Wednesday, January 20, 2021

અહોમ રાજવંશ

આપણે અહોમ રાજવંશ વિશે કેમ ખાસ કશું જાણતા નથી?
............ટેક ઑફ - દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ ................
આપણને સ્કૂલમાં અકબર મહાન હતો અને ઔરંગઝેબ મહાન હતો એવું જ કેમ શીખવ-શીખવ કરવામાં આવતું હતું? કેમ આપણને બ્રિટીશ વાઇસરોયો વિશે જ ગોખણપટ્ટી કરાવવામાં આવતી હતી?
---------------------------------------------
મૌર્ય રાજવીઓએ 137 વર્ષ રાજ કર્યું હતું, ગુપ્ત વંશનો સમયકાળ આશરે 220 વર્ષોમાં અંતરાલમાં ફેલાયો હતો, મુગલ સમ્રાટોએ લગભગ 330 વર્ષ હકૂમત ચલાવી હતી. આની તુલના આસામના અહોમ રાજવંશ સાથે કરો. ઈશાન ભારતમાં 598 વર્ષ સુધી તેનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. લગભગ છ સદી! ભારતનો આ એકમાત્ર રાજવંશ છે જેણે સાઠ વર્ષમાં ગાળામાં મોગલોને સત્તર-સત્તર વખત હરાવ્યા હતા! આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઇતિહાસના પુસ્તકમાં અહોમ રાજવંશની ગૌરવવંતી ગાથા વિશે કેમ ભણાવવામાં આવ્યું નહોતું? કેમ આપણને અકબર મહાન હતો અને ઔરંગઝેબ મહાન હતો એવું જ શીખવ-શીખવ કરવામાં આવતું હતું? કેમ આપણને બ્રિટીશ વાઇસરોયો વિશે જ ગોખણપટ્ટી કરાવવામાં આવતી હતી?

અહોમ રાજવંશનો ઇતિહાસ ખરેખર રસ અને આશ્ચર્ય પેદા કરે તેવો છે. અહોમ રાજવંશની સ્થાપના ચાઓલુંગ સુકફા નામના પ્રિન્સે 1228ની સાલમાં કરી હતી. એ દક્ષિણ ચીનમાંથી નવ હજાર સાથીઓને લઈને બ્રહ્મપુત્રાની ખીણમાં પ્રવેશ્યો હતો. તે વખતે ઈશાન ભારતમાં છતીગર, કોચ-હાજો, મિરી વગેરે રજવાડાઓ હતા. તે સઘળાં પછી અહોમ સ્ટેટનો હિસ્સો બન્યાં.

અહોમ રાજવંશની વિશેષતા એ હતી કે તેનો રાજા સર્વેસર્વા ગણાતો નહોતો. રાજાના પાંચ પ્રધાનો રહેતા. તેઓ ‘પત્ર મંત્રી’ કહેવાતા. તેઓ રાજા પર સતત નજર રાખીને સુનિશ્ચિત કરતા કે એ પોતાની જવાબદારીઓ બરાબર નિભાવે છે કે કેમ. જો રાજા કાચો પડે તો એને રાજગાદી પરથી ઉઠાડી મૂકવાની સત્તા પણ આ પાંચ પ્રધાનો પાસે રહેતી. પ્રધાનોએ રાજાને દેહાતદંડની સજા ફટકારી હોય તેવી ઘટના પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. 14મી સદીમાં ત્રણ વાર એવું બન્યું કે રાજગાદી તદ્દન ખાલી રહી, કેમ કે તેના પર બિરાજમાન થઈ શકે તેવો લાયક ઉમેદવાર આ મંત્રીઓને નહોતો મળ્યો!

અહોમ રાજવંશનો એક મોટો પ્લસ પૉઇન્ટ એ હતો કે સત્તાધારીઓએ સ્થાનિક સંસ્કૃતિ, ધર્મ અને ભાષાને કચડી નાખવાની કોશિશ બિલકુલ કરી નહોતી, બલકે તેનો સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો. મૂળ અહોમ ધર્મ, તેની તાઈ ભાષા, રીતરિવાજો, ખાનપાન આ બધું ધીમે ધીમે ઓસરતું ગયું. તાઇ કલ્ચરની જગ્યાએ આસામી કલ્ચર ગોઠવાતું ગયું. હિંદુ ધર્મ, જીવનશૈલી આસામી ભાષા આ બધું મેઇનસ્ટ્રીમ બન્યું. અહોમ સમયગાળાના શરૂઆતના શિલાલેખો તાઇ-અહોમ ભાષામાં જોવા મળે છે, પણ ધીમે ધીમે શિલાલેખોની ભાષા સંસ્કૃત કે આસામી બનતી ગઈ. અહોમ સત્તાધારીઓએ ક્યારેય જનતાનો ધર્મ વટલાવવાનો પ્રયાસ ન કર્યો, બલ્કે અહોમ રાજવીઓએ ખુદ હિંદુ ધર્મનો અંગીકાર કર્યો. તેઓ શિવ અને શક્તિને પૂજતા. ઉત્તરીય આસામમાં તેમણે મંદિરો બંધાવ્યાં.

અહોમની રાણીઓ પણ શક્તિશાળી અને બુદ્ધિમાન રહેતી. રાજકાજમાં રાણીઓ સંપૂર્ણપણે સક્રિય રહેતી. અહોમ ડાયનેસ્ટીમાં રાણીઓનું મહત્ત્ત્વ એ વાત પરથી સમજાય છે કે તે કાળના કેટલાય સિક્કાઓ પર રાજા ઉપરાંત રાણીઓનાં નામ પર અંકિત થયેલાં જોવા મળે છે. સિક્કાની એક બાજુ રાજાનું નામ હોય, બીજી બાજુ રાણીનું નામ.

મોગલો અજેય ગણાતા હતા, પણ ભારતનો નોર્થ-ઈસ્ટ ઇલાકો કબ્જે કરવામાં તેઓ ક્યારેય સફળ ન થયા. બાકી અહીં મોગલોમાં લાલચ જગાડે એવું બધું જ હતું. એક તો, એકાધિક દેશોમાં વહેતી વિશાળ બ્રહ્મપુત્રા નદી. જો તેના પર કબ્જો મેળવી લેવાય તો જળમાર્ગે સારો વેપાર-વ્યવહાર થઈ શકે. વળી, અહીંની જમીન ફળદ્રુપ હતી એટલે ધનધાન્ય પણ પુષ્કળ લઈ શકાય તેમ હતું. મોગલો આસામ સર ન કરી શક્યા એનું એક મોટું કારણ લચિત બોરફુકણ નામનો યોદ્ધા છે. લચિત વાસ્તવમાં રાજા નહીં, પણ દક્ષિણ આસામના પ્રધાન હતા. 1615થી 1682 દરમિયાન મોગલોએ ભારતના નોર્થ-ઇસ્ટ હિસ્સા પર 17 વખત ચડાઈ કરી હતી. 1667માં મોગલોએ ગૌહાટી કબ્જે કરેલું. અહોમ શાસકોએ તેમને એ જમાનાના ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ અને 90 હાથીઓ આપવા પડ્યા હતા. બે અહોમ રાજકુમારીઓને મોગલો બંદી બનાવીને લઈ ગયા હતા.

