Saturday, April 30, 2022

પોઝિટિવ પેરેન્ટિંગ રંગત-સંગત

આવનારાં વર્ષોમાં રસપ્રદ વાતચીત કરવાની કળા ખૂબ જ ડિમાન્ડમાં રહેશે, તે પ્રોફેશનલ કરિયર ઓપ્શન પણ બનશે!

લેખક: ડૉ. અંજુ શાઝો



મોટા ભાગનાં વાલીઓ અને શિક્ષકો એક આંધળી દોડમાં છે કે તેઓ બાળકને આ ઉનાળામાં કંઇક તો શીખવાડીને જ ઝંપશે! આર્ટ કલાસથી લઇને કોડિંગ સુધી કે પછી સ્વિમિંગથી લઈને ડાન્સિંગ સુધી બધા જ જાણે પોતાના બાળકને આમાં જોડાવા માટે એક રેસમાં છે!


સ્કિલ (કૌશલ) અને આર્ટ (કલા) વચ્ચેનો તફાવત સમજીએ

સ્કિલ એક એવી વસ્તુ છે જે આપણે ટેક્નિકલી શીખી શકીએ છીએ; જ્યારે આર્ટને કેળવવી પડે છે અને તે એક પ્રકારનું હુનર છે. શું તમે જાણો છો કે આવનારાં વર્ષોમાં કઈ આર્ટ ખૂબ જ ડિમાન્ડમાં રહેવાની છે? એ છે રસપ્રદ વાતચીત કરવાની કલા. કદાચ ભવિષ્યમાં - પ્રોફેશનલ વાતચીત કરનારનો - એક નવો રોજગાર પણ ઊભો થાય. કેમ કે, કમનસીબે આજકાલ માણસો કોઈ પણ રિયલ વાતચીતમાં એન્ગેજ નથી થતા. રિયલ વાતચીત એટલે એવી ચર્ચા જે આપણા હૃદયને સ્પર્શી જાય, આપણને પ્રેરણા આપે, આપણને કંઇક નવું શીખવાડી જાય અને હા, જેમાં બંને જણા સો ટકા હાજરી આપે (તેમના ફોન કે ટીવી વગર!).


ટીવી અને સ્માર્ટ ફોનની આડઅસર

જ્યારથી ટીવીએ આપણાં ઘરોમાં પદાર્પણ કર્યું છે ત્યારથી આપણી વાતચીતની સ્પેસ સાવ ઓછી થઇ ગઈ છે. કુટુંબીજનોએ ભેગાં જમવાનું અને વાતો શૅર કરવાની બંધ કરી દીધી છે; અને આની જગ્યાએ તેઓ ટીવી પર આવી રહેલી સિરીયલ અને પ્રોગ્રામને ચુપચાપ જોવાનું ચાલુ કરી દીધું છે. પણ કમ સે કમ તેઓ ભેગાં જમી તો રહ્યાં હતાં! પછી શરુ થયા ઝઘડા - ટીવી પર શું જોવું તેના! એટલે આવ્યો દરેક રૂમમાં ટીવી રાખવાનો ટ્રેન્ડ (એવા કુટુંબો માટે જે સદ્ધર હતા). પણ આ પૂરતું નહોતું! કેમ? અરે, તમે આટલા મોટા ટીવ ના ડબ્બાને તમારી સાથે લઈને થોડા બધે ફરી શકો? અને વળી ઘણી વાર ટીવીના કાર્યક્રમોની ક્વોલિટી પણ સાવ વાહિયાત હોય છે. કદાચ એટલે જ એને 'ઇડિયટ બોક્સ'નું ઉપનામ આપવામાં આવ્યું હશે!


