Sunday, May 21, 2023

મનમાં થતા પ્રશ્નો... દીકરીની મન કી બાત

નિશાળે જતાં પહેલાં બે ચોટલા ગુંથી રહેલ માને પાંચમું ભણતી વસુધાએ પુછ્યું..

"મા, વાલ્મીકી ઋષીના આશ્રમમાં સીતાજીએ લવ કુશ બે પુત્રોને બદલે પુત્રીઓને જનમ આપ્યો હોત તો ઉત્તર રામાયણનું સ્વરૂપ કેવું હોત ?"

પીઠમાં હળવો ધબ્બો મારતાં માએ કહ્યું..

મુઇ તને થતા અમુક પ્રશ્નોના ઉત્તર મારે શું આપવા ?



ગામડામાં પશુપાલન કરીને પિતાજીને સાથ આપતી માતાને વસુધા પુછતી..

"મા આ ભેંસનું પેટ કેમ આટલું મોટું છે ?"

કેમ કે એ બે જીવ વાળી છે એના પેટમાં નાનકડી પાડી છે.


"પાડી જ છે એવું તું કેમ કહે છે ? આ પહેલાં તો બે વાર પાડા જનમેલા.."

મુઇ ચુપ થા, દાદી સાંભળી જશે તો.."

કેમ કે વસુ નહોતી જાણતી પણ મા જાણતી હતી કે.. 

બે વાર ઉપરા ઉપર પાડા જનમ્યા પછી એ ભેંસનો વેલો આગળ વધારવા પાડી જનમે એ માટે દાદીએ ભુવા પાસે દાણા ય જોવડાવેલ અને માતાજીને ઘીના પાંચ દિવડાની માનતા પણ કરેલ..


નાનકડી વસુ વિચારતી રહેતી કે દાદી આવું કેમ કરતાં હશે ?

ભેંસ પાસે પાડીની અને મા પાસે દિકરાની આશા કેમ રાખતાં હશે ?


હું જનમી પછી નાની બેન જનમી એનો હરખ દાદીને જરા ય નહી. કૂળનો વંશ વેલો વધારવા પૌત્ર જનમે એ માટે દાદીએ દાણા ય જોવડાવેલ અને કૂળદેવીને ચાંદીનું છત્ર ચડાવવાની માનતા ય કરેલ. બે બહેનો ઉપર ભૈલો આવ્યો એનો હરખ પોતાને ય ઘણો હતો, પિતાની પ્રસન્નતા ય ઓળખાય જતી.

માને હૈયે હરખ ઉપરાંત જાણે કે આ પરીવાર અને વિશેષ તો દાદીની માગણીનું ઋણ ઉતાર્યાની કસૌટી પાર કર્યાની નિરાંત હતી..

ભૈલો જનમ્યો એટલે થોડા જ સમયમાં દાદીએ માનતાના ચાર લોટે રાંદલ તેડેલા અને ગીતો ગવાયેલાં..

લીંપ્યુને ગુંપ્યું માડી મારૂં આંગણું..

પગલીનો પાડનાર દયો ને રાંદલ માં..

વાંઝીયાં મેણા રે માડી દોહ્યલાં..

ધોયોને ધફોયો માડી મારો સાડલો..

ખોળાનો ખુંદનાર દયો ને રાંદલ માં..

વાંઝીયાં મેણા રે માડી દોહ્યલાં..


વસુ વિચારતી કે બે બે દિકરીઓ એ આંગણાંમાં પગલીઓ પાડી, ખોળાઓ ખુંદયા તો ય મા વાંઝણી કેમ કહેવાય ? એ ય વળી સ્ત્રી ઉઠીને દાદી પોતે એવું માને ? અને દાદી અને મા ખોળો કોની સામે પાથરે છે ? રાંદલ મા સામે જ .. દિકરા માટે રાંદલમાના પતિ સુરજ દાદા સામે કેમ નહી ?


દાદી પહેલેથી જ આવું વિચારતાં હશે કે સમય જતાં વિચારવા લાગ્યાં હશે ?

સમય જતાં મા પણ આવું વિચારવા લાગશે ?


વસુધાના વિચારોને બ્રેક લાગી.

પાંચ વાગે નિશાળેથી છુટીને આવીને જોયું તો ભેંસને કુખે પાડી જનમેલી.


આ ઘરમાં પ્રથમ વાર કોઇ માદાના જનમ ને કારણે આટલી ખુશી જોઇ.


વસુને સાંભરી આવ્યું,

જયારે ભેંસને પ્રથમ વેતર પાડો જનમેલો ત્યારે દાદી પાડાને ખાસ ધવડાવવા ન દેતાં.

