? એમનો સ્વભાવ આટલો ગુસ્સાવાળો, ‘મુંહફટ’ કહી શકાય એવો કેમ છે? શા માટે તેઓ અન્ય અભિનેતાઓથી અલગ તરી આવે છે? એની પાછળ એમનું બચપણ, એમણે ખાધેલી ઠોકરો, રોટલીના ટુકડામાટેનો વલવલાટ- એમનો સંઘર્ષ છુપાયેલો છે..

નાનાને સમંદર ગમે. તેઓ કવિતા-શાયરી, લેખો લખે. લખવામાં પણ બોલવા જેવા જ. જેવું મોઢું ચાલે, એવા જ હાથ! તેમણે વર્ષેક પહેલા સોસીયલ મીડિયા પર મરાઠીમાં એક લેખ લખેલો. મુંબઈગર દોસ્ત હિતેશ જોશીએ એનો અનુવાદ કરી શેર કરેલો. મારી નજર પડી, ભીતર અડકી ગયો. ફરી ફરી મરાઠીમાં વાંચ્યો, ગુજરાતીમાં જોયો અને થોડા ફેરફાર સાથે તૈયાર કર્યો.. તો અહીં પેશકશ છે નાનાની જુબાની, એમની કહાની..


ઓવર ટુ નાના: ‘ઉમ્રના તેરમા વર્ષે, ૧૯૬૩માં નૌકરી ઉપર લાગ્યો. બપોરે સ્કુલ પતે એટલે ઘરે હોય (ક્યારેક ન હોય) તે ખાઈ, બે વાગતા સુધીમાં આઠ કીલોમીટર ચાલતા જવા નીકળી પડવાનું.. રાત્રે નવ-સાડા નવે ફરી ત્યાંથી આઠ કીલોમીટર ચાલતા આવવા નીકળવાનું..

ઘરે પહોંચતા પહોંચતા સાડા અગ્યાર, ક્યારેક ક્યારેક બાર પણ વાગતા. ફરી સવારે પોણા છએ ઊઠીને સ્કુલે જવાનુ. નૌકરીમાં મહીનાના રૂપિયા પાંત્રીસ અને સાંજનું એક ટાણાનું ભાણું મળતું. જતી વખતે અને આવતી વખતે એમ બે વાર રસ્તામાં સ્મશાન આવતું, ક્યારેય કોઈ ભૂત દેખાણો નહીં.. પેટમાંની ભૂખનો ભૂત, દુનીયાના બધા ભૂતોથી ભયાનક હોય છે. કોઈ પણ નિશાળ ન શીખવી શકે એવી વસ્તુઓ, સંજોગ અને અનુભવ શીખવી દે છે…



આવનારી ક્ષણ કેટલી પણ દુઃખદાયક હોય, સામે જઈને એને ભેટવાનુ હતુ. મારે મરવાનુ નહોતું..! બીજો કોઈ પર્યાય જ નહોતો ને! રાતે કામ ઉપર જમતી વખતે, પાછળ ઘરે રહેલા ભાઈ અને મા-બાપની યાદ આવતી. ‘એમણે કાંઈ ખાધુ હશે કે ?’ એવો વ્યર્થ વિચાર મનમાં આવતો અને પેટની ભૂખની આગમાં જ ન જાણે ક્યાં ભસ્મ થઈ જતો.. અડધી રાત્રે પાછા ફરતી વખતે રસ્તો એકદમ ખાલી, સુમસામ-ભયાનક લાગતો. એ વખતનું મુંબઈ, જુદું મુંબઈ હતુ. અનેક વાર દારૂડિયાઓ પજવવા નજીક આવતા, જેમ-તેમ એમની નજર ચૂકવી આગળ નીકળી જતો; પાછળ વળીને જોતો, એ હજુય ગાળો આપતા હોય.. હું પણ અંતર રાખી એમને માં-બેનની વળતી ગાળો આપતો; રસ્તા ઉપરના પથ્થરો તો હતા જ મદદે. પરિણામની ચિંતા નહોતી.. કાલનો વિચાર નહોતો.. બસ આવેલી ક્ષણને સાચવી લેવાની હતી. જેમ જામે તેમ, ગમ્મે તેમ..!

ક્યારેક કોઈ પાછળ આવે તો વખત જોઈ ભાગી પણ જવું પડતું અને પછી મનથી ગાળો દેવાની. એહસાસ જ ન થાય એ રીતે મૌતનો ડર ગાયબ થઇ રહ્યો હતો… આંખો સામેના અનુભવો તેરમા વર્ષે ત્રીસમાં વર્ષની સમજ સીંચતા જતા હતા. રસ્તામાં ઘણી વાર પાછા ફરતી વખતે ફુટપાથ ઉપર ચાલતો શૃંગાર જોવા મળતો. એક જ સાથે ધ્રુણા અને કિશોરવય સહજ સંવેદનો અનુભવતો. નજર છોકરીઓના ચેહરાથી એમની છાતી તરફ સરકવા લાગી હતી. પણ કોણ જાણે કેમ પેટની ભૂખ એથી નીચે ઉતરી નહીં ક્યારેય..!

ઉનાળાની ગર્મીલી બપોરોમાં ચાલતા કામ ઉપર જતી વખતે, રસ્તામાં આવતી ઉડુપી રેસ્ટોરન્ટમાંથી આવતી સુગંધોને લીધે અજાણતા જ ચાલ ધીમી પડી જતી. એકવાર ત્યાં થાક ખાવા રોકાયો, પેલા એ અંદરથી બે ઈડલી લાવી હાથ ઉપર મૂકી અને હું ગુસ્સામાં ચીખ્યો: ‘હું કાંઈ ભિખારી નથી!’ ત્યાંથી નીકળ્યો તો આંખમાંના આંસુને લીધે આખો રસ્તો ધૂંધળો લાગ્યો. રાત્રે ઊંઘમાં હું રડતો હતો એવું સવારે માંએ કીધું. એમના ખુબ પૂછવા બાદ મેં જે સાચું હતું એ કહી દીધું અને સ્કુલે ગયો. બપોરે ઘરે પાછો આવ્યો ત્યારે બારીમાંથી જોયું તો માં-બાપ રડતા હતા. હું બહાર થોડા આંટા મારી પછી જ ઘરે ગયો. ત્યાં સુધી વરસાદ પસરી ચુક્યો હતો.. છોકરાઓ માટે કાંઈ કરી નથી શક્તા એવું વિચારી વિચારી માં-બાપ કોચવાતા હતા. કાંઈ કહેતા નહોતા પણ હું જાણું કે અંદરથી તૂટતા હતા… માં હજુ થોડી ધૈર્યવાન હતી પણ મને પપ્પા માટે બહુ ખરાબ લાગતું, એમની ચિંતા થતી. તેઓ બહુ સરળ હતા. કોઈ વ્યસન નહીં, માસાહાર પણ નહી. એ કમી આગળ જતા જો કે મેં પૂરી કરી..
પપ્પાનો વ્યવસાય જ્યારે સારો ચાલતો ત્યારે અમારા ખુબ સગા-સંબંધીઓ હતા. ખૈર, રજાના દિવસે તો સાંજનુ જમવાનુ ઘરવાળા જોડે કરવાનુ. બે રોટલી, દાળ અને લીલું મરચું, અને પછી બહુ બધું પાણી; પેટ ભરી નાંખવાનુ.. આજની તારીખે પણ તીખું ખાવાની આદત હજુ છૂટી નથી..

રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાના કોઈ પણ ફૂલમાં નથી..!

તેહવારોમાં આજુબાજુના ઘરોમાંથી મીઠાઈઓની સુંગધ આવતી. ખાવાનું મન થતું. આજે મીઠાઈઓથી નફરત છે. કોઈ મીઠો માણસ પણ મળે કે એની ઉપર પણ એમ જ સંશય આવે! એકદમ જમવાના સમયે જ ‘કેમ છે..?’ એવી મતલબી ચોકસાઈ કરવા હું કેટલીય વાર કેટલાય દોસ્તોના ઘરે ગયો છુ.!

મારી સૌથી બેસ્ટ દોસ્ત: ભુખ.! શું નથી આપ્યું એણે..? એ ઉમ્રનો અપ્રતિમ પ્રવાસ, કદમ કદમ ઉપર કેટલુ શીખવ્યું છે એણે.! બધી જ શિક્ષાનો રસ્તો પેટમાંથી જ છે.. મારી કિશોર અવસ્થામાં મારી સાથે હમેંશા રેહનારી મારી બેહનપણી. મારી ખાત્રી છે, જેમને પણ અજાણતા જ એની(ભૂખની) મીત્રતાનો લાભ મળ્યો છે તે મંડળી આગળના વર્ષોમાં સુખથી રહેશે હમેંશા…

હું ખાઉં છું, એ કલ્પના જ સુખદ હતી એ દિવસોમાં. અને અભિનયમાંથી પણ છેલ્લે શું સરે છે? કલ્પના જ તો..!

ઘણીવાર મોડો પડતો અને ગુરુજી હમેંશા અંગુઠા પકાડાવતા કે મુર્ગો બનાવતા. આજે આટલા વર્ષે પણ પીઠની તકલીફ નથી એ ગુરુજીના આભારે, જેમણે મને પગના અંગુઠા પકડાવ્યા. મારી ભૂખે મને ક્યારેય લાડનો મૌકો નથી આપ્યો. જે પણ સામે હોય એ ખાવાનું, કોઈ નખરા નહીં…



ભૂખ સિવાય હજુ એક દોસ્ત હતો, અપમાન. એકવાર એ આવે અને પચાવતા આવડે કે એક પ્રકારની વરિષ્ઠતા અને સંતોષ આવી જાય ચહેરા પર.. ઉઠીને લડતા કે ન લડીને સમાધાન કરતા આવડી જાય.. મને ‘ભૂખ અને અપમાન’ની યુનિવર્સીટીમાંથી શિક્ષણ મળ્યું છે.. દુનિયાની કોઈ પણ સમસ્યા હવે મને હડબડાવી શકવાની નહોતી.. ગમે એટલી ઉંચાઈએથી મને ફેંકો, હું બિલાડીની જેમ ચાર પગે પોતાનું સંતુલન જાળવી લઈશ, એ ખાત્રી હતી.. અને છે..!

આજે અહીં એકલો બેઠો બેઠો હું મારા ગુરુ તરફ જોઈ રહ્યો છું. મારી મદદે મારે રસ્તે હવે એ આવતા નથી. જાણે ઓળખતા જ ન હોય એમ ચાલી જાય છે. પણ હું હજુ એમને ભુલ્યો નથી.. ભૂલી શક્યો નથી..!’

***
અસલમાં એ જ તો રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.

-‘લક્ષ્ય’ ઠક્કર

*લેખક : પાર્થ દવે*

શિયાળાનુ છાણુ અને જુવાનીનું નાણું

જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*

પ્રજામાંથી રાજાની નિમણૂક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા! પાંચ વર્ષ સુધી એ રાજા હતો! અપાર જાહોજલાલી અને એશો આરામની જિંદગી. પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે પણ નવો રાજા એને ન સાંભળે.

એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’ સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારેબાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!

નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલા રાજા છો કે આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો! તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’ રાજા કહે, ‘તારી વાત સાચી છે! તેં મને સાચો ઓળખ્યો! ચાલ, તને પૂરી વાત કહું’:

જે દિવસે હું રાજા બન્યો ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો. ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા. જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!

દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ માહોલતા રહ્યા! પણ હું જાણતો હતો કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો 5-15 વર્ષ કરક્સર થી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ ન આવે.

દોસ્તો પ્લાનિંગ માટે આવક માંથી સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ નું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરાય.

તમને મળેલા કમાણી ના (પાંચ) વરસો માં આખી જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.

એટલે જ આપણે ત્યાં કહેવત છે...

