Monday, November 23, 2020

આપણા કેટલાક ભુલાયેલા શબ્દો..

આપણા કેટલાક ભુલાયેલા શબ્દો.. જેમ કે 👇

ડામશયો (ગાદલા-ગોદડાંનો ઢગલો)
મોઢવું (ગોઠવેલા છાણાંનો ઢગલો)
શિપર (સપાટ પથ્થર)
પાણો (પથ્થર)

ઢીકો (ફેંટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)

ભોઠું પડવું (શરમાવું )
હટાણું (ખરીદી કરવા જવું)
વતરણું (સ્લેટની પેન)
નિહાળીયા (વિદ્યાર્થી )
બોઘરૂં (દૂધ છાશનું વાસણ)
રાડા (ડુંડા કાપ્યા પછીનું થડ)
નિરણ (પાલતુ પશુને ખાવા માટે)
ખાણ (ઢોર કપાસિયા ખોળ વગેરે)
ખોળ (તેલ કાઢ્યાં પછી બિયાનો કુચો)
ખાહડા (પગરખાં)
બુસ્કોટ (શર્ટ)
પાટલુન (પેન્ટ)
ભીસ્કુટ (બિસ્કીટ)
ફારશયો (કોમેડિયન)
ફારસ (કોમિક)
વન્ડી (દીવાલ)
ઠામડાં (વાસણ)
લેવકળો (માગ માગ કરનાર)
ભેરુ (દોસ્ત)
ગાંગરવુ (બુમાબુમ કરવી)
કાંઠાળો (હાઈટ વાળો)
ડણક (સિંહની ત્રાડ)
બકાલુ (શાકભાજી)
વણોતર (નોકર)
ગમાંણ (પાલતુ ઢોરને ખાવાની જગ્યા)
રાંઢવુ (દોરડું)
દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા)
પાણીયારૂ (પાણીના માટલાની જગ્યા)
અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)
પેરણ (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલમાં કઇંક મુકવાનો ખાડો)
બાક્સ (માચિસ)
નિહણી (નિસરણી)
ઢાંઢા (બળદ)
કોહ (સિચ્ચાંઈ માટેનું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)
વેંત (તેવડ, ત્રેવડ)
હડી કાઢ (દોડાદોડ)
કળી (ઝીણા ગાઠીયા)
મેં પાણી (વરસાદ)
વટક વાળવું (બદલો લેવો)
વરહ (વર્ષ)
બે ખેતર વા ( દુરીનું એક માપ)
વાડો (ઘર પાછળનો કાંટાની વાડવાળો ખુલ્લો ભાગ)
૧ ગાવ (અંતર)
બાંડિયું (અડધી બાંયનું ખમીસ)
મોર થા (આગળ થા)
જિકવું (ફટકારવું)
માંડવી (શીંગ)
અડાળી (રકાબી)
સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)
દા આવવો (દાવ આપવો-લેવો)
વાંહે (પાછળ)
ઢીસ્કો (ઠીંગણા)
બૂતાન (બટન)
બટન (સ્વીચ)
રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)

હેય ને બીજા યાદ આવે તો ઉમેરજો.....

Thursday, November 19, 2020

વર્લ્ડ ટેલિવિઝન ડે:ઈડિયટ બોક્સથી સ્માર્ટ ટીવી સુધીની સફર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ ટેલિવિઝન ડે:ઈડિયટ બોક્સથી સ્માર્ટ ટીવી સુધીની સફર

13 કલાક પહેલા



દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે 1966માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલું વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો, ટીવીની જાદુઈ યાત્રા પર એક નજર કરીએ...

આપણા દેશમાં ટીવી માત્ર ટેલિવિઝન નથી. આ તો એ મનોરંજનનું બોક્સ છે, જેમાં ગજબનું આકર્ષણ છે. જ્યારે લોકોના હાથમાં મોબાઈલ નહોતો, તે પહેલાં જો કોઈના ઘરમાં ટીવી આવે તો આસપાસના લોકો તો શું આખો સોસાયટી કે શેરી તે ટીવીના દર્શન માટે આવી જતી હતી. આજે તો હાલ એ છે કે આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં ટીવી જોઈ શકીએ છીએ. એક સમયે ટીવીને ઈડિયટ બોક્સ કહેવામાં આવ્યું હતું. જોકે, પછી આ જ ટીવીની સામે લોકો 'રામાણય' જોતા પહેલા અગરબત્તી પણ કરતા હતા. આજે ટીવીના કેટલાંક મહત્ત્વપૂર્ણ તબક્કાની વાત.

ટીવી શબ્દની ઉત્તપત્તિના મૂળ શોધવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ 'ટેલિ' એટલે દૂર તથા લેટિનના 'વિઝિયો' શબ્દ એટલે કે 'જોવા'થી બને છે. સમજી શકાય છે કે દૂરદર્શન નામ ક્યાંથી આવ્યું હશે.

ઈલેક્ટ્રિક ટેલિવિઝન પહેલાં મિકેનિકલ ટેલિવિઝન હતું, જે રીતે દુનિયાની અનેક મહાન શોધો આકસ્મિક રીતે થઈ છે, તે જ રીતે લાઈટને ઈલેક્ટ્રોનિક સિગ્નલમાં બદલવાની શોધ અચાનક જ થઈ હતી. 1872માં ટ્રાન્સઅટલાન્ટિક કેબલમાં કામની વસ્તુઓ શોધતા અંગ્રેજ ટેલિગ્રાફ વર્કર જોસેફે જોયું કે સેલેનિયમ વાયરની ઈલેક્ટ્રિકલ કન્ડિક્ટિવિટીમાં અંતર આવી રહ્યું છે. કારણ જાણવાનો પ્રયાસ કર્યો તે ખબર પડી કે બારીમાંથી આવતા સૂર્યના કિરણોને કારણે આમ થયું છે. આ કિરણો સેલેનિયમના વાયર પર પડતા હતા. આ ઘટનાથી વિદ્યુતને એક ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલવાની શોધ કરવામાં આવી.

1880માં મોરિસ લા બ્લા નામની એક ફ્રેન્ચ એન્જનિયરે 'લા લુમિઅર ઈલેક્ટ્રિક' નામની જનર્લમાં એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો, જેણે ભવિષ્યમાં આવનાર તમામ ટીવી માટે એક આધાર તૈયાર કર્યો હતો. લા બ્લાએ એક સ્કેનિંગ મિકેનિઝ્મનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, તે કોઈ વર્કિંગ મશીન તૈયાર કરી શક્યા નહોતા.

જર્મન એન્જિનિયર પોલ નિપકોવ ટીવીમાં સ્કેનિંગ ડિસ્ક મૂક્યું હતું. નિપકોવે જે ડિવાઈસ તૈયાર કર્યું હતું તે એક ફરતી ધાતુની ડિસ્ક હતી. જે તારના માધ્યમથી તસવીર મોકલવામાં સક્ષમ હતી. નિપકોવે આને 'ઈલેક્ટ્રિક ટેલિસ્કોપ' કહેવાનું પસંદ તૈયાર કર્યું હતું.

ટેલિવિઝન શબ્દ રશિયન વૈજ્ઞાનિક કોન્સ્તેન્તાઈન પરસ્કીએ 1900ના પેરિસ એક્ઝિબિશનમાં પહેલી વાર આનો ઉપયોગ કર્યો હતો.

સ્કોટિશ આવિષ્કારક જોન લોગી બેયર્ડ તથા અમેરિકન આવિષ્કારક ચાર્લ્સ ફ્રાંસિત જેનિકન્સને મિકેનિકલ ટીવીમાં સૌથી મોટી ઉપલબ્ધિ મેળવી હતી. બંનેએ પોત-પોતાના જે ડિવાઈસ બનાવ્યા હતા, તે પહેલું સફળ ટીવી માનવામાં આવે છે.

1922માં જેનકિન્સે રેડિયો તરંગના માધ્યમથી એક સ્થિત તસવીરને સ્ક્રીન પર મોકલી હતી, પરંતુ ટીવી માટે એક સફળતા માની શકાય તે એ હતી કે 1925માં બેયર્ડે મનુષ્યના ચહેરાનું લાઈવ ટ્રાન્સમિશન કર્યું હતું.

1925માં સંશોધક વ્લાદિમીર જ્વોરીયકિને કલર ટીવી સિસ્ટમ વિશેની કલ્પના કરી હતી. જોકે, તે સમયે આ કલ્પના વાસ્તવિકતમાં પરિણમી શકી નહોતી.

વિશ્વનું પહેલું ઈલેક્ટ્રોનિક ટીવી ફિલો ટેલર ફાર્ન્સવર્થ નામના એક અતિ મેધાવી સંશોધકે બનાવ્યું હતું. ફિલોએ બનાવેલું ડિવાઈસ મૂવિંગ ઈમેજને ઈલેક્ટ્રોન્સ બીમની મદદથી પકડવામાં સફળતા મળી હતી.

સ્કૉટિશ સંશોધક બેયર્ડ પહેલાં એવા વ્યક્તિ હતા, જેમણે 3 જુલાઈ, 1929માં પહેલીવાર કલર ટ્રાન્સમિશન કરી બતાવ્યું હતું.

1930માં પહેલું કમર્શિયલ ચાર્લ્સ જેનકિન્સના ટીવી પ્રોગ્રામમાં આવ્યું હતું. BBCએ નિયમિત ટીવી ટ્રાન્સમિશન શરૂ કર્યું હતું.

1934 સુધી તમામ મિકેનિકલ ટીવી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પર આવી ગયા હતા અને એ વાતમાં કોઈ શંકા નહોતી કે પ્રાથમિક ટીવી ફુટેજ ટ્રાન્સમિશન શ્વેત શ્યામ રંગમાં જ કામ કરી શકે છે.

રંગીન ટીવીની વાત કરીએ તો 1904માં એક જર્મન સંશોધકે તેની પેટન્ટ કરાવી હતી. જોકે, સંશોધ પાસે કોઈ કલર ટીવી નહોતું.

1939-40માં અમેરિકાના અનેક મેળામાં ટીવી બતાવવામાં આવ્યું હતું. કેટલાંક મોડલ્સની સાથે રેડિયો પણ હતો, જેથી સ્ક્રીન પર આવતી તસવીરોની સાથે ઓડિયો પણ સાંભળી શકાય.

1950માં બે મોટી કંપનીઓ CBS (કોલંબિયા બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ) તથા RCA (રેડિયો કોર્પોરેશન ઓફ અમેરિકા)ની વચ્ચે કોણ પહેલું કલર ટીવી બનાવે, તેની ગળાકાપ સ્પર્ધા ચાલી હતી. આ જંગમાં CBSએ બાજી મારી લીધી હતી અને પહેલો કલર ટીવી સેટ બનાવ્યો હતો. આ ડિવાઈસ જોન બેયર્ડની સિસ્ટમ પર આધારિત મિકેનિકલ ટેલિવિઝન હતું.

1950માં જ જેનિથ રેડિયો કોર્પોરેશને પહેલું રિમોટ બનાવ્યું હતું, જેને ટીવીના એક તારના માધ્યમથી જોડવામાં આવ્યું હતું. 1955માં યુઝીન પોલી દ્વારા વાયરલેસ રિમોટ તૈયાર કરવામાં આવ્યું હતું.

જૂન 25, 1951માં CBS નામની અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપનીએ પહેલો કમર્શિયલ કલર ટીવી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. કમનસીબે આ પ્રોગ્રામ ભાગ્યે જ કોઈએ જોયો હતો, કારણ કે તે સમયે મોટાભાગના લોકો પાસે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી. અમેરિકામાં માત્ર 12 ગ્રાહકો પાસે જ કલર ટીવી હતું.

ભારતમાં ટીવીનું આગમન દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959 એક્સપરિમેન્ટ ટ્રાન્સમિશન હેઠળ થયું હતું.

સપ્ટેમ્બર 1961માં વોલ્ટ ડિઝનીના વન્ડરફુલ 'વર્લ્ડ ઓફ કલર'નું પ્રીમિયર ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું અને લોકોને કલર ટીવી લેવા માટે પ્રેરણા આપી હતી.

દેશમાં ન્યૂઝ બુલેટિનની સાથે રોજ એક કલાકની સર્વિસની શરૂઆત 1965માં થઈ હતી.

1960 તથા 1970ના દાયકામાં વિશ્વના મોટાભાગના દેશોમાં ટીવી બ્રોડકાસ્ટિંગ સ્ટેશન તથા નેટવર્ક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીથી અપગ્રેડ થઈને કલર ટ્રાન્સમિશન પર આવી ગયા હતા.

1968માં જાપાની ટીવી નેટવર્ક NHKએ એક નવું ટીવી સ્ટાન્ડર્ડ બનાવવાની શરૂઆત કરી હતી, જે પછીથી હાઈ ડેફિનેશન ટીવી અથવા HD ટીવીના નામથી ઓળખાયું.

1969માં અંદાજે 65 કરોડ લોકોએ ચંદ્ર પર મનુષ્યાનું પહેલું પગલું ટીવી પર જોયું હતું.

1972માં ટીવી સેવા મુંબઈથી શરૂ કરવામાં આવી હતી.

1975માં ટીવી સ્ટેશન કોલકાતા, ચેન્નઈ, શ્રીનગર, અમૃતસર તથા લખનઉમાં બનાવવામાં આવ્યા હતા.

1975-76માં દેશના અવિકસિત તથા અંતરિયાળ 2400 ગામના લોકો માટે સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શનલ ટીવી એક્સપરિમેન્ટ હેઠળ એક વર્ષ માટે ટીવી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી.

1983માં NHK નેટવર્કે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી કોન્ફરન્સમાં HD ટીવી બતાવવામાં આવ્યું હતું.

1982માં ભારતમાં સેટેલાઈટના માધ્યમથી રાષ્ટ્રીય પ્રોગ્રામ, કલર ટ્રાન્સમિશન તથા નેટવર્કિંગની શરૂઆત કરવામાં આવી હતી.

વર્ષ 2000માં ભારતમાં એક ટીવી ચેનલ હતી, 2009માં 394 ચેનલ થઈ અને આજે આ સંખ્યા 900થી પણ વધુ છે.

2008માં વિશ્વનું પહેલું સ્માર્ટ ટીવી બનાવવામાં આવ્યું હતું.

સાભાર :- દિવ્યભાસ્કર

લોકડાઉન અને આજનો યુવાન

મમ્મી, પપ્પા ઘણા વખત થી ઓફિસે એક્ટિવા કેમ નથી લઈ જતા....? રાજુ બોલ્યો

ખબર નહીં....બેટા તુજ સાંજે પૂછી લેજે...

રાજુ સાંજે રખડી ને આવ્યો...પપ્પા સોફા માં બેઠા બેઠા વિચરતા હતા....મમ્મી રસોઈ કરતી હતી...

રાજુ પોતાની મસ્તી માં આવી એક્ટિવા ની ચાવી ટેબલ ઉપર ફેંકી કહે હાય....ડેડ કેમ છો...?

મજા માં બેટા....
તારી કોલેજ ટ્યૂશન બંધ છે છતાં સવાર થી કયાં રખડતો ફરે છે..?

પપ્પા ..મિત્રો, કાર્યાલય, ...સમય ક્યાં પસાર થાય છે ખબર જ નથી પડતી.

હા બેટા તે કીધું સાચું..સમય ક્યાં પસાર થાય છે..એ ખબર જ નથી પડતી.હમણાં તું ગ્રેજ્યુએટ થઈ જઈશ. પછી નોકરી માટે બજાર માં લાઈન માં ઉભા રહેવાનું...
હેં બેટા, આ કાર્યાલય વાળા તું ભણવા નું પૂરું કરીશ એટલે. નોકરી અપાવી દેશે ?

રાજુ મારી સામે જોઈ રહ્યો...
પછી વાત ને બદલતા...થોડું વિચારી ને કહે પપ્પા તમે હમણાં ઓફિસે એક્ટિવા કેમ નથી લઇ જતા....

બસ એમજ પાર્કિંગ ના પ્રોબ્લેમ..

ત્યાં અંદર સ્મિતા નો અવાજ આવ્યો....જે હોય તે સાચું કહો યુવાન છોકરો છે...સત્ય તમે નહીં સમજાવો તો કોણ સમજાવશે...

રાજુ મારી સામે ગંભીર થઈ બોલ્યો...પપ્પા હકીકત શુ છે ?

બેટા. મેં તને કોલેજ માં આવ્યો ત્યારે એક્ટિવા લઇ આપ્યું હતું..એક શરત ઉપર એક્ટિવા નો ઉપયોગ ફક્ત કોલેજે થી ઘરે અને ઘરે થી.કોલેજે...
પણ તું ઘણા વખત થી એક્ટિવા નો ઉપયોગ બેફામ કરે છે...વધતા જતા પેટ્રોલ ના ભાવ તરફ તારું ધ્યાન નથી...દર બે ત્રણ દિવસે.. પેટ્રોલ અને હાથ ખર્ચી ની રકમ તારી વધવા લાગી છે....

કોરોનાનો અને ચીન સાથે લડવાનો ખર્ચ સરકાર ક્યાંથી કાઢે જેવી દલીલ કરનારા તારા જેવા યુવાનો કોઈ દિવસ તેમના બાપા ને પૂછતાં નથી..તમે આ મોંઘવારી સામે એકલા હાથે કેવી રીતે લડો છો ?
પેટ્રોલ ના ભાવ વધે એટલે તારા મોઢા ઉપર ચિંતા ન હોય બેટા.. જેને પાકીટ માંથી કાઢી ને આપવા ના હોય તેને ચિંતા હોય...

તે કદી પૂછ્યું...
પપ્પા તમારો પગાર સમય પ્રમાણે થાય છે ?
કેટલા વર્ષ થી ઇન્ક્રિમેન્ટ નથી થયું ?
કોરોના ને કારણે તમારી કંપની ની સ્થિતિ કેવી છે ?
કોઈ પગાર કાપ કે સ્ટાફ ને છુટા કર્યા..
આવા સળગતા સવાલો ની ઘરમાં ચર્ચા કરવા ને બદલે.. રાષ્ટ્રભક્તિ ની વાતો કરે છે, સરકાર ની ચિતા કરે છે...
તમે રાષ્ટ્ર પ્રેમ એટલે નોકરી ધંધા છોડી સવાર ના રાષ્ટ્રગીત ગાવા નું એને કહો છો...
ભ્રષ્ટચાર માં ખદબદતા દેશ ના નેતાઓ ના મોઢે રાષ્ટ્ર પ્રેમ ની વાતો સાંભળી તમારા જેવા યુવાનો ઘેલા અને વેવલા વેડા કરે છે.....સવાલ દોરી લોટો લઈ ને આવેલા નેતાઓ ને કરો...આ સંપત્તિ તમને વારસામાં મળી છે ?

સરકાર પાસે આવક નહીં હોય તો જનતા ને ઊંધા લટકાડી..ટેક્ષ વસૂલ કરશે..તું અને હું ક્યાં જશું ?

આ કાર્યાલયોની તું વાતો કરે છે..મહિને કેટલા લીટર પેટ્રોલ તમને ભરાઈ આપે છે ? સ્મિતા અંદર થી બોલતી બોલતી આવી

એકે લીટર પણ નહીં. રાજુ નીચું જોઇ બોલ્યો..

તો તને શરમ આવવી જોઈએ...આવી મફત માં ચમચાગીરી કરવા મા..અહીં આ તારા પપ્પા વધતા જતા પેટ્રોલ ખર્ચ માટે તને ઘણા વખત થી કહી શકતા નથી...
એટલે તેમણે પોતાનો રસ્તો કર્યો...
*બસ અને શેરિંગ રીક્ષા કરી રોજ ઓફિસેે જાય છે અને આવે છે.*
*તમને નોકરી કરો એવું તો માઁ બાપ ન કહે પણ સમજદારી રાખો એટલી તો અપેક્ષા રાખે કે નહીં....*

સ્મિતા આગળ બોલી..બેટા વર્તમાન સ્થતિ હજુ છ મહિના ચાલી તો તેના ગંભીર પરિણામોનો આપણે બધા એ સામનો કરવો પડશે....
તમારી અને મમ્મી ની વાત સંપૂર્ણ સાચી છે...
હું રાજકીય પક્ષો ની ચિંતા કરવા માં ...મારા માઁ બાપ ની ચિતા કરવાનું ભૂલી ગયો...

પપ્પા મારુ તમને વચન...છે
આજ થી આર્થિક પ્રવૃત્તિ વગર ની બધી પ્રવૃત્તિ બંધ....મારે પણ આત્મનિર્ભર બનવું છે આ એક્ટિવા ને ત્યારે જ હું હાથ લગાવીશ જયારે હું તેની અંદર પેટ્રોલ પુરાવા માટે સમર્થ બનીશ...

ના બેટા... ફક્ત વિવેકપૂર્ણ ઉપયોગ કર.. મફત માં અપાતી સેવાની લોકો ને કદર નથી હોતી...એવી જગ્યા એ સમય શક્તિ બરબાદ ન કર જયાં તમારૂ સ્થાન દસ વર્ષ પછી પણ ત્યાંજ હોય...
તારા વ્યક્તિગત વિકાસ માટે મારી બચત ને હું વાપરી નાખતા એક મિનિટ નો પણ વિચાર નહીં કરું...પણ આવી ફાલતુ વ્યક્તિઓ પાછળ સમય અને નાણાં નો વ્યય આપના જેવી મધ્યમવર્ગીય પરિવાર ને ના પોસાય...

રાજુ ઉભો થયો...હસતા હસતા બોલ્યો પપ્પા ચિંતા ન કરો હવે.. "રાજુ બન ગયા જેન્ટલ મૅન...."
હવે રખડવા નું બંધ..ભણવા તરફ ધ્યાન.... કોમ્પિટિશન એક્ઝામની તૈયારીઓ...અને સાથે નોકરી તો ખરી હો પપ્પા...

રાજુ મને ભેટી પડ્યો....અને બોલ્યો
સોરી પપ્પા...હું મોડો નહિ.પણ સમયસર જાગ્યો છું.....
એ માટે તમારા બન્ને નો આભારી છું..

Thanks

સૌજન્ય - સ્ટોરી શણગાર...

એક્વેરિયમની એક માછલી..

મારી હોસ્પિટલના એક્વેરિયમની એક માછલીને હું છેલ્લા થોડા દિવસોથી ઓબ્ઝર્વ કરતો હતો. એની પ્રવૃત્તિઓ અને હલનચલન ઘટી ગયેલું. એક્વેરિયમના એક ખૂણામાં પડી રહેતી એ માછલી અચાનક તેના બાહ્ય જગત અને સાથી માછલીઓ પ્રત્યે નીરસ બની ગઈ.

પાણીમાં રહેલી માછલીઓના આંસુઓ નથી દેખાતા, અને તેમ છતાં તેમની ઉદાસી જોઈ શકાય છે. એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી જિંદગીથી હતાશ થઈ ગયેલી. પાણીમાં નાખેલા ખોરાક પર તરાપ મારતી અન્ય માછલીઓની સરખામણીમાં, ખૂણામાં રહેલી આ માછલી તદ્દન અલગ તરી આવતી. તેને ન તો ખાવામાં રસ હતો, ન તો જીવવામાં.

