Sunday, January 22, 2023

સ્વપ્નમાં જોયું ભવ્ય ભારત

પ્રજાસત્તાક દિન ની પૂર્વ રાત્રીએ આજના વિષય અંગે વિચારતા વિચારતાં ઊંઘ આવી ગઈ અને ભવ્ય ભારતનું સ્વપ્ન આવ્યું ...મેં મારા ભારત દેશ માટે જે સપનું જોયું છે જે કૈક આવું છે.



ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.


.


મારું એક સપનું છે કે ભારત દેશમાં સાક્ષરતા દર ૯૦ ટકા ઉપર હોવો જોઈએ.


દેશના તમામ લોકો ભણેલા ગણેલા હોવા જોઈએ જેથી દેશ વિકાસમાં રાષ્ટ્ર વિકાસમાં હરણફાળ મેળવી શકાય. મારો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ સુરક્ષા ક્ષેત્રે દુનિયામાં અવ્વલ હોવો જોઈએ.મારું એક સપનું છે કે મારા ભારત દેશમાં જ્ઞાતિવાદ તેમજ ઊચ નીચનો ભેદભાવ જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને લોકો એક સાથે શાંતિથી રહે.


મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહિ હોય. લોકો સુખસંપન્ન અને શાંતિ હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે  અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ શકે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે અને  સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે અને દેશ ને આગળ વધારશે.


ભારત દેશને આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય દેશ ગણવામાં આવે છે. આખા વિશ્વમાં માત્ર ભારત દેશ જ એવો છે જ્યાં  બધીજ જાતિ ના લોકો રહે છે. ભારત દેશ બહુમતી વાળો દેશ ગણવામાં આવે છે.  સદીઓની ગુલામી પછી, ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમના વધતા જતા અત્યાચારોથી તમામ ભારતીયો સ્તબ્ધ થઈ ગયા અને પછી વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી અને દેશના અનેક વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, ગોળીઓ ખાધી અને આખરે આઝાદી મળ્યા પછી જ શાંતિ લીધી. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા થવા ના જોઈએ બધા હળીમળી ને રે. ત્યારબાદ, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદભાવ રે નહિ.  નવી પેઢી માત્ર એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.


ભારત દેશના લોકોના સારા વિકાસ અને  પ્રગતિ માટે સરકારે પગલાં લેવા જોઈએ. સરકારે સુશાસન અને વધુ નોકરીઓ માટે ભારતને ડિજિટલ વિસ્તરણ આપવું તેનો ધ્યેય. ડિજિટલ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય તમામ સરકારી સુવિધાઓ ઈલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થવાનું શરૂ કર્યું છે. 


સરકારી સેવા અને લોકો વચ્ચેનો તફાવત નાબૂદ કરવા માટે ડિજિટાઇઝેશન અભિયાન અને ભારતના PM એ પોતાનું સર્વશ્રેષ્ઠ કામ કરવું જોઈએ. અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વૃદ્ધિ અને સારી ભવિષ્ય માટે ભારતમાં પુષ્કળ ડિજિટાઇઝેશન વધુ જરૂરી છે. માત્ર ભારતીય લોકો એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.


ભારત ને મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવું જોઈએ. એ એક નવી પહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી માટે ઘણા દેશોમાં આઇ ટી કંપનીઓના સીઈઓને મળ્યા અને તેમને પૂછ્યું ભારતમાં રોકાણ કરવા પ્રેરિત. આ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ યોજનાને સમર્થન આપવું જોઈએ અને તે જ સમયે ભારતમાં તે કંપનીઓ ભારત ઘણી જગ્યાએ પોતાની ફેક્ટરીઓ ખોલીને અને તેમાં ઘણા ભારતીય લોકોએ રોકાણ કર્યું છે. તેનાથી રોજગારી પણ મળી રહી છે.



મારા સપનાનું ભારત કુરિવાજોને સંપૂર્ણ મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ માં નાખવામાં નહીં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પરવાનગી નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય એક બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં સ્ત્રી સશક્તિકરણ એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે. મારા સપનાં નું ભારત આવું હશે. 




ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.


તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.


આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત અને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે : હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.


21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.


21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇરછશે.


21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય, લોકો સુખસંપન્ન હશે, દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગા ચૂંટાશે.


આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.


ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે


દેશની સમસ્યા કુપોષણ

આ વિશ્વવ્યાપી બહુઆયામી સમસ્યા અંગે માત્ર આપણા દેશની જ વાત કરીએ તો દેશની 14.5 ટકા વસ્તી કુપોષણથી પીડાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 મુજબ ભૂખમરા વિશેના સર્વેમાં 107 દેશોમાં ભારતનો નંબર 94 છે,જે બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન કરતાં પણ પાછળ છે. અંકોની પળોજણમાં ન પડીએ તો પણ આપણા સમાજનું મીડિયા દર્શન પણ આવું જ કંઈક દર્શાવે છે. આ સમસ્યા માટે કોઇ એક પરિબળ જવાબદાર નથી. આર્થિક ધોરણો મુજબ આપણો સમાજ નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને અમીર વર્ગમાં વહેંચાયેલો છે. જેમાં અમીર – માલેતુજારોની સમસ્યા થોડી અલગ પ્રકારની છે. નિમ્ન મધ્યમ વર્ગમાં કુપોષણ એટલે અલ્પ પોષણ કે અપૂરતું પોષણ કહી શકાય. આ વર્ગનો કૌટુંબિક ઢાંચો દરેક વ્યક્તિને કમાવા મજબૂર કરે છે.



કુટુંબીજનોની સંખ્યા વધુ, શિક્ષણનો અભાવ, અસ્વચ્છતા, અંધશ્રદ્ધા, વ્યસન વગેરે જેવા પરિબળો કુટુંબની દરેક વ્યક્તિને ઓછેવત્તે અંશે કુપોષિત અવસ્થામાં રાખે છે. ઓછી પ્રતિકાર શક્તિ તેમજ અપૂરતું પોષણ તેમની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ વર્ગ માટે રહેઠાણ, વીજળી, પાણી, રાશન વગેરે સરકાર પૂરું પાડે છે. પરંતુ, એ બધું જ તેમના સુધી પહોંચતું નથી આથી, ગંદકી, અસ્વચ્છતા, દૂષિત હવા-પાણી વચ્ચે તેઓ રહે છે. સરકારી શાળાઓમાં તેમના સંતાનો અભ્યાસ કરે તો પુસ્તકો, યુનિફોર્મ, ભોજન ઈત્યાદી પૂરું પાડવામાં આવે છે. આરોગ્યની નિયમિત તપાસ થાય છે પરંતુ, અહીં સવાલ તેમની માનસિકતાનો જ છે.