રાજા ચક્રધ્વજ સિંહાએ લચિત બોરફુકણને પોતાના સેનાપતિ તરીકે પસંદ કર્યા અને ગૌહાટીને પુનઃ હસ્તગત કરવાની જવાબદારી સોંપી. લચિતે લશ્કર તૈયાર કર્યું ને ગૌહાટી પાછું કબ્જે કર્યું. એને ખાતરી હતી કે મોગલો કંઈ શાંત બેસી રહેવાના નથી. તેઓ ફરી આક્રમણ કરશે જ. એવું જ થયું. મોગલો વધારે મોટા લશ્કર સાથે પાછા ચડી આવ્યા. આ વખતે તેમની પાસે 30 હજાર સૈનિકો, 15 હજાર તીરંદાજો, 18 હજાર ઘોડેસવારો અને એક હજાર તોપ હતી. આટલા તાકતવર સૈન્યને શી રીતે મ્હાત આપવી?

પણ લચિત શૂરવીર હતો અને પાછો માસ્ટરમાઇન્ડ હતો. એણે એવી યુક્તિ કરી કે જેથી મોગલોએ બ્રહ્મપુત્રા નદીના કાંઠે ખેંચાઈ આવવું પડે. લચિત જાણતો હતો કે મોગલોનું જળસૈન્ય સૌથી કાચું છે. લચિત દેખીતી રીતે જ પોતાના પ્રદેશની ભૂગોળને ખૂબ સારી રીતે જાણતો હતો. કમનસીબે યુદ્ધ ચાલી રહ્યું હતું તે અરસામાં એ ખૂબ બીમાર પડી ગયો. એના સૈન્યનો જુસ્સો તૂટી પડ્યો. મોગલો તેમના પર હાવી થવા લાગ્યા. પરાજય નજર સામે દેખાતો હતો. લચિતે પૌતાના સૈનિકોને સ્પષ્ટપણે કહી દીધુઃ જો તમારે રણમેદાન છોડીને ચાલ્યા જવું હોય તો જઈ શકો છો. હું તમને રોકીશ નહીં, પણ હું ક્યાંય જવાનો નથી. રાજાએ મને જવાબદારી સોંપી છે ને તે હું કોઈ પણ ભોગે નિભાવીશ. ભલે મોગલો મારું જે કરવું હોય તે કરે. તમે રાજાને સંદેશો આપજો કે બીમાર હોવા છતાં લચિતે હાર નહોતી માની ને છેલ્લી ઘડી સુધી એ માતૃભૂમિ કાજે લડતો રહ્યો હતો!

લચિતનું ઝનૂન જોઈને એના સાથીઓ દંગ થઈ ગયા. એમને પાનો ચડ્યો ને એમણે એવી જોરદાર લડત આપી કે મોગલોની મસમોટી સેના હારી ગઈ. સરાઈઘાટનું આ યુદ્ધ ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે. આજની તારીખે દર વર્ષે 24 નવેમ્બર આસામમાં લચિત દિવસ તરીકે ઉજવાય છે અને નરેન્દ્ર મોદી સવારના પહોરમાં ભૂલ્યા વગર અચૂકપણે ‘હેપી લચિત ડે’ ટ્વિટ કરે છે.

લચિત બોરફુકન ભારતે પેદા કરેલા મહાનતમ યોદ્ધાઓમાંનો એક છે. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં બેસ્ટ કેડેટને આજે પણ લચિત બોરફુકન ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. ગોલ્ડ મેડલને લચિત બોરફુકનનું નામ આપવાની શરૂઆત 1999માં થઈ હતી. નેશનલ અવૉર્ડવિનર જાનુ બરુઆ લચિત બોરફુકનના જીવન પર ફિલ્મ બનાવવાના છે, જે 2022માં રિલીઝ થશે.

અહોમ સામ્રાજ્ય અને લચિત જેવા મહાન યોદ્ધા વિશે આપણે આટલું બધું ઓછું જાણીએ છીએ તે સ્કૂલ-કૉલેજોના પાઠ્યપુસ્તકો તૈયાર કરનારા ડાબેરી વિચારધારા ધરાવતા કમ્યુનિસ્ટ ઇતિહાસકારોનું પાપ છે. ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો એવી વિચિત્ર રીતે તૈયાર થતાં રહ્યાં છે કે પૂર્વ ભારતના વિદ્યાર્થીઓ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓથી અપરિચિત રહી ગયા છે, જ્યારે આપણને લચિત બોરફુકનનું નામ અજાણ્યું લાગે છે. એક આરોપ એવો છે કે ભારતના કમ્યુનિસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ખરેખર તો સોવિયેટ રશિયા કે ચીનના નહીં, પણ બ્રિટીશ અને યુરોપિઅન સોશ્યલિસ્ટ્સના ખોળામાં બેસી ગચા હતા. તેથી જ આપણા ઇતિહાસમાં મોગલોનો બહાદૂરીપૂર્વક મુકાબલો કરનારા અહોમ, મરાઠા, વિજયવાડા અને ત્રાવણકોર સામ્રાજ્યોની અવગણના થઈ છે. ખેર, આપણામાં લઘુતાગ્રંથિ ઘૂંટાતી રહે તે રીતે નહીં, પણ આપણા આત્મસન્માનને પુષ્ટ કરે તે રીતે ઇતિહાસનું સંતુલિત પુનર્લેખન થવું જોઈ. તે થશે જ. યોગ્ય સંદર્ભોવાળો, સાચા પરિપ્રેક્ષ્યમાં લખાયેલો સંવર્ધિત ઇતિહાસ સપાટી પર આવે તે દિવસો હવે દૂર નથી.

સાભાર :-
- શિશિર રામાવત
#TakeOff #AhomDynasty #LachitBorphukan #ShishirRamavat #DivyaBhaskar

Monday, January 18, 2021

કર્મની ગતિ

રાત નો સમય હતો અને હું મારી કાર માં જઈ રહ્યો હતો ,, આગળ જોયું તો એક પરિવાર એમની બંધ કાર પાસે ઉભો હતો , રાત નો સમય હોઈ કોઈ મદદ કરવા ઉભું નોતું રેહતું ,, હું તો એકલો રામ હતો, કાર ઉભી રાખી પૂછ્યું શું મદદ કરું?
એમનું કાર માં પેટ્રોલ ખાલી થઇ ગયું હતું.. છેલ્લા શહેર થી નીકળ્યા ત્યારે વિચાર્યું કે highway પર ભરવી લેશું પણ પછી ભરવી જ નો શક્યા..
નસીબ જોગે મારી પાસે એક ૫ લીટર નું કેન ભરેલું પડ્યું હતું ,, મેં એમને આપી દીધું ,, ભાઈ એ તરત પૈસા આપવા માંડ્યા ,, મને પણ શું થયું કે મેં કીધું એક કામ કરો મિત્ર, પૈસા રેહવા દ્યો ... આ કેન ભરાવી ને તમારી કાર માં રાખજો અને ભવિષ્ય માં કોઈ જરૂરત વળી વ્યક્તિ ને આપી દેજો,,
આમ વાત કરી અમે હસતા હસતા છુટા પડ્યા

વરસો વીતી ગયા હતા આ વાત ને અને હું પણ ભૂલી ગયો હતો
ત્યાં અચાનક એક રાત્રે મારી જ કાર highway પર અટકી ગઈ, જોયું તો પેટ્રોલ જ ખાલી,, થોડા વખતે એક કાર રોકાણી મારી વ્યથા સાંભળી એ ભાઈ એ કહ્યું લ્યો મારી પાસે આ પેટ્રોલ નું કેન છે તમે ભરી લ્યો,, અને એ એ જ કેન હતું જે મેં વર્ષો પેહલા એક મિત્ર ને આપડી દીધું હતું ... જયારે મેં પૈસા આપવા ની તૈયારી બતાવી ત્યારે એ ભાઈ એ એમ જ કહ્યું કે તમે પણ આ કેન ભરી ને રાખજો અને જરૂરિયાતમંદ ને આપી દેજો,,,

બસ મિત્રો, આજ કુદરત નો નિયમ છે,, જે સારું કે ખરાબ તમે કરો છો તે આજે કે કાલે, ફરી ફરી ને તમારી પાસે આવશે જ ,,
માટે શક્ય એટલા સત્કર્મો કરતા રેહજો,,

સાભાર
Raje Kanz
https://www.facebook.com/groups/rajesh.kanzariya2712/permalink/1823775527799667/

પરમેશ્વર હમેશાં સાથે હોય છે.