જાણે એણે એવું નક્કી કરી લીધેલું કે હવે જીવવું નથી. જો એ મનુષ્ય હોત, તો નક્કી એણે કોઈ ઊંડા તળાવ કે દરિયામાં ડૂબકી મારી દીધી હોત. એને દુર્ભાગ્ય ગણીએ કે સદનસીબ, પણ સાલુ પાણીમાં રહેતા જીવ માટે તો ડૂબી મરવું પણ અશક્ય છે !

માછલીને એ સમજાતું નહોતું કે જળચર પ્રાણી માટે આત્મહત્યા કરવાની પદ્ધતિ કઈ હોય શકે ? એ ઈમોશનલ દુર્ઘટનાને કારણે હોય, ઉંમર કે પછી માંદગીને કારણે પરંતુ ધારો કે કોઈ માછલીને જીવનમાંથી રસ ઉડી જાય, તો એણે શું કરવાનું ?

એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી, આજે સાંજે મૃત્યુ પામી.

આમ તો આટલી જ ઘટના આપણા બધા માટે એક બહુ મોટો સંદેશો છે. હું મારી વાત અહિયાં જ પૂરી કરી દઉં, તો ચાલે. પણ આપણે થોડા આ ઘટનાના ઊંડાણમાં જઈએ.

જીવન તરછોડવા માટે આત્મ-હત્યા કરવી જરૂરી છે. જીવન પ્રત્યેની નીરસતા જ પર્યાપ્ત છે.

એક ડૉક્ટર તરીકે અમે એવું અનેકવાર ઓબ્ઝર્વ કર્યું છે કે ખૂબ મોટી ઉંમરે પહોંચી ગયેલી વૃદ્ધ વ્યક્તિ પણ ક્યારેક ગંભીરમાં ગંભીર બીમારીમાંથી બહાર આવી જાય છે. અને ક્યારેક સાવ સ્વસ્થ લાગતી યુવાન વ્યક્તિ, કોઈ એક સામાન્ય બીમારીમાં શરણાગતિ સ્વીકારી લે છે.

આ બહુ મોટો વિરોધાભાસ છે જે મારા જેવા અનેક તબીબોએ અનુભવ્યો હશે. કોઈ વ્યક્તિ હજીયે શું કામ જીવે છે ? અથવા તો કોઈ વ્યક્તિ અકાળે શું કામ ચાલી ગઈ ? એ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબો નથી હોતા. પણ એક વાત તો નક્કી છે. જિંદગી જીવી લેવાની તાલાવેલી, દરેક ક્ષણને માણી લેવાની ઝંખના અને આ સુંદર વિશ્વને અનુભવતા રહેવાની ઈચ્છા દરેક ‘જીવ’ને જીવતો રાખે છે.

જે ક્ષણે જિંદગી ફિક્કી અને બેસ્વાદ લાગવા માંડે, એ જ ક્ષણથી આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. જેને આપણે ‘Will power’ કે ‘zest’ કહીએ છીએ, એ જિજીવિષા જ આપણને સહુને જીવતા રાખે છે. ઈચ્છા સમાપ્ત, તો જીવન સમાપ્ત.

એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી મને એટલો સંદેશો તો આપતી ગઈ કે જીવતા રહેવું હોય તો ક્યારેય આપણી પ્રવૃત્તિઓ પર વિરામ ન મુકવો. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. આપણી સક્રિયતા જ આપણો ઓક્સીજન છે.

છેલ્લા શ્વાસ સુધી ગમતી પ્રવૃત્તિઓ કર્યા કરવી, એ મૃત્યુને પોસ્ટ-પોન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. વ્યસ્ત અને સક્રિય લોકોના જીવનમાં પ્રવેશતા પહેલા યમરાજે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. જ્યાં સુધી આપણી અંદર રહેલો જીવ, જિંદગીથી છલોછલ અને ખીચોખીચ ભરેલો રહેશે ત્યાં સુધી આ જામ છલકાયા કરશે. જે ક્ષણે આ અદભૂત દુનિયાને પીવાની દાનત અને તરસ ખૂટી જશે, એ જ ક્ષણે આ જીવ આપોઆપ શરીર ખાલી કરી દેશે.

રોમન ફિલોસોફર સેનેકાએ કહેલું,
‘You are scared of dying—and, tell me, is the kind of life you lead really any different from being dead?’

જે જિંદગી આપણે જીવી રહ્યા છીએ, એ મૃત્યુથી બદ્તર તો નથી ને ? જિંદગી સાથેનો પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. જિંદગી આપણા પ્રેમમાં તો જ પડશે, જો આપણે તેના પ્રેમમાં પડશું.

રોજ સવારે સૂર્યોદયને જોઈને આપણા ચહેરા પર સ્માઈલ આવે છે ? રાતના ગાઢ અંધકાર પછી સવારનો કોમળ તડકો ઘરમાં પ્રવેશે, તો એ ચમત્કાર આપણને રાજી કરે છે ? ચાલતા ચાલતા અટકી જઈને ગુલાબની સુંદરતા અને સુગંધ માણવાનો સમય છે આપણી પાસે ? આપણને સ્પર્શીને પસાર થઈ જતા ઠંડા પવનની નોંધ લઈએ છીએ આપણે ? સંધ્યા સમયે આકાશમાં કોઈ મહાન ચિત્રકારથી ઢોળાઈ ગયેલા રંગો જોઇને આપણને વિસ્મય થાય છે ? ફૂલ અને ભમરાનું લવ-અફેયર જોઈને આપણે કુદરતની અદ્રશ્ય હાજરી અનુભવી શકીએ છીએ ? પર્વતો, ટેકરીઓ, નદીઓ, ખુલ્લા મેદાન, અફાટ રણ, ઘૂઘવતા સમંદર કે ગાઢ જંગલને જોઈને ત્યાં જ વસવાટ કરી લેવાનું મન થાય છે ? જો હા, તો આપણામાં હજીયે ક્યાંક જિંદગી બાકી છે.

મુઠ્ઠીઓ વાળીને દોડવાનું, ખુલ્લા પગે ભીનાં ઘાસ પર ચાલવાનું. નદી-તળાવમાં ડૂબકીઓ મારવાની, જંગલોની સફર ખેડવાની. રોજ રાતે તારાઓથી મઢેલું આકાશ જોવાનું, દરિયા કિનારે ભીની રેતીની ઢગલીઓ બનાવવાનું. આ કુદરત, જગત અને આ ચમત્કારને મન ભરીને માણી લેવાનું. અને રોજ સવારે અરીસામાં જોઈને જાતને પૂછી લેવાનું કે એક્વેરિયમના ખૂણામાં રહેલી પેલી માછલી ક્યાંક આપણે તો નથી ને ?
-ડૉ. નિમિત્ત ઓઝા

પુરુષાર્થ કે પ્રારબ્ધ ?

અમુક વિષય અંત વિનાની અંતકડી જેવા હોય છે.
જેમ કે
પુરુષાર્થ કે પ્રારબ્ધ ?
કોઈક પુરુષાર્થની તરફેણ કરશે તો કોઈક પ્રારબ્ધની .
મારા સહીત અનેક માણસોનું વલણ અલગ અલગ સમયે ક્યારેક પુરુષાર્થવાદી તો ક્યારેક પ્રારબ્ધવાદી જોવા મળતું હોય છે.

આ વિષય પર મને ત્રણ ફિલ્મો અચૂક યાદ આવે જ .

#વક્ત
જેમાં બલરાજ સહાની પ્રારબ્ધમાં નથી માનતો પુરુષાર્થના વધુ પડતા અહંકાર માં જીવે છે.
મનમોહન દેસાઈની ખોવાયા મળ્યાની ફોર્મ્યુલા વાળી ફિલ્મો કરતાં ઘણી વહેલી આવેલી .
રાજકુમાર સુનિલ દત્ત શશીકપૂર ત્રણ ભાઈઓના રોલ માં અને બલરાજ સાહની એના પિતા.