છાસ પીવડાવતાં, દાદી કહેતાં ભેંસને હેવાય ન કરાય આમે ય પાડા જાજું જીવે નહી અને હેવાય થયેલી ભેંસ પછી પાડા વિના દોહવા ન દયે.. થોડા દિવસમાં પાડો મરી ગયેલ. ભેંસ રીંક્યા કરતી. નીરણ પણ ખાસ ન ખાતી.. 


થોડાક સમય માં ફરી ગાભણી થૈ..

પાછો ય પાડો જ અવતર્યો..

દાદી તો ધુંઆફુંવા..

આ પાડો જીવી ગયેલ..


ત્રણેક મહિનાનો થયો ત્યાં એક માણસ આવેલ જેને જોઇને ભેંસ ડોળા કાઢીને છીંકોટા નાખતી હતી. એ માણસ પાડાને લઇ ગયેલ અને બદલામાં ૭૦૦ રૂપિયા આપેલ. જે જાણે કે ચીપીયા થી વિંછી પકડતા હોય એમ દાદીએ એક ચીથરૂં આડું રાખીને હાથનો સ્પર્શ ન થાય એમ લીધેલ.. સાંજે વસુને કહેલ કે 

જો ગોખલામાં પડ્યા એ રૂપિયા તારા છે લઇ લેજે..


વાળુના ભાણા પર બેસેલ પિતાજીએ પ્રથમ વાર જરાક ઉંચા અવાજે કહેલું..

"નહી... મા નહી ! ઇ ખાટકીના રૂપિયા મારી વસુને નથી આપવા માડી.."

પિતા દ્વારા પ્રથમ વાર ઉંચા અવાજે બોલાયેલ વેણનું કારણ વસુને નહોતું સમજાયું પણ... એ ઉંચા અવાજે બોલાયેલ વેણ થી માની મુંગી આંખોમાં સંતોષ અને પ્રસન્નતા જોવા મળેલી.


વસુએ જોયું..

અગાવના બે વેતરની સરખામણીએ આ વખતે ભેંસની ચારા નિરણની દેખરેખ સારી થતી હતી. 

પાડીને ય ધાવવા મળતું હતું..

દાદી કહેતાં.. આ ભેંસનો વેલો દુધાળવો છે..


આ ઘરમાં પ્રથમ વાર કોઇ માદાના જનમ ને કારણે દાદીના ચહેરા પર આટલી ખુશી જોઇ.

વસુધાને એક નવી સાથીદાર મળ્યાનો આનંદ થયો.


એ રોજ નિશાળે થી આવીને પાડીને હાથ ફેરવતી, થોડી નિરણ નાખતી.

ત્રીજા વેતરમાં ભેંસ દૂધનું બોઘરણું ભરી દેતી..

રોજ રાતે વાળુ માં દાદી વસુ ને અને નાની બેનને પાવળું પાવળું દુધ આપતાં અને ભૈલાને અડધું ભાણું ભરી આપતાં.

ભૈલો ન પીવે તો ય ધરાર પીવડાવતાં.


એક દિવસ નિશાળે થી આવીને વસુએ જોયું. ગામના ડોકટર ઘરે હતા. કહેતા હતા દિકરો ભલે લાડકો હોય એને પચે એટલું જ દૂધ આપો વધુ પડતું ન આપો દિકરીઓને પણ આપો..

દાદીનો ઉતર "ઇ તો ઉભે ગળે ખાયહ પીયહ.."


વસુને એક દિવસ ભણવામાં આવ્યું કે નર અને માદા બંનેમાં ૨૩ જોડ રંગસુત્ર હોય ૨૨ જોડ એક સરખાં જ. ૨૩ મી જોડમાં માદાના બંને રંગ સુત્ર એક સમાન એટલે કે XX હોય અને નરના બંને ભિન્ન ભિન્ન એટલે કે XY હોય.. તો નવા જીવને માતા તરફથી દરેક સ્થિતિમાં X રંગસુત્ર જ મળે અને પિતા તરફથી X અથવા Y

એ હિસાબે તો જીવની નર કે માદા સ્થિતિ માટે X નહી પણ Y રંગસુત્ર જવાબદાર છે એટલે કે માતા નહી પણ પિતા જ જવાબદાર ગણાય. વસુને જાણ હતી કે દાદી સ્ત્રી હોવા છતાં ય આ વાત નહીં સમજે કે સ્વીકારે..


સમય વીતતો ગયો.

નાનકડી પાડી હવે ખડેલી બનતી જતી હતી. દાદી કહેતાં ત્રીજું વરહ હાલે તો ય હજુ ગરમીમાં કાં ન આવે ?

વસુધા ય આઠમું પાસ થઈને નવમા ધોરણમાં આવી. એક દિવસ શાળાએથી વહેલી આવી. ચૌદ વર્ષની વસુધા પિરિયડમાં થયેલ. 

