Friday, April 30, 2021

કોરોના કાળમાં ઉઠેલી વેદના

#JKSAI
વર્ષોથી અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરે છે કે, માણસની પ્રાથમિક જરૂરીયાતો કઈ કઈ છે ? રોટી , કપડાં, મકાન. કોઈકે નવું ઉમેર્યું. મોબાઈલ અને નેટ. જૈન ધર્મગ્રંથોએ સાચી વાત કરી છે- માણસની સૌથી પ્રાથમિક-પાયાની જરૂરિયાત પુરૂષો માટે ૩૬ કોળિયા અને સ્ત્રીઓ માટે ૨૮ કોળિયા પૌષ્ટિક આહાર। આ સિવાયની બાકીની જરૂરીયાતો એ માણસે પોતાનાં જીવનની સગવડતા માટે ઊભું કરેલું તિકડમ છે। ઉદાહરણ તરીકે- કપડાં એ માણસની પાયાની જરૂરિયાત છે ? શું એક પુરૂષ ગંજી અને જાંગિયા વગર ન જીવી શકે ? શું એક સ્ત્રીનો બ્રા અને નિકર વગર શ્વાસ રૂંધાવા લાગે ? કપડાની જરૂરિયાત છે એની ના નથી। શરીર તંદુરસ્ત નહીં હોય તો રેમન્ડના કપડાં કે બનારસી સાડી તમારાં સુખમાં ૦.૦૦૦૧ % નો પણ વધારો કરી શકશે નહીં।

જેનાં શરીરમાં રોગ છે અને જેનાં ઘરમાં શાંતિ નથી એના જેવો દુ:ખી આ સંસારમાં કોઈ નથી। શરીરને બહારથી સજાવ્યું અને અંદરથી ખોખલું બનાવી નાંખ્યું। ઊધઈ ખાઈ ગયેલ હોય એવા ફર્નિચરને ઉપરથી ચકાચક સનમાઈકાથી સજાવ્યું હોય એમ લાગે છે। મેં એવું સાંભળ્યું છે કે, રોમન સામ્રાજ્યમાં અપંગ કે નબળું શરીર ધરાવતું બાળક જન્મે તો તેને મારી નાંખવામાં આવતું। જેનું શરીર નબળું હોય તે આગળ જતા કુટુંબ, સમાજ અને દેશ માટે ભારરૂપ બને છે એવી એમની માન્યતા હતી।

મહિને ૪૦૦ રૂપિયાનું નેટ વાપરીએ, “જુબાં કેસરી” કરવા માસિક ૧૦૦૦ ખર્ચી નાંખીએ, મહિને “RC” પાછળ ૩૦૦૦/૪૦૦૦ વહાવી દઈએ પણ શરીર સુદ્ર્ઢ થાય એ માટે શું કર્યું ? આપણા શરીરનું આપણે જ નખખોદ વાળીએ છીએ। જ્યારે રોગચાળો કે મહામારી ફાટી નીકળે ત્યારે ઘેરઘેર ડોક્ટરો ફૂટી નીકળે છે। તો ભાઈ આડે દા’ડે ક્યાં ગુડાણા’તા ? લાઈટ જાય ત્યારે જ મીણબત્તી શોધવી એ આપણો જન્મજાત ગુણ છે। પંચર પડે ત્યારે જ ખબર પડે કે સ્પેર વ્હીલમાં હવા નથી।

જાણો છો આજની પરિસ્થિતિ પાછળનું એક કારણ ? જે ઘરોમાં ૧૩૫ ના મસાલા ખવાય છે તે ઘરોમાં ચ્યવનપ્રાશ ખવાતું નથી। જેટલા બ્રાંડેડ પીણાં પીવાય છે એટલાં છાસ-દૂધ કે લસ્સી પીવાતા નથી। આખા પરિવારના કપડાના ખર્ચની સામે તેનાથી ચોથા ભાગની રકમમાં મેડિકલ પોલિસી આવી જાય પણ લેવાતી નથી। હોટલોમાં ઊભરાતી એ જ ભીડ એક દિવસ તમને હોસ્પિટલોની બહાર જોવા મળે છે।

દેહની પીડા અને દેહના વિલયથી બચવાનો એક જ રસ્તો છે, દેહને સાચવો। તમારો દેહ સચવાયેલો હશે તો તમે કોઈકને મદદરૂપ બની શકશો। આપણી સાચી જરૂરીયાતો એટલી ઓછી છે કે આ દુનિયામાં કોઈ ગરીબ ન રહે, આપણી ઊભી કરેલી જરૂરીયાતો એટલી બધી છે કે દુનિયાની ચોથા ભાગની વસ્તી ગરીબ બની ગઈ છે !!!

