Monday, April 22, 2024

ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા

  વર્ષોથી મનમાં થયા કરતું હતું કે માં નર્મદાની પરિક્રમા કરૂ પરંતુ સમય અને સંજોગો અનુકૂળ થતા નહોતા કોઈકે સાચું જ કહ્યું છે કે પરિક્રમા એ જ કરી શકે જેને માં પોતાના તીરે  બોલાવે. ? આમ તો હું સંસારમાં રહેતો અલગારી જીવ થોડામાં ઘણું માની મસ્તીથી જીવવું એ જ અભિલાષા અને સિદ્ધાંત હમણાં હમણાં ઘણી વાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી અને મા અંબા ના ગબ્બરની 52 શક્તિપીઠ ની પરિક્રમા પણ કરી સાથે સાથે કોઈપણ ધાર્મિક સ્થાન ના દર્શન કરવા મને ખૂબ ગમે જેથી ઘણીવાર કાઠીયાવાડ માં રહેલા આપણા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેવાનું ગમે મારો જન્મ કાંકરેજ તાલુકાના નાનકડા ગામ કસલપુરામાં થયો છે અને મારા ઘરથી બનાસ નદી થોડા જ અંતરે વહે છે અમે નાના હતા ત્યારે એમાં બારેમાસ પાણી વહેતું અને અમે ખૂબ જ નહાતા અને રમતા એ જૂની યાદો અને પ્રકૃતિ જોડેનો મારો નાતો ખૂબ જ પુરાણો સાથે સાથે ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે પુરાતન સ્થાપત્ય શિલ્પો મંદિરો નદીઓ અને પર્વતો પ્રત્યે પ્રગાઢ વળગણ 

       આવી મનોસ્થિતિ ના કારણે વર્ષોથી થતું હતું કે મા નર્મદા ની પરિક્રમા જરૂર કરવી છે કેમકે મ રેવા અહીં પણ આપણા ઉત્તર ગુજરાત રાજસ્થાન અને કચ્છ જિલ્લા સુધીની જીવાદોરી નું કામ કરે છેઃ એટલે હવે (નદી નહીં કહું) માં રેવા ના દર્શને જઈને માનો સાક્ષાતકાર કરવો છે એવી અદમ્ય ઈચ્છા હતી 

              એવામાં જ અત્યારે ત્યાં જવા માટેની જે લાગણીઓ હતી એ હવે શાંત થતી નહોતી એ ઊર્મિઓનો વેગ હવે સહી ના શકાય એટલો પ્રચંડ બની ગયો અને મે જવાનું નક્કી જ કરી લીધું 

મા રેવાની પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં શરૂ થાય છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી થઈ અને જવા માટેની બધી જ તૈયારી કરી લીધી ત્યાં ગરમી ન લાગે એટલા માટે ટોપી ઝભ્ભો કેનવાસના બુટ રાત્રી રોકાણ કરવા માટેનો સામાન બધી જ તૈયારી કરીને સવારે વહેલા પ્રભાતે ગાડી લઈને નીકળ્યા એ વખતનો આનંદ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી કોઈ કવિ શ્રી એ કહ્યું છે ને કે 

  ઘટમાં ઘોડા થનગને આતમ વિઝે પાંખ વણ દીઠેલી ભોમ પર યોવન માડે આંખ 

            આવી મનોદશામ માં માની પરિકરમાં સ્થળે પહોંચવા નીકળી પડ્યા પાટણથી શરૂઆત કરી વચ્ચે ડાકોર શ્રી રણછોડરાયના દર્શન કર્યા અને બપોરે તો છેક ગરુડેશ્વર દત્ત ભગવાનના મંદિરે પહોંચી ગયા ત્યાંથી પરિક્રમા જવાના રૂટ ની શરૂઆત થાય છે એ ગામ જુના રામપુરા પહોંચવાનું હતું લગભગ ચાર વાગે ત્યાં પહોંચ્યા જ્યાંથી માં નર્મદા મૈયાની ઉત્તરકોશી પરિક્રમા શરૂ થાય છે અને લોકો ત્યાંથી પરિક્રમા ની શરૂઆત કરે છે ત્યાં પહોંચીને જોઉં છું તો 

     અ હા હા ?? શું મનોહર દ્રશ્ય છે ત્યાંનું ભેખડ ઉપર ઉભા રહીને જોઈએ તો એક બાજુ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ તિલકવાડા કે જ્યાં સુધીની પરિક્રમા કરવાની હતી એ સ્થળ સ્પષ્ટ થયું. ઘણા વર્ષોથી જોયેલ સ્વપ્ન સાકાર થતું હતું આટલા બધા કિલોમીટર ગાડી સતત ચલાવી હોવા છતાં થાકનું કોઈ નામો નિશાન ન હતું. આમ તો બે કલાક સતત ગાડી ચલાવું તો પણ થાક લાગે પરંતુ આજે સતત સાત કલાક ગાડી ચલાવી હોવા છતાં થાક કંટાળો કે આળસ નું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું આ ને મા રેવાનો સાક્ષાત્કાર જ કહીઁ શકુ 

    માં રેવાના તીરે ઉભો રહીને જોઉં છું તો ઊંચી ઊંચી ભેખડો જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવા ઘટાદાર વૃક્ષો કિનારાને અડીને અડીખમ ઉભેલ આશ્રમો અને ભગવાન રણછોડરાયનું મંદિર બાજુમાં જ આવેલ યોગાનંદ આશ્રમ અને માં રેવાનું પવિત્ર અને પુણ્યશાળી વાતાવરણ  અજબ શાંતિ આપી રહ્યું હતું માનો પટ નિહાળતા નિહાળતા ઘણો સમય વીતી ગયો જેનું ભાન જ ન રહ્યું

              સાંજની સંધ્યા આરતીની ઝાલર વાગી અને એ સંભળાણી ત્યારે જ લાગ્યું કે સાંજ થઈ ચૂકી છે અને હું જાગ્રત અવસ્થામાં આવ્યો મન તંદરામાંથી જાગૃત થયું જાણે (સમાધિ લાગી ગઈ ) હતી તે દૂર થઈ 

         સૌની સાથે રણછોડરાય ભગવાનની આરતીના દર્શન કરી એમાં સહભાગી થવા પગ ઉપાડ્યા રામપુરા ગામનું આ મંદિર નવું છે  ભગવાનના દર્શન કર્યા આરતી લીધી અને સાંજ થઈ અંધારાના ઓળા ધરતી પર ઉતરવા લાગ્યા હવે ભૂખ પણ લાગી હતી પરંતુ પ્રથમ વિચાર એ આવ્યો કે પહેલા માના પાવન પવિત્ર જળમાં સ્નાન કરું પછી જ વાળું કરીશ સાથે લાવેલ નહાવાનો સામાન લઈ નદી કિનારે ચાલ્યો  ત્યાં ફુવારા ની પણ સુંદર વ્યવસ્થા કરેલી હતી ઘણો લાંબો સમય સ્નાન કર્યુ ઠંડુ પાણી અને આખો દિવસ ગાડી ચલાવી હોવાથી નાહવાની જે મજા આવી રહી હતી એનું વર્ણન શબ્દ દ્વારા શક્ય નથી મન અને તન પ્રફુલિત થઈ ગયા નાહીને ફ્રેશ થયા પછી જમવા જવાનું હતું અહીં એક વાત ખાસ જણાવું કે જમવા માટે અહીં સુંદર વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ મંદિરો અને આશ્રમ તરફથી કરવામાં આવી હતી અહીં ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા હતી અમે યોગાનંદ આશ્રમ ગયા પ્રસાદમાં મોહનથાળ ખીચડી કઢી ભુંગળા અને આચાર સાથે છાશ હતી પેટ ભરીને નહીં કહું પરંતુ મન ભરીને ખાધું શુદ્ધ અને સ્વાક્તિક ભોજન માણ્યા પછી આશ્રમના દર્શન કર્યા જૂની બાંધણીનો સુંદર આશ્રમ જ્યાં સેવાભાવી લોકો પરિક્રમા વાસીઓની ખડે પગે સેવા કરી રહ્યા હતા અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા હતા એની બાજુમાં જ આવેલ રણછોડરાયનું મંદિર જ્યાં રહેવાની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું રાત્રે મોટો અને ખુલ્લો હોલ સુવા માટે નો હતો ત્યાં ઘણા પરિક્રમા વાસીઓ સાથે સુવાની વ્યવસ્થા હતી પરંતુ આંખોમાં નીંદર આવતી નહોતી એવું લાગતું હતું કે ક્યારે સવાર થાય અને પરિક્રમા ની શરૂઆત કરું એ જ વિચારમાં પડખા ફેરવી સવારની રાહ જોઈ રહયો છું.


સાભાર :- D.K. Raval 

Wednesday, April 17, 2024

લિન્ચપિન

લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

સરળ ભાષામાં સમજીએ તો અત્યારે જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ એમાં વાસ્તવમાં કશું નવીન નથી. નોકરી હોય તો સૂચનાઓ લેવાની અને એ મુજબ કામ કરવાનું, ધંધો હોય તો એ જ ધંધો બીજા કેવી રીતે કરે છે એ જોઈને એ જ રીતે એ જ ઢબે કરવાનું, કલા હોય તો બીજા કેવી રીતે એમાં કામ કરે છે એ જોવાનું અને એમ જ આપણે પણ કરવાનું… હા, આ રીતે નોકરી, ધંધા અને કલાના ક્ષેત્ર ચાલ્યા કરે છે.