જેમાં મહિલાઓમાં શિક્ષણનો અભાવ તેઓમાં આરોગ્ય વિશેની જાગૃતિના અભાવ તરીકે પ્રગટ થઇ કુપોષણ માટે જવાબદાર બને છે. ઉપરાંત બાળમજૂરી, અંધશ્રદ્ધા, વ્યસનમાંથી બહાર ન આવવાની તૈયારી જેવી માનસિકતા તેમને કુપોષણ તરફ દોરી જાય છે. નાની વયે માતા બનનાર યુવતીને શરીર વિજ્ઞાન, બાળ ઉછેર તેમજ પોષણ વિશેનું પુરતું જ્ઞાન હોતું નથી. પરિણામે સ્વચ્છતાનો અભાવ, અપૂરતું પોષણ, વધુ પડતો શ્રમ ગર્ભમાં રહેલા બાળકને અલ્પવિકસિત રાખે છે. કારણ કે ઉતરતી ગુણવત્તા ધરાવતા ભોજનને લીધે ગર્ભવતી મહિલાઓમાં વિટામિન, પ્રોટીન વગેરેની ખામી રહી જવા પામે છે.


બાળકના જન્મ પછી સરકારી યોજના મુજબ વિવિધ રસીકરણની સગવડ મળવા છતાં, ઉછેર બાબતે તેઓ એટલા સભાન હોતા નથી એટલે વ્યવસ્થિત અને નિયમિત રસીકરણનો લાભ લઇ શકતા નથી અને આમ બાળકના હાડકાનું બંધારણ નબળું રહે છે. તદુપરાંત, પાચનની સમસ્યા, નબળી આંખો, મંદ-બુદ્ધિ જેવી મુશ્કેલીઓ સાથે બાળકો ઉછરે છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ દરમ્યાન આ બાળકોના સ્વાસ્થ્યની જેટલી ચિંતા સરકાર કરે છે, એ પ્રમાણમાં વાલીઓ તકેદારી કે જવાબદારી લેતા જોવા મળતા નથી. આ રીતે શારીરિક-માનસિક વિકાસ રૂંધાયેલો રહેવાથી બાળક સ્વાભાવિક રીતે જ કુપોષિત રહે છે. વિચરતી જાતિ, પછાત જાતિમાં રહેઠાણ બદલતા રહેતા હોવાથી મોટે ભાગે બાળકો અશિક્ષિત રહે છે. આ વર્ગમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ છે પરિણામે, બાળકોની માંદગી દરમિયાન સારવાર કરવાને બદલે દોરા-ધાગા, ભુવા-ડાકલાનો આશરો લેવામાં આવે છે. કુટુંબમાં બાળકોની સંખ્યા બે થી વધુ હોય ત્યારે, બાળકો નાની વયે મજૂરી કરવા લાગે છે આથી, કુપોષિત, અલ્પવિકસિત બાળકો કુમળી વયે જ વ્યસની બને છે.


આ પરિસ્થિતિમાં પોષણ કરતાં શ્રમ વધી જાય છે અને છેવટે તેઓ નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે હૃદય, ફેફસા, આંતરડાના રોગો નો ભોગ બને છે. આધુનિકતાના પ્રસાર સાથે મોબાઈલ, ટીવીનો ઉપયોગ પણ વ્યસન ની હદે વધી રહ્યો છે. બેરોજગારી સાથે આ બધું જ સીધું જોડાયેલું છે આથી જરૂર છે માનસિકતા બદલવાની!


વ્યાપાર-ધંધા, ખેતી, ઉદ્યોગના વિકાસમાં આ વર્ગનો હિસ્સો ઓછો થાય તો શું પરિણામ આવે તેનો અનુભવ આપણને સૌને હમણાં કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉનમાં થઈ જ ગયો. આથી માત્ર યોજનાઓ જાહેર કરીને સંતોષ માનવાને બદલે દરેક કુટુંબને શુદ્ધ હવા, પાણી, સ્વચ્છ ઘર, પુરતો પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે સરકાર, કંપનીઓ, સ્વૈચ્છિક સંગઠનોએ વ્યવસ્થા કરવી જોઈએ.


ફરજિયાત શિક્ષણ, ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય, માતાઓની સંભાળ સાથે બાળ ઉછેરનું જ્ઞાન તેમજ શરીર વિજ્ઞાનની સમજણ જેવી બાબતોનું સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. નાના કુટુંબને પ્રોત્સાહન આપી, આર્થિક જવાબદારીના વહન બાબતે પતિ-પત્ની, વડીલો, કુટુંબનાં બધા જ સક્ષમ સભ્યોની ભૂમિકા નક્કી કરવી જોઈએ. આપણે દરેક વાતમાં પરદેશીઓનું અનુકરણ કરીએ છીએ ત્યારે, અન્ય શુભચિંતકો એ સૂચવેલા સુધારાનું પણ અનુકરણ કેમ નહીં? જવાબ અનન્ય અને સચોટ છે કે, તેમ કરવા માટે ઇચ્છા શક્તિ જરૂરી છે! આપણે જે વર્ગ વિષે વાત કરી રહ્યા છીએ તેઓ માત્ર મત છાપવાનું મશીન નથી પરંતુ, ગામ, શહેર કે પછી દેશ એમ સમગ્ર વિકાસના હિસ્સેદાર છે એવું માનીને દરેક કાર્ય આ વર્ગના લોકો સુધી પહોંચાડી શકાય તો અને તો જ ખરા અર્થમાં દેશનો વિકાસ થાય.


Friday, January 13, 2023

સુદામા :- એક પવિત્ર અને બ્રહ્મજ્ઞાની ચરિત્ર

સુદામા દરિદ્ર હોવાનું કારણ જાણો છો ?

બ્રાહ્મણ માગે અને મગવે, વાક્ય ની ખરી સમજ  જાણો છો ?


સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા  થાય તેવું તેમનું ચરિત્ર  લખાયેલું/કથાકારો  દ્વારા વાંચવા/સાંભળવા મલે છે... કે

સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?


આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું


જે દરેકે સમજવું જરૂરી છે...


જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે.  ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય


સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે...



એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી 


ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી.....


એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી


તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી


છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં  બે મુઠી ચણા મલ્યા


પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઇ ગઇ


ડોશી એ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે 


ઠાકોરજી ને ભોગ લગાવીને ખઇશ


આવો વિચાર કરી ચણા કપડાં બાંધી રાખી દિધા. અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઇ ગઇ.


ડોશીના સૂતા પછી એક ચોર ચોરી  કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો


ચોરે ચણાંની પોટલી જોઇ સમજ્યો કે આમાં સોના ના સિક્કા બાંધ્યા છે અત: તેને ઉપાડી લિધી.


