Wednesday, January 19, 2022

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ

 



જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે મહારાણા પ્રતાપ. આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથીજ ઓળખાય છે !! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર ગર્વ કરે છે.

એમનો જન્મદિવસ “મહારાણા પ્રતાપ જયંતિ” દર વર્ષે જેઠ સુદ ત્રીજે મનાવવા માં આવે છે. મહારાણા પ્રતાપ ઉદયપુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જયવંતાં બાઈનાં જયેષ્ઠ પુત્ર હતાં. એમનો જન્મ સિસોદિયા કુળમાં થયો હતો. મેવાડમાં આ સીસોદીયાવંશ બહુ જ પ્રચલિત છે.

નામમહારાણા પ્રતાપ
બાળ૫ણનું નામકીકા
જન્મ તારીખ 9 મે 1540
જન્મ સ્થળકુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)
માતાનું નામમહારાણી જીવંતાબાઈ
પિતાનું નામમહારાણા ઉદયસિંહ
૫ત્નીનું નામઅજબદે પવાર
ઘર્મસનાતન
જાતિસિસોદિયા રજવંશ
રાજયાભિષેકગોગુંડામાં
પુત્રોના નામઅમરસિંહ, જગમાલ, શકિતસિંહ, સાગરસિંહ
મહારાણા પ્રતાપ નું વજન110 કિલો
 ઉંચાઇ7 ફૂટ 5 ઇંચ
ભાલા નું વજન81 કિલો
બખ્તરનું વજન72 કિલો
ઘોડાનું નામચેતક
મૃત્યુ તારીખ/ સ્થળતા. 19 જાન્યુઆરી 1597 રાજધાની ચાવંડમાં

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું.  તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17  સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.

Friday, January 14, 2022

ભિષ્મ પિતામહ







આદિ અનાદિથી ગળથૂથીમાં સિંચાયેલું એ મહાકાવ્ય એટલે મહાભારત. શૌર્ય, કપટ, પ્રેમ, કરુણા, સત્યનિષ્ઠા, ધૂર્તતા, લંપટાઇ અને લોભ જેવા પ્રત્યેક માનવીય ગુણોમાં શિરમોર કહી શકાય તેવા પાત્રોનું આ કાવ્યમાં આલેખન છે. ધર્મ અને અધર્મની પરિભાષા સ્પષ્ટ કરતા આ સર્જનમાં ભગવાન શ્રીકૃષ્ણ પછી સર્વોચ્ચ સ્થાને સન્માનીય પાત્ર એટલે પિતામહ ભીષ્મ. મહાપરાક્રમી રાજા શાંતનુ અને પુણ્યસલીલા મા ગંગાનો આ પુત્ર દેવવ્રત. વચનભંગના તર્ક સાથે ગંગાજીનું શાંતનુને છોડી જવું, સમયાંતરે શાંતનુને સત્યવતી નામની મત્સ્યગંધા સાથે પ્રેમનું થવું, મત્સ્યગંધાના પિતા હરિદાર કેવટ દ્વારા ભવિષ્યના વારસાને સુરક્ષિત કરતા આકરા વચનનું માંગવું અને પિતા શાંતનુના પ્રેમમાં પુત્ર દેવવ્રત દ્વારા આજીવન બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞાનું લેવું આ બધી વાત લખવા માટે આજે સમય નથી. 


મુદ્દો અહીં જે ઊડીને આંખે વળગતો હતો તે એટલો જ કે અખંડ બ્રહ્મચર્ય જેની જીવનસાધના રહી તે ભીષ્મએ ૫૬ દિવસ સુધી બાણશૈયા પર સૂવાનું અસહ્ય કષ્ટ કેમ વેઠવું પડ્યું? હસ્તિનાપુરની વફાદારી શબ્દ આજના જાહેર જીવનમાં આમ તો સાવ અછૂત છે. સત્તાની લાલસાએ થતા રાજકીય નાતરાંઓ વિશે અગાઉ લખાઇ ચૂક્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરવો નથી. એક વાત નિર્વિવાદ છે કે આજની રાજનીતિમાં વફાદારી શબ્દ સાથે કોઇને દૂર દૂર સુધી લેવાદેવા નથી. જેને લેવાદેવા છે તેઓ દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતા નથી...

ફરી ભીષ્મના મુદ્દા પર આવીએ તો, તેઓ હસ્તિનાપુરને વફાદારીના વચનથી આબદ્ધ હતા. કૌરવો દ્વારા પાંડવો વિરુદ્ધ થતા રહેલા અગણિત ષડયંત્રો સામે ભીષ્મનું મૌન તેમની આ વફાદારીના લૂલા બચાવથી શણગારાયેલું છે. વિદ્વાનોના મતે ભર્યા દરબારમાં દુશાસને કરેલા દ્રોપદીના વસ્ત્રાહરણને જોવાનું પાપ ભીષ્મની જ બાણશૈયાના પ્રાણિતનું મુખ્ય પ્રેરક હતું.


