Friday, June 5, 2020

ઉત્તમ શિક્ષક

એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા !
અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો !
શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “
યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !”
શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?”
યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !”
શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “
શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ
એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “
શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “
યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક કરવી જોઈએ નહી !”
કોઈ વિદ્યાર્થીએ ઘડિયાળ પરત આપી નહી એટલે તમે વર્ગનો દરવાજો બંધ કરી, જણાવ્યું કે પાટલી પાસે આંખો બંધ કરી સૌ ઉભા રહો,દરેકના ખિસ્સા તપાસવામાં આવશે !”
તમે વિદ્યાર્થીઓના ખિસ્સા તપાસવા લાગ્યા ત્યારે મારા ખિસ્સામાંથી તમને ઘડિયાળ મળી ગઈ હતી તોપણ તમે
બીજા વિદ્યાર્થીઓના ખિસ્સા તપાસતા રહ્યા,બધાંના ખિસ્સા તપાસી રહ્યા પછી તમે કહ્યું આંખો ખોલો,ઘડિયાળ મળી ગઈ છે !”
મને એમ હતું કે તમે મને ચોર પુરવાર કરીને સ્કુલમાંથી કાઢી મુકાવશો પરતું તમે વર્ગમાં મારું નામ જાહેર કર્યું નહી
અને મારી ઈજ્જત બચાવી રાખી ત્યારે હું મનોમન નક્કી કરી રહ્યો હતો કે જીવનમાં કદાપિ ચોરી કરીશ નહી,જુઠ્ઠું બોલીશ નહી અને સારું શિક્ષણ મેળવીને શિક્ષક જ બનીશ,તમે મને ખાનગીમાં પણ કોઈ ઠપકો કે સલાહ આપી નહતી પણ તે દિવસે તમે મારા સહપાઠી સમક્ષ મારી આબરુને બટ્ટો લાગવા દીધો નહી તેથી મને અણમોલ સુબોધ મળી ગયો હતો,સર તમારો ગમે તેટલો આભાર માનું પણ તે ઓછો જ પડવાનો છે,તમે મને જીવનનો ઉત્તમ માર્ગ બતાવી દીધો હતો,તમને આ પ્રસંગ યાદ છે ! “
જરાક યાદદાસ્ત તાજી કરીને શિક્ષક બોલ્યા,” મને વર્ગમાં ઘડિયાળ ખોવાઈ હોવાની વાત યાદ આવે છે ,એક પછી એક વિદ્યાર્થીના ખિસ્સા તપાસ્યા હતા તેની યાદ આવે છે પણ ભાઈ ઘડિયાળ તારા ખિસ્સામાંથી મળી હતી
તેની યાદ નથી આવતી કારણ હું મારી આંખો સજ્જડ બંધ રાખીને ગજવા તપાસતો હતો !”

આવા શિક્ષક અને આવા વિદ્યાર્થી આજના સમયમાં પણ કયાંક જરુર હશે !

શિક્ષક તેમના વિદ્યાર્થીને ચોર ઠેરવે તો તે વિદ્યાર્થી ચોર જ બને અને કયો વિદ્યાર્થી ચોર છે તે પુરવાર કરવાની
ફિકર કરે નહી તે શિક્ષક બીજો શિક્ષક પેદા કરે !

વાતનું તારણ :- ઉગતા ગુનેગારને હડધુત કર્યા વગર તેને સુધારી શકાય !

Copy @Pravin Patel