Friday, June 27, 2025

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક


👉રામદેવપીરની સમાધિ

👉ડાલી બાઈની બંગડી

👉રામદે પીરની પરચા બાવડી વાવ

👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય.

👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો.

👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય.

👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

STD 11 COMMERCE BA QUESTION BANK Chep 2

Std 11 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046

મંથલી, સત્રાંત,  વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.

Chep 2

ધધાંકીય સેવાઓ-PART 1

 વિભાગ:-B

→ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. (દરેકના 1 ગુણ)

  1. વીમાપોલિસી એટલે શું?
  2. સામાન્ય વીમાના પ્રકારો જણાવો.
  3. જિંદગીનો વીમો એટલે શું?
  4. વખારનો અર્થ આપો.
  5. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું?
  6. LIC નું પુર્ણ રૂપ આપો.
  7. IRDA નું પુર્ણ રૂપ આપો.
  8. FDI નું પુર્ણ રૂપ આપો.
  9. VPP નું પુર્ણ રૂપ આપો.
  10. પાઈપલાઈન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે?
  11. રાષ્ટ્રીય બચતપત્રોનો સમયગાળો કેટલા વર્ષ માટેનો હોય છે?
  12. જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કયારે કરવામાં આવ્યું ?
  13. IRDA ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?

 

વિભાગ:-C

→ નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો.   (દરેકના 2 ગુણ)

  1. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંતની સમજ આપો.
  2. હયાતીનો વીમો જણાવો.
  3. વિશિષ્ટ વખારો કોને કહેવાય?
  4. મનીઓર્ડર વિશે સમજ આપો.
  5. સ્વાસ્થ્યના વીમા વિશે જાણકારી આપો.
  6. વેલ્યુ પે–એબલ પોસ્ટ વિશે માહિતી આપો.
  7. માનવબળ દ્વારા સંચાલિત વાહનવ્યવહાર સેવા સમજાવો.


વિભાગ:-D

→ નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો. (દરેકના 3 ગુણ)

  1. નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો.
  2. વીમાના પ્રકારો સમજાવો.
  3. માલની હેરફેરનો વિમો મુદ્દાસર સમજાવો.
  4. ટપાલ સેવાઓ વિશે માહિતી આપો.
  5. વાહન વ્યવહાર અને હેરફેરની સેવાના પ્રકારો સમજાવો.
  6. વખારના પ્રકારો સમજાવો.

 


Gyanpothi whatsapp Channel માં 

Join થવાની લિંક

Click for Join Group

 

Sunday, June 22, 2025

डोल आश्रम

अल्मोड़ा जिले की पहाड़ियों और जंगलों के बीच स्थित डोल आश्रम बहुत ही शांत एवं सुकून देने वाला है। चारो तरफ हरियाली देवदार के घने वृक्षों के बीच। डोल आश्रम अल्मोड़ा जिले के लमगड़ा ब्लॉक पर स्थित है।

      यहां मां त्रिपुर सुंदरी जी का श्री यंत्र जो कि अष्ट धातु निर्मित है तथा विश्व का सबसे बड़ा श्री यंत्र है। श्रीयंत्र लगभग डेढ़ टन (150कुंतल) वजन और साढ़े तीन फुट का है। कहा जाता है इसमें सभी देवी देवताओं का वास है। इस के अलावा यहां अन्य देवी देवता भी विराजमान है।

       आठ एकड़ में स्थित डोल आश्रम के अंदर एक संस्कृत विद्यालय भी है।संस्कृत भाषा के अलावा छात्रों को कंप्यूटर और अंग्रेजी भी पढ़ाई जाती है। छात्रों से सिर्फ 100 रुपए एडमिशन शुल्क लिया जाता है। बाकी   रहना, खाना सब निःशुल्क है। उपचार हेतु चिकित्सालय भी है।

      यहां यात्रियों के रुकने व भोजन की भी निःशुल्क व्यवस्था है। परंतु आपको पहले से बुकिंग करनी होगी। बुकिंग के लिए आप site पर जा कर आप बुकिंग करवा सकते है अथवा 8445649173, 8865983379 पर कॉल कर के भी बुकिंग करवा सकते है। अधिकतम आप तीन दिन ही रुक सकते है। आधार आवश्यक है। यदि आपको बुकिंग नहीं हो पाती तो निराश मत होइए। आश्रम के मुख्य द्वार के सामने मून लाइट होम स्टे है जहां आप रुक सकते है। काफी किफायती है।


     अल्मोड़ा से 40 किमी तथा काठगोदाम से लगभग 75 किमी की दूरी पर है। निकटम रेलवे स्टेशन काठगोदाम है व निकटतम हवाई अड्डा पंतनगर है।

Friday, June 20, 2025

देहरादून

 देहरादून में रुकने के लिए जैन धर्मशाला बहुत अच्छी है, यहां पर फ्लैट_ कमरे_ac _non ac कमरे विशाल परिसर में उपलब्ध है! हिंदू धर्म से जुड़े हुए, हर बंदे को दिए जाते हैं, मई जून में भीड़ रहती है, बाकी जब भी यहां पर जाएं.. अपने साथ आधार कार्ड की फोटो कॉपी ले कर जाए! एक ताला साथ लेकर जाए! गांधी रोड पर है, स्टेशन से 200 कदम दूर है, पैदल ही जा सकते हैं, रुकने के लिए भरोसेमंद, किफायती और अच्छी जगह है!  