પણ તમે કદી એ વિચાર્યું છે કે કુદરત દરેક માણસને કંઈક અલગ બનાવે છે. દરેકમાં કંઈક અલગ શક્તિ મૂકે છે. તો પછી કરોડો માણસો કેમ એક જ રીતે જીવે છે ? કોઈના જીવનમાં કેમ ખાસ કંઈ ફરક નથી? જાણે સવારે મશીન ચાલ્યા કરે અને સાંજે સ્વિચ બંધ થાય એમ આખી દુનિયા સવારથી દોડે છે ને સાંજે સ્વીચ બંધ કરી હોય એમ સુઈ જાય છે. કારણ શું? કુદરતે આપેલી અલગ અલગ શક્તિ, સમજ, વિચારો એ બધાનો શું ફાયદો? એનો દુર્વ્યય નથી થતો?

હા, કેમ કે આપણે ચોકઠાઓમાં જીવવા ટેવાઈ ગયા છીએ. જે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું. એમાં જીવન તો ક્યાંય ખોવાઈ ગયું છે. એક યાંત્રિક જીવન શૈલી પ્રવર્તે છે. એમાં દરેકને ભય છે કે કાલે મારી જગ્યા છીનવાઈ જશે. કેમ કે બધા એકજેવા છે. એક નોકરી કરતા માણસને ભય છે કે કાલે મારી નોકરી જશે કેમ કે, એના જેવા અનેક એમ્પ્લોઈ બેઠા છે. એક ધંધાદારીને ભય છે કે કાલે મારો ધંધો નહીં ચાલે કેમ કે, એના જેવા અનેક ધંધા છે. બલ્કે એમ કહો કે એણે એવો ધંધો ચાલુ કર્યો છે જે અનેક લોકો કરે છે, બીજા અનેક કરશે અને કોઈ પણ માણસ એ ધંધો કરી શકે છે. એક કલાકારને ભય છે કે કાલે મારું નામ નહીં રહે.કેમકે, એણે બીજા કલાકારોને જે કરતા જોયા છે એમ જ કર્યું છે અને બીજા અનેક માણસોએ ક્ષેત્રમાં આવશે.

બસ આ જ સમસ્યાના નિવારણ માટે લિન્ચપિન બનવું જરૂરી છે. લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

કોઈ પણ નોકરી, ધંધા કે કલામાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ભયમુક્ત થઈને જીવવા માટે શું જરૂરી છે તમારું લિન્ચપિન બનવું. જે બનવાની પણ જરૂર નથી. કેમ કે તમે પહેલેથી જ છો. કુદરતે તમને બનાવ્યા છે. બસ આ સિસ્ટમમાં તમે ક્યાંક ટોળાનો હિસ્સો બની ગયા છો એટલે એ ઓળખ દબાઈ ગઈ છે.


• વિકી ત્રિવેદી


સાભાર :-

Linchpin 

લેખક Seth Godin ની book 



Monday, April 8, 2024

ભવિષ્યનું એજ્યુકેશન !

શિક્ષણ વિભાગનો કોઈ દિગ્ગજમાં દિગ્ગજ શિક્ષણશાસ્ત્રી પૂરા આત્મવિશ્વાસથી કહી શકે કે, જૂન ૨૦૨૪માં ધોરણ ૧માં દાખલ થનાર વિદ્યાર્થીને આગામી સમયમાં કયું શિક્ષણ મેળવવું જોઈએ ? જેથી તેને યુવાવસ્થામાં રોજગારી મળી રહે ! દુનિયા એટલી રફ્તારથી બદલાઈ રહી છે કે, તમારે તેની સાથે કદમ મિલાવવા દોડવું પડે. 


અત્યારે જે પેઢીની ઉંમર ૫૦ પ્લસ છે તે લગભગ લગભગ આઉટ ડેટેડ થઈ ગઈ છે. આજથી સો વર્ષ પહેલાં માં-બાપ પોતાનાં પુત્રને બે પસંદગી આપતા. કાં તો ભણ અને કાં તો ખેતરે આવ. જે બાળક ખેતરે જતો તે ખેતી શીખતો. એ “ખેતી” કરીને પોતાનું આખું જીવન પસાર કરતો. એટલે કે એક જ વ્યવસાયના આધારે જીવન જીવી જતો. તેને આજીવિકા બાબતે કોઈ સંઘર્ષ કરવો પડતો નહી. હવે એક જ વ્યવસાય પકડી રાખીને જીવવું ટફ છે. 


જે કંપની વર્કરોએ સમયની સાથે પોતાને અપડેટ ન કર્યા તેઓની છટણી થઈ ગઈ. માંડ એકાદ બે વર્ષ પહેલાં ટીવી પર કોડિંગ શીખવવાની એડ આવતી હતી. આજે ચેટ જીટીપીને ટેક્સ્ટ મેસેજથી આદેશ આપો એટલે કોડિંગ તૈયાર !!! કોડિંગ શીખવાનાર કંપનીનું ખરેખર બાળમરણ થઈ ગયું. સિંગાપુર નામનો નાનકડો દેશ આ વાત બહુ પહેલાં જાણી ગયો. ત્યાંની સરકારે ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અપડેટેડ અભ્યાસક્રમો બનાવ્યા. આ અભ્યાસક્રમોમાં તેઓ ભણવા જાય છે. સરકારે ૨૦૨૪ના બજેટમાં તેમને સબસિડી આપવાની જાહેરાત પણ કરી દીધી. જો તેઓ અપડેટ નહી થાય તો સરકાર પર બોજો બને એમ છે. 


કરિયાણાની દુકાનો નામશેષ થવાની અણી પર છે, ડ્રાયવર લેસ કારનાં પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. AI રોબોટોએ ફેકટરીઓમાં ફરજ બજાવવાની શરૂ કરી દીધી છે. (ના કોઈ યુનિયન, ના કોઈ વીમા પોલિસી, ના કોઈ કામના કલાકો, ના કોઈ માંગણીઓ, ના કોઈ બહાનાબાજી !)  AI ડોકટરો તૈયાર થઈ રહ્યા છે. વર્ગખંડમાં પાંચ કલાક એક જ જગ્યાએ બેસીને ભણવું બોરિંગ થવા લાગ્યું છે. IKEA નામની વર્લ્ડ લાર્જેસ્ટ ફોલ્ડિંગ ફર્નિચર કંપનીએ ફોલ્ડિંગ ઘર બનાવ્યા છે. કડિયા, સુથાર, મજૂરો, આર્કિટેક બધાંની બાદબાકી ! 


SORA નામની એક વેબસાઈટ તમે જે પ્રમાણે નિર્દેશ આપો તે પ્રમાણેનો વિડીયો બનાવી આપે છે. એ પણ એટલો આબેહૂબ હોય છે કે જોનાર કહી ન શકે કે આ કોઈ AI જનરેટેડ વિડીયો છે. SORA એ ચેટ જીટીપીની જ પેટા કંપની છે. કવિઓ, લેખકો, આર્ટ ડિરેક્ટરો, સંગીતકારો થોડાંક સમયનાં મહેમાન છે. 


હવે કહો કે, એજ્યુકેશન કેવું હોવું જોઈએ ? લગભગ દસેક વર્ષ પહેલાં અમેરિકાએ ઈરાન પર માનવરહિત ડ્રોન વડે હુમલો કર્યો હતો. તે વખતે એ વાતની ખૂબ ચર્ચા થઈ કે, જો વિમાનો માનવરહિત થઈ જાય તો પાઈલોટને ઘરે બેસવાનો વારો આવે ! વાત સાચી છે. આનાથી તો બેરોજગારી વધે ! ત્યારે યુએસએના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ માનવરહિત પ્લેન ઉડાડવા માટે ત્રીસથી સો માણસનો સ્ટાફ જોઈએ !!! મતલબ ત્રણ પાઈલોટની નોકરી ખાઈને ત્રીસ માણસો માટે રોજગારી સર્જી ! તો પછી પાઈલોટની કોલેજને મારો ગોળી ને આપણે ત્રીસ માણસોની નોકરીવાળા અભ્યાસક્રમમાં જોડાઓ. 


પેટ્રોલ, ડીઝલ કાર રીપેર કરનાર ગેરેજવાળો લાંબુ નહી ખેંચે. તેણે ઈલેક્ટ્રિક વ્હીકલનું સમારકામ શીખવું પડશે .. હું તો કહું છું સાથેસાથે હાઈડ્રોજન વ્હીકલનું પણ વિચારવા માંડે. રેડિયો-ટીવી રિપેરીંગની જગ્યાએ સોલાર પેનલ રીપેરીંગ !!!



સાભાર :-

લેખક :- જે.કે.સાંઈ




Saturday, April 6, 2024

जयपुर

 जयपुर में रहने के लिए सबसे सस्ती और बढ़िया जगह। प्रेम प्रकाश विश्राम गृह, एम आई रोड, जयपुर। रेलवे स्टेशन से आधा कि.मी। ऑटो वाले को 50 से ज्यादा न दे, अंजान लोगो से ज्यादा मांगते है। जैसा की सभी जगह होता है। M.I. रोड पर आपको इतनी बढ़िया जगह, इतनी सस्ती मिल ही नही सकती। इस जगह को आप दिल्ली के कनॉट प्लेस से तुलना कर सकते है। टूरिस प्लेसिस सभी आसपास ही है। कुछ यहां के नियम है जो आपको फॉलो करने पड़ते है। #jaipur #Cheapest #best #hotel #guesthouse #dharamshala #stay #nearrailwaystation #jaipurtravel #homestay #premprakashvishramgrah

Wednesday, March 27, 2024

Lakshmi Narasimha Temple

Lakshmi Narasimha Temple - Nampally Gutta



At a distance of 2 km from Nampally Bus Stop, 4.5 km from Vemulawada Bus Stand, 3 km from Vemulawada Temple & 32 km from Karimnagar, Telangana state. 

Lakshmi Narasimha Swamy Temple is situated at Nampally Gutta.


The temple is nestled on a small hillock on the Vemulawada - Karimnagar highway. It is a small shrine dedicated to Lord Lakshmi Narasimha, an incarnation of Lord Vishnu. The idol was carved out of the rock around which the temple was built. The visitors have to walk a few hundred steps that lead to the top from nearest the parking area at bottom. The climb is little steep may take up to 15 minutes.


One the way to the Narasimha temple, there is a temple for Naga Devatha. The temple was built in a model of Snake. Visitors can enter the shrine through the snake's belly - a long, winding tunnel. There are statues depicting the story of Prahalada and Hiranyakasipu. At the end of the tunnel, the statue of Lord Narasimha killing the demon Hiranyakasipu is present. There are also a few ancient idols of Naga Devatha. At the entrance of the temple, one can find a statue of Lord Narasimha breaking his way out of a pillar.


Video

Saturday, March 23, 2024

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી.."

સત્ય ઘટના🙏

અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે...

છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હોવાથી હવેની

બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...


મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..

કાકા કાકી આનંદી સ્વભાવના હતાં..

કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...


છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા ....


છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો....


બેટા... હવે.. અમે ગમે ત્યારે

પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...


મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?

તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે..

સગા.. સંબંધી... બધા અહીંયા..છે

દીકરી પણ ગામમાં... છે..

મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી...


બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ 

થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજાને મળશું...

સુખ દુઃખ ની વાતો કરશું...


કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો... 

બીજી વખત જાએ...

એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે  થોડી વાત કરી લે...આપણે મનમાં બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....


ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે..મળશે...તેવા ખ્યાલોમા હતા...પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...

ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..


બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા....

નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા..

એવું લાગી રહ્યું  છે.

તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પણ નથી...


અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પહેલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો..


"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."


હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પનાનો ભારત દેશ...જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી...નાના મોટાનું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સનું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....


ત્યાં ઘરડા કે બાળકને  જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..

મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..

વિચારતો વિચારતો  જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો...


ત્યાં એક મીઠો આવાજ આવ્યો...

અંકલ .." મે  આઈ હેલ્પ  યુ ?"


બેટા.. સોગંદથી કહું છું...

મને બે મિનિટ તો 

રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...

અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા 

May I  help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..

મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું  બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....

મેં માથે હાથ ફેરવી thank you કીધું....

બેટા ક્યાં રહે છે ?

અહીં હું મારા દાદા ને ત્યાં 

ક્રિસમશ વેકેશનમાં આવ્યો...છું. 


એટલે ઇન્ડિયામા નથી રહેતો ?

ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ...

એકબીજાએ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા...


બેટા હું વિચારતો હતો...નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને  આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...


આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..

ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...

ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...


ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી  આધુનિક નથી થવાતું...

આજના યુવાનોને  કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...

જ્યાં વાણી વર્તનના  ઠેકાણા નથી ત્યાં દેશનો  ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...


બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું  પણ આવે છે અને દુઃખ પણ થાય છે...


"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..".      આ  પોસ્ટ મને એટલી બધી સાચી લાગી કે કોપી પેસ્ટ કરી ને શેર કર્યા વિના રહી ના શકયો. ૧૦૦%  સાચી વાત છે એ  સ્વીકારવું ધણું અઘરું છે. આપણી આખી  સોસાયટી અત્યંત દંભી છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે.જેવા છે તેવા જ દેખાય છે.આપણા સમસ્ત સમાજની માનસિકતામા આમૂલ પરિવર્તન ની જરૂર છે.


સાભાર :-

FB Post

Thursday, March 21, 2024

STD 12 NEW PAPER STYLE

<![if !supportTabStrip]> <![endif]> <body> <p>This page uses frames, but your browser doesn't support them.</p> </body>

Saturday, March 16, 2024

STD 12 BA વિભાગ C માટેના Imp Question

 નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ


 ધોરણ 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ C માટેના Imp Question 


નીચે આપેલ અવશ્ય પાકું કરવું.  આમાંથી 2 માર્કસના પ્રશ્નો અવશ્ય પુછાય છે.


સંચાલનથી સમાજને ક્યા લાભ મળે છે ?

સંચાલનથી સમાજને નીચે મુજબના લાભ મળે છે.

➡️ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.

➡️ અલગ-અલગ વસ્તુ અને સેવાનું સર્જન કરી રોજગારીની તકોમાં વધારો કરે છે.

➡️ સમાજને વસ્તુ સસ્તી મળે છે. ધંધાકીય એકમો ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચે છે.


 ❓ કિંમત અંગેના નિર્ણયોમાં શાનો સમાવેશ થાય છે ?

કિંમત અંગેના નિર્ણયોમાં 

◼️શાખનીતિ, 

◼️વટાવનીતિ, 

◼️વેચાણનીતિ, 

◼️જથ્થાબંધ કે છૂટક વેચાણ,

◼️મધ્યસ્થીઓનું કમિશન 

વગેરે બાબતોનો સમાવેશ થાય છે.


સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે.

આ સપાટીમાં 

◼️સંચાલક મંડળ, 

◼️મેનેજિંગ ડિરેક્ટર 

◼️જનરલ મેનેજર, 

◼️CEO

વગેરેનો સમાવેશ થાય છે.


આયોજનનાં ઘટકો જણાવો.

(1) હેતુઓ, 

(2) વ્યૂહરચના, 

(3) નીતિ, 

(4) પદ્ધતિ/વિધિ, 

(5) નિયમો, 

(8) કાર્યક્રમ, 

(7) અંદાજપત્ર


ગૌણ યોજના એટલે શું ?

મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહે છે.

દા.ત., કાર બનાવતી કંપની ટાય ર બનાવવાં કે બહારથી ખરીદવાં તે અંગેનો જે નિર્ણય કરે, તેને ગૌણ યોજના કહેવાય.


નીતિ એટલે શું

આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યુહરચના કે રણનીતિ નક્કી કરે તેને નીતિ કહે છે.

દા.ત., વેચાણમાં વધારો કરવા શાખ કે ઉધાર નીતિ અને વટાવ કે ડિસ્કાઉટ નીતિ જેવી નીતિઓ અપનાવવામાં આવે છે.


 ❓ વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને ?

◼️જ્યાં ધધાકીય એકમનું કદ મોટું હોય, 

◼️વ્યવસ્થાતંત્રમાં ઝડપી નિર્ણયો લઇ શકાતા ન હોય, 

◼️ઉચ્ચ સપાટીએ કાર્યભાર ઓછો હોય તેમજ 

◼️વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય ત્યાં શક્ય બને છે.


ઉત્તરદાયિત્વ એટલે શું?

મદદનીશોને સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહિ તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. આ મદદનીશોને સોંપેલ કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓએ સંચાલકોને આપવા પડે છે. જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે.

દા.ત. હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહિ તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે 

તેના માટે જવાબદાર હિસાબો લખનાર એકાઉન્ટન્ટ હોતો નથી.


વિકાસ એટલે શું

ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ

ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. આથી તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ-વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા માટે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તેને વિકાસ કહેવાય છે.


તાલીમ એટલે શું ?

તળ સપાટીના કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.


પ્રતિક્ષા યાદી એટલે

ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી તેમાંથી જેટલી જરૂર હોય તેટલા ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતિક્ષાયાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે.


વિવિધ કસોટીઓ દ્વારા શું જાણી શકાય ?


◼️બૌદ્ધિક કસોટી દ્વારા :-

બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ 


◼️અભિરુચિ ક્સોટી દ્વારા :

જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય


◼️ધંધાકીય કસોટી દ્વારા :-

ઉમેદવારે જે કાર્ય કરવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહિં તે જાણી શકાય છે.


◼️મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા : 

ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ જાણી શકાય છે ?


તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.

"તાલીમ એટલે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન

કારખાનામાં કર્મચારીઓને તાલીમ આપવા માટે અલગ વિભાગો રાખવા પડે છે. તાલીમ અધિકારીની નિમણૂંક કરવી પડે છે. યત્રો, કાચોમાલ વગેરે સાધનોની ખરીદી કરવી પડે છે. કર્મચારીઓને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ (પગાર)આપવું પડે છે. 

આ દરમિયાન કાચા માલનો ઘણો બગાડ થાય છે. આ રીતે જોતાં તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે.

પરંતુ, તાલીમને કારણે થતા લાભ કે ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે.

જેમકે  તાલીમ આપવાથી કર્મચારીની કામ કરવાની ક્ષમતા વધે છે, બગાડ અને સમારકામ ખર્ચમાં ઘટાડો થાય છે, 

કર્મચારીઓના કામ કરવાનો જુસ્સો વધે છે.

કર્મચારી એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. 

આમ, તાલીમ ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવામાં આવે છે. એટલે તાલીમ આપવી જરૂરી છે. ભલે તે ખર્ચાળ હોય.


કર્મચારીઓની પસંદગી માટે કંઈ ચાર કસોટીઓ લેવામાં આવે છે.

(1) બુદ્ધિ કસોટી

(2) અભિરુચિ કસોટી

(3) ધંધાકીય કસોટી

(4) મનોવૈજ્ઞાનિક કસોટી


દોરવણીમાં ચાર તત્વોનો સમાવેશ થાય છે

(1) નિરીક્ષણ 

(2) અભિપ્રેરણ 

(3) નેતૃત્વ 

(4) માહિતીસંચાર.


નિરીક્ષણ એટલે ?

કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.

ટુંકમાં તાબેદારોને સોંપવામાં આવેલ કામનું તેમજ તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલ થાય છે કે નહી તેની ખાતરી મેળવવી કે ચકાસવું.


નેતૃત્વ

અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને નેતૃત્વ કહે છે. 

ટુંકમાં કોઈ પણ ધ્યેયની સિધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃતિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.


અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓના મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સમજાવો.

અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને સતત પ્રેરણા આપવામાં આવે છે. તેના કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. તેમને કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે, અને કાર્ય અનુસાર વળતા, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી તેને અન્ય કોઈ એકમમાં જવાની ઈચ્છા થતી નથી.

એટલે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.


ઉત્પાદન ચક્ર એટલે

કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થવાનો સમયગાળો. ટુંકમાં કાચા માલ માંથી વપરાશ લાયક માલ બનવા સુધી જે સમય લાગે તેને ઉત્પાદન ચક્ર કહેવાય.

જો આ સમયગાળો વધુ તેમ કાર્યશીલ મુડીની વધુ જરૂર, જેમ સમયગાળો ઓછો તેમ કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે.

લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો વધુ 

જયારે ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ વગેરેમાં આ સમયગાળો ઓછો હોય છે.

નાણાં બજારના સાધનો જણાવો.

(1) ટ્રેઝરી બિલ

(2) કોમર્શિયલ પેપર

(3) થાપણનું પ્રમાણપત્ર

(4) કોમર્શિયલ બિલ 

(5) કોલ /નોટીસ મની


કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત જણાવો.

કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય સમયનો તફાવત છે.

જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે.

જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે.


ડિમટિરિયલાઈઝેશન કે ડિમેટ એટલે શું?

ડિમટિરિયલાઈઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઈલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. 

ટુંકમાં ભૂતકાળમાં શેર કાગળના દસ્તાવેજ સ્વરૂપમાં આપવામાં આવતા હતા તેને ડિજિટલ સ્વરૂપે કનવર્ટ કરવાની પ્રોસેસ ને ડિમેટ કહેવાય છે.

ડીમટિરિયલાઈઝેશનને ટૂંકમાં ડિમેટ (Demate) તરીકે ઓળખવામાં આવે છે.


લેબલિંગના ઉપયોગો

પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો એટલે લેબલિંગ.

(1) લેબલ ગ્રાહકને પેદાશ ઓળખવામાં મદદ કરે છે.

(2) પેદાશની ગુણવત્તા અને પ્રકાર સહિતની સંપૂર્ણ માહિતી આપે છે. જેથી વપરાશ કરનારને પેદાશ અંગે બધી જ માહિતી મળી રહે

(3) પેદાશને ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે.

(4) પેદાશ માટે આકર્ષણનું વાતાવરણ ઊભું કરે છે.

(5) જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે મદદરૂપ બને છે.

(6) લેબલ સંસ્થાની નીતિવિષયક અને કાયદાકીય જરૂરિયાત સંતોષે છે.

માર્કેટિંગ મિશ્ર ના ઘટકો જણાવો અથવા માર્કેટિંગ મિશ્ર ના 4 P જણાવો


ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમુહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.

માર્કેટિંગ મિશ્રના ચાર ઘટકો છે. જેને 4P તરીકે ઓળખવામાં આવે છે.

(1) પેદાશ (Product)

(2) કિંમત (Price)

(3)  વિતરણ (Place)

(4) અભિવૃદ્ધિ(Promotion)


જાહેર હિતની અરજી અથવા PIL શું છે ?

કેટલીક બાબતો સમગ્ર સમાજને અસર કરતી હોય ત્યારે કોઈ વ્યકિત કે સમૂહને નુક્સાન થતું હોય તે વ્યક્તિ કે સમૂહ સામાન્ય કાગળ ઉપર સીધી અરજી જે તે રાજ્યની વડી અદાલત (હાઇકોર્ટ)ને અથવા સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ને કરી શકે છે. તેને જાહેરહિતની અરજી કહે છે.

કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ તરીકે દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરીને સુનાવણી કરે છે અને તે અરજી પર પોતાનો ચુકાદો આપે છે.


ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અથવા વાલી પણાનો સિદ્ધાંત


આ સિદ્ધાંત ગાંધીજીએ આપેલ.

તે મુજબ વાલીપણા સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ. 

ગ્રાહકો  માટે ગાંધીજી કહે છે કે "ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણા (ધંધાર્થીઓ) પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો ભાગ જ છે.

STD 12 BA વિભાગ D માટેના Imp Question

નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ


 ધોરણ 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ D માટેના Imp Question 


નીચે આપેલ અવશ્ય પાકું કરવું.  આમાંથી 3 માર્કસના પ્રશ્નો અવશ્ય પુછાય છે.


✒️ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો 

ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી

કાર્યો

1)  મુખ્ય અને ગૌણ હેતુઓ

2)  ટ્રસ્ટી

3)  વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરવી.

4)  અંદાજપત્રોને મંજુર કરવા.

5)  વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી.

6)  વ્યૂહાત્મક નિર્ણયો

7)  જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો, કાનૂની જોગવાઈને ધ્યાનમા રાખવી અને ઉકેલ

8)  યોજનાઓના ઘડતર, અમલીકરણ, દેખરેખ

9)  નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃ રોકાણ

10) વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ



પ્રશ્ન :- તળ સપાટીના કાર્યો

નિરીક્ષકોની સપાટી કે નિમ્ન સપાટી

( *અહીં સંચાલનનું કાર્ય ઓછું અને  વહીવટનું કાર્ય વધારે* )

1)  કાર્યોનું નિરીક્ષણ

2)  શિસ્ત અને જુસ્સો વધે.

3)  રોજિંદા કાર્યોનું આયોજન

4)  બદલી, બઢતી, તાલીમ

5)  સૂચનાઓ, હુકમો, કાર્યક્રમો મેળવવા.

6)  યંત્રોની ગોઠવણી, સમારકામ,     જાણવણી

7) સાધન સામગ્રી, કાચો માલ પુરા પાડવા

8)  કર્મચારીઓ ના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ 

9)  નિર્ણયો અને નીતિનો 

10)  તળ સપાટીની વિવિધ પ્રવૃતિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મોકલી આપવા.



સંચાલનની વ્યાખ્યા અને સ્વરૂપ (લાક્ષણિકતા)

પ્રશ્ન યાદ રાખવાનું સુત્ર :- (મુખ્ય મુદ્દાઓની યાદી)

*સસહેજ માનવી*

સર્વ વ્યાપી પ્રવૃત્તિ 

સતત ચાલતી પ્રવૃત્તિ

હેતુલક્ષી પ્રવૃત્તિ

જૂથ પ્રવૃત્તિ

માનવીય પ્રવૃત્તિ

નિર્ણય પ્રક્રિયા

વિજ્ઞાન, કળા અને વ્યવસાય


*સંચાલનના કાર્યો* અથવા

POSDCoRBC


👉 P (Planning) આયોજન

👉 O (Organising) વ્યવસ્થાતંત્ર (પ્રબંધ)

👉 S (Staffing) કર્મચારી વ્યવસ્થા

👉 D (Directing) દોરવણી

👉 Cor (Co-ordination) સંકલન

👉 B (Budgeting) અંદાજપત્ર

👉 C ( Controlling) અંકુશ


સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત કે તુલના

*(મુખ્ય મુદ્દાઓની યાદી)*👇👇👇

✒️ *સં સ સસલા ધ ઉ ની* 

✨ *મુખ્ય મુદ્દાઓ*✨


1️⃣ સંચાલન અને વહીવટ

2️⃣ સમાવેશ

3️⃣ સત્તા અને જવાબદારી

4️⃣ સંખ્યા

5️⃣ લાયકાત

6️⃣ ધ્યેય અને નીતિ ઘડતર

7️⃣ ઉત્તર દાયિત્વ

8️⃣ નિર્ણયો


સત્તા સોંપણીના મૂળ તત્વો

▪️ જવાબદારીની સોંપણી

▪️ સત્તા ની સોંપણી

▪️ઉત્તર દાયિત્વનું સર્જન



માનવ સંસાધન સંચાલન  (HRM) વિશે નોંધ લખો.

▪️કર્મચારીઓ મેળવવા, તેમને જાળવવા અને કેળવવા 

▪️ટુંકમાં કર્મચારીઓને લગતું આયોજન કરવું, અને તેમનો વિકાસ કરવો.

▪️ભરતી, પસંદગી, તાલીમ ઉપરાંત કર્મચારીના ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, સારી વેતન પ્રથા એટલે કે પગાર, કર્મચારીઓના કલ્યાણ તેમજ તેમના વિકાસ માટેની બાબતોનો સમાવેશ થાય છે.

▪️HRM થી સ્થિર કર્મચારી ઉભુ કરી શકાય છે.

▪️ કર્મચારીની ફેરબદલી ઘટે છે

▪️કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે.



રૈખીક વ્યવસ્થાતંત્ર

▪️સૌથી પ્રાચીન પ્રકાર છે.

▪️લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહેવાય છે.

▪️ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે.

▪️અહી સત્તા અને જવાબદારીની વહેચણી સીધી રેખામાં થાય છે..

એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ

▪️અહી ઔધોગિક એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે 

▪️દરેક વિભાગોમાં અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.

▪️અહી રચના કાર્ય મુજબ થતી નથી પણ વિભાગ મુજબ થાય છે.

▪️ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. 

▪️તેઓ નિર્ણયનો અમલ જનરલ મેનેજર જેવા અધિકારીઓ પાસે કરાવે છે. ▪️આ અધિકારીઓ સુપર વાઈઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ પાસે કાર્ય કરાવે છે.

▪️જ્યાં એકમ કદ માં નાનુ હોય અને કાર્ય ક્ષેત્ર મર્યાદિત હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે.



સારા વેચાણકર્તા કે સેલ્સમેનના લક્ષણો જણાવો.

