Tuesday, August 29, 2023

પોરબંદર વિશે જાણો....

 

પોરબંદરની આસપાસ જોવાલાયક સ્થળો

👉 કીર્તિ મંદિર

👉 સુદામા મંદિર

👉 ભારત મંદિર, તારા મંદિર

👉 રોકડીયા હનુમાન

👉 ચોપાટી

👉 હરિ મંદિર એરપોર્ટ પાસે

👉 રંગબાઈ માતાજી બીચ


પોરબંદર ના વિવિધ સ્થળો માટેના વિડિઓ જોવા અહીં ક્લિક કરો


પોરબંદરથી 30 km આસપાસ જોવાલાયક સ્થળો


👉 ખીમેશ્વર મહાદેવ બીચ

માહિતી માટે ક્લિક કરો


👉 જાંબુવત ગુફા - રાણાવાવ

માહિતી માટે ક્લિક કરો


👉 હરસિદ્ધ મંદિર (પોરબંદર દ્વારકા હાઇવે)

માહિતી માટે ક્લિક કરો


👉 બગવદર - સૂર્ય રન્નાદે નવ ગ્રહ મંદિર

માહિતી માટે અહીં ક્લિક કરો


👉 રાણપરની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ

માહિતી માટે અહીં ક્લિક કરો



👉 હાથલા - શનિદેવ જન્મસ્થાન

માહિતી માટે ક્લિક કરો.


👉 બીલેશ્વર મહાદેવ - રાણાવાવ - ભાણવડ હાઇવે

માહિતી માટે ક્લિક કરો


👉 ઘુમલી - ભાણવડ

માહિતી માટે ક્લિક કરો.


👉 કીલેશ્વર - ભાણવડ

માહિતી માટે ક્લિક કરો.


👉 મોડપર ગઢ

માહિતી માટે ક્લિક કરો.


👉 વીર માંગળાવાળો - ભાણવડ

માહિતી માટે ક્લિક કરો


👉 ગોપનાથ ડુંગર (જામનગર થી ત્રણ પાટિયા રોડ વચ્ચે)

માહિતી માટે અહીં ક્લિક કરો


@@@@@@@@@@@@@@@@@@@@@@

####################################


અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગરે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓથી આગવી ઓળખ કંડારી છે. આ નગર શિલ્પ-સ્થાપત્યોથી સમૃદ્ધ છે. શ્રાવણી પૂર્ણીમાએ પોરબંદરનો સ્થાપનાદિન છે. પ્રાચીન કાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. પોરબંદરનો આજે 1033મો સ્થાપના દિન છે. પોરબંદરને ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે. એવુ પણ મનાય છે કે, ખાડી કાંઠે આવેલ પોરાઈ માતાજીના મંદિર પરથી પોરબંદર

નામ પડ્યુ છે. પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી. એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ હોવાનુ કહેવાય છે. ઈ.સ 1120માં રાણાસંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યાર બાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે.

જાણીતા ઈતિહાસકાર નરોત્તમ પલાણ પોરબંદરના ઈતિહાસ વિશે જણાવે છે કે, હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનુ કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ કર્યું હતું. તેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ પોરબંદરને પેરિસ જેવુ બનાવવા ઈચ્છતા હતા. જેથી કરીને પોરબંદરના રોડ-રસ્તા, ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે. વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનુ શાસન હતું, ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા. પહેલા હનુમાનજી અને ત્યાર બાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારીયળ અને ચૂંદડી ચડાવી સાગરખેડુઓ દરિયાનું ખેડાણ કરતા હતા. આજે પણ આ પરપંરા

વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે. શહેરમાં એ સમયે એવી પણ એક વિશેષ પરંપરામાં જોવા મળતી હતી કે, સ્થાપના દિવસે રાજ પરિવાર તરફથી સુખડી તૈયાર કરવામાં આવતી હતી. જેને પ્રસાદરુપે તમામ નગરજનોને પીરસાતી હતી. આ દિવસે સુદામા મંદિરમાં વર્ષ દરમિયાન પરણીત વરઘોડીયાઓના હસ્તે હનુમનાજી અને સુદામા મંદિરે પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી.



પોરબંદર ને સલામ  કરવી પડે,તેવી આ માહિતી.

પોરબંદર અને તેમની આસપાસની ૧૦૦ કિ.મી.ની ત્રિજીયા ના વિસ્તારનાં  વિશ્વના સૌથી શક્તિશાળી 

અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ. 


૧, મહારાજા નટવરસિંહ,  ભારતના પહેલા ટેસ્ટ કિકેટ કેપ્ટન 1932


૨, મહાત્મા ગાંધી,    રાષ્ટ્રપિતા 


૩, મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.રાષ્ટ્રપિતા, પાકિસ્તાન


૪, ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ )


૫, દેવકરણ નાનજી, દેના બેંકના માલિક, પોરબંદર 


૬, અ. સત્તાર એધી, બાંટવા, વિશ્વના બીજા નં. ના

સમાજસેવક.


૭, શેઠ હાજી કાસમ. કુતિયાણા, વિજળી આગબોટના માલિક 


૮, ગુલાબદાસ બ્રોકર, ભારતના વિખ્યાત લેખક, પોરબંદર 


૯, વિજયગુપત મોયઁ,  ભારતના વિખ્યાત લેખક


૧૦, શેઠ ભાણજી લવજી, ભારતના ઘી ઉધોગના

સૌથી મોટા ઉત્પાદક 


૧૧, એમ. એચ. વાડીયા,(ફકત ૩૦-૩૫થી વધુ પારસી પોરબંદર માં નથી, છતા) પોરબંદરના પહેલા નગરપાલિકા ના પ્રમુખ. (ત્રણ ટર્મ સુધી)


૧૨,  કેતન પારેખ, માંગરોળ શેર બજારમાં સૌથી મોટું 

બુચ મારનાર દલાલ 


૧૩, નારણ ખેર.  પોરબંદર, ભારતના વિખ્યાત ચિત્રકાર 


૧૪ , બહારવટીયા મુળુ માણેક, પોરબંદરથી ૧૧ કિ.મી. દુર વાછોડા ગામે શહીદ થયા ..


૧૫, શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી, મહાત્મા ગાંધી ને

આફ્રિકા નોકરી માટે લઇ જનાર મેમણ આસામી..તેમજ ઉધોગપતિ શેઠ નાનજી કાલિદાસ પણ તે સાથે મહેતા જી તરીકે આફ્રિકા ગયા, આ કારણેજ તેમની છાપ મહેતા પડી.


૧૬, જામ રણજીતસિંહ, નવાનગર, જેના નામ ઉપરથી 

ભારતની સૌથી મોટી ટુનાઁ. રણજી ટ્રોફી રમાય છે 


૧૭,  દિલીપસિંહજી, નવાનગર.  જેના નામ ઉપરથી 

દુલીપ ટ્રોફી  રમાય છે. 


૧૮, હનીફ મોહંમદ, મુસ્તાકમોહંમદ,  સાદીક મોહંમદ, વજીર મોહંમદ, વગેરે ચાર સગા ભાઈ જુનાગઢ ના, દુનિયાના મોટા ક્રિકેટ  ખેલાડી હાલ પાકિસ્તાન છે. 


૧૯, શાહ નવાઝ ભુટો, બેનઝીર ભુટ્ટો ફેમિલી, જુનાગઢ ના

હાલ પાકિસ્તાન 


૨૦, બહારવટીયા ઓસમાણ અને સિદીક.  (સિદીયો ઓસમાણીયો) મુ. રાણાવાવ 


૨૧, વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ (જેના નામ ઉપરથી ઝંડુ ની

આયુર્વેદ દવાઓ બને છે. તે મુળ જામનગરના 


રર, આદિત્યાણા માં થી નિકળતાં ચોકપાવડર જે

ભારતમાં આદિત્યાણા સિવાય કયાય નથી મળતો.  


૨૩,  ૧૯૧૬ માં એશિયા નો સર્વ પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ 

ACC કંપની એ નાખેલ... 


૨૪,  પાકિસ્તાન ની મોટી બેંક હાજી હબીબ શેઠની છે. 

હબીબ બેંક તે શેઠ  કુતિયાણા ના. 