STD 11 COMMERCE BA QUESTION BANK Chep 1

Std 11 કોમર્સ

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046

મંથલી, સત્રાંત,  વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.

Chep 1 

ધંધા નુ સ્વરુપ હેતુ અને કાર્યક્ષેત્ર

 વિભાગ :-B

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. (દરેકના 1 ગુણ)

  1. આર્થિક પ્રવૃતિ એટલે શું ?
  2. ધંધો એટલે શું?
  3. નફો એટલે શું?
  4. વ્યવસાય એટલે શું?
  5. રોજગાર એટલે શું?
  6. વેપાર એટલે શું?
  7. ધંધાકીય પ્રવૃતિનું વર્ગીક૨ણ કેટલી રીતે ક૨વામાં આવે છે?
  8. આર્થિક પ્રવૃતિના પ્રકાર જણાવો.
  9. વાણિજ્ય એટલે શું?
  10. ગૌણ ઉદ્યોગના કોઈપણ બે ઉદાહરણ આપો.
  11. વેપારના પ્રકાર જણાવો.
  12. આંતરિક વેપાર એટલે શું?
  13. આંત૨૨ાષ્ટ્રીય વેપાર એટલે શું?

 વિભાગ:-C

નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો. (દરેકના 2 ગુણ)

  1. બિન આર્થિક પ્રવૃતિ ઉદાહરણ સહિત સમજાવો.
  2. વ્યવસાયની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
  3. ધંધાકીય જોખમો જણાવો.
  4. રોજગારની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
  5. પ્રાથમિક ઉદ્યોગ ઉદાહરણ સહિત સમજાવો.
  6. વેપારની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
  7. વાણિજ્યની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.

 વિભાગ:-D

નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો.  (દરેકના 3 ગુણ)

  1. ધંધાના આર્થિક હેતુઓ સમજાવો.
  2. ધંધાના સામાજિક હેતુઓ સમજાવો.
  3. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સમજાવો.
  4. ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો.
  5. આર્થિક અને બિન આર્થિક પ્રવૃતિ વચ્ચેના તફાવતના કોઈપણ ત્રણ મુદ્દા સમજાવો.

 વિભાગ:-E

નીચેના પ્રશ્નોના વિસ્તારપુર્વક જવાબ લખો. (દરેકના 5 ગુણ)

  1. ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો.
  2. ધંધો એટલે શું? ધંધાકીય જોખમોનાં કારણો સમજાવો.
  3. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેના તફાવતના કોઈપણ પાંચ મુદ્દા સમજાવો.

Gyanpothi whatsapp Channel માં 

Join થવાની લિંક

Click for Join Group

Thursday, June 12, 2025

नैनीताल

 3 दिन में नैनीताल घूमें फ्री या मिनिमम खर्च में! 

सोलो ट्रैवलर के लिए अल्टीमेट गाइड 🔥


अगर बजट कम है और घूमने का दिल बड़ा तो नैनीताल में ऐसी कई जगहें हैं जहाँ आप पैदल या लोकल ट्रैवल से घूम सकते हैं बिना जेब ढीली किए।


👇पूरा प्लान पढ़ो!


Day 1 – नैनीताल टाउन वॉक (सिर्फ पैदल)


📍 Naini Lake – झील के चारों ओर 2.5–3 km वॉक


📍 Naina Devi Temple – झील के किनारे ही


📍 Tibetan Market – मंदिर से सटा हुआ


📍 Mall Road – 1.5 km का सुंदर वॉक


📍 Thandi Sadak – झील के दूसरी तरफ, शांत और हरियाली भरा रास्ता


सभी लोकेशन एक-दूसरे से सिर्फ 5–10 मिनट की दूरी पर हैं।


Day 2 – ऊंचाई और व्यू पॉइंट्स


🚡 Snow View Point – केबल कार से (₹250-300 राउंड ट्रिप) या 3 km ट्रैक


Tiffin Top (Dorothy’s Seat) – 4 km ट्रैक (2–2.5 घंटे)


Lovers Point + Suicide Point – रास्ते में ही


Land’s End – 2 km आगे ट्रैक-

पूरा दिन ट्रैकिंग और नज़ारों से भरा होगा।


Day 3 – पास की झीलें (बस या शेयर टैक्सी से)


Bhimtal – 22 km (₹40–₹50 लोकल टैक्सी


Naukuchiatal – 26 km (Bhimtal से 4 km और)


Sattal – 23 km (Bhimtal से थोड़ा हटकर)


ये तीनों झीलें एक दिन में कवर हो सकती हैं बस सुबह जल्दी निकलो।


कुल खर्च (3 दिन का अनुमान)


लोकल ट्रैवल: ₹250–₹350


खाने-पीने: ₹700–₹800


रहने का खर्च: 

₹300–₹500 यानी करीब 1500-1700रु 3 दिन के।

(डॉरम/लोकल लॉज/डोरमेट्री) मॉल रोड से थोड़ा दूर लेने पर बजट में


कुल बजट 3 दिन का खुलकर माने तो 3000-3500 



Sunday, June 8, 2025

DigiPIN

પિન કોડને અલવિદા, ટપાલ વિભાગે DigiPIN રજૂ કર્યું, તમારું ડિજિટલ સરનામું કેવી રીતે શોધવું?