સાભાર :- સંદેશ દૈનિક વર્તમાન પત્ર

Saturday, January 1, 2022

જાણો :- નોલન ગોળ વિશે

નોલન ગોળ (ખજૂરનો ગોળ): બંગાળમાં શિયાળાની મિઠાસ

નોલન ગોળ કે ખજૂરનો ગોળ એક સિઝનલ ઉત્પાદન છે અને તે દૂધને એક અલગ જ પ્રકારની મિઠાશ આપે છે. બંગાળની મિષ્ટી બનાવવાના સમૃદ્ધ ઈતિહાસમાં આ ગોળનું પણ એક અલગ જ સ્થાન છે. ચોથી સદી ઈસા પૂર્વ, પાણિનિએ લખ્યું છે, ગુરશા આંગુ દેહો ગૌરા, જેનો અર્થ છે ગૌર, ગુરનું સ્થાન છે.

રસપ્રદ વાત એ છે કે, અહીં આ નોલન ગોળની માંગ છેલ્લાં કેટલાંક વર્ષથી વધી છે, તો તેના અનોખા ઉત્પાદન કે તેને બનાવનાર સમુદાય વિશે આજે પણ મોટાભાગના લોકો નથી જાણતા. જેના કારણે સિઉલિસ સમુદાયને ક્યારેય શ્રેય નથી મળતો, જે ખજૂરના કાંટાળા ઝાડ પર આનો રસ ભેગો કરવા ચડે છે.

આ રસને ભેગો કરવા માટે પણ ખાસ કળાની જરૂર હોય છે. આ કામ મોટાભાગે રાત્રે કરવામાં આવે છે. સિઉલિસ સમુદાયના લોકો સાંજના સમયે ઝાડ પર ચડે છે. તેઓ આની ડાળને કાપી ત્યાં એક માટીનું માટલું લટકાવી દે છે. પછી તેને આખી રાત આમજ રહેવા દેવામાં આવે છે, જેથી રસ તેમાં ભેગો થાય. જો વાતાવરણ ધૂંધળું હોય, ભેજ હોય કે પછી ગરમી હોય તો તમે ઝાડ પરથી આ રસ ન કાઢી શકો, કારણકે તે ખાટો થવા લાગે છે.

આ જ કારણે આ ગોળ જળવાયુ-સંવેદશીલ હોય છે. જંગલી ખજૂરનો તાજો રસ સ્વાદિષ્ટ, સુગંધીદાર અને પીવામાં પાણીની જેમ એકદમ સ્વચ્છ હોય છે. તેમાં વિટામિન અને આયર્નની સાથે-સાથે 12-15% શુગર પણ હોય છે. પોષક હોવાની સાથે-સાથે તે તરસ છીપાવવાનું કામ પણ કરે છે.

જોકે સૂરજ ઉગવાની સાથેજ તે બહુ જલદી ફરમેન્ટ થવા લાગે છે અને માદક તાડી બનવા લાગે છે. એટલે જ સિઉલિસ સવાર પડે એ પહેલાં કામ કરવાનું  શરૂ કરી દે છે. માટલાંને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવે છે અને તેમાં ભેગા થયેલ રસને ગાળીને કુંડાંમાં ભરવામાં આવે છે. આ રસને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે, જ્યાં સુધી બ્રિક્સ વેલ્યૂ 118-120% સુધી ન પહોંચી જાય. આ એક ગણતરી છે, જેને સિઉલિસ સમુદાયના લોકો કોઇપણ આધુનિક ટેકનિકના ઉપયોગ વગર માત્ર રસ જોઇને કે અડીને કહી દે છે.

ખજૂરના ગોળને લોકો નોલન ગોળ તરીકે ખાઇ શકે છે, જે મુલાયમ, સોનેરી રંગનો હોય છે. તેનું નામ નોલ કે પાઇપ, જેનાથી રસ ભેગો કરવામાં આવે છે, તેના પરથી પડ્યું છે અને 'નોલન' નો અર્થ થાય છે નવો. કે પછી તેને ઝોલા ગોળ તરીકે પણ ખાવામાં આવે છે, જે ચીકણો અને તરલ હોય છે, તેને રસ ઓછો કરવા અને ક્રિસ્ટલીકરણને રોકવા માટે બનાવવામાં આવે છે.

ઝોલા, બંગાળી શબ્દ 'લટકાવવા' થી આવ્યો છે - જે રીતે ઝાડ પર લટકાવવામાં આવે છે. ઝોલા ગોળ બહુ લાંબા સમય સુધી ચાલતો નથી અને તેની સુગંધ બહુ વધારે હોય છે. તેને એકદમ ધીમી આંચ પર બનાવવામાં આવે છે અને ટેરાટોરાના મોલ્ડ્સમાં ભરવામાં આવે છે. ઠંડો થઈ જાય એટલે તે ખેજુરેર ગોળ બની જાય છે. જેની શેલ્ફ લાઇફ સૌથી વધારે હોય છે, લગભગ 8 મહિના જેટલી.


આ ગોળની તમામ પ્રોસેસ માટે ફિલ્મ સૌંદગરની કલીપ

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...