એક યુવાન જીંદગીથી કંટાળીને દરિયાકાંઠે બેઠો હતો. વારંવારની નિષ્ફળતાઓને કારણે બધાએ એનો સાથે છોડી દિધો હતો એ હવે સાવ એકલો હતો. “ આ જગતમાં મારુ કોઇ જ નથી” આવો વિચાર આવ્યો ત્યાં તો એના માથા પર કોઇએ પ્રેમથી હાથ ફેરવ્યો. યુવાને ઉંચે જોયુ તો કોઇ અજાણ્યો માણસ હતો. એ માણસે પોતાનો પરિચય આપતા કહ્યુ , “ હું આ જગતનો નિયંતા પરમેશ્વર છું”

યુવાને ગુસ્સો ઠાલવતા કહ્યુ , “ તો તમે અહિંયા મારી પાસે શું કરો છો ? જાવ તમારા મંદિરમાં જઇને બેસો. મારી પાસે તો મારા પોતાના પણ કોઇ નથી તો તમે શું આવ્યા છો.” ભગવાને પ્રેમથી કહ્યુ , “ બેટા, બીજા કોઇ તારા હોય કે ના હોય પણ હું તારો છું અને તું મારો છે અને એટલે જ હું આવ્યો છું. ચાલ ઉભો થા હું તને તારા ઘર સુધી પહોંચાડું”

યુવાનને હવે સારુ લાગ્યુ. એ ઉભો થયો અને ભગવાન સાથે વાતો કરતા કરતા પોતાના ઘર તરફ ચાલ્યો. રાતનો સમય હતો અને થોડુ અંધારુ પણ હતું. બંને વાતો કરતા આગળ ચાલી રહ્યા હતા. યુવાન જુદા-જુદા પ્રશ્નો પુછતો હતો અને પ્રભુ એના ઉતરો આપતા હતા. બંને વચ્ચેની વાત ક્યારે બંધ થઇ ગઇ અને ભગવાન ક્યારે જતા રહ્યા એ યુવાનને ખબર પણ ન પડી. એની આંખ ખુલી તો સમુદ્રકાંઠા પરના પોતાના ઝૂંપડામાં એ એકલો જ હતો.

ભગવાન પર થોડો ગુસ્સો આવ્યો કે મને મુકીને શા માટે ચાલ્યા ગયા હશે. એ ફરીથી કાલ વાળી જગ્યા પર આવ્યો અને ત્યાં ભગવાન સાથે ભેટો થઇ ગયો એટલે ભગવાનને ફરિયાદ કરી , “ કાલ મને એકલો મુકીને કેમ જતા રહ્યા હતા?” ભગવાને કહ્યુ ,” મેં તને એકલો મુકયો જ નથી છેક તારા ઘર સુધી તારી સાથે જ હતો.” યુવાને દલીલ કરતા કહ્યુ , “ ભગવાન થઇને શું ખોટુ બોલો છો. આ જગ્યા પરથી અડધા રસ્તા સુધી જ ચાર પગલા હતા અને અડધે રસ્તેથી માત્ર બે પગલા જ થઇ ગયા. મતલબ કે તમે મને અડધે રસ્તે મુકીને જતા રહ્યા હતા. હું સવારે આ પગલા જોઇને જ આવ્યો છું ચાલો મારી સાથે તમને પણ ખાત્રી કરાવું.”

ભગવાને કહ્યુ , “ બેટા મને સાંભળ તો ખરો. ખાત્રી કરવાની કોઇ જરુર નથી મને ખબર છે કે અડધે સુધી રેતીમાં ચાર પગલાની છાપ છે અને પછી ત્યાથી તારા ઘર સુધી માત્ર બે પગલાની છાપ છે એ એટલા માટે કે અડધા રસ્તે પહોંચ્યા પછી થાકને કારણે તું સુઇ ગયો હતો એટલે મેં તને ઉપાડી લીધો હતો અને તારા ઘર સુધી પહોંચાડ્યો હતો. તને જે બે પગલા દેખાય છે એ તારા નહી મારા છે.”

તમને અને મને આ ધરતીની મુલાકાતે મોકલનારો હંમેશા આપણી સાથે જ હોય છે. હા એટલું ખરુ કે આપણી સાથે હોય ત્યારે હાથમાં શંખ, ચક્ર , ગદા કે પદ્મ નથી હોતા એ આપણા જેવો સામાન્ય માણસ જ હોય છે અને આપણે બીજા રૂપમાં એને શોધ્યા કરીએ છીએ.

Sunday, January 17, 2021

મકરસંક્રાંતિ

મોજથી ચગાવો અવકાશે પતંગ,
આપણે ક્યા કોઈની કાપીએ છીએ,
અને કોઈ કાપે જો આપણી તો,
બે કદમ વધુ પ્રગતિનાં માપીએ છીએ.

Thursday, January 14, 2021

એક જીવન આવું પણ હતું.....



ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
કેલ્શિયમની ઉણપ પૂરી કરવી
એ અમારી કાયમી ટેવ હતી..!

અને ભણવાનો તણાવ ?
પેન્સિલનો પાછલો હિસ્સો
ચાવી ચાવીને
તણાવમુક્ત થઈ જતા હતા..!

અને હા ...
ચોપડીઓની વચ્ચે
વિદ્યાના ઝાડનું ડાળું અને
મોરના પીંછાંને મૂકવાથી
અમે હોંશિયાર થઈ જઈશું
એવી દૃઢ માન્યતા હતી..!

અને
કપડાના થેલામાં
ચોપડા ગોઠવવા એ
અમારું આગવું કૌશલ્ય હતું.

ચોપડા ગોઠવવા એ જ
એ જમાનામાં હુન્નર મનાતું હતું.
અને ..
ચોપડાઓ ઉપર પૂંઠા ચડાવવા
એ અમારા જીવનનો
વાર્ષિક ઉત્સવ હતો ‌...

અને માતા-પિતાને
અમારા ભણતરની તો
કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.

વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.

અને
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે
સાયકલ લઈને જતા હતા ત્યારે
એકને ડંડા પર અને બીજાને
કેરિયર પર બેસાડતા
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ
થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો
અમારી સ્મૃતિ પટલ પર છે...!

એ જમાનામાં
ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
જોવા જઈએ તો
ક્યારેક ક્યારેક
અમને કાઢી મૂકવામાં પણ આવતા.
છતાં અમને ક્યારેય
અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં
શિક્ષકનો માર ખાતા કે
અંગૂઠા પકડતા
ક્યારેય શરમ કે સંકોચ
નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય
અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.
કારણ કે ...
અમને ખબર જ નહોતી કે
ઇગો કઈ બલાનું નામ છે ?