ચોરનો પગરવ સાંભળી 


ડોશી જાગી ગઇ. અને  બૂમો પાડવા લાગી


બૂમો સાંભળી આજૂબાજૂનાલોકો એકઠાં થઇ ગયા


બધા ચોરને પકડવાં દોડ્યા


ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે  પકડાઇ જવાના ભયથી તે સંદીપન મુનિના  આશ્રમ માં છુપાઇ ગયો


આ સંદીપન મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા  શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા.


ચોરનો પગરવ 


સાંભળી ગુરુમાતાને  લાગ્યું કે કોઇ આશ્રમમાં  આવ્યું છે


ગુરુમાતા એ પોકાર કર્યો-  કોણ છે ?


ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો.


આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ  જાણ્યું કે ચણાની પોટલી ચોર  ઉઠાવી ભાગી ગયો છે


તો તેણે શ્રાપ આપ્યો


"મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે".


આ બાજૂ આશ્રમમાં ઝાડૂ લગાવતાં  સમયે  ગુરુમાતાને તે ચણાની પોટલી મળી


ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો  તેમાં ચણા હતા


તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઇ રહ્યા હતા


ગુરુમાતા એ તે ચણાની  પોટલી 


સુદામાને દેતાં કહ્યું


બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો


સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા


તેમણે જેવી ચણાની  પોટલી હાથમાં લિધી


બધું રહસ્ય જાણી ગયા


સુદામાએ વિચાર કર્યો


ગુરુમાતા એ કહ્યું છે કે,  આ ચણા બન્ને  બરાબર વહેંચી ને ખાજો


પણ આ ચણા તો શ્રાપિત છે


જો હું આ ચણા  ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા  આપીશ તો મારા પ્રભુની સાથે સાથે  ત્રણે લોક દરિદ્ર થઇ જશે


નહિ-નહિ હું આવું હરગિઝ નહિ થવા દઉં


મારા જીવિત રહેતાં *"પ્રભુ"* દરિદ્ર થાય !


એવું હું કદાપિ નહિ કરું!


હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં !


અને સુદામાએ કૃષ્ણથી 


છુપાવીને બધા ચણા ખાઇ લિધા


અભિશ્રાપિત ચણા ખાઇને સુદામાએ

દરિદ્રતા વ્હોરી લિધી

પણ પોતાના સખા

શ્રીકૃષ્ણ ને બચાવી લિધા


અદ્રિતીય ત્યાગનું ઉદાહરણ

પ્રસ્તુત કરવા વાહલા સુદામા એ

ચોરી-છુપી ચણા

ખાવાનો અપયશ પણ સહન કર્યો


તો બહું અન્યાયી ગેરસમજણ

દેતી કથાની ખરી હકિકત

સમજાવતાં


ગહન શંકાનું નિવારણ થયું.


હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય  રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વહાલો હતો ?


એ કાનો કાનુડો તો હતો જ પણ એ યુગપુરુષ પણ હતો


સુદામા ના ત્યાગનો,  ઉપકારનો , પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો


પરમ જ્ઞાની વિદ્વાન વિપ્ર મિત્ર ના 


પ્રેમ માટે  તરસતો રહ્યો,  તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો_


ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકા ના ધણી એ એને છાતી સરસો ચાંપવા માટે તો


પટરાણીઓ સામે એ મેલા ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ઘોયા  લૂછ્યા ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટસ્વરુપે


તાંદુલ ચાવીને દરિદ્તા ટાળવા સંકલ્પ બદ્ધ થયા એ સખા કેશવ એ મિત્ર માધવ


મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણ એ  બધા માપને , પરિમાણને પણ વામણા બનાવી દીધા

જય  શ્રીકૃષ્ણ ...

હિન્દૂ ધર્મ અને રામાયણ વિશે અજાણી વાતો

રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો 

  • રામજી લંકામાં 111 દિવસ રહ્યા.
  • સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.
  • માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.
  • માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.
  • માનસમાં દોહા સંખ્યા = 1074.
  • માનસમાં સોરઠા સંખ્યા = 207.
  • માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.


સુગ્રીવ પાસે તાકાત હતી = 10000 હાથી ની..

સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.

માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.

પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.

રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.

રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.

રામ સેતુ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.

રામ સેતુ બાંધનાર નલનીલના પિતા = વિશ્વકર્મા જી.

ત્રિજટા ના પિતા = વિભીષણ.

વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..

રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.

રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.


 શ્રી રામના પરદાદા અને પેઢી વિશે :-

 1 - બ્રહ્માજીથી મરીચ થયા,

 2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,

 3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,

 4 - વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.

       વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો,

 5 - વૈવસ્વત્ મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુલની સ્થાપના કરી.

 6 - ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો,

 7 - કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,

 8 - વિકુક્ષીના પુત્રો બાણ બન્યા,

 9 - બાણના પુત્રો અનરણ્ય બન્યા,

 10- તે અરણ્યથી પૃથ્વીરાજ થયા,

 11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,

 12- ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો,

 13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,

 14- યુવનાશ્વના પુત્ર માંધાતા બન્યા,

 15- સુસંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો,

 16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,

 17- ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો,

 18- ભરતનો પુત્ર અસિત બન્યો,

 19- અસિતનો પુત્ર સગર બન્યો,

 20- સગરાના પુત્રનું નામ અસમંજ હતું,

 21- અસમંજનો પુત્ર અંશુમન બન્યો,

 22- અંશુમનનો પુત્ર દિલીપ હતો,

 23- દિલીપનો પુત્ર ભગીરથ બન્યો, ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.

 24- કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો, રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે.

 25- રઘુના પુત્રો પ્રવૃદ્ધ થયા,

 26- પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો,

 27-  શંખણનો પુત્ર સુદર્શન હતો.

 28- સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,

 29- અગ્નિવર્ણાના પુત્રોનો શિઘ્રજ થયો,

 30- શિઘ્રજના પુત્ર મરુ

 31- મરુનો પુત્ર પ્રસુશ્રુકા હતો,

 32- પ્રસૂશ્રુકનો પુત્ર અંબરીશ હતો,

 33- અંબરીશના પુત્રનું નામ નહુષ હતું,

 34- નહુષનો પુત્ર યયાતી હતો,

 35- યયાતિના પુત્રો નાભાગ થયા,

 36- નાભાગના પુત્રનું નામ અજ હતું,

 37- અજના પુત્ર દશરથ બન્યા,

 38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.

આમ શ્રી રામનો જન્મ બ્રહ્માની ઓગણચાલીસમી (39) પેઢીમાં થયો હતો. 

આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... 

તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....


હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :

1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3. સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 હિન્દુધર્મના ઉત્સવો 

1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 

હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ

1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 

હિમાલયના ચાર ધામ 

1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


હિમાલયના પાંચ કેદાર :

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


ભારતની સાત પવિત્ર પુરી 

1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 દ્વાદશ જ્યોતિલિંગ

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


અષ્ટવિનાયક ગણપતિ :

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

શિવની અષ્ટમૂર્તિઓ :

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


પ્રસિધ્ધ 24 શિવલિંગ :

 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 

સપ્ત બદરી 

1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

7. વૃધ્ધ બદરી. 

પંચનાથ 

1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 

પંચકાશી :

1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 

સપ્તક્ષેત્ર

1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 

પંચ સરોવર :

1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 

નવ અરણ્ય (વન)  

1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


ચૌદ પ્રયાગ

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


પ્રધાન દેવીપીઠ 

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ 

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 

ચાર પુરુષાર્થ

1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

ચાર આશ્રમ 

1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 

હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ 

1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12.ગંગાસ્નાન 

13.યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15.સૂતક 

16.તિલક 

17.કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


આપણા કુલ 4 વેદો છે

1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય છે. જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.


1. ઉપનીષદો 

2. બ્રમ્હસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


આપણા કુલ 6 શાસ્ત્ર છે.

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 

આપણી 7 નદી 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 

આપણા 18 પુરાણ

1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

 5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 

પંચામૃત 

1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. સાકર 

પંચતત્વ 

1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 

ત્રણ ગુણ 

1. સત્વ 

2. રજ 

3. તમસ 

ત્રણ દોષ 

1. વાત 

2. પિત્ત 

3. કફ 

ત્રણ લોક 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 

સાત સાગર 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 

સાત દ્વીપ 

1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 

ત્રણ દેવ 

1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

ત્રણ જીવ 

1. જલચર 

2. નભચર 

3. થલચર 

ત્રણ વાયુ 

1. શીતલ

2. મંદ 

3. સુગંધ 

ચાર વર્ણ 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 

ચાર ફળ 

1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 

ચાર શત્રુ 

1. કામ 

2. ક્રોધ 

3. મોહ, 

4. લોભ 

અષ્ટધાતુ 

1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ b

7. પિત્તળ 

8. રાંગુ 

પંચદેવ 

1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


ચૌદ રત્ન

1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 

નવધા ભક્તિ 

1. શ્રવણ 

2. કીર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 

ચૌદભુવન 

1. તલ 

2. અતલ 

3. વિતલ 

4. સુતલ 

5. સસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલૌકા 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11. યમલોક 

12. વરૂણલોક 

13. સત્યલોક 

14. બ્રહ્મલોક

  

આપણે સૌને હિન્દૂ હોવાનો ગૌરવ હોવો જોઈએ..

Tuesday, January 10, 2023

દાન


આપણે સૂર્યની પૂજા કેમ કરીએ છીએ ? તેની પાસે ગરમી અને પ્રકાશ છે એટલા માટે કે તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે એટલા માટે ??? આ કડીમાં તમે આગળ નદી, વૃક્ષો,ગાય વગેરે ઉમેરી શકો છો. સૂર્યની પાસે જે કઈ છે તે ઉદાર હાથે વહેંચે છે એટલે તે પૂજનીય અને વંદનીય છે. દાન શબ્દ યોગ્ય છે એના કરતાં "વહેંચવું" શબ્દ વધારે યોગ્ય છે. જે પોતાની પાસે કઈક છે અને વહેંચે છે તે આદરણીય છે.


ખેતરમાં મૂળા અને ગાજર થાય છે. ખેડૂત તેમને પૂછે છે ,"તમારી પાસે કાઈ છે ?" જવાબમાં ગાજર-મૂળાનાં પાંદડાં હવામાં ડોલે છે અને કહે છે,"અમારી પાસે કશું જ નથી." ખેડૂત જાણ છે કે, તેણે ઘણું સંઘરી રાખ્યું છે. ખેડૂત એક જ ઝાટકે ગાજર-મૂળાને મૂળસોતાં ઉખેડી નાંખે છે. ભગવાન અને ખેડૂતમાં કોઈ ફેર નથી. વહેંચો અથવા સર્વનાશ માટે તૈયાર રહો. 


એક શેઠ ક્યારેય કોઈને કશું આપવામાં માનતા ન હતાં. "આપો" શબ્દ સાંભળતાં જ એમનો કંજૂશ આત્મા કકળી ઊઠતો. આ શેઠ એકવાર ક્યાક ઉઘરાણીએથી રાત્રે પાછાં ફરતાં હતાં. એક પાળી વગરનાં કૂવામાં પડ્યા. માંડમાંડ એક વેલ પકડીને કૂવામાં પડતાં બચી ગયા. સવારે એ ગામના લોકો એમને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બધા કહે , "શેઠ ! તમારો હાથ "આપો" અમે તમને ખેંચી લઈએ. પણ શેઠ હાથ ન આપે. ત્યાથી તેમના ગામનો એક માણસ નીકળ્યો તે આ શેઠને સારી રીતે ઓળખતો હતો. તેણે વાક્ય રચનામાં ફેરફાર કરી કહ્યું," શેઠ ! લો મારો હાથ ...." શેઠ બચી ગયા. આ છે સમાજના ગાજર-મૂળા. 


આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, ઘરે કોઈ પ્રસંગ હોય અને ગોયણીઓ જમાડવાની હોય તો તે જ ઘરની સ્ત્રીઓને ગોયણી ન બનાવવી. કેમ આવું ? કારણ- એ જ ઘરની ગોયણીઓ હોય તો જમ્યા પછી એ જ સ્ત્રીઓ ઘરકામ કરે એટલે તમે એને જમાડી અને બદલામાં ઘરકામ કરાવ્યું એમ ગણાય. તમને પૂણ્ય ન મળે. અરે ! એ તો છોડો ગૌગ્રાસની રોટલી અને કૂતરાની રોટલી પણ બહારની ગાય કે કૂતરાને ખવડાવવાનું પ્રાવધાન છે. મતલબ સરળ છે જેની પાસેથી તમને કોઈ લાભ મળે એમ હોય તેને કઈક આપો એ દાન ન કહેવાય !!! ક્યારેક આપણે કોઈ ગરીબ ભિખારીને જોઈને તેને એક વાટકો ચોખા કે એક કેળું આપીને આપણાં મનને શાંતિ આપીએ છીએ. સચકા સામના કરવા તૈયારી રાખો. મનની શાંતી કે સ્વર્ગની પ્રાપ્તિને દાન સાથે કોઈ સંબંધ જ નથી. કોઈને વાસી ખાવાનું આપવું એ તો હરગીઝ દાન નથી તે તો કલમ 302ની નજીકની પ્રવૃતિ છે. 