J. K. SAI

Saturday, April 24, 2021

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત

સ્વચ્છ ભારત, સ્વસ્થ અને શક્તિશાળી ભારત માટે ચાવીરૂપ છે.

મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે. જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો.


ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતી છે તે જોતાં શરમથી માથું ઝુકી જાય છે. એક સમય હતો કે જયારે આપણો દેશ “સોને કી ચિડીયાં” કહેવાતો હતો, જયાં સંપૂર્ણ સ્વચ્છતા, શુધ્ધતા, પવિત્રતા તેમજ દિવ્યતા હતી. આને કારણે તે સમયનો સમાજ સંપૂર્ણ સ્વસ્થ તેમજ સમૃધ્ધ હતો. પરંતુ આજે આપણે આપણા દેશની પરિસ્થિતી આનાથી કાંઇક વિપરીત જોઇ રહયા છીએ.
 
અસ્વચ્છતા, ગંદગી, દુર્ગધ આપણા દેશની એક મોટી સમસ્યા છે. આ માટે ગરીબી, વસ્તી વધારો, ઓછા સંસાધનો અમુક અંશે જવાબદાર હશે પરંતુ સૌથીમહત્વનું પરિબળતો લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગરૂકતાનો અભાવ તેમજ શિક્ષણનો અભાવ છે. આજે પણ આપણા દેશમાં ૪૦% થી પણ વધુ ઘરોમાં શૌચાલય નથી. ૫૦% થી વધુ લોકો ખુલ્લામાં શોચક્રિયા કરે છે. આમાં કેટલાક તો વળી એવા પણ છે કે ઘરમાં શૌચાલય હોવા છતાં ખુલ્લામાં જવાનું પસંદ કરે છે. કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો; ગમે ત્યાં થુંકવું; પાન મસાલાના કે માવાના પાઉચ કે કાગળો ગમે ત્યાં ફેંકવા; કેળા ખાઇ તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકવી;ખુલ્લામાં કોઇ જાતની શરમ રાખ્યા વગર પેશાબ કરવો વગેરે આપણાં દેશની રોજબરોજની સામાન્ય બાબત છે. આવી પરિસ્થિતીમાં આપણે આપણા દેશને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ ? આ વિષય અંગે વિવિધ વર્તમાન પત્રો, સામયિક, ફેસબુકની પોસ્ટમાંથી મળેલ સામગ્રી અહીં સામેલ કરવાનો પ્રયાસ છે.. જેણે પણ આ વિચારો રજૂ કર્યા છે.. તેમને લાખ લાખ વંદન... ધન્યવાદ... .. આ ઉપરાંત મોદી સાહેબ દ્વારા જે અભિયાનો યોજનાઓ શરૂ કરેલ તેની પણ માહિતી સામેલ છે...


“સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” ના સુત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 8 વર્ષ પહેલા “સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” ના સુત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધી જન્મભૂમિ ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. એટલે ગાંધીજીની 150 મી જન્મજયંતિને અનુલક્ષીને ત્યારથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. જેમાં ક્રિકેટરોથી માંડીને ફિલ્મસ્ટારો પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.


નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દરેક ભારતીય નાગરિકનું એક નાનું પગલું પણ એક મોટું અભિયાન બની શકે છે. રોજિંદા જીવનમાં, આપણે બાળકોને સ્વચ્છતાનું મહત્વ અને હેતુ શીખવવો જોઈએ. સારું સ્વાસ્થ્ય વ્યક્તિનું જીવન સારું બનાવી શકે છે અને તે આપણને વધુ સારી રીતે વિચારવાની અને સમજવાની શક્તિ આપે છે અને સ્વાસ્થ્યનો મૂળ મંત્ર સ્વચ્છતા છે એ તો તમને ખબર જ હશે.

આ એક સારી આદત છે જેને આપણે સારા સ્વાસ્થ્ય અને આવનારા સ્વસ્થ જીવન માટે અપનાવવી જોઈએ. સ્વચ્છતા એ પણ એક પુણ્યનું કાર્ય છે, જેને દરેક વ્યક્તિએ જીવનનું ધોરણ ઊંચું લાવવા માટે એક મહત્વપૂર્ણ જવાબદારી તરીકે અનુસરવું જોઈએ. આપણે આપણી અંગત સ્વચ્છતા, પાળતુ પ્રાણીની સ્વચ્છતા, પર્યાવરણની સ્વચ્છતા, આપણી આસપાસની અને કાર્યસ્થળની સ્વચ્છતા વગેરે જાળવવી જોઈએ. પર્યાવરણને સ્વચ્છ રાખવા વૃક્ષોને કાપવાં ન જોઈએ.