માર ખાવો
એ અમારા જીવનની
દૈનિક
સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!

મારવાવાળો
અને માર ખાવાવાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..

એકને એમ હતું
કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું
કે
અમારો હાથ સાફ થઈ ગયો..!
આમ બંને ખુશ...!

અમે ક્યારેય
અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને
એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને
કેટલો પ્રેમ કરીએ છીએ.

આજે અમે
દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ

અમે
જે જીવન જીવીને આવ્યા છીએ,
તેની સામે
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી
પણ...
અમારો પરિવાર
અને અમારા મિત્રો
એક સાથે હતા
એ જ મહત્વનું હતું...!

Tuesday, January 12, 2021

સ્નેહ વહેંચો,અને મેળવો

એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, "મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે - દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું'. "

તેના પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ."

છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, "ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર રહી ને જઈશું? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. હવે તેના પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ."

છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું "પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી.

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, "બેટા, તને કોનું કામ છે?"

આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું," મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું?"

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, "મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે 'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.' મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશો.
---
લખનાર નું નામ નથી ખબર..

સારી લાગી એટલે fwd કરી..
☺️🤝🤗
સાભાર :-
*સંવેદનાના ઝરણાઓ

Sunday, January 10, 2021

વાર્તા :- બાબરો ભુત

સરસ્વતીનો કાંઠો હતો.

સાંજનો સમય હતો.

ઢોર ચરીને પાછાં વળતાં હતાં.

પંખીઓ માળામાં બેસવા આવી રહ્યાં હતાં.

આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટેગોટા ઊડતા દેખાયા.

સીમાડા પર ભારે કોલાહલ થતો લાગ્યો.

જોયું તો પાતાળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો : પૂરેપૂરો અસુરનો અવતાર !

અસાડનાં વાદળાં જેવો કાળો રંગ. તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો. કોડા જેવી મોટી અને લાલઘૂમ આંખો.

આખા શરીર પર કાળી રુંવાટી. હાથીની સૂંઢ જવા હાથ. થાંભલા જેવા પગ.

માથે સાપના જેવા ગૂંચળાવાળા વાળ. મોટી મોટી દાઢી. લાંબી લાંબી મૂછો .

ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.

અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.

દોડવામાં ભલભલા અરબી ઘોડાને આંટે ! એની પાછળ પચીસ-ત્રીસ માણસો. કોઈના હાથમાં ભાલો. કોઈના હાથમાં ડાંગ. કોઈના હાથમાં તલવાર. કોઈના હાથમાં લાકડાની વાંકી કાતી. તાકીને કાતીનો ઘા કરે તો માણસ, ઘોડો કે ઊંટના પગનો નળો તોડી નાખે. ન હલાય કે ન ચલાય.

જે લોકોએ એને જોયો, એ ડરથી ચીસ પાડીને ઊભી પૂંછડીએ ભાગ્યા. ખેડૂતોએ ખેતર મૂક્યાં. ગોવાળોએ ઢોર મૂક્યાં. ચોકીદારોએ ચોકી મૂકી.

બધા બૂમો પાડતા ગામ તરફ ભાગ્યા,

'એ બાબરો ભૂત આવ્યો ! ભાગજો રે !'

ગામના ચોરામાં મદારસંગ બાપુ બેઠા હતા. સામે ડાયરો બેઠો હતો. સામસામો અમલ લેવાતો હતો. રંગછાંટણાં થતાં હતાં. એકબીજાની મરદાઈ ગવાતી હતી.

અદકપાંસળો ભગલો હોકો ભરતો હતો; ચલમમાં દેવતા મૂક્તો હતો.

બાપુનો હોકો આજ બરાબર જામતો નહોતો. એ વારંવાર ભગલાને કહેતા હતા : 'ગોલકીના ! દેવતા બરાબર નથી. લાકડાં ખરાબ છે. ભારાવાળાને બોલાવજે. ડચ્ચ લઈને ડોકું ઉડાડી દઉં ! મદારસંગ બાપુને એ ઓળખતો લાગતો નથી.'

ભગલો કહે : 'બાપુ ! અંગારા તો બરાબર છે, પણ તમાકુ બરાબર નથી.'

બાપુ કહે : 'ઈ વાણિયા તલકચંદને પકડી લાવજે. આવી તમાકુ આપનારને ગરદન મારવો પડે.'

વાતવાતમાં બાપુ ભગલાને ગાળ કાઢે. ગાળ કંઈ કોઈને ગમે ? ભગલાનેય ગમે નહિ. પણ ભગલો ડરે. ગરબડ કરે તો બાપુ તલવાર તાણે અને દૂધી પરનું ડીંટું કાપે, એમ એનું માથું કાપી લે !

કહેવાતું કે બાપુના પૂર્વજોએ તેર તવા વીંધેલા ( તેર તવા : તવો એટલે લોઢાની તાવડી. એવી તેર તાવડી એક પછી એક લટકાવી, એક તીરથી વીંધી નાખવી તે તેર તવા વીંધવા.)

એવામાં બૂમ આવી : 'બાબરો આવ્યો !'

ડાયરો તો હરરર કરતો વીખરાઈ ગયો. બાપુ ભેટ છોડી ઊભા થયા. હોકો પડતો મૂક્યો. ભગલાને પાસે બોલાવી કહ્યું :

'અલ્યા, તારી પાઘડી લાવ. મારી પાઘડી તું લે. બાબરો તો રજપૂતોનો કાળ છે. એમને દીઠા મૂક્તો નથી.'

ને બાપુ તો ભગલાની પાઘડી પહેરીને જાય ભાગ્યા.

ગોર મહારાજ રેવાદાસ ઘરના આંગણામાં બેઠા-બેઠા ગીતા વાંચતા હતા; ભગવાન કૃષ્ણનો ઉપદેશ સંભળાવતા હતા :

'પછી શ્રી ભગવાન બોલ્યા, હે અરજનિયા ! તું મરીશ તોયે સ્વરગે જઈશ. મારીશ તોય સ્વરગે જઈશ. માટે દીધે રાખ. તારે તો બંને હાથમાં લાડવો છે !'

લાડવો ! ને રેવાદાસનું મોં પહોળું થઈ રહ્યું; બોલ્યા : 'અરે ભટાણી ! આજ કોને ત્યાં જમવાનું નોતરું છે ?'

ત્યાં તો બૂમ પડી : 'બાબરો આવ્યો !'

ગોર મહારાજની ડાક્લી ફાટી રહી. અને સભા તો, બિલાડીને જોઈ જાર ખાતાં કબૂતરાં વેરાઈ જાય એમ, વેરાઈ ગઈ.

ગોરે ચાંદીની આચમની, ચાંદીનું તરભાણું ને સોનાની ભગવાનની મૂર્તિ પાણીના ગોળામાં પધરાવી દીધાં.

ગોરાણીને કહ્યું : 'કીમતી ચીજો સંતાડી દો. ભલે બાબરો આવે. માયા દેખી મુનિ ચળે તો બાબરો કોણ ? બાકી એક વાર ચાર આંખ થવા દો. આશીર્વાદમાં અડધું ન પડાવી લઉં, તો મારું નામ રેવાદાસ નહિ ! ઠેઠ કાશી જઈને ભણ્યો છું, હો !'

