જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે મહારાણા પ્રતાપ. આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથીજ ઓળખાય છે !! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર ગર્વ કરે છે.
નામ | મહારાણા પ્રતાપ |
બાળ૫ણનું નામ | કીકા |
જન્મ તારીખ | 9 મે 1540 |
જન્મ સ્થળ | કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો) |
માતાનું નામ | મહારાણી જીવંતાબાઈ |
પિતાનું નામ | મહારાણા ઉદયસિંહ |
૫ત્નીનું નામ | અજબદે પવાર |
ઘર્મ | સનાતન |
જાતિ | સિસોદિયા રજવંશ |
રાજયાભિષેક | ગોગુંડામાં |
પુત્રોના નામ | અમરસિંહ, જગમાલ, શકિતસિંહ, સાગરસિંહ |
મહારાણા પ્રતાપ નું વજન | 110 કિલો |
ઉંચાઇ | 7 ફૂટ 5 ઇંચ |
ભાલા નું વજન | 81 કિલો |
બખ્તરનું વજન | 72 કિલો |
ઘોડાનું નામ | ચેતક |
મૃત્યુ તારીખ/ સ્થળ | તા. 19 જાન્યુઆરી 1597 રાજધાની ચાવંડમાં |
મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17 સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.