દાદી બોલેલાં હે રામ ! આજકાલ આટલી ઉંમરમાં જ દીકરીઓ અભડાવા લાગી.

દાદીને ૩ વર્ષની પાડી મટીને ખડેલી બનેલ ના રજોદર્શનની ઉતાવળ હતી પણ ચૌદ વર્ષની વસુનું રજોદર્શન વહેલું લાગતું હતું.

દાદી કબૂતરોની અઘાર (ચરક) ભેગી કરીને ખાણ સાથે ખડેલીને ખવડાવતાં જેથી વહેલી ગરમીમાં આવે.


નિશાળમાં એક નવાં શિક્ષિકા દ્રષ્ટી બહેન આવેલ જે જીવ વિજ્ઞાન ભણાવતાં. 

એટલું સરસ સમજાવતાં કે વસુ તલ્લીન થઇ જતી.

દ્રષ્ટી બહેન કહેતાં..

અનાજના કણને કોઠી માં રાખો કે સોના ચાંદીની તિજોરીમાં તો ય એમાં વધારો ન થાય પણ જો એ કણને જમીનમાં વાવવામાં આવે તો એકના અનેક કણ મળે . એકમાં થી અનેક ઉપજાવવાની ક્ષમતા કણમાં છે પણ જમીન એટલે કે ખેતર વિના એકનાં અનેક ન મળે. 

ખેતર એટલે કે ક્ષેત્ર જ બીજને પેટમાં સંઘરી ને ઋતુઓ સામે બીજને અડીખમ રાખીને નવાં નવાં બીજ આપે છે એટલે જ તો ધરતીને માતા કહી છે.


ચોમાસું નજીક હતું વસુએ જોયું મગફળી ફોલીને બિયારણ કઢાતું હતું. જે વરસાદ થયે જમીનમાં વવાશે અને દિવાળીએ એક બીજનાં અનેક બીજ ખેડૂતને મળશે.

આજ વસુને વાચા ફુટી..

દાદી જો ખેતર જ ન હોય તો ખેડૂત બિયારણ ક્યાં વાવે ? 

કેમ એવું પુછે ?

જો જણનારી દિકરીઓ જ નહી હોય તો દિકરાઓ જણીને આપશે કોણ ?

વાલા મુઇ... જો તો પૈંડે મુઠી જેવડી છે ને હાથ એકનો જીભડો..

આ સોડીયુંને જાજું ભણાવાય જ નૈ...


એક દિવસ પશુ ડોક્ટર આવેલ.

કોણી સુધી મોજું પહેરીને ખડેલીની ગુદામાં હાથ નાખી છાણ કાઢ્યું અને એક ઇન્જેક્શન વડે ખડેલીને બીજદાન કર્યું.


પશુ ડોક્ટર કહી રહેલ, અસ્સલ જાતવાન જાફરાબાદી વંશનું બીજ દાન કરેલ છે. પારૂ બહુ મોટું આવશે જોજો.

માતા એ દબાતા સુરે કહેલું સાય્બ પણ અમારી ખડેલી એટલી જોરાવર કે કાઠાડી નથી વળી પહેલા જ વેતરમાં છે, વિયાણમાં કોઇ જોખમ તો નહીં થાય ને ?

ના ના હું છું ને !

એવી હૈયા ધારણ પશુ ડોક્ટર આપીને ગયા.

સમય વિતતો ગયો.

વસુધાને એક આદત નિશાળેથી આવતાં ની સાથે જ ખડેલી બાંધેલ હોય ત્યાં જાય.

જતાં ની સાથે જ મા ને બુમ પાડી.

ખડેલીને પ્રસવ ઉપડેલ નાનકડા પારૂના બે પગ ગોઠણ સુધી બહાર લબડતા હતા. એ પગનું કદ જોતાં અંદરનું પારૂ કેવું વિશાળ હશે એનું અનુમાન થઇ શકતું હતું. ખડેલી બળ કરી કરી ને થાકી ગઇ હોય એમ હાંફતી હતી. પારૂ બહાર નહોતું આવતું.


પશુ ડોક્ટર ને ફોન કર્યો તો તે કવરેજ બહાર હતા. પડોશમાં થી લાખા આતા આવ્યા, એક શણનો કોથળો લીધો, પારૂના બે ય પગ પકડીને ખેંચવા લાગ્યા. થાકેલી હારેલી ખડેલી જીભ બહાર કાઢવા લાગી.

લાખા આતા ય પરસેવે રેબઝેબ.

મહા મહેનતે પારૂ બહાર આવ્યું.

જે વિશાળકાય હતું..


થાકેલી હારેલી ખડેલી ઘડીભર બધું ભુલીને જીભ થી પારૂને ચાટવા લાગી.