ગોબર શેઠ ગામના મહાજન. ગણેશ જેવી મોટી દુંદ. બેઠા-બેઠા હિસાબ-કિતાબ સરખા કરતા હતા.

બાબરો ભૂત આવ્યો.

શેઠાણી હરકુંવર કીકાને રમાડતાં પાસે બેઠાં હતાં; ગીરો મૂકેલાં ઘરેણાંના દાબડા ઉઘાડીને જોતાં હતાં; પૂછતાં હતાં :

'આ હાર કોનો છે ?'

'અરે ! શેઠાણી, ગમતો હોય તો તમારો. આવ્યો એ આવ્યો. જમના ઘેરથી કોઈ જીવ પાછો ગયો છે ? સરકારની જનમટીપમાંથી કોઈ ભાગે, પણ મારા ચોપડામાં જે કેદ થયો એ મરે તોય ન છૂટે.’

ત્યાં બૂમ પડી : 'બાબરો ભૂત આવ્યો !'

ગોબર શેઠ તો સડાક કરતા બેઠા થઈ ગયા. પાસે હતાં એ ઘરેણાં ગંદા પાણીની મોરીમાં નાખી દીધાં. શેઠાણીનો સાડલો ખેંચતાં કહ્યું :

'બાબરો વાણિયાને દીઠો મેલતો નથી. કહે છે કે વાણિયો ઢોરના આંચળમાં વળગેલી બગાઈ જેવો છે. બગાઈ તો મસળી નાખવાની. અરે, મણીઆની મા ! લાવ તારાં કપડાં. અત્યારે બચવાનો આ એક જ આરો છે '

ગોબર શેઠે ચણિયો પહેર્યો, સાડી પહેરી; લાંબો ઘૂમટો કાઢી આઘા જઈને બેઠા.

હરકુંવર કહે : 'મારાથી તમારી જેમ ખૂણામાં જઈને નહિ બેસાય. હું તો વનરાજના દીવાન ચાંપાના વંશની છું. દરવાજે સાંબેલું લઈને ઊભી છું. લો આ કીકાને. બાબરો આવશે તો કહીશ કે આ તો મારી દેરાણી છે !'

શેઠ કહે : 'શેઠાણી ! એમ તો દશ પેઢી પર અમેય ગરાસિયા હતા. પણ વખતને માન છે. નહિ તો આ બાબરું શું !'

વસવાયાના વાસમાં બૂમ પડી : 'બાબરો આવ્યો !'

બધા બહાર દોડી આવ્યા. ઘરમાંથી પાણી ખેંચવાનાં દોરડાં લાવ્યા. દોરડાંથી એકબીજાના હાથ બાંધીને હારમાં ઊભા રહી ગયા.

વંટોળિયો આવે એમ બાબરો આવ્યો. વસવાયાં બધાં કહે : 'મેં ગુલામ ! મેં ગુલામ ! મેં ગુલામ તેરા !'  બાબરો કહે : 'તમને અભેવચન. તમે લેવા જોગ છો, હું આપવા જોગ છું. ચાલો આગળ થાઓ, ને માલમિલક્તવાળાનાં ઘર બતાવો !'

ગામ માથે જાણે જમની સેના ઊતરી !

એક ક્લાકમાં તો ગામને સાવ સાફ કરી નાખ્યું. પૈસાવાળાઓનો મારી મારીને સોથ બોલાવી દીધો. જેમણે આપવાની આનાકાની કરી, એમની આંગળીએ ગાભા વીંટ્યા, તેલમાં બોળ્યા ને સળગાવ્યા ! જીવતી મશાલ જોઈ લો !

બધા પૈસાવાળાએ બે હાથ જોડ્યા. પગમાં પડ્યા. ઘરમાં હતું તે બધું કાઢીને આપી દીધું. જીવ બચ્યો એટલે બસ !

બાબરા ભૂતે ગામ લૂંટીને કોથળા ભર્યા. કુંભારનાં ગધેડાં લાવી તેના પર ચઢાવ્યા.

પછી ચોરે ડાયરો ભર્યો. કોળીની સ્ત્રીઓ પાસે ગવરાવ્યું.

બાબરો તો દેવ ગણાય. સોરઠના બાબરિયાવાડનો ધણી. હજાર-હજાર માણસ એની પાછળ નીકળે. સવારે સોરઠમાંથી નીકળે. બીજી સવારે આખી ગુજરાતને આંટો મારી, ધનદોલત લૂંટીને ઘર ભેગો. એને પૂછે, એને ભગવાન પૂછે.

એના ચમત્કરોની કંઈ કંઈ વાતો ચાલે. બાબરો સિદ્ધ ગણાતો. કોઈને મસાણમાં મડદા પર બેસી મંત્ર ભણતો દેખાય. કોઈને આકાશમાં ઊડતો દેખાય. આ બાબરાનાં માણસોએ મૂળરાજદેવે બંધાવેલો સુંદર રુદ્રમહાલય તોડેલો. સરસ્વતીના કંઠા પર એની હાક વાગે. ભલભલા એનાથી ડરે.

આ ગામની ડોશીઓ બાબરાની પાસે બાધા છોડવા આવી; સુખડીના થાળ લાવી, શ્રીફળના હારડા લાવી ને ઘીની છલકતી કટોરીઓ લાવી.

'ખમ્મા કરજો, બાબરાદેવ ! તમારું રાખ્યાં રહીશું. મારો દીકરો સાજો થશે, સવામણની સુખડી ચઢાવીશ.'

વળી કોઈ કંઈ તો કોઈ કંઈ : એમ જાતજાતની માનતા લઈને આવ્યાં !

કંઈ કેટલી સુખડી !  કંઈ કેટલાં શ્રીફળ ! કંઈ કેટલું ઘી !

બાબરાએ અને એના સાથીદારોએ ઘી પીવા માંડ્યાં, સુખડી ખાવા માંડી, શ્રીફળ ફોડી ફોડી પાણી પીધાં ને ટોપરાં ખાધાં !

બાબરાએ તો ખાસી અડધોએક મણ સુખડી ખાધી, દશ શેર જેટલું ઘી પીધું, પાંચ-પંદર ટોપરાંનો મુખવાસ કર્યો.

અને પછી એકએક બૂમ પાડી. બૂમ તે ક્વી ? જાણે સિંહની ત્રાડ !

આખા ગામમાં એ બૂમ સંભળાણી. જ્યાં જ્યાં એનાં માણસો હતાં, એ બધાં આવી પહોંચ્યાં. એકઠાં થવાનું એ એલાન હતું.

ગામના ગોંદરે મહાબલીનું મંદિર. સાવ જૂનું. પહેલાં દર દશેરાએ બકરો ચઢતો. હમણાં મહાજનનું જોર વધ્યું હતું. બકરાને ઠેકાણે સાકરકોળાનો ભોગ દેવાતો.

મહાકાલીના મંદિર પાસે જઈને બાબરો ઊભો રહ્યો. એની પાસે મોટું અણીઘર ત્રિશૂળ હતું.

ત્રિશૂળ લઈને બાબરાએ આંગળી પર માર્યું. આંગળીમાંથી લોહી વછૂટ્યું !

એ લોહી લઈને માના ચરણમાં છાંટણાં કર્યો. પોતે કપાળમાં એનું તિલક કર્યું. નાળિયેરની કાછલીમાં ઝીલી લઈને સાથીદારને આપ્યું. સહુ સાથીદારોએ પણ એનું તિલક કર્યું.

જય મા કાલી ! ફરી બાબરાએ બૂમ દીધી.