નાનપણમાં દળેલું,
જવાનીમાં રળેલું
ઘડપણ મા કામ લાગે...
ત્રેવડ ત્રીજો ભાઈ છે.
😷 હું અને મારા વિચારો

Monday, June 8, 2020

9 જૂન વિર સેનાની લક્ષ્મણ પ્રસાદ દુબે જન્મ જયંતિ

वीर सेनानी लक्ष्मण प्रसाद दुबे

जन्म 9 जून 1909 दुर्ग ज़िला, छत्तीसगढ़

मृत्यु 23 जुलाई 1993

लक्ष्मण प्रसाद दुबे भारत के स्वतंत्रता सेनानियों में से एक थे। शिक्षकीय कर्तव्य को अपनी साधना मानने वाले लक्ष्मण प्रसाद दुबे का संपूर्ण जीवन एक शिक्षक के रूप में बीता था, जिस कारण उन्हें 'गुरूजी' के रूप में जाना जाता रहा। उन्होंनें अपने जीवन में कई लोगों को शिक्षित कर उनके मन में देशभक्ति की भावना को जागृत किया। वहीं कई लोगों को शिक्षक बनने हेतु प्रेरित भी किया। लक्ष्मण प्रसाद जी देश में नारी स्वतंत्रता एवं नारी शिक्षा के प्रबल पक्षधर थे।

जन्म तथा शिक्षा

लक्ष्मण प्रसाद दुबे का जन्म छत्तीसगढ़ स्थित दुर्ग ज़िले के दाढी गांव में 9 जून, 1909 को हुआ था। वे गांव में प्राथमिक शिक्षा ग्रहण करने के बाद बेमेतरा से उच्‍चतर माध्यमिक व शिक्षक प्रशिक्षण प्राप्त कर शिक्षकीय कार्य में जुट गये। उनकी पहली नियमित पद स्थापना सन 1929 में भिलाई के माध्यमिक स्कूल में हुई थी। उस समय दुर्ग में स्वतंत्रता आंदोलन का ओज फैला हुआ था। ज्योतिष के विद्वान लक्ष्मण प्रसाद दुबे ने यूनानी चिकित्सा व वैद विशारद की परिक्षा भी पास की थी एवं शिक्षा के साथ चिकित्सा कार्य भी किया।

क्रांतिकारी शुरुआत

भिलाई में शिक्षक के रूप में कार्य करते हुए लक्ष्मण प्रसाद दुबे का संपर्क ज़िले के वरिष्ठ सत्याग्रही नरसिंह प्रसाद अग्रवाल से हुआ। उस समय किशोर व युवजन के अग्रवाल जी आदर्श थे। उनके मार्गदर्शन व आदेश से लक्ष्मण प्रसाद जी भिलाई में अपने साथियों एवं छात्रों के साथ मिलकर 'मद्य निषेध आंदोलन' व 'विदेशी वस्त्र आंदोलन' को हवा देने लगे। उसी समय उन्होंने भिलाई में विदेशी वस्तुओं के साथ जार्ज पंचम का चित्र भी जलाया। बढ़ते आंदोलन की भनक से अक्टूबर, 1929 में भिलाई का मिडिल स्कूल बंद कर दिया गया और इनका स्थानांतरण बालोद मिडिल स्कूंल में कर दिया गया। लक्ष्मण प्रसाद दुबे को अपने नेता के साथ रहने का सौभाग्य प्राप्त हो गया, क्‍योंकि अग्रवाल जी बालोद के मूल निवासी थे।

जंगल सत्याग्रह का नेतृत्त्व

बालोद के ग्राम पोडी में हुए जंगल सत्याग्रह की पूरी रूपरेखा एवं दस्तावेजी कार्य नरसिंह प्रसाद अग्रवाल जी ने इन्हें सौंप दिया था। इन दस्ता‍वेजों को दुर्ग पुलिस एवं गुप्तचरों से बचाते हुए जंगल सत्याग्रही व अन्य क्रियाकलापों का विवरण वे एक रजिस्टर में दर्ज करते रहे। अग्रवाल जी के जेल जाने के बाद भी इनके द्वारा जंगल सत्याग्रह को नेतृत्व प्रदान करते हुए कायम रखा गया। वे बतलाते थे कि उस समय सत्याग्रह रैली व सभाओं में 8-10 महिलायें भी आती थीं, जो चरखा लेकर आंदोलन का प्रतिनिधित्व करती थीं।

सत्याग्रही क्रियाकलाप

उन्हीं दिनों सन 1930 में बालोद के सर्किल ऑफीसर नायडू से से लक्ष्मण प्रसाद दुबे जी की बहस हो गई। तब अग्रवाल परिवार की मध्यस्थता से इनका स्थानांतरण धमधा कर दिया गया। अब इनकी दौड़ बालोद-दुर्ग, धमधा दाढी तक होती रही। वे विश्वनाथ तामस्कर, रघुनंदन प्रसाद सिंगरौल, लक्ष्मण प्रसाद बैद के साथ सत्याग्रह आंदोलन के क्रियाकलापों से जुड़े रहे। नरसिंह प्रसाद अग्रवाल के इस क्षेत्र में दौरे का प्रभार लक्ष्मण प्रसाद दुबे जी के पास ही होता था। सन 1932 में अग्रवाल जी के दाढी के दौरे में वे रास्ते भर सक्रिय रहे। नरसिंह प्रसाद अग्रवाल युवा सत्याग्रहियों को हमेशा समझाया करते थे कि जोश के साथ होश मत खोना, क्योंकि जोश के कारण सभी बड़े नेता सरकार की हिट लिस्ट में आ गये थे, जिस कारण उनकी गिरफ़्तारी होती रहती थी।

स्वतंत्रता आंदोलन को जीवंत रखने के लिए द्वितीय पंक्ति के सत्याग्रहियों को अपना दायित्व निभाना था, अत: लक्ष्मण प्रसाद दुबे अपने गांधीवादी नरम रवैये से शिक्षकीय कार्य करते रहे। 1942 में लक्ष्मण प्रसाद दुबे का स्थानांतरण डौंडी लोहारा कर दिया गया। जंगल सत्याग्रह की रणनीति में माहिर लक्ष्मण प्रसाद दुबे जी के लिए यह स्थान बालोद जैसा ही रहा, क्योंकि यह स्थान जंगलों के बीच है, अत: वे वहां अपने मूल कार्य के साथ पैदल गांव-गांव का दौरा कर सत्याग्रह का पाठ पढ़ाते रहे। इस बीच उनको मार्गदर्शन नरसिंह प्रसाद अग्रवाल से मिलता रहा।

खानाबदोश जीवन

1942 में ही जमुना प्रसाद अग्रवाल अपने बडे भाई नरसिंह प्रसाद का संदेश लेकर लक्ष्मण प्रसाद दुबे जी के पास आये और उन्हें सचेत किया कि आपकी भी गिरफ़्तारी हो सकती है। यहां से वापस लौटते ही जमुना प्रसाद अग्रवाल को बालोद में गिरफ़्तार कर लिया गया और उसी रात लक्ष्मण प्रसाद दुबे को भी गिरफ़्तार करने का आदेश डौंडी में जारी कर दिया गया, जिसे लाल ख़ान सिपाही ने तामील करने के पहले ही लीक कर दिया और लक्ष्मण प्रसाद दुबे जी स्कूल का त्यागपत्र मित्रों के हाथ सौंपकर फरार हो गये एवं बालोद आ गये। जहां से वे भूमिगत हो गए। रायपुर के प्रमुख सक्रिय स्वतंत्रता संग्राम सेनानी मोतीलाल जी त्रिपाठी से पारिवारिक संबंधों का लाभ इन्हें मिलता रहा और लक्ष्मंण प्रसाद दुबे घुर जंगल क्षेत्र में स्वतंत्रता आंदोलन की लौ जलाते रहे। 1942 से 1947 तक ये खानाबदोश जीवन व्यतीत करते रहे। दुर्ग ज़िले के ग्रामीण क्षेत्रों में पैदल घूम-घूम कर सत्या‍ग्रह-शिक्षा का अलख जगाने के कारण ये गिरफ़्तारी से बचे रहे।

मृत्यु

लक्ष्मण प्रसाद दुबे शिक्षक जीवन से अवकाश प्राप्त करने के बाद सक्रिय राजनीति में जनपद पंचायत बेमेतरा के सदस्य रहे। उन्होंने दुर्ग ज़िला कांग्रेस की सदस्यता 1930 में ग्रहण की थी। 1942 से 1947 तक ज़िला कांग्रेस के कार्यकारिणी सदस्य के रूप में उन्होंनें कार्य किया। मृत्यु 23 जुलाई 1993 तक वे ज़िला कांग्रेस के सक्रिय सदस्य रहे थे।

शत शत नमन वंदे मातरम् जय हिंद

વપરાશની વાસ્તવિકતા



વપરાશની વાસ્તવિકતાની બીજી બાજુ બતાવતાં પાંચ પ્રસંગો નિરાંતે વાંચો..

👇🏽

માથામાં સખત દુ:ખાવો હતો, તેથી હું મારા પરિચિત કેમિસ્ટની દુકાને માથાના દુ:ખાવાની ટીકડી લેવા ગયો.

દુકાનમાં એક નોકર હતો, તેણે મને ટીકડીની એક સ્ટ્રિપ આપી, પછી મેં તેને પૂછ્યું કે, સિંહા સાહેબ (માલિક) ક્યાં ગયા છે? તેણે કહ્યું કે, આજે સવારથી સાહેબને માથું દુ:ખતું હતું, તેથી તે સામેની દુકાનમાં કોફી પીવા ગયા છે!

હું મારા હાથમાં તે દવાના પતાકડું જોતો હતો!

👇🏽

માતાનું બ્લડ પ્રેશર અને સુગર વધી ગઈ હતી, તેથી વહેલી સવારે માતાને તેના જાણીતા વૃદ્ધ મહિલા ડૉક્ટર પાસે લઈ ગયો.

ક્લિનિકની બહારના બગીચામાં નજર કરી તો ત્યાં એ મહિલા ડૉકટર યોગ અને કસરત કરી રહ્યા હતા! મારે લગભગ 45 મિનિટ રાહ જોવી પડી!

એ પછી, ડૉકટર તેના લીંબુનું શરબત લઈને ક્લિનિકમાં આવ્યા અને તેની માતાની તપાસ શરૂ કરી. તેણે મારી માતાને કહ્યું કે, હવે તમારી દવાઓ વધારવી પડશે. પ્રિસ્ક્રિપ્શનમાં 5 કે 6 દવાઓના લખીને, નિયમિત દવાઓ ખાવાની સૂચના આપી. પછી મેં તેને જિજ્ઞાસાથી પૂછ્યું કે, જો તમે કેટલાં સમયથી યોગ કરો છો? તો તેણે કહ્યું કે, મને બ્લડ પ્રેશર અને અન્ય ઘણી તકલીફો હોવાથી તે છેલ્લાં 15 વર્ષથી યોગ કરી છે!

હું મારા હાથમાં રહેલું માતાનું પ્રિસ્ક્રિપ્શન જોઈ રહ્યો હતો, જેમાં તેણે બીપી અને સુગર ઘટાડવા માટે ઘણી દવાઓ લખી હતી!

👇🏽

પત્ની સાથે બ્યુટી પાર્લર ગયો હતો. મારી પત્નીને વાળની ​​ટ્રિટમેન્ટ કરાવવી હતી કારણ કે, તેના વાળ ખૂબ જ બરછટ થઈ ગયાં હતાં.

રિસેપ્શનમાં બેઠેલી યુવતીએ તેને ઘણા પેકેજ અને તેના ફાયદા જણાવ્યા. આ પેકેજો 1200 થી 3000 સુધીના હતા અને થોડી છૂટ બાદ તેણે મારી પત્નીને રૂ .3000 નું પેકેજ 2400 રૂપિયામાં આપ્યું.

વાળની ​​ટ્રિટમેન્ટ સમયે, તેની સારવાર કરતી યુવતીના વાળમાંથી એક અજીબ સુગંધ આવી રહી હતી! મેં તેને પૂછ્યું કે, "તમારા વાળમાંથી આ કઈ વિશિષ્ટ સુગંધ આવે છે! તો તેણે કહ્યું કે. તેણે પોતાના માથાના તેલમાં મેથી અને કપૂર ભેળવી લીધા છે, તેનાથી વાળ નરમ થાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે!

હું મારી પત્નીને જોઈ રહ્યો હતો, જે 2400 રૂપિયામાં વાળ સારા બનાવવા માટે આવી હતી!

👇🏽

મારો શ્રીમંત પિતરાઇ ભાઈ કે જે મોટા ડેરી ફાર્મ ધરાવે છે તે તેના ફાર્મમાં ગયો. વાડીમાં 150 જેટલી વિદેશી ગાયો હતી, જેનું દૂધ મશીન દ્વારા દોહીને પેકિંગ પ્રોસેસ કરવામાં આવી રહી હતી.

ફાર્મ એક અલગ ખૂણામાં 2 દેશી ગાયો લીલો ચારો ચરી રહી હતી! તે જોઈને મેં પૂછયું ત્યારે તેઓએ કહ્યું કે, જે વિદેશી જર્સી ગાયનું દૂધ તેમના ડેરી ફાર્મમાંથી ગ્રાહકોને પુરું પાડવામાં આવે છે તે દૂધ તેમના ઘરે વાપરતા નથી, પરંતુ પરિવારના ઉપયોગ માટે આ બંને દેશી ગાયનું દૂધ, દહીં અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે!

હું તે લોકો વિશે વિચારતો હતો જે બ્રાન્ડેડ દૂધને શ્રેષ્ઠ માને છે.

 👇🏽

વિશિષ્ટ થાળી અને શુદ્ધ ખોરાક પ્રખ્યાત એવા એક રેસ્ટોરન્ટમાં અમે જમવા ગયાં...

વિદાય આપતી વખતે મેનેજરે ખૂબ નમ્રતાથી પૂછ્યું, "સાહેબ, ભોજનનો સ્વાદ કેવો હતો? અમે શુદ્ધ ઘી, મગફળીનું તેલ અને ઓર્ગેનિક મસાલાનો ઉપયોગ કરીએ છીએ. અમે ઘર જેવું જ જમવાનો પ્રયત્ન કરીએ છીએ."

મે ભોજનની ખૂબ પ્રશંસા કરી તો તે મને પોતનું વિઝિંગ કાર્ડ આપવા માટે તેની કેબીનમાં લઈ ગયો. બહાર કાઉન્ટર પર સ્ટીલના ત્રણ ડબ્બા વાળું ટિફિન મૂકીને, એક વેઈટરે બીજાને કહ્યું, "સુનિલ સરનું ટિફિન અત્યારે તેમની કેબીનની અંદર મૂકો, પછી એ જમશે." મેં એ ટિફિન લઈ જતા વેઈટરને પૂછ્યું, "સુનીલ સર અહીં જમતા નથી?!" તેમણે જવાબ આપ્યો- "સુનીલ સાહેબ ક્યારેય બહારનું ખાતા નથી, હંમેશા ઘરનું જ ખાય છે!"