૨૫, પોરબંદર એક ટાપુ છે,  તે જાણ ખાતર(શહેર ની ચારે તરફ પાણી)


૨૬, સાડી છાપવાનું ઈટાલીનું ઓટોમેટિક પ્રથમ મશીન ભારતમાં 

પહેલી વાર મહારાણા મિલ માં ફિટીંગ થયેલ...આ મિલની 90% પ્રોડક્ટ વિદેશમાં નિકાસ થતી હતી.


૨૭,  આખાયે વિશ્વમાં એકમાત્ર મંદિર તે પોરબંદરનું "સુદામા મંદિર"


૨૮, નથુભાઈ ગરચર, રેતી શિલ્પ ના વિખ્યાત કલાકાર


૨૯, આર્ટિસ્ટ દિનેશ ઓડેદરા, જેઓ માઇક્રો આર્ટિસ્ટ છે, અનેક વિભુતિઓ ના ચિત્રો નાના એવા તલના દાણા ઉપર ચિત્રકામ કરી શકે છે ,તે પણ માત્ર 45 સેકન્ડમાં જ.


૩૦ ,,દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ, એશિયા ની એકમાત્ર સંસ્થા , વિશ્વ માં ફકત બે જ જગ્યાએ. 


૩૧, અકબરખાન, વિશ્વમાં પહેલીવાર પોઈન્ટ સાઈડ ઉપર સિકસ મારનાર પ્રથમ રણજી ટ્રોફી ખેલાડી, 


૩૨, જયદેવ  ઉનડકટ, રણજી ટ્રોફી , ભારત તરફથી વન-ડે, તેમજ, , IPL રમનાર એકમાત્ર પોરબંદરી..


૩૩, અન્ડર 19 ભારતીય ટીમમાં ટેસ્ટ રમનારા  અનિલ ઠકરાર અને રાજુ બદીયાણી બન્ને પોરબંદરનાજ,  બન્ને ખેલાડી અનેક રણજી ટ્રોફી મેચ પણ રમી ચુક્યા છે...

૩૪,ઓમાન જેવા આરબ કન્ટ્રી ની ક્રિકેટ ટીમના કેપ્ટન અજય લાલચેતા પોરબંદરી છે.


૩૫, દાનવીર ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મહેતા નું બનાવેલ, ગુરુકુળ, ભારત મંદિર  ,તારા મંદિર ભારતભરમાં ખ્યાતિ ધરાવે છે..આફ્રિકાનું લુગાઝી શહેર નાનજી કાલીદાસે સ્થાપ્યું છે.પોરબંદરના જાજરમાન દાનવીર શેઠ.


૩૬, આ પોરબંદક એકમાત્ર એવુ શહેર કે જયાં લગભગ તમામ રાષ્ટ્રપતિ મુલાકાતે આવી ચુક્યા છે . 


૩૭, જયેશ હિંગળાજીયા, (ડુપ્લીકેટ મહાત્મા ગાંધી )એ જેટલા પદક, ટ્રોફી, સન્માન, લિમકાબુક ઓફ રેકોર્ડ, કોઈ પાસે નહીં હોય તેટલા મેળવ્યા છે.તેમજ વિશ્વ રેકોર્ડ બનાવનાર એકમાત્ર કડીયા કામ કરતો મજુર દરજ્જા નો કલાકાર. 


૩૮, રાણાભાઈ સીડા, મહેર ડાંડીયારાસ ને વિશ્વલેવલે પહોંચાડી દેનાર કલાવૃંદ ના ગુરૂ


૩૯, શુધ્ધ ઘી ટેસ્ટીંગ લેબોરેટરીઝ ભારતમાં સૌપ્રથમ અહીં સ્થાપના  કરવામાં આવેલી. 


૪૦, પોરબંદરના પાદર માં બનેલો સ્પલીટ ફલાયઓવરબ્રિજ ગુજરાતનો એકમાત્ર અને પહેલો પુલ છે. 


૪૧, પોરબંદર ની બાજુમાંજ આવેલા કાટવાણા , ખંભાળા અને હનુમાનગઢ ની કેશર કેરીનું ૯૦% ઉત્પાદન વિદેશ નિકાસ થાય છે, આવી ઉતમ કેશર કેરી ભારતમાં બીજે કયાંય નથી. 


૪૨, અને આ નામ તો દુનિયા જાણે જ છે, પોરબંદર  ની  ખાજલી, પોરબંદર ના ખ્યાતનામ કંદોઈ વિનયચંદ્ર નાથાલાલ શાહ, એટલે વિદેશમાં નિકાસ થતી એકમાત્ર શાહ ની ખાજલી . 

૪૩, ગાંધીજી ની વિનંતીથી 1930 માં સંતોષ કામદાર નામના પોરબંદર ના ઉદ્યોગપતિ એ મીઠા(નમક)નો ઉદ્યોગ પોરબંદર અને ભાવનગર સ્થાપ્યો,,અત્યારે પણ ગુજરાતમાં નમકનો સૌથી મોટો  પ્લાન્ટ ગણાય છે.


૪૪,  ફિલ્મી અભિનેત્રીઓ જુહી ચાવલા, મુમતાઝ  અને અતિ જૂની ગુજરાતી કલાકાર રાધિકા એ તમામ પોરબંદરમાં સાસરે છે. 


૪૫, ભીમાભાઈ ઓડેદરા (આદિત્યાણા )રાસલીલા(ઢાઢી લીલા) ના ભારતના સર્વેશ્રેષ્ઠ કલાકાર,,અનેક દેશમાં પોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવી ચુક્યા છે.


૪૬, પોરબંદર નજીકજ

 આદિત્યાણા માથી નીકળતો સફેદ ઘોડા પથ્થર(બેલા) આખા ભારતમાં આ સિવાય ક્યાંય ઉપલબ્ધ નથી, નીકળે ત્યારે સાવ નરમ હોય, પછી વાતાવરણમાં અતિ કઠણ મજબૂત થઈ જાય.કોતરણી માટે સર્વશ્રેષ્ઠ પથ્થર.


૪૭, ભારતના ખ્યાતનામ સંસ્કૃતના મહાન પંડિત શ્રી કે. કા. શાસ્ત્રી  મૂળ પોરબંદર ની તદ્દન નજીક આવેલ મોકર ગામના.


૪૮, રામભાઈ મોકરિયા,રાજ્ય સભાના પહેલા સાંસદ... આ પહેલા કોઈ પોરબંદરથી આ પદ ઉપર નિમણૂક નથી થયા...

૪૯, પોરબંદર નો મચ્છી ઉદ્યોગ અબજો નું ટર્નઓવર  કરે છે, રોજ સ્ટીમ્બર મારફત ફિશ વિદેશ નિકાસ થાય છે.

૫૦,એક સાથે 3-3 સ્ટીમ્બર ના માલિક મેમણ હાજી દાદા સૂર્યા પોરબંદરના છે.

૫૧, ટાઇટેનિક જેમજ હાજી કાસમ શેઠનીવિજળી સ્ટીમ્બર પોરબંદર ની સાવ નજીક દરિયામાં ડૂબી હતી..

૫૨,હાલ ભારતના વિખ્યાત ફ્રી લાન્સ ફોટોગ્રાફર જીતેન્દ્રસિંહ સોઢા એ અમારા પોરબંદર નું ગૌરવ છે.

૫૩,આખા સોરાષ્ટ્રમાં મહોરમ માટેના શુદ્ધ ચાંદીના ફક્ત બે જ તાજીયા છે, એક જામનગર અને બીજો પોરબંદર.

૫૪, છેલ્લે આ માહિતી વગર અધુરો ગણાય ,,,નાના એવા પોરબંદરમાં આખા દેશમાં પ્રખ્યાત પાંચ પાંચ નામાંકિત ગેંગ હતી, જેને કારણે પોરબંદર આખા દેશમાં અણમાણીતુ થઈ ગયું હતું..         

         

૫૫,ખ્યાતનામ ડાયરેક્ટર મહેશ ભટ્ટ ના પિતા નાનાભાઈ ભટ્ટ મૂળ વતની પોરબંદર ના છે.

●●●●●●●●●●●●●●


લેખન અને સંશોધન:જે. આર. અજમેરી, 

પોરબંદર. મો.90333 27257

(આ લેખની અનેક લેખકોએ કોપીપેસ્ટ કરી પોતાના નામે મૂકી છે.)...