તમે વિચારો છો એટલું આ કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ આપણે તેને અનુસરી અને જરૂર થી કરવું જોઈએ. તે આપણને માનસિક, શારીરિક, સામાજિક અને બૌદ્ધિક રીતે પણ સ્વસ્થ રાખે છે. બધાએ સાથે મળીને લીધેલું પગલું એક મોટા સ્વછતા અભિયાન ફેરવાઈ શકે છે. જ્યારે નાનું બાળક સફળતાપૂર્વક ચાલવાનું, બોલવાનું, દોડવાનું શીખી શકે છે અને જો માતા-પિતા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તો બાળપણમાં સ્વચ્છતાની આદતો કેળવવી પણ ખૂબ જ સરળ છે.

પૃથ્વી પર કાયમી જીવન શક્ય બનાવવા માટે આપણા શરીરની સ્વચ્છતાની સાથે પર્યાવરણ અને કુદરતી સંસાધનો, જેમ કે જમીન, પાણી, ખાદ્યપદાર્થો વગેરે ને પણ સ્વચ્છ રાખવા એટલા જ મહત્વપૂર્ણ છે જેટલું આપણે આપણું શરીર ચોખ્ખુ રાખીએ છીએ.

સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક, સામાજિક અને બૌદ્ધિક રીતે દરેક રીતે સ્વસ્થ બનાવે છે. સામાન્ય રીતે, આપણે આપણા ઘરમાં હંમેશા નોંધ્યું હશે કે આપણી દાદી અને માતા પૂજા પહેલા સ્વચ્છતા માટે ખૂબ જ મેહનત હોય છે, તો પછી આપણને આ વર્તન કોઈ અલગ નથી લાગતું, કારણ કે તેઓ ફક્ત સ્વચ્છતાને આપણી આદત બનાવવા માંગે છે.

પરંતુ તેઓ એક ખોટો અભિગમ જરૂર અપનાવે છે, કારણ કે તેઓ આપણને ક્યારેય સ્વચ્છતાના હેતુ અને ફાયદાઓ જણાવતા નથી, તેથી જ આપણે સ્વચ્છતાને અનુસરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરેક માતા પિતાએ તેમના બાળકો સાથે સ્વચ્છતાના હેતુ, ફાયદા અને જરૂરિયાત વિશે તાર્કિક રીતે વાત કરવી જોઈએ. તેમને કહેવું જ જોઇએ કે સ્વચ્છતા એ આપણા જીવનમાં ખોરાક અને પાણીની જેમ પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે.

આપણા ભવિષ્યને ઉજ્જવળ અને સ્વસ્થ બનાવવા માટે આપણે હંમેશા આપણી અને આપણી આસપાસના પર્યાવરણની કાળજી લેવી જોઈએ. આપણે દરરોજ સાબુથી સ્નાન કરવું જોઈએ, નખ કાપવા જોઈએ, સ્વચ્છ અને ઈસ્ત્રી કરેલા કપડાં પેહરવા જોઈએ. આપણે આપણા માતા પિતા પાસેથી શીખવું જોઈએ કે ઘર કેવી રીતે સ્વચ્છ અને શુદ્ધ રાખવું.

આપણે આપણી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની બીમારી ન ફેલાય. કંઈપણ ખાતા પહેલા અને પછી હાથ સાબુથી ધોવા જોઈએ. આપણે દિવસભર સ્વચ્છ અને શુદ્ધ પાણી પીવું જોઈએ, આપણે બહારનો ખોરાક વારં વાર ખાવો ટાળવો જોઈએ, તેમજ વધુ મસાલેદાર ભોજન અને ઠંડા પીણાં ટાળવા જોઈએ. આ રીતે આપણે આપણી જાતને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકીએ છીએ.

હવે જો આપણે આપણું ઘર સ્વચ્છ રાખતા હોય તો આપણે આપણા દેશ ને પણ રાખવો મહત્વપૂર્ણ બની જાય છે અને એ ભારતીય હોવા થી આપણી એક ફરજ પણ બની જાય છે. આપણે જયારે પણ બહાર જઈએ ત્યારે જ્યાં ત્યાં કચરો ફેંકવા ને બદલે કચરાપેટી નો ઉપીયોગ કરવો જોઈએ. તે થી જ તો કહેવામાં આવે છે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”

કોઈપણ વ્યક્તિ માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે ક્ષેત્ર ગમે તે હોય, આપણે ફરજીયાત હંમેશા તેનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા અનેક પ્રકારની હોઈ શકે છે જેમ કે, સામાજિક, વ્યક્તિગત, વૈચારિક વગેરે.