પછી...

દાદી ક્યે લાખા જો તો ખરો પાડી જણી કે પાડો ?


વસુ બોલી..

દાદી પાડી જણી હોય કે પાડો પણ એને પોતાના પ્રાણ નીચોવીને દૂધ પીવડાવનારીના પૈંડમાં હવે પ્રાણ નથી રહ્યાં.. 

છેલ્લો ઉચ્છવાસ છોડીને ગઇ..


સાભાર :-

આંનદ સાગર (fb પોસ્ટ)

Fb Link

Tuesday, May 9, 2023

52 Shakti Peeth

દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે.                   

1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)

2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)

3. સુનંદા – બાંગ્લાદેશ

4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)

5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)

6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)

7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)

8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)

9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)

10. વિમલા – ઉત્કલ (ઓડિશા)

11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)

12. દેવી બાહુલા – પં. બંગાળ

13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ


14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા

15. ભવાની – બાંગ્લાદેશ

16. ભ્રામરી – પં. બંગાળ

17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)

18. જુગાડયા – પં. બંગાળ

19. કાલીપીઠ – કોલકાતા

20. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)

21. જયંતી – બાંગ્લાદેશ

22. વિમલા મુકુટ – પં. બંગાળ

23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)

24. શ્રવણી – તામિલનાડુ


25. સાવિત્રી – હરિયાણા

26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)

27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ

28. કાંચી – પં. બંગાળ

29. કાલી – મધ્ય પ્રદેશ

30. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)

31. શિવાની – ઉત્તરપ્રદેશ

32. ઉમા- ઉત્તરપ્રદેશ

33. નારાયણી- તામિલનાડુ

34. વારાહી – ગુજરાત

35. અર્પણ – બાંગ્લાદેશ

36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ

37. કપાલીની – પં. બંગાળ

38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)

39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

40. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)

41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ

42. રત્નાવલી – પં. બંગાળ

43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)

44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર

45. નલહાટી – પં. બંગાળ

46. જયદુર્ગા – અજ્ઞાત

47. મહિષર્મિદની – પં. બંગાળ

48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ

49. ફુલ્લરા – પં. બંગાળ

50. નંદિની – પં. બંગાળ

51. ઇન્દ્રક્ષી – શ્રીલંકા

52. અંબાજી મંદિર - ભરૂચ, ગુજરાત



Sunday, May 7, 2023

હબાય ડુંગરમાં આવેલું છે રામદેવપીર મહારાજનું અનોખું મંદિર

કચ્છમાં હબો ડુંગર એટલે હબાય ટેકરી ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે.

આ સ્થાન સંત શ્રી મેકરણ દાદાના હયાત હતા ત્યારથી છે અને સંત શ્રી મેકરણ દાદા પણ દર બીજના દર્શન કરવા અહિં આવતા હતા.આ સ્થાનની સ્થાપના ઢોરી ગામના પરબત પબો રખીયા એ કરેલી છે. સુમરાસર, જુરા, અંધૌવ, હોડકો,પાલનપર અને ઢોરી આ બધા ગામના રખીઆઓનું સંધ કચ્છ થી રામદેવરા રણુજા રાજસ્થાન પગપાળા જાત્રા એ જવા માટે નીકળયા હતા.

તેમા ઢોરી ગામના પબા રખીયા પણ જાવાની તૈયારી કરી પણ પબા રખીયા ને આંખે તકલીફ અને પગે કપાસીયા તથા શરીરે તાવ હોય છતા હઠ પક્ડી મારે રણુજા ધામ જાવુ છે. આખો સંઘ પબા રખીયાન વિનંતી કરે છે કે બાપા તમે રેકાઈ જાવ ન ચાલો તમારી તબીયત બરોબર નથી.આમ કહીને આખુ સંઘ જય બાબેરી કહી જાજા જોહાર કરીને પગપાળા યાત્રાએ હાલતા થયા .પણ બન્યુ એવુ કે મધરાત્રે પબા રખીયા ઊંઘ માથી જાગી જતા ઢોરી ગામથી એકલા પગપાળા ચાલતા થયા.અંધારામાં કશુજ દેખાય નહી બસ એક જ રામાપીર રામાપીરનું રટણ કરતા કરતા રણની વાટના બદલે ડુંગરોની વાટમાં જાઈ પોહચયા.