▪️ વેચાણકર્તા સંભવિત ગ્રાહકને શોધી કાઢે છે.

▪️સ્માર્ટ, ચાલાક,વાચાળ, બોલકો, તંદુરસ્ત હોવો જોઈએ.

▪️કુશળ, બુદ્ધિ વાળો, ચતુર, આવડત વાળો હોવો જોઈએ 

▪️ગ્રાહકો સાથે વાત ચીત કરવાની કુશળતા, નવી વસ્તુઓ રજૂ કરવાની શૈલી આવડતી હોવી જોઈએ.

▪️ગ્રાહકને સમજાવવાની આવડત

▪️વસ્તુ અંગેની ટેકનિકલ માહિતી હોવી જોઈએ.

▪️પ્રમાણિક અને ચારિત્ર્ય વાળો હોવો જોઈએ.

▪️સેલ્સમેન ના કામ અંગે ગંભીર હોવો જોઈએ 

▪️વિનમ્ર અને સારી વર્તુણક હોવી જોઈએ.

▪️ઉત્સાહી, શિસ્ત વાળો, અને મહત્વકાંક્ષી હોવો જોઈએ.



વિકેન્દ્રીકરણનું મહત્વ

▪️વહીવટની જે સપાટીએ કામ કરવાનું હોય તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવે તેને વિકેન્દ્રીકરણ કહેવાય છે.

મહત્વના મુદ્દા :-

▪️ત્વરિત નિર્ણયો એટલે કે ઝડપી નિર્ણયો.

▪️ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો

▪️ અભીપ્રેરણમાં વધારો

▪️ સંચાલકીય પ્રતિભાનો વિકાસ

▪️ અસરકારક અંકુશ

▪️ સંવાદિતા એટલે કે સહકારનું સર્જન



આયોજન અને અંકુશનો બનેનો ભેગો  કોઈપણ પ્રશ્ન પૂછાય ત્યારે.

▪️આયોજન એટલે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની છે, તે કેવી રીતે કરવી તેની અગાઉથી વિચારણા કરવી તે અંગેની યોજના છે . 

▪️અંકુશ એટલે આયોજન મુજબ ધંધાની પ્રવૃત્તિઓ યોગ્ય રીતે થાય છે કે નહિ તે જોવાની કામગીરી છે.

▪️આયોજન પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી અને અંકુશ એ થઈ રહેલી પ્રવૃત્તિઓ ચકાસવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે .



ખાનગીકરણની હકારાત્મક અસરો :

(1) કાર્યક્ષમતામાં વધારો 

(2) રાજકીય દખલગીરી થતી નથી.

(3) ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ મળે છે.

(4) વ્યવસ્થિત માર્કેટિંગ થાય છે.

(5) આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે

(6) જવાબદારીનાં ધોરણો અમલમાં લેવાય છે.

(7) હરીફાઈવાળું વાતાવરણ સર્જાય છે.

(8) નવી શોધખોળનો લાભ

(9) સર્જનાત્મકતા અને નવીનતાનો લાભ 

(10) ઉત્પાદનનાં સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થાય છે.


કિંમતને અસર કરતા પરિબળો


1. પેદાશની પડતર

2. પેદાશની માંગ

3. બજારમાં હરીફાઈ



Thursday, March 7, 2024

Facebook Security settings

Facebook settings ના Password and Security સેક્શનમાં જઈ આટલું અવશ્ય કરી લો.(આ માટે એકવાર ફરીથી તમારો પાસવર્ડ માગશે. આપી દેજો ચિંતા કર્યા વગર)

two factor authentication ઓન રાખી દો

મોબાઈલ નંબર રજીસ્ટર કરી દો જેથી OTP આવ્યા વગર અન્ય કોઈ વ્યક્તિ અન્ય કોઈ ડીવાઈસમાંથી તમારું એકાઉન્ટ ઍક્સેસ ન કરી શકે.

additional methods માં જશો એટલે recovery codes મળશે એને સાચવી રાખો. સ્ક્રીન શોટ લઈ લો અથવા ક્યાંક લખેલા રાખો. અન્ય કોઈ રસ્તો ન હોય ત્યારે આ કોડની મદદથી તમે તમારું એકાઉન્ટ ઍક્સેસ શકશો. કોઈપણ કોડ એક જ વાર વાપરી શકાશે. અનુકૂળતા અને જરૂરિયાત મુજબ નવા કોડ જનરેટ થઈ શકશે.

recognised device તરીકે સામાન્ય રીતે તમે જે મોબાઈલ/પીસી/ટેબ્લેટ/લેપટોપમાં ફેસબુક વાપરતા હો એને રજીસ્ટર કરી દો. જેથી ભવિષ્યમાં એમાંથી ફેસબુક ઍક્સેસ કરતી વખતે ઝાઝી મગજમારી નહીં રહે. આ લિસ્ટ રિવ્યૂ કરીને જે ડીવાઈસ તમે નથી વાપરતા (કે હવે ક્યારેય નથી વાપરવાના) એને રિમુવ કરી દો.

અહીં વારંવાર માહિતીસભર લેખો દ્વારા સાવચેત કરવા છતાં ઘણા મિત્રોએ ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરેલ ન્હોતો અને Two Factor Authentication જેવી બહુ મહત્વની સુવિધાને પણ ON રાખી ન્હોતી.

આમાંનાં ઘણાં ગઈકાલે સાંજે અચાનક મેટાની તમામ એપ્સ ક્રેશ થવાને કારણે તકલીફમાં મુકાયાં છે. અમુકનાં ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખૂલી નથી રહ્યાં તો અમુક હવે નવી પ્રોફાઇલમાં સક્રિય હોવા છતાં તેઓની કેવળ જૂની પ્રોફાઈલ જ ખૂલી રહી છે. કોઈ કોઈ કિસ્સામાં તો બેદરકારી એ હદે જોવા મળી છે કે જે ઇમેઇલ સર્વિસિઝ વરસોથી બંધ થઈ ચૂકી છે એ આઇડીથી અગાઉ ખોલેલા ફેસબુક એકાઉન્ટની વિગતો ક્યારેય અપડેટ ન કરી હોવાથી અને એને મોબાઈલ નંબર સાથે sync ન કરી હોવાથી એમના માટે હવે પોતાના એ ફેસબુક એકાઉન્ટને ભૂલી જવા સિવાયના રસ્તાઓ લગભગ નથી રહ્યા. 

હજુ કહું છું...અમુક બાબતોમાં મારું માનો અને આટલું ચોક્કસ કરો...😊

૧. તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં તમારા ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરને અપડેટેડ રાખો (એમ કરવાથી તમારો મોબાઈલ નંબર જાહેર નથી થઈ જતો)

૨. હંમેશા Two Factor Authentication સર્વિસને ON રાખો. આના એકથી વધુ ફાયદાઓ છે. તમને log in ના ઇસ્યુ આવતા હશે ત્યારે મોબાઈલ પર પણ OTP મંગાવીને તમારું એકાઉન્ટ ખોલી શકશો. બીજો ફાયદો એ થશે કે ક્યાંયથી પણ કોઈ હેકર કે અન્ય વ્યક્તિ દ્વારા તમારું એકાઉન્ટ ખોલવાનો પ્રયત્ન થશે તો તમને એની જાણ થશે અને સામેની વ્યક્તિ તમારી મંજૂરી વગર તમારું એકાઉન્ટ ખોલવામાં સફળ નહિ થાય (ટેકનોલોજીના ખરા જાણકારો આને પણ ભેદી શકતા હોય છે, પણ સામાન્ય માણસ તરીકે આ સુવિધા આપણને ઘણી સુરક્ષા પૂરી પાડે છે). આ સુવિધા ઓન કરતી વખતે તમારી પાસે સ્વાભાવિક રીતે જ પાસવર્ડ માગવામાં આવશે, જે તમારી જ સુરક્ષા માટે છે.

૩. તમારા ફોન/પીસી/લેપટોપ (જેમાંથી તમે વારંવાર ફેસબુક/ઈન્સ્ટાગ્રામ વાપરતા હો એ) ને trusted device તરીકે રજીસ્ટર કરી દો જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આ ડીવાઈસ પરથી તમે આસાનીથી પોતાનું એકાઉન્ટ ફરી ઓપન કરી શકશો. ફેસબુક (મેટા) આ સુવિધા આપે છે કે અગાઉ ક્યારેક તમે જે ડીવાઈસમાં તમારી પ્રોફાઈલ ઓપન કરી હોય એમાં ઝાઝી માથાકૂટ વગર તમને ઍક્સેસ કરવાની છૂટ આપે છે. એથી વિપરીત અન્ય કોઈ ડીવાઈસમાંથી તમે પોતે પણ જો log in કરવાની કોશિશ કરશો તોપણ two factor authentication ઓન હોવાથી મોબાઈલ/ઇમેઇલ પર આવેલ otp વાપર્યા વગર નહિ કરી શકો. છે ને બહુ કામનું ફીચર?!!. આજે જ અપનાવો. 

૪. Two factor Authentication સર્વિસ તમને કેટલાક security codes આપે છે. જેને કોપી કરીને કોઈ જગ્યાએ સાચવી રાખવા જોઈએ. Log in કરવામાં ક્યારેય કોઈ મુશ્કેલી થાય કે OTP સમયસર ન મળે ત્યારે આવા codes પૈકીના કોઈપણ એક કોડથી પણ તમે લોગ ઈન થઈ શકો છો. આ દરેક કોડ એક જ વખત વાપરી શકાય છે એટલે તમામ કોડ વપરાઈ જાય એ પહેલા તમે નવા કોડ્સ પણ માગી અને મેળવી શકો છો.