એટલે પછી થઇ એન્ટ્રી નાનકડા આકર્ષક મોબાઈલ ફોનની, જેના માધ્યમથી દરેક વ્યક્તિ આખા વિશ્વને પોતાના પોકેટમાં લઈને ફરવા માંડી. ટૂંક સમયમાં જ માણસો આ નાનકડા ડબ્બા જોડે ચોંટી ગયા. આના થકી તમે કંઈ પણ ક્યાંયથી જોઈ શકવા માંડ્યા. તમે સંસારના કોઇપણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરી શકવા સમર્થ થયા. આ વસ્તુ ખૂબ જ એક્સાઈટિંગ હતી અને માણસો આ સ્માર્ટ ફોનના જાદુ હેઠળ આવી ગયા. તેઓએ એક-મેકને હવે જોક્સ કહેવાના બંધ કરી દીધા; આની જગ્યાએ તેઓ એક-બીજાને જોક્સ 'ફોરવર્ડ' કરવા માંડયા. તેઓ હવે ભેગા મળીને હસતા નહોતા, પણ ફક્ત એક ઈમોજી મોકલીને 'બતાડતા' હતા કે તેઓ હસી રહ્યા છે. તેમને એક-બીજા સાથે રમતો રમવાનું અને સામે જોવાનું પણ બંધ કરી દીધું. તેઓ સ્ક્રીનમાં એટલા ડૂબી ગયા કે પહેલાં તે એક ઓબ્સેશન (ઘેલછા) અને પછી એક એડિક્શન (વ્યસન) બની ગયું. અને આ બધામાં જે જરૂરી વસ્તુ તેઓ ભૂલી ગયા તે હતી - રસપ્રદ વાતચીત કઈ રીતે કરવી.



પરસ્પર વાતચીત કરવી, તે પત્તાં અને તંબોલા રમવા કરતાં ઘણું સારું છે

એવું નથી કે માણસો સાવ વાતચીત જ નથી કરી રહ્યા; તેઓ વાત કરે છે, પણ ખૂબ જ ઓછી અને તે પણ જરૂરિયાત પૂરતી. થોડા સમય પહેલાં મેં એક વડીલ બહેનોનું ગેટ-ટુ-ગેધર અટેન્ડ કર્યું હતું. આ ૭૦+ વરસની બહેનો નિયમિત રીતે અઠવાડિયામાં એક વાર ભેગાં થઈને પત્તાં રમતાં હોય છે. આનાથી તેમનું સામાજિક જીવન જાણે જીવતું રહે છે. આ વખતે મેં એમને સલાહ આપી કે તેઓ પોતાના આ અઠવાડિક કાર્યક્રમમાં ભોજનનો સમાવેશ કરે; અને તેઓ એક એવી જગ્યાએ મળે જે શાંત હોય અને જ્યાં હરવા-ફરવાની ખૂબ જગ્યા હોય. બહેનો પોતાનાં પત્તાં અને તંબોલાનાં ટોકન તો પોતાની સાથે લઇ આવ્યાં, પણ તેઓ તે જગ્યાએ વાતચીત કરવામાં ખૂબ જ બિઝી થઇ ગયા! તેમનો સમય આરામથી જમવા અને વાતચીત કરવામાં વીતી ગયો. ત્રણ કલાક પછી પણ તેમને ત્યાંથી ઊભા થઇને પોતાના ઘરે જવાનું મન નહોતું થતું! તેઓ એક-બીજાને છેલ્લાં ૨૦ વરસથી જાણતા હતા, પણ અત્યાર સુધી તેઓ જ્યારે પણ મળતાં ત્યારે પત્તાં અને તંબોલા જેવી રમતોમાં પોતાને વ્યસ્ત રાખતા. આ આખી પ્રક્રિયામાં તેઓ એ એક-મેક જોડે પોતાના જીવનની વાતો શૅર કરવાની સાવ બંધ કરી દીધી હતી. પણ આ વખતે તેઓએ આ કર્યું અને તેમને ખૂબ જ મજા આવી કેમ કે આ શૅરિંગના લીધે તેઓ એક-બીજાની વધુ નજીક આવી ગયા.


