Thursday, August 22, 2024

कश्मीर की यात्रा साधारण खर्च में कैसे करें

#दिल्ली_से_ट्रेन_द्वारा_कश्मीर_की_यात्रा_साधारण_खर्च_में_कैसे_करें ,जिसमें अकेले यात्रा करने वाले सोलो ट्रैवलर बहुत कम खर्च में कश्मीर की वादियों का दीदार कर पाएंगे, लेकिन आपको इस पोस्ट को पढ़ने के लिए 2 मिनट का समय निकालना होगा, इस पोस्ट में आपको कम खर्च में रुकने की जानकारी भी दूंगा, जहां सोलो ट्रैवलर सिर्फ 200 रूपये में नाइट स्टे कर सकते हैं वो भी श्री नगर के दिल लाल चौक में,जी हाँ आपने सही पढ़ा, अगर कोई मित्र भारत के  स्वर्ग कश्मीर की सोलो यात्रा करना चाहता है तो ये पोस्ट आपके काम की है,लेकिन ये सलाह सिर्फ सोलो मित्रों के लिए है फैमिली वालों के लिए नहीं है, ये यात्रा आप शुरू कीजिये  नई दिल्ली station से यहाँ से आप (12445)उत्तर संपर्क क्रांति एक्स्प्रेस का टिकट कराइए उधमपुर तक का,ये ट्रेन रात्रि मे 8:50 pm मे चलती है  और सुबह 7.30 बजे उधमपुर (MCTM)पहुंच जाती है कृपया ध्यान दें अब उधमपुर  स्टेशन का नाम शहीद कैप्टन तुषार महाजन हो गया है इसलिए आपको mctm स्टेशन कोड डालना होगा,,इस ट्रैन में स्लीपर बर्थ का चार्ज 385 रूपये हैं या आप किसी भी ट्रेन से किसी भी शहर से  उधमपुर तक पहुँच सकते है, या फ़िर जम्मू से कोई भी ट्रेन से उधमपुर आ जाइये, station मे  उतरने  के बाद station के बाहर से आपको छोटी बसें मिल जायेगी  जो की उधमपुर के बस स्टैंड तक जाती हैं, जिसका चार्ज 20 रुपये है और 10 मिनट लगते हैं, फिर आपको ऊधमपुर  से बनिहाल जाना होगा  , स्टेशन से चलने के बाद पर आपको MH चौक उतरना है, या फिर जखैनी चौक उतर जाइए ,आप बस स्टैंड भी जा सकते हैं, MH चौक से  और जखैनी चौक से आपको बनिहाल जाने वाली बसें मिल जायेगी जो की 150 रुपये  से 250 तक 1 व्यक्ति के लेती हैं, या  फिर आप shareing taxi ले सकते हैं इसी जखैनी चौक से टेंपो traveller मिल जाते हैं जो  कि आपसे 300 रुपये लेगा बनिहाल रेल्वे station  tak का, अगर  आप ऊधमपुर स्टेशन के  पास पूछेंगे तो वो लोग शेयरिंग में 500 से 600 मांगते हैं ,इसलिए जखैनी चौक 20 रूपये में आ जाइए ,उधमपुर से बनिहाल की दूरी 88km है जो की 2:50se 3 घंटे मे पूरी होती है, 11 बजे तक आप बनिहाल रेल्वे station पहुँच जाओगे, बनिहाल पहुँचने के बाद आप DMU ट्रेन का यानी की लोकल ट्रेन का टिकट लीजिये श्रीनगर  तक का जिसका चार्ज है सिर्फ 45 ₹रुपये, ये ट्रेन सुबह 11:30 मे चलती है श्री नगर के लिए, ये ट्रेन आपको 1:30 बजे श्री नगर पहुँचा देगी, और  भी ट्रेन हैं ,श्रीनगर station पहुँचने के बाद आपको सिर्फ 20 रुपये मे डल झील चौक तक  के लिए छोटी बसें मिल जाती हैं , अब तो इलेक्ट्रिक बस भी चलने लगी है उनका भी कम ही चार्ज है , श्री नगर स्टेशन से डल झील जाने के लिए 6 नम्बर की इलेक्ट्रिक बस जाती है , ये सभी  बसें डल झील के चौक में उतारती हैं, या फिर आप स्टेशन से सीधे लाल चौक आ सकते हैं जहां आप अपना रूम या dormitory ले सकते हैं , ये लाल चौक में ही घंटाघर के बगल में स्थित है, जो की सनातन धर्म प्रताप सभा यात्री निवास के नाम से है, लाल चौक का इतिहास क्या है मुझे बताने की ज़रूरत ही नहीं है ,ये यात्री निवास लाल चौक घंटाघर से सिर्फ20 मीटर दूर है, अब यहां रुकने का चार्ज जान लीजिए,यहां कोई सोलो ट्रैवलर सिर्फ 200 रूपये में dormitory बेड में रात्रि विश्राम कर सकता है,  और जो लोग रूम लेना चाहे तो 600 रूपये में एक लोग के लिए रूम मिल जाता है ,और फैमिली के लिए 700 में रूम मिल जाता है ,यहां ac की जरूरत ही नहीं होती तो non ac रूम सुविधाजनक होते हैं,इसी परिसर में बहुत  सुंदर मंदिर भी है, और इस समय सुबह और शाम लंगर भी चलता है ,अब तो हो गई पहुंचने की जानकारी, वा रुकने की जानकारी , अब आप और कहां कम बजट में आस पास घूम सकते हैं तो आप एक दिन का समय निकाल कर के गुलमर्ग भी जा सकते हैं कश्मीर की शेयरिंग बसों से वो लोग 100 रूपये लेते हैं गुलमर्ग के लिए, इन बसों की यात्रा करने के लिए आप लाल चौक से 20 रूपये में कोई ऑटो से parimpora bus 🚌 stand पहुंच सकते हैं,वहां आपको गुलमर्ग जाने के लिए बसें मिल जाएंगी, और मित्र अपने बजट अनुसार कहीं भी घूमने जा सकते हैं , ये जानकारी खास कर के सोलो ट्रेवलर के लिए हैं जो लोग अकेले या दोस्तों के साथ घूमने निकल पड़ते हैं, अगर जानकारी अच्छी लगी हो तो आप शेयर भी कर सकते हैं ताकि किसी का कश्मीर घूमने का सपना कम बजट में हो सके,और इस यात्री निवास में कभी भी कोई भी फैमिली रुक सकती है 