૫. ફેસબુક પર મહેરબાની કરીને (મહિલાઓને ખાસ વિનંતી) ઓનલાઇન ગેમ્સ ન રમો. ભવિષ્ય જાણવાની, હું કેવો/કેવી છું, મારું મૃત્યુ ક્યારે ને કેમ થશે - જેવી રમતો ન રમો. ઘણાં એ રમીને પરિણામ જાણીને શેર ન કરીને સંતોષ લે છે, પણ આવી ગેમ્સ રમવાથી તમે અકારણ એક થર્ડ પાર્ટી એપ્લિકેશનને તમારો ડેટા એક્સેસ કરવાની પરમિશન જાણ્યે અજાણ્યે આપી દો છો જે તમારા માટે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. દેખાદેખીમાં આવી ગેમ્સ રમવાનું કે ફેસબુક પરથી અન્ય એપ (ખાસ તો શોપિંગ/કુકિંગ વિગેરે માટેની) માં જવાનું ટાળો. દર અઠવાડિયે એકવાર ફરજિયાતપણે ફેસબુક સેટિંગ્સમાં જઈને off facebook activities history ને ક્લીઅર કરવાનું રાખો જેથી અજાણતા આવી એપને પરમિશન અપાઈ ગઈ હોય તો એ રદ થઈ જાય. 


સાભાર:-

હિમલ પંડ્યા


મોબાઈલનો કચરો :- Cache files

 "તમારા ફોનમાં Cache files કેટલી જગ્યા રોકે છે?" - તમે જાણો છો?

Cache files એ એવો ડેટા છે જે તમે કોઈ વેબસાઈટ કે એપ ખોલો/વાપરો છો ત્યારે તમારા મોબાઈલના (અથવા પીસી વાપરતા હો તો એમાં) temporary files તરીકે સ્ટોર થાય છે. આમાં ફાઈલ, સ્ક્રિપ્ટ, લિંક, ઈમેજ અને અન્ય મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. 

સાદી ભાષામાં cache એ એવો junk (કચરો) છે જે ભાગ્યે જ તમારા ફરીથી કામમાં આવવાનો હોય..

આવી cache files સતત જમા થતી રહેતી હોઈને સમયાંતરે એ તમારા ડીવાઈસ સ્ટોરેજનો એક પ્રમાણમાં મોટો ભાગ રોકી લેતી હોય છે. જેને કારણે ડીવાઈસની સ્પીડ ધીમી પડે છે, સ્ટોરેજ ઓછું પડવા લાગે છે અથવા તો જે તે એપ ચલાવતી વખતે નાનામોટા પ્રશ્નો/અગવડો સર્જાય છે.

તમારા ફોનને વ્યવસ્થિત ચલાવવા માટે સમયાંતરે આવી cache files ને ક્લીઅર કરીને ઇન્ટર્નલ સ્ટોરેજ ક્ષમતા વધારવી જરૂરી હોય છે. આ માટે ઘણી અલગ અલગ cache cleaner/Junk cleaner એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એનો ફાયદો એ છે કે એ એકસાથે બધી જ cache files ને દૂર કરી દે છે. એપ ન નાખવી હોય અને વધારે મહેનત કરવી હોય તો તમારા મોબાઈલમાં સેટિંગમાં "app management" સેકશનમાં જઈને એક પછી એક દરેક એપ ખોલીને એના "Storage usage" માં જઈને "clear cache" પર ક્લિક કરવાનું થાય (ખાસ ચેતવણી : તમારે cache જ ક્લીઅર કરવાની છે. ભૂલમાં પણ "clear data" પર ક્લિક થશે તો એ એપ પર તમે સાચવેલી માહિતીઓ પણ જતી રહેશે અને એપ વાપરવા માટે જરૂરી log in કે અન્ય ફોર્માલીટી ફરીથી કરવી પડશે) 

જો કોમ્પ્યુટર વાપરતા હો તો PC/Laptop માં સર્ચબોક્સમાં %temp% લખીને એન્ટર આપવાથી કોમ્પ્યુટરમાંની આવી તમામ ટેમ્પરરી ફાઈલોની યાદી આવશે, જેને એકસાથે સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાશે.

અનુકૂળતાએ અને સમયાંતરે આ પ્રકારે cache/temporary files રિમૂવ કરવી એ જે તે ડીવાઈસના smooth running માટે બહુ જરૂરી હોય છે. આવી ટેવ ન હોય તો આજથી પાડી દેજો. 

સાભાર :-

હિમલ પંડ્યા


Tuesday, March 5, 2024

અંબાણી પરિવારના ઘરે લગન...કે ભારતનું પ્રમોશન

એક ગુજરાતીએ આખી દૂનિયામાં છાકો પાડી દીધો. ગુજરાતીઓનો રોલો પાડી દેવાની પરંપરા આગળ વધી. લગ્ન તો હજી દૂરની વાત છે. આ તો ટ્રેઇલર છે. પૈસા છે ને વાપરવા છે એમાં નવાઇ શું ! ગુજરાતીઓની રેન્જ જૂઓ. વિશ્વને સાદગી દેખાડનાર પણ ગુજરાતી અને વિશ્વને ચકાચૌંધ કરી દેનાર પણ ગુજરાતી.

દૂનિયાના અત્યાર સુધીના સૌથી મોંઘા પાંચ લગ્નો ચાર પરિવારમાં થયાં છે. બે બ્રિટનના રોયલ ફેમિલીમાં, એક ભારતના અંબાણી ફેમિલીમાં, એક મિતલ ફેમિલીમાં અને એક મોનેકોના રોયલ ફેમિલીમાં.

અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાના થયાં પછી બીજો જ નંબર મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીના લગ્નનો છે. આશ્ચર્ય સાથે ત્રીજા નંબરે પણ ભારત જ છે. લક્ષ્મિ મિતલની દિકરી વેનિશાના લગ્ન. અને ચોથા ક્રમે ફરી બ્રિટનનુ રોયલ ફેમિલી - પ્રિંસ વિલીયમના લગ્ન. મુકેશભાઇએ અત્યારે જે પ્રિ વેડિંગનો ખર્ચ કર્યો છે એ જોતાં લાગે છે કે બ્રિટનના રોયલ ફેમિલીનુ પહેલાં નંબરનુ સ્થાન જોખમમાં છે. જો એવું થશે તો 'વર્લ્ડ્સ ટોપ ફાઇવ મોસ્ટ એક્સપેન્સિવ વેડિંગ' ફક્ત ત્રણ જ પરિવારના બનીને રહી જશે. અત્યારે જેનો પાંચમો નંબર છે એ મોનેકોના પ્રિન્સ આલ્બર્ટને આમાંથી બહાર નીકળવુ પડશે. બધાંને એ તો જાણ જ હશે કે 'વર્લ્ડ્સ મોસ્ટ એક્સપેન્સિવ હાઉસ' માં પણ પહેલાં અને બીજા નંબર પર બ્રિટન રોયલ ફેમિલી અને અંબાણી પરિવાર - આ બે ફેમિલી જ છે.

અંબાણી ફેમિલી એ ભલે 'રોયલ ફેમિલી' ન ગણાય. એક 'આમ' ફેમિલી હોવાં છતાં બિઝનેશથી માંડીને ચેરિટી, લાઇફસ્ટાઇલ, એન્ટરટેઇનમેન્ટ, એન્જોયમેન્ટ, ફેમિલી ટ્રેડિશન, સેલિબ્રેશન્સ, આર્ટ, સ્પોર્ટ, એજ્યુકેશન, રિલીજીયન, રેપો, હોલ્ટ, એટાયર અને એ બધી બાબતોમાં ફક્ત દેખાડો નહી, ઉંડી સુઝબુઝ પણ - કઇ બાબતમાં રોયલ નથી ! મને તો નિતબેન જ્યારે એની પોતાની આગવી સ્ટાઇલમાં 'જય શ્રી કૃષ્ણ' બોલે છે ત્યારે એમાં 'ઇંડિયન રોયલનેશ' દેખાય જ છે. પોતાના લગ્નમાં 'માય ડેડ ઇઝ એવરીથીંગ ફોર મી' એવું અંનંત બોલે છે એમાં ભારતના પ્રાચિન સંસ્કારીતાના વારસાની 'રોયલનેશ' દેખાય જ છે. એક વખત વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિની યાદીમાં પહેલા ક્રમે રહેલ માણસ દિકરાના લગ્નમાં પોતાના ગામને ન ભૂલીને એના સામાન્યજનો સાથે 'મને ભજીયા બહું ભાવે છે' એમ કહેતાં કહેતાં ગ્રામજનો વચ્ચે ઉભા ઉભા ભજીયા ખાઇ લેતાં મૂકેશભાઇની આ છટામાં 'રોયલનેશ' દેખાય જ છે. અને પ્રાચિન ભારતના મંદિરો જેવો ભવ્ય સેટ ઉભો કરીને એમાં રૂપ રૂપના અંબાર જેવાં તો પોતે છે જ, તેમ છતાં પણ ફુલફટાક સો ટકા ભારતીય પરિધાનમાં આવીને 'વિશ્વંભરી અખીલ વિશ્વ તણી જનેતા' પર ભરતનાટ્યમ્ કરતાં નિતાબેનના નૃત્યમાં ય 'રોયલનેશ' દેખાય છે. સાદગી આ લોકોને ન ફાવે, 'રોયલનેશ' એમના જીવનમાં છે. એમની જીવનશૈલિમાં છે. એમના સંસ્કારોમાં છે. એમના વાણી, વર્તન, વ્યવહારમાં છે. એમના સંબંધોમાં છે. એમના પ્રસંગોમાં રખાતા સામસામા વહેવારોમાં છે. એમના દ્વારા ઉજવાતા તહેવારો અને પ્રસંગોમાં છે. છેલ્લાં ચાર દિવસથી તમામ સોશ્યલ મિડીયા હેન્ડલ્સને જેણે બાનમાં લઇ લીધાં છે એવાં એના હાકોટા અને પડકારામાં 'રોયલનેશ' છે.