તે દિવસે વળી ચૈત્રી બીજની દિવેલ ની રાત્રી હતી અને ઉગતી થાવર બીજના દિવસે પબા રખીયો હબાય ટેકરી ઉપરથી પડી જાય છે. તયારે જ રણુજા રાજા રામદેવ પીર પબા રખીયાને ડુંગર પરથી પડતો જીલી લીધો અને દર્શન આપ્યા.પબા રખીયાની અંગ પીડા દુર થઈ ગઈ અને અલખ ધણી શ્રી રામદેવ પીર પબા રખીયાને વરદાન આપ્યુ પબા ભગત તમારી યાત્રા સંપુર્ણ થઈ છે હવે આ જગ્યા તમે પુજા કરજો તમારા હાથે દુખીયાનું દુઃખ દુર થશે અને વાંજીઆ ઘરે પુત્ર થાશે.મનની માનેલી બધી મુરાદ પુરી થશે.આમ વરદાન આપીને રામદેવ પીર અંતરધ્યાન થયા અને તે જગ્યાએ રામદેવ પીરના પગલા, કંકુ -ચોખા, સોપારી, શ્રીફળ સાથે ધજા પણ ફરકવા લાગી.


ત્યારથી હબાય ટેકરી ધર્મ સ્થળ બન્યુ અને કચ્છથી ગયેલા અન્ય રખીયાઓના સંઘ ને પબા રખીયો રણુજા રામદેવરામાં મળયો.રામદેવપીરે ભક્તિની શક્તિ નું પ્રમાણ આપ્યુ.રામદેવપીર મંદિરથી ઊતર દિશામાં મેકરણ દાદાનો અખાડો દક્ષીણમાં વાઘેશ્વરીમાતાજીનું સુંદર મંદિર તથા ઉગમણે શ્રવણ કાવડીયો ધરમપુર ગામ અને આથમણે હલામણ જેઠવાની ખાંભીઓની વચમા રામદેવ ધામ છે.હબાય ધામ ભુજ તાલુકાનું ગામ છે. ટેકરીનું નૈસર્ગીક સ્થામ મનને ચીર શાંતી આપે છે. હબાય ગામથી રામદેવ ધામની ટેકરી ૪ કિલો મીટરના અંતરે છે.


કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે.આ સ્થાન સંત શ્રી મેકરણ દાદાના હયાત હતા ત્યારથી છે અને સંત શ્રી મેકરણ દાદા પણ દર બીજના દર્શન કરવા અહિં આવતા હતા.આ સ્થાનની સ્થાપના ઢોરી ગામના પરબત ( પબો ) રખીયા એ કરેલી છે.


સુમરાસર, જુરા, અંધૌવ, હોડકો,પાલનપર અને ઢોરી આ બધા ગામના રખીઆઓનું સંધ કચ્છ થી રામદેવરા રણુજા રાજસ્થાન પગપાળા જાત્રા એ જવા માટે નીકળયા હતા.તેમા ઢોરી ગામના પબા રખીયા પણ જાવાની તૈયારી કરી પણ પબા રખીયા ને આંખે તકલીફ અને પગે કપાસીયા તથા શરીરે તાવ હોય છતા હઠ પક્ડી મારે રણુજા ધામ જાવુ છે. આખો સંઘ પબા રખીયાન વિનંતી કરે છે કે બાપા તમે રેકાઈ જાવ ન ચાલો તમારી તબીયત બરોબર નથી.આમ કહીને આખુ સંઘ જય બાબેરી કહી જાજા જોહાર કરીને પગપાળા યાત્રાએ હાલતા થયા .પણ બન્યુ એવુ કે મધરાત્રે પબા રખીયા ઊંઘ માથી જાગી જતા ઢોરી ગામથી એકલા પગપાળા ચાલતા થયા.




અંધારામાં કશુજ દેખાય નહી બસ એક જ રામાપીર રામાપીરનું રટણ કરતા કરતા રણની વાટના બદલે ડુંગરોની વાટમાં જાઈ પોહચયા.તે દિવસે વળી ચૈત્રી બીજની દિવેલ ની રાત્રી હતી અને ઉગતીથાવર બીજના દિવસે પબા રખીયો હબાય ટેકરી ઉપરથી પડી જાય છે.તયારે જ રણુજા રાજા રામદેવ પીર પબા રખીયાને ડુંગર પરથી પડતો જીલી લીધો અને દર્શન આપ્યા.


પબા રખીયાની અંગ પીડા દુર થઈ ગઈ અને અલખ ધણી શ્રી રામદેવ પીર પબા રખીયાને વરદાન આપ્યુ પબા ભગત તમારી યાત્રા સંપુર્ણ થઈ છે હવે આ જગ્યા તમે પુજા કરજો તમારા હાથે દુખીયાનું દુઃખ દુર થશે અને વાંજીઆ ઘરે પુત્ર થાશે.મનની માનેલી બધી મુરાદ પુરી થશે.આમ વરદાન આપીને રામદેવ પીર અંતરધ્યાન થયા અને તે જગ્યાએ રામદેવ પીરના પગલા, કંકુ -ચોખા, સોપારી, શ્રીફળ સાથે ધજા પણ ફરકવા લાગી.