આપણે તેને દરેક ક્ષેત્રમાં અપનાવવું જોઈએ કારણ કે દરેકનો અર્થ અલગ છે અને ફાયદા પણ. સ્વચ્છતા આપણને એક સારી વ્યક્તિ બનાવે છે, વ્યક્તિગત સ્વચ્છતા આપણને હાનિકારક રોગોથી બચાવે છે. તેથી, સ્વચ્છતાના સાર્વત્રિક વિકાસ માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને આપણે પોતાના શરીર, ઘર થી માંડી અને આસપાસ ના વિસ્તારો ને સ્વચ્છ રાખવા જોઈએ .

વ્યક્તિ ભલે યુવાન હોય કે વૃદ્ધ, કોઈ પણ ઉંમરે તેણે કેટલાક સ્વચ્છતા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ જેમ કે, જમતા પહેલા અને પછી હંમેશા સાબુથી હાથ ધોવા, દરરોજ નહાવા, દાંત સાફ કરવા, નીચે પડી ગયેલી વસ્તુઓ ખાવી નહીં, શરીરની સંભાળ રાખો. ઘર સાફ રાખો, ઘરમાં યોગ્ય સૂર્યપ્રકાશ રાખો, તમારા નખ સાફ રાખો, માત્ર ઘર જ નહીં પરંતુ આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખો, તમારી શાળા, કૉલેજ કે કોઈપણ જાહેર સ્થળે કચરો ન ફેલાવો.

સૂકો અને ભીનો કચરો લીલા અને વાદળી ડસ્ટબીનમાં અલગ નાખવો. આ રીતે, બીજી ઘણી વસ્તુઓ છે જેના દ્વારા તમે તમારામાં સ્વચ્છતાની આદતો કેળવી શકો છો. સ્વચ્છતા બાબતે તમારી એક નાની પહેલ પણ ભવિષ્ય માં એક ખુબ ઉપીયોગી સાબિત થઇ શકે, આપણે કોઈક ની શરૂવાત નહિ પણ આપણે ખુદ શરૂવાત કરવી જોઈએ.

સ્વચ્છતાના ઘણા ફાયદા છે જેમ કે સારી સ્વચ્છતાની આદતો આપણને અનેક રોગોથી બચાવે છે. કોઈપણ રોગ માત્ર શરીર માટે નુકસાનકારક નથી, પરંતુ ખર્ચ પણ વધારે છે. ગંદા પાણી અને ખોરાકના સેવનથી કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવા ખતરનાક રોગો થઇ શકે છે. ગંદા વાતાવરણમાં હંમેશા મચ્છરોની ઉત્પત્તિ થાય છે જે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફેલાવે છે.

બિનજરૂરી રોગોમાં વધારો કરવા કરતાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું વધુ સારું છે. આમ કરવાથી આપણે દેશના લાખો રૂપિયા બચાવી શકીએ છીએ, જે રોગો પાછળ ખર્ચાય છે. વ્યક્તિગત સ્વચ્છતાની સાથે-સાથે વૈચારિક સ્વચ્છતા આપણને એક સારા માણસ બનાવે છે. જે હંમેશા પોતાના વિકાસની સાથે બીજાનું પણ સારું વિચારે અને જ્યારે દેશના તમામ લોકો આવી ભાવના સાથે જીવવા લાગે તો તે દિવસ દૂર નથી જ્યારે દેશ સ્વચ્છતાની સાથે પ્રગતિના પંથે ઝડપથી આગળ વધવા લાગશે.

આપણે કહી શકીએ કે સ્વચ્છતા આપણા જીવનનો અભિન્ન અંગ છે અને સ્વચ્છતાની આદતોથી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. અને જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, ત્યારે આપણે આપણી આસપાસની જગ્યા સરળતાથી સાફ કરી શકીશું. જ્યારે આપણું આખું વાતાવરણ સ્વચ્છ હશે તો પરિણામસ્વરૂપ દેશ પણ સ્વચ્છ રહેશે અને આમ માત્ર એક નાનકડા પ્રયાસથી આપણે આખા દેશને સ્વચ્છ કરી શકીશું.

