Friday, June 5, 2020

પોઝિટિવ 50ની ઉંમરે




દોસ્તો!!
પચાસ વર્ષ વટાવી ગયેલા માટે -
:જરૂર વાંચો, વિચારો , અમલવારી કરશો

દોસ્તો!!આજનો યુગ ખુબજ
ઝડપથી બદલાઈ રહ્યો છે.
નિત નવા સંશોધનો ,
નવી ટેકનિકો ,
નવા નવા સાધનો ,
નવી ભાષા ,
ઈન્ટરનેટનુ વધતુ પ્રભુત્વ ...

સ્નાયુબળને બુદ્ધિએ
સંપુર્ણપણે સજ્જડ રીતે
હરાવી દીધુ છે.

આવા સંજોગોમાં
ખાનપાન
પહેરવેશ
વાતચીત
વર્તણુંક
ભાષા
આધુનિક યંત્રો અને
ટેકનિકો
દિવસરાત સતત
બદલતી રહે છે .

યુવા પેઢી તેની
ઉંમરના જોશને લીધે
સતત અપડેટ થઈ
સમય સાથે તાલ મિલાવવામાં
મહદ્ અંશે સફળ થતી
હોય છે .
આવા સમયે
પચાસ વટાવી ચુકેલા
પ્રૌઢોએ હાર માનવાની
જરુર નથી ...

આપણી પાસે
અનુભવના ભાથા સાથે
હજુ પણ શરીર
સક્ષમ જ હોય ત્યારે ..

“ આપણે હવે ક્યાં જરુર છે ?
આપણે હવે મોટા થઈ ગયા.
આપણ ને ના શોભે..
આપણ ને ના આવડે ..
છોકરા’વ ને પુછું...
ઈ ઝંઝટ માં શુ કામ પડવુ ?”

આવુ મોટા ભાગના
લોકો પાસે સાંભળવા મળે છે

શા માટે ?

જો આજે જ
આ પરિવર્તનના રસ્તે
હાર માની ને
બેસી રહેશો તો .....
આવતા દશ વર્ષ માં જ પાછલા સો વર્ષ જેટલુ પરિવર્તન આવવાનુ છે ત્યારે આપણે દશ વર્ષમાં જ એટલા પછાત અને
outdated થઈ જશુ કે આવતી પેઢી આપણને પરગ્રહવાસી ( allian)ની
નજરે જોશે

“તમને નો ખબર પડે ...!
તમને એ ના ફાવે ...!!
તમારુ કામ નથી ..!!!
તમને ના સારુ લાગે ...!!
તમો વચ્ચે ના બોલો ...!!!

આવા શબ્દોના મારા સામે અસહાય બની
“ચકળવકળ “ ડોળાથી
બાઘા બનીને જ રહેશો ....તો આ ઝડપી જમાના અને આગલી પેઢી સાથે કદમ પે કદમ ચાલવા
શુ કરવુ જોઇએ ?
🤔😳🤔 ...

૧:- હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ,સુઘડ અને ફેશનેબલ રહો ...

૨:- વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .

૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .

૪:- યુવાનો સાથે સતત સંપર્ક જાળવો અને નવી નવી શોધો , ટેકનિકો સાથે અપડેટ રહો. જેમકે યુવાનોની જેમજ ઈન્ટરનેટ,મોબાઈલ,કોમ્યુટર, ગવર્મેંટના નવા નવા નિયમો, નવા વાહનો,નવી ફેશન,
નવતર મસ્તી .. વગેરે યુવાનોના સંપર્ક થી જ મળે ..
આ માટે તમારા બાળકોના વાલી નહી ખાસ મિત્ર બનો .
મનને પુછો ... એને આવડે ને મને કેમ નહી ?

૫: સતત અપડેટ રહો.પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતાં જ ગંધાવા લાગે.માટે સતત અપડેટ રહેવાનો સૌથી મોટો ઉપાય છે .. સોશ્યલ મિડીયા,ટીવી,ન્યુઝ પેપર અને તંદુરસ્ત વિચારોવાળા સાથે ગોષ્ઠી..

૬:- ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો

૭:- બાળકો પાસેથી સતત નવા ખાનપાન,ફેશન વિશે જાણો .

૮:- દેવ દર્શન સવાર પુરતા જ રાખો.દેશ અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .

૯:- કથા,પ્રવચન, ભજનો , ડાયરા, માંડવા,હરદ્વારની હડીયાપટ્ટી વગેરે સાવ માપના રાખો. દુનિયાને બતાવવા ધાર્મિક ના બનો.એમાં લાભ કરતાં નુકશાન વધુ છે.

૧૦: - શીશુ અવસ્થાથી માંડી ને ૫૦ વર્ષે પણ જે પોતાના દેશ કે ધર્મ,સમાજ(જાતી નહી સમુહ)ને કામ ના આવ્યો હોય તે પછી લંગોટી પહેરી ભક્ત હોવાનો દેખાવ કરે તેની પાછળથી તમામ મશ્કરી જ કરે !!!

૧૧:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો. છેલ્લે સુધી કાર્ય કરતા રહો. હાથ કે હથીયાર હેઠા મુકો તો તુરંત નકારત્મકતા તમને ઘેરી લેશે.તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ ક્રુપા છે.પાછલી જિંદગી એ તો બોનસ છે.શોખ અને વટથી માણો. ઢસરડા કરીને નહી ..