હું મારા હાથમાં 1670 રૂપિયાનું બિલ જોતો હતો!

મોટેભાગે જે ચીજો આપણા માટે વેચાય છે તેનો ઉપયોગ વેચાણકર્તાઓ જાતે કરતા નથી!

🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽

Sunday, June 7, 2020

કચ્છ માં જોવાલાયક સ્થળો

દાદા મેકરણ મંદીર – ધ્રંગ

વિક્રમ સંવંત – ૧૭૨૦ માં સંત મેકરણ દાદા નો જન્મ થયો હતો. તેમણે લગભગ આખી જિંદગી કચ્છના રણમાં પાર કરી, આ માનવતાવાદી સેવાઓ કરી. અંતીમ જીવનમાં વિક્રમ સંવંત ૧૭૮૬મા તેમણે પોતાની જાતને ધ્રંગ ખાતે સથીર કરી

તેમણે પોતાનું આખું જીવન કચ્છના રણમાં ગાળ્યું, રણમાં ભુલા પડેલ લોકોને તેમણ ખોરાક, પાણી અને આશ્રયની સેવા આપી જાન બચાવ્યા હતા. તેમના બે જોડીદારો “લાલિયો”, ગધેડો અને “મોતીયો”, કૂતરો હરરમેશ તેમની સાથે જ રહેતા હતા. પાણી અને ખોરાક “લાલીયો” ગધેડો પર લાદવા માટે અને “મોતીયો” કુતરાને રણમાં માર્ગ ભુલી ભટેકલ મુસાફરોને શોધવા માટેની તાલીમ આપી હતી.આમ તેઓ ભૂખ્યા, તરસ્યા અને માર્ગ ભુલેલ મુસાફરો અને કચ્છના રણમાંથી પસાર થતા મુસાફરોને પાણી, ખોરાક અને દિશા પ્રદાન કરતા હતા. તેઓ એક સારા કવિ હતા અને હિન્દુ ફિલસૂફીના આધારે અનેક સ્તોત્રોની રચ્યા કરી હતી. અહીર સમુદાય દ્વારા લક્ષ્મણના પુનઃ અવતાર તરીકે તેમની પૂજા કરવામાં આવે છે.

 

ભદ્રેશ્વર (વસહી) જૈન મંદિર

૪૪૯ બી.સી.માં રાજા સિધસેન દ્વારા ભદ્રવતી પર શાસન કરવામા આવતું હતું, જેમણે આ સ્થળનું નવીનીકરણ કર્યું હતું. પાછળથી તેના ૫ર સોલંકી શાસકો દ્વારા શાસન કરાતું હતું, જે જૈનો હતા અને તેઓએ આ નગરીનું નામ બદલીને ભદ્રેશ્વર કર્યું. ૧૩૧૫ માં, કચ્છમાં એક ભયંકર દુકાળ થયો, જેના પછી જૈન વેપારી અને પરોપકારીવાદી જગડુશા દ્વારા નગરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. ભદ્રેશ્વર જૈન મંદીર, ભારતના સૌથી જૂના જૈન મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે. જોકે તે સમયાંતરે નવીનીકરણ કરવામાં અને પુનર્વસન કરવામાં આવ્યું છે.

ભદ્રવતિના રાજા સિદ્સેસેન દ્વારા મંદિરનું પુનર્નિર્માણ ૪૪૯ બી.સી. માં કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ સદીઓ અગાઉ આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં શેઠ જગડુશા દ્વારા આ મંદિરનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરાવામાં આવ્યું હતું. ધરતીકંપો જેવા કુદરતી આપત્તિઓ અને કચ્છની હોનારતના ઇતિહાસના કારણે મંદિર ઘણીવાર નાશ પામ્યું હતું , ઉલ્લેખ છે કે કચ્છના મીસ્ત્રીઓ, આર્કિટેક્ટ અને કારીગરો હતા દ્વારા ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫ ના ધરતીકંપો દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું.

કોટાઈ મંદર (સૂર્ય મંદિર)


કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે.સૂર્ય મંદિર, જેને રા લખાના અથવા લખા ફુલાનીને નામથી ઓળખવામાં આવે છે જે પશ્ચિમ તરફના દ્વાર વાળુ છે.. સીમેન્ટ ના ઉ૫ગયો વગર, અંશતઃ પીળા અને અંશતઃ લાલ પથ્થરનું બનેલા છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ (૨.૫૯ મીટર) છે. આ મંદિરની દિવાલો ૨ ફૂટ ૭ ઈંચ (૦.૭૯ મીટર) જાડી છે. તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓ માંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ (૫.૭૨ મીટર) પહોળું હતું. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે. શિખર ઉપર ચડતા આ ત્રિકોણાકાર કૃતિ એકની ઉપર એક ઘટતા આકારમાં પુનરાવર્તિત આવી છે. શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મુકવામાં આવેલા છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે. મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. મંદિરના દરવાજાને ફ્રિજ પર બે પંક્તિઓ, લિંટેલ પર ગણપતિ, અને જાંબુડીયાથી સુંદર અલંકાર સાથે કોતરવામાં આવે છે.

કાળો ડુંગર

પચ્છમાઇ પીર પર્વ માળામા કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતેકચ્છમાં સૌથી જૂનું છે જે ૧૯૦ મિલિયન વર્ષો ની વયના છે. કાળા ડુંગરના ચૂનાના પત્થર એ ભારતમાં સૌથી અનોખા છે જેમાં સંખ્યાબંધ બ્રેચીયોપોડ અવશેષો સાથે ચેર્ટ નોડ્યુલ્સ હોય છે. ચૂનાના પત્થર બેસાલ્ટ જેવા અગ્નિની ખડકો જેટલા કઠણ અને કાળા છે.

કાળાડુંગરના ખડકો જુરાસિક સમયગાળા દરમિયાન ઊંડા દરિયાની સ્થિતિ હેઠળ રચાય છે જ્યારે ડાયનાસોર ખંડોમાં ભટકતા હતા. ઊંડા પાણીમાં રહેતા પ્રાણીઓના અવશેષો કાળાડુંગરના ઉચ્ચ શિખરો પર જોવા મળે છે. કાળો રંગીન કઠણ ચૂનાના પત્થર પર પડેલા ક્રીમ રંગીન ચૂનાના પત્થરો અને છીપના ખડકો છે.

આ કદાચ માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.

કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.

કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.

હાજી પીર દરગાહ

હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે તેઓ આ સ્થળે શહાબુદ્દીન મહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આ સ્થળે આવ્યા હતાં. તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા. તેઓ બહારવટીયાઓથી ગાયોનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હતાં. તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ ઝિન્દા પીર કે વાલી પીર તરીકે પણ ઓળખાય છે

ચૈત્ર મહિનાના (એપ્રિલ) પ્રથમ સોમવારે અહીં વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો તે સમયે અહીં આવે છે અને સાથે સાથે નજીકમાં આવેલ કરોલ પીર દરગાહના દર્શન પણ કરે છે.

 
કોટેશ્વર મંદિર

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે.

 

નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.

આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.

મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.

અહીં કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.

માતા નો મઢ

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.

૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.

નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ

નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું, આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે. અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે. આ ઉપરાંત બસ્ટાર્ડ (bustard) ની ત્રણે પ્રજાતિ જેમાં ઘોરાડ, હોઉબાબર બસ્ટાર્ડ (Houbara Bustard) અને લેસર ફલોરીકન (Lesser Florican) જોવા મળે છે. રણપ્રદેશનું પક્ષી એવું બલેક પાર્ટીજ (Black Partridge), ૧૮ પ્રકારની સર્પ પ્રજાતિ અને ૧૮૪ પ્રકારનાં પક્ષીઓ જેમાં ૧૯ પ્રકારનાં રેપટર (raptor) પણ અહીં જોવા મળે છે. વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી અને બાવળ જેવાં ૩ થી ૫ મી. ઊંચા કાંટાળા વૃક્ષો સહીત ૨૫૨ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ ઉપરાંત મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓ આવેલાં છે. આ સરોવર ક્ષેત્રને ૧૯૮૧માં નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે

લખપતનો કિલ્લો

લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ૧૮૫૧ પહેલા સિંધુ નદીના કિનારે આવેલ બંદરની રોજની એક લાખ કોરી કમાઇ આપતું હોઇ લખપતના નામે પ્રસિદ્ધ થયેલ હતું. જો કે એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ આ બંદર વસાવતા લખપત તરીકે ઓળખાયેલ હોવાનું મનાય છે. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી હતા, જેઓને કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા, તેમના દ્વારા લખપતનો કિલ્લોનું બાંધકામ કરવામા આવેલ. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો.

પ્રવાસીઓ અહીં ઐતિહાસિક ધરોહર જોવા આવે છે. કિલ્લાની સુંદરતા અને બાંધકામ પ્રવાસીઓને વધારે આકર્ષે છે. કેટલીક ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે.

*રવેચી માતા મંદિર

રવેચી માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે. દેવીસર તળાવના કાંઠે, ઘટાદાર વૃક્ષો વચ્ચે આવેલ આ મંદિર પરિસર રમણીય છે આ મંદિર ઈ. સ. ૧૮૨૧ (સંવત ૧૮૭૮)ના વર્ષમાં £૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી) ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ૩૦ ફીટ લાંબુ, ૧૭ ફીટ પહોળું અને ૫૪ ફીટ ઊંચાઇની સાથે બે ગુંબજો ધરાવે છે. જેમાં પ્રથમ ૭ ચોરસ ફીટ અને બીજો ૧૪x૭ ફીટનો છે. મંદિરનો મુખ્ય ભાગ ૧૪ ફીટ x ૧૩ ફીટ વિસ્તાર પર ૪૪ ફીટ ઊંચાઇ પર છે. મંદિરના મધ્ય ભાગમાં રવેચી માતાની વિશાળ મૂર્તિ આવેલી છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. આ ઉપરાંત ખોડિયાર માતા, આશાપુરા માતા, સામબાઈ માતા તેમ જ અંબા માતાની પ્રતિમાઓ છે. તે પહેલાના સમયનું મંદિર, જે ૯ ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તેનો બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યો હતો તેમ મનાય છે. મંદિરની દિવાલના ખૂણા પર પાળિયો આવેલો છે, જેના પર ઇ.સ. ૧૨૭૧ (સંવત ૧૩૨૮, શ્રાવણ વદ ૨, શુક્રવાર)ના સમયનો લેખ છે

આ મંદિર પરિસર ખાતે શીતળા માતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની પ્રતિમાઓ અને પંચમુખા મહાદેવનું મંદિર, કામધેનુ ગાયની દેરી તેમ જ મહંતની દેરી આવેલ છે.

છારી-ઢંઢ

છારી-ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષીત અભયારણ્ય, ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાનની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે. આ એક મોસમી જળપ્લાવીત-રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર તરફ વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવ યુક્ત બને છે. આ ક્ષેત્ર ૮૦ ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે. તે ભુજથી વાયવ્ય દિશામાં ૮૦ કિમી દૂર નખત્રાણા તાલુકાના ફુલય ગામથી ૭ – ૮ કિમી દૂર આવેલું છે. આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે. ચોમાસામાં પાણીની વિપુલતાને કારણે ભારતના આ અનન્ય જળપ્લાવીત ક્ષેત્રમાં ઘણાં પક્ષીઓ આકર્ષાઈને આવે છે. સમાગમકાળના પીંછા ધરાવતા હજારો સુરખાબ, સામાન્ય બગલાઓ અને અન્ય જળપ્લાવીત વિસ્તારના પક્ષીઓ જેવા કે સેંકડો સ્ટોર્ક અને ચમચાચાંચ અને બીજી જાતિના પક્ષીઓ અહીં આવે છે. આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણબિલાડી અને રણ શિયાળ સાથે અન્ય નાશપ્રાય પક્ષીઓ પણ અહીં જોવામાં આવે છે

કચ્છમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઇકો-ટૂરિઝમ પ્રવાસના ક્ષેત્રે છારી-ઢંઢ એક મનોહર અને સમૃદ્ધ ક્ષેત્ર છે

કંથકોટ કિલ્લો

કંથકોટનો કિલ્લો ખડકાળ ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે, જે ૫ કિમીના પરિઘ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લાની દિવાલો મોટા પથ્થરોની બનેલી અને અમુક જગ્યાએથી નાના પથ્થરોથી સમારકામ કરેલી છે. કંથકોટ ૮મી સદીમાં કાઠીઓની રાજધાની હતું એમ મનાય છે, અને ત્યાર પછી ચાવડાઓએ તેમની પાસેથી કંથકોટનો કબ્જો મેળવ્યો હતો. લોકકથા મુજબ હાલનો કિલ્લો ઇ.સ. ૮૪૩ ‍(સંવત ૯૦૦)ની સાલમાં બંધાવવાનો શરૂ થયો હતો. કિલ્લાની દિવાલનો એક ભાગ કંઠડનાથની ધૂણી પરથી પસાર થતા તેમના ક્રોધને કારણે કિલ્લાનો નાશ થયો હતો. કિલ્લો બાંધકાર કરનારે તેમના પરથી કિલ્લાનું નામ પાડ્યું અને પછી કિલ્લો પૂર્ણ થયો. ૧૦મી સદીની મધ્યમાં, કંથદુર્ગના નામથી કિલ્લો પ્રચલિત હતો જ્યાં ચાલુક્ય-સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજાથી ભાગીને સંતાયો હતો. ૧૧મી સદીમાં કિલ્લામાં મહમદ ગઝનીથી બચવા ભીમ પહેલાએ અહીં આશરો લીધો હતો. ઇ.સ. ૧૧૪૩માં કંથગામ અથવા કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદારની સાથે બળવો કર્યો હતો.