#વિધાતા
જેમાં દિલીપ કુમાર પુરુષાર્થવાદી છે અને શમ્મીકપૂર પ્રારબ્ધવાદી એનું એક સરસ ગીત મને મિત્ર રાકેશ ઓઝા એ મોકલેલ જે આ પોસ્ટનું નિમિત્ત છે.
એ બને ફિલ્મોની વચ્ચેના સમયમાં એક ફિલ્મ આવેલી

#કર્મયોગી
રાજકુમાર પિતા પુત્રની બેવડી ભૂમિકા માં.
રેખા, જીતેન્દ્ર અને રિના રોય પણ છે.
જો કે કેન્દ્રવર્તી પાત્ર મારી દ્રષ્ટિએ માલાસિંહાનું છે.
આ ફિલ્મના શીર્ષક ગીતમાં જ આ મુદ્દાનો જવાબ છે.

આજનું પ્રારબ્ધ એ વીતેલા સમયમાં થયેલ પુરુષાર્થનું પરિણામ છે.
આજ નો પુરુષાર્થ એ આવનાર સમયનું પ્રારબ્ધ બનશે.

એ ફિલ્મનું શીર્ષક ગીત મને બહુ જ ગમે .

तेरे जीवन का है कर्मो से नाता
तेरे जीवन का है कर्मो से नाता
तू ही अपना भाग्य विधाता
जैसी लिखेगा कर्मो की रेखा
जैसी लिखेगा कर्मो की रेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा
तेरे जीवन का है कर्मो से नाता
आज तू जिसको अच्छा समझे
जान ले उसका कल क्या है
कल क्या है
सोच ले चलने से पहले
तू उन् राहों की मंजिल क्या है
मंजिल क्या है
जो भी किया है आगे आता
तू इतना भी सोच न पाता
जैसी लिखेगा कर्मो की रेखा
जैसी लिखेगा कर्मो की रेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा
तेरे जीवन का है कर्मो से नाता
ओ ओ ओ
माना के काले कर्मो से
तुझको खुशियाँ और सुख मिलता है
खुशियाँ और सुख मिलता है
आसमान को छूने वाले
यह कितने दिन चलता है
यह कितने दिन चलता है
काहे रेत के महल बनाता
झुटे बल से तू क्यों इतराते
जैसी लिखेगा कर्मो की रेखा
जैसी लिखेगा कर्मो की रेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा
तेरे जीवन का है कर्मो से नाता
तू ही अपना भाग्य विधाता
जैसी लिखेगा कर्मो की रेखा
जैसी लिखेगा कर्मो की रेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा
देना होगा टिल टिल का लेखा.

સાભાર :- ખીમાનંદ રામ

Wednesday, November 18, 2020

ભ્રષ્ટાચાર ની શરુવાત ઘરથી જ.

હાલ ના સમયમા ભ્રષ્ટાચાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. જયા જુવો ત્યાં ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર. સરકારી ઓફિસમાં સમયસર કામ કઢાવવા પ્રસાદ ચડાવવો જ પડે નહીંતર તમે નવરા થઈ જાઓ પણ સરકારી કર્મચારી તમારું કામ કરવા કદી નવરો ના પડે.

આ પરિસ્થિતિ નો માનસિક ઉદભવ કયાંથી થાય છે ?
વ્યક્તિ ને કામના બદલામા મહેનતાણું ( પગાર ) મળતુ હોવા છતાં તે, એ ચોકકસ કામ ચોકકસ સમયમાં કરી આપવા માટે વધારાના નાણાંની માંગણી કેમ કરે છે ? કયું પરિબળ આમા કામ કરે છે ? તમે વિચાર્યું છે કે આ ઉપરની કમાણી કે ભ્રષ્ટાચાર ની લાલચ આવે છે કયાથી ?

તો ચાલો થોડુ પીસ્ટીપેષણ કરીએ.

1) લે બેટુ, લે લાલા દુકાને જઈ ને દુધની થેલી લેતો આવ તો. લાલો કે બેટુ ના પાડે એટલે આપણે તેને ચોકલેટ કે રુપિયા ની લાલચ આપીએ છીએ. મફતનું કે કામના બદલામા વસ્તુ કે પૈસાની લાલચ બચપણથી જ બાળકો મા રોપિત કરવાની શરુવાત કદાચ અહીથી જ થાય છે.

2) હે ભગવાન. મારું આટલું કામ થઈ જશે તો સવા શેર સુખડી ચડાવીશ.

હે માતાજી મારા દીકરાના ઘરે દીકરાનો જન્મ થશે તો એક ઘી નો ડબ્બો તારા ચરણોમા ચડાવીશ.
( મતલબ ભગવાન પાસે પણ કામ કરાવવા નારીયેળ કે પ્રસાદની લાલચ. હવે જેની પાસે આખી દુનિયા હોય એને તમારા એક નારીયેળ ની શું જરુરત ? )

3) પ્રભુદાસ માસ્તરસાહેબ બે બાચકા ઘઉં તમારા ઘેરે ઉતરાવી મેલ્યા સે અમારા ઘનશ્યામ નું ભણાવવામા ધ્યાન રાખજો.

4) આપણે તો ઓફિસમાં આરામ જ છે. કોઈ કામ જ નથી. બાર વાગે જવાનુ અને ચાર વાગે પાછા. રજા પાડીએ તો જે દીવસે ઓફિસ જઈએ એ દીવસે રજામા પણ હાજર હોવાની સહી કરી લેવાની. ( સાહેબ હારે સેટીંગ હો બકા. આવું સાંભળ્યું છે ને તમે )

5) અમારા જમાઈ ને તો બહું સરસ ટેબલ મળ્યું છે. કશું કામ જ નથી હોતું. ઉપરથી લોકો પરાણે પૈસા આપતા જાય. મારી દીકરીને તો જલ્સા છે જલ્સા.

6) જો બકા આપણે તો ઓફિસમાં આરામ જ આરામ છે. એક સહી કરવાના પાંચસો લઈ જ લેવાના.

શુ આટલા કારણો પુરતા છે ભ્રષ્ટાચાર ની શરુવાત માટે કે તમારી પાસે પણ બીજા સોલીડ કારણો છે ...

Tuesday, November 3, 2020

Ayurved gyan :- ખાવા પીવાની કેટલીક કુટેવો..