એ અવાજ કૂચ કરવાનો હતો. સંચાની પૂતળીની જેમ બધાં કામ કરવા લાગ્યાં. હુકમ થતાં ટપોટપ ઘોડા, ગધેડાં, ઊંટ દોરીને બાબરાનાં માણસો તૈયાર થઈ ગયાં.

બાબરાએ આગળ ડગ દીધો;

પછી છલાંગ દીધી !  પાછળ બધા ચાલ્યા .

કહે છે કે બાબરો કદી ઘોડા પર ન બેસતો. એને પગે ચાલવું ફાવતું. ઘોડું એના ભારથી ચાલી જ ન શકતું !

સૂરજ આથમી ગયો.

દૂર દૂર બાબરો છલાંગો ભરતો જતો હતો. લૂંટનો માલ લઈને ઘોડાં, ગધેડાં ને ઊંટ એની પાછળ દોડતાં હતાં. તોય બાબરાને પહોંચી ન શક્તાં !

બાબરો જાણે બજરંગબલિનો અવતાર હતો. બાબરો જમનો જાણે નવો જજમાન હતો.

સાભાર :-
ઝવેરચંદ મેઘાણી
Gujju bookks

Tuesday, January 5, 2021

ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસો

ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસો

(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

(2) હિન્દુધર્મના ઉત્સવો

1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ

1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

હિમાલય ના ચાર ધામ

1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ

હિમાલયના પાંચ કેદાર

1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

ભારતની સાત પવિત્ર પુરી

1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

દ્વાદશ જ્યોતિલિંગ

1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

અષ્ટવિનાયક ગણપતિ

1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

શિવની અષ્ટમૂર્તિઓ

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

પ્રસિધ્ધ 24 શિવલિંગ

1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ) 2
4. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

સપ્ત બદરી

1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.

પંચનાથ

1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

પંચકાશી

1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી

સપ્તક્ષેત્ર

1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

પંચ સરોવર

1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

નવ અરણ્ય (વન)

1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

ચૌદ પ્રયાગ

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

પ્રધાન દેવીપીઠ

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

(4) ચાર પુરુષાર્થ

1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.

(5) ચાર આશ્રમ

1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ

1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

આપણા કુલ 4 વેદો છે.

ઋગવેદ
સામવેદ
અથર્વેદ
યજુર્વેદ

ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:

ઉપનીષદો
બ્રમ્હસુત્ર
શ્રીમદ ભગવદગીતા

આપણા કુલ 6 શાસ્ત્ર છે.:

વેદાંગ
સાંખ્ય
નિરૂક્ત
વ્યાકરણ
યોગ
છંદ

આપણી 7 નદી

ગંગા
યમુના
ગોદાવરી
સરસ્વતી
નર્મદા
સિંધુ
કાવેરી

આપણા 18 પુરાણ

ભાગવતપુરાણ
ગરૂડપુરાણ
હરિવંશપુરાણ
ભવિષ્યપુરાણ
લિંગપુરાણ
પદ્મપુરાણ
બાવનપુરાણ
બાવનપુરાણ
કૂર્મપુરાણ
બ્રહ્માવતપુરાણ
મત્સ્યપુરાણ
સ્કંધપુરાણ
સ્કંધપુરાણ
નારદપુરાણ
કલ્કિપુરાણ
અગ્નિપુરાણ
શિવપુરાણ
વરાહપુરાણ

પંચામૃત

દૂધ
દહીં
ઘી
મધ
ખાંડ

પંચતત્વ

પૃથ્વી
જળ
વાયુ
આકાશ
અગ્નિ

ત્રણ ગુણ

સત્વ
રજ
તમસ

ત્રણ દોષ

વાત
પિત્ત
કફ

ત્રણ લોક

આકાશ
મૃત્યુલોક
પાતાળ

સાત સાગર

ક્ષીરસાગર
દૂધસાગર
ધૃતસાગર
પથાનસાગર
મધુસાગર
મદિરાસાગર
લડુસાગર

સાત દ્વીપ

જમ્બુદ્વીપ
પલક્ષદ્વીપ
કુશદ્વીપ
પુષ્કરદ્વીપ
શંકરદ્વીપ
કાંચદ્વીપ
શાલમાલીદ્વીપ

ત્રણ દેવ

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ

ત્રણ જીવ

જલચર
નભચર
થલચર

ત્રણ વાયુ

શીતલ
મંદ
સુગંધ

ચાર વર્ણ

બ્રાહ્મણ
ક્ષત્રિય
વૈશ્ય
ક્ષુદ્ર

ચાર ફળ

ધર્મ
અર્થ
કામ
મોક્ષ

ચાર શત્રુ

કામ
ક્રોધ
મોહ,
લોભ

ચાર આશ્રમ

બ્રહ્મચર્ય
ગૃહસ્થ
વાનપ્રસ્થ
સંન્યાસ

અષ્ટધાતુ

સોનું
ચાંદી
તાબું
લોખંડ
સીસુ
કાંસુ
પિત્તળ
રાંગુ

પંચદેવ

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ
ગણેશ
સૂર્ય

ચૌદ રત્ન

અમૃત
ઐરાવત હાથી
કલ્પવૃક્ષ
કૌસ્તુભમણિ
ઉચ્ચૈશ્રવા ઘોડો
પાંચજન્ય શંખ
ચન્દ્રમા
ધનુષ
કામધેનુ
ધનવન્તરિ
રંભા અપ્સરા
લક્ષ્મીજી
વારુણી
વૃષ

નવધા ભક્તિ

શ્રવણ
કીર્તન
સ્મરણ
પાદસેવન
અર્ચના
વંદના
મિત્ર
દાસ્ય
આત્મનિવેદન

ચૌદભુવન

તલ
અતલ
વિતલ
સુતલ
સસાતલ
પાતાલ
ભુવલોક
ભુલૌકા
સ્વર્ગ
મૃત્યુલોક
યમલોક
વરૂણલોક
સત્યલોક
બ્રહ્મલોક
.
.

Monday, January 4, 2021

છત્રપતિ શિવાજી Chhatrapati Shivaji

ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..:

"કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ યોદ્ધાઓને પરાજિત કર્યા. પરંતુ ભારતમાં શિવાજીએ અમારા પર રોક લગાવી દીધાં. મેં મારી મહત્તમ શક્તિ શિવાજી પર ખર્ચ કરી પરંતુ હું હરાવી શક્યો નહીં.

યા અલ્લાહ, તમે મને એક બહાદુર,નિર્ભય , ઈમાનવાળો ,સ્ત્રી ઓની ઈજ્જત કરવાવાળો દુશ્મન આપ્યો, કૃપા કરીને તેમના માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખો કારણ કે વિશ્વનો શ્રેષ્ઠ અને મોટા દિલનો યોદ્ધા તમારી પાસે આવી રહ્યો છે. "

- ઓરંગઝેબ
(શિવાજી ના મ્રુત્યુ -3 એપ્રિલ 1680 પર)

"તે દિવસે શિવાજીએ પૂણેમાં મારા મહેલમાં ઘુસી ને ફક્ત મારી આંગળીઓ નહીં કાપી, પણ મારું ગૌરવ કાપી નાખ્યું. મને સપનામાં પણ શિવાજી દેખાય છે."

- શાહિસ્તા ખાન.

"મારા રાજ્યમાં શિવજીને હરાવી સકે તેવો કોઈ માણસ બાકી નથી ??"

- હતાશ બેગમ અલી આદિલશાહ.