ત્યારથી હબાય ટેકરી ધર્મ સ્થળ બન્યુ અને કચ્છથી ગયેલા અન્ય રખીયાઓના સંઘ ને પબા રખીયો રણુજા રામદેવરામાં મળયો.રામદેવપીરે ભક્તિની શક્તિ નું પ્રમાણ આપ્યુ.રામદેવપીર મંદિરથી ઊતર દિશામાં મેકરણ દાદાનો અખાડો દક્ષીણમાં વાઘેશ્વરી માતાજીનું સુંદર મંદિર તથા ઉગમણે શ્રવણ કાવડીયો ધરમપુર ગામ અને આથમણે હલામણ જેઠવાની ખાંભીઓની વચમા રામદેવ ધામ છે.હબાય ધામ ભુજ તાલુકાનું ગામ છે. ટેકરીનું નૈસર્ગીક સ્થામ મનને ચીર શાંતી આપે છે.હબાય ગામથી રામદેવ ધામની ટેકરી ૪ કિલો મીટરના અંતરે છે.

કચ્છ આહીરપટ્ટીના અજાણ્યા પ્રવાસનધામો

કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે. જેમાં આહીરપટ્ટીમાં આવેલ શ્રવણ કાવડિયા ધામ,દાદા મેકરણ સમાધિ સ્થળ ધ્રંગ-લોડાઇ, કચ્છના ચાર શકિતપીઠ માનું એક હબાય વાઘેશ્વરી માતાજી મંદિર,હબાયની ટેકરીઓ,પુરાતત્વ વિભાગનું કોટાયનું શિવ મંદિર, પ્રગટપાણી અને લગાન ફિલ્મ સાથે સંકળાયેલ કુનરીયા ગામ સહિતના સ્થળો પર પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે.

હાલ ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઈ છે. જેના કારણે દેશ વિદેશ થી પ્રવાસીઓ કચ્છમાં આવશે. આ ઉપરાંત સ્મૃતિવન, બાળ સ્મારકભૂમિ, ધોળાવીરા, જેસલ તોરલ સમાધિ, માતાના મઢ, નારાયણ સરોવર સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.પરંતુ સફેદ રણ જતા ભુજ-ખાવડા રોડથી માત્ર થોડા અંતરે આવેલ આહીરપટ્ટીના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોથી પ્રવાસીઓ અજાણ છે.રાજ્યનો પ્રવાસન વિભાગ આવિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષે તો ખરા અર્થમાં સહેલાણીઓ કચ્છ દેખશે.

કચ્છના ચાર શક્તિપીઠ માનો હબાયનો વાઘેશ્વરી મંદિર
કચ્છમાં ચાર શક્તિપીઠ આવેલ છે.જેમાંનું એક ગણાતા હબાય સ્થિત વાઘેશ્વરી માતાજીનું મંદિર જે અનેક પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ છે અને લોકોની આસ્થાનું પ્રતિક છે.આ ઉપરાંત અહીં આવેલ 12 કિમીની પર્વતમાળા હિલ્સ્ટેશન તરીકે લકોને આકર્ષવા સક્ષમ છે.

રામયુગ સાથે સંકળાયેલ શ્રવણ કાવડિયા ધામ

ધરમપુર ગામથી 1 કિમીના અંતરે આવેલ શ્રવણ કાવડિયા ધામ ખાતે શ્રવણ અને તેમના માતા પિતાની સમાધિ આવેલ છે.જે હાલ રણકાંધીએ મીઠી વીરડી સમાન છે.જ્યાં ભૂકંપનો એપી સેન્ટર પણ આવેલ છે.

લગાન ફિલ્મ સાથે સંકળાયેલા કુનરીયા ગામ
લગાન ફિલ્મમાં કર નાબૂદી માટે ક્રિકેટ રમાડવામાં આવી હતી.જેનું શૂટિંગ કુનરીયા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થયું હતું. આમ કચ્છના અનેક પ્રવાસ સ્થળો સાથે આહીરપટ્ટીમાં આવેલ આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો કચ્છના પ્રવાસન ક્ષેત્રે પૂર લાવી શકે તેમ છે.

દાદા મેકરણનો સમાધિ સ્થળ ધ્રંગ-લોડાઇ

લક્ષ્મણનો અવતાર ગણાતા અને કાવડ લઈ રણમાં ભૂખ્યાને ભોજન અને તરસ્યાઓને પાણી આપી ભટકેલાને સાચી રાહ ચિધતા દાદા મેકરણની ધ્રંગ ખાતે સમાધિ સ્થળ આવેલ છે અને લોડાઇ ખાતે તેમનો ધુણો આવેલ છે.