  •  🏊🛤🚣🛫⛳🚵🏇
  • મારુ ગામ પોરબંદર છે રૂડું રાણાનું રાજ કહેવાય.
  • ત્યાં છે જૂનું ગાધીજી નું ગામ પોરબંદર કહેવાય. 
  • ત્યા છે  કીર્તિમંદિર ગાંધીજી નું જન્મ  સ્થાન કહેવાય.
  • ત્યાં  શ્રીકૃષ્ણના  સખા સુદામા નું ધામ કહેવાય.
  • ત્યાં સમુદ્ર દેવ દરિયા નો વાસ કહેવાય.
  • ત્યાં રાણો ભાણો ને વખણાય પાણાં ની ખાણ કહેવાય.
  • ત્યાં રવિવારે ચોપાટી ની લટાર લગાવાય 
  • ત્યાં નાસ્તામા ચાલે ખાજલી નું રાજ કહેવાય.
  • ત્યાં જે.ટી .એ ચાલે વેપાર નું કામ કાજ કહેવાય.
  • ત્યાં શ્રીકૃષ્ણની જામવતી રાણી નું પિયર રાણાવાવ કહેવાય.
  • ત્યાં જામવંતી ગુફા રીંછ જામવાન ની કહેવાય.
  • ત્યાં ક્રિષ્નરુક્ષમણી ના વિવાહ નું માધવપુર કેવાય.
  • ત્યાં ઓશો રજનીશ આશ્રમ માધવપુર મા કહેવાય.
  • ત્યાં મા હરસિદ્ધિ નો ડુંગર કોયલો કહેવાય 
  • ત્યાં શ્રીકૃષ્ણ ના કુલદેવી માઁ હારસિદ્ધિ કહેવાય.
  • ત્યાં આર્યકન્યા ગુરુકુલ વિદેશ મા પણ વખણાય
  • ત્યાં માઁ પોરાઈ ના બેસણાં પર પોરબંદર કહેવાય.
  • ત્યાં ભોલેનાથ ના મંદિર ચાડેશ્વર ધીંગેશ્વર ઇન્દ્રેસ્વર ઝૂંડેશ્વર દુધેસ્વર નંદેશ્વર જડેશ્વર બીલેશ્વર  ભૂતનાથ મહાદેવ કહેવાય 
  • ત્યાં ડુંગર બરડો ને કીલેશ્વર કહેવાય.
  • ત્યાં ન્યાયના દેવતા શનિદેવ નું જન્મસ્થાન હાથલા કહેવાય.
  • ત્યાં ખવાસ જ્ઞાતિ ના સંત દેવુભગતનો આશ્રમ રાણાકંડોળા કહેવાય 
  • ત્યાં ભક્ત દેવતણખી બાપાનું જન્મ સ્થળ બોખીરા કહેવાય.
  • ત્યાં મા સતી લિરલબાઈ નું ભક્તિ નું ધામ કહેવાય.
  • ત્યાં ભક્ત વિજાત નું વિસાવાળા મૂળ દ્વારકા કહેવાય. 
  • ત્યાં શુરવીર વિજરો ને નાથો મોઢવાડીયો કહેવાય.
  • ત્યાં સિમેન્ટ હાથી ને ફેકટરી બિરલા ઓરિએન્ટ ને
  • મચ્છી ઉદ્યોગ મોટો કહેવાય.
  • ત્યાં બાગમા રૂપાળીબા કમલા ને રાણીબાગ કહેવાય.
  • ત્યાં ભક્ત પ્રાગજી બાપાને પાગલો ના પ્યારા કહેવાય.
  • ત્યાં પાગલો ની સેવા ગોરસર વણઘા ભગતની કહેવાય.
  • ત્યાં લોહાણા મા ભક્ત રસિકબાપા રોટલા વારા કહેવાય.
  • ત્યા ગામ રાવલ ને ખેમરા લોડણ નું કહેવાય.
  • ત્યાં બગવદર સૃર્યાય રન્નાદેનું કહેવાય 
  • ત્યાં સંત રમેશભાઈઓઝા નું હરિમંદિર કહેવાય.
  • ત્યાં રંગબાઈ માઁ જેઠાલાલ ના કુલદેવી કહેવાય.
  • ત્યાં બ્રાહ્મણ ના સંત ભકતત્રિકમજી બાપુ કહેવાય.
  • ત્યાં કુંભાર ભક્ત બોઘારામ બાપા નું બોરડી ગામ કહેવાય.
  • ત્યાં પાંડવોની શિવ સ્થાપના કૂછડી  ખીમેશ્વર મહાદેવ કહેવાય.
  • ત્યાં બાબડા ગામ માઁ ગાત્રાડ માનું નું કહેવાય.
  • ત્યાં સેવાભાવ હિરલબાજાડેજા ને કાંધલભાઈ જાડેજા ના વખણાય
  • ત્યાં ગાયોની સેવા શ્રીરામ ગૌ સેવા રાજુભાઈ ની કહેવાય.
  • ત્યાં પોરબંદર ની જનતા ને મોજીલા ને  સેવાભાવી કહેવાય.
  • મારુગામ પોરબંદર ના ગુણ સારા વિશ્વ મા ખુશ્બૂ ગુજરાત કી મા ગવાય


પોરબંદર નો પ્રવાસ લખનાર ભરત પ્રજાપતિ બોખીરા નો  કુંભાર કહેવાય.


પોરબંદર નો પ્રવાસ જરૂર કરાય  આ મારું કાઠિયાવાડ કહેવાય.

                    

  લેખક ભરત. શીંગડીયા "જય માતાજી "

     ( સો.પ્રજાપતિ )   29/6/2020

હરસિધ્ધિ માતા હર્ષદ કોયલા ડુંગર

હાલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રીક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની સૃષ્ટીમાં ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે. 

પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગાંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે. કોયલા ડુંગરની મહારાણી માં ભવાની હરસિધ્ધિનું આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને ખંભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે.

વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે.

કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા.

માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની સવારની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે.















હરસિદ્ધિ માતાજીના હર્ષદ ગાંધવિ, પોરબંદર, ઉજ્જૈન અને અન્ય સ્થાનક વિશે લોકવાયકાઓ... દંત કથાઓ...

મિત્રો આજે આપણો નવો પ્રવાસ કરશુ. ગાંધવી ગામ કોયલા ડુંગર માઁહરસિધ્ધિ માતાજી મંદિર ત્યાંથી ઉજેન શ્રીહરસિદ્ધિમાતાજી મંદિર ત્યાંથી રાજપીપળા શ્રીહરસિદ્ધિમાતાજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણ અને માઁહરસિધ્ધિ અને શેઠ જગડુશાહ અને રાજાવીર વિક્રમ અને રાજપીપળાના રાજવી વેરીસાલજી સાથે જોડાયેલ વાત કરશુ. હરસિધ્ધિ માઁ ના દર્શન કરી માહિતી જાણશું.


હરસિધ્ધિમાઁનું ધામ ગાંધવીગામ કોયલો ડુંગર જે  ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી ઉપર પોરબંદર થી દ્વારકા હાઈવે ઉપર જતાં 45 કિલોમીટર ના અંતરે શ્રીહરસિધ્ધિ માતાનું મંદિર ગાંધવી ગામ (હર્ષદ) ના નામથી ઓળખવામાં આવે છે. અરબીસમુદ્રના કાંઠે દરિયાદેવના મોજા ઉછાળા મારે છે.ત્યાં કોયલા ડુંગર ઉપર માઁ હરસિધ્ધિ માતાજીના બેસણાં.


શ્રીકૃષ્ણ ભગવાન ના કુળદેવી શ્રી અંબાજીમાં 

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાનાઓખા ગામના(બેટ એટલે બેટ દ્વારકા કહેવાઈ )ઓખાગામનાબેટમાં  સમુદ્રમાં શંખેશ્વરનામનો દૈત્ય રહે.આ દૈત્યની રંજાળ દિવસે ને દિવસે વધતી જતી.બહુજ બધાને હેરાન કરે સાધુ સંતો ભક્તો અને દૈત્યનો ત્રાસ દિવસે અને રાતે બહુજ વધતો જતો.હતો.

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેને મારવા ઓખાના બેટ માં બેટ દ્વારકા જાયછે.


રસ્તામાં કોયલા ડુંગર આવે.ત્યાં ડુંગર ઉપર શ્રી કૃષ્ણ ભગવાન રાતવાસો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી શ્રીઅંબાજી માતાજી શ્રીકૃષ્ણ ભગવાન તેમના કુળદેવી શ્રીઅંબામાતાજીને યાદ કરેછે. માતાજી પ્રગટ થાય છે.અને શ્રીકૃષ્ણ ભગવાન માતાજી ને કહે કે હે.મા કુળદેવી મારે ઓખાના બેટમાં શંખેશ્વર નામના દૈત્યને મારવા જાવું છે તો તમે મને સહાય કરો.માતાજી કહે પ્રભુ તમે તો સર્વશક્તિ માનછો.ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે મા તમે મારા કુળદેવી છે.તમે સહાય કરો. 