એક આરસપહાણના મંદિર બહાર એક ભાઈએ ભગવાનને રાજી કરવા અઢીસો રૂપિયાનો આખા-ખીલેલા ગુલાબનો હાર લીધો. તે સમયે એક આઠ-નવ વર્ષનો ગરીબ ચીંથરેહાલ બાળક તેમની પાસે આવ્યો. તેણે પેલા ભાઈને આજીજી કરી," સાહેબ, બે દિવસથી કાઈ ખાધું નથી. મારે પૈસા નથી જોઈતા. મને કઈક ખવડાવો." પેલા હારવાળા ભાઈએ એ બાળકને જોરથી ધક્કો માર્યો. બાળક જમીન પર પડી ગયો. 


તે જ વખતે એક બીજા ભાઈ ત્યાં આવ્યાં. તેમણે આ બાળકને ઉઠાવી લીધો. તેમણે એ બાળકને પાંચ રૂપિયાની ચા અને પાંચ રૂપિયાનું એક પેકેટ બિસ્કીટ ખવડાવ્યા. એ નિર્દોષ બાળકે ખાધા પછી ...પેલા બંને ભાઈઓ સામે જોયું. જે ભાઈએ એને જમાડયો તેમની સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી એક વર્લ્ડ ક્લાસ સ્માઈલ આપીને જતો રહ્યો. 


"તેરા સાઁઈ 250 મેં ન હંસા...

 મેરાં સાઁઈ 10 મેં હંસ દિયા..." 


જેમ હિન્દુ ધર્મમાં મીરાંબાઈ અને ગંગાસતી છે એમ ઈસ્લામ ધર્મમાં સંત રાબિયા છે. સંત રાબિયાના જીવનના ઘણાં બધાં પ્રસંગો એવા છે જે તમારા-મારા પથ પ્રદર્શક બને એમ છે. રાબિયા ગામથી થોડે દૂર ઝૂંપડી બનાવીને રહેતાં હતાં. એક દિવસ તેમના દ્વારે બે સંતો આવ્યાં. રાબિયા પાસે બે રોટલાં થાય એટલો લોટ હતો. તાત્કાલિક મહેમાનો માટે બે રોટલાં ઘડી નાંખ્યા. 


બંને સંતોને જમવા બેસાડયા, રોટલા પીરસી દીધા. હજુ સંતોએ રોટલાની કોર ભાંગી નથી ત્યાં ઝૂંપડીએ એક ગરીબ ભૂખ્યો વ્યક્તિ આવીને ઊભો રહ્યો. તેણે કાકલૂદી કરી," હું ઘણાં દિવસથી ભૂખ્યો છું. મારા પેટમાં કેટલો મોટો ખાડો પડી ગયો છે. તમે સૌ તો સશક્ત છો. મને રોટલો આપો." રાબીયાએ પેલા સંતોની થાળીમાંથી બે રોટલાં લઈ પેલા ગરીબને આપી દીધા. સંતોને થયું કે, હવે આપણે કેવી રીતે જમીશું ? રાબિયા કહે,"ચિંતા ન કરશો, મને ધર્મના ગણિત પર વિશ્વાસ છે."


પાંચ-દસ મિનિટ થઈ હશે ત્યાં તો એક નાનકડી દીકરી રોટલાં લઈને આવી. એક થપ્પી રોટલાં હતાં. સંતોની આંખોમાં ચમક આવી. રાબીયાએ રોટલાં ગણ્યા અને કહ્યું," દીકરી, આ રોટલાં પાછાં લઈ જા. જેણે મોકલ્યા છે તેને કહેજે કે રોટલા ધરમના ગણિત મુજબ નથી." સંતો નિરાશ થઈ ગયાં. તેમણે કહ્યું,"રાબિયા, આવેલાં રોટલાં પાછાં મોકલ્યા ?" રાબિયા કાઈ ન બોલી. થોડીવારમાં પેલી દીકરી ફરીથી રોટલાં લઈને હાજર થઈ. રાબીયાએ રોટલાં ગણ્યા. અને હસી. દીકરી કહે," મારી અમ્માએ બે રોટલાં રાખી મૂક્યા હતા. તે પણ આપી દીધા. મારી અમ્માએ વીસ રોટલાની મન્નત માની હતી. પણ પહેલી વખત અઢાર રોટલાં મોકલ્યા હતાં. હવે પૂરા વીસ છે." 


 સંતોની પ્રશ્નસૂચક દ્રષ્ટિ રાબિયા સમજી ગઈ. તેણે સમજાવ્યું," અલ્લા દરેક દાનના દસ ગણા કરીને તમને આપે છે. બસ, તમને તેની પર વિશ્વાસ હોવો જોઈએ. આપણે પેલા ભિખારીને બે રોટલાં આપ્યા તો ધર્મના ગણિત મુજબ આપણને વીસ રોટલાં મળવા જોઈએ. પણ અઢાર રોટલાં મળ્યા. જે પાછાં મોકલ્યા. ફરી વીસ રોટલાં આવ્યાં. જે બરાબર હતાં એટલે આપણે તે સ્વીકારી લીધા." ધર્મ ગમે તે હોય બાકી લખી લો, ધર્મનું ગણિત પાકકું છે. તે તમને દસ ગણાથી ઓછું નહી જ આપે. 


જીવન ભવ્ય નહી દિવ્ય હોવું જોઈએ. અમેરીકામાં એક દંપતિ રહેતું હતું. તે એક વિશાળ યુનિવર્સિટીની ઓફિસે પહોંચ્યાં. ત્યાનાં વહીવટકર્તાને જણાવ્યુ કે તેઓ પોતાનાં એકના એક પુત્રની યાદમાં યુનિવર્સિટીને દાન આપવા માંગે છે. દંપતિનો પહેરવેશ અને એકંદર છાપ જોઈ વહીવટકર્તાએ કહ્યું," આપ આ યુનિવર્સિટીને શું દાન આપી શકશો ? પ્લીઝ...આપ કોઈ નાનાં ચર્ચને દાન આપો. કદાચ આપ નહી જાણતા હોય કે આ યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ દસ મિલિયન ડોલર છે. આ યુનિવર્સિટી બનાવવા પાછળ કરોડો ડોલર ખર્ચાયા છે. માફ કરજો, પણ આપના નાના-નાના દાન માટે અમે અમારો સમય વેડફવા માંગતા નથી." પતિ-પત્નીએ એકબીજાની સામે જોયું અને ત્યાંથી નીકળી ગયાં.