#kashmir

#कश्मीर 

June 2024

कश्मीर घूमने के लिए कितने दिन चाहिए ?

कहां कहां घूमे?

कैसे घूमे ?

पैकेज में घूमे अथवा खुद से टूर प्लान करें? इत्यादि इत्यादि 

अक्सर कश्मीर घूमने की चाहत रखने वालों के दिमाग में यह सवाल आते रहते हैं,

                    लेकिन इन सभी सवालों का एक ही जवाब नहीं हो सकता क्योंकि सभी लोगों की घूमने की प्रवृत्ति अलग-अलग तरीके की होती है फिर भी मेरे अपने अनुभव के अनुसार आना जाना छोड़कर कम से कम 08 दिनों का टूर प्लान अवश्य करना चाहिए। 

*दो दिन श्रीनगर के लिए*  - जिसमें आप आप माता खीर भवानी मंदिर शंकराचार्य मंदिर शिकारा राइड लाल चौक वहां के खूबसूरत गार्डन और शाम के बाद डल लेक पर घूमना 

एक दिन #दुधपथरी  के लिए - जिसमें आप सुबह जाकर शाम तक वापस श्रीनगर लौट सकते हैं। 

एक दिन #सोनमर्ग  के लिए- यहां भी सुबह जाकर शाम तक वापस आया जा सकता है।

दो दिन #पहलगाम के लिए - पहलगाम जाते समय #सिंथनटाॅप होकर जाया जा सकता है हालांकि इसमें टैक्सी का अतिरिक्त खर्च का भुगतान करना होगा।