૧૩મી સદીમાં ઇ.સ. ૧૨૭૦ સુધી કંથકોટ વાઘેલા વંશનું પાટનગર હતું. વાઘેલા સરદારે કંથકોટની સાથે તેની પુત્રી મનાજ સામાના પુત્ર સાદને આપી, સાદના પુત્ર ફુલે કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું.

ઇ.સ. ૧૮૧૬માં બ્રિટિશ કર્નલ ઇસ્ટ દ્વારા કિલ્લેબંધનો નાશ કરાયો હતો અને ઇ.સ. ૧૮૧૯માં કચ્છ રાજ્યે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું હતું. તેમ છતાં, કંથકોટનો કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી જાડેજા શાસકો જોડે રહ્યો.

ટેકરીની પશ્ચિમ દિશામાં બે મોટા ઊંડા કૂવા અને રેતિયા પથ્થરોથી બનેલી એક ખંડેર વાવ આવેલી છે. આ કૂવામાંથી એક ભમ્મરિયો કૂવો ૧૨ ફૂટનો વ્યાસ ધરાવે છે અને ૭૬ ફૂટ ઊંડો છે, બીજો કૂવો નવઘણ તરીકે ઓળખાય છે, જે ૬૩ ફીટ ઊંડો છે. ટેકરીની ઉપર ત્રણ મંદિરો આવેલા છે, જેમાંનું એક કંઠડનાથનું, બીજું જૂનું મંદિર મહાવીરનું અને ત્રીજું મંદિર સૂર્ય મંદિર છે. કંઠડનાથનું મંદિર ટેકરીના પશ્ચિમ ખૂણાએ ઇ.સ. ૧૮૨૦માં દેદા જાડેજાઓ વડે બાંધવામાં આવ્યું હતું જે ઇ.સ. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપમાં નાશ પામેલા ઇ.સ. ૧૨૭૦માં મોડ સામ્માએ બંધાવેલા વિશાળ મંદિર વિશાળ મંદિરની જગ્યાએ બનાવેલું. હાલનું મંદિર ઊંચા પાયા પર ઘુંમટ સાથે ૨૮ ફીટ x ૧૪ ફીટ પહોળું અને ૨૮ ફીટ ઊંચું છે. તે ચાર સ્થંભો ધરાવે છે અને ગર્ભગૃહમાં પગ વાળીને બેઠેલા કંઠડનાથની સફેદ આરસની પ્રતિમા ધરાવે છે.

મહાવીરનું જૈન મંદિર મોટાભાગે ખંડિત છે અને બે મંડપો ધરાવે છે. પ્રવેશ ગૃહના સ્થંભ પરનું લખાણ ઇ.સ. ૧૨૮૩ (સંવત ૧૩૪૦)નું છે જે અાત્મદેવનાથના પુત્રો લાખા અને સોહી મંદિરના શિલ્પકારો છે એમ દર્શાવે છે. બહારની બાજુએ મૂકેલ તકતી આત્મદેવનો પુત્ર પાસિલ મંદિર બાંધનાર છે એમ કહે છે. મંદિરનું બાંધકાર કરનાર કુટુંબ ભદ્રેશ્વરના જગડુશાના સંબંધીઓ હતા એમ મનાય છે.

જૈન મંદિરની બાજુમાં જૂનું સૂર્ય મંદિર આવેલું છે, જે કાઠીઓના માનીતા દેવ હતા. અહીં આવેલું લખાણ રૂદ્રની પ્રશંસાના શ્લોકો ધરાવે છે. મંદિરમાં સૂર્ય દેવની મૂર્તિ પુરુષ અને સ્ત્રી સેવકો બે બાજુએ ધરાવે છે. મૂર્તિ જોકે વિષ્ણુ જેવી વધુ લાગે છે. મંદિરની નજીક પાળિયાઓ આવેલા છે.

તેરા નો કિલ્લો

દેશળજી પ્રથમ (૧૭૧૮ – ૧૭૪૧‌)ના શાસન દરમિયાન તેરાની જાગીર સોંપાતા આ કિલ્લો જાડેજાઓ શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો.મહારાવ લખપતજીના શાસન (૧૭૪૧-૧૭૬૦) દરમિયાન યુદ્ધમાં કિલ્લો ભારે નુકશાન પામ્યો હતો. તેરા જાગીરના સુમરાજી ઠાકોરે કચ્છના રાવ સાથે ખરાબ ભાષામાં વાત કરતા લખપતજીએ તેરામાં સેના મોકલી હતી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત યુદ્ધમાં તોપો વપરાઇ હતી. તોપગોળા વડે મોટાભાગનો કિલ્લો નાશ પામ્યો હતો. ત્રણ મહિનાની ઘેરાબંધી પછી સુમરાજીએ માફી માંગીને શરણાગતિ સ્વીકારી હતી. ૧૮૧૯ના ધરતીકંપમાં આ કિલ્લો નુકશાન પામ્યો હતો અને પછીથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું આ કિલ્લો હવે કચ્છનું એક પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે.

 
કોઠરા જૈન મંદિર

૧૬ મા તીર્થંકર શાંતિનાથને સમર્પિત જૈન મંદિર. મંદિરનું બાંધકામ ૧૮૬૧ માં માઘ મહિનાના ૧૩ મા દિવસે કરવામાં આવ્યું હતું (વી.સ. ૧૯૧૯). મંદિર ૪૦,૦૦૦ પાઉન્ડની કિંમતે બાંધવામાં આવ્યું હતું, જે તે સમયે કચ્છમાં સૌથી મોંઘું મંદિર માનવામાં આવતું હતું. મંદિરના નિર્માણ માટે અડધા ભાગ શાહ વેલ્જી માલુ અને શાહ કેશવજી નાયકે આપ્યો હતો,બાકીનો ભાગ શિવજી નેન્સી અને કોઠારાના ઓસ્વાલ વાણીયાઓએ સરખા ભાગમાં આપ્યા હતા. તે અમદાવાદના જૈન મંદિરની કરીગરીની રીતે, સખરાઈના સલાટ નાથુની દેખરેખ હેઠળ કચ્છ કાર્યકરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. શાંતિનાથની પ્રતિમાની પ્રાણપ્રતીષ્ઠા, ઔપચારિક રીતે અચલગછ આચાર્ય રત્નાસાગરસુરી દ્વારા કરવામાં આવી હતી. કેશવજી નાયક, જે પાલીતાણાના મંદિરો પરની કવિતાના લેખક હતા અને જેઓ અહીના વતની હતા, તેમન નામ પરથી આ મંદિરનું નામ ‘કલ્યાણ ટુંક’ પણ છે

આ મુખ્ય મંદિરની સરખામણી મરૂપ્રભા મંદિર સાથે કરવામાં આવે છે. કચ્છના મિસ્ત્રીઓને, આ સદીઓ જૂના સુંદર જૈન મંદિરોના મુખ્ય આર્કિટેક્ટ ગણવામાં આવે છે.

જખ બોંતેરા

આઠમી સદીમાં, પુંવર રાજા સંઘાર જાતિના લોકો પર દમન કરતો હતો. તેમણે જખોની મદદ માંગી. પરિણામે બોંતેર જખો આવ્યા અને તેમણે પુંવર્ણોગઢથી ૩ માઈલ દૂર આવેલી ટેકરીમાં પડાવ નાખ્યો અને પુંવર્ણોગઢ અને પુંવરનો નાશ કર્યો. સંઘાર લોકોએ જખોના સરદાર કકડ ના સન્માનમાં તે ટેકરીને કકડગઢ કે કકડભીટ નામ આપ્યું. તેમને આ ગોરા ઘોડેસવાર લડવૈયાઓ દૈવી યક્ષ સમાન લાગતાં હતાં આથી તેમને યક્ષ કહ્યા જેનું અપભ્રંશ પછીથી જખ થયું. તેમના માનમાં સંઘાર લોકોએ ૭૨ ઘોડેસવારોની મૂર્તિ દક્ષિણા દિશા સામે મુકી, તેને પુંવર્ણોગઢમાં એક ઓટલા પર સ્થાપી અને ત્યાં વાર્ષિક મેળો શરૂ કર્યો. દંતકથા જખને ઐતિહાસિક નગર પુંવર્ણોગઢમાં સાથે જોડે છે, આ ખંડેર હાલમાં કચ્છ જીલ્લાના મંજલ ગામના, ઉત્તર-પશ્ચિમમાં લગભગ બે માઇલ સ્થિત છે.

આજુબાજુની ટેકરીઓના નામ જખો સામે તેમને ધ્રુજારી અનુસાર રાખવામાં આવ્યા છે જેમ કે, નાનાઓ (ડુબાડનાર), ધ્રબવો (ધ્રુજાવનાર), લાખડિયો (લથડાતો, પાણી સમાન અસ્થિર ), અધો ચીની (ચીરાયેલો) વગેરે. તેમાંની એક ટેકરી કકડભીટ કે કકડભટ તરીકે ઓળખાય જે ૭૨ પૈકી સૌથી નાના જખનું નામ હતું

આઈના મહેલ

આઈના મહેલ એ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. જેને કચ્છના સ્થાનિક મિસ્ત્રીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં સોનાની દોરીઓ વડે અરીસાઓ લગાવવામાં આવ્યા છે અને જે વેનેટીયન ગ્લાસના રંગથી ઘેરાયેલા અલંકારોથી અલગ પડેલા અરીસાઓથી ઢંકાયેલી હોય છે. આ મહેલમાં ભાગે ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલ છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂનાં ચલચિત્રો તેમજ ચાઈનીઝ ટાઈલ્સ અને શાહી પરિવારોની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે જેમાં જૂની તલવારો અને મુજરો કરવામાં આવતો તે જગ્યા પણ અહીં જોવા મળશે

૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ આ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું ન હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. આ ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે

પૂર્ણશ્વર મંદિર

પૂર્વેશ્વર મંદિર એ એક પ્રાચીન મંદિર છે જે ૯ મી અથવા ૧૦ મી સદી એ.ડી. નુ હોવાનુ મનાય છે. તે ઉચ્ચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યુ છે અને પ્રાચીન શિલ્પો અને ચિત્રો માટે જાણીતું છે. લોકો અહીં પ્રદર્શિત થતા પ્રાચીન સમયની સ્થાપત્ય શૈલીનું અવલોકન કરવા ખાસ કરીને આ સ્થાન પર આવે છે, જે આ સ્થળ ખુબજ પ્રાચીન હોય તેની સાક્ષી આપે છે.ગાંધીધામના પૂર્ણશ્વર મંદિરની સૌથી મહત્વની વિશેષતા તેની દક્ષીણ રીતે કોતરેલી મૂર્તિઓ છે અને સુંદર ચિત્રોને રચના કરે છે. દાદરની ઊંચી ફ્લાઇટ, પૂણેશ્વર મંદિરના દરવાજા તરફ દોરી જાય છે. હિન્દુઓ અને જૈનોમાં ખૂબ જ લોકપ્રિય, આ જૂનું મંદિર હજી પણ તેના જુના વિશ્વની ભવ્યતા અને વૈભવ જાળવી રાખ્યો છે. તે ગરવી ગુજરાતની તેજસ્વી વારસાના જાળવણી સમાન છે. ઉચ્ચા પ્લેટફોર્મ ઉપર ઉભા થયેલા અને ‘છત્રી’ ના આકારમાં બાંધવામાં આવ્યું છે, આ મંદિરને જટિલ કોતરવામાં આવેલા સ્તંભો દ્વારા ટેકો આપતા એક કપડા સાથે તાજ પહેરાવવામાં આવ્યો છે.

નનામો ડુંગર

સુખપુર રોહાની નજીક નનામો ડુંગર, ૧૪૦૦ ઉચાઇ ધરાવતો, ૧૪૫૯ ફૂટની ઉચાઇ ધરાવતા કાળા ડુંગર ૫છી કચ્છમા બીજા ક્રમે ઉચાળ ધરાવનતો ડુંગર છે. તેનું નામ નનામો તરીકે રાખવામાં આવ્યું છે કારણ કે તે જમીન પરથી ઉચો થયા બાદ તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ છે.

મુન્દ્રા પોર્ટ

મુંદ્રા પોર્ટ ગુજરાતના, કચ્છ જીલ્લાના, મુન્દ્રા નજીક કચ્છની અખાતના ઉત્તર કિનારા પર સ્થિત ભારતનું સૌથી મોટો ખાનગી બંદર છે. અગાઉ તે મદુરા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એમપીએસઈઝેડ) દ્વારા સંચાલિત હતું, જે અદાણી ગ્રૂપની માલિકીની કંપની હતી, જેને પાછળથી તે અનેક પોર્ટ્સના સંચાલન માટે અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડ (એપીએસઈઝેડ) માં વિસ્તૃત કરવામાં આવ્યું હતું. ૨૦૧૩-૧૪ માં, મુન્દ્રા પોર્ટે ૧૦૦ મિલિયન ટનનું કાર્ગો સંચાલન કર્યું હતું. તે કાર્ગો હેન્ડલીંગ દ્વારા એક વર્ષમાં ભારતનો સૌથી મોટો બંદર અને માલ હેરફેશમાં પ્રથમ બંદર બન્યું છે.