બાળકોને ખરા અર્થમાં કનેક્ટ કરવાં

અમે હાલમાં જ અમારા દસમા ધોરણનાં બાળકો માટે એક આઉટિંગ ગોઠવ્યું હતું. શૈક્ષણિક વરસ પૂરું થઇ રહ્યું છે અને બાળકો તેની ઉજવણી ફક્ત ભેગા રહીને કરવા માગતાં હતાં. તેમણે અમને વિનંતી કરી કે અમે તેમના આઉટિંગ માટે કોઈ એક્ટિવિટી પ્લાન ન કરીએ, બસ એમને તે જે કરવા માગતાં હોય તે કરવા દઈએ. એટલે તેમના કલાસ ટીચરે આ વાતની નોંધ લઈને તેમના આઉટિંગ માટે શહેરની બહાર એક સરસ અને શાંત સ્થળ પસંદ કર્યું. બાળકો ત્યાં રમતો રમ્યાં, વાતો કરી, સ્વિમ કર્યું અને ડાન્સ પણ કર્યો. અને અહીં જે સૌથી સરસ વાત હતી તે એ છે કે જે બાળકો એક-મેક જોડે વાત પણ નહોતાં કરતાં તેઓ એક-બીજાને પોતાનાં દિલની વાત શૅર કરી રહ્યાં હતાં અને ખૂબ હસી રહ્યાં હતાં! ખરું કહું તો આ ક્ષણ ખૂબ જ અમૂલ્ય હતી અને ચોક્કસ આગળ જઈને તેમની ભવિષ્યની યાદોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનશે.


વાલીઓ માટે સલાહ

જેમ ઉનાળો શરુ થાય તેમ પેરેન્ટ્સ લાગી જાય છે બાળકોને સમર ક્લાસોમાં જોડવાના કામમાં કે પછી તેમને વેકેશનમાં ક્યાંક ફરવા લઇ જવાની તૈયારીમાં. આ બધાની વચ્ચે જરૂરી એ છે કે વાલીઓ થોડોક સમય કાઢીને બાળક જોડે વાતચીત કરે. ઘણી વાર કોઈ રસપ્રદ વ્યક્તિ જોડે કરેલી ચર્ચા આપણને કોઈ પણ પુસ્તક કરતાં વધુ શીખવાડી જાય છે. અને આ વાતચીતની શરૂઆત કુટુંબીજનોથી કરીએ. આપણે એક-મેક વિશે બધું નથી જાણતા. એટલે આ વાતચીત આપણા જીવનના અનુભવો અને; આપણી ઊંડી ઈચ્છાઓ, અજ્ઞાત ડર અને લાગણીઓ વિશે હોઈ શકે. ચર્ચા - ચોપડીઓ, પેઇન્ટિંગ, ફિલોસોફી (તત્ત્વજ્ઞાન), કવિતા કે વિજ્ઞાન - વિશે પણ હોઈ શકે છે. કે પછી પેરેન્ટ-બાળક વચ્ચે કમ્ફર્ટેબલ મૌન પણ હોઈ શકે છે - આ એક અનેરી શબ્દ-વગરની વાતચીત છે. અહીં સૌથી જરૂરી એ છે કે આપણે કોઈ અન્ય વ્યક્તિ જોડે રહીએ.


તો ચાલો, આ ઉનાળામાં આપણું ફોકસ બદલીએ. બાળક પાસે શું કરાવીએ કરતાં એવી તકો ઊભી કરીએ જેમાં બાળકને ફક્ત બાળક બનીને રહેવા દઈએ.


(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

Limited 10 પોસ્ટ વતી વૈશાલી મજીઠિયા 

(આ પોસ્ટ *કોપીરાઈટ* થી આરક્ષિત હોવાથી, તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો)

Friday, April 1, 2022

ચૈત્ર માસ અને લીમડાનો મોર, મીઠાનો ત્યાગ, ઓખા હરણ .... જાણો...

આવતી કાલ.નવું વર્ષ.ચૈત્ર માસ ની શરૂઆત..




ભાઈઓ લીમડા ના મોર નું કાળા મરી સાથે સેવન કરે 7 થી 14 દિવસ. પીત્ત નું શમન થાય.પિત્ત રક્ત ના સહારે રહે એટલે રક્ત દુષિતતા ઘટે.રક્ત શુદ્ધ થાય.મલેરિયા જેવા ભાદરવા ને ચોમાસા ના તાવ આ પિત્ત સંચય થઈ થાય.એટલે આ એવા તાવ માટે એન્ટી ડોટ..કે રશી જે માનો તે..પણ પરિણામ હોયજ કેમકે ઘઈયડા ગાંડા નહોતા..


શરૂ કરો નિમ ના ફૂલ ને કાળા મરી..