दो दिन #गुलमर्ग  के लिए- हालांकि बहुत से पर्यटक सुबह जाकर देर रात तक श्रीनगर वापस लौट आते हैं लेकिन मेरे अपने अनुभव के अनुसार आप गुलमर्ग में एक नाइट का स्टे करते हैं तो गुलमर्ग जाते समय हब्बा खातून पिक के सुंदर दृश्य को देख सकते हैं जो की गुलमर्ग से लगभग 6 किलोमीटर पहले मुख्य सड़क पर ही है। 

इसके बाद गुलमर्ग पहुंचकर होटल में चेक इन कीजिए और निकल पड़िए  #botapathri के लिए। यहां से लौटते समय नगिन लेक और नगिन गांव में स्थानीय चावल और राजमा खाने का आनंद भी लेना ना भूले। 

शाम तक अपने होटल में पहुंचकर आराम कीजिए और अगली सुबह गोंडोला राइड जो की यहां का मुख्य आकर्षण है, उसका आनंद ले। अगर आप यहां एक नाइट नाइट का स्टे करते हैं तो गोंडोला राइड का पहला स्लॉट जो की सुबह 9:00 बजे शुरू हो जाता है उसकी टिकट ही ले ताकि आप दोपहर तक वापस आकर गुलमर्ग की सुंदरता का आनंद ले सके और उसके बाद वापस श्रीनगर लौट आए।

अगर आपके पास एक दिन और अतिरिक्त हो तो #Yushmarg का Day tour किया जा सकता है। 

मैंने अपने हिसाब से जो भी जानकारी दी है उससे संबंधित फोटो भी पोस्ट कर रहा हूं। 

फिर भी अगर आपको किसी भी तरह की जानकारी चाहिए तो निःसंकोच कॉमेंट करके पूछ सकते हैं। समय निकालकर आपके सवालों का जवाब देने की पूरी-पूरी कोशिश रहेगी। 

अब एक महत्वपूर्ण सवाल की पैकेज ले या खुद से घूमे तो मेरा यही कहना है कि आप इसके लिए पूरी तरह से स्वतंत्र हैं कि आप किस तरह से घूमने में रुचि रखते हैं। जहां तक मेरा सवाल है तो मैंने यहां का पैकेज लिया था और मेरा वह निर्णय बहुत ही सही रहा क्योंकि खुद से घूमने में यहां misguide होने की संभावना बनी रहती है।

धन्यवाद

Thursday, August 8, 2024

પંચકેદાર - મધ્યમહેશ્વર....

પંચકેદાર એટલે પાંચ કેદાર, જેમાં કેદારનાથ મુખ્ય છે, પછી મધ્યમહેશ્વર, તુંગનાથ, રૂદ્રનાથ, અને કલ્પેશ્વર ગણાય છે, કેટલાક લોકો બુઢ્ઢા કેદારને પણ આમાં ગણે છે પણ એ અલગ સ્થાન છે. તેનો પરિચય પણ કરીશું. પંચકેદારની યાત્રા એક સાથે કરવી હોય તો પંદર દિવસ જેટલો સમય લઈને જવું.

કેદારનાથ તો વિશ્વપ્રસિદ્ધ છે, તેની માહિતી તો દરેક જગ્યાએ મળી જ રહે, છતાં ટૂંકમાં આપું છું. 