અંબે ધામ

અંબેધામ કચ્છમાં ગોધરા નામના ગામમાં આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામવાળું ગોધરા, બે અલગ છે.) ગામ નાનુ છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર બહુ જૂનું નથી, એટલે જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે.

આ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે પૂતળાં રૂપે રજૂ કર્યા છે.

એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે.

૭૨ જિનાલય

૭૨ જિનાલય જે માંડવી થી ૧૧ કી મી દુર કોડાય ગામમાં આવેલ જૈનોનું આ ઘણું જ મોટું ધામ છે, અને ખૂબ પ્રખ્યાત છે. તેમાં એક મુખ્ય મંદિર તથા ચારે બાજુ બીજાં ૭૨ મંદિર આવેલાં છે. આ મંદિરોમાં મુલનાયક આદેશ્ર્વર દાદા અને બિજા જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. બધાં જ મંદિરો આરસનાં છે. બહારથી બધાં મંદિરોનાં શિખરો દેખાય છે. મંદિરોની ડીઝાઈન કરનારા નિષ્ણાતો, બાંધકામ કરનારા અને વ્યવસ્થા તથા સંચાલન કરનારાઓની સૂઝસમજને દાદ દેવી ઘટે. જૈન સમાજે આવાં મંદિરો ઘણી જગાએ બાંધ્યાં છે.આ મંદિરે ઘણી વિશાળ જગા રોકી છે. ૭૨ જિનાલય ઉપરાંત, બહારના ભાગમાં મોટું પ્રાંગણ, પાર્કીંગ, રહેવા માટેની સુવિધા, બાગબગીચા, ભાતાઘર – આ બધું મળીને ૮૦ એકરમા ફેલાયેલ મોટું સંકુલ છ.આ સુંદર મંદિર મુંદ્રા-માંડવી રોડ પર સ્થિત છે તે “બૌતેર જિનાલય”, અને “આદિશ્વર બૌતેર જિનલે મહાતિર્થ” તરીકે પણ ઓળખાય છે.


દીન દયાલ પોર્ટ (કંડલા પોર્ટ)

કંડલા પોર્ટ અથવા દીન દયાલ પોર્ટ – ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી.

કંડલાનો બંદર ભારતના ઉત્તરપશ્ચિમ કિનારે કચ્છના અખાત પર સ્થિત છે,જેના ઉત્તરપશ્ચિમે ૨૫૬ નોટિકલ માઇલ અંતર પર પાકિસ્તાનના કરાચીના દરિયાકિનારો અને દક્ષિણપૂર્વમાં ૪૩૦ નોટિકલ માઇલ ૫ર પોર્ટ ઓફ મુંબઈ(બોમ્બે) ના છે. તે કાર્ગો હેન્ડલકરવામા ભારતનું સૌથી મોટું બંદર છે.

તાજેતરના વર્ષોમાં ભારતનું સૌથી વ્યસ્ત મુખ્ય બંદર કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાનગી ક્ષેત્રની સહભાગિતા સાથે નોંધપાત્ર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારી છે. કંડાલા દીન દયાલ પોર્ટ એ બહુવિધ સ્થાનો પર એક વાઇબ્રન્ટ, વર્લ્ડ ક્લાસ, મલ્ટી કાર્ગો સેવાઓ આપતુ બંદર છે. વર્ષ ૨૦૧૬-૧૭ માં આ પોર્ટ દ્વારા ૧૦૫.૪૪ એમએમટી કાર્ગોનું સંચાલન કરવા મા આવ્યુ હતું

એલએલડીસી – લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર

ભુજની નજીક અજરખપુર ગામમાં કચ્છની હસ્તકળાને અને તેમાંયે ખાસ કરીને લુપ્તતાને આરે આવી ગયેલી ચોક્કસ પ્રકારની ભરત-ગૂંથણ કળાને વ્યાવસાયિક અભિગમથી બેઠી કરીને એના પરંપરાગત રૂપરંગ સાથે ટકાવી-જીવતી રાખનાર વિશ્વખ્યાત `શ્રૃજન’ સંસ્થાએ ‘લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ (એલ.એલ.ડી.સી.) ઉભુ કર્યું છે. આ જીવંત મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓનો સમાવેશ કરાયો છે. જેમાં કચ્છના જીવંત ભરતકામનું અદ્ભૂત પ્રદર્શન છે. બીજી ગેલેરી રિસર્ચ ગેલેરી છે જેમાં ભરતકામમાં થયેલા ચડાવ-ઉતાર તેમજ કોઇપણ એક કોમને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકના સંશોધનાત્મક પાસાંઓનો ઉલ્લેખ. ત્રીજી ગેલેરી ભવિષ્યમાં ઇન્સ્પીરેશન ગેલેરી તરીકે ખુલ્લી મૂકાશે તેમાં કચ્છની 12 જેટલી અલગ અલગ કોમ-જ્ઞાતિઓનું ભરતકામ મૂકવામાં આવ્યું છે, આહીર, મેઘવાળ-ગુર્જર, રબારી, સોઢા-જાડેજા, મેઘવાળ મારૂ, મોચી, જત, રાઉ, નોડે, મુતવા, હાલેપોત્રા, મેઘવાળ મારવાડાનો સમાવેશ થાય છે. આ વિભાગના જુદા જુદા પેટા વિભાગો છે, તેમાં અન્ય જ્ઞાતિઓના ભરતકામ અને બીજી વસ્તુઓ મૂકાયેલ છે. દરેક કોમોના પરંપરાગત વસ્ત્રોની સાથોસાથ હાલના આધુનિક સમયના વસ્ત્રો પર કરેલ ભરતકામ રજૂ કરાયું છે દરેક કોમના ભરતકામમાં એમની સંસ્કૃતિ, એમના રીતરિવાજો અને એની સાથે જોડાયેલા ભરતકામની ખાસિયતો જણાવવામાં આવી છે. ઘોડિયા પર લટકતા રમકડાંમાં , પશુ શણગારમાં ભરતકામ, શણગારેલા ઊંટ સહિતનો કાફલો સુધીના નમૂના કે તસવીરો પ્રદર્શનમાં મૂકાયેલી. આજે આ સંગ્રહ-અમૂલ્ય ખજાનો માત્ર કચ્છ કે ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વની ભાવિ પેઢી માટે મહત્ત્વનો બન્યો છે. વળી એનું રિસર્ચ-સંશોધનકાર્ય એટલું તો વ્યાપક છે કે માત્ર ભરતકલા જ નહીં પરંતુ કચ્છની સમગ્ર સંસ્કૃતિ તેમાં ઉજાગર થઇ છે. કારણ કે, સંશોધન હાથ ધરતી વખતે પ્રત્યેક કોમ-જાતિના જીવનના દરેક પાસાંનો ઇતિહાસ એમની લોકવાયકાઓ, લોકગીતો અને અન્ય સાહિત્ય મૌખિક પરંપરાના આધારે એકત્ર કરાયાં છે. વળી પચાસ કે સો વર્ષ જૂની ડિઝાઇનવાળા વસ્ત્રો જેમની પાસે સચવાયેલા હતા તે ખરીદી લેવાયા. ધાર્મિક, સામાજિક પ્રસંગો, તહેવારો, મેળા, બખમલાખડા જેવી રમતો, રમણીય સ્થળો, જુદી જુદી કોમોના ઘર, ફળિયા, ફર્નિચર માટી અને તાંબા-કાંસાના વાસણ… બધાની ઊંડાણપૂર્વકની માહિતી એકઠી કરીને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. અને આ બધી માહિતી, દસ્તાવેજ, હસ્તકલાના નમૂના, તસવીરો, ચિત્રો, કથાઓનો ખજાનો વિશ્વ સમક્ષ `લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ના નામે પેશ કરવામાં આવ્યો છે. આજે કચ્છ આવતા અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેઇ પોતાની સંસ્કૃતિના મુળિયા શોધવા પ્રયાસ કરે છે.

રક્ષક વન

માધાપરની કચ્છની ખમીરવંતી મહિલાઓ દ્વારા ડિસેમ્બર-૧૭૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનની સમારકામની કામગીરી માત્ર ૭૨ કલાકમા આ વીરાંગનાઓ તનતોળ મહેનત કરી પુરી કરી હતી. એરફોર્સની હવાઈ પટ્ટીની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત સાંસ્કૃતિક રક્ષક વનનું નિર્માણ કરાયું છે.ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ્ય છે. સાથે જ રક્ષક વનના મુખ્ય આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો-12) જેમાં એકમાં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપરની વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને આઠ ભીંતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના છે. અહીં વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્ત્વ ધરાવતાં આરોગ્ય વન, રાશિ વન, ખજૂરી વન, દેવ વન, નક્ષત્ર વન, કેકટસ વન બનાવવામાં આવ્યા છે. રક્ષક વનના અન્ય આકર્ષણોમાં વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટમાં ભરત-ગુંથણ કરતી મહિલા, ખારાઇ ઊંટ અને આર્મીના જવાનના ફોટો પોઇન્ટ મૂકાયાં છે. ત્રણ ઝૂલતા પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને ઓપન જીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સિંગ, શૌર્ય શિલ્પ, બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઓ, વોચ ટાવરનો સમાવેશ થાય છે.

એકલ માતા મંદિર

ભુજથી લગભગ એકસો કિ.મી. અને તાલુકા મથક ભચાઉથી ત્રીસ કિ.મી. ના અંતરે એકલ માતાનું સ્થાડન મોટા રણની કાંધીએ આવેલું છે. સુંદર પરિસર ધરાવતા આ શિખરબંધ મંદીરમાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે, જેમાં એક સ્વનયંભૂ પ્રગટેલી છે, જયારે બીજી લગભગ ર૦૦ વર્ષ પહેલાં કોઇ નિ:સંતાન દરબારના ઘરે પારણું બંધાતાં અને પોતાની શેર માટીની ખોટ પૂરી થતાં તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે. વાગડ વિસ્તા રમાં એકલના સ્થાાનેથી અત્યંાત વિશિષ્ટતા ભરેલ સફેદ રણનાં સરળતાથી દર્શન થાય છે. મંદિરની વાવ એ પાંડવો દ્વારા લગભગ ૫૧૦૦-૫૨૦૦ વર્ષ પહેલાં મહાભારત સમયમા બાંધવામાં આવેલ છે. જે સરસ્વતી સંસ્કૃતીના વિનાશના સમય દરમિયાનની છે. આ પ્રદેશમાં ગેડી વિસ્તારમાં પાંડવો તેમના ગુપ્તા વાસ દરમિયાન રોકાયા હતા. અને ભીમ ગુફાનું ક્ષેત્ર જ્યાં ભીમએ તેની પ્રથમ પત્ની હિડંમ્બા અને ભાંજેડોનો સ્વીકાર કરયો હતો, તે હિડંમ્બાનું નિવાસ સ્થાન હોઈ શકે છે.પ્રકૃતિ અને પર્યટનના ચાહકો અહીંથી રણની અંદર કાકડિયા બેટ, ગંગડી બેટ વગેરેથી પગપાળા, મોટર સાયકલ દ્વારા સાહસિક પ્રવાસનો આનંદ લઇ શકે છે.


જખૌ પોર્ટ

જખૌ ભારતના પશ્ચિમ કિનારે કચ્છની અખાતમાં, ગોદીયા ક્રીક સ્થિત એક સુંદર હવામાન લાઈટરેજ પોર્ટ છે. જખૌ પોર્ટ કચ્છ જીલ્લાના સૌથી જૂના બંદરોમાંનું એક છે. આજે, આ બંદર ફક્ત માછીમારી માટે જ વપરાય છે. જખૌ પોર્ટનું પોતાનું મહત્વ છે. કચ્છનું બંદર કોસ્ટગાર્ડ અને બીએસએફના વોટર ડિપાર્ટમેન્ટ માટે એક કેન્દ્ર છે. જખૌ બંદર એક નાનું બંદર છે જે વર્ષ દરમિયાન ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના ઉનાળાની મોસમ દરમિયાન મીઠું લોડ કરતા નાના જહાજો દ્વારા માલની હેરફેર થાય છે.

 
રોહાનો કિલ્લો

રોહાનો કિલ્લો કચ્છ, ગુજરાતમાં આવેલો નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે.રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની ૧૨૦ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે. રોહાનો કિલ્લો ભુજથી ૫૦ કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ ૧૬ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી ૫૦૦ ફુટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફુટ છે. રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો. રાવ ખેંગારજી પ્રથમ (૧૫૧૦-૧૫૮૫) ના ભાઇ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.