હે..માઁ..હું કુળદૈવીને આગળ નહિ કરું તો જગત મા કુળદેવીને કોઈ આગળ નહીં કરે. અને દુઃખી થાશે.ત્યારે માતાજી કહે હે પ્રભુ હું તમારી સાથે છું શ્રી કૃષ્ણ ભગવાને તેમના કુળદેવી શ્રીઅંબાજી માતાજીનું કોયલા ડુંગર ઉપર સ્થાપન કર્યું.પૂજન કર્યું અને કહું કે હે..મા કુળદેવી અંબા તમેં અહીં કાયમ માટે બિરાજો ભગવાન શ્રી કૃષ્ણ હર્ષથી માતાજી ને હરસિધ્ધિ કહ્યા.


ત્યારથી હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિમાઁ તરીકે પુજાય છે. કોઈ માતાજીને 

વહાણવટીમાઁ તરીકે પૂજે કોઈ સિકોતર માઁ તરીકે પૂજે છે.કોઈ શક્તિદેવી થી પૂજે પણ માઁ જગત જનની દરેકની આસ્થા વિશ્વાસે કામ પુરા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઓખાના બેટમાં શંખેશ્વર નામ ના દૈત્યને માતાજીની સાથે રાખીને દૈત્યનો સંહાર કરે.


કચ્છના વણિક જગડુંશાહ શેઠ બહુ પ્રખ્યાત શેઠ થઈ ગયા.તેમનો દેશ વિદેશમા બહુ મોટો વેપાર જગડુશાહ શેઠના વહાણ ગાંધવીના દરિયામાંથી પસાર થતાં અને ગાંધવી કોયલા ડુંગર ઉપર માતાજી શ્રીહરસિધ્ધિ માઁના બેસણા કોયલા ડુંગર ઉપરથી માતાજીની નજર આખા દરિયામાં પડે અને શેઠજગડુશાહના વહાણ ગાંધવીના દરિયા માંથી પસાર થતા.હરસિધ્ધિ માતાજીની નજર વહાણ પર પડે પડે અને વહાણ દરિયામા ડૂબી જાય છે.શેઠને બહુ મોટી નુકસાની આવે છે.


દરેક વખતે અહીં હરસિધ્ધિ માતાના દરિયા મા વહાણ ડુબી જાય. હવે શું.કરવું જગડુશાહ શેઠ વિચાર કરે શુ કરવું આમ કેમ થાયછે. તેમને ઘણા બ્રાહ્મણો પાસે જોષ જ્યોતિષ જોવરાવીયા અને બ્રાહ્મણએ કહ્યું કોયલા ડુંગર ઉપરથી હરસિધ્ધિ માતાજીની નજર પડે છે.તમારા વહાણ ડુબીજાય છે.તો તમારે હરસિધ્ધિ માતાજી ની પૂજા કરી ને પ્રસન્ન કરો.તો તમારા વહાણ ડૂબતા બંધ થાય જગડુંશાહ શેઠ તેમના પરિવાર સહિત ગાંધવી ગામ કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિ માતાજીના દર્શન કરવા આવે છે.હરસિધ્ધિમાનું પૂજન કરી ને માતાજીને પ્રાથના કરે ત્યાં મંદિર માંથી અવાજ આવેછે.અને માતાજી કહેછે.કે જગડુશાહ તું મને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતાર તારા વહાણ હું નહીં ડૂબવા દઉ.


જગડુશાહ કહે માતાજી તમે જ્યારે આવો. ત્યારે હું તૈયાર છું  માતાજી કહે કે તું મને પગલે પગલે બલીદાન આપતો હું કોયલા ડુંગર ઉપરથી નીચે આવું અને હું મંદિરના દ્વારમાંથી નહીં આવું હું મંદિરના શિખર ઉપરથી આવીશ જગડુશાહ શેઠ કહે ભલે મા તમે કહો.તેમ તમે કહો.માઁ તમારે બલીદાન શું જોશે.ત્યારે હરસિદ્ધિ માતાજી કહે. છે. મારે પગલે પગલે પાડાનું બલીદાન જોયે.તું દયાન રાખજે મારુ એક પણ પગલે બલીદાન  નહીં હોય તો હું પાછી કોયલા ડુંગર ઉપર ચાલી જઈશ.


જગડુશાહ શેઠ કહે ભલે માં માતાજીના વચને જગડુશાહ બંધાઈ છે. અને માતાજીના બલિદાન માટે પાડાઓ મંગાવવામાં છે.હરસિધ્ધિ માતાજી ની પૂજા અર્ચના કરી અને જગડુશાહ માતાજી ને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતરવા પ્રાથના કરેછે.  🙏 બોલો હરસિધ્ધિ 

માતાજી ની જય 🙏  ⛳  🌺🌹🌺🌷🌺


 હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર મંદીર નું 

શિખર તોડી કડડ વીજળી ના ચમકારા થાય છે.

મા જગત જનની હરસિધ્ધિ માતા ડુંગર ⛳ ઉપરથી પાડા 🐃 ના બલિદાને પગલાં 👣 માંડે 

એક બે એમ પગલાં 🐃 👣 માંડતા જાય છે. 


માતાજી કોયલા ડુંગર ઉપરથી નીચે મંદિરે ઉતરતા જાયછે.જગડુશાહ શેઠની ભક્તિની કસોટી હવે 

હરસિધ્ધિ માતાજી કરેછે. છેલ્લે ચાર પગથિયાં. બાકી રહે છે.બલિદાન માટે પાડા ખાલી થઈ જાયછે. પાડા ક્યાંય થી પણ મળતાં નથી. હવેશું કરવું માતાજીના વચને શેઠ બંધાણા અને માતાજી એ કહું હતું કે એક પણ બલિદાન 🐃 નહીં હોય. તો હું ડુંગર ઉપર પાછી ચાલી જાઈશ. માતાજી હરસિધ્ધિમા જગડુશાહ શેઠને કહે જગડુશાહ બલીદાન આપો.ત્યારે જગડુશાહ કહે માઁ હું તમને બલિદાન આપું.હવે તમને પાછા જાવા દઉ તો. મારી ભક્તિ લાજે જગડુ શાહ શેઠ તેની પત્ની અને જગડુશાહ શેઠ ના દીકરો વહુ એમ ચાર વ્યક્તિનો પરિવારને બલિદાન પણ ચાર ઘટે છે.


એક પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમના દીકરા 👨 નું બલિદાન આપેછે. માતાજી ને હરસિધ્ધિ👣પગલાં માંડે છે બીજે પગથિયે જગડુશાહ શેઠ દીકરાની વહુ 👩 નું બલિદાન આપે છે.માતાજી હરસિધ્ધિમા  👣 પગલાં માંડે છે.ત્રીજા પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમની પત્ની 👵 નુંબલિદાન આપેછે માતાજી  હરસિધ્ધિ 👣 પગલાં માંડે છે. અને છેલ્લે પગથિયે જગડુશાહ શેઠ તેમનું પોતાનું બલિદાન તેમના હાથે 👳 માથું કાપી ને માતાજી ને બલિદાન આપે છે.માતાજી 👣પગલાં માંડી ને ડુંગર ઉપર થી નીચેના મંદિરમા બિરાજે છે બોલો મા હરસિધ્ધિની જય 🌸🌻🌺🌷 🙏🙏🙏


હરસિધ્ધિ માતાજી જગડુશાહ શેઠ અને તેમના પરિવાર અને જેટલા પાડાનું બલિદાન આપ્યું તેટલા પાડાઓ ને સજીવન કરે અને જગડુશાહ શેઠને માતાજી હરસિધ્ધિમા વરદાન માગવા નું કહેછે અને જગડુશાહ શેઠ માતાજીને કહે.છે. હે..માઁ જગતજનની મને તમારી ભક્તિ આપો.માઁ જ્યારે યાદ કરું ત્યારે દર્શન દેજો.માતાજી વરદાન આપેછે.અને માતાજી જગડુશાહ શેઠ અને તેના પરિવારના હરસિધ્ધિ માતાજીના મંદિરની અંદર બાજુમાં જમણી સાઈડમાં 4 મૂર્તિ છે.તેની આજ પણ પૂજા થાય છે.જગડુશાહ શેઠ અને તેમની પત્ની દીકરો અને દીકરાની વહુ ની. તમે હરસિધ્ધિ માતાજીના મંદિરે ગાંધવી દર્શન કરવા જાવ ત્યારે જોજો  માતાજીના દર્શન કરોને ત્યાં  જમણી સાઈડમા શેઠજગડુશાહ અને તેમના પરિવારના ચારના પાળિયા છે. તેમના દર્શન જરૂર કરજો.