કેદારનાથ

     કેદારનાથનાં દ્વાર અખાત્રીજ કે તે પછી દસેક દિવસ બાદ ખૂલે છે, એટલે કે મે મહિનામાં ખૂલી જાય છે. ત્યારથી માંડી દિવાળી સુધી એટલે કે ઑક્ટોબર સુધી તેની યાત્રા થઈ શકે છે. કેદારનાથ જવા માટેનો બેજકેમ્પ સોનપ્રયાગ છે,  ત્યાં જતાં પહેલા ગુપ્તકાશી આવે છે, ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે તે જોવા લાયક છે. સોનપ્રયાગથી ચાર કિલોમિટર ગૌરીકુંડ સુધી જીપમાં જઈ શકાય છે. 2013 ની પૂર હોનારત પછી દરેક યાત્રી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, આ રજિસ્ટ્રેશન સોનપ્રયાગમાં થાય છે અને મફત છે. ગુપ્તકાશીમાં પણ એ કરાવી શકાય. આઈડી કાર્ડ અને ઝેરોક્ષ સાથે રાખવા. જો તમારે ઘોડા, ખચ્ચર કે ડોળીમાં જવું હોય તો તેની વ્યવસ્થા સોનપ્રયાગ અથવા ગૌરીકુંડમાં થઈ શકે છે. હેલિકૉપ્ટરમાં છેક સુધી જઈ શકાય છે, હેલિકૉપ્ટર ફાટાગામ પાસેથી ઊપડે છે. ગૌરીકુંડમાં ગરમ પાણીનાં કુંડ અને પ્રાચીન ગૌરીમંદિર છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રાત્રી રોકાણની સારી વ્યવસ્થા છે.....

       ગૌરીકુંડથી કેદારનાથ સોળ કિમી. ચાલવાનું થાય છે. વચ્ચે રામવાડા કૅમ્પ સાઇટ આવે છે. કેદારનાથમાં રોકાણ માટેની વ્યવસ્થા છે. રસ્તામાં દુકાનોમાં બધું મળી રહે છે. કેદારનાથ આશરે બાર હજાર ફૂટની ઊંચાઈ પર હોવાથી ઠંડી ખૂબ પડે છે અને વરસાદની પણ શક્યતા હોવાથી ગરમ કપડાં અને રેઈનકોટ સાથે રાખવા જરૂરી છે. કેદારનાથથી ચાર કિમી. ઉપર ચોરાબારી તાલ આવેલ છે. અને આઠ કિમી. પશ્ચિમે વાસુકીતાલ છે. ચોરાબારી તાલ આસાનીથી જઈ પરત આવી શકાય પણ વાસુકીતાલ થોડું અઘરું છે. ત્યાં તૈયારી વગર જવું જોખમી છે. કેદારનાથ ધામથી આગળ ભૈરવનાથનું સ્થાનક અને ભૈરવઘાટી છે ત્યાં પણ સમય હોય તો જઈ શકાય. કેદારનાથમાં આદિ શંકરાચાર્યજીનું સમાધિસ્થાન પણ આવેલું છે. 

    કેદારનાથ મંદાકિની નદીનાં કિનારે આવેલ છે, ઉપર કેદારપર્વતમાંથી તે નદી નીકળે છે અને આગળ જતાં રૂદ્રપ્રયાગમાં તે અલકનંદાને મળે છે. વાતાવરણ ચોખ્ખું હશે તો અહીં તમે કેદારપર્વત અને સુમેરુ શિખરનાં સુંદર દર્શન કરી શકશો. અહિંનાં મેદાનોમાં અનેક દુર્લભ જડીબુટ્ટી મળે છે, અને કસ્તુરી મૃગ જેવા સુંદર પ્રાણીઓ પણ જોવા મળે છે. 

     કેદારનાથ પહોંચવા માટે હરિદ્વારથી અને ઋષિકેશથી રોજ બસ મળે છે. તે દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ અને ગુપ્તકાશી થઈને સોનપ્રયાગ પહોંચાડે છે. જો સીધી બસ ન મળે તો આમાંથી કોઈ પણ શહેરનું વાહન મેળવીને તમે જઈ શકો, ત્યાંથી જીપ મળતી રહે છે. 

કેદારઘટી નું પ્રવાસ વર્ણન વાંચો.. Click here


દ્વિતીય કેદાર - મધ્યમહેશ્વર

હિમાલય જતો યાત્રી કેવી કેવી અપેક્ષા લઈને હોય છે ?