કેટલાક ને શરૂ માં પેટમાં તકલીફ થાય.ઝાડા થાય.પણ એ ડિટોક્સિ છે શરીર નું. માત્રા ઓછી કરી ચાલુ રાખવું..

સારા લાભ માટે નમક ઓછા માં ઓછું લેવું.


બહેનો માટે ખાસ.

ઓખાહરણ નું વાંચન કરવું.

( નવા યુગ ની નારી ને તો ખબર જ નહીં હોય કે ઓખા કોણ હતી.)

બેટ દ્વારિકા જાવ તો વચ્ચે ઓખા આવે.કયારેય વિચાર્યું કે નામ ઓખા કેમ?

 શિવ જ્યારે તપ કરવા જાય ત્યારે એકલતા થી કંટાળેલા માતા પાર્વતી પોતાના વિજ્ઞાન પ્રયોગ કરી પોતાના શરીર ના મેલ માં થી ડાબા અંગ માં દીકરી ઓખા ઉતપન્ન કરી..જમણા અંગ માં દીકરો ગણેશ.( ચોખલીયા અહીંયા ઉતરી પડશે કે કેવી રીતે ?  વિજ્ઞાનિક નથી..પણ વિજ્ઞાન હવેથી કબુલ કરે છે કે એકલા માતૃ કોષો થઈ જીવન ચાલતું રહે છે...તમારા શુક્રાણુ ને રાખો તમારી પાસે.)

ગણેશ ને બહેન ઓખા  સાથે આગણે રમતા હોય ને શિવજી પધારે.માતા સ્નાન કરતા હોય. બન્ને બાળકો માં બહેન ઓખા ડરીને મીઠા ના ઢગલા પાછળ છુપાઈ ગઈ.

(હિમાલયમાં મીઠું જ  સંગ્રહ થતું. આજેય ત્યાં મીઠા માટે ઉપર વસતા લોકો મેદાન માં આવે. ડિસ્કવરી જોઈ લેજો.)

ગણેશ જી લડ્યા .માતા પાસે આવા અઘોરી ને વિચિત્ર માણસ કેમ જાવા દઉં..મસ્તિક કપાયું..

માતા જ આવી ને જુવે.. દુઃખી થાય છે..પણ દીકરી ઓખા નથી દેખાતી..તપાસ કરતા ભયભીત દીકરી મીઠા ના ઢગલા માં થી મળી આવે છે.ક્રોધ માં માતસ શ્રાપ આપે કે તું દિવસે દિવસે મીઠા ની માફક ઓગળી જઈશ..


દીકરી કહે હું તો અબળા નું રૂપ છું. ભય ને ડર વધારે હોય.સામનો કરવા નો સ્વભાવ જ સાવ ઓછો.

માતા ને ક્રોધ ઉતરતા પસ્તાવો થાય છે..

ને દીકરી ને વરદાન આપે છે કે તું બીજા જન્મ માં બાણા વળી રાક્ષસ ના ત્યાં જન્મીશ.અને કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન ના પુત્ર અનિરુદ્ધ સાથે તારા લગ્ન થશે..ને શિવ ને પણ તેમાં પોતાના કર્મ ના કારણે તારા માટે યુદ્ધ કરવું પડશે.


અને ઓખા બાણાસુર ની પુત્રી બને.ચિત્ર લેખા તેની સખી બને.

સ્વપ્ન માં અનિરુદ્ધ આવે.

વચ્ચે નારદ નો પ્રવેશ. બાણા વળી તારા હાથ કાપી તારો જમાઈ દીકરી ને લાઇ જશે.

દીકરી ને એકદંડીયા મહેલ માં નજર કેદ.

ચિત્રલેખા પવન પાવડી ની મદદ થી અનિરુદ્ધ ને ખાટલા સાથે ઉપાડી લાવે..

પોતાની વાત સાચી કરવા.નારદ સુદર્શન ચક્ર ને દ્વારિકા માં રક્ષણ ની  ભૂમિકા માં થી છેતરે..

અંતે યુદ્ધ થાય.

કૃષ્ણ ને મહાદેવ નું..


પણ ત્યાં એક સરસ વાત છે..