જય હરસિધ્ધિ માતાજી 🙏

હાલનું (હર્ષદ) ગાંધવી ગામના રાજા પ્રભાતસેન વીર વિક્રમરાજાના માસીના દીકરાભાઈ ગાંધવીનાં રાજા પ્રભાતસેન ગાંધવીમા રાજય કરતા હતા. હરસિધ્ધિ માતાજીના મંદિરમા દરરોજ દર્શન કરી રાજનો કારભાર ચલાવે છે.ભજન ભક્તિ કરે અને માતાજીની સેવા પૂજા કરે નવરાત્રીમા માની ગરબી કરે અને ગામની બેન દિકરીયું ગરબા રમવા આવે છે. હરસિધ્ધિ માતાજીના મંદિરમા ધામ ધૂમ થી નવરાત્રીના ઉત્સવ ઉજવે ભક્તિ ભાવથી માનું પૂજન અર્ચના કરે છે.

એક વખત નવરાત્રીના ગરબા ચાલે  બેનો દિકરીયું રાતે ગરબા રમતાં હતા.તેમાં માઁ હરસિધ્ધિ સોળે શણગાર  સજી અને દીકરીના રૂપમાં ગરબા રમવા આવ્યા.માતાજી હરસિધ્ધિ મા ગરબે રમે છે.અને રાજા પ્રભાત સેન તેમને જોઈ ને વિચારે.તેમનું રૂપ જોઈ પ્રભાતસેન મોહમાં ભાન ભૂલી જાયછે. ગરબા અડધીરાત્રે પુરા થાયછે. અને રાજા પ્રભાત સેન હરસિધ્ધિ માઁ દીકરીના સ્વરૂપમા હતા. તેનો  હાથ પકડે છે.માઁ જગત જનની હરસિધ્ધિ માતા કહે.રાજા પ્રભાતસેન તું મને ઓળખતો નથી તારી ભલાઈ તેમાં છે.તું મારો હાથ મુકીદે રાજા પ્રભાત સેન તો મોહમાં ભાન ભુલ્યો.હતો.માતાજીનો હાથ મુકતો નથી.

હરસિધ્ધિ માતાજી એ તેમનું અસલ સ્વરૂપ રાજા ને બતાવ્યુ રાજા પ્રભાતસેન માતાજી ના પગમાં પડીગ્યો માતાજી પાસે ભૂલની માફી માગવા લાગયો. મા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો. ત્યારે માઁ હરસિધ્ધિ માતા પ્રભાતસેનને કહે તેભૂલ કરી છે.તે માફ કરવા લાયક નથી પણ તું મારો ભક્ત છે.તને માફ કરું તને મારતી નથી પણ તારે  દરરોજ મારા મંદિરે આવી.તારા શરીરનો ભોગ દેવો પડશે.રાજા પ્રભાતસેન માતાજી ને વચને બંધાઈ છે.હરસિધ્ધિ માતાજીના મંદિરે દરરોજ રાતે રાજા પ્રભાતસેન માતાજીને પોતાના શરીરનો ભોગ આપવા હરસિધ્ધિ માઁના મંદિરમા જાઈ છે.

માતાજીના મંદિરમાં ઉકળતી તેલની કડાઈ મા પ્રભાતસેન પડે છે.હરસિદ્ધિ માતાજી પ્રભાતસેનના શરીરનું ભક્ષણ કરીને પાછો સજીવન કરીઅને  રાજ મા જાવાની આજ્ઞા આપેછે. પ્રભાત સેન રાજા શરીરે બહુ રૂસ્ટ પુસ્ત હતાં અને દરરોજનો આ ક્રમ પ્રભાતસેન થોડાસમયમા બહુજ દુબળો પાતળો થઈ ગયો.માતાજી તેના શરીરનું ભક્ષણ કરતા.એક દિવસ પરદુઃખ ભંજન રાજા વીરવિક્રમ ગાંધવી આવે છે.ગાંધવીનો રાજા અને વિક્રમરાજા માસીના દીકરા ભાઈ થાઈ છે. વિક્રમરાજા પ્રભાત સેનને પૂછે કે તને શુ થયું તું સાવ આવો દુબળો કેમ થઈ ગયો. પ્રભાતસેન વાત કરતા નથી પણ વિક્રમ રાજા કહે તારું દુઃખ મને કહે તારા દુઃખ દૂર ના કરુંતો હું રાજાવિક્રમ નહીં.ત્યારે. પ્રભાતસેન રાજા વિક્રમ રાજાને વાત કરે છે. હરસિધ્ધિ માતા નવરાત્રીમા ગરબે રમવા આવ્યાં અને મારાથી ભૂલ થઈ ગઈ મોહમાં મેં માતાજી હરસિધ્ધિ માતાનો હાથ પકડ્યો. માતાજી કોપાયમાન થઈ ગયા. અને મને દંડ આપ્યો. મારે દરરોજ હરસિધ્ધિમાઁના મંદિરે જઈ ને ઉકળતી તેલની કડાઈ મા પડી અને મારા શરીરનું હરસિધ્ધિમાઁ ભક્ષણ કરે અને પછી પાછો માતાજી મને સજીવન કરે છે.રાજા પ્રભાત સેન વિક્રમરાજાને વાત કરેછે.વિક્રમ રાજા કહે બસ એટલી વાત.તારું હું દુઃખ દૂર કરું પછીજ અહીંથી જાઈશ.અને પ્રભાત સેનને વિક્રમ રાજા કહે આજે રાતે તારી બદલીમા હું હરસિધ્ધિમાઁના મંદિરે ભોગ આપવા જાઈશ.

તેજ દિવસે રાતે વિક્રમરાજા દરિયામા સ્નાન કરી. હરસિધ્ધિમાઁના મંદિરે પૂજા પાઠ કરેછે.અને વિક્રમ રાજા સુગંધી ધૂપ શરીરમા લગાડી જાયછે. જઈને ઉકળતી તેલની કડાઈ મા પડેછે.ઉકળતી તેલની કડાઈમા ધૂપની સુગંધ બહુજ આવવા લાગી.

ધુપની સુંગધ અને ભોગથી માતાજી બહુજ ખુશ થઈ ગયા. અને વિક્રમરાજા ને કહે માગ માગ તારે જે માગવું હોયતે માગ. તારી ઉપર હું પ્રસન્ન થઈ છું.વિક્રમરાજા કહે માતાજી હું બે વચન માગું છું. માતાજી કહે માગ વિક્રમ રાજા કહે પહેલું વચન 

મારા માસીના દીકરા ગાંધવીનો રાજા પ્રભાતસેન 

ને તમારા દંડ માંથી મુક્ત કરો.ત્યારે માતાજી એ 

પ્રભાત સેન ને આશિષ આપી દંડમાંથી મુકત કરી  શરીર મા હતો એવો રૂસ્ટ પુષ્ટ કરી દીધો.


હવે વિક્રમ રાજા બીજું વચન માગેછે.હે.માઁ જગત જનની ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવીમા હરસિધ્ધિ તમે મારી ઉપર પ્રસન્ન થયાછે.તોમારી સાથે મારા રાજય મા ઉજજેન ચાલો. હરસિધ્ધિ માતાજી કહે તારી સાથે હું આવું પણ સવાર થી.સાંજ સુધી હું અહીં ગાંધવી રહીશ.અને સાંજથી સવાર સુધી હું ત્યાં ઉજેન રહીશ.વિક્રમરાજા કહે માઁ તમે   કહો તેમ હરસિધ્ધિ માતાજી વિક્રમરાજા ની સાથે ઉજેન જાય છે.વિક્રમરાજા ઘોડા ઉપર જાય છે. ધોડાની પાછળ માતાજી હરસિધ્ધિમા આવે છે અને જાજરી નો અવાજ આવેછે.ગાંધવી થી વિક્રમરાજા સુદામાપુરી (આજનું પોરબંદર) ત્યાં પાણી પીવા અને પોરો ખાવા રોકાઈ છે.(આરામ કરવા)બેઠા વિક્રમરાજા અને માતાજી હરસિધ્ધિ  માઁએ જે જગ્યાએ પોરો ખાધો તે જગ્યા હાલનું પોરાઈ માતાજી નામ પડયું તે ઉપરથી પોરાઈબંદર કહેતા.સમય જતાં પોરાઈ બંદર ઉપરથી પોરબંદર નામ પડી ગયું.તેમ કહેવાઈ છે.