     તીર્થદર્શન, રમકડા જેવા નાના નાના ગામડાં, ઊંચા ઊંચા પહાડો, ગાઢ જંગલો, ઘૂઘવતી પહાડી નદીઓ, કલકલ કરતાં ઝરણા, રંગબેરંગી પંખીઓ, ફૂલોની વિવિધતા, ઊંચેથી પડતા ધોધ, ગગનચુંબી હિમશિખરો, લીલાછમ ઘાસનાં મેદાનો અને બેશક શાંત અને દિવ્ય પરિવેશ. આ બધું માણવાની ઇચ્છા લઈને જ વ્યક્તિ હિમાલય જતો હોય છે. અને આ બધું જો એક જ જગ્યાએ અને સરળતાથી માણવું હોય તો ક્યાં જવું...?

મને પૂછો તો તુરત કહીશ કે મધ્યમહેશ્વરની યાત્રા કરો ! અહીં તમારી બધી અપેક્ષાઓ ફળીભૂત થશે.

     આમ તો પંચકેદારમાં મધ્યમહેશ્વર એ ચોથા કેદાર કહેવાય છે પણ રસ્તાનાં સંદર્ભમાં જોઈએ તો કેદારનાથ પછી તેની યાત્રા નજીક પડે છે. એટલે આજે તે માર્ગનો પરિચય કરીએ.

     મધ્યમહેશ્વર પહોંચવાનાં ત્રણ રસ્તા છે. એક રસ્તો કેદારનાથથી સીધ્ધો જ દુર્ગમ પહાડોમાં થઈને બારોબાર મધ્યમહેશ્વર પહોંચાડે છે પણ ત્યાં તો જમાનો ખાધેલા ( કે ઊંઘી ખોપરીવાળા..!) અડીખમ અનુભવી ટ્રેકરો જ ચાલી શકે છે એટલે તે રસ્તો છોડી દઈએ !

     બીજો રસ્તો ગુપ્તકાશી થઈને વાહનમાં કાલીમઠ અને ત્યાંથી પગપાળા મંદાકિની નદી ઓળંગીને રાંસી ગામ તરફ જાય છે. ત્યાં ચાલવાનું વધારે થાય છે એટલે એ પણ આપણા કામનો નહી. હા, કાલીમઠ એક સુંદર જગ્યા છે અને અહીં માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે એ જાણ ખાતર.

     ત્રીજો અને સરળ રસ્તો આપણા કામનો છે એ જોઈએ. કેદારનાથનાં દર્શન કરીને તમે પાછા ગુપ્તકાશી આવશો. ત્યાંથી મંદાકિની નદીનાં સામે પાર ઉખીમઠ દેખાય છે ત્યાં વાહન દ્વારા પહોચી શકશો. ઉખીમઠ એક પવિત્ર સ્થાન છે, કેદારનાથનાં દ્વાર શિયાળામાં બંધ થાય છે ત્યારે તેની પૂજા છ મહિના સુધી અહીંનાં પ્રસિદ્ધ મંદિરમાં થાય છે એટલે દર્શન કરવાનું ભૂલશો નહી. ગુપ્તકાશી અને ઉખીમઠ સુધી તમે ઋષિકેશથી સીધ્ધી બસ દ્વારા પણ પહોંચી શકો છો.

     ઉખીમઠથી વીસ કિલોમિટર દૂર રાંસી ગામ સુધી વાહન રસ્તો છે, આખો દિવસ જીપો ચાલતી હોય છે. રાંસી નાનકડું પણ સુંદર ગામ છે. અહીં રહેવા જમવાની સગવડ મળી રહે છે. ગામમાં રાકેશ્વરી માતાજીનું સુંદર પ્રાચીન મંદિર છે. 

    રાંસી ગામે પહોંચી ગયા, અહીંથી મધ્યમહેશ્વર 19 કિલોમિટર દૂર છે. હવે ગરમ કપડાં, રેઈનકોટ અને થોડીઘણી ખાવાપીવાની સામગ્રી સાથે ચાલવા માટે તૈયાર રહો. હિમાલયનું અવર્ણનીય દિવ્ય સૌંદર્ય આપણી રાહ જુએ છે...!

     રાંસીગામથી ટ્રેક ચાલું થાય છે. છ કિલોમિટર દૂર ગૌંદાર ગામ છે ત્યાં સુધી સરળ અને કંઈક લેવલ રસ્તો છે, સામાન્ય ચડ ઊતર આવશે. મધ્યમહેશ્વરગંગા નદી નીચે ખીણમાં વહેતી હશે, સુંદર જંગલમાં રળિયામણી પગદંડી પર ચાલતા તમે થાકવાનું પણ ભૂલી જશો...!

     ગૌંદાર ગામ નાનકડું છે પણ ત્યાં રહેવા જમવાની સગવડ મળે છે એટલે થાક્યા હોઈએ કે દિવસ વધારે રહ્યો ન હોય તો રોકાઈ જવાનો વાંધો નહી. અહીંથી બે કિમી. દૂર બન્તોલી ગામ છે, ત્યાં પણ સગવડ મળે છે. બન્તોલી ગામે પહોંચો એટલે પટ્ટા ઝાટકીને તૈયાર રહેવું કેમ કે મધ્યમહેશ્વરની ખરેખરી ચડાઈ ત્યાંથી જ મંડાય છે..! આગળ જતાં બે કિમી. દૂર ખાટરાખાલ નામની જગ્યા આવશે. ત્યાં પણ ભોજન ચા પાણીની વ્યવસ્થા મળશે. તેનાથી આગળ બે કિમી. જતાં નાનુ ગામ આવશે. નાનુ એટલે નાનકડું નહી પણ ગામનું નામ જ નાનુ છે ! જો કે થોડા ઝૂંપડાની વસાહત છે છતાં અહીં રહેવા જમવાની સગવડ મળે છે અને મોટાભાગનાં યાત્રીઓ અહીં જ રાતવાસો કરે છે. ગયા વરસે મેં અને મારા મિત્ર ભાનુભાઈએ રાંસીગામથી વહેલી સવારે પાંચ વાગ્યે ચાલવાનું ચાલું કર્યું હતું અને સાંજે છ વાગ્યે વરસતા વરસાદમાં મધ્યમહેશ્વર પહોંચી ગયા હતાં. હું તો ઠીક પણ ભાનુભાઈની ઉંમર 61 વરસ છે..! રસ્તાનો ખ્યાલ આવે અને વચ્ચે રોકાવું કે કેમ એ નક્કી કરી શકો એટલે આ વાત લખું છું.....

     નાનુ ગામથી આગળ ત્રણ કિમી. ચાલતા માલખમ્બા નામની જગ્યાએ નાસ્તા પાણી કરી શકાય છે. ત્યાંથી ફક્ત ચાર કિલોમિટર ચાલશો એટલે મધ્યમહેશ્વર પ્રભુનાં ચરણે પહોંચી જશો...

    સુંદર મેદાનમાં પ્રાચીન મંદિર ઊભું છે, એકદમ શાંત અને મનભાવન જગ્યા છે. અહીં રોકાવાની જમવાની સગવડ મળી રહે છે. મન પ્રસન્ન થઈ જાય એવો પરિવેશ. બહુ ઓછા યાત્રી આવતા હોવાથી એકદમ શાંત જગ્યા. અહીંથી ઉપર બે કિમી. દૂર બુઢ્ઢા મધ્યમહેશ્વર છે ત્યાં કોઈ મંદિર નથી પણ સ્તબ્ધ કરી દે એવું સૌંદર્ય ત્યાં જોવા મળે છે. ત્યાં જવાનું ભૂલશો નહી. અહીંથી સોળ કિમી. દૂર દુર્ગમ ટ્રેક કરીને કાંચાની સરોવર પહોંચી શકાય છે પણ એ માટે તો મોટી તૈયારી કરીને જવું પડે.

     મધ્યમહેશ્વર ધામ પણ શિયાળામાં બંધ થઈ જાય છે અને તેની પૂજા ઉખીમઠમાં થાય છે. કેદારનાથ ખૂલ્યા પછી લગભગ દસ પંદર દિવસ પછી આ ધામ ખૂલે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. ગયા વરસે અમે ગયા ત્યારે રાંસી ગામથી આગળ સડક બનાવવાનું કામ ચાલું હતું એટલે હવે કદાચ આગળ સુધી રસ્તો બન્યો હશે. તે જાણી લેવું. 