 

આ અબજોપતિ કપલે ટાઈફોઈડમાં માત્ર પંદર વર્ષની ઉમરે અવસાન પામેલા એકના એક પુત્રની યાદમાં આખી એક નવી યુનિવર્સિટી નિર્માણ કરી. લાખો ડોલર પાણીની જેમ વાપર્યા. વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું. આજે 1891 માં નિર્માણ પામેલી આ યુનિવર્સિટી એક ઉત્તમ દાનના ઉદાહરણ તરીકે ઊભી છે. આ યુનિવર્સિટીનાં 83 સ્ટુડન્ટો નોબલ પ્રાઈઝ વિનર છે. દર વર્ષે જાહેર થતી વિશ્વની બેસ્ટ 10 યુનિવર્સિટીઓમાં અચૂક તેનું સ્થાન હોય છે. 


પોતાનાં વ્હાલસોયા દીકરા સ્ટેન્ડ્ફોર્ડની યાદમાં એ યુનિવર્સિટી "સ્ટેન્ડ્ફોર્ડ યુનિવર્સિટી" તરીકે આજે પણ અડીખમ ઊભી છે. અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે, અમારા દેશની આ ટોપ થ્રી યુનિવર્સિટીઓ બંધ કરી દો તો અમેરિકા કશું જ નથી." શિક્ષણક્ષેત્રે કરેલું દાન શું પરીણામ લાવી શકે છે એ માટે "સ્ટેન્ડ્ફોર્ડ યુનિવર્સિટી" પ્રોપર એકઝામ્પલ છે.

સાભાર :- જે.કે.સાંઈ (લેખન)

Saturday, January 7, 2023

સંઘર્ષ કથા :- સંધ્યાબેન મહિલા કુલી

પતિના અવસાન પછી, બાળકો ને આર્મી ઓફિસર બનાવવા સંધ્યા બેન કુલી બન્યા.





આજના સમયમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણવામાં આવે છે. આજકાલ સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પરિવારની સાથે સાથે દેશનું નામ રોશન કરી રહી છે. ઘણીવાર ઘણા લોકો એવું વિચારે છે કે સ્ત્રીઓ નબળી છે પરંતુ એવું બિલકુલ નથી. વાસ્તવિક અર્થમાં, સ્ત્રીઓ ખૂબ મજબૂત છે. જો કોઈ સ્ત્રી કંઈક કરવા માટે મક્કમ હોય, તો તે કામ કર્યા વિના તે પાછળ હટતી નથી.

આપણને દરરોજ આવા અનેક સમાચાર સાંભળવા મળે છે, જેમાં મહિલાઓ કંઈક કરે છે, જેની આખા દેશ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. આજે અમે તમને સંધ્યા મારવીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. ખરેખર, બુંદેલખંડની પુત્રી સંધ્યા મારવીએ કુલી બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર સંધ્યા 65 પુરુષ કુલીઓમાં એકમાત્ર મહિલા કુલી તરીકે કામ કરે છે. સંધ્યાને જોઈને બધા ચોંકી જાય છે. તમે બધાએ મોટેભાગે પુરૂષ કુલીઓને બધા રેલવે સ્ટેશનો પર લઈ જતા જોયા હશે. સાથે જ કેટલાક મોટા રેલવે સ્ટેશનો પર મહિલા કુલીઓ પણ જોવા મળે છે, પરંતુ સંધ્યાએ મજબૂરીમાં કુલીનું કામ કરવું પડે છે. સંધ્યા કુલી બનીને તેના બાળકો અને પરિવારનું ધ્યાન રાખી રહી છે.

અહેવાલો અનુસાર, સંધ્યા મારવીના પતિનું નામ ભોલારામ હતું, જે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના કુંડમ ગામની રહેવાસી હતી. વર્ષ 2015 સુધી, સંધ્યાના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. તે તેના પતિ અને બાળકો સાથે સુખી જીવન જીવી રહી હતી. તમને જણાવી દઈએ કે સંધ્યાનો પતિ વ્યવસાયે મજૂર હતો અને તે ઘરમાં એકમાત્ર કમાનાર હતો. ઘરની દાળ-રોટલી માત્ર સંધ્યાના પતિની કમાણીથી ચાલતી હતી, પરંતુ અચાનક વર્ષ 2016 માં તેના પતિનું નિધન થયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંધ્યાના પતિ ભોલારામ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે સંધ્યાના પતિનું નિધન થયું ત્યારે જાણે તેમના જીવન પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. અચાનક ઘરની સમગ્ર જવાબદારી સંધ્યાના ખભા પર આવી ગઈ. તેમની સામે સૌથી મોટો પડકાર ઘરનો ખર્ચ ચલાવવાનો હતો.

સંધ્યાને ત્રણ બાળકો છે. બાળકોના માથા પરથી પિતાનો પડછાયો પણ ઉઠી ગયો હતો. તેના પતિના મૃત્યુ પછી, સંધ્યા તેના હોશ ગુમાવી ચૂકી હતી, પરંતુ તેણે કોઈક રીતે પોતાની જાતને સંભાળી અને તેણે નક્કી કર્યું કે તે જાતે કામ કરશે અને તેના બાળકોને ખવડાવશે. સંધ્યાએ આ મુશ્કેલ સમયનો નિશ્ચિતપણે સામનો કર્યો અને તેણે નક્કી કર્યું કે તે કુલી બનશે.

સમાજની પરવા કર્યા વગર સંધ્યાએ પોતાનું પગલું આગળ વધાર્યું અને 2017 માં પોતાનું કામ શરૂ કર્યું. આજે સંધ્યા સમગ્ર પ્રદેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. તે દરરોજ ઘરથી 45 કિમીની મુસાફરી કરીને કામ માટે કટની રેલવે સ્ટેશન પહોંચે છે. જેથી પોતાના બાળકોને શિક્ષણ આપીને તેઓ પોતાનું ભવિષ્ય સુધારી શકે. સંધ્યાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ પરંતુ તેણે દરેક મુશ્કેલીનો તાકાતથી સામનો કર્યો.

ટાઈટેનીક અને પ્રેરણા

એક અંગ્રેજી સ્ટોરીનું ગુજરાતીમાં કરેલું અનુવાદ : સમજવા જેવું

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં.

1. સેમ્પસન

2. કેલિફોર્નીઅન

3. કાર્પેથીઆ



એક જહાજ નું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું.


આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં.


બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય.


આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે પ્રતિકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'


અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે...


જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.


આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મૂસાફરોને બચાવ્યા.

સારાંશ : 

જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનીયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

હું વિશ કરું છું કે આપણે બધા લાઈફમા 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં...

જેથી આ દુનીયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને...