જામનગરમાં દેશી રીતે પ્રસંગ કર્યો અને સાદગીનો દેખાડો ને દંભ કરે છે એવી કેટલીય વાતો ફરતી થઇ છે. તો સૌથી પહેલી વાત તો એ કે ભારતીય લગ્ન એ જગતભરમાં એના રીતરસમો, કોસ્ચ્યુમ્સ, જમણવારી, વિધીવિધાનો અને લગ્નપ્રસંગમાં ઉજવવામાં આવતી નાની-નાની વિધીઓ જેમ કે મહેંદી, પીઠી, સંગીતસંધ્યા, ફેરા, કન્યાદાન વગેરેથી પ્રખ્યાત પણ છે અને યુનિક પણ છે.   છેલ્લાં અમૂક સમયથી ભારતમાં જે થિમ વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગના કોન્સેપ્ટ્સ આવ્યાં છે એમ મૂકેશભાઇનુ પણ આ દિકરાના લગ્નનુ ડેસ્ટિનેશન અને થિમ પ્રિ - વેડિંગ હોઇ શકે. જેમાં થિમ જ એવી વીચારાઇ હોય કે જેમાં પરંપરાઓને પ્રાધાન્ય આપવાનુ હોય. અને પરંપરા, સંસ્કાર, રીતરસમો એ બધું આ પરિવાર જાળવી રાખે છે, જાળવી શકે છે - એની આખી દૂનિયા સાક્ષી છે. કદાચ આ લગ્નની થિમ જ એવી વિચારાઇ હોય કે જેમાં લોકોને પંગત પાડીને જમવા બેસાડવાના, પીરસવા માટે નિકળવાનુ, લોકોને આગ્રહ કરવાનો, ભાવ આપવો (ભાવ આપવો એ હવે જો કોઇને ખબર ન હોય તો વડીલોને પૂછવું) આવું જ બધું રાખ્યું હોય. કેમ ? જૂની પરંપરાઓ અને કપડાઓ અને દાગીનાની ડિઝાઇન્સ અને બ્લા બ્લા બ્લા બધું જ હવે નવેસરથી એને અત્યારની પરિસ્થિતી મૂજબ ઢાળીને નવી નવી થિમ્સ નથી વિચારાતી ! તો આ પરિવાર એવું ન કરી શકે ? મૂકેશભાઇનો એટલો જ વાંક કે એ અરબો નહી, ખર્વો નહી, નિખર્વોપતિ છે ! બાકી પોતાને ગામના લોકો સાથે જે વહેવાર પતાવવો હતો એ પતાવીને પછી જોયું ને કે જામનગર કેવું આખા વિશ્વની નજરમાં કેવું આવી ગયું ! કોઇપણ દેશની સરકારોએ પોતાના કોઇ 'ટુરિઝ્મ પ્લેસ' નુ ઇન્ટરનેશનલ માર્કેટિંગ અને બ્રાંડિંગ કરવું હોય તો આ મૂકેશભાઇએ પ્રિ વેડિંગમાં કર્યો એવો અઢળક ખર્ચ જ કરવો પડે હો ! અને એની પ્રોસેસ પણ વર્ષો સુધી ચાલે. જ્યારે મૂકેશભાઇએ ત્રણ દિવસમાં તો આખી દૂનિયામાં જામનગર-જામનગર કરાવી દીધું. હવે બિલ ગેટ્સ પણ જામનગરને ઓળખે છે અને માર્ક ઝુકરબર્ગ પણ જામનગરને ઓળખે છે. રિહાના ય ઓળખે ને ટ્રમ્પપુત્રી પણ ઓળખે છે. તો જામનગરનુ આ પ્રમોશન તો પ્રિ વેડિંગની 'બાય પ્રોડક્ટ' જ થઇ ને ! આનો ફાયદો આખા દેશને છે. કાલ ઉઠીને મોદીબાપાને જો જામનગરને ટુરિઝમ ક્ષેત્રે આગળ લાવવું હોય તો મોટા ભાગનુ કામ તો અંબાણીબાપાએ કરી દીધું. બિલ ગેટ્સ લગ્નમાં આવ્યાં હતાં તો ભેગાભેગ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ આંટો મારતા આવ્યાં. ઇન્સ્ટામાં મસ્ત પોસ્ટ અને રિલ મૂકી છે. જોજો. દેશને આ જે ફાયદો થયો એ મૂકેશભાઇના ખાતામાં જ જાય ને ! એણે તો આ લગ્નમાં આવવાં સાથે મોદીસાહેબ સાથે પણ મૂલાકાત કરી લીધી. કાલ ઉઠીને ભારત સરકાર દ્વારા કોઇ જાહેરાત આવી પણ જાય ! માર્ક ઝુકરબર્ગ અને ટ્રમ્પની દિકરી પ્યોર ટ્રેડિશ્નલ ઇંડિયન વેડિંગ કોસ્ચ્યુમ્સ પહેરીને એ ફોટા આખી દૂનિયામાં બતાવે છે એના થકી ભારતની જે ઓળખ દૂનિયાને મળશે એનો જશ મૂકાભાઇને જ આપવો રહ્યો. 'બિટવીન ધ લાઇન્સ' જોતાં, સમજતાં, જાણતા આવડવુ જોઇએ એમ 'બિટવીન ધ લાઇફ' પણ જોતાં, સમજતા, જાણતા આવડવુ જોઇએ.

ફિલ્મી લોકોને એનો ચાર્જ ચૂકવો એટલે એ લોકો તો આવે ને ઠુમકા મારે એવી વાતો પણ નકારાત્મક રીતે સોશ્યલ મિડીયામાં ફરે છે.

તો શું લોકો પૈસા માટે જ જતાં હશે ! અને પૈસા માટે જતાં હોય તો પણ ખોટું શું છે એમાં ? એ લોકોનો એ વ્યવસાય છે, જેમ મૂકેશભાઇનો પણ કોઇ વ્યવસાય છે અને એ પણ એના ગ્રાહકો પાસેથી એ વસૂલ કરે છે એમ આ લોકોની ઇન્કમ આમાંથી તો જનરેટ થતી હોય. તો જાય જ ને પૈસા માટે. અને હા, લોકોને સંબંધો પણ હોય. આમાં અમૂક પૈસા માટે ગયાં હોય તો અમૂક સંબંધ માટે પણ ગયાં હોય. અને પૈસા માટે ગયાં હોય તો પણ કાંઇ ખોટું નથી. ફીલ્મી કલાકારોના ઠુમકા જોવાં માટે લોકો પૈસા ખર્ચીને ફીલ્મ જોવાં જાય જ છે ! તો એમાં જે કરે છે એને માણસો 'ડાન્સ' કહે છે ને અહીયાં એ જ વસ્તુને 'ઠુમકા' નામ આપી દે. જબરૂ હો !

ભારતીય પરંપરા મૂજબના લગ્નો એ વિશ્વમાં 'ઇંડિયન વેડિંગ' એવાં શબ્દથી ફેમસ છે. એનુ જબરૂ માર્કેટિંગ અને બ્રાંડિંગ થયું. બીજા દેશના લોકો લગ્નમાં પૈસા નથી વાપરતા તો એનો મતલબ એ નહી કે અહીયાં પણ ન વાપરવા. જેમ બીજા દેશોમાં લગ્નમાં ઓછો પણ બીજે પોતપોતાની પરંપરા મૂજબની જગ્યાએ પૈસા વાપરવાનો શિરસ્તો હોય એમ ભારતમાં લગ્ન અને બીજા પ્રસંગોમાં પૈસા વાપરવાનો શિરસ્તો છે. અહીં લોકો પૈસા ઉછીના લઇને પણ લગ્નમાં વાપરે છે. પૈસા ઉછીના લઇને પણ વાપરવા કે ગજા બહારના ખર્ચ પ્રસંગોમાં કરવાના એને સપોર્ટ ન જ હોય. પણ જેની પાસે પૈસા છે એ ભારતીય પરંપરા મૂજબ જ વાપરે છે તો એ એની પર્સનલ ચોઇસ છે. પૈસા છે ને વાપરે છે તો એમાં નવાઇ શું છે ? હું તો કહું છું કે સારૂં થયું છે. ૧૧૦૦ કરોડના ખર્ચમાં અઢળક લોકો કમાયા હશે. પૈસાનુ કેટલું ચક્કર ફર્યુ હશે. અલ્ટિમેટ્લી તો એ નાના લોકો પાસે પણ પહોચશે. હવે એમ ન કહેતાં કે આમાં કોઇ ગરીબો નથી કમાયા. ગરીબો માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, ધર્મ માટે, અનાથો માટે, વૃધ્ધો માટે ઓલરેડી આ પરિવાર ઘણું કરે જ છે. તો હવે ઘરના છોકરાના લગ્નમાં ય એ જ થોડું કરવાનુ હોય ? એમાં જલસો કરવાનો હોય. સરેરાશ ભારતીય વ્યક્તિ એને જીવનભરમાં એની કુલ કમાણીનો પાંચમો ભાગ લગ્નમાં વાપરે છે એવું એક તારણ છે. તો મૂકાભાઇએ તો હજી એની કુલ આવકના ઓછા ટકા વાપર્યા છે. બીજાઓને ઘરે લગ્નમાં જમવાનુ થોડું ઓછું વ્યવસ્થિત હોય તો ટીકા કરતાં લોકો અંબાણીઓને સાદગીના અને દાન-ધર્મના પાઠ ભણાવે છે. 🤪 તમારાં છોકરાઓના લગ્ન થાય તો હનિમુનમાં ન જવાંય ને એ પૈસાની એસઆઇપી કરી નખાય એવી સલાહ આપો છે ? 