આપણે નાનપણથી જ બાળકોમાં સ્વચ્છતાની આદતો કેળવવી જોઈએ, કારણ કે તેઓ દેશનું ભવિષ્ય છે અને એક સારી ટેવ દેશમાં પરિવર્તન લાવી શકે છે. જે દેશના બાળકો સામાજિક, વૈચારિક અને વ્યક્તિગત રીતે સ્વચ્છ હોય તેની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. તમે પણ એક જવાબદાર નાગરિક બનો અને દેશના વિકાસમાં યોગદાન આપો. સ્વચ્છતા અપનાવો અને દેશને આગળ લઈ જાઓ.

સ્વચ્છતા એ માનવ જીવનમાં એક આવશ્યક ગુણ છે. દરેક વ્યક્તિએ પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. કારણ કે સ્વચ્છતા માણસને રોગોથી દૂર રાખે છે. અને જ્યારે માણસ રોગોથી દૂર રહે છે ત્યારે તેનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે. સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકોનું મન શાંત હોય છે. આવા લોકો સમાજ અને દેશને સારી વિચારસરણી પ્રદાન કરે છે. તેથી હંમેશા તમારી આસપાસ સ્વચ્છતા રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો.

સ્વચ્છતા એટલે પ્રભુતા. જો આપણે સ્વચ્છતાને સરળ ભાષામાં સમજીએ તો શરીર, મન અને આપણી આસપાસની દરેક વસ્તુને સ્વચ્છ રાખીએ. ગાંધીજીએ સ્વચ્છતા માટે ખૂબ જ સુંદર વાક્ય કહ્યું હતું કે “સ્વચ્છતા એ સેવા છે”. જો તમારે તમારા દેશની સેવા કરવી હોય તો પ્રથમ તમારા દેશને સ્વચ્છ રાખવાનું કાર્ય શરૂ કરો.

આમાં, ખાસ કરીને આપણા દેશ માટે, સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા દેશમાં ઘણી વધુ વસ્તી અને ગંદકી પણ વધુ છે. આ કારણે આપણા દેશમાં રોગો પણ વધુ છે. જો દેશમાં ફેલાયેલી ગંદકીને સમયસર સાફ કરવામાં નહીં આવે તો ખૂબ જ ખતરનાક રોગ થવાની સમસ્યા ઉદ્ભવી છે. આનાથી લોકો બીમાર તો પડશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ગંભીર અસર થશે. એટલા માટે આપણે સ્વચ્છતા પર ધ્યાન આપવાની જરૂર છે.

જેમ મનુષ્યના જીવનમાં અન્ન, પાણી, હવા, ઘર અને વસ્ત્ર અત્યંત જરૂરી છે, તેવી જ રીતે સ્વચ્છતા પણ જરૂરી છે. કારણ કે જો તમે તમારી આસપાસ સ્વચ્છતા નહીં રાખો તો મેલેરિયા, કોલેરા, કમળો જેવા ખતરનાક અને જીવલેણ રોગો વધતા જશે. જેના કારણે માત્ર તમે જ નહીં તમારા બાળકો પણ જોખમમાં મુકાઈ શકે છે. પણ જો તમે તમારી આસપાસ સ્વચ્છતા રાખશો તો આવી જીવલેણ રોગો તમારાથી દૂર રહેશે. તેથી જ આપણા માટે સ્વચ્છતા જરૂરી છે.

સ્વચ્છતા વ્યક્તિને માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. આ સિવાય જ્યારે તમારી આસપાસ વધુ ગંદકી હોય છે, ત્યારે તમારી આસપાસ મચ્છર, જંતુઓ, ઉંદર, સાપ, વીંછી, વંદો, માખીઓ અને અનેક પ્રકારના કીટાણુઓ નો ઉપદ્રવ વધે છે. જેના કારણે રોગચાળો ફેલાવાની સમસ્યા તો છે જ, પરંતુ સાપ અને વીંછી જેવા ઝેરી પ્રાણીઓના કરડવાથી માણસ નું મૃત્યુ પણ થઈ શકે છે. આ કારણોસર પણ સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એવું કહેવાય છે કે સ્વચ્છ રહેવું અને આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું એ મનુષ્યનો કુદરતી ગુણ છે. સ્વચ્છ માણસનું મન હંમેશા ખુશ રહે છે. પણ માણસ ગંદકીના કારણે ટેન્શનમાં જીવે છે. તેથી જ તેને સાફ કરવું જરૂરી છે. અને આવી અનેક જરૂરિયાતો છે, જેના કારણે આપણી આસપાસ સ્વચ્છતા રાખવી જરૂરી છે.