સાભાર :- સોસિયલ મીડિયા અજ્ઞાત પોસ્ટ 

વર્ટીગો :- ચક્કર આવવાની બીમારી

એક રાત્રે અચાનક જ પરસેવો વળવા લાગ્યો અને નિંદરમાં ખલેલ પહોંચતા હું ઊંઘમાંથી જાગી ગયો. જેવી આંખો ખોલી કે રૂમમાં રહેલો પંખો અને ટી.વી. સહીત આખો રૂમ 360 ડિગ્રીએ ગોળ ગોળ ચકડોળની જેમ ફરવા લાગ્યો. મને જબરદસ્ત ચક્કર આવી રહ્યા હતા. જેના કારણે મને ઊલટી પણ થઈ. સારું થયું કે મે મારી ધર્મપત્નીને તરત ઉઠાડી અને ડોલ મંગાવી લીધી હતી નહિતર ઊલટી થવાના કારણે પથારી પણ બગડી ગઈ હોત. 



તરત મારા પપ્પાને ઉઠાડયા કે જેઓ મેડિકલ સારવારના જાણકાર છે. પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર નું લાયસન્સ ધરાવે છે. એમને મે મારી તકલીફ જણાવી તો એમણે મને કહ્યું કે તને ‘વર્ટીગો’ થઈ ગયું લાગે છે. મે તો પહેલી વખત આ નામ સાંભળ્યું હતું. મને કહે તું હમણાં બે દિવસ પહેલા પરિક્રમામાં સવારે પાંચ વાગ્યે ગયો હતો ત્યાં ઠંડો પવન તારા કાનમાં ગયો હોવો જોઈએ. જેને કારણે અંદરના કાનની નળીમાં ક્યાંક તને સોજો આવી ગયો હશે. આથી કાનની નળીઓમાં વહેતું લિક્વિડ કે જેના કારણે આપણે શરીરનું બેલેન્સ જાળવી શકીએ છીએ એ સરળતાથી નળીમાં વહી શકતું નહીં હોય અને આથી તને ચક્કર આવે છે. અત્યારે જે બાજુ તને ચક્કર આવે નહીં અને આરામ જેવુ જણાય એ તરફ માથું રાખીને સૂઈ જા. સવાર પડતાં જ દવા લઈ આવીશ એ ખાઈ લેજે. લગભગ ડૉક્ટરને બતાવવાની જરૂર નહીં પડે. બે દિવસમાં સારું થઈ જશે. 


▪️હું એમની સૂચના મુજબ જમણી તરફ માથું રાખીને પડખું ફરીને સૂઈ ગયો. મને ઓશીકું થોડું જાડાઈ વાળું લેવાની પણ સૂચના આપેલ. સવારે ઉઠ્યો ત્યાં દવા આવી ગઈ હતી. દવા ખાવાને કારણે બપોર સુધીમાં મને થોડું સારું લાગવા માંડ્યું. પરંતુ મારી જાતે ઊભો થઈ શકતો ન હતો અને માથાની સ્થિતિ ફેરવું એટલે માથું ફરે એવી કઈક મારી હાલત થઈ હતી. બ્રશ પણ માંડ માંડ કર્યું. પરંતુ એટલી ખબર પડી ગઈ હતી કે મારુ માથું જમણી તરફ 45 ડિગ્રીના ખૂણે રાખવાથી મને ચક્કર આવતા ન હતા. આથી દૈનિક ક્રિયાઓ તમામ આ રીતે એ દિવસે પૂર્ણ કરી અને આખો દિવસ આરામ કર્યો. 


▪️બીજા દિવસે પહેલા દિવસ કરતાં પણ સારું હતું. આ ‘વર્ટીગો’ શું છે એ જાણવાની વધુ ઈચ્છા થઈ આવતા મોબાઇલમાં યુ-ટ્યુબ શરૂ કરીને ફટાફટ થોડા વિડીયો જોઈ ગયો. વિડીયો જોયા બાદ થોડી ગભરાહટ પણ થઈ. કારણકે વિડિયોમાં મને જાણવા મળ્યું કે બ્રેઇનમાં જો કઈ તકલીફ હોય જેવી કે ગાંઠ બનતી હોય કે ક્લોટ જમવાની શરૂઆત હોય કે પછી સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસની શરૂઆત હોય તો પણ આ પ્રકારે ચક્કર આવી શકે. મને જાણવા મળ્યું કે આવી તકલીફ ઊભી થાય ત્યારે સૌથી પહેલા એમ. ડી. ડૉક્ટરને બતાવવું જોઈએ અને એમની સલાહ મુજબ ઇ.એન.ટી. અથવા ન્યૂરોફીઝીશિયનને બતાવવું જોઈએ. કેટલાક રિપોર્ટસ અને લક્ષણોના આધારે ડૉક્ટર નક્કી કરશે કે ખરેખર ચક્કર આવવાનું કારણ કાન છે કે બ્રેઇન. 


▪️મારા વિસ્તારના પ્રખ્યાત એમ્.ડી. ડૉક્ટર અને મારા મિત્ર પીનાંક મેર સાહેબને મે બતાવ્યું તો એમણે કેટલાક ટેસ્ટ કરીને મને જણાવ્યું કે નોર્મલ લક્ષણો છે એટલે ડૉક્ટર સાહેબના કહેવા અનુસાર મને મારા પપ્પાએ બે દિવસ પહેલા કરેલું નિદાન સાચું લાગ્યું. કેટલીક દવાઓ આપી અને કહ્યું કે કોર્સ પૂરો કરજો અને છત્તા સારું ન થાય તો ફરીથી આવજો. બે દીવસમાં જ ઘણો ફેર દેખાયો. મને થયું કે હું સાજો થઈ ગયો છું. ભૂલ એ કરી ગયો કે શનિ અને રવિમાં સિઝન બોલમાં ક્રિકેટની એક 20-20 ટુર્નામેંટ રમવા ગયો અને બે દિવસમાં 3 મેચ રમ્યો. મેદાનમાં પવન ખૂબ હતો. કાનમાં રુ ભરાવ્યું હતું પરંતુ છત્તા સોમવારે સવારે માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. શરીર આગળ જાય અને મગજ પછી આવે એવું અનુભવાઈ રહ્યું હતું. ઊભા ઊભા ગમે ત્યારે પડી જવાય એવું લાગતું હતું. હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકાય એવું લાગી રહ્યું હતું. આથી બપોરે થોડું સારું થતાં ફરીથી ડૉ. પીનાંક મેર સાહેબ પાસે મારા પપ્પા અને મારા મિત્ર બીપીનભાઈ મને લઈ ગયા. હાથ પકડીને મને લઈ જવો પડ્યો એટલી હદે બેલેન્સ બગડી ગયું હતું. 