રણકાંધીએ આવેલ કુદરતનો ચમત્કાર ગણાતું પ્રગટપાણી સ્થળ

રણકાંધીથી માત્ર 2 કિમીના અંતરે જ્યાં પાણી દુર્લભ ગણાય તેવા પ્રગટ પાણી સ્થળે જમીનમાંથી સ્વયંભૂ નીકળતા પાણીના કુંડ આવેલ છે.જે જગ્યાએ પાતાળમાં ખારું પાણી છે ત્યાં કુંડમાં સ્વયંભુ નીકળતા મીઠા પાણી આં વિસ્તારમાં ચમત્કારથી ઓછુ નથી.

પુરાતત્વ વિભાગનું કોટાયનું શિવમંદિર

કોટાય ગામ નજીક રા લાખાના ઈતિહાસ અને કાઠીઓની વસાહત સમયનું આબેહૂબ કલાકૃતિ ધરાવતું પુરાતત્વ વિભાગ હસ્તકનું ઐતિહાસિક શિવમંદિર આવેલ છે.

હબાય ડુંગરમાં આવેલું છે રામદેવપીર મહારાજનું અનોખું મંદિર.

કચ્છમાં હબો ડુંગર એટલે હબાય ટેકરી ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે.

હબાઈ ડુંગરના પ્રવાસન સ્થળો માટે અહીં ક્લિક કરો


Wednesday, May 3, 2023

Agriculture touring.... જાત સાથે વાત કરવા નો અવસર...

જો તમે શહેર ની ભાગદોડ વાળી જિંદગી થી બ્રેક લેવા માંગો છો કે સહપરિવાર ગ્રામ્ય સંસ્કૃતિ અને જૈવિક ખેતી સાથે જોડાવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે છે..

અહીં તમને મળશે એક નવતર અનુભવ.. કુવા માંથી સીધું આવતું પાણી પુલ માં તમને તાઝગી નો અહેસાસ કરાવશે.. ઓર્ગેનિક શાકભાજી અને વિસરાતી વાનગી નો રસ થાળ તમને એક અલગ જ આનંદ આપશે..

રાતે ખુલ્લા આકાશ ની ખાટલો નાખી સહપરિવાર ગોઠડી કરતા ક્યાં ઊંઘ આવી જશે ઈ ખબર જ નહિ પડે.. સવારે પક્ષી નો કલરવ અને સૂર્યોદય નું દ્રશ્ય તમારા મન ને મોહી લેશે..


કેવી રીતે આવવું ?

વસીષ્ઠ ફાર્મ સૌરાષ્ટ્ર માં મહુવા થી 25 કિલોમીટર બગદાણા થી 3 કિલોમીટર દૂર છે.. મુંબઈ થી ટ્રેન અને બસ મારફતે આપ મહુવા આવી શકો.. સુરત થી દેગવડા ફાર્મ સુધી સ્લીપર બસ રોજ રાતે -9-30 નીકળે છે જે સવારે 8 વાગે તમને સીધા ફાર્મ પર ઉતારશે.. અમદાવાદ થી મહુવા ટ્રેન અને બસ વાટે મહુવા પહોંચી શકો..


શું ખર્ચ થશે ?

અત્યારે એક પરિવાર નો ખર્ચ (2+2 બાળકો ) માટે 24 કલાક રહેવા તથા જમવા નો ખર્ચ Rs.5000 થશે.. જેમાં સવાર નો નાસ્તો, બપોરે અને સાંજ નું ભોજન અને રાત્રી રોકાણ નો સમાવેશ છે.. ગ્રુપ બુકિંગ માટે સ્પેશલ ડિસ્કાઉન્ટ હશે..


વિશેષ માહિતી માટે આ નંબર પર ફોન કરવા વિનંતી...


Mahendra Pandya

9824463280

7016813975

Monday, May 1, 2023

સનરૂફ કારનો સાચો ઉપયોગ

ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ... તો જાણીએ શું છે....... હકીકત..



આજકાલ કારમાં સનરૂફ ખૂબ જ ડિમાન્ડ ફીચર બની ગયું છે, તે કારના વેચાણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રાહકો માટે કાર પસંદ કરવામાં સનરૂફ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે કામ કરે છે. પરંતુ, ઘણા લોકો સનરૂફના યોગ્ય ઉપયોગ વિશે જાણતા નથી, તેઓ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. તમે ઘણા લોકોને સનરૂફમાંથી કૂદતા અને મસ્તી કરતા જોયા હશે. ઘણી વખત તમે બાળકોને ચાલતી કારના સનરૂફમાંથી બહાર ડોકિયું કરતા અને મસ્તી કરતા જોયા હશે. પરંતુ, શું આ હેતુ માટે કારમાં સનરૂફ આપવામાં આવે છે? ના, ચાલો તમને તેના સાચા ઉપયોગ વિશે જણાવીએ.