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી એવી માન્યતા છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. આ ઉપરાંત સ્વચ્છતા વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઘણી માહિતી આપવામાં આવી છે. ગાંધીજીએ સ્વચ્છતા વિશે કહ્યું હતું કે, ભક્તિ પછી બીજી સૌથી મહત્વની બાબત સ્વચ્છતા છે. કારણ કે સ્વચ્છતા જીવનના તમામ પાસાઓને અસર કરે છે. સ્વચ્છતાથી આપણે જીવલેણ રોગોથી બચી શકીએ છીએ.

તમે જોયું હશે કે સ્વચ્છ વ્યક્તિના ચહેરા પર હંમેશા ચમક હોય છે. દરેક વ્યક્તિ તેને આદરથી જુએ છે. પરંતુ જે વ્યક્તિ અસ્વચ્છ અને ગંદુ રહે છે તેની પાસે કોઈ બેસતું નથી. કોઈ વ્યક્તિ આવા લોકોને માન આપતી નથી. તેથી હંમેશા સ્વચ્છ રહો અને તમારી આસપાસ પણ સ્વચ્છતા રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો.

સ્વચ્છતાના એટલા જ ફાયદા છે, જેટલા અસ્વચ્છતાના ગેરફાયદા છે. ઘણા લોકો નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકીને પ્રકૃતિને અને ચોખા પાણી ને પ્રદૂષિત કરે છે. જેના કારણે ઘણી વસ્તુઓ ત્યાં સડી જાય છે અને દુર્ગંધ સર્જાય છે. ક્યારેક દુર્ગંધ એટલી વધી જાય છે કે તેમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.

આવા સ્થળોની આસપાસની ધરતી, પાણી અને હવા પણ પ્રદૂષિત થાય છે. અને તે જ સમયે ખતરનાક રોગોનો જન્મ થાય છે. લોકો આ રોગોથી બીમાર પડે છે, જેના કારણે તેમના જીવનમાં સુખ શાંતિ નથી રહેતી. કોઈએ બહુ સરસ લખ્યું છે કે બધા રોગોની એક જ દવા રાખો, દરેક ઘરમાં સ્વચ્છતા રાખો.

આ ઉપરાંત કારખાનાઓ અને ફેક્ટરીઓમાંથી નીકળતો રાસાયણિક અને ભૌતિક કચરો નદી, નાળાઓમાં ઠાલવવામાં આવે છે ત્યારે મેલેરિયા, કોલેરા અને ઝાડા જેવા અનેક ગંભીર રોગો થવાની ચિંતા રહે છે. અસ્વચ્છતા પણ દેશના વિકાસમાં અવરોધરૂપ છે.

કારણ કે જ્યારે આવા રોગ મોટા પાયે ફેલાશે તો દેશની અર્થવ્યવસ્થાને પણ જરુર અસર થશે. એક અંદાજ દર્શાવે છે કે ભારતમાં માત્ર શહેરના લોકો જ દર વર્ષે 62 મિલિયન ટન કચરો પેદા કરે છે. પરંતુ તેમાંથી માત્ર 43 મિલિયન ટન કચરો એકઠો થાય છે.

અને આશ્ચર્યની વાત એ છે કે આ 43 મિલિયન ટનમાંથી માત્ર 12 મિલિયન ટન કચરાનો નિકાલ થાય છે. જ્યારે નગરપાલિકા દ્વારા લેન્ડફિલ સાઇટમાં 31 મિલિયન ટન કચરો બાળવામાં આવે છે. પરંતુ બાકીનો 19 મિલિયન ટન કચરો અહીં અને ત્યાં ફેંકવામાં આવે છે. પરંતુ પ્રદૂષણ ફેલાવવા માટે તેમને કેમ છોડી દેવામાં આવે છે? આ સવાલ આપણે સરકારને પૂછવો જોઈએ.

દુનિયામાં દરેક વસ્તુનો ઉકેલ છે. આપણે ફક્ત તે ઉપાયોને રોજિંદા જીવનમાં અમલ લાવવાની જરૂર છે. સ્વચ્છતાની પણ ઘણી પદ્ધતિઓ છે. આપણે બધા બદલામાં ઉપાયો જાણીએ છીએ. સ્વચ્છતા માટે આપણે સૌ પ્રથમ સ્વચ્છતાને મહત્વ સમજાવવા નું શરૂ કરવું પડશે.

તમારા ઘરની સાથે આસપાસના વિસ્તારોને પણ સાફ કરવા પડશે. જેના કારણે અનેક રોગોના કીટાણુઓનો નાશ થશે. સ્વચ્છતાનો સીધો સંબંધ કપડાં અને ખાવાની વસ્તુઓ સાથે છે. એટલા માટે આપણે ખાવા પીવાની વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આપણે બજારમાંથી કોઈપણ ખાદ્યપદાર્થો લાવીએ તો તેને સાફ કર્યા પછી જ ખાવી જોઈએ.