જે સ્રી ઓખા હરણ વાંચી..અલુણા કરે.તેને સ્રી ને પકડાતા ગ્રહો થી મુક્તિ મળે..

આ અલુણા કેમ ?

7 થઈ 14 દિવસ ફરજીયાત.અને આખો મહિનો પણ બેસ્ટ.

તો.


દાદી વૈદુ એવું કહે કે સ્રી અલુણા રાખે તો આવતી ગરમી માં પીત્ત નો પ્રકોપ ના થાય.અને માસિક ની અત્યાવસ્થા..જેમાં અતિ પ્રમાણ માં  બ્લડિગ ના થાય.


આયુર્વેદ પણ આ બાબતે સહમત છેજ.


બોલો જય ઓખા હરણ કી.


સાભાર :-

વૈદ્ય જીતુભાઇ. ડીસા।



રણુજાના ધર્મપાલક રાજા રામદેવપીર

જય રામદેવપીર..

અલખધણી બાબા રામદેવપીર વિશે અહીં જે પણ બાબતો સંકલિત કરવામાં આવી છે. તેના માટેના આધારો વિવિધ અખબારો, સામયિકો, પુસ્તકો, અને રામદેવપીર સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત વખતે લોકો પાસેથી સાંભળેલી બાબતો પર આધારિત છે... આપ પણ વાંચો... રામદેવ પીર વિશેની જાણી અજાણી વાતો... તેમના નિજીયા ધર્મ (સનાતન ધર્મ), પાટોત્સવ વગેરે બાબતો વિશેની માહિતી..




રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં ઇસ. ૧૩૫૨
ભાદરવા સુદ બીજ, વિક્રમ સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. 


રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા, રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવપીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંકજી કે કલ્કિ અવતાર માનનાર અનેક ભક્તો છે. 

આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ - ભક્તો તેમનાં મંદિરોમાં દર્શનાર્થે યાત્રાપ્રવાસ કરે છે. રામદેવપીરનું વ્રત-નોરતાં રાખે છે. નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે.

બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.

તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને 'રામશાહપીર'નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.

બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.

રણુજાના રાજાનો નિજિયા ધર્મ

રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન પધાર્યા. વિરમદેના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવત ૧૪૬૧ની સાલ ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે અગિયારસ બેસતાં ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. પોતે દિવ્ય હોવાની, ભગવાન હોવાની નિશાની રૂપે કુમકુમ પગલાં પાડયાં. તેમનું નામ રામદેવજી રાખ્યું. રામાપીરે ઘણાં કાર્યો કર્યાં છે તે લોકવાર્તાઓ આપણે રામા મંડળ, ફિલ્મો વગેરેમાં જોયું છે.. સાંભળ્યું છે..ટૂંકમાં જે બધાને ખબર છે... પણ આપણે બીજી જ વાત કરવાની છે. નિજીયા ધર્મ વિશેની..


શિવે પાર્વતીને નિજિયાધર્મ વિશે શું કહ્યું?

અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો. આ પ્રસંગે હાજર રહેલા સહુને રામાપીરે જણાવ્યું કે આ પ્રસંગે શિવના પાટોત્સવને યાદ કરીએ. શિવે શક્તિને નિજિયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી તે વાત અત્યારે અહીં બધાને સંભળાવું છું. તે ધ્યાન દઈ સાંભળવા યોગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય છે. રામાપીરે પાટોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે હતી.

નિજિયા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પુનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો, ગાદીપતિ- ધર્માધિકારીઓએ નિર્ણય કરેલ. સાધુ-સંતો, જતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે જેને જમા-જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નર-નારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે ઓળખાય છે.

‘નિજ એટલે પોતાનો ધર્મ,  આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતાસમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે છે તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજિયા ધર્મમાં સ્થાન છે.

ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજિયા ધર્મ માને છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતાં હોય છે. “હું” અને “મારું” મટી જાય, ધણીપણું ટળી જાય, આપાપણું ગળી જાય એ સાચો નિજારી કહેવાય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય તેઓ આ નિજધર્મ પાળતાં હોય, ભક્તિભાવમાં પૂરા રંગાયાં હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવાં ઉપાસક નર-નારીને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.