કારમાં સનરૂફનો સાચો ઉપયોગ?

વધુ કુદરતી પ્રકાશ માટે તમે સનરૂફનો ઉપયોગ કરી શકો છો. આ કારની અંદર વધુ કુદરતી પ્રકાશ લાવવામાં મદદ કરી શકે છે. જો તમારી કારમાં સનરૂફ છે, તો તમે તેની સાથે કારની અંદર વધુ કુદરતી પ્રકાશ મેળવી શકો છો, જ્યારે ફક્ત બારીના કાચ અંદર આટલો પ્રકાશ આવવા દેતા નથી.

સનરૂફની મદદથી કારને ઝડપથી ઠંડી કરી શકાય છે. જો તમારી કાર તડકામાં ઉભી હોય, તો થોડીવાર માટે સનરૂફ ખોલવાથી ઝડપથી કારની ગરમી બહાર નીકળી જાય છે કારણ કે તે કારની બરાબર ઉપર છે અને જ્યારે એસી ચાલુ કરવામાં આવે છે, ત્યારે ગરમીની હવા ઉપરની તરફ જાય છે, તેથી તે કારમાંથી બહાર નીકળી જાય છે.

સનરૂફ. ટૂંક સમયમાં બહાર આવશે. કારમાં સનરૂફ રાખવાથી તમને ઓપન ફીલ મળે છે. આનાથી કારની કેબિન વધુ જગ્યા ધરાવતી લાગે છે કારણ કે કેબિનમાં વધુ પ્રકાશ પ્રવેશે છે અને તમે સનરૂફ ગ્લાસ દ્વારા આકાશ પણ જોઈ શકો છો.


આ ભૂલ ક્યારેય ન કરો-



ઘણી વાર તમે બાળકો કે વડીલોને પણ ચાલતી કારના સનરૂફમાંથી બહાર નીકળતા અને મસ્તી કરતા જોયા હશે. આવું ન કરવું જોઈએ કારણ કે આમ કરવું જોખમી છે. બાળકો ગમે તેટલી જીદ કરે પણ તેમને સનરૂફની બહાર જવા ન દો. વાસ્તવમાં, જો તમારે ઇમરજન્સી બ્રેક લગાવવાની હોય, તો સનરૂફમાંથી બહાર નીકળેલા બાળકને (અથવા વ્યક્તિ) ઈજા થઈ શકે છે, તેઓ કારમાંથી બહાર નીકળી શકે છે અને તેની સામે પડી શકે છે. આ જીવલેણ બની શકે છે.


સાભાર :- zee 24 કલાક ન્યુઝ

ગુજરાત સ્થાપના દિવસ

કોઈએ પૂછ્યું, તમે કેટલા નસીબદાર છો?

મેં જવાબ આપ્યો, ભારતમાં કુલ 29 રાજ્યો છે અને મારો જન્મ ગુજરાતમાં થયો છે.

કેટલી સાચી વાત! ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત, જેની બર્થ સર્ટિફિકેટમાં ઉંમર માત્ર 63 વર્ષની છે પણ નજાણે કેટલીય સદીઓથી વૃધ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે. આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય. ગુજરાત રાજ્યના ઇતિહાસ વિષે પુસ્તકોમાં, ઇન્ટરનેટમાં, સાહિત્યમાં, નાટકોમાં, શીલ્પ સ્થાપત્યોમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે.


ચાલો, આજે ઢોકળા- ફાફડા, ગરબા-ગાંઠિયા, સાવજ- સરદાર, નરસિંહ-મુનશી, સારાભાઈ, અંબાણી-અદાણીની ભૂમિ વિષે થોડું મંથન કરીએ.


ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.


હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઈઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી. 


ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી (હાલનું અમદાવાદ), સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.


અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીય વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું.


1 મે 1960ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ(બૃહદ મુંબઈ)ના ભાષાના આધારે બે ભાગ પડ્યા. મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ‘ગુજરાત’ નામ મળ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું. વર્ષ 1970 માં નવા બનાવાયેલ પ્લાન્ડ સિટી ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું.


મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યું. આજે 61 વર્ષે કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતીએ અફસોસ કરવા જેવો નથી કેમકે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે.



અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો. હજારો વર્ષો પહેલા આ દરિયાકિનારાએ જ અહીં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો. સદીઓથી ગુજરાતીઓ દુનિયભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ! લોકો દરિયાની મદદથી વ્યાપારાર્થે સાત સમંદર પાર સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો, હજુયે કરી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની ગળથૂથીમાં છે.







રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...