વિશ્વભરમાંથી આવેલ અઢળક સેલિબ્રિટીઓએ 'ઇંડિયન વેડિંગ' જોયું. જેટલાં સેલિબ્રિટીઝ અહીયાં ભેગા થયાં હતાં એ પણ એક રેકોર્ડ હશે. ઇંડિયન વેડિંગ એ પણ ભારતની ડાન્સ, મ્યુઝિક, ઇંડિયન સ્કલ્પચર્સ અને એના જેવી બીજી ઇંડિયન આર્ટની જેમ જ યુનિક છે. એને આવડાં મોટા સ્કેલ પર કરીને અંબાણીએ દેખાડો નથી કર્યો, ભારતીય આર્ટ, રિચ્યુઅલ્સ અને ટ્રેડિશન્સનો ઇનડાયરેક્ટલી પ્રચાર કર્યો છે. સામાન્ય માણસોના લગ્નમાં કોઇ ફોરેનથી આવે તો લગ્ન માણીને જતાં રહે, પણ અંબાણીને ત્યાં જે લોકો આવ્યાં હતાં એ એ લોકો હતાં જે બહાર જઇને ખાલી અંબાણીના નહી, ભારતીય પરંપરાના પણ વખાણ કરશે. અને એ લોકો જે બોલશે એ લાખો કરોડો લોકો સુધી પહોચશે. દરેક વખતે જ્યાં મૂડીવાદ હોય ત્યાં ખરાબ જ હોય એવું નથી. ફોરેનથી આવનાર દરેકે સંસ્કારી દિકરો, લગ્નમાં નૃત્ય કરનારી મા, લગ્ન પરંપરા એ કેવી ગ્રેટ અને ડીપ લોજીકલ પ્રોસેસ છે એ અને એનુ સોશિયલ ઇમ્પોર્ટન્સ શું છે એ પણ હજી લોકો જોશે. શા માટે ભારતનો સનાતન ધર્મ અને એની પરંપરા આટલાં આટલાં વિદેશી આક્રમણો અને ગુલામી પછી પણ એટલી જ મજબુતીથી ટકી રહી છે એ પણ બધાં મહેમાનો જોઇને ગયાં હશે ને ! ઓછામાં ઓછા એક હજાર વર્ષ વિદેશી શાસકોના કબજામાં રહ્યાં પછી ફક્ત ૭૫ વર્ષ જેવાં નજીવા સમયમાં એ દેશમાં અત્યારે ફરીથી ફિનીક્સ પક્ષીની જેમ બેઠો શા માટે થઇ જાય છે એની પાછળના મૂળ પણ લોકોને ખબર પડી હશે ને !

અને હા, લગ્ન જરાંય સાદગીથી નથી કર્યા હો. એટલે મૂકાભાઇએ સાદગીનો દેખાડો કર્યો એ વાત પણ ખોટી છે. આ તો પ્રિ વેડિંગ હતું. પ્રિ વેડિંગમાં નહી, વેડિંગમાં જ એક હજાર કરોડનુ આંધણ કર્યુ હોય એવો એકપણ પ્રસંગ કોઇનો મને યાદ નથી. એક હજાર કરોડ રૂપીયા પ્રિ વેડિંગમાં વાપરવા એને જો સાદગી કહેવાતી હોય તો સાદગી અને દેખાડો એ બન્નેની આખી વ્યાખ્યા જ ધરમૂળથી બદલવી પડે. હજી ઓરિજીનલ વેડિંગ તો બાકી છે. એમાં તો આના કરતાં વધારે ખર્ચ પણ હોઇ શકે ! 🤪 ક્યાં છે સાદગી ?

હા, એક વાત છે. મૂકેશભાઇએ લોભ કર્યો એમ કહી શકાય. હવે ભારતમાં જેની સૌથી વધારે વસ્તી છે એ મિડલ ક્લાસ ફેમિલીની કુલ 'એસેટ' બધું મળીને પચાસ લાખ (મકાન સહિત) સુધીની હોય એવું તારણ છે. અને એ જ મિડલ ક્લાસ ફેમિલીમાં જો લગ્ન હોય તો લગભગ પાંચ લાખ રૂ. નો ખર્ચ થતો હોય છે. મતલબ કે એની તમામ સંપતિના દસમાં ભાગનો ખર્ચ એક લગ્નપ્રસંગમાં કરે છે. તો મૂકેશભાઇએ તો એની તમામ 'એસેટ' માંથી ફક્ત ૦.૦૧% જેટલો ખર્ચ જ કર્યો છે. ટકાવારી પ્રમાણે મધ્યમવર્ગિય લગ્નપ્રસંગ કરતાં મૂકેશભાઇએ ઓછો ખર્ચો જ કર્યો છે ! 🤪🤪🤪 સાવ આમ ન ચાલે હો મૂકેશભાઇ !


લેખન :-

ચેતન જેઠવા



STD 12 BA 20 Marks Imp Question

નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ વિભાગ


ધોરણ 12 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વિભાગ E મા 20 ગુણના Imp Question 

Chep 5 

પ્રશ્ન:-  ભરતી એટલે શું ? તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો.

ભરતી માટેનાં પ્રાપ્તિસ્થાનો :

(A) આંતરિક પ્રાપ્તિસ્થાનો : 

(1) બઢતી આપીને 

(2) બદલી કરીને 

(3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને

(4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને

(5) બઢતી સાથે બદલી કરીને

(6) પ્રતિક્ષા યાદી.

(B) બાહ્ય પ્રાપ્તિસ્થાનો : 

(1) જાહેરાત દ્વારા 

(2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા 

(૩) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા

(4) મંજૂર સંઘો દ્વારા 

(5) ઠેકેદાર દ્વારા 

(6) દ્વાર (Gate) પર ભરતી

(7) આધુનિક પધ્ધતિથી

###################################

પ્રશ્ન:- પસંદગીની પ્રક્રિયા સમજાવો.

પસંદગી એટલે આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂંક કરવી.

પસંદગીની પ્રક્રિયા : 

(1) આવકાર અને પ્રાથમિક મુલાકાત 

(2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી 

(3) જરૂરી કસોટીઓ લેવી જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી 

(4) રૂબરૂ મુલાકાત 

(5) ભૂતકાળની કારકિર્દીની તપાસ 

(6) પ્રાથમિક પસંદગી 

(7) તબીબી તપાસ 

(8) નિમણૂંક પત્ર 

(9) એકમ પરિચય

##################################


પ્રશ્ન :- કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો.

કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે.

લાક્ષણિકતાઓ :

(1) સંચાલનનું અગત્યનું કાર્ય

(2) કાયમી પ્રક્રિયા 

(3) માનવ સંબંધો સાથે નિસ્બત 

(4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને

(5) અન્ય કાર્યો સાથે સંબંધ

(6) વિસ્તૃત પ્રક્રિયા 

(7) મૂડી ખર્ચ (રોકાણ)

##################################

પ્રશ્ન :- તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત : 

મુદ્દા :-

(1) અર્થ 

(2) ઉદ્દેશ 

(3) કેન્દ્રસ્થાને 

(4) સમય અને ખર્ચ 

(5) કોણ આપે ? 

(6) કોને અપાય ?

##################################

Chep 6

પ્રશ્ન:-  દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.

દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો.

લાક્ષણિકતાઓ : 

(1) હેતુલક્ષી પ્રવૃત્તિ

(2) સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય 

(3) સતત ચાલતી પ્રક્રિયા 

(4) પ્રવૃત્તિઓ પર દેખરેખ (5) વિશાળ કાર્યક્ષેત્ર 

(6) માહિતીસંચાર 

(7) પ્રોત્સાહન

(8) નિમ્નગામી પ્રવૃત્તિ 

(9) સંચાલકીય કાર્ય.

##################################

પ્રશ્ન :- માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ : 

(1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો 

(2) સલામતીની જરૂરિયાતો

(3) સામાજિક જરૂરિયાતો

(4) સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો 

(5) આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો.

##################################

પ્રશ્ન :- નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો :-

કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આને પ્રોત્સાહન કહે છે.

નાણાકીય પ્રોત્સાહનો :-

(1) નફામાં ભાગ 

(2) સહભાગીદારી 

(3) બઢતી

(4) બોનસ

(5) કમિશન 

(6) ઈનામો 

(7) સલાહ અને સૂચનો.

બિનનાણાકીય પ્રોત્સાહનો

(1) નોકરીની સલામતી 

(2) કામની કંદર અને સન્માન

(3) જવાબદારીની સોંપણી

(4) સલાહકાર 

(5) કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ 

(6) અન્ય પ્રોત્સાહનો.

################################

પ્રશ્ન :- માહિતીસંચારના અવરોધો : 

મુદ્દા :-

(1) સ્પષ્ટ આયોજનનો અભાવ 

(2) ભાષાંતરની ભૂલો 

(3) અસ્પષ્ટ સંદેશાઓ 

(4) અસ્પષ્ટ અનુમાનો 

(5) યોગ્ય સમયનો અભાવ

(6) માહિતીનું અતિભારણ

(7) સંદેશા પ્રત્યે દુર્લક્ષ 

(8) અયોગ્ય માધ્યમની પંસદગી 

(9) અવિશ્વાસ અને ડર.

################################

પ્રશ્ન :- આયોજનની પ્રક્રિયા.

મુદ્દા :-

(1) હેતુ નિર્ધારણ.

(2) આયોજનના આધાર સ્પષ્ટ કરવા.

(3) માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું.

(4) વૈકલ્પિક યોજના તૈયાર કરવી.

(5) વિકલ્પોની વિચારણા કરવી.

(6) ચોક્ક્સ યોજના સ્વીકારવી

(7) ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી

(8) યોજનાનું મૂલ્યાંકન