લેખન :- હસમુખ જોષી 

Video Link



તૃતિય કેદાર - તુંગનાથ.

        ત્રીજા કેદાર તુંગનાથ બાર હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર હોવા છતાં ત્યાં પહોંચવું સરળ છે, કેમ કે ત્યાં માત્ર ત્રણ કિલોમિટર જ ચાલવાનું રહે છે. આ માટે તમારે ચોપતા ગામ જવાનું રહેશે. વિગતો જોઈએ.

     ચોપતા અને તુંગનાથનો વિસ્તાર તો અહીંનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે એટલે તેનાં અપ્રતિમ સૌંદર્યની તો વાત જ શી કરવી ? કાશ્મીર ન જઈ શકતા મિત્રો અહીં તેની અનુભૂતિ કરી શકે છે, બર્ડવોચરો માટે તો અહીં સ્વર્ગ છે અને શ્રદ્ધાળુઓ માટે જીવનનું સાર્થક્ય, કેમ કે તુંગનાથ એ હિંદુ ધર્મનું સૌથી વધુ ઊંચાઈએ આવેલ સ્થાન ગણાય છે, પ્રકૃતિપ્રેમીઓ માટે તો આનંદનો ખજાનો, કેમ કે અહીં જે છે તે બીજે ભાગ્યે મળે !

આપણા માટે હવે ગુપ્તકાશી અને ઉખીમઠ અજાણ્યાં નથી. ઉખીમઠથી એક રસ્તો મધ્યમહેશ્વર તરફ જાય છે તો બીજો રસ્તો ગોપેશ્વર તરફ જાય છે, ગોપેશ્વરનાં માર્ગે ચોપતા લગભગ 35 કિમી. દૂર છે. ત્યાં બસ કે જીપ દ્વારા પહોંચી શકાય છે. (જૂની પગદંડી પણ છે, હું એકવાર ત્યાં ચાલીને પણ ગયો હતો) ચોપતા પહોંચી ગયા એટલે તુંગનાથ પહોંચી ગયા એમ સમજો કેમ કે ચોપતાથી તુંગનાથ ફક્ત ત્રણ કિલોમિટર દૂર છે અને રસ્તો સરસ બાંધેલો આરામદાયક છે, ચડાઈની ખબર પણ પડે તેમ નથી. છતાં ઇચ્છો તો ઘોડા કે ખચ્ચર પર પણ જઈ શકો. ચોપતામાં રહેવા જમવાની સગવડ મળી રહે છે. પ્રવાસીઓ ખૂબ આવતા હોવાથી થોડું મોંઘું છે ખરું.

તુંગનાથમાં મહાદેવનું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે, ખૂબ જ શાંત અને પવિત્ર સ્થાન છે. અહીં નાનકડી ધર્મશાળા પણ છે. થોડી દુકાનોમાં પૂજાની સામગ્રી તેમ જ ભોજન નાસ્તો મળી રહે છે.

     તુંગનાથથી પણ ઉપર એક કિલોમીટરની ચડાઈ પછી ચંદ્રશિલા નામની ખૂબ જ સુંદર જગ્યાએ પહોંચી શકાય છે. તુંગનાથ પહાડનું એ શિખર છે, મોટાભાગનાં યાત્રી ત્યાં જતા નથી અને જીવનનો એક મોટો લહાવો ખોઈ નાખે છે. પ્રકૃતિનું અનુપમ કાવ્ય અહીં અનુભવી શકાય છે. વિસ્તૃત મેદાનો, ઉત્તર અને પૂર્વ ક્ષિતિજ પર તમે આખો હિમાલય જાણે જોઈ શકો, અહીંથી યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથનાં હિમ શિખરો જોઈ શકાય છે, નંદાદેવી ત્રિશુલ જેવા પ્રસિદ્ધ શિખરો પણ દેખાય છે. શરત એટલી કે વાતાવરણ સાફ હોવું જોઈએ અને શિખરો ઓળખાવનાર કોઈ જાણકાર સાથે જોઈએ.