**"નેતાજી, તમારા દેશને કોઈ પણ હિટલર ની બ્રિટીશ લોકો ને કાઢી નાખવાની માટે જરૂર નથી*.
*તમારે શિવાજીનો ઇતિહાસ બાળપણ થી શીખવવાની જરૂર છે."

-એડોલ્ફ હિટલર

"જો શિવાજીનો જન્મ ઇંગ્લેંડમાં થયો હોત, તો આપણે ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડ પર શાસન કર્યું હોત."

-લોર્ડ માઉન્ટબેટન

"જો શિવાજી બીજા દસ વર્ષ જીવ્યા હોત, તો અંગ્રેજોએ ભારતનો ચહેરો જોયો ન હોત."

- તત્કાલીન બ્રિટીશ ગવર્નર

_જો ભારતને સ્વતંત્ર બનાવવાની જરૂર હોય તો એકમાત્ર રસ્તો બહાર આવે છે, ' દેશ વાશી શિવાજીની જેમ લડે'. "

- નેતાજી

"શિવાજી એ માત્ર નામ નથી, તે ભારતીય યુવાનો માટે એક ઉર્જા સ્ત્રોત છે, જેનો ઉપયોગ ભારતને મુક્ત બનાવવા માટે કરી શકાય છે."

- સ્વામી વિવેકાનંદ.

"જો શિવાજીનો જન્મ અમેરિકામાં થયો હોત, તો અમે તેમને એસ.યુ.એન. તરીકે નામ આપતા."

- બેરેક ઓબામા

ગિનિસ બુક Worldફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ઉમ્બરખિંડના પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ છે:

"ઉઝબેકિસ્તાનની કર્તાલાબ ખાનની 30,000 ના મજબૂત સૈન્યને શિવાજીના માત્ર 1000 માલવા ઓ એ પરાજિત કરી હતી. એક પણ ઉઝબેકી આક્રંતાને ઘરે પરત ફરવા માટે જીવતો બાકી નહોતો."

શિવાજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિના રાજા હતા. તેની કારકિર્દીના 30 વર્ષના ગાળામાં તેણે ફક્ત બે જ યુદ્ધ ભારતીય લડવૈયાઓ સાથે લડ્યા. બીજા બધા બહારના હતા.

શાહિસ્તા ખાન, જેણે સપનામાં પણ શિવજીનો ડર રાખ્યો હતો તે અબુ તાલિબાન અને તુર્કિસ્તાનનો રાજા હતો.

બેહલોલખાન પઠાણ, સિકંદર પઠાણ, ચિદરખાન પઠાણ એ બધા અફઘાનિસ્તાનના યોદ્ધા સરદાર હતા.

દિલરખાન પઠાણ મંગોલિયાનો મહાન યોદ્ધા હતો. તે બધાએ શિવાજીની સામે ધૂળ ખાય છે.

સિદ્દી જોહર અને સલાબા ખાન ઈરાની લડવૈયા હતા, જે શિવાજીથી પરાજિત થયા.

સિદ્દી જૌહરે પછીથી દરિયાઇ હુમલો કરવાની યોજના બનાવી. જેના જવાબમાં શિવાજીએ એક નૌકાદળ ઉભું કર્યું,
પ્રથમ ભારતીય નૌકાદળ.
પરંતુ કાર્ય સિદ્ધ કરતા પહેલા શિવાજીએ આ દુનિયા છોડી દીધી. (તેમને આપણા જ ગદ્દારો દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું.)


સ્રોત ગૂગલ
"શિવાજી, મેનેજમેન્ટ ગુરુ."** તે બોસ્ટન યુનિવર્સિટીનો સંપૂર્ણ વિષય છે.
આપણા અભ્યાસ ક્રમ મા ક્યારે આવશે ?

તેમ છતાં, આપણે ભારતીયો તેના વિશે ખૂબ જ ઓછું જાણીએ છીએ ..... કેટલી દુખ ની વાત છે...... ઓછામાં ઓછું. ચાલો આપણે આપણી ભાવિ પેઢીને આ મહાન ભારત અને તેના મહાન યોદ્ધા ઓ વિશે જણાવીએ..
ભારત માતા કી જય...
🚩🚩🚩

Sunday, January 3, 2021

ઘડવૈયાઓનું ઘડતર... માણસની અંદર હેકિંગ ન થઈ જાય.....

આપણી જમીનમાં કોઈ ઘૂસણખોરી કે ભેલાણ ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ. આપણું કમ્પ્યુટર કે સ્માર્ટફોન કોઈ હેક ન કરી જાય તે માટે ચુસ્ત પહેરેદારી-એન્ટિવાઈરસ-ની તકેદારી આપણે રાખીએ છીએ. આપણું બેન્ક-અકાઉન્ટ કોઈ હેક ન કરી જાય તે માટે આપણે તેમ જ બેન્કો મળીને ભારે ચૌકન્ના રહીએ છીએ.

પણ વાત જ્યારે આખેઆખા માણસની અંદર થતાં ભેલાણ, હેકિંગ, ઘૂસણખોરી અને મેનિપ્યુલેશનની આવે ત્યારે આપણે પૂરતી જાગૃતિ નથી દાખવતા.

ઇઝરાયલી વિચારક યુવલ નોઆ હરારી કહે છેઃ ‘જો તમારી પાસે જબ્બર ડેટા અને જબ્બર કમ્પ્યુટિંગ પાવર હોય તો સામાન્ય માનવી પોતાની જાતને સમજે તેના કરતાં તમે તેને વધુ સારી રીતે સમજી શકો છો અને (પરિણામે) તમે માણસને ચાહો તે રીતે વાપરી શકો છો... તમે ગ્રાહકોને હેક કરી શકો છો.’

ટૂંકમાં, માણસ ટેક્નોલોજીને વિકસાવે છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું હવે એ પણ છે કે ટેક્નોલોજી પણ માણસને ઘડે છે.

એનાથી પણ એક સ્ટેપ આગળની હકીકત એ છે કે ટેક્નોલોજી પોતે નવી ટેક્નોલોજીને પણ ઘડે છે.

અને અહીં પેલું ગીત યાદ આવે છેઃ બાબુજી ધીરે ચલના...

જગવિખ્યાત સંવાદ-પ્લેટફોર્મ સ્કાઈપના સહસ્થાપક જાન તાલિને હાલમાં એક મુલાકાતમાં આખી માનવજાતના અસ્તિત્વ સામે ઊભા થઈ રહેલા જે ત્રણ મુખ્ય જોખમો ગણાવ્યાં છે તે આ છેઃ

1) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (યાંત્રિક વિચારશક્તિ),
૨) સિન્થેટિક બાયોલોજી (જૈવિક કોષો અને અંગોનું કૃત્રિમ રીતે ‘ઉત્પાદન’) તથા
૩) અનનોન અનનોન્સ (જેના વિશે અત્યારે આપણે કદાચ કશું વિચારી શકીએ તેમ નથી એવી અણધારી આફતો).

આ ત્રણમાંથી પણ જાન તાલિનને સૌથી જોખમી લાગે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? વિચારવાનું કામ પણ યંત્રો કરે, તે છે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ. તેનાં કેટલાંક જોખમો છે, પરંતુ એમાંથી પણ સૌથી મોટું જોખમ, જાન તાલિનને મતે, એ છે કે નવી યાંત્રિક વિચારશક્તિ વિકસાવવાનું કામ પણ યંત્રને સોંપી દેવામાં આવે ત્યારે મામલો હદ બહાર જઈ શકે.