નિજીયા ધર્મ નામ અનેક પણ ગુણ એક જ

બીજ રહસ્ય બતાવનારો પંથ જેને મહાપંથ પણ કહેવાય છે. મહાપંથનાં અનેક નામો મળે છે. નિજિયા ધરમ, નિજર પંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધર્મ, માર્ગીપંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ કે આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને વિષ્ણુ ભગવાનના અંશાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે.

ચાર જુગના ચાર પાટોત્સવ

પહેલા જુગમાં પ્રહલાદ રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. 

બીજા જુગમાં હરિચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. 

ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા.

ચોથા જુગમાં બલીરાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. 

ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી, અશ્વ, ગાય અને અજિયા દર્શાવાય છે. એના સંકેતોમાં જાણકાર સંતોનું એવું પણ અર્થઘટન છે કે, પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડાને વશમાં કરવું- બલિદાન આપવું. ત્રીજામાં ગો એટલે ગાયનું એટલે ઈન્દ્રિયોની તમામ ક્રિયાઓનું બલિદાન આપવું. ચોથામાં અજિયા એટલે સૂક્ષ્મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું. આવું સંતોએ સમજાવ્યું છે. 

એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી. અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું.

રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો. અને બાર બીજના ધણીનું નામ આપ્યુ.


આ તમામ પાટોત્સવોનું વિવરણ સ્થળસંકોચના હિસાબે ટૂંકમાં આપવાની કોશિશ કરી છે.

રામદેવ પીરના ઇતિહાસની ઝાંખી..

ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં સમાધિ લીધેલી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. રણુજામાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.

રામદેવ પીરે સમાધિ લીધા પછી બસ્સો બેંતાલીસ વર્ષ બાદ (વિ.સં. ૧૭૫૭, જેઠ વદ પાંચમના રોજ) હરજી ભાટીને પરચો આપેલો. હરજી ભાટીનું ગામ રણુજાથી લગભગ ૧૪૦ કિમિ. દૂર ઓસિયા ગામ (ઓસિયાથી ૧૫ કિમી. દૂર) પાસે છે જે પંડિતજીની ધાણી તરીકે ઓળખાય છે. જે સ્થળે હરજી ભાટીને રામાપીરે સાધુના વેશે દર્શન આપેલ તે સ્થળ હરજી ભાટીના ગામથી ત્રણેક કિમી. દૂર છે જ્યાં નાનું રામાપીરનું મંદિર છે.
આ મંદિરની ટેકરી પાછળ નાની તળાવડી છે જ્યાંથી હરજી ભાટી રામાપીર માટે પીવાનું પાણી ભરી લાવ્યા હતા. વિ.સં. ૧૮૩૮ના રોજ હરજી ભાટીએ સમાધિ લીધેલી. હરજી ભાટીની જગ્યામાં ગાદીપતિ તરીકે હરજી ભાટીના પરિવારમાંથી જે આજીવન કુંવારા રહી શકે તેને જ બેસાડવામાં આવે છે.


સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી પાસે પીપળી ગામ પણ અત્યારે એક ધામ બની ગયું છે જે સવા ભગતની પીપળી તરીકે પ્રસિદ્ધ છે. પીપળીમાં દર બીજ અને પૂનમે અસંખ્ય યાત્રિકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.


ઇતિહાસના પાના પરથી જાણવા મળેલ અમુક બાબતો :-
  • રામદેવપીર જયપુર દિલ્હીના નજીકના હતા. ત્યારે દિલ્હીમાં મુસ્લિમો દ્રારા  કતલ બળાત્કારો સળગાવવું ને લંટફાટથી હાહાકાર મચાવ્યો હતો. તેનાથી રામદેવજીનું મન દ્રવી ઉઠ્યું હતું. તેવામાં તેના પત્નીનું અવસાન થાય છે. ત્યારથી રામદેવજી સંસાર છોડીને કચ્છમાં આવી જાય છે.