ઘરમાં પીવાના પાણીને હંમેશા સ્વચ્છ વાસણમાં ઢાંકીને રાખો, જેથી ગંદા કીટાણુઓ આપણા પીવાના પાણીથી દૂર રહે. આપણે આપણા શરીરની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ માટે આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ, સમયાંતરે નખ કાપવા જોઈએ અને શરીરની ગંદકી દૂર કરવી જોઈએ.

આપણે આ તમામ પ્રયાસ વિષે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી સામાન્ય લોકો આ બાબતોને નહીં સમજે ત્યાં સુધી દેશ સ્વચ્છ નહીં થાય. આ માટે આપણે વધુમાં વધુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા પડશે. લોકોને સ્વચ્છતાના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવું પડશે. સ્વચ્છતા રાખવી એ માત્ર સરકારનું કામ નથી, આમાં આપણે સૌ નાગરિકોએ આગળ આવીને સરકારને સાથ આપવાનો છે. તો જ આપણે દેશને સ્વચ્છ બનાવી શકીશું અને તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું.


સંકલન.... 
દિવ્ય ભાસ્કર, અકિલા, સંદેશ વર્તમાન પત્રો
વેબ દુનિયા ડિજિટલ સામયિક વગેરે...
આ ઉપરાંત ગુગલ, ફેસબુક પર આવેલ વિવિધ પોસ્ટમાંથી સંકલન....


स्वच्छ भारत स्वस्थ भारत

Swachh Bharat Swasth Bharat

Wednesday, April 7, 2021

નિ:શબ્દ

બેટા...
.
તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો...જાત્રા એ જઈયે છીયે...
.
.
જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...ઘડપણ...આંગણે આવી ગયું..ખબર પણ ના પડી...અને મોત.....આંગણેથી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી.. માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવાની ઈચ્છા છે...
.
.
આ પપ્પા ના જાત્રા એ જતા પેહલાના છેલ્લા શબ્દો હતા....
.
.
પપ્પા મમ્મીને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
.
.
મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...
.
.
મને હવે શંકા લાગે છે....
.
.
તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો દિપેન આંખમા પાણી સાથે બોલ્યો...
.
.
બેટા.. સાંભળ...અમે કાશીમા ...્જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ.. રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...
.
.
બેટા...મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..હવે ની ઉંમર અમારી શાંતિ મેળવવાની છે...અશાંતી ઉભી કરવાની નથી......
.
.
તમે બન્ને શાંતિ થી જીવો..અમારી ચિતા ના કરતા..પ્રભુએ પેંશન આપ્યું છે..તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...તમારી તબિયતનું ધ્યાન રાખજો...
.
.
પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..
.
.
ના..બેટા.. હવે.. આપણી મંજીલ અલગ..અલગ છે..તું તારી રીતે આનંદ થી જીવ..અમે અમારી રીતે...બેટા તને ખબર છે..તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....
.
.
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...બેટા..
.
.
અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...
સવારે ઉઠી ને એક બીજાના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ.. કે ઘર નું પતન નક્કી છે...
.
.
અને
.
.
હું તેવું ઈચ્છતો નહતો...કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારીનું શિકાર બને અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...એટલે મેં ..પ્રેમથી આ રસ્તો અપનાવ્યો છે....બેટા
.
.
તું જરા પણ મન મા ના લેતો.... જતુ કરે તેને તો માઁ બાપ કેહવાઈ..
.
.
બાકી..કોઇ તકલીફ પડે તો...હું બેઠો છું..દૂર જવા થી...હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે....
.
.
બેટા ..મત ભેદ હોય...ત્યારે જ જુદા થઈ જવું સારૂ......જો મન ભેદ થઈ જુદા પડ્યા..તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..
.
.
બેટા... બીજી અગત્ય ની વાત...તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..મારા મિત્ર નો પુત્ર છે...તેને મળજે.. તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...પેપર તેની પાસે થી લઇ લેજે....
.
.
બેટા...તું ટૂંકા પગારમા લોન ના હપ્તા ભર કે ઘર ચલાવ..? અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે.. તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ.. સદા આનંદમા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...
.
.
ચલ બેટા.. આરતીનો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈને નીચે ઉભી છે....જય શ્રી કૃષ્ણ
.
.
દિપેન... ચોધાર આશું એ રડતો રહ્યો.....અને પપ્પાએ ફોન કટ કર્યો..
.
.
પપ્પા મેં તમને સમજવામા ભૂલ કરી...છે..ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેનની પત્નીએ હકીકત બધી જાણી..... દુઃખી અવાજે કિધુ... આપણે આજે.. ટેક્ષી કરી
મમ્મી ..પપ્પાને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો...બહુ મોડું થઈ ગયું...સ્વાતી..
મારા બાપને હું જાણું છું...
.
.
તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...
.
.