વાત કઇ હદે વણસી શકે તે વિશેની જાન તાલિનની આ કલ્પના અતિ બિહામણી છે. તે કહે છેઃ ‘એક સાંજે કોઈ લેબોરેટરીમાં સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિસ્ટમને કશુંક કામ સોંપીને જાય અને પછી એવો અકસ્માત સર્જાય કે સવારે દુનિયા હોય જ નહીં (પૃથ્વીનો, માનવ-અસ્તિત્વનો નાશ થઈ ચૂક્યો હોય).’

આ તો એકદમ છેડાની કલ્પના થઈ. માની લઈએ કે મામલો આ હદે નહીં વકરે તો પણ, આ ચેતવણીનો સૂર સમજવા જેવો છે કે ન કેવળ મનુષ્યોને, બલ્કે યંત્રોને પણ ચારિત્ર્ય, નીતિમત્તા અને મૂલ્યો શીખવવા પડશે.

આ કઈ રીતે શક્ય બને?

સવાલ અઘરો છે, પણ જવાબ સરળ છેઃ મૂળમાં જ કામ કરવું પડે. અને મૂળમાં શું છે? મૂળમાં છે કોડરો, જે કોડિંગનું કામ કરે છે, જે કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ વિકસાવે છે, જે અલ્ગોરિધમ્સ રચે છે.

તો, વિખ્યાત લેખક યુવલ હરારીનું એક સૂચન એવું છે કે આ જે સૌથી મહત્ત્વનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે, કોડરોનું શિક્ષણ, તેમાં નીતિશાસ્ત્રનો, હ્યુમૅનિટીઝનો સમાવેશ કરવો જોઈએ. હરારીના શબ્દોમાં કહીએ તો, ‘કોડરોએ એ સમજવું પડશે કે તેઓ કમ્પ્યુટરનું કોડિંગ નથી કરી રહ્યા, બલ્કે મનુષ્યનું કોડિંગ કરી રહ્યા છે, સમાજનું કોડિંગ કરી રહ્યા છે.’

એન્જિનીયરો ફક્ત એન્જિનને સમજે તે પૂરતું નથી. મામલો કોડરોના કોડિંગનો છે. કોડર જો 'કોરો' હશે તો તે જે ટેક્નોલોજી બનાવશે તે પણ 'કોરી' હશે અને કોરી ટેક્નોલોજી શુભ અને અશુભ વચ્ચે ભેદ નહીં કરે તો બહુ મોટા લોચા પડી શકે. માટે કોડર પોતે સંવેદનશીલ અને વિવેકબુદ્ધિ ધરાવતો હોવો જોઈએ, જેથી તેના દ્વારા રચિત ટેક્નોલોજી ડાહી, શાણી, સમજદાર, ઠરેલ, ન્યાયી અને કરુણાસભર બંને.

બાકી, જો મૂલ્યો, સંસ્કાર, ચારિત્ર્ય અને નીતિમત્તાના મામલે ટેક્નોલોજીના વિદ્યાર્થીઓનું એટલે કે સરવાળે ખુદ ટેક્નોલોજીનું યોગ્ય ઘડતર નહીં કરવામાં આવે તો માનવજાત બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે અને સંભવતઃ ખતમ પણ થઈ શકે તેમ છે.

આ સંભાવના ડરામણી છે, પરંતુ આ મામલે જાણકારી, જાગૃતિ અને સાવધાની વધી રહી છે તે સારી બાબત છે.

સાભાર :- દિપક સોલિયા
https://www.facebook.com/581530137/posts/10158938570715138/

Saturday, January 2, 2021

અમૂલ્ય જીવન

ઢસરડા ઓછા કરો અને વિચારો...

એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં...

વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે...

યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે...

વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા...???_
એને વાપરી નંખાય ને...!!_

યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને...!!!

મિત્રો...

રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ...!!!

કમાવા પાછળની દોટ...

ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા...

ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે...

એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે...

જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી...

માટે જ મિત્રો...

આનંદથી જીવી લો...

મોજ કરો...

જીવન જીવી જાણો...

ફરી પાછો મહામુલો મનુષ્ય અવતાર...

મળે કે ન પણ મળે... !!_

નિરાતે વિચારી જોજો....
જીવનની જીવવાની જડીબુટી


👉 શું આપણે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ અને ડેકોરેટર્સને પૈસા ચૂકવવા માટે જ કમાઇ રહ્યા છીએ?
👉 આપણા અતિ મોંઘા ઘર, સારું ફર્નિચર અને ખર્ચાળ લગ્નોથી આપણે કોને પ્રભાવિત કરવા માગીએ છીએ?

👉 શા માટે આપણે આપણા જીવનના અતિ મહત્વના વર્ષોમાં કૂતરાની જેમ કામ કરીએ છીએ?

👉 આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માંગીએ છીએ?

👉 આપણામાંના દરેકને બે બાળકો છે. ઘણાને એક જ બાળક હોય છે.

👉 "જરૂરિયાત" કેટલી છે અને આપણને ખરેખર "જોઈએ" છે કેટલું ? એના વિશે વિચારો.

👉 શું આપણી આવનારી પેઢી કમાવવા માટે અસમર્થ હશે, જેથી આપણે તેમના માટે ખૂબ બચત કરીશું ?

👉 શું આપણે મિત્રો, કુટુંબ અને સ્વયં માટે અઠવાડિયામાં એક દિવસ કાઢી શકતા નથી ??

👉 શું તમે તમારી માસિક આવકનો માત્ર 5% હિસ્સો પણ તમારા આત્માના આનંદ માટે ખર્ચ કરો છો?
સામાન્ય રીતે ... ના.

👉 આપણે કમાવા સાથે આનંદ કેમ કરી શકતા નથી?

👉 તમારા હૃદયમાં કોલેસ્ટરોલ બ્લોક્સ કે મણકાની ગાદી ખસી જાય તે પહેલાં આનંદ કરવા માટે સમય ફાળવો.

👉 આપણી પાસે સંપત્તિ નથી, અમારી પાસે દસ્તાવેજો પર માત્ર ટેમ્પરરી નામ છે.
ભગવાન કટાક્ષરૂપે હસે છે, જ્યારે કોઈ કહે છે,
"હું આ જમીનનો માલિક છું" !!

👉 શ્રીમંત બનવું ખરાબ નથી, પરંતુ માત્ર ખૂબ ધનવાન હોવું જ અયોગ્ય છે.

👉 ચાલો, જીવી લઈયે, જીવન પૂરું થાય એ પહેલા...

👉 એક દિવસ, આપણે બધા એકબીજાથી અલગ થઈશું; દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે, એક દિવસ આપણા બાળકો આપણા ચિત્રો જોશે અને પૂછશે 'આ લોકો કોણ છે?' અને અમે અદ્રશ્ય આંસુઓથી હસીશું કારણ કે હૃદયને જોરદાર શબ્દથી સ્પર્શ કરવામાં આવે છે અને તમે કહો છો: 'તે મારા જીવન સાથેનો શ્રેષ્ઠ દિવસો હતા’

આ તમારા બધા મિત્રોને મોકલો જે તમે ક્યારેય ભૂલશો નહી

આને તે લોકોને મોકલો જેમણે તમને કોઈપણ રીતે સ્મિત આપ્યું છે.

મારા જીવનમાં થોડો સમય મને સ્મિત સાથે ફાળવવા બદલ..

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...