  • રામદેવપીરનો સમય એ હિન્દુ ધર્મ માટે કટોકટીનો સમય હતો. દિલ્હીથી રામદેવપીરના ગુરુની જગ્યા હબો ડુંગર થી જુનાગઢ સુધી હિન્દુ મંદિરો ખંડીત થઈ ચુક્યાં હતા. 
  • મંદિરોમાં પુજા આરતી બંધના ફતવા હતા. તેવા સમયે રામદેવપીરે પીર ફકીર બનીને સનાતન ધર્મનો પ્રચાર કર્યો
  • .કચ્છના હબા ડુંગર પરની ધીણોધરની નાથપંથની જગ્યા એ ગુરુ ગોરખનાથના ગુરુભાઈની જગ્યા છે.
  •  રામદેવપીરે 54 વર્ષે સંસાર છોડીને આ હબા ડુંગરમાં આવીને  ધીણોધરની જગ્યામાં રહીને બાલકનાથને ગુરુ બનાવીને નાથપંથની દિક્ષા લીધી. ત્યાં જ તપ અને સાધના કરીને સિધ્ધી પ્રાપ્ત કરી.
  • લીલુડો ઘોડો એ શક્તિનું પ્રતીક અને લીલો નેજો એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે.  અને પીરએ ઉપાધિ છે.
  • રામદેવપીરે ત્રણ વખત દવારકાની યાત્રાના કરી હતી.

જાણી, અજાણી વાતો અને સાચી હકીકતો...

રામદેવપીર તૈમુર લંગના પાપે પીર થયા. રામદેવપીર તૈમુર લંગના સમકાલીન છે. તૈમુર લંગે હિન્દુ ધર્મ ઉપર કાળોકેર વર્તાવ્યો હતો. તેણે હિન્દુઓની કતલ બરબાદી અને ધર્મપરિવર્તન કરાવ્યા. હિન્દુની પુજા આરતી જાહેર સરઘસ બધું બંધ કરાવ્યુ.  તેની સામે ઓરંગજેબ કાંઈ નથી. અહી સુધી રામદેવપીર સંસારી માણસ હતા.

હિન્દુની બરબાદી જોઈને રામદેવપીરે સંસાર છોડ્યો અને ગોરખનાથ વાળા નાથ સંપ્રદાયની દિક્ષા લીધી. હિન્દુ ધર્મને બચાવવા માટે  રામદેવપીર ધર્મ પ્રચારક બન્યા. પરંતુ જાહેરમાં ભગવાં કપડા કે હિન્દુનો પ્રચાર  થઈ શકે તેમ ન હતો. તેથી તેણે સુફી પરંપરાનો આશરો લીધો. 

જાહેરમાં ફરવા માટે લીલો નેજો ધારણ ક્યો. અને બંધબારણે રુમની અંદર હિન્દુ ધર્મની પુજાપાઠ કરવાની નવી પધ્ધતિ બનાવી જે હાલ રામદેવપીરના પાઠ તરીકે પ્રખ્યાત છે. (જે વર્તમાનમાં પણ અમલમાં છે.. પણ તેને અન્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખરેખર તો તૈમુરથી બચવા જે ભગત હોય તે બંધ બારણે જ્યોત પ્રગટાવી ભક્તિ કરતા ... અને ભગત સિવાય કોઈ અંદર આવતા નહીં...) .

લીલા નેજાને કારણે આપણે પીરનો દરજો આપી દીધો. બાકી તો રામદેવપીર પ્યોર અને પાકા નાથપંથ સંત છે. ટૂંકમાં રામદેવપીરનો ઘોડો એ શક્તિનું પ્રતીક છે. લીલો નેજો એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક. અને પાઠપુજા એ હિન્દુ ધર્મ બચાવવાનો છુપો રસ્તો હતો  જે તે સમયે..

કદાચ આપણને ગમે નહિ પણ....“વિર” શબ્દ અને પરંપરા આપણી છે. પીર ઉદુઁ શબ્દ છે. ૭૦૦ વષઁ ના મોગલ આકમણ ની ગીફટ પીર શબ્દ છે.. આગે સે ચલી આતી વાળી પધ્ધતિમાં ફેરફાર થવો જ જોઈએ. અને  રામદેવપીર નહીં પરંતુ  રામદેવવિરથી પુજાવા  જોઈએ.

સાભાર :- દેવાણદભાઈ રાવલિયા 




રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...