Tuesday, April 6, 2021

તબિયત છે તો બધુ છે

મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી.

આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું
પણ વ્યસ્તતાને કારણે કદાચ
હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને
જીવ ગુમાવ્યો એમ કહી શકાય...

જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા

જલેબી, સમોસા ફેવરિટ હતા અને
ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે
કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું

જેટલીજીની એવી ઈચ્છા હતી કે...
પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી
પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું.

આ કિસ્સાઓ પર થી
આપણે શું શિખવાનું ?

વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી
પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું

આ બધુ થવાના
મુખ્યત્વે 2 કારણ કહી શકાય.

[ 1 ] વધુ પડતો શારીરિક આરામ અને
[ 2 ] વધુ પડતો માનસિક થાક.

બસ આ 2 બાબતો થી
પોતાની જાતને બચાવી લેજો.

કોઈ પણ માટે ક્યારેય
ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં..

પોતાના બાળકો માટે પણ નહીં.

કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ
તમે આગળ જતા
બાળકોનું ધ્યાન રાખી શકશો અને
એના માથે બોજ બનીને નહીં રહો
(એ નફામાં..)

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને
*ભાગ્યમાં હશે એ મળી જ રહેશે*
એટ્લે *મહેનત જરૂર કરવાની*
પણ *ચિંતા હરગિજ નહીં* કરવાની.

જીવનમાં પદ, પૈસો, બધુજ અગત્યનું છે
પણ એ બધાથી પહેલા તમારું શરીર છે

એને સાચવશો તો
તમારું જીવન સાર્થક જ છે...

મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો
શરીર આપમેળે સુડોળ રહેશે જ
અને મન અળવીતરું હશે તો
સાથે સાથે શરીરને પણ બગાડશે અને
એક વાત યાદ રાખજો કે..

શરીરનું મૃત્યુ થાય
ત્યારે સૌ રડે છે પરંતુ
મનનું મૃત્યુ થાય
ત્યારે પોતાને જ રડવું પડે છે.

એના માટે
સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.

વધુ પડતી અપેક્ષા કે
મોટા સપના ના રાખો
અને જે છે એમાં સંતુષ્ટ રહો તો.

કદાચ તમે આસમાનની ઊંચાઈ
ભલે ના મેળવી શકો પણ
સુખી સંસાર જરૂર મેળવી શકશો.

એક રાજા
પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે
એ જાણવા નીકળ્યો તો એને
એક વૃધ્ધ સૈનિક
ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો
તો એની પાસે જઇને પૂછ્યું કે
ઠંડી લાગે છે ?

તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ
વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી

તો રાજાએ કહ્યું કે કાલે તમારા માટે
ગરમ કપડાં મોકલી આપીશ
જેથી રાહત રહેશે.

રાજા આ વચન આપી ને
ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા.

6 દિવસ પછી પેલો સૈનિક
ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને
રાજાને એક પત્ર લખતો ગયો કે..
વર્ષોથી આ જ કપડાં માં
ફરજ નિભાવતા હતા અને
ઠંડી સહન કરી લેતા હતા પણ
તમે આવીને
ગરમ કપડાંની આશા આપતા ગયા અને
અમારું મન નબળું કરતાં ગયા અને
તમારા એ વાયદા એ
મારો જીવ લઈ લીધો.

જીવનમાં આશા, સપના અને અપેક્ષાનો
ઓવરડોઝ ક્યારેય ના થવા દેવો.

કોઈ પણ વ્યક્તિ કે વિચાર નો
સહારોના રાખવો.

સહારો હંમેશા
માણસને કમજોર જ બનાવે છે.

"ખુદ ગબ્બર " બનીને જીવો.

પોતાની તાકાત, પોતાની સહનશક્તિ,
પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો
તો ક્યારેય માંદગી નહીં આવે.

વર્તમાન આર્થિક તંગીમાં
અકળાઈ જવાને બદલે
આ સમય તમને
ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો.

દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ
જો કોઈ હોય તો એ
સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે

આ બંનેની જાળવણી
તમે ખુદ જ કરી શકો છો,
અન્ય કોઈ ચાહે તો પણ નહીં....

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...