જાણો...ખાવા પીવાની કેટલીક કુટેવો ; જે તમને નુકસાન કરી શકે...
આ તેવો સુધારવા પ્રયત્ન કરવો... નિયમ માં જડતા જરૂરી નથી
(૧) અધિક પાણી પીવું : એકી વખતે વધારે પાણી પીવાથી આમ(અપચો)વધે છે. અને આમથી ધીરે - ધીરે અનેક રોગો ઉત્પન્ન થાય છે.
(ર) સરબત/તૈયાર જ્યુસ વગેરે વધુ પીવા: ખાંડ મેળવેલું પાણી પીવાથી કફ વધે છે અને વાયુ ઘટે છે. સાકરવાળુ પાણી દોષનો નાશ કરનાર અને વિર્ય ઘટાડનાર છે. ગોળવાળુ પાણી મૂત્રકૃચ્છ્નો નાશ કરે છે અને પિત્ત તથા કફની વૃદ્ધિ કરે છે પરંતુ જુનો ગોળ નાંખ્યો હોય તો તે પિત્ત નાશક અને પથ્ય છે.
(૩) જલપાન નિષેધ : શૌચ જઈ આવ્યા પછી સૂર્યના તાપમાં ફરી આવ્યા પછી આરામ લીધા વગર અને વ્યાયામ કે મહેનત કરીને તરત જ તેમાં જમવાની શરૂઆતમાં પાણી ન પીવું જોઈએ.
(૪) ઉષ: પાન - મળસકે ઊઠી શૌચ જતા પહેલાં પાણી પીવું હિતકારક છે પરંતુ કફનો પ્રકોપ અને નવા તાવ વગેરે રોગોમાં ઉષ:પાન ન કરવું જોઈએ.
(પ) દૂધ ક્યારે ના પીવાય ? તીવ્ર આમ સાથેનો નવો તાવ, મંદાગ્ની, અપચો, કુષ્ઠ, ઉદરશૂલ, કફ વગેરે રોગોમાં દૂધ નુકશાન કારક છે. અર્શના રોગીનું કાચુ દૂધ નુકશાન કરે છે. નવા ઉપદંશ, પરમિયો અને ગુમડાથી પરૂ આવતું હોય તો વધુ દૂધ પીવું કે ભેંસનું દૂધ પીવું હિતકર નથી.
(૬) દૂધની પ્રતિકૂળ પદાર્થો : સિંધવ સિવાયના બીજા ક્ષારની સાથે આમળાં સિવાયની બીજી ખટાશ સાથે અને ગોળ, મૂળા, દારૂ અને માછલાં વગેરેના ભોજન સાથે દૂધનું સેવન કરવું એ નુકશાન કારક છે.
(૭) છાશ ક્યારે ના પીવાય? ચાંદી, પરમિયો, પ્રમેહ, પેશાબમાં બળતરા, ભ્રમ, દાહ, તરસ, રકતપિત્ત અને અમ્લપિત્ત વગેરે રોગવાળાઓને અને દુર્બળ મનુષ્યને ગરમીના સમયમાં ગ્રીષ્મ અને શરદ ઋતુમાં છાશ ન પીવી જોઈએ.
(૮) ધૃત ક્યારે ના લેવાય ? તાવ સાથેનો ક્ષાય વાળા, ધાવણા બાળક અને વૃધ્ધરોગી, કફ અને કબજીયાતના રોગી, આમવાળા,અજીર્ણ જવર,મંદાગ્ની, પ્રમેહ અને બહુમૂત્રના રોગવાળા તથા અજીર્ણથી ઉત્પન્ન થનાર કોલેરાના દરદી આ બધાને જરૂર પૂરતું ઘી થોડું આપવું બહુ ન આપવું.નવા તાવમા જરાપણ ઘી ન આપવું ક્ષયમાં બકરીના ઘીનો ઉપયોગ હિતકર છે, પણ ઔષધિઓથી સિધ્ધ કરેલું ઘી સર્વ રોગમાં શાસ્ત્રમાં કહયા પ્રમાણે લાભ આપનાર છે.
(૯) આદુનો નિષેધ : કુષ્ઠ, પાંડુરોગ, મૂત્રકુચ્છ, પરમિયો, રકતપિત્ત, વ્રણ, સૂકી ખાંસી, દાહ, નિંદ્રાનાશ આ રોગમાં ઉનાળો અને શરદઋતુમાં તેમાં પિત્ત પ્રધાન પ્રકૃતિવાળાને આદુનું સેવન નુકશાન કારક છે.
(૧૦) મધનો ઉપયોગ : રોગ મટાડનાર ઔષધિ સાથે જૂનુ અને રસાયન ગુણને માટે નવું મધ લેવું હિતકર છે. અનુપાનના મધની સાથે ઘી મેળવવું હોય તો ગાયનું ઘી લેવું. વાતકફ પ્રકૃતિ હોય તો મધ બમણું અને પિત્ત પ્રધાન પ્રકૃતિ હોય તો ઘી બમણું લેવું જોઈએ, બંન્ને સરખા ભાગે ન લેવા.
•યુનાની વૈધકમાં મધની ચાસણી કરીને તેનો મેલ કાઢી નાંખીને ઉપયોગમાં લેવાનું વિધાન છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ મધ એક પ્રકારનું વિષ છે. એ વિષ આગ પર ગરમ કરવાથી કુપિત થાય છે આથી મધને વાસણમાં રાખવું જોઈએ. મધ બાટલી, ચિનાઈમાટીના નળા કે માટીના વાસણમાં રાખવું જોઈએ. ટીનના ડબ્બામાં છ થી આઠ મહિના સુધી રહેવાથી મધનો રંગ કાળો થઈ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે.જુના જમાના માં મધ ના કલેક્શન માં માખી ના ઈંડા શરીર ના ભાગો ભળવાથી ઝેર જેવું બની જતું,હવે એવું થતું નથી.
•ભમરિયું મધ જાડુ, ખૂબ ગળ્યું, ભારે અને રકતપિત્તનો નાશ કરનાર છે. નાની માખીઓનું મધ હલકુ, રૂક્ષા અને શ્રેષ્ઠ છે. આ મધને ભગવાન ધન્વંતરીએ સર્વશ્રેષ્ઠ અને શ્વાસ વગેરે રોગોમાં હિતકર માને છે.
•નવું મધ વજન વધારનાર, અનુલોમન કરનાર અને કફહર છે. જુનુ મધ રૂક્ષા, કફ અને મેદનો નાશ કરનાર, ગ્રાહી અને શરીરને કૃશ કરનાર છે.
મધ આમાશયમાં જ શોષાઈ જાય છે અને તેને આંતરડામાં જવાની જરૂર રહેતી નથી આ હેતુથી મધુમેહના રોગીને પણ મધ આપવામાં આવે છે.
•જો ર થી ૪ તોલા મધ રોજ લેવામાં આવે તો હ્રદય બળવાન બને છે.
(૧૧)જો મૂત્રની પ્રતિક્રીયા અમ્લ હોયતો ઘી વગેરે સ્નેહવાળો ખોરાક બહુ ખાવો જોઈએ.
(૧ર)સવારના ભોજન પછી વામકુક્ષી(ડાબે પડખે લગભગ અડધો કલાક આરામ લેવો) અને સાંજે જમ્યા પછી થોડું ફરવું એ ફાયદાકારક છે.
(૧૩)સવારે જમ્યા પછી તાજી છાશ લેવી અને સાંજે જમ્યા પછી દૂધ લેવું ફાયદાકારક છે. રાત્રે ખોરાકમાં દહીં લેવું અને જમ્યા પછી તરત અધિક પાણી પીવું એ નુકશાન કારક છે.
(૧૪)જમ્યા પછી,પેશાબ રોકીને અને દિવસે સ્ત્રીસેવન કરવું નુકશાન કારક છે.જમ્યા પછી અને બપોરમાં સ્નાન કરવું નહીં.
(૧પ)તાંબુલ/નાગરવેલ નું પાન સેવન - આળસ, વ્રણ, વિદ્રધિ, દંતરોગ, તાલુરોગ, ઉપજિહવા ના રોગ કેન્સર, ગલગંડ, અપચી તાલુશોષ અને કફપ્રકોપમાં પાન ખાવું હિતકર છે.
આંખોના રોગ, રકતપિત્ત, ક્ષાત, દાહ, ઝેર ના રોગી, રાજયક્ષમા, દમ, મોહ, શ્વાસ વગેરે રોગવાળાને નાગરવેલનું પાન નુકશાનકારક છે.
શૌચ જઈ આવ્યા પછી, જમ્યા પહેલા, નવા સળેખમમાં, આંખો ના રોગો, કાનની શકિતનો ક્ષય, દાંતમાંથી પરૂ નીકળવું, અવાળુંની નબળાઈ અને મહેનત પછી પરસેવો થયો હોય ત્યારે પાન ન ખાવું જોઈએ. ક્ષયના રોગીને પણ પાન ન આપવું જોઈએ.
(૧૬)આંખોને નુકશાન કારક : નાહતી વખતે માથાપર ગરમ પાણી રેડવાથી આંખોને નુકશાન થાય છે અને વલીપલિત ઉત્પન્ન થાય છે. ખૂબ થોડા કે ખૂબ પ્રકાશમાં વાંચવું- લખવું, ઝીણું કામ કરવું, સૂતા સૂતા અથવા ચાલતી ગાડીએ વાંચવું, ગરમ ચીજોનું વધારે સેવન કરવું, સિનેમા જોવા, આંખને શ્રમ પડે એવા ઝીણા કામ કરવાં, મરચાં વગેરે ઉગ્ર ચીજો ખાંડવી, ધુમાડામાં બેસવું, ચૂલો ફૂંકવો, અતિ સ્ત્રીસેવન, તમાકુનું વધારે સેવન, દેવતા પાસે લાંબો વખત બેસી રહેવું, સખ્ત તાપમાં ફરવું, સૂર્ય સામે ત્રાટક કરવું આ બધું આંખોને નુકશાનકારક છે.
(૧૭) દાંતને નુકશાન કરનાર - પથ્થરના કોયલા, રેતી કે બીજી કઠણ વસ્તુઓથી દાંત સાફ કરવાથી દાંત ઉપરની સફેદી ખરાબ થઈ જાય છે. તેમજ સીગરેટ, બીડી, તમાકુ, દારૂ, સરકો, સખત ખટાશ, ગળ્યા પદાર્થો અને નાગરવેલનું પાન વગેરેનું વધારે સેવન કરવાથી દાંતમાં કૃમિ પડે છે કે ક્ષય થાય છે.
(૧૮)સૂતી વખતે માથા પર કપડું બાંધવું તેમજ પગે મોજાં, સખત રહે તેવાં કપડાં કે બૂટ પહેરવાથી રકતાભિસરણ ક્રીયા રોકાય છે અને એથી તે અવયવની શકિત ઘટી જાય છે.
(૧૯)દિવસે કોણ ઊંધી શકે ? : વ્યાયામ અથવા કામ કરવાથી થાકેલા, જેણે મૈથુન કર્યું હોય, નિત્ય પ્રવાસ કરતો હોય, અતિસર, ઉદરશૂલ, શ્વાસ, તરસ, હેડકી અને આમરહિત વાતરોગવાળા, દારૂ પીને નશો કરેલો હોય, વૃદ્વ, બાળક, રાત્રે ઉજાગરો કરતો હોય, આટલા માણસોને દિવસે ભોજન પહેલાં સુવું ફાયદાકારક છે.
(ર૦)ઉપવાસ કોણે ન કરવો ? : વાતરોગી, તરસ્યો, બાળક, વૃદ્વ, સગર્ભાસ્ત્રી, તાવ ના રોગી, અનેક રોગથી પીડા પામેલા, થાકેલા અને ભૂખ્યા થયેલા મનુષ્યને ઉપવાસ ન કરાવવો. ઉપવાસ કરાવવાથી જેના હાડકામાં દરદ, મનમાં ભ્રમ, આંખોએ અંધારાં, હ્રદયમાં અવરોધ અને શરીરમાં બહુ અશકિત આવતી હોય, તેમને બહુ ઉપવાસ ન કરાવવા જોઈએ.
(ર૧) દૂધ અને ફણસ વિરોધી છે.બધી જાતની માછલીઓ અને દૂધ વિરૂધ્ધ છે. દૂધ અને માછલી બંને મધુર હોવાથી એક રીતે સરખાં છે. પણ દૂધ શીતવીર્ય અને માછલી ઉષ્ણવીર્ય હોવાથી વિરોધી છે. આ બંને નું એકસાથે સેવન ન કરવું જોઈએ.
(ર૨)દહીં ગરમ કરી ખાવું એ વિરૂદ્વ હોવાથી નુકશાન કરે છે.
(ર૩)મધ અને ઘી સમભાગે મેળવી ખાવું નુકશાનકારક છે.
(૨૪)એકલા જવ જ ખાવા અને બીજુ અનાજ ન ખાવું એ નુકશાનકારક છે. આ સ્વભાવ વિરૂદ્વનું ઉદાહરણ છે.