વિક્રમરાજા અને હરસિધ્ધિમાતાજી ઉજેન આવે. હરસિધ્ધિ માતાજી સાંજ થી સવાર સુધી ઉજૈન મંદિરમાં હોયછે. સવાર થી સાંજ સુધી માઁ ગાંધવી મંદિરે હોયછે.હરસિધ્ધિ મા સવારે ગાંધવી મંદિર માં પધારે ત્યારે ત્યાં માતાજીનો હિંડોળો છે. તે  તરત ચાલવા માંડે છે.ત્યારે સવારે  પૂજારી અને ભક્તોને ખબર પડે માતાજી ઉજેનથી આવી ગયા એટલે સવારની આરતી ચાલુ થાય છે. ને સાંજ ની આરતી કરી ને માતાજી ઉજેન મંદિરમાં જાઈ છે. ગાંધવી હરસિધ્ધિ માતાના દર્શન કરવા જરૂર જાજો ત્યાં રહેવા ધર્મશાળાછે.અને સમુદ્રના મોજા ઉછાળા મારે છે બહુજ રમણીય સ્થળ છે ત્યાં અત્યારે મંદિર નું કામ ચાલુ છે.પોરબંદર થી દ્વારકા જાવ ત્યારે રસ્તામાં આવે.પોરબંદર 45 કી.મિ ના અંતરે આવેલું છે(હર્ષદ ગામ ) ગાંધવી


હરસિધ્ધિમાઁ ને વિક્રમરાજા ઉજેન લઈ જાયછે. રસ્તામાં સુદામાપુરી (આજનું પોરબંદર) ગામ 

સુદામાપુરીધામ શ્રીકૃષ્ણ ભગવાનના બાળપણ ના મિત્ર સુદામાજીનું ગામ હરસિધ્ધિ માઁ અને રાજા વિક્રમ ઉજેન જાતા રસ્તામા આવતું એટલે ત્યાં પોરોખાવા બેઠા તે જગ્યા પોરબંદરનું જે મિલપરા વિસ્તાર કેવાય છે.ત્યાં પોરાઈ માતાજી નું મંદિર છે હરસિધ્ધિ માતાજી એ પોરોખાધો હરસિધ્ધિ માતાજી ને પોરાઈ માતાજીનાનામ થી પૂજાયછે.


પોરબંદર નું જૂનું નામ સુદામાપુરી હતુ સમુદ્ર નો કાઠો એટલે માછીમાર ઉદ્યોગ વધારે ત્યાં વહાણ બનાવવાનો અને બંદર હતું ત્યાં વેપાર વહાણ દ્વારા વધુ થતો પોરાઈ માતાજીના મંદિર ઉપરથી પોરાઈ બંદર કહેતા સમય જતાં સુધારી ને પોરાઈ બંદર ને બદલે પોરબંદર નામ પોરબંદરમા સમુદ્ર ને કાંઠે રળિયામણું ગામબરડા ડુંગરની ગોદ મા પથ્થર નો ઉધોગ મોટો છે.


પોરબંદર મા રેલવે લાઇન મા છેલ્લું સ્ટેશન છે.

પોરબંદરમા મચ્છી ઉધોગ મોટોછે. સુદામાપુરી  ચારધામ યાત્રામા સુદામાપુરી ની યાત્રા ગણાય 

સુદામાપુરીના દર્શનના કરેતો યાત્રા અધૂરી છે. યુગોયુગ થી શાસ્ત્રમાં વંચાઈ છે પોરબંદર મા સીટી ની વચ્ચોવચ સુદામાપુરી મંદિર આવેલ છે.

જે વિસ્તાર સુદામાચોક તરીકે પ્રખ્યાતછે. ત્યાં

સુદામાપુરી નું મંદિર ચામુંડા મા મહાકાળી મા 

ભૈરવદાદા નું શિવમંદિર બીજા અનેક મંદિરો છે. સુલ્તાનજીનો ચોરો ફરવા લાયક છે.


આપણાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદગાંધી (ગાંધીજી) નું જન્મ સ્થળ છે. ગાંધીજી નું  સત્ય અહિંસા જીવન સૂત્ર હતું ગાંધીજી ને ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાય 

ગાંધીજી નું મકાન જે જન્મ સ્થળ કીર્તિમંદિર તરીકે ઓળખાય છે ત્યાં ગાંધીજી ના સરસ 

મ્યુઝીયમ છે પોરબંદર ની મુલાકાત લ્યો ત્યારે.

કીર્તિ મંદિર ની મુલાકાત જરૂર લેજો.


વિક્રમરાજા હરસિધ્ધિમાઁને ઉજેન લઈ ગયા. ત્યાંથી હરસિધ્ધિ માતાજી ને રાજપીપળાના રાજવી છત્રશાલજીના કુંવર વેરીસાલજી રાજપીપળા લઈ ગયા.

નર્મદા જિલ્લાનું રાજપીપળા ગામ વડોદરા થી 90 કિલોમીટર ના અંતરે આવેલું ગામ ત્યાં માઁ હરસિધ્ધિ માતાનું ભવ્ય મંદીર છે.

રાજપીપળામા ઇસ.1650 મા રાજા છત્રસાલજી મહારાજ રાજ રાજગાદી ઉપર હતા.તેમના રાણી નંદકુવારબા રાજા અને રાણી હરસિધ્ધિ માઁ ના ઉપાસક હતા.તે ઉજેન હરસિધ્ધિ માઁ ના દર્શન કરવા જતાં અને ગાંધવી કોયલા ડુંગર  હરસિધ્ધિ માઁના દર્શન કરવા જતા હરસિધ્ધિમાઁ નું મૂળ મંદિર સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે ગાંધવી પોરબંદર થી 40 કિલોમીટર દ્વારકા જતા રસ્તામાં હરસિધ્ધિ માતા નું મંદીર રાજપીપળાના રાજા શ્રીછત્રસાલજી

અને રાણી નંદકુવારબા હરસિધ્ધિ માઁના ઉપાસક હતા.માતાજીની કૃપાથી તેને ત્યાં ઇસ.1630 પુત્રજન્મ થયો તેનું નામ વેરીસાલજી વેરીસાલજી પણ માતા પિતાની જેમ હરસિધ્ધિ માતાજી નો ઉપાસક  ધર્મ નીતિ પરાયણ તે પણ માતા પિતા ની સાથે ઉજેન જતાં ત્યાં હરસિધ્ધિ માતા વિશે પૂછતા  માતાજી નું મંદિર અહીં કેમ છે.માતાજી અહીં કેમ પ્રગટ થયા. પૂજારી અને અને કુંવર ના માતાપિતા (રાજા રાણી)કુંવરને માતાજી ની વાત કરતા અને કહેતા શ્રીકૃષ્ણ ભગવાનના કૂળદેવી હરસિધ્ધિ માતાજી છે.

શ્રી કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર ઉપર માતાજી ની સ્થાપના કરી અને જગડુશાહ શેઠે હરસિધ્ધિ માતાજીને કોયલા ડુંગર ઉપર થી નીચે  ઉતારી અને નીચે મંદિરમાં સ્થાપના કરી.અને ત્યાંથી રાજા વિર વિક્રમ હરસિધ્ધિ માતાજી ને ઉજેન માં લઈ ગયા કુંવર વેરીસાલજી કહે માતાજી ઉજેન થી રાજપીપળા આવશે. હું હરસિધ્ધિ માતાજીને રાજપીપળા લઈ જાઈશ. તે માતા પિતાની સાથે ઉજેન રોકાણ કરેછે.અને વેરી સાલજી પૂજારી પાસેથી પૂંજા પાઠ મંત્ર જાપ જાણી "ઑમ હારસિદ્ધિયેનમઃ" મંત્ર જાપ કરવા લાગ્યા. અને માતાજીની ભક્તિ જાપ કરે. ઇ.સ1652 મા રાજા છત્રસાલજીનો સ્વર્ગ વાસ થયો. કુંવર વેરીસાલજી ને 22 વર્ષની ઉમરમા રાજ્યાભિષેક કર્યો. રાજ પીપળાના રાજા થઈ રાજ્યનો કારભાર સાંભળી લીધો.રાજપીપળા ની પ્રજાના માનીતા રાજા થઈ ગયા.

વેરીસાલજી માતાજીના જાપ કરે છે.ભક્તિ કરે છે.એક દિવસ રાતે માતાજી વેરીસાલજીને સપના માં આવ્યા.અને કહે વેરીસાલ તારી ભક્તિ થી હું પ્રસન્ન થઈ તું મને અહીં રાજપીપળા લઈ આવવા માંગેછે.હું આવીશ.મારી સાથે કાલેશ્વર મહાદેવ વીર વૈતાળ સાથે બાલપીર આવશે.અને મારી એક શરતછે. અમે તારા ઘોડાની પાછળ પાછળ આવશું. તું જો પાછળ જોઈશ. તો અમે ત્યાં જ રોકાઈ જાશું અને તારે ત્યાં જ મંદિર બનાવી ને પૂજા પાઠ ત્યાંજ કરવા પડશે.

વેરી સાલજી કહે ભલે માતાજી અને આંખખુલી ગઇ વેરીસાલજી તો સવારના તરત ઉજ્જેન જવા ની તૈયારી કરી પૂજાપાઠ સામાન સાથે લીધો. અને 

વેરીસાલજી જ્યારે પૂજા કરે ત્યાંરે કાઈ પણ બોલે નહી. પૂજા કરતા સમયે આસન પરથી ઉભા થાય નહી. વેરીસાલજી ઉજ્જેન પહોંચી નાહીં ધોઇ ને પૂજા કરવા બેઠા કંકુ ભુલી ગયા.હવે શું કરવું ઉભા તો થવાય નહિ.પણ તરત કટાર કાઢી અને તેમની એક આંગળી કાપી લોહીથી હરસિધ્ધિ માતાજી ને ચાંદલો કરી માફી માગે છે. 

માઁ હરસિધ્ધિ માતાજી પ્રગટ થઈ વેરીસાલજીને કહેછે. માગ માગ વરદાન માગવું હોયતે માગ હું તારી ભક્તિ થી પ્રસન્ન થઈ છું. વેરી સાલજી કહે હે...માતાજી તમે પ્રસન્ન થયાં મારે તો તમારી કૃપાથી બધું છે. મારી એક ઈચ્છા છે.તમે જે મને સપનામાં કહ્યું તેમ તમે મારી સાથે. રાજપીપળા પાધારો. હરસિધ્ધિમાઁ કહે મારી શર્ત યાદ છે પાછું વાળીને જોઇશ હું ત્યાં રોકાઈ જાશું ત્યાં સ્થપના કરી મંદીર બનાવી અને પૂજા પાઠ કરવા. વેરીસાલજી કહે હા માઁ મને યાદ છે.


તમે કહો તેમ હરસિધ્ધિ માતાજી કહે આવતીકાલે સવારે આઠમ ને મંગળવાર ના તું તારા ઘોડા પર આગળ ચાલજે અમે પાછળ પાછળ આવશું.. બીજે દિવસે સવારે ઇસ1657 માં નવરાત્રિની  આઠમને મંગળવારના હરસિધ્ધિ માઁ વેરીસાલની સાથે રાજપીપળા ચાલ્યા.માતાજીની આજ્ઞાથી વેરીસાલજી ધોડા ઉપર આગળ ચાલે ને પાછળ પાછળહરસિધ્ધિમાઁ ,મહાદેવ,અને, વીરવૈતાળ, બાલપીર , સાથે પાછળ પાછળ ચાલેછે.અને રાજ પીપળાની બારોબાર પહોંચી.ગયાત્યાં.વેરીસાલજી પાછળ જોવે છે.ત્યાંજ માઁ હરસિધ્ધિ માતાજી સિંહ ઉપર દર્શન આપી ત્યાં જ રોકાઈ જાય છે.

વેરી સાલજી પસ્તાવો કરે છે કે મારાથી પાછળ જોવાઈ ગયું. તેનો  વેરીસાલજી ત્યાં હરસિધ્ધિ માતાજી સ્થાપના કરી માતાજી નું મંદીર બનાવે છે કાલેશ્વર મહાદેવનું મંદિર ,વીરવેંતાળ નું મંદિર, અને બાલપીર ની દરગાહ બનાવી પૂજા કરેછે.

ભક્તિ કરે છે 85 વર્ષ નું આયુષ્ય ભોગવી ઇસ. 1751  વેરીસાલજી માતાજીના ધામમાં જાય છે.

મિત્રો તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જાવ ત્યારે  રાજપીપળા જરુર જાજો મા હરસિધ્ધિ માતાજી ના દર્શન કરવા.ત્યાં રાજપીપળા હાઇવે રોડ ઉપર 

હરસિધ્ધિ માતાજી નું મોટું મંદિર છે.🙏🙏🙏

ત્યાં આજુબાજુ માં જોવા ફરવા લાયક સ્થળ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 30 કિલોમીટર અને બરોડા થી.100 કિલોમીટર ના અંતરે અને સ્વામિનારાયણ ના પોઇચા થી 15 કિલોમીટર 

ના અંતરે આવેલ છે.


        🙏જય શ્રી હરસિધ્ધિ માતાજી 🙏

   🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

સાભાર :-

લેખક:-ભરત. શીંગડીયા "જય માતાજી "

( સો.પ્રજાપતિ)


Tuesday, August 22, 2023

કિલેશ્વર મહાદેવ

બરડા ડુંગરમાં અનેક ફરવાલાયક સ્થળો છે તેમજ અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ ઉપલબ્ધ છે. ચોમાસામાં બરડો ડુંગર પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠે છે.  


બરડા ડુંગરના કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભાણવડ તાલુકાના કપૂરડી નેશથી દસ કિ.મી.નો કિલેશ્વર જવા માટેનો રસ્તો એકદમ પથરાળ અને નાના-મોટા વોકળાઓ વચ્ચેથી પસાર થતો હોઈ, થોડો મુશ્કેલ હોવા છતાં આજે હજારો-લાખો શિવભક્તો આ મંદિરે માથું ટેકાવવા તેમજ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા આવે છે.


કિલેશ્વર મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યા પછી શ્રદ્ધાળુઓ પગપાળા પસાર થતા તેમને નીચેના ભાગમાં કિલગંગા નદી જોવા મળે છે. જેના ઉપરથી આવતા પાણી નીચે જમણી તરફ આવેલ રેવતિકુંડમાં ધોધ સ્વરૃપે પડે છે. આ  કુદરતી સ્વીમીંગ પુલમાં સ્નાન કરવાનો અનેરો  આનંદ છે.


આ મંદિરનો વહીવટ હાલમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી (જામ ધર્માદા ટ્રસ્ટ) સંભાળી રહ્યું છે. ઐતિહાસિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રાકૃતિક સૌંદર્ય હોય તેવા સ્થળે વસવાટ કરવાનું ઈચ્છતા હતાં, અને બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને ભગવાન કિલેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમજ લોકવાયકા મુજબ કુદરતી વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે ડુંગર વચ્ચે આવેલી નદી પાસે સ્વયંભૂ શિવલીંગની સ્થાપના કરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પાણીના સળસળાટ વહેતા ઝરણા અને પાણીના કૂંડ પ્રાકૃતિક સૌંદર્ય અને મસ્ત નદીનું વહેણ આ બધુ કિલેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં જોવા મળે છે. બરડા ડુંગર વિસ્તારમાં પથ્થરો અને સોમરસનો ખાંડણિયો પણ છે તે કૃષ્ણ અહિં આવ્યાના પુરાવા આપે છે. 


મંદિરના પટાંગણમાં પ્રવેશી પગથિયા ચડ્યા પછી મંદિરનો વિશાળ ઓટલો છે જેમાં નંદી, કાંચબો તથા જમણી તરફ શ્રી ગણેશજી તથા ડાબી તરફ શ્રી હનુમાનજીની પ્રતિમા છે. તેમજ મંદિરના ગર્ભગૃહમાં શ્રી કિલેશ્વર મહાદેવના અલૌકિક શિવલીંગના દર્શન કરી શકાય છે.


