Friday, September 13, 2019

● હું ફોન ●

મે એપલના ફોનનો આજ દિવસ સુઘી ઉપયોગ કર્યો નથી કે ભવિષ્યમાં #ચા વેચીને ખુબ ઘન આવશે ત્યારે પણ ખરીદવાનો કોઇ વિચાર સુઘ્ઘા નથી..

ખુબ સારો ફોન હશે - અદ્યતન ટેકનોલોજી પણ હશે બઘું જ કબુલ પણ મને અંગત રીતે 10_12 હજાર રૂપીયા થી વઘારે રૂપીયા નો ફોન લેવો મને કોઇ લોજીક નથી બેસતું , કદાચ પોસાતું થશે તો પણ 70 હજાર કે એક લાખ ફોન મા નાખતા જીવ ન ચાલે. આટલા મોંઘા ફોન ફકત અહંકાર સંતોષે છે. આને તમે કદાચ મારી મીડલ કલાસ મેન્ટાલીટી કહી શકો.

આજ કાલ ઘણા એવા લોકો ને મળું છુ જે દર મહીને ફોન બદલી નાખે, જેવુ આઇકોન નુ નવુ મોડલ માર્કેટ મા આવે ને ફોન બદલી નાખે.. ઘણાને આંઘળી આવક હશે એ આવા ખેલ કરે એ તો હજી સમજ્યા પણ એવા અઢળક લોકો ને ઓળખું છુ જેની પાસે થી #ચા ના બાકી નીકળતા પૈસા કઢાવવા મા નાકે દમ આવી જાય પણ ભડ નો દિકરો જાંગીયા ની જેમ ફોન બદલે.. ગામ માથી ઉઘાર ઉછીના લઇ ને ફોન બદલી નાખે.. હપ્તે થી મોબાઇલ લે - હપ્તો ભરવા હપ્તે થી લે...

વ્હાલા સમજુ મિત્રો, મહેનત થી કમાયેલા પૈસા આમ ન વેડફો..
SIP મા રોકાણ કરો - PPF મા રોકાણ કરો - સોના ચાંદી મા રોકાણ કરો - પોસ્ટ મા કે LIC મા રોકાણ કરો કે જેમા થી નીશ્ર્ચીત સમયે જરૂર પડયે પૈસા ઉપયોગ મા લઇ શકો...
ફોન મા રોકેલ પૈસા દરરોજ ઓછા થાય છે... 10 હજાર નો ફોન પણ એવુ જ કામ આપશે જેટલુ 1 લાખ નો ફોન કામ આપશે..

આ વિષય પર લખ્યા પછી કદાચ હુ નાની માનસીકતા ઘરાવતો લાગીશ પણ તો હા હુ એજ છુ..

સાભાર
મિત્ર અર્પિત છાયા
(ગુજરાતની પ્રખ્યાત Tea post ના સર્જક)

Wednesday, September 11, 2019

હવેનો જમાનો સ્કીલફૂલ કાર્ય કરે છે... તેમનો છે.

👉 તમે અબ્દુલ પંક્ચરવાળા જ રહેવાના તેમ કરીને મજાક કરો છો.. ત્યારે મજાક તમે તમારી બનાવતા હોવ છો એના કારણો: અબ્દુલ પંક્ચરવાળો જયારે ૮ વર્ષનો હોય છે ત્યારથી એના પિતા સાથે પ્લમ્બર, પંક્ચર, સાયકલ, બાઈક, વેલ્ડીંગ, રસોઈયા, ઈસ્ત્રી, દરજી , કાર્પેન્ટર વગેરે સ્કીલફૂલ કામ શીખવાના શરુ કરી દે છે.

૧૪ વર્ષ સુધીમાં બરાબર ટ્રેનીંગ લઇ અને કામ ઉપર લાગી જાય છે. આ બધા ૧૪-૧૫ વર્ષથી કામ શરુ કરી અને આ બધા કામમાં દિવસના આરામથી ૧૦૦૦ રૂપિયા કમાઈ લે છે.

👉 જયારે આ કામ હલકું-ભારે આવું કરવામાં રચ્યા-પચ્યા હિંદુઓ ૨૨ વર્ષ સુધી ગ્રેજ્યુએશન આ તે કરવામાં સમય પસાર કરી દે છે. અને જે નોકરીઓ મેળવે છે તેમાંથી ફક્ત ટેક્સ ભરે છે. જયારે હુનર વાળા ધંધાઓમાં કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી.

👉 જેટલા હિંદુ બાળકો મોટા મોટા સપનાઓ લઇ અને લાંબુ ભણવા માટે ફાંફા મારે છે.

👉 તેમાંથી ફક્ત ૩૦% નોકરીઓ મેળવે છે અને બાકીના ઘરના ના ઘાટના એવા બની જાય છે. આ સમયે અબ્દુલ ગેંગ મહીને આરામથી ૨૦૦૦ રૂપિયાનો પોતાનો ટેક્સ ફ્રી ધંધો કરતા હોય છે.

👉 જ્યાં સુધી હિંદુ જાતિઓ પોતાની માનસિકતા નહીં બદલે અને IAS,IPS દરેકને બનાવવાની ઘેલછાઓ મૂકી અને પોતાની જાતિઓના બાળકોને સ્કીલફૂલ બનાવવા તરફ ધ્યાન નહીં આપે ત્યાં સુધી તેઓની જાતિઓમાં બેકારી વધતી જશે.

👉 દરેક બ્રાહ્મણ-પટેલ-અહીર-જૈન-વિશ્વકર્મા-વણકરો-ઠાકોર-કોળી-આદિવાસીઓ વગેરે બધાએ બધા છોકરાઓને બસ એક જ વસ્તુ શીખવાડે છે GPSC, UPSC, એન્જીનીયર, ડોક્ટર.

અલા ભાઈ આ બધામાં એક સીટ ઉપર ૩૦૦૦-૪૦૦૦ લોકોની હરીફાઈ છે. જેમાં ૫૦% કેસ નસીબ ઉપર હોય છે અને અડધી સીટો અંદરખાનેથી વેચાઈ ગયેલી જ હોય છે.

👉 હકીકતમાં આ બધા એવા છોકરા/છોકરીઓમાં જે ભણવામાં નબળા હોય તેઓને પારખી અને હેર કટિંગ, નર્સિંગ, ઈલેક્ટ્રીશીયન, એસી રીપેરીંગ, ડ્રાઈવર, બાઈક રિપેરિંગ, કાર્પેન્ટર, ભરતકામ, બ્યુટીપાર્લર, લેપટોપ-મોબાઇલ રીપેરીંગ વગેરે સ્કીલ શીખવાડવા માટેના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ.

👉 આ બધા માટે મોદી સરકાર દ્વારા ITI નો વિકાસ ગુજરાત/મહારાષ્ટ્રમાં પુષ્કળ કર્યો છે જેમાં એક વર્ષના ટ્રેનીંગ કોર્સ અને થોડા સાધનોની ઉપલબ્ધી સાથે પોતાનો વ્યવસાય શરુ કરીને આરામથી ૫૦૦૦૦ રૂપિયા મહીને કમાઈ શકો છો.

Monday, September 9, 2019

આરામ નું લોજીક

આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .

આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય.

1 મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય. આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય

હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?
ત્યારે મગજને લોહી વધારે જોઈએ.. ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 +0 .3 =0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય

હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમાથી કચરો બરાબર સાફ થાય નહિ

માટે ગુસ્સો ન કરો ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે. વધશે નહિ મગજ એક્ટીવ રહેશે.

આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ જ્ઞાન..

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...