કાશી વિશે કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ..
✍️ બનારસ જે કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું સૌથી જૂનું શહેર છે. બનારસમાં કુલ 84 ઘાટ છે. જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે.
✍️ મણિકર્ણિકા ઘાટ
શિવનો ઘાટ, અહીં જેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેઓને મોક્ષ મળે છે. રોજના 200 થી 300 અંતિમ સંસ્કાર અહી થાય છે.
મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે. જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં.
કથા અનુસાર હજારો વર્ષો સુધી ભગવાન વિષ્ણુએ કાશીના પવિત્ર શહેર માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. કે વિશ્વ માં કંઈપણ થાય આ નગર નાશ કરવામાં ના આવે. આ બાબત કલ્કી ફિલ્મમાં પણ છે. તેમાં જે નગર બતાવવામાં આવ્યું છે તે કાશી છે.
તે મુજબ ભગવાન વિષ્ણુની સાચી પ્રાર્થના દ્વારા ખુશ થઈને શિવ તેમના પત્ની પાર્વતી સાથે કાશી આવ્યા અને તેમની ઇચ્છાને પરિપૂર્ણ કરતું વરદાન આપ્યું હતું. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે માતા પાર્વતીજી આ સ્થાન પર સ્નાન કરી રહ્યા હતા. ત્યારબાદ તેણીની બુટ્ટી અહીં ઘાટ નજીક ક્યાંક પડી ગઈ હતી. એ બુટ્ટીમાં એક રત્ન પણ હતું. આ બુટ્ટી શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે મળી શકી નહી. જો કે, બુટ્ટી ન મળવાથી માતા પાર્વતી ખૂબ ગુસ્સે થાય છે. એટલા માટે તેણે આ જગ્યાને શ્રાપ આપ્યો કે જો મારું રત્ન નહીં મળે તો આ સ્થાન હંમેશા સળગતું રહેશે અને આ જ કારણ છે કે અહિ ચિતા હંમેશા સળગતી રહે છે. કથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ જ કારણે આ સ્થળનું નામ મણિકર્ણિકા પડ્યું.
(મણિ એટલે કાનનું રત્ન અને કર્ણિકા એટલે કાનનો ઉલ્લેખ છે).
✍️કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ
ભગવાન શિવનું સોનાનું મંદિર.
1669માં બાદશાહ ઔરંગઝેબે મંદિરનો નાશ કર્યો અને તેની જગ્યાએ જ્ઞાન વાપી મસ્જિદ બનાવી.
ત્યારબાદ ઇન્દોરના મહારાણી અહલ્યા બાઈ દ્વારા 1780 માં લગભગ 800 કિલો સોનાના પ્લેટિંગ સાથે આ શિવલિંગ બાંધવામાં આવ્યું હતું.
✍️ધનવંતરી કૂપ કૂવો..
મહા મૃત્યુંજય મંદિર નજીક અને કાલ ભૈરવ મંદિર પાસે આવેલ આ ચમત્કારી કૂવો છે. જેમાં આઠ ઘાટના પાણી સમાયેલા છે. એક જ કૂવામાં રહેલું પાણી પણ દરેક ખૂણેથી પાણી ભરો તો સ્વાદ બધાય નો અલગ આવે છે તેવી માન્યતા છે.
✍️ દશાશમેવ ઘાટ
ભગવાન બ્રહ્માએ અહીં દસ ઘોડાનો ભોગ આપ્યો હતો.
✍️ અસ્સી ઘાટ
એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ તેની તલવાર અહીં છોડી દીધી હતી, જેનાથી એક પવન ફૂંકાય છે.
હરિશ્ચંદ ઘાટ :-
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સાથે પણ આ ઘાટ જોડાયેલો છે જ્યારે ઋષિ વિશ્વામિત્રએ રાજા હરિશ્ચંદ્ર ચંદ્રનું રાજપાઠ દાનમાં લીધું. ત્યારે રાજા હરિશ્ચંદ્રએ આ શહેરમાં શરણાગત લીધી હતી અને તારામતી ને અહીંયા જ એક બ્રાહ્મણના ઘરે દાસી તરીકે વેચી દીધેલ હતી અને પોતે જે સ્મશાન ઘાટ પર ચંડાલ તરીકે કામ કર્યું હતું એ ઘાટ આજે હરીચંદ્ર ઘાટ તરીકે ઓળખાય છે.
ચંદ્ર કૂપ
✍️સિદ્ધેશ્વરી માતા મંદિર માં ચંદ્ર કૂપ કૂવો આવેલ છે. જે મણિકર્ણિકા ઘાટ પાછળ આવેલ છે. જ્યાં કૂવામાં પડછાયો ન જોવા મળે તો મૃત્યુ થાય તેવી માન્યતા છે.