 

ગાંધી સમાધી – ગાંધીધામ**

ભારતમાં રાજઘાટ, દિલ્હી બાદ અન્ય એકમાત્ર ગુજરાતમાં ગાંધી સમાધી આવેલી છે. દેશમાં બે જ સ્થળોએ ગાંધી સમાધી છે, જે પૈકીની આ એક છે. તે કચ્છ જિલ્લામાં ગાંધીધામ નજીક આદિપુર ખાતે આવેલી છે. ગાંધી સમાધીનું સ્થળ ચોતરફ લીલોતરીથી છવાયેલુ અને રમણીય છે. પ્રાર્થના માટે ખાસ વ્યવસ્થા છે. મહાત્મા ગાંધીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા-જુદા સ્થળોએ રાખવામાં આવેલા હતાં. તે પૈકી ગાંધીધમના સ્થાપક ભાઇપ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને આદીપુર ખાતે અસ્થિ પધરાવીને સમાધીમંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ ગાંધી સમાધી આજે પણ હયાત છે અને ભારતમાં રાજઘાટ દિલ્હી બાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ એક જ સમાધી છે. ૧૯૯૮ના વાવાઝોડા અને ૨૦૦૧ના ભૂકંપ બાદ ગાંધી સમાધીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ગાંધી સમાધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દર્શનાથે આવ્યા હતા. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઇ પટેલ, સહિતના રાજકીય અગ્રણીઓ ગાંધી સમાધીએ દર્શનાથે ખાસ આવી ચુકયા છે.ગાંધી સમાધીના સ્થળ પરથી આ શહેર કે જેનુ મુળ નામ સરદાગંજ હતુ ને બદલી ગાંધીધામ રાખવામાં આવ્યુ હતું.

Saturday, June 6, 2020

7 જૂન પૃથ્વીરાજ ચૌહાણ જન્મ જયંતિ

જન્મ ૭ જૂન જેઠ વદ દ્વાદશી

બલિદાન ૧૫ માર્ચ વસંત પંચમી

પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. રાય પીથોરાના નામથી જગ મશહૂર થયેલાં આ રાજાએ ચૌહાણ વંશમાં જન્મ લીધી હતો
!
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૪૯માં અજમેરમાં થયો હતો. એમનાં પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ અને માતાનું નામ કર્પૂરી દેવી હતું !

પૃથ્વીરાજ ચૌહાણ બાળપણથીજ બહુજ બહાદૂર અને યુદ્ધકલાના નિપૂણ હતાં .એમને નાનપણમાં જ શબ્દવેધીબાણ ચલાવવાનો અભ્યાસ કર્યો હતો. એ અવાજને આધારે બહુજ સચોટ અને સટીક બાણ ચલાવતાં હતાં. ૧૧૭૯માં એક યુધ્ધમાં એમનાં પિતાજીનું અવસાન થયું, ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણને એમનાં ઉતરાધિકારી તરીકે નીમવામાં આવ્યાં. એમને બે રાજધાનીઓ દિલ્હી અને અજમેર પર શાસન કર્યું હતું. જે એમને એમનાં નાનાજી ચક્ર્પાલ અને તોમરવંશના રાજા અંગપાલ તૃતીયે એમને સોંપી હતી. રાજા હોવાને કારણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર જાળવવા માટે કંઈ કેટલાયે અભિયાન ચલાવ્યાં
અને એક બહાદૂર યોદ્ધાના રૂપમાં એ ઉભર્યા અને એમની ખ્યાતિ ચારેકોર પ્રસરવા લાગી !!! એમનાં મહંમદ ઘોરીસાથેના યુધ્ધની વાત હનૌજના રાજા જયચંદની સુપુત્રી સંયુક્તા પાસે પહોંચી ગઈ.

જયચંદના સોનેરી દિવસોમાં એમનાં પ્રતિદ્વંદી રાજપૂત વંશને પોતેજ પોતાની જાતને જ દિલ્હીના રાજા ઘોષિત કરી દીધાં. જયારે દિલ્હી પર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું અને જે પોતે એક નિડર અને બહાદુર વ્યક્તિ હતાં. સતત થતાં સૈન્ય દ્વારા આક્રમણ કરીને પૃથ્વીરાજે પોતાનું સામ્રાજ્ય રાજસ્થાનના સાંભર, ગુજરાત અને પૂર્વીય પંજાબ સુધી ફેલાવી દીધું હતું. પૃથ્વીરાજની વધતી જતી ખ્યાતિને જોઇને શક્તિશાળી શાસક જયચંદ પૃથ્વીરાજની ઈર્ષા કરતો હતો, કહો કે ઝેરે બળતો હતો !

પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા દેશમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયાં હતાં અને એ આમજનતામાં વાતચીતનું મુખ્ય કારણ બની ગયો હતો !

પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તાની પ્રેમ ગાથા

પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા જયારે જયચંદની પુત્રી સંયુક્તા પાસે પહોંચ્યા તો મનોમન એ એને પ્રેમ કરવાં લાગી !!!! અને એની સાથે અત્યંત ગુપ્તરીતે કાવ્યમય પત્રાચાર કરવાં લાગી !!! જયારે સંયુક્તાના અભિમાની પિતા જયચંદને આ વાતની ખબર પડી ત્યારે એને પોતાની પુત્રી અને પ્રેમી પૃથ્વીરાજ ચૌહાણને એક સબક શિખવાડવાનું નક્કી કર્યું

જયચંદે પોતાની દીકરીનો સ્વયંવરનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કન્યાને પોતાની રીતે મનપસંદ વર પસંદ કરવાની અનુમતિ આપવામાં આવતી હતી. એ કન્યાઓ જેના ગાળામાં વરમાળ નાંખતી તે તેનો પતિ (વર) બની જતી હતો. જયચંદે દરેક નાનાં મોટાં રાજકુમારોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ એને જાણીજોઈને પૃથ્વીરાજ ચૌહાણને આમંત્રણ નહોતું આપ્યું. એટલું જ નહીં પૃથ્વીરાજની બેઈજ્જતી કરવાં એને દ્વારપાળને સ્થાને પૃથ્વીરાજની મૂર્તિ મૂકી દીધી !

પૃથ્વીરાજને જયચંદ ની આ ચાલની ખબર પડી ગઈ એણે અને એની પ્રેમિકા (સંયુક્તા)ને પામવા માટે એક ગુપ્ત યોજના બનાવી. સ્વયંવરના દિવસે સંયુક્તા સભામાં એકત્રિત થયેલાં દરેક રાજકુમારો આગળથી પસાર થતી ગઈ. એ બધાંને નજરઅંદાજ કરીને મુખ્યદ્વાર સુધી પહોંચી અને દ્વારપાલ બનેલાં પૃથ્વીરાજનાં ગાળામાં તે વરમાળા પહેરાવી દીધી. સભામાં એકત્રિત થયેલાં તમામે તમામ રાજકુમારો એના આ ફેંસલાથી આશ્ચર્યચકિત થઇ ગયાં કારણકે
એણેએ બધાજ રાજકુમારોને લજ્જિત કરીને એક નિર્જીવ મૂર્તિને વરમાળા પહેરાવી હતી.

પરંતુ હજી જયચંદને એક વધારે ઝટકો લાગવાનો બાકી હતો. પૃથ્વીરાજ એ મૂર્તિની બરાબર પાછળ દ્વારપાળનાં વેશમાં ઉભો હતો, છુપાયેલો હતો
એને ધીમે રહીને આસ્તેથી સંયુક્તાને ઉઠાવી અને પોતાનાં ઘોડા પર બેસાડીને વીજળીવેગે પોતાની રાજધાની દિલ્હી તરફ જતો રહ્યો. જયચંદ અને એની સેનાએ એનો પીછો કર્યો અને આનાં ગંભીર પરિણામ સવરૂપ એ બંને રાજ્યો વચ્ચે ૧૧૮૯ અને ૧૧૯૦માં ભીષણ યુદ્ધ થયું. જેમાં બંને સેનાઓને ભારી નુકશાન થયું !

મહંમદ ઘોરીનું આક્રમણ અને પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતા

તરાઇનું બીજું યુદ્ધ પૃથ્વીરાજ અને જયચંદની આપસી લડાઈનો ફાયદો ઉઠાવીને એક જિહાદી અફઘાની ઘુસપેઠીયા અને લુંટારો નરાધમ રાક્ષસ
મહંમદ ઘોરીએ ભારતમાં પ્રવેશ કરી લીધો હતો અને પંજાબમાં ઘજનાવિદની સેનાને પરાજિત કરીને કરી લીધો હતો. મહમંદ ઘોરીએ હવે પૃથ્વીરાજના સામ્રાજ્ય સુધી પોયણા રાજ્યનો વિસ્તાર કરવાનો નિશ્ચય કરી લીધો હતો !!!! મહંમદ ઘોરીએ પૂર્વીય પંજાબના ભટીન્ડા ના કિલ્લાની ઘેરાબાંધી કરી લીધી હતી. જે સાચા અર્થમાં તો પૃથ્વીરાજ ચૌહાણનો સીમાંત પ્રાંત હતો !

હિંદુઓ હંમેશા યુદ્ધના નિયમોનું પાલન કરતાં હતાં. તેઓ હંમેશા નિયમાનુસાર જ યુદ્ધ કરતાં. સૂર્યોદય થાય ત્યાર પછી જ યુદ્ધનો પ્રારંભ કરતાં, સુર્યાસ્ત થતાંની સાથે જ જે તે દિવસના યુધ્ધના સમાપ્તિની ઘોષણા કરતાં. પરંતુ બુઝદિલ મુસ્લિમ શાસકોએ સદૈવ રાત્રે જ આક્રમણ કરતાં હતાં, લાગે છે કે તેઓ મહાભારત વાંચીને જ આવ્યા હશે. આમેય ગાંધાર + ગઝની (કાબુલ} = અફઘાનિસ્તાન !!!! જયારે હિંદુ રાજાઓ અને સૈનિકો પોતાનાં ઘાઓ પર મલમપટ્ટી લગાવતાં હોય ત્યારેજ !!! છે ને બાકી બિલકુલ મહાભારત જેવું જ !

મહંમદ ઘોરીએ પણ રાતના જ આક્રમણ કર્યું. અને ઘોરીના મંત્રીઓએ જયચંદની મદદ માંગી પરંતુ જયચંદે એમને મદદ કરવાની તિરસ્કારપૂર્વક ના પાડી, આ ના પડવાનું કારણ એ હતું કે એ પોતે પૃથ્વીરાજને પોતાનાં હાથે હરાવવા માંગતો હતો !!!! આ હતું તેનું ના પડવાનું મુખ્ય કારણ !!!! પરતું આની પરવાહ કર્યાં વગર નિડર પૃથ્વીરાજે ભટીંડા તરફ પોતાની સેના રવાના કરી અને ૧૯૧૧માં પ્રાચીન શહેર થાનેશ્વર ની નજીક તરાઇ નામની જગ્યાએ એની સેનાનો સામનો શત્રુ સેના સાથે થયો !!! જીદ્દી,ટેકીલા અને શુરવીર રાજપૂતોને કારણે આખરે પૃથ્વીરાજનો વિજય થયો
અને મુસ્લિમ સેના મહંમદ ઘોરીને એકલો અટૂલો છોડીને રણમેદાનમાંથી ભાગી ગઈ !

મહંમદ ઘોરીને બેડીઓમાં જકડીને પૃથ્વીરાજની રાજધાની પીથોરાગઢ લાવવામાં આવ્યો અને મહંમદ ઘોરીએ પૃથ્વીરાજ સમક્ષ દયાની ભીખ માંગી. મહંમદ ઘોરીએ ગોઠણભેર બેસીને પૃથ્વીરાજની તુલના અલ્લાહ સાથે કરી !!! ભારતના વૈદિક નિયમ અનુસાર પૃથ્વીરાજે મહંમદ ઘોરીને માફ કરી દીધો કારણકે તે એક પાડોશી રાજ્ય કે ભારતનો નહોતો તે તો એક વિદેશી ઘૂસપેઠીયો હતો. બહાદૂર રાજપૂત પૃથ્વીરાજે સન્માનપૂર્વક મહંમદ ઘોરીને છોડી મુક્યો !

પૃથ્વીરાજ ચૌહાણની હાર અને કેદ

મહંમદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતાને અવગણીને ૧૧૯૨માં ફરી પાછો રાતના હુમલો પૃથ્વીરાજ ચૌહાણ પર કરી દીધો. આ અગાઉ તે ૧૬ -૧૬ વખત પૃથ્વીરાજના હાથે પરાસ્ત થયો હતો, પણ તે સાલો ભાગી જતો હતો, પછી તે પકડાયો નહોતો !!!! મહંમદ ઘોરીએ ૧૭મી વખત પોતાની પહેલાની સેના કરતાં વધુ મજબુત અને વિશાળ સેના સાથે મધ્યાંતર પહેલાં રાજપૂત સેના પર આક્રમણ કરીને પૃથ્વીરાજને હરાવી દીધો અને આ વખતે પૃથ્બીરાજને બેડીમાં જકડીને એને બરોબર બાંધીને અફઘાનિસ્તાન લઇ જવામાં આવ્યો, જાણો છો !!!! જો જયચંદે આ અણીના સમયે પૃથ્વીરાજને મદદ કરી હોત તો કદાચ ઈતિહાસ આજે જુદો હોત ! જયચંદે મદદ ના કરી અને તેનાજ કેટલાંક સૈનિકો અને મંત્રીઓએ ઘોરીને મદદ કરી હતી !

કદાચ એમાં જયચંદની વેરલેવાની ભાવના સારી નહોતી એટલે આમ દેખીતી રીતે તે અલિપ્ત રહ્યો પણ અંદરખાનેથી તે પાછળથી ઘોરીની સાથે રહ્યો. આ વાત ઇતિહાસમાં નોંધાયેલી છે એટલે જયચંદને દેશ પ્રેમી જાહેર કરવા પાછળ કદાચ આ કટ્ટરવાદી હિન્દુઓનો જ હાથ હતો !!!! જયચંદનો પક્ષ લેનારે ઈતિહાસ વાંચી જઈને સાચી વાત સમજવા જેવી ખરી, પૃથ્વીરાજને પણ કેટલાકે નમાલો ચીતર્યો છે, આ એક રાજપૂતો અને બ્રાહ્મણો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલતી સોચી સમજી સાજીશ છે, ખેર પાછાં ઇતિહાસની વાત પર આવી જઈએ !!!!

? પૃથ્વીરાજની વ્યથા હજી ખતમ નહોતી થઈ, બેડી હોવાં છતાં તેણે ઘસડીને મહંમદ ઘોરીના દરબારમાં લાવવમાં આવ્યો અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કહ્યું. જ્યારે પૃથ્વીરાજને ઘસડતાં ઘસડતાં ઘોરી સમક્ષ લાવવામાં આવ્યો, તો પૃથ્વીરાજ ઘોરીની આંખમાં આંખ નાંખીને જોતો હતો. પૃથ્વીરાજનું આ કૃત્ય જોઇને હ્જોરી અપમાનિત થઇ ઉઠયો. અને એણે પૃથ્વીરાજને આંખો નીચે ઢાળી દેવા કહ્યું.

પૃથ્વીરાજે એને કહ્યું કે ” આજે તું તો મારાં જ કારણે જીવતો રહ્યો છો અને સાંભાળ તું કોઈ પણ રાજપૂતની આંખો મૃત્યુબાદ જ નીચી ઢળેલી હોય છે.

પૃથ્વીરાજની આ વાત સંભાળીને ઘોરી બહુજ ગુસ્સે થઇ ગયો અને ઘોરીએ પૃથ્વીરાજની આંખોમાં ગરમ સળિયા ભોંકી દીધાં. પૃથ્વીરાજની આંખો ફોડી નાંખ્યા પછી એને ઘણી વખત ઘોરીની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો અને ભારતીય સંસ્કૃતિ જુઠી છે એમ વારંવાર કહીને એને ગાળો આપી. આ સમયે પૃથ્વીરાજનું જીવનવૃતાંત લખનાર એનો ખાસમખાસ મિત્ર ચંદ બરદાઈ એની સાથે હતો અને એણે જ પૃથ્વીરાજના જીવન પર “પૃથ્વીરાજ રાસો“ એ નામની જીવન ગાથા લાખી હતી !!!! ચંદ બરદાઈએ પૃથ્વીરાજને એની સાથે અન્યાયો અને અત્ચાચારોનો બદલો લેવાનું કહ્યું.

? એ બંને ને એક દિવસ એ મોકો મળી જ ગયો. જ્યારે ઘોરીએ એક તીરંદાજીની એક સ્પર્ધા આયોજિત કરી ચંદ બારદાઈની સલાહ પ્રમાણે પૃથ્વીરાજે ઘોરીને આ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પૃથ્વીરાજની આ વાત સાંભળીને ઘોરીના દરબારીઓ ખડખડાટ હસ્યાં અને પૃથ્વીરાજની મજાક ઉડાવી કે આંધળો મનુષ્ય તીરંદાજીની આ સ્પર્ધમાં કેવી રીતે ભાગ લઇ શકે !!!

તો પૃથ્વીરાજે ઘોરીને કહ્યું કે ” કા તો તું મને મારી નાંખ અને કા તો તું મને સ્પર્ધમાં ભાગ લેવાં દે !!!!”

ચંદ બારદાઈએ પૃથ્વીરાજની તરફથી ઘોરીને કહ્યું કે ” એક રાજા હોવાનાં નાતે એ એક રાજાના જ આદેશનું પાલન કરી શકે !!!”

મહંમદ ઘોરીના ઝમીરને ચોટ પહોંચી. એથી એને આખરે પૃથ્વીરાજને સ્પર્ધામાં ભાગ લેવાની અનુમતિ આપી જ દીધી !

? બતાવ્યાં ગયેલાં દિવસે ઘોરી પોતાના સિંહાસન પર બેઠો હતો અને પૃથ્વીરાજને મેદાનમાં લાવવામાં આવ્યો. પૃથ્વીરાજને એ સમયે પહેલીજ વાર બેડીમોમાંથી મુક્ત કરાયો હતો. ઘોરીએ પૃથ્વીરાજને બાણ ચલાવવા કહ્યું
અને પૃથ્વીરાજે ઘોરીના અવાજની દિશામાં તીર ચલાવ્યું. જે ઘોરીની ગરદન પર વાગ્યું અને ઘોરી એજ ક્ષણે મૃત્યુ પામ્યો
આ દ્રશ્યનું ચંદબારદાઈએ બહુજ સુંદર શબ્દોમાં એવુ વર્ણન કર્યું છે.

ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ
તા ઉપર સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ.

[ દસ કદમ આગળ, વીસ કદમ જમણી બાજુએ, બેઠો છે સુલતાન, હવે આ તક ના ચૂકો ચૌહાણ ચલાવી દો તમારું બાણ ]

? પૃથ્વીરાજના અચાનક હુમલાથી ઘોરી તો ત્યાંને ત્યાં માર્યો ગયો અને દિલ્હી પર સૌથી વધારે સમય સુધી રાજ કરનાર અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સામે ચંદ બારોટે તેની કટાર ધરી.. અને બીજી પોતાના હાથમાં રાખી… તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે.. જેઓ એકબીજાના જીગરજાન મિત્રો હતા… એક બીજાને કટાર ભોંકી દીધી…અને છાતી સોંસરવી આર પાર કરી દીધી…જેથી મુગલોના હાથે પકડાવું ના પડે… !!!! મુગલોએ પૃથ્વીરાજના શબને હિંદુ રીતિરીવાજ મુજબ એનું ક્રિયાકર્મ પણ ના કરવાં દીધું !!!! અને એના શબને ઘોરીની કબરની નજીક જ દફનાવી દીધો !

ગઝનીની પ્રજા એટલેકે ઘોરીના ચાહકોએ પૃથ્વીરાજની કબર પર થુંકવાની અને એને અપમાનિત કરવાની પરંપરા ના છોડી
એ આજે પણ પ્રચલિત છે !!! અને આમ એક મહાન દેશભક્ત હિંદુ રાજા પૃથ્વીરાજનો અંત આવ્યો !

Friday, June 5, 2020

ઉત્તમ શિક્ષક

એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા !
અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો !
શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “
યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !”
શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?”
યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !”
શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “
શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ
એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “
શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “
યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક કરવી જોઈએ નહી !”
કોઈ વિદ્યાર્થીએ ઘડિયાળ પરત આપી નહી એટલે તમે વર્ગનો દરવાજો બંધ કરી, જણાવ્યું કે પાટલી પાસે આંખો બંધ કરી સૌ ઉભા રહો,દરેકના ખિસ્સા તપાસવામાં આવશે !”
તમે વિદ્યાર્થીઓના ખિસ્સા તપાસવા લાગ્યા ત્યારે મારા ખિસ્સામાંથી તમને ઘડિયાળ મળી ગઈ હતી તોપણ તમે
બીજા વિદ્યાર્થીઓના ખિસ્સા તપાસતા રહ્યા,બધાંના ખિસ્સા તપાસી રહ્યા પછી તમે કહ્યું આંખો ખોલો,ઘડિયાળ મળી ગઈ છે !”
મને એમ હતું કે તમે મને ચોર પુરવાર કરીને સ્કુલમાંથી કાઢી મુકાવશો પરતું તમે વર્ગમાં મારું નામ જાહેર કર્યું નહી
અને મારી ઈજ્જત બચાવી રાખી ત્યારે હું મનોમન નક્કી કરી રહ્યો હતો કે જીવનમાં કદાપિ ચોરી કરીશ નહી,જુઠ્ઠું બોલીશ નહી અને સારું શિક્ષણ મેળવીને શિક્ષક જ બનીશ,તમે મને ખાનગીમાં પણ કોઈ ઠપકો કે સલાહ આપી નહતી પણ તે દિવસે તમે મારા સહપાઠી સમક્ષ મારી આબરુને બટ્ટો લાગવા દીધો નહી તેથી મને અણમોલ સુબોધ મળી ગયો હતો,સર તમારો ગમે તેટલો આભાર માનું પણ તે ઓછો જ પડવાનો છે,તમે મને જીવનનો ઉત્તમ માર્ગ બતાવી દીધો હતો,તમને આ પ્રસંગ યાદ છે ! “
જરાક યાદદાસ્ત તાજી કરીને શિક્ષક બોલ્યા,” મને વર્ગમાં ઘડિયાળ ખોવાઈ હોવાની વાત યાદ આવે છે ,એક પછી એક વિદ્યાર્થીના ખિસ્સા તપાસ્યા હતા તેની યાદ આવે છે પણ ભાઈ ઘડિયાળ તારા ખિસ્સામાંથી મળી હતી
તેની યાદ નથી આવતી કારણ હું મારી આંખો સજ્જડ બંધ રાખીને ગજવા તપાસતો હતો !”

આવા શિક્ષક અને આવા વિદ્યાર્થી આજના સમયમાં પણ કયાંક જરુર હશે !

શિક્ષક તેમના વિદ્યાર્થીને ચોર ઠેરવે તો તે વિદ્યાર્થી ચોર જ બને અને કયો વિદ્યાર્થી ચોર છે તે પુરવાર કરવાની
ફિકર કરે નહી તે શિક્ષક બીજો શિક્ષક પેદા કરે !

વાતનું તારણ :- ઉગતા ગુનેગારને હડધુત કર્યા વગર તેને સુધારી શકાય !

Copy @Pravin Patel

પોઝિટિવ 50ની ઉંમરે




દોસ્તો!!
પચાસ વર્ષ વટાવી ગયેલા માટે -
:જરૂર વાંચો, વિચારો , અમલવારી કરશો

દોસ્તો!!આજનો યુગ ખુબજ
ઝડપથી બદલાઈ રહ્યો છે.
નિત નવા સંશોધનો ,
નવી ટેકનિકો ,
નવા નવા સાધનો ,
નવી ભાષા ,
ઈન્ટરનેટનુ વધતુ પ્રભુત્વ ...

સ્નાયુબળને બુદ્ધિએ
સંપુર્ણપણે સજ્જડ રીતે
હરાવી દીધુ છે.

આવા સંજોગોમાં
ખાનપાન
પહેરવેશ
વાતચીત
વર્તણુંક
ભાષા
આધુનિક યંત્રો અને
ટેકનિકો
દિવસરાત સતત
બદલતી રહે છે .

યુવા પેઢી તેની
ઉંમરના જોશને લીધે
સતત અપડેટ થઈ
સમય સાથે તાલ મિલાવવામાં
મહદ્ અંશે સફળ થતી
હોય છે .
આવા સમયે
પચાસ વટાવી ચુકેલા
પ્રૌઢોએ હાર માનવાની
જરુર નથી ...

આપણી પાસે
અનુભવના ભાથા સાથે
હજુ પણ શરીર
સક્ષમ જ હોય ત્યારે ..

“ આપણે હવે ક્યાં જરુર છે ?
આપણે હવે મોટા થઈ ગયા.
આપણ ને ના શોભે..
આપણ ને ના આવડે ..
છોકરા’વ ને પુછું...
ઈ ઝંઝટ માં શુ કામ પડવુ ?”

આવુ મોટા ભાગના
લોકો પાસે સાંભળવા મળે છે

શા માટે ?

જો આજે જ
આ પરિવર્તનના રસ્તે
હાર માની ને
બેસી રહેશો તો .....
આવતા દશ વર્ષ માં જ પાછલા સો વર્ષ જેટલુ પરિવર્તન આવવાનુ છે ત્યારે આપણે દશ વર્ષમાં જ એટલા પછાત અને
outdated થઈ જશુ કે આવતી પેઢી આપણને પરગ્રહવાસી ( allian)ની
નજરે જોશે

“તમને નો ખબર પડે ...!
તમને એ ના ફાવે ...!!
તમારુ કામ નથી ..!!!
તમને ના સારુ લાગે ...!!
તમો વચ્ચે ના બોલો ...!!!

આવા શબ્દોના મારા સામે અસહાય બની
“ચકળવકળ “ ડોળાથી
બાઘા બનીને જ રહેશો ....તો આ ઝડપી જમાના અને આગલી પેઢી સાથે કદમ પે કદમ ચાલવા
શુ કરવુ જોઇએ ?
🤔😳🤔 ...

૧:- હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ,સુઘડ અને ફેશનેબલ રહો ...

૨:- વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .

૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .

૪:- યુવાનો સાથે સતત સંપર્ક જાળવો અને નવી નવી શોધો , ટેકનિકો સાથે અપડેટ રહો. જેમકે યુવાનોની જેમજ ઈન્ટરનેટ,મોબાઈલ,કોમ્યુટર, ગવર્મેંટના નવા નવા નિયમો, નવા વાહનો,નવી ફેશન,
નવતર મસ્તી .. વગેરે યુવાનોના સંપર્ક થી જ મળે ..
આ માટે તમારા બાળકોના વાલી નહી ખાસ મિત્ર બનો .
મનને પુછો ... એને આવડે ને મને કેમ નહી ?

૫: સતત અપડેટ રહો.પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતાં જ ગંધાવા લાગે.માટે સતત અપડેટ રહેવાનો સૌથી મોટો ઉપાય છે .. સોશ્યલ મિડીયા,ટીવી,ન્યુઝ પેપર અને તંદુરસ્ત વિચારોવાળા સાથે ગોષ્ઠી..

૬:- ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો

૭:- બાળકો પાસેથી સતત નવા ખાનપાન,ફેશન વિશે જાણો .

૮:- દેવ દર્શન સવાર પુરતા જ રાખો.દેશ અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .

૯:- કથા,પ્રવચન, ભજનો , ડાયરા, માંડવા,હરદ્વારની હડીયાપટ્ટી વગેરે સાવ માપના રાખો. દુનિયાને બતાવવા ધાર્મિક ના બનો.એમાં લાભ કરતાં નુકશાન વધુ છે.

૧૦: - શીશુ અવસ્થાથી માંડી ને ૫૦ વર્ષે પણ જે પોતાના દેશ કે ધર્મ,સમાજ(જાતી નહી સમુહ)ને કામ ના આવ્યો હોય તે પછી લંગોટી પહેરી ભક્ત હોવાનો દેખાવ કરે તેની પાછળથી તમામ મશ્કરી જ કરે !!!

૧૧:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય કરતા રહો. હાથ કે હથીયાર હેઠા મુકો તો તુરંત નકારત્મકતા તમને ઘેરી લેશે.તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ ક્રુપા છે.પાછલી જિંદગી એ તો બોનસ છે.શોખ અને વટથી માણો. ઢસરડા કરીને નહી ..

Wednesday, June 3, 2020

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પ્રકરણ - 2)

ભાગ પહેલો ......

પ્રકરણ - ૨

મોહનદાસ કરમચંદ ગાંધી


પોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઇ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઇશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઇસ્‍કૂલમાં. આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ? ’ એવી બીક પણ રહેતી.

હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઇ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઇ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું.

આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજયો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.

આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઇ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઇએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભકિત નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઇ જાય છે એ દશ્‍ય પણ મેં જોયું. બન્‍ને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.

આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્‍યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પ્રકરણ - 1)

ભાગ પહેલો ....

પ્રકરણ - ૧

*મોહનદાસ કરમચંદ ગાંધી*

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજયમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઇએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઇ ચૂકયો છે.’ ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઇઓ ઓરમાયા હતા એવો ખ્‍યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્‍લા તુલસીદાસ ગાંધી. બંને ભાઇએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડયા પછી પોતે રાજસ્‍થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્‍શનર હતા.

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્‍યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્‍યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં. પિતાશ્રીએ દ્રવ્‍ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્‍યો. તેથી અમે ભાઇઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.

પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્‍યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્‍કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્‍ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્‍વરે પાઠ કરી જતા.

માતા સાધ્‍વી સ્‍ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્‍યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્‍મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્‍ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્‍ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્‍યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય.

માતા વ્‍યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઇ કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે. આ માત પિતાને ત્‍યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.

બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ ‍નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્‍કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઇ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છુ કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશકિત જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઇએ:

એકડે એક , પાપડ શેક; પાપડ કચ્‍ચો, --- મારો—

પહેલી ખાલી જગ્‍યાએ માસ્‍તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્‍છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્‍યકતા ન હોય.

Monday, June 1, 2020

કોરોના કાળ અને મધ્યમ વર્ગ

રસ્તામાં તરબૂચની દુકાન જોઈ.. મેં મારું એક્ટિવા બાજુ પર ઉભું રાખ્યું.. અને ત્યાં ગયો.. હું વિચારતો હતો.. આ સીઝનમાં એક પણ વખત તરબૂચ મારા પરિવાર માટે નથી લઈ ગયો.
આખર તારીખ હતી.. આગળ પગારમાં કેટલું મોડું થશે એ પણ ખબર ન હતી..
પણ સાથે સાથે વિચાર આવ્યો.. તરબૂચની સીઝન જતી રહેશે.. તો.. પરિવાર તો સમજુ છે.. એ કોઈ દિવસ મને નહીં કહે કે.. પપ્પા આ વખતે તરબૂચ કેમ ન લાવ્યા ? પણ હું આખું વર્ષ મારી જાત ને અપરાધી ગણતો રહીશ.

ત્યાં મારી નજર કેરીની પેટી ઉપર પડી.. મેં વિચાર્યું.. આ સીઝન ચાલુ થઈ ગઈ.. કેરી પણ ઘરે નથી લઈ ગયો.

કેરી અને તરબૂચ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવાર અટવાયો.. તો પણ હિંમત કરી.. મેં પૂછ્યું.. ભાઈ, કેરી ની પેટી નો ભાવ શું છે ?

એ બોલ્યો 900 રૂપિયા.. તમારા માટે 850 રૂપિયા.. 9kg આવશે.. એકદમ સાકાર જેવી મીઠી.. જુનાગઢની છે.. બોલો કેટલી પેટી આપું ?
એ બોલતો રહ્યો અને હું વિચાર માં ખોવાઈ ગયો પાકીટમાં ફક્ત રૂપિયા 2000 છે.. રૂપિયા 850 ની પેટી.. ના..ના.. ન લેવાય.

હું ધીરેથી બોલ્યો.. છતાં દુકાનદાર સાંભળી ગયો.. એ બોલ્યો.. કેમ ના ના કરો છો ?

મેં વાત બદલતા કીધું.. કેરી કાચી છે.. આ પહેલાં લઈ ગયો હતો.. 10 દિવસે માંડ પાકી હતી.
મનમાં તો હું જાણતો હતો.. ગયા વર્ષે પેટી લીધી હતી.. આ વર્ષે તો હજુ શુકન પણ ક્યાં કર્યા છે...?
પણ આજુબાજુ ઉભેલામાં વટ તો મારવો પડે..

અને આ તરબૂચ નો શું ભાવ છે ? મેં કેરી તરફ થી ધ્યાન બીજી તરફ વાળ્યું.

20 રૂપિયે કિલો...

હું ખુશ થયો.. મનમાં બોલ્યો.. આ આપણા બજેટમાં ફિટ થાય છે.. એટલે મેં મોટું તરબૂચ ગોત્યું...
મન માં વિચાર્યું.. કાલે રવિવાર છે.. આજે રાત્રે સમારી ફ્રિઝમાં મૂકી દઈશ.. અને રવિવારે બપોરે બધા આનંદ થી સાથે ખાશું...

દુકાનદાર જોરથી બોલ્યો.. સાહેબ સાત કિલો થાય છે.

હવે તો કોઈ સાહેબ કહે તો પણ ગાળો આપતો હોય તેવું લાગે છે.. અહીં અમને ખબર છે આખર તારીખ માં ટૂથપેસ્ટ પર વેલણ ફેરવિયે છીયે.. બ્લેડનો પણ કસ છેલ્લાં દિવસોમાં કાઢવા જતાં.. લોહી લુહાણ થઇ જઇયે છીયે..
અહીં અંડરવેર પણ બહારની દોરીએ સુકવાય નહીં.. તેવી દશા અને દિશા મધ્યમવર્ગની થઈ ગઈ છે..
અને આ લોકો.. સાહેબ સાહેબ કરી.. અને આપણી હવા ભરે છે.

મેં પણ કોલર ઉંચી કરી કીધું.. જેટલું થાય એટલું કરી દે.. મનમાં તો ટોટલ રકમ ગણી લીધી હતી.. ચલો 140 રૂપિયામાં રવિવાર ઉજવાઇ જશે.

અંદરથી ખુશી સાથે.. હું તરબૂચ લઈ ઘરે પહોંચ્યો..
બાળકો ખુશ થઈ ગયા.

હજુ મારી પત્ની મને ઠંડુ પાણી આપે છે.. ત્યાં મારી નાની દીકરી કહે પપ્પા.. સ્કૂલની વાન વાળા અંકલ આવ્યા હતા.

મારી પત્ની બોલી.. હજુ પપ્પાને બેસવા તો દે.

હું સમજી ગયો હતો‌.. ચાર મહિનાનું વાનનું ભાડું લેવા આવ્યો હશે.. હાથમાં પકડેલ ઠંડુ પાણી જાણે ગરમ થઇ ગયું હોય.. તેવો અનુભવ થયો.. છતાં પણ હિંમત હાર્યા વગર મેં કીધું.. હવે એ અંકલ આવે.. તો મારો મોબાઈલ નંબર આપી દેજે.. હું વાત કરી લઈશ.

અહીં રોજ સવાર પડે મુસીબતોનું લિસ્ટ સામે હોય.. સાંજ પડતાં તો લડતાં લડતાં થાકી જઇયે.. અને સવારે બીજું લિસ્ટ તૈયાર હોય.. અહીં મુસીબત સાથે લડતાં લોકો શીખી ગયા છે.. હવે કોઈ કોરોના સાથે લડવાની વાત કરે.. ત્યારે હસવું આવે.. સાથે કહેવાની ઈચ્છા પણ થાય આવી જા કોરોના.. તું પણ બાકી ન રહેવો જોઈએ.

શનિવારે રાત્રે આખો પરિવાર આનંદ સાથે તરબૂચ સમારવા બેઠો.. જેવા તરબૂચના બે કટકા થયા.. ત્યાં..
તરબૂચ મધ્યમવર્ગીય પરિવારના નસીબ જેવું નીકળ્યું..
સાત કિલો તરબૂચમાં ખાઈ શકાય તેવો ભાગ માત્ર કિલો પણ નહીં.. આખું તરબૂચ સફેદ.. વચ્ચેનો ખોબા જેવો ભાગ લાલ ખાવા જેવો.

ઘરના બધાં મારી સામે જોવા લાગ્યા.. જાણે તરબૂચ મેં બનાવ્યું હોય.. મેં પણ ભગવાનની સામે જોઈ ધીરે થી કીધું.. હે ભગવાન, સરકાર તો મધ્યમ વર્ગની મજાક ઉડાવે છે.. હવે તેં પણ ચાલુ કર્યું ?

મારી પત્ની ધીરે થી બોલી.. દુકાનવાળો છેતરી ગયો.

મેં કીધું.. ડાર્લિંગ.. આપણે એક તરબૂચ ખરાબ નીકળ્યું.. તે પણ દુકાનદારે નથી બનાવ્યું.. છતાં એ છેતરી ગયો એમ કહીયે છીયે.

મેં પરિવારને હિંમત આપતા કીધું.. ચિંતા ન કરો.. કાલે નવું તરબૂચ કપાવી ને આવીશ.

ત્યાં મારી નાની છોકરી બોલી.. પપ્પા તરબૂચ કરતાં.. કેરી જ લઈ આવજો.. હું તેની સામે જોઈ રહ્યો.. તેને કેમ સમજાવવું કે હવે પુરા બે હજાર રૂપિયા પણ પાકીટમાં નથી.

ત્યાં મારી પત્ની મારી આબરૂ બચાવવા વચ્ચે બોલી.. બેટા, આ વખતે કોરોના ના કારણે આપણે કેરી ન ખાવી જોઈએ.

હું ભીની આંખે તરબૂચ સામે જોઈ ઉભો થયો.. ખૂણામાં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો.. હે ભગવાન, કાં તો ભિખારી બનાવ.. કાં ધનવાન.. આમ અમને વચ્ચે લટકતા ન રાખ.. ગાલે તમાચા મારી મોઢું લાલ રાખતાં હવે થાક લાગે છે.. આ મારી નાની છોકરીને તું જ હવે જવાબ આપ.. કેરી ખવાય કે ન ખવાય ?

ત્યાં ઓચિંતો ડોર બેલ વાગ્યો..
મેં બારણું ખોલ્યું.. એક વ્યક્તિ કેરી ની પેટી લઈ ઉભો હતો..
દવે સાહેબ નું ઘર..

મેં કીધું.. ભાઈ ગાળો ન આપ..

એ બોલ્યો.. સાહેબ મેં ક્યાં ગાળો દીધી..

સાહેબ ન કહે.. બાકી બધું કહે‌.. ચાલશે.. બોલ શું હતું.

આ કેરીની પેટી.. આ પરચીમાં સિગ્નનેચર કરો..

મેં જોયું.. તો અમારી સ્ટાફની ક્રેડિટ સોસાયટી એ આ વખતે વ્યાજને બદલે બે કેરી ની પેટી મોકલી હતી..

ખૂણામાં રાખેલ ભગવાનની મૂર્તિ સામે જોઈ.. હું બોલ્યો.. સાચું બોલજે મુરલીધર, આ પેટી તેં જ મોકલી છે ને ?

ઘરમાં આનંદ છવાઈ ગયો.. ત્યાં મારી નાની છોકરી બોલી.. પણ પપ્પા, કેરી તો ન ખવાય.. એવું મમ્મી હમણાં કહેતી હતી.

મેં તેના માથે હાથ ફેરવી કીધું.. બેટા આ સ્પેશ્યલ દવા છંટાવી તારા માટે જ મંગાવી છે.

હું અને મારી પત્નિ ભગવાનની મૂર્તિ સામે ભીની આંખે જોઈ બોલ્યા.. પ્રભુ, આ મધ્યમવર્ગ જીવે છે ફક્ત તારા ભરોસે.. અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતવરણ ઊભું થઇ રહ્યું છે..

મારાથી સ્માઈલ આપતાં બોલાઈ ગયું.. હે પ્રભુ, હવે તારી કસોટી છે..
જોઈએ તું જીતે છે.. કે અમે હારીયે છીયે..

ચોપાટ માંડી છે તારણહાર તે..
હારીશ નહીં.. થાકિશ જરૂર..
ફેંકવા હોય એમ ફેંકજે પાસા..
દાવ મારો પણ બાકી છે..
હારવા રમ્યો નથી.. જીત મારી પાકી છે..
આજ ભલે પડે અવળાં પાસા મારા..
કાલ તો હજી મારી બાકી છે..

#પાર્થિવ

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...