સાભાર :- આયુર્વેદિક ચર્ચાનો ઓટલો...ના સભ્ય ગૌરાંગ દરજી પાસેથી

આયુર્વેદ ઉપચાર :- કાનના રોગો

વાત, પિત્ત, કફ તથા વાતપિત્ત, વાતકફ અને પિત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે.
(क) વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં, કોદરી, લૂખા ખાખરા, લૂખા મમરા, કારણ વિના લંધન, જાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ, ઠંડુ સ્નાન, વ્યાયામ, વાગવું, વધુ પરિશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતિશય બોલવું, ચિંતા, ભય, દુ:ખ વગેરે છે.
(ख) પિત્ત....તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષ્ણ અને ગરમાગરમ ખોરાક પિત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતિ પરિશ્રમ, દિવસની નિદ્રા, અતિ મૈથુન, કારણ વિનાના ઉપવાસ, સૂર્યનો અને અગ્નિનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સૂંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખઆટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી વધુ પડતું મીઠું(નમક). બાજરી, ઘરડા તીખા મૂળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઇ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો વગેરે કાનના પિત્તથી થતા રોગો કરે છે. જો કે કાનના રોગોમાં પિત્તજ કારણો ઘણાં ઓછાં હોવાથી પિત્તજ કર્ણરોગનું પ્રમાણ નહીંવત જોવા મળે છે.

(ग) કફ....અડદ, આઇસ્ક્રીમ, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળી દ્રાક્ષ, કુલફી, કેળાં, ખાટાં પીણા, ખાંડ, ગોળ ઘી, ચીકુ, ખાટી છાસ, જમરુખ, ટામેટાં, ઠંડા પીણાં, ડુંગળી, તરબૂચ, તલ, દહીં, દિવસની ઊંધ, દૂધ, બિસ્કિટ, ભીંડા, નારંગી, પાંઉ, ફ્રીજનું પાણી, ફૂટ જ્યુસ, ક્રૂટ સલાડ, બરફ, માખણ, માંસ, મીઠાઇ, વધુ પડતું મીઠું (નમક), વેજિટેબલ ઘી, શીખંડ, શિંગોડાં, શેરડીનો રસ, તરવું, ઠંડા પાણીથી સ્નાન વગેરે કફજન્ય કર્ણરોગનાં કારણો છે.
(1) હળદર અને ફૂલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્ત્રાવ જલદી મટે છે.
(2) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરુ નીકળતું હોય તો બંધ થાય છે.
(3) ફૂલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંદ થાય છે.
(4) સરસિયું અથવા તલના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાકવાથી ફાયદો થાય છે.

કાનમાં અવાજ થાય ત્યારે વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શિરામાં રોકાઇ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંત:કર્ણમાં આવેલ કોકલિયા નામના અંગની વિકૃત્તિ થાય છે. આ રોગમાં આ મુજબ શક્ય ઉપચાર કરવા.
(1) બકરીના મૂત્રમાં સંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાં.
(2) કપાસનાં જીંડવાનો રસ કાનમાં નાખવો.
(3) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો.
(4) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો.
(5) સરસવ તેલનથી કાન ભરી દેવો. કાનમાં જંતુ જાય ત્યારે મધ, દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

કાનમાં પરું કાનમાંથી પરુ નીકળતું હોય તો કાન સાફ કરી નીચે દર્શાવેલ શક્ય ઉપાય કરવા.
(1) મધમાં સિંદુર મેળવી બબ્બે ટીપાં સવારે-રાત્રે કાનમાં નાખવા.
(2) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચારગણા પાણીમાં ધીમાં તાપે ઉકાળી તેલ સિદ્ધ રવું. આ તેલનાં બેત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.
(3) કાનમાંથી પરું વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.

કાનમાં કીડા પડવા કર્ણસ્ત્રાવ, કર્ણપાક, વિદ્રધિ જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી વાતાદિ દોષોથી કાનમાં સડો પેદા થાય છે. અને તેમાં કીડા પેદા થાય છે. એમાં આ મુજબના શક્ય ઉપાયો કરવા.
(1) સ્વમૂત્ર કાનમાં નાખવું.
(2) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું.
(3) ગોમૂત્ર સાથે હરતાલનું ચૂર્ણ પીસીને કાનમાં નાખવું.

કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહિ.
(1) સ્વમૂત્રના ટીપાં કાનમાં નાખવાં.
(2) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

કાનમાં કીડો કે જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શ્કય ઉપાય કરવા.
(1) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતું બહાર નીકળી આવે છે.
(2) ઘોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો. .

કાનના રોગોમાં પથ્ય
(1) નીચેનો ખોરાક લઇ શકાય.
અજમો, અથાણાં (તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી (તીખી), કાજુ, કોથમીર, કોબી, ફુલાવર, ખજૂર (થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ (પાતળી અને મોળી), જીરું, પરવળ પાન, પાપડ (અડદ સિવાયના) પાલખ, પટાટા (થોડા), સીંગતેલ (થોડું), હળદર, હિંગ વગેરે
(2) નીચેનો આહાર ન લેવો.
અડદ, આઇસ્ક્રીમ, આમલી, અંજીર, ઇંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કેળાં, ખાંડ, ગવર, ધી (ભેંસનું) ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળા, ટેટી, ઠંડાપીણા, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.

Monday, November 2, 2020

આંખોની આયુર્વેધિક સારવાર

🤓 ભલે ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળ થી કાઢી નાખશે આંખના નંબર 🤓

ઉમરના લોકોને આપણે ચશ્માં પહેરતા જોયા હશે પણ હાલના સમયમાં તો નાની-નાની ઉમરના બાળકોને ચશ્માં નંબર આવી જતા હોઈ છે. આંખોની દ્રષ્ટિ ઓછી થવા પાછળનું

🍁 પહેલું કારણ ભોજનમાં વિટામીન ‘A’ ની ઉણપ છે. જેને કારણે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.

🍁 બીજું કારણ કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું કે ટીવી જોવું.

🍁 ત્રીજું કારણ આંખોની પુરતી કાળજી ના રાખવી.

આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે જેથી આપણે સ્પષ્ટ પણે જોઈ શકતા નથી અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે, થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત.આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા, તણાવ, પોષણની ખામી, કામનું દબાણ, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.

▪️ સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે.

▪️ 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.

▪️ એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.

▪️ કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.

▪️ લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.

▪️ લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

▪️ આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.

▪️ એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

▪️ જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.

▪️ આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.

▪️ નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.

▪️ ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.

▪️ વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

▪️ એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.

▪️ આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે.

▪️ આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.

▪️ થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો.

▪️ જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.

આપણે મોં પર અને વાળ પર નવી નવી ક્રીમ લગાવીએ છીએ પરંતુ આંખો માટે કાંઈ જ નથી કરતા. આવો જોઈએ આંખોમાં આયુર્વેધિકમાં શું શું લગાવી શકીએ છીએ.

🍁 ગાયના દૂધ માંથી નીકળતા માખણને આંખમાં લગાવવાથી બળતરા શાંત થાય છે.

🍁 કેળા, કાકડીની કે દુધીની છાલ ને બંધ આંખો પર મુકવાથી આંખો ને ઠંડક મળે છે

🍁 પુનર્વવાના થડને વાટીને તેના રસમાં ઘી ભેળવીને આંખોમાં લગાવવાથી લાભ થાય છે.

🍁 ચમેલીના ફૂલનો લેપ આંખો ઉપર કરવાથી લાભ થાય છે.

🍁 અરીઠાના પાણીથી આંખ ધોવાથી સરળ મોતિયાબિંદમાં લાભ થાય છે.

🍁 રાઈનું ચૂર્ણને ઘી સાથે લગાવવાથી આંખોની ફૂસી માંથી રાહત મળે છે.

🍁 તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે.

🍁 દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો.

🍁 મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે.

🍁 અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ જાય છે. તેની પટ્ટીના દૂધ કે તેની રાબને મધ સાથે આંખોમાં લગાવવાથી પણ નેત્ર રોગ ઠીક થાય છે.

🍁 કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ, રતાંધળાપણું વગેરે રોગ દુર થાય છે.

🍁 ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે.

🍁 ગુલાબજળનો આંખોમાં છંટકાવ કરો.

🍁 જો જમણી આંખમાં દુ:ખાવો થાય તો ડાબા પગના નખ અને ડાબી આંખમાં દુ:ખાવો થાય તો જમના પગના નખ આંકડાના દૂધમાં પલાળો. આંકડાના દૂધને ક્યારે પણ આંખમાં ન નાખો. તેનાથી આંખોની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહે છે.

🍁 જીરું અને મહેંદીને વાટીને ગુલાબજળમાં પલાળીને સવારે તેને ગાળી લો. થોડી એવી ફટકડી ભેળવો. તેનાથી આંખો ધોવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

🍁 આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી તો દૂધના ત્રણ ટીપા નાખો.

🍁 વાસાના ત્રણ ચાર ફૂલને ગરમ કરી આંખો ઉપર રાખવાથી ગોલકના સોજામાં રાહત મળે છે.

🍁 શીશમના પાંદડાના રસને મધ સાથે આંખમાં નાખવાથી દુ:ખાવો ઠીક થાય છે.

🍁 જે આંખમાં દુ:ખાવો હોય તેની ઉલટી તરફના કાનમાં લીમડાના પાંદડાનો રસ નાખવાથી આરામ મળે છે. લીમડાના પાંદડાનો રસ આંખમાં પણ લગાવી શકાય છે.

🍁 તલના ફૂલ ઉપર પડેલી ઓસ(ઝાકળ) આંખમાં નાખવાથી તમામ પ્રકારના રોગ દુર થાય છે.

🍁 દાડમના પાદંડાનો રસ આંખમાં લગાવવાથી ખંજવાળ, આંખો માંથી પાણી વહેવું, પાપણમાં તકલીફ, વગેરે રોગ દુર થાય છે. પાંદડાની પેસ્ટ આંખ ઉપર રાખી શકાય છે.

🍁 શિરીષના પાંદડાનો રસ આંખમાં લગાવવાથી રતાંધળાપણું, આંખોમાં દુ:ખાવામાં દ્રષ્ટિ વધારવામાં લાભ થાય છે.

🍁 તેજપત્તાને વાટીને આંખમાં લગાવવાથી આંખોના જાળા અને ઝાંખપ મટી જાય છે.

🍁 બોરના ઠળિયાને ઘસીને આંખમાં લગાવવાથી આંખોનું પાણી વહેવું બંધ થઇ જાય છે.

☘️ તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય :- ☘️

🍁 પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.

🍁 બીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે.

🍁 ત્રીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતના આ એક સ્થળે જ જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક.

એકસાથે 17 જુદા જુદા પ્રોજેક્ટ જોવો એક જ સ્થળે

✔️સ્ટેચ્યુ ઓફ યુનિટી
✔️નર્મદા ડેમ
✔️સી- પ્લેન
✔️સિંગલ અને કપલ સાયકલિંગ
✔️ઈકો ટુરિઝમ
✔️રિવર રાફ્ટિંગ 🚤
✔️એકતા મોલ
✔️વલી ઓફ ફ્લાવર
✔️જગલ સફારી 🦜🦁🐆
✔️બટરફ્લાય ગાર્ડન 🦋🦋
✔️કેકટર્સ ગાર્ડન 🍁🍄
✔️ચિલ્ડ્રન પાર્ક 🐹🐭
✔️એકતા નર્સરી 🌱🌿
✔️એકતા મોલ 🚋
✔️ઝરવાણી ધોધ
✔️ટન્ટ સીટી ૧ અને ૨ 🏕
✔️નૌકા વિહાર ⛵️
✔️એકતા ક્રુઝ 🛳

જુઓ દરેક સ્થળની વિશેષતા અને online બુકિંગ...!!!

https://www.soutickets.in/#/services-venue-list

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...