Sunday, January 22, 2023

સ્વપ્નમાં જોયું ભવ્ય ભારત

પ્રજાસત્તાક દિન ની પૂર્વ રાત્રીએ આજના વિષય અંગે વિચારતા વિચારતાં ઊંઘ આવી ગઈ અને ભવ્ય ભારતનું સ્વપ્ન આવ્યું ...મેં મારા ભારત દેશ માટે જે સપનું જોયું છે જે કૈક આવું છે.



ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.


.


મારું એક સપનું છે કે ભારત દેશમાં સાક્ષરતા દર ૯૦ ટકા ઉપર હોવો જોઈએ.


દેશના તમામ લોકો ભણેલા ગણેલા હોવા જોઈએ જેથી દેશ વિકાસમાં રાષ્ટ્ર વિકાસમાં હરણફાળ મેળવી શકાય. મારો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ સુરક્ષા ક્ષેત્રે દુનિયામાં અવ્વલ હોવો જોઈએ.મારું એક સપનું છે કે મારા ભારત દેશમાં જ્ઞાતિવાદ તેમજ ઊચ નીચનો ભેદભાવ જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને લોકો એક સાથે શાંતિથી રહે.


મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહિ હોય. લોકો સુખસંપન્ન અને શાંતિ હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે  અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ શકે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે અને  સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે અને દેશ ને આગળ વધારશે.


ભારત દેશને આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય દેશ ગણવામાં આવે છે. આખા વિશ્વમાં માત્ર ભારત દેશ જ એવો છે જ્યાં  બધીજ જાતિ ના લોકો રહે છે. ભારત દેશ બહુમતી વાળો દેશ ગણવામાં આવે છે.  સદીઓની ગુલામી પછી, ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમના વધતા જતા અત્યાચારોથી તમામ ભારતીયો સ્તબ્ધ થઈ ગયા અને પછી વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી અને દેશના અનેક વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, ગોળીઓ ખાધી અને આખરે આઝાદી મળ્યા પછી જ શાંતિ લીધી. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા થવા ના જોઈએ બધા હળીમળી ને રે. ત્યારબાદ, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદભાવ રે નહિ.  નવી પેઢી માત્ર એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.


ભારત દેશના લોકોના સારા વિકાસ અને  પ્રગતિ માટે સરકારે પગલાં લેવા જોઈએ. સરકારે સુશાસન અને વધુ નોકરીઓ માટે ભારતને ડિજિટલ વિસ્તરણ આપવું તેનો ધ્યેય. ડિજિટલ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય તમામ સરકારી સુવિધાઓ ઈલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થવાનું શરૂ કર્યું છે. 


સરકારી સેવા અને લોકો વચ્ચેનો તફાવત નાબૂદ કરવા માટે ડિજિટાઇઝેશન અભિયાન અને ભારતના PM એ પોતાનું સર્વશ્રેષ્ઠ કામ કરવું જોઈએ. અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વૃદ્ધિ અને સારી ભવિષ્ય માટે ભારતમાં પુષ્કળ ડિજિટાઇઝેશન વધુ જરૂરી છે. માત્ર ભારતીય લોકો એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.


ભારત ને મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવું જોઈએ. એ એક નવી પહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી માટે ઘણા દેશોમાં આઇ ટી કંપનીઓના સીઈઓને મળ્યા અને તેમને પૂછ્યું ભારતમાં રોકાણ કરવા પ્રેરિત. આ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ યોજનાને સમર્થન આપવું જોઈએ અને તે જ સમયે ભારતમાં તે કંપનીઓ ભારત ઘણી જગ્યાએ પોતાની ફેક્ટરીઓ ખોલીને અને તેમાં ઘણા ભારતીય લોકોએ રોકાણ કર્યું છે. તેનાથી રોજગારી પણ મળી રહી છે.



મારા સપનાનું ભારત કુરિવાજોને સંપૂર્ણ મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ માં નાખવામાં નહીં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પરવાનગી નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય એક બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં સ્ત્રી સશક્તિકરણ એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે. મારા સપનાં નું ભારત આવું હશે. 




ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.


તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.


આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત અને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે : હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.


21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.


21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇરછશે.


21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય, લોકો સુખસંપન્ન હશે, દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગા ચૂંટાશે.


આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.


ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે