SAURASHTRA UNIVERSITY, RAJKOT
B.Ed. Exam Paper Sem-3 (New syllabus)
Subject EPC-8 ICT (Computer)
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
ઉજ્જૈન ક્ષિપ્રા નદી કિનારે આવેલું છે. વિક્રમ રાજા ના સમયમાં તેનું નામ નામ અવંતિકા નગર હતું. ઉજ્જૈન નગરી રાજા વિક્રમ તેમજ મહાકવિ કાલિદાસના નામે પણ ઓળખાય છે.
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે દર બાર વર્ષે મહા કુંભ મેળો યોજાય છે.
કહેવાય છે કે ઉજ્જૈન નગરી 5000 વર્ષ પહેલાં પણ જૂની છે અને કહેવાતું હતું કે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો હોય ઘડિયાળનો તો ઉજ્જૈન નો સમય છે એને ગણવામાં આવતો હતો.
મહાકાલ મંદિર :-
બાર જ્યોતિર્લિંગ માનો એક આ જ્યોતિલિંગ છે અને એકમાત્ર એવું શિવ મંદિર છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે. એટલે કે આરતી સમય સ્મશાનના મડદાંની ભસ્મ એટલે કે રાખ અહીંયા શિવલિંગ પર ચડાવવામાં આવે છે. પણ હાલ ત્યાં ગાયના છાણમાંથી બનેલી રાખ જ ચડાવવામાં આવે છે.
મહાકાલ કોરિડોર :-
લોકો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માટે 946 મીટર લાંબા કૉરિડોરથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચશે. ભક્તો કૉરિડોરમાં મહાકાલનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કરી શકે છે. મહાકાલ લોકમાં આવતા લોકોને અહીં કલા, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અદ્ભુત મિશ્રણ જોવા મળે છે.
મહાકાલ લોકમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવના મનોરંજનનું વર્ણન કરતી નાની-મોટી 200 જેટલી મૂર્તિઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કેવી રીતે કર્યો તેનું વર્ણન અહીં એક વિશાળ પ્રતિમા દ્વારા કરવામાં આવ્યું છે.
અહીં દરેક પ્રતિમાની આગળ એક બારકોડ લગાવવામાં આવ્યો છે, તેને સ્કેન કરતાની સાથે જ ભગવાન શિવની કથા કહેતી પ્રતિમાની સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. તેનો હેતુ પ્રાચીન ઈતિહાસ અને વાર્તાઓ વિશે નવી પેઢીને માહિતી આપવાનો છે.
કાલ ભૈરવ મંદિર :-
આ મંદિર આશ્ચર્ય અને આસ્થાનું કેન્દ્ર છે. એટલે કે આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ સામે રકાબીમાં પ્રસાદ તરીકે દારૂ ચઢાવવામાં આવે છે અને કાલભૈરવની મૂર્તિ એ દારૂ પી જાય છે. હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિકો સંશોધન કરીશું શક્ય નથી કે આ દારૂ જાય છે ક્યાં ?
હરસિદ્ધિ મંદિર :-
પોરબંદરની પાસે આવેલ હરસિધ્ધિ મંદિર થી વિક્રમ રાજા માતાજીને લાવેલા. સવારની આરતી પોરબંદર પાસે આવેલા હર્ષદ મંદિર થાય છે અને સાંજની આરતી ઉજ્જૈનમાં થાય છે. જે બંને આરતી જોવાલાયક છે. આ ઉપરાંત આ મંદિરને શક્તિપીઠ તરીકે પણ ગણના થાય છે.
સંદીપની આશ્રમ :-
શ્રીકૃષ્ણ સુદામા અને બલરામજી ત્યાં વિદ્યા અભ્યાસ કરેલો જ્યાં તેઓ ભણેલા હતા તે આશ્રમ.
મંગલનાથ મંદિર:
સ્કંધ પુરાણના અવંતિકા નગર એટલે કે ઉજ્જૈન નગરીની કથા અનુસાર અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યાચારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું. તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી બે ભાગોમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.
શ્રી વિક્રાંત ભૈરવ મંદિર
ઉજ્જૈન શહેરથી 5 કિમી દૂર ભૈરવગઢમાં શિપ્રા નદીના પૂર્વ કિનારે સ્થિત એક ખૂબ જ પ્રાચીન ચમત્કારિક સ્થળ છે. તે ઓખલેશ્વર સ્મશાનભૂમિ પર, કાલભૈરવ મંદિરની સામે થોડે દૂર આવેલું છે. ઓખલેશ્વર સ્મશાન શિપ્રાના બંને કાંઠે ફેલાયેલું છે.
તેની બાજુમાં સતી માતાનું મંદિર આવેલું છે. ખૂબ જ શાંત અને રમણીય ધાર્મિક સ્થળ છે.
ગઢ કાલિકા મંદિર
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલીઘાટ સ્થિત કાલિકા માતાનું પ્રાચીન મંદિર ગઢ કાલિકા તરીકે ઓળખાય છે.
મહાભારત કાળ દરમિયાન આ મંદિર સ્થાપિત થયું હતું, પરંતુ મૂર્તિ સત્યયુગના કાળની છે. પાછળથી, સમ્રાટ હર્ષવર્ધન દ્વારા આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. રાજ્યકાળ દરમિયાન ગ્વાલિયરના મહારાજાએ તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું.
ભૂખીમાતા મંદિર:
આ મંદિરમાં રાજા વિક્રમ કેવી રીતે રાજા બન્યા તેની કથા સાથે બાબત જોડાયેલી છે. કહેવામાં આવે છે કે ભૂખી માતાને રોજ એક યુવાનની બલી ચડાવવામાં આવતી હતી. પહેલા તેને ઉજ્જૈનનો રાજા ઘોષીત કરવામાં આવતો હતો ત્યાર બાદ ભૂખી માતા તેને ખાઇ જતી હતી. એક વાર એક દુખી માનો વિલાપ જોઇને યુવાન વિક્રમએ વચન આપ્યુ કે તેના દિકરાની જગ્યાએ તે નગરનો રાજા અને ભૂખી માતાનો ભોગ બનશે.
રાજા બનતાની સાથે જ યુવાન વિક્રમએ આખા શહેરને સુગંધીત ભોજનથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક જ્ગ્યાએ છપ્પન ભોગ સજાવી દેવામાં આવ્યાં. ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવતા પહેલા જ ખત્મ થઈ ગઈ અને તેઓએ વિક્રમને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ થવાના આશીર્વાદ આપી દીધા. ત્યારે વિક્રમમાંથી બનેલા રાજા વિક્રમાદિત્યએ તેમના સન્માનમાં આ મંદિરની સ્થાપના કરી.
કાલીદેહ મહેલ:
આ મહેલનું નિર્માણ સિંધિયા ઘરાનાએ કરાવ્યું હતું. કારણ મુજબ દંતકથા છે કે ઉજ્જૈનનો ફક્ત એક જ મહારાજા હતો અને તે હતો મહાકાલ. આ સિવાય બીજા કોઇ પણને ઉજ્જૈનમાં રાત ગાળવાની અનુમતી નહોતી. જો તે ઉજ્જૈનમાં રાત ગાળી લે તો જલ્દી તેનું રાજપાઠ નષ્ટ થઈ જાય. આ દંતકથાને લીધે સીંધીયા રાજાઓએ પોતાના રહેવા માટે આ મહેલને બનાવડાવ્યો હતો. અને કહેવાય છે કે ઉજ્જૈન માં કોઈ ઊંચા હોદા પર જે રાજકારણી હોય તે પણ અહીં રાત રોકતા નહી.
આ છે અમારું અમદાવાદથી જયસલમેર સુધીના પ્રવાસ પર આધારિત વિગતવાર અને ગોઠવાયેલું ઈટિનરરી:
દિવસ 1: જયસલમેર માટેનો પ્રવાસ
રાત્રિ 2:00: અમદાવાદથી પ્રસ્થાન કરવું.
બપોરે 12:00 (અગલા દિવસ): જયસલમેર પહોંચવું.જમણ: જયસલમેરમાં જમવું.
સાંજે 3:00: રોયલ જયસલમેર રિસોર્ટ માં ચેક-ઇન.ખર્ચ: ₹3500 દર રૂમ (મિલ્સ અને સફારી સહીત).
પ્રવૃત્તિઓ:ફ્રેશ થઈ આરામ કરવો.
સેમ સેન્ડ ડ્યુન્સ/ખુરી સેન્ડ ડ્યુન્સ માં રેતીના ટીબાઓની સફારી:થાર જીપ સફારી અને ઊંટ સફારી નો આનંદ.
સાંજે: રિસોર્ટમાં રાજસ્થાની લોકસંગીત અને નૃત્ય.
જમણ: રિસોર્ટમાં જમણ.
દિવસ 2: લોંગેવાલા અને તાનોટ માતા મંદિર
સવાર: રિસોર્ટમાં નાસ્તો.
સવાર 8:00: લોંગેવાલા વૉર મેમોરિયલ જવા માટે પ્રસ્થાન.માર્ગ: દ્રશ્યમય અને ટ્રાફિક મુક્ત માર્ગ.
સવારે 11:30: લોંગેવાલા વૉર મેમોરિયલ પર પહોંચવું.પ્રવેશ ફી: ₹50/વ્યક્તિ.
મ્યુઝિયમમાં તપાસ અને ભારત-પાક યુદ્ધ પર ડોક્યુમેન્ટરી જોવી.
બપોરે 1:30: તાનોટ માતા મંદિર (40 કિ.મી. દૂર) જવું.30 મિનિટ વીતાવ્યા અને ભારત-પાક સરહદ (20 કિ.મી.) માટે બીએસએફ પાસ મેળવ્યો.
સાંજે 6:30: જયસલમેર પરત આવવું.હોટેલ બાંસુરી એક્સેલન્સી માં ચેક-ઇન.
રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરન્ટ ખાતે ડિનર.
ચૌરાહા નજીક રાત્રી ભમણ.
દિવસ 3: જયસલમેરની મુલાકાત
સવારે 8:00: પરભુ ટી સ્ટોલ ખાતે નાસ્તો.
સવાર: જયસલમેર કિલ્લો ની મુલાકાત.પાર્કિંગ: ₹60.
ગાઈડ રાખ્યો: ચાતુરસિંહ ભાટી તેજમલતા (09610232187)ગાઈડ ફી: ₹200 (₹100 પર સેટલ થયા પણ નિષ્ઠા માટે વધારું ટિપ આપ્યું).
પ્રવેશ ફી: ₹200/પ્રતિમુખ, ₹100/બાળક (5 વર્ષથી નીચે).
ખરીદી: પુરુષોના વોલેટ (₹100–₹250) અને સ્ત્રીઓના વોલેટ (₹200–₹500). ભાવકિચકિચી શક્ય.
બપોર: પટવા હવેલી અને ગદિસર તળાવ ની મુલાકાત.પાર્કિંગ: ₹50.
ફોટોગ્રાફી અને ઘોડેસવારી માણવી.
સાંજે: કુલધારા હૌન્ટેડ વિલેજ ની મુલાકાત.પ્રવેશ ફી: ₹30/વ્યક્તિ, ₹50/કાર.
સ્થળે ફોટોગ્રાફી.
રાત્રિ: રામદેવરા બાબા રામદેવ મંદિર માટે પ્રસ્થાન.દર્શન અને ફોટોગ્રાફી.
હોટેલ નકલંગ માં રાત્રિ રોકાણ.
દિવસ 4: જોધપુર અને નકોડા તરફ પ્રસ્થાન
સવાર: જોધપુર તરફ ડ્રાઇવ.સ્પીડ મર્યાદા: 90–100 કિ.મી./કલાક ના વેગથી આગળ વધવું.
મહાવીર સ્વીટ હોમ (નવું શોપ) ખાતે નાસ્તો.
બપોરે: મહેરાનગઢ કિલ્લો ની મુલાકાત.પ્રવેશ ફી: ₹200/વ્યક્તિ.
પાર્કિંગ: ₹50.
કિલ્લા સાથે 3 કલાક વિતાવ્યા.
સાંજે: નકોડા પરશ્વનાથ જૈન મંદિર તરફ ડ્રાઇવ.રોકાણ: ₹750/રૂમ.
ભૈરવ દાદા મંદિર અને જૈન મંદિર ની મુલાકાત.
નકોડા ભૈરવ કૃપા ભોજનાલય ખાતે ડિનર.
દિવસ 5: નકોડાની મુલાકાત અને પરત ફાળો
સવાર: ભૈરવ દાદા જૈન મંદિર માં દર્શન.
શ્રી નકોડા રિદ્ધિ સિદ્ધિ ભોજનશાળા ખાતે નાસ્તો:ખર્ચ: ₹50 (અનલિમિટેડ: પોહા, ઇડલી, ખાખરા, ચા, દૂધ, વગેરે).
બપોરે: શ્રી બ્રહ્માજી મંદિર, અસોતરા ની મુલાકાત.
બપોર પછી: સુંધા માતા મંદિર ની મુલાકાત.મંદિર માટે 700 પાયાની ચઢાણ.
4 કલાક વિતાવ્યા.
સાંજે: અમદાવાદ તરફ પરત પ્રસ્થાન.
પ્રવાસનો સાર:
કુલ અંતર કવર: ~1800 કિ.મી.
મુખ્ય આકર્ષણ: જયસલમેર કિલ્લો, લોંગેવાલા, તાનોટ માતા મંદિર, જોધપુર મહેરાનગઢ કિલ્લો, નકોડા જૈન મંદિર, અને સુંધા માતા મંદિર.
પ્રવૃત્તિઓ: રેતીના ટીબાઓની સફારી, સાંસ્કૃતિક પ્રદર્શન, ફોટોગ્રાફી, ખરીદી, અને ટ્રેકિંગ.
#jaisalmer
જૈસલમેર, જેને “ગોલ્ડન સિટી” તરીકે ઓળખવામાં આવે છે, એ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ છે. આ પ્લાન તમારા માટે બધી મહત્ત્વપૂર્ણ જગ્યાઓને આવરી લેશે, જેથી સમય બચાવીને વધુ મઝા માણી શકશો.
Day 1: જૈસલમેરમાં આગમન અને સ્થાનિક દર્શન
• જૈસલમેર કિલ્લો (સોનાર કિલ્લો): તમારા પ્રવાસનો પ્રથમ દિવસ સોનાર કિલ્લાની મુલાકાતથી શરૂ કરો. આ વાદળી પથ્થરનો કિલ્લો છે જેમાં માર્કેટ, હવેલી અને જૈન મંદિરો પણ છે.
• જૈન મંદિરો: કિલ્લાના અંદર આવેલા આ જૈન મંદિરો પોતાની પ્રાચીન કોતરણી અને શિલ્પકલાને કારણે જાણીતા છે.
• પતવોં કી હવેલી: આ હવેલીની આકર્ષક રચના અને જટિલ કોતરણી ખૂબ સુંદર છે. આ જૈસલમેરની પ્રથમ હવેલી છે.
• નાથમલ કી હવેલી: આ હવેલીના સુંદર શિલ્પ અને કોતરણી આકર્ષક છે, જેનાથી આ હવેલી અનોખી લાગે છે.
• ગડિસર તળાવ પર સૂર્યાસ્ત: સાંજના સમયે ગડિસર તળાવ પર સુંદર સૂર્યાસ્ત જુઓ. આ તળાવ એક સુંદર પિકનિક સ્થળ પણ છે.
Day 2: રેતીનો મથક અને સાંસ્કૃતિક અનુભવ
• કુલધારા ગામ: આ પ્રાચીન ગામ એક ભુતિયા સ્થળ તરીકે જાણીતું છે. અહીંની પ્રાચીન વાર્તાઓ અને ઇતિહાસ વિશે જાણી શકો છો.
• સેમ રેતીના ધૂળિયા: જૈસલમેરનો પ્રવાસ સેમ રેતીના ધૂળિયાની સફારી વિના અધૂરો છે. અહીં તમારે ઊંટ સવારી અને જીપ સફારીનો આનંદ માણી શકો છો.
• સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજસ્થાની ભોજન: રાત્રીના સમયે ડેઝર્ટ કેમ્પમાં રાજસ્થાની લોકનૃત્ય અને ભોજનનો આનંદ લો.
Day 3: ઐતિહાસિક સ્મારકો અને પ્રસ્થાન
• બડા બાગ: આ જગ્યાએ ઘણી છત્રીઓ અને મહારાજાઓની સમાધિઓ જોવા મળે છે, જે ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ છે.
• ડેઝર્ટ નેશનલ પાર્ક: અહીં વન્યજીવન અને પ્રાચીન ડાયનાસોરના ફોસિલ્સ જોવા મળે છે. કુદરતી પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ સ્થાન છે.
• અમર સાગર અને લોદુરવા મંદિરો: અમર સાગર એક સુંદર તળાવ છે અને લોદુરવા પ્રાચીન રાજધાનીની જગ્યા છે, જ્યાં પ્રાચીન મંદિરો અને કોતરણી જોવા મળે છે.
• જૈસલમેર માર્કેટમાં શોપિંગ: જૈસલમેરના પ્રવાસના અંતે સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરો, જ્યાંથી તમે પરંપરાગત હેન્ડિક્રાફ્ટ, ટેક્સટાઇલ્સ અને જ્વેલરી લઈ શકો છો.
વૈકલ્પિક સ્થળો (જો સમય હોય તો)
• તાનોટ માતા મંદિર: આ મંદિર જૈસલમેરથી 2-3 કલાકના અંતરે છે અને સરહદ નજીક આવેલું છે. આ મંદિર બીએસએફ દ્વારા સંચાલિત છે અને ત્યાં જવાનો પણ એક ખાસ અનુભવ છે.
મનોરમ્ય માથેરાન.
Matheran
“મરાઠીમાં માથે એટલે ઉપર અને રાન એટલે જંગલ. ડેડી, આપણે પર્વતની ટોચ ઉપર આવેલા જંગલમાં આવી ચૂક્યા છીએ. કેવું અદભૂત અને અલૌકિક વાતાવરણ છે, નહિ!”
નીલ આર્મસ્ટ્રોંગે જયારે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હશે ને પૃથ્વીથી તદ્દન ભિન્ન એવી એ ધરતી પર પ્રથમ પગલું મૂકતાવેંત એમને જેવા અલૌકિક આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઇ હશે એવી જ લાગણી જાણે ના અનુભવી રહ્યો હોય એટલા જ હોંશ અને ઉત્સાહથી દીકરાએ માથેરાન ઉપર પહોંચી ગયાની જોરશોરથી જાહેરાત કરી.
અંધેરીથી ઘાટકોપર સુધી મેટ્રોમાં ને ત્યારપછી ત્યાંથી નેરલ સુધી અમે લોકલ ટ્રેનમાં આવ્યા હતા. નેરલથી સ્થાનિક ટેક્સીમાં બેસીને અમે માત્ર વીસ મીનીટમાં દસ્તૂરી નાકા સુધી પહોંચી ગયા હતા જે હવા અને અવાજનું પ્રદૂષણ ઓકતા વાહનો માટેનો અંતિમ પડાવ હતો કારણ કે, અહીંથી જ ઇકો ઝોનની શરૂઆત થતી હોવાને કારણે વાહનો માટે આગળ જવા પર પ્રતિબંધ હતો. માથેરાનનું મુખ્ય સ્ટેશન અને બજાર અહીંથી માત્ર અઢી કિલોમીટર દૂર હતાં. ત્યાંસુધી પહોચવા માટે કુલ ચાર વિકલ્પો ઉપલબ્ધ હતા; ૧. ઘોડા પર બેસીને, ૨. ટ્રેનમાં બેસીને, ૩. ઈલેક્ટ્રિક રીક્ષામાં બેસીને અને ૪. પગપાળા.
ફરવા જ નીકળ્યા છીએ તો કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલતા જઈએ એમ વિચારીને અમે પગપાળા જ ચાલવા માંડ્યું. સૌથી પહેલા સ્થાનિક ટેક્સ ચૂકવીને અમે એક મોટા ડોમમાંથી પસાર થયા ને ત્યાર પછી બ્લોકસ પાથરેલા સાફસૂથરા રસ્તા ઉપર આવી ગયા હતા. થોડું ચાલ્યા પછી અમે ‘અમન લોજ’ નામના સ્ટેશન નજીક આવી પહોંચ્યા. અહીંથી અમે મુખ્ય રસ્તાને છોડીને ટ્રેન જે રસ્તે જાય છે એ ટ્રેકને સમાંતર જ ચાલવાનું શરૂ કર્યું. સ્ટેશનથી થોડે જ દૂર અમને એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું. ટ્રેકની બંને બાજુએ ભેખડો હતી ને એની ઉપર ઘટાદાર વૃક્ષો આવેલા હતા ને એ વૃક્ષોની છાયામાં ટ્રેનનો ટ્રેક જમણી બાજુએ તીવ્ર વળાંક લઇ રહ્યો હતો. ફોટોગ્રાફી માટે આથી ઉત્તમ દૃશ્ય બીજું કયું હોઈ શકે એમ વિચારીને અમે એકબીજાનાં અઢળક યાદગાર ફોટાઓ પાડ્યા.
આવા અદભૂત ને અલૌકિક વાતાવરણમાં થાકનો લગીરે અનુભવ થાય ખરો! ટ્રેનનાં ટ્રેકને સથવારે ખભે થેલો ભરાવીને બસ અમે તો ચાલતા જ રહ્યા. ટ્રેક કયાંક સીધેસીધો તો ક્યાંક ડાબે જમણે સર્પાકારે ઉપર તરફ આગળ વધી રહ્યો હતો. રસ્તો સૂમસામ હતો અને વાતાવરણ શાંત, નીરવ અને સ્તબ્ધ હતું. ક્યારેક ક્યારેક પક્ષીઓનો કલરવ, પહાડી ખિસકોલીઓની ચીખ તો ક્યારેક અશ્વોની હણહણાટી આ શાંત અને નીરવ વાતાવરણમાં મીઠી ખલેલ પહોંચાડી રહ્યા હતા. આવા વાતાવરણને સાથ આપવા માટે અમે પણ મૌન રહેવાની મજા માણી રહ્યા હતા ને અચાનક આગળ ચાલી રહેલા દીકરાની તીણી ચીખ સંભળાઈ; "ડાબી બાજુ નજર તો કરો. કેવી રળિયામણી પર્વતમાળાઓ દેખાઈ રહી છે."
ડાબી બાજુએ વળાંક લઈ રહેલા ટ્રેક પર થોડે આગળ વધ્યા ને સામેનું દૃશ્ય નિહાળીને અમે અવાચક બની ગયા. જાણે કોઈ ખ્યાતનામ કલાકારે પૃથ્વી પર વિશાળ કેનવાસ ના પાથર્યો હોય એમ નજર પહોંચે ત્યાં સુધી સ્વચ્છ અને નિરભ્ર આકાશ ભૂરા રંગમાં પથરાયેલું હતું. એ કેનવાસ પર ચિતારાએ નવરાશની પળોમાં હળવે હાથે પીંછીના નાના મોટા લસરકા માર્યા ના હોય એમ પશ્ચિમઘાટની પર્વતમાળાઓ દૂર સુધી નજરે ચઢી રહી હતી. એની ઉપરથી પડતો પાણીનો પ્રવાહ ઝરણું બનીને સસલાની માફક ઉછળકૂદ કરી રહ્યો હતો, જ્યારે એની વચ્ચે ઉંડી ને અગાધ ખીણો ચોવીસ કેરેટના સોનાની માફક ચમકી રહી હતી. આ બધામાં શિરમોર એવા ચોમેર છવાયેલા લીલાંછમ્મ ને ઘટાદાર જંગલો શરીર પર ધારણ કરેલા આભૂષણોની માફક પશ્ચિમઘાટની પર્વતમાળાઓને પ્રભાવશાળી બનાવી રહ્યા હતા. ક્ષણભર માટે સમય જાણે કે થંભી ગયો હતો ને કુદરતની આ અકળ ને અદભૂત લીલાનાં દર્શન કરવા માટે અમે પણ થંભી ગયા હતા.
કુદરતી સૌંદર્યનું મનભરીને રસપાન કર્યા પછી જયારે અમે માથેરાનના મુખ્ય બજારમાં પહોંચ્યા ત્યારે ભોજનનો સમય થઇ ચૂક્યો હતો ને અમારા પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. એક જાણીતી રેસ્ટોરાંમાં જેવી અમે ભોજનની શરૂઆત કરી કે તરત જ વરુણ દેવે પણ અમારા આગમનને વધાવવા માટે ગાજવીજ સાથે પૃથ્વી પર પધરામણી કરી. ભોજન પૂરું થયા પછી પણ વરસાદ વિરામ લેવાનું નામ નહોતો લેતો આથી બાજુની દુકાનમાંથી રેઇનકોટ ખરીદીને અમે ત્યાંથી પાંચ સાત મિનીટ દૂર આવેલા અમારા રીસોર્ટ ભણી ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે, વરસતા વરસાદની સાથે જુગલબંધી કરવા માટે રૂની પૂણી જેવા સફેદ ધુમ્મસના વાદળોએ પણ ચોમેર ઘેરો ઘાલી દીધો હતો.
એક બાજુ વરસાદથી બચવા માટે માથે ટોપો ને શરીર પર ઢીંચણ સુધી ધારણ કરેલા કામચલાઉ રેઈનકોટને કારણે અમારો દેખાવ અવકાશયાત્રી જેવો અનોખો હતો ને બીજી બાજુ, ગાજવીજ સાથે ધોધમાર વરસી રહેલો વરસાદ તથા અચાનક આવી ચઢેલા ધુમ્મસના વાદળોને કારણે સર્જાયેલું અનોખું ને અદભૂત વાતાવરણ હતું.
આવા મનમોહક વાતાવરણમાં, જ્યારે અમે સ્તબ્ધ અને સૂમસામ બની ગયેલા મુખ્ય રસ્તા પર વરસાદને ઝીલતાં ઝીલતાં અને ધુમ્મસને ચીરતા ચીરતા હળવે પગલે ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમને પણ અદભૂત ને અલૌકિક દુનિયામાં આવી ના પહોંચ્યા હોય એવી અનોખી લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.
- કમલ સંગીત
પ્રાચીન ભારતમાં પણ તમામ પ્રકારની ક્ષમતાના એન્જિનિયરો હતા તે તેના મંદિરો અને તેના એન્જિનિયરિંગ,વાસ્તુ,ધાતુ શાસ્ત્ર ના રેકોર્ડ્સ પરથી સ્પષ્ટ છે, પરંતુ સનાતન ધર્મ થી અણગમતા ભારતની સ્ટીરિયોટાઇપ ,વામ પંથી લોકો હજી પણ સ્વીકારવામાં શરમ અનુભવે છે .
19મી માર્ચ, 1953ના રોજ ભારતીય સંસ્કૃતિ સંસ્થાનની ચર્ચા સભામાં વિચારણા કરવામાં આવેલ આ વિદ્વતાપૂર્ણ પેપરમાં આપણા કેટલાય વ્યવહારોએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રાચીન ભારતીય સિદ્ધિઓની સાક્ષી આપી છે. પ્રો. પી. કે. ગોડે એ હકીકત પ્રસ્થાપિત કરે છે કે આતશબાજીના પ્રયોજિત વિજ્ઞાનમાં, મધ્યયુગીન ભારત માત્ર ટેકનિકલ ચાતુર્યમાં પશ્ચિમી દેશોથી પાછળ નહોતું અને હજુ પણ 15મી સદીના મધ્ય પહેલા તહેવારોના પ્રસંગોએ પ્રદર્શન માટે ફટાકડા વિકસાવ્યા હોવાનું જણાય છે.
ભારતમાં ફટાકડાનો વિગતવાર ઇતિહાસ:
300 વરસ ઈસા પૂર્વે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સોલ્ટપીટરનો ઉલ્લેખ છે
2,300 વર્ષ પહેલાં, કૌટિલ્યએ અર્થશાસ્ત્ર, સંચાલન, કાયદાનું શાસન અને અર્થશાસ્ત્ર પર ભારતનો ભવ્ય ગ્રંથ લખ્યો હતો. તેમાં, તે સોલ્ટપેટર (અગ્નિચૌરાન) વિશે વાત કરે છે, જે "અગ્નિ બનાવવા માટેનો પાવડર" હતો. કૌટિલ્યએ કહ્યું કે સોલ્ટપેટરનો ઉપયોગ ધુમાડો બનાવવા માટે થઈ શકે છે જેનો ઉપયોગ યુદ્ધમાં દુશ્મન સામે લડવા માટે થઈ શકે છે.
ઈ .સ. 600
નીલમતા પુરાણ કહે છે કે દિવાળીના 14/15માં દિવસે ફટાકડા પ્રગટાવવા જોઈએ
નીલમતા પુરાણ એ કાશ્મીરનો એક પ્રાચીન લખાણ (6ઠ્ઠી થી 8મી સદી ) છે, જેમાં તેના ઇતિહાસ, ભૂગોળ, ધર્મ અને લોકવાયકા વિશેની માહિતી છે. તે કહે છે કે મૃત પૂર્વજોને માર્ગ બતાવવા માટે કારતક (દિવાળી)ના 14/15માં દિવસે ફટાકડા પ્રગટાવવા જોઈએ.
ઈ.સ.700
એક ચીની લખાણ લખે છે કે ભારતીય લોકો "જાંબલી જ્વાળાઓ" ઉત્પન્ન કરે છે
1300 વર્ષ પહેલાંનું એક ચાઈનીઝ લખાણ કહે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના લોકો સોલ્ટપેટરના અસ્તિત્વથી વાકેફ હતા અને તેનો ઉપયોગ "જાંબલી જ્વાળાઓ" ઉત્પન્ન કરવા માટે કરતા હતા. આ સૂચવે છે કે જ્વાળાઓ લશ્કરને બદલે સૌંદર્યલક્ષી હેતુઓ માટે બનાવવામાં આવી હતી, જે આધુનિક ફટાકડાના પ્રારંભિક પુરોગામી હતા.
ઈ .સ.1400
ઇટાલિયન પ્રવાસી કહે છે કે વિજયનગર સામ્રાજ્ય ના લોકો "ફટાકડા બનાવવામાં માહેર" છે.
વચ્ચેના ગાળામાં ઘણું બધું થયું. કેટલીક સદીઓ પહેલા ચીનમાં ગનપાઉડરની શોધ થઈ હતી અને તે આખરે ભારતમાં આવી. વધુ વિસ્તૃત ફટાકડા બનાવવા માટે ભારતીયોએ તેને ઝડપથી અપનાવી લીધું. આ સમયગાળામાં ભારતની મુલાકાતે આવેલા ઇટાલિયન પ્રવાસી લુડોવિકો ડી વર્થેમાએ વિજયનગર શહેર અને તેના હાથીઓનું વર્ણન કરતી વખતે આ કહ્યું: “પરંતુ જો હાથીઓ તોફાને ચડે તો અગ્નિ ,અવાજ સાથે ના ફટાકડા ફોડી ને હાથી ભગાડવા માં આવતા. કારણ કે આ લોકો ફટાકડા બનાવવામાં માહેર હતા.
ઇ .સ. 1500
સંસ્કૃત ગ્રંથ કૌતુકચિંતામણી ફટાકડા બનાવવા માટે વપરાતા મિશ્રણનું વર્ણન કરે છે
આતશબાજીના મિશ્રણનું વર્ણન કરતા ફટાકડાના ઉત્પાદનના સૂત્રોનું વર્ણન ઓરિસ્સાના પ્રતિષ્ઠિત રાજવી લેખક ગજપતિ પ્રતાપરુદ્રદેવ (1497-1539) દ્વારા સંસ્કૃત ગ્રંથ કૌતુકચિંતામણીમાં કરવામાં આવ્યું હતું. દિવાળીની ઉજવણી માટે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો,
1600 ઈ.સ
રુક્મિણી સાથે કૃષ્ણના લગ્ન દરમિયાન સાહિત્યમાં રોકેટ અને ફૂલઝાડીઓનું વર્ણન કરવામાં આવ્યું છે
સંત એકનાથ દ્વારા સોળમી સદીની લોકપ્રિય મરાઠી કવિતા "રુક્મિણી સ્વયંવર" કહેવાય છે, જે કૃષ્ણ સાથે રુક્મિણીના લગ્નનું વર્ણન કરે છે. કવિતામાં રોકેટથી લઈને આધુનિક ફૂલઝાડીની સમકક્ષ ફટાકડાની શ્રેણીનો ઉલ્લેખ છે.
1667
ઔરંગઝેબે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો
મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, એ 9મી એપ્રિલ 1667ના શાહી ફરમાન થી ઔરંગઝેબે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ફરમાનનું શીર્ષક "આતિશબાઝી પર પ્રતિબંધ" હતું, અને કહ્યું હતું કે ફટાકડાનું પ્રદર્શન "પ્રતિબંધિત છે." તેમાં ઉમેર્યું હતું કે કોઈએ "આતિશબાઝીમાં વ્યસ્ત રહેવું" નથી.
1800 ઈ.સ
દિવાળી પર ભવ્ય ફટાકડાની ઉજવણી થાય છે
જેમ જેમ મુઘલ સત્તા ક્ષીણ થઈ, દિવાળીની ઉજવણી વધુ ભવ્ય બની. મરાઠા ઈતિહાસના લખાણ પેશવાંચી બખારમાં કોટાહ (આધુનિક કોટા, રાજસ્થાન)માં દિવાળીની ઉજવણીનો ઉલ્લેખ છે. મહાદજી સિંધિયા કહે છે: “દિવાળીનો તહેવાર કોટામાં 4 દિવસ માટે ઉજવવામાં આવે છે, જ્યારે લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. કોટાના રાજા આ 4 દિવસો દરમિયાન તેમની રાજધાનીના પરિસરની બહાર આતશબાજીનું પ્રદર્શન કરે છે. તેને ... "આતશબાજીની લંકા" કહેવામાં આવે છે.
2022 CE
દિવાળી: ભારતનો સૌથી મોટો તહેવાર
દિવાળી એ ભારતની સૌથી ભવ્ય ઉજવણી બની જાય છે, જેમાં દેશભરના લોકો ફટાકડા ફોડે છે, દિવા પ્રગટાવે છે અને રોકેટ છોડે છે. પરંતુ દિવાળી નગણ્ય પ્રદૂષણ પેદા કરે છે તેવા મજબૂત પુરાવા હોવા છતાં, ઘણા રાજ્યો હવે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના પગલાં લઈ રહ્યા છે, જેના કારણે ભારતની 2500 વર્ષ જૂની પરંપરા જોખમમાં છે.
રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...