કીલેશ્વર જવા માટે જામનગરથી વાયા લાલપુર થઈ પોરબંદર રસ્તે મોડપર ગઢ ગામ પહેલા કપુરડી નેસ ચેક પોસ્ટથી મંજૂરી લઈ 10 કિમિ જેટલું પર્વતીય ચઢાણ કરી પહોંચી શકો છો. અને પોરબંદરથી રાણાવાવ થઈને પણ પહોંચી શકાય છે. તેમજ ભાણવડ રેલ્વે સ્ટેશનથી 15 કિલોમીટરની મુસાફરી કરીને પણ પહોચી શકાય છે.


આ સ્થળની મુલાકાત સાથે નજીકના અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. જેની લિંક નીચે આપેલ છે.
























Saturday, August 19, 2023

વેદ વન :- દેશનું પ્રથમ વૈદિક પાર્ક

જેમ જેમ આપણે આધુનિક બની રહ્યા છીએ તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. સાંપ્રત વિશ્વમાં જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ ટેરેરિઝમની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ બંને સમસ્યાનું સંપૂર્ણ સમાધાન વેદ વિરાસતમાં છે અને આપણે આ શ્રેષ્ઠ સંસ્કૃતિનું ગૌરવ કરવું જ પડશે તો જ વિશ્વ પણ એને સ્વીકારશે.

ભારતીય સંસ્કૃતિ અને વેદ વિરાસતને ઉજાગર કરતો એક પાર્ક દિલ્હીથી નજીક નોઈડામાં ખોલવામાં આવ્યો છે, જે દુનિયાની સામે આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે રજૂ કરી રહ્યો છે.  

આ પાર્કનું નામ છે વેદ વન (Ved  Van)


નોઈડામાં ભારતના પ્રથમ વૈદિક થીમ પાર્ક વિશે ચાલો જાણીએ.

ભારત હવે વેદ પર આધારિત અનન્ય થીમ પાર્કનું ઘર છે.  તે વેદ વન નામનો દેશનો પહેલો વૈદિક થીમ પાર્ક છે જે નોઈડામાં ખુલ્યો છે.

આ પાર્કમાં 50,000 થી વધુ છોડ અને વૃક્ષોનું વાવેતર થયેલ છે.  તેમાં વડ અને લીમડો, કલ્પવૃક્ષ અને નારિયેળનો સમાવેશ થાય છે, જેનો વૈદિક સાહિત્યમાં પણ ઉલ્લેખ છે.  વધુમાં આ જગ્યા પર પ્રાચીન લખાણને હાઇલાઇટ કરવામાં આવેલ છે અને તે ભારતીય સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને ઇતિહાસનું વર્ણન કરે છે.

આ પાર્ક વેદો પર આધારિત હોવાથી, તેમાં ચાર ગ્રંથો ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદના શ્લોક છે.  વેદ વનની અંદર પવિત્ર ગ્રંથો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.  આ જગ્યાને સાત ઝોનમાં વહેંચવામાં આવેલ છે, જેનું નામ પ્રખ્યાત ઋષિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે.  જ્યાં સપ્તઋષિ  કશ્યપ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર અને અગસ્ત્યની મૂર્તિઓ રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ ભારતીય ઋષિઓ વિશે માહિતી મેળવે તેવા હેતુસર દિવાલો પર વેદ ને લગતા દ્રશ્યો તેમજ ઋષિઓના સર્જનાત્મક શિલ્પોનો પાર્કમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ પાર્કમાં મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે તેમજ પાર્કની મુલાકાતે આવેલ મહેમાનો માટે પણ વૈદિક-થીમ આધારિત લેસર શોનું પણ રાત્રે આયોજન કરે છે. આ ઉપરાંત સૌર લાઇટો દ્વારા સંચાલિત એમ્ફીથિયેટર તેમજ પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરતું આઉટડોર જીમ છે.


વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો :- 

Ved Van Video


વેદ વન પાર્કનું સરનામું :- 

Ved Van Road, Assotech Windsor Court, Sector 78, Noida, Uttar Pradesh.

(વેદ વનમાં જવા માટે સેક્ટર 101 મેટ્રો સ્ટેશનનો ઉપયોગ કરવો.)


પાર્કનો સમય :- 

8:00 am to 9:00 pm 

(તમામ દિવસોએ પાર્ક શરૂ હોય છે.)


પાર્કના ફોટોગ્રાફ :-











 



Tuesday, August 15, 2023

અંજની મહાદેવ :- દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ

હર હર મહાદેવ

અમરનાથથી દૂર આ જગ્યાએ બને છે. દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક બરફનું શિવલિંગ

મનાલીના સોલંગનાળા સ્થિત અંજની મહાદેવ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ માનવામાં આવે છે. જ્યારે પણ અહીં પારો માઇનસ પહોંચી જાય છે આ કુદરતી શિવલિંગનો આકાર બનાવાનો શરુ થઈ જાય છે. જે ફેબ્રુઆરીમાં શિવરાત્રી સુધીમાં અંદાજે 35 ફૂટ જેટલુ ઊંચું વિશાળ શિવલિંગ બની જાય છે.

હકીકતમાં અહીં આવેલ અંજની મહાદેવ પાસે પડતું ઝરણું ઠંડીના કારણે બરફ બની જાય છે અને તેનો આકાર કુદરતી રીતે જ મોટા શિવલિંગ જેવો થઈ જાય છે. આ પ્રાકૃતિક ચમત્કારને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશથી હજારો પર્યટકો અને શ્રદ્ધાળુઓ આવે છે.

મનાલીથી 25 કિમી દૂર આવેલ સોલંગનાળા પાસે આવેલ આ અંજની મહાદેવનું કુદરતી શિવલિંગ સમુદ્ર સપાટીથી સાડા અગિયાર હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. એવી માન્યતા છે કે આ શિવલિંગના દર્શન કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં શ્રી અમરનાથ બાબા બર્ફાની કરતા પણ મોટું શિવલિંગ બને છે. આ સ્થળની પ્રચલિત પૌરાણીક કથા અનુસાર ત્રેતા યુગમાં માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ અને મુક્તિ માટે અહીં જ તપસ્યા કરી હતી. જેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ દર્શન આપ્યા હતા.કહેવાય છે કે ત્યારથી આ પ્રાકૃતિક શિવલિંગ બને છે.


મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં આવેલ અંજની મહાદેવના દર્શન કરવા હોય તો શ્રદ્ધાળુએ બરફ પર ખુલ્લા પગે ચાલીને જવું પડે છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે આ બરફ પર ખુલ્લા પગે ચાલતા કોઈપણ શ્રદ્ધાળુને હજુ સુધી ક્યારેય હિમ ડંખ કે બીજા કોઈ પ્રકારનું શારિરિક કે આરોગ્યની દ્રષ્ટીએ નુકસાન નથી પહોંચ્યું. માહિતી મુજબ લગભગ 150 મીટર સુધી લોકો બરફ પર ચાલીને શિવલિંગના દર્શન કરવા જાય છે. ત્યારે અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ જગ્યાનો જ પ્રતાપ છે કે બરફ વચ્ચે ખુલ્લા પગે ચાલવા છતા શ્રદ્ધાળુઓને કોઈ નુકસાન થતું નથી.

અંજની મહાદેવ સુધી પહોંચવા માટે બસ અને ટેક્સી દ્વારા મનાલી સુધી પહોંચવું પડે છે. ત્યારબાદ મનાલીથી સોલંગનાળા સુધીનો 15 કિમીનો પ્રવાસ કરવા માટે તમને અહી ટેક્સી મળી રહેશે. સોલંગનાળા પહોંચ્યા બાદ અંજની મહાદેવ સુધી પહોંચવા માટે 5 કિમીનો પ્રવાસ પગપાળા અથવા ઘોડા પર બેસીને કરવાનો રહે છે. ત્યારબાદ મંદિરથી પ્રાંગણમાં 150 મીટર સુધી ખુલ્લા પગે બરફમાં ચાલવાનું રહે છે.

(ભૂતકાળમાં આ જગ્યાએ બાપુ નાની જગ્યામાં ઇગલું બરફની ઝુંપડી બનાવી રહેતા ... અને જે શ્રધ્ધાળુઓ આવે તેમને ગરમા ગરમ ખીર ખવડાવતા.. હાલ બાપુ હયાત નથી પણ... પ્રસાદમાં ખીર જરૂર મળે છે.. )




























રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...