▪️ડૉક્ટર સાહેબે તરત કહ્યું કે આપણે ડૉ.પ્રતિક પબાણી, ન્યૂરોફીઝીશિયનને અત્યારે જ બતાવી દઈએ. કારણકે આટલા દિવસ ચક્કર ચાલે એ કઈક અજુગતું લાગે છે. હકીકતે મે એમનાથી આ ક્રિકેટ મેચ રમવા ગયો હતો એ વાળી વાત છુપાવેલ. તેમણે તરત પબાણી સાહેબને ફોન કરીને મારી વિગતો આપી અને મને ત્યાં લઈ જવામાં આવ્યો. લગભગ અડધી કલાકે મારો વારો આવ્યો. સાહેબે સૌથી પહેલા શાંતિથી આખી હિસ્ટ્રી સાંભળી અને પછી કેટલીક કસરતો કરાવીને મને શું અનુભવાઈ છે એ બાબતે કેટલાક ટેસ્ટ કર્યા. મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કશું હાલ જણાતું નથી પરંતુ મનના સમાધાન મને એમ.આર.આઈ. કરાવી લઈએ. 


▪️અહીથી અમે એમ.આર.આઈ. કરાવવા મારા ખાસ મિત્ર ડૉ.જલ્પન રૂપાપરા સાહેબના ઇમેજિંગ સેન્ટર ખાતે પહોંચ્યા. ખૂબ ટ્રાફિક હતો. મારા જ મિત્રનું ક્લિનિક હતું એટલે મે કહ્યું કે મારા કરતાં અન્ય દર્દીઓ વધારે તકલીફમાં જણાય છે તો પહેલા એમનો વારો લઈ લ્યો. મને રાત્રે સેન્ટર બંધ કરવા ટાઈમે ફોન કરજો એટલે હું આવી જઈશ. રાત્રે સાડા નવ વાગે સૌથી છેલ્લે મારો એમ.આર.આઈ. કરવામાં આવે છે. નસીબજોગે રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે. ડૉ. પબાણી સાહેબ મને કહે છે કે તમને અંદરના કાનમાં જ તકલીફ છે. જેને ‘પોઝીશનલ વર્ટીગો’ કહે છે. શરીરની પોઝીશન ફરવાથી ચક્કર આવે છે. ત્રણ દવાઓ દિવસમાં બે વખત સવાર અને સાંજ લેવાની લખી આપે છે. ડોકી ફેરવવાની કેટલીક કસરત શીખવે છે અને રમવાની તથા વાહન ચલાવવાની સખત મનાઈ કરવાની સાથે પવન લાગવો જોઈએ નહીં એવું પણ ભારપૂર્વક જણાવી અઠવાડિયા પછી પણ જો તકલીફ જણાય તો બતાવવા આવવાનું કહે છે. 


▪️આ લેખમાં મારી આખી કથા જણાવી વાંચકમિત્રોને એટલું જણાવવા માંગુ છું કે નાનકડી પણ તકલીફ હોય તો પણ તરત સારા નામાંકિત ડૉક્ટરને તરત બતાવો, એમની સલાહ પ્રમાણે ચાલો. જરૂર જણાય તો સેકન્ડ ઓપીનિયન પણ લઈ શકાય. સ્વાભાવિક છે કે વિવિધ ટેસ્ટ કરાવવાનો ખર્ચ ખૂબ વધારે થાય છે. ઘણી વખત આપણને એવું લાગે પણ ખરું કે ડૉક્ટરને કમિશન મળતું હશે એટલે એ બિનજરૂરી ટેસ્ટ કરાવતા હશે. પરંતુ આપણું શરીર એક મશીન જ છે એ યાદ રાખજો મિત્રો. ડૉક્ટર પણ લક્ષણો ચેક કરીને અને ટેસ્ટના પરિણામો આધારે ઈલાજ કરતાં હોય છે. ગંભીર બીમારીના લક્ષણો જણાય તો ભલે પૈસા ખર્ચ થાય પણ જરૂરી બધા જ ટેસ્ટ કરવી જ લેવા જોઈએ. મનનું સમાધાન અને માનસિક શાંતિ મેળવવા જ મે એમ.આર.આઈ. કરાવેલ. કારણકે જો બ્રેઇનમાં તકલીફ હોય તો હું ક્રિકેટ રમી શકું નહીં. મને સામે ઉભેલ વ્યક્તિ બબ્બે દેખાય. શરીરનું સંતુલન રહે નહિ. શરીરમાં તાકાત જતી રહે અને અશક્તિ વર્તાય. અવાજ થોથવાય. હું વસ્તુઓ ઉપાડી શકું નહીં. વ્યવસ્થિત અવાજ સાંભળી શકું નહીં. પરંતુ આવું કશું મારી સાથે થતું ન હતું છત્તા મે ડોક્ટર્સની સલાહ લઈને બધા ટેસ્ટ કરાવી લીધા.  


▪️હાલ મને ખૂબ સારું છે. વર્ટીગોની તકલીફ બી.પી. માં મોટા પ્રમાણમાં વધ-ઘટ થવાથી, કાનમાં ઇન્ફેકશન થવાથી, બ્રેઇનની નસ દબાવાથી, એકદમ ઠંડો પવન કાનમાં સતત લાગવાથી વગેરે કારણોથી થઈ શકે છે. કોઈને પણ ‘વર્ટીગો’ પ્રકારની તકલીફ જણાય તો સૌથી પહેલા તો એકલા ક્યાંય જવું નહીં. તમને કઈ પોઝીશનમાં ચક્કર નથી આવતા એ નક્કી કરીને એ જ પોઝીશનમાં રહેવું. ડોકી ફેરવવાની અને શરીરની મુવમેન્ટની કેટલીક કસરતો જે તમને યુ-ટ્યુબ પર જોવા મળશે એ હળવેકથી કરવી. ‘વર્ટીગો’ ના પ્રકારો, લક્ષણો અને ઈલાજ વગેરે બાબતે વધુ જાણકારી મેળવવા કોઈ જાણકાર ડૉક્ટરનો સંપર્ક કરી શકાય. પરંતુ જો કોઈને ‘વર્ટીગો’ જેવુ જણાય તો ગભરાવું નહીં અને તરત એમ.ડી. ડોક્ટરની સલાહ લઈને દવા લેવી તથા આગળ વધવું જોઈએ. 

સાભાર :- 

ન્યૂઝપેપર      : અમરેલી એક્સ્પ્રેસ

કોલમ         : ‘જાગતે રહો’

કોલમિસ્ટ.    : ડો.ચિંતન વૈષ્ણવ

લેખ તારીખ  : 08-01-2023.

શબ્દો          : 1108. 


#vertigo #vertigotreatment 

#ચકકર #માંથુંફરવું #Dizziness

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...