તુંગનાથ અને ચંદ્રશિલા જઈને સાંજે પાછા આવી શકાય છે, ઊતરતી વેળા એના એ રસ્તે પાછા આવવાને બદલે પાછળની બાજુથી જૂની પગદંડીનાં રસ્તે ઊતરશો તો મજા આવશે. એ રસ્તો તમને ચોપતા-ગોપેશ્વર સડક પર ઊતારશે, ત્યાંથી સડકે બે કિલોમિટર ચાલીને પાછા ચોપતા પહોંચી શકાશે. થોડું લાબું પડશે પણ ભારે મજા આવશે.

      તુંગનાથ અને ચંદ્રશિલાની ઊંચાઈ કેદારનાથ કરતા પણ વધુ છે, એટલે કે બાર હજાર ફૂટથી વધુ છે એટલે ઠંડી ખૂબ પડે છે. તુંગનાથ પણ કેદારનાથ ખૂલ્યા પછી દસેક દિવસ બાદ ખૂલે છે, શિયાળામાં તેની પૂજા નીચે આવેલ મકૂમઠ નામના એક ગામમાં થાય છે. આ ટ્રેક શિયાળામાં પણ થઈ શકે છે, આખો પહાડ ત્યારે બરફ નીચે ઢંકાયો હોય છે.

     અહીં મોનાલ જેવા અત્યંત સુંદર પંખી જોવાની તક પણ મળે છે. સતર્ક નજર રાખીને નિરીક્ષણ કરશો તો એ પંખી જરૂર દેખાશે. મોનાલ એ ઉત્તરાખંડનું રાજ પંખી છે. ઉપરાંત હિમાલયન થાર, કસ્તુરી મૃગ પણ જોવા મળી જાય ખરા.

ચોપતા પહોંચવા માટે ગોપેશ્વરથી પણ જઈ શકાય છે પણ મારો અનુભવ કહે છે કે ત્યાંથી વાહનો ઓછા મળે છે, પોતાનું વાહન હોય તો જ ત્યાંથી ચોપતા જવું. ગોપેશ્વરથી પણ ચોપતા લગભગ 35 કિમી. થાય છે. ચોપતા અને તુંગનાથ ખૂબ જ પ્રસિદ્ધ સ્થાન છે. અને હિમાલયની ખરેખરી અનુભૂતિ કરાવે એવા છે એટલે એકવાર તો ત્યાં જવું જ જોઈએ. જે લોકોને પંચકેદાર ન કરવા હોય અને માત્ર ચાર ધામ જવાનું હોય તેમના પણ માર્ગમાં જ આવે છે એટલે આ સ્થળે દર્શન કરવાનું ભૂલવું નહી.




ये कहीं किसी ग्रुप में आया था रूट...

पंच केदार यात्रा —

यात्रा क्रम (Kedarnath से Kalpeshwar तक)

Day 1:

गौरीकुंड से ट्रेक शुरू करें, और पहले दिन केदारनाथ पहुंचें।

Day 2:

केदारनाथ के दर्शन कर सुबह से निकलें, और शाम तक रांसी पहुंचें।

Day 3:

रांसी से मध्यमहेश्वर ट्रेक शुरू करें। मध्यमहेश्वर व बूढ़ा मध्यमहेश्वर के दर्शन के बाद,

Day 4:

शाम तक चोपता पहुंच जाएं।

Day 5:

आराम से तुंगनाथ व चंद्रशिला ट्रेक करें। दर्शन कर शाम तक ग्वाड (Gwand) पहुंचें।

Day 6-8:

अब शुरू होता है कठिन लेकिन दिव्य रुद्रनाथ ट्रेक।

थकान के चलते इसे आराम से करें — पानार में एक रात रुकें।

Day 8 की शाम तक उर्गम वैली पहुंचें।

Day 9:

कलपेश्वर महादेव के दर्शन करें और फिर अपने घर की ओर प्रस्थान करें।

कुल अवधि: 11-12 दिन

वाहन: निजी Bike/Car

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...