ટપાલ સરનામાંનું આકર્ષણ રહેલા પિન કોડનો યુગ પૂરો થઈ ગયો છે, અને ભારતીય ટપાલ વિભાગે તેના વિકલ્પ તરીકે 'DigiPIN' નામનું ડિજિટલ સરનામું રજૂ કર્યું છે. DIGIPIN હવેથી દેશમાં નવી સરનામાં સિસ્ટમ હશે. પરંપરાગત પિન કોડ વિશાળ વિસ્તારને આવરી લે છે, જ્યારે 10-અંકની DigiPIN સિસ્ટમ તમારા ઘર અથવા વ્યવસાયનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. ચાલો જાણીએ કે PIN કોડ અને DigiPIN વચ્ચે શું તફાવત છે.

ભારતીય ટપાલ વિભાગે ચોક્કસ સ્થાન સમજવા માટે DIGIPIN સિસ્ટમ રજૂ કરી છે. DigiPIN માં 10-અંકનો ડિજિટલ કોડ છે. પરંપરાગત પિન કોડને બદલે, જે વિશાળ વિસ્તારને આવરી લે છે, DigiPIN ચોક્કસ સ્થાન માહિતી પ્રદાન કરશે. એટલે કે, તમારા ઘર અથવા વ્યવસાયનું ચોક્કસ સ્થાન આ DigiPIN દ્વારા શોધી શકાય છે. તમે DigiPIN બનાવવા માટે નિયુક્ત સરકારી વેબસાઇટની મુલાકાત લઈને અને કોડ શોધીને તમારું ઘર શોધી શકો છો.  DigiPIN નો ફાયદો એ છે કે તે યોગ્ય જગ્યાએ પત્રવ્યવહાર પહોંચાડશે અને એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ જેવી કટોકટી સેવાઓને સ્થાન સમજીને સચોટ રીતે ત્યાં પહોંચવામાં મદદ કરશે. એવી આશા છે કે DigiPIN ગ્રામીણ વિસ્તારો સહિત દૂરના વિસ્તારોમાં ફાયદાકારક રહેશે.

એવો દાવો કરવામાં આવે છે કે DigiPIN ફક્ત પત્રવ્યવહાર માટે જ નહીં, પરંતુ ઈ-કોમર્સ વેબસાઇટ્સ માટે પણ યોગ્ય સ્થાને પાર્સલ પહોંચાડી શકશે.

તમારો Digipin કેવી રીતે શોધવો?

સરકારી વેબસાઇટ 

indiapost.gov.in

તમારા Digipin શોધવા માટે તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટની મુલાકાત લઈને અને તમને મળેલા સ્થાન પર ક્લિક કરીને, તમે તમારા 10-અંકના Digipin શોધી શકો છો. Digipin ને અન્ય સરનામાં સિસ્ટમોથી અલગ બનાવતી બાબત એ છે કે તમે ચાર મીટરની ત્રિજ્યામાં તમારું ચોક્કસ સ્થાન જાણી શકો છો. ઇન્ડિયા પોસ્ટે IIT હૈદરાબાદ, NRSC અને ISRO સાથે મળીને Digipin નામની જીઓકોડેડ ડિજિટલ સરનામાં સિસ્ટમ વિકસાવી છે. Digipin નો ઉપયોગ ઑફલાઇન પણ કરી શકાય છે.




Saturday, June 7, 2025

ચિનાબ ‌બ્રિજ : એક ઇજનેરી અજાયબી

કાશ્‍મીરમાં ‌ચિનાબ નદી પર બનેલા જગતના સૌથી ઊંચા રેલવે પુલ ‌વિશે ‌‘‌જિપ્સી’માં આપેલો લેખ અહીં સમયો‌ચિત અપડેટ સાથે વાંચો....

જમ્‍મુનો રિયાસી તાલુકો હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે. ઓછામાં ઓછા પ,૦૦૦ ફીટ અને મહત્તમ ૧૪,૦૦૦ ફીટ ઊંચા પહાડોના ઢોળાવો પર તેમજ ખીણોની ગોદમાં અનેક ગામો વસેલાં છે. આ પૈકી બક્કાલ અને કૌરી વચ્‍ચેની ઊંડી ખીણમાં વહેતી ચિનાબ નદી પર છેલ્‍લાં કેટલાંક વર્ષથી વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બની રહ્યો છે. પોલાદનો એ સેતુ arch/ આર્ચ પ્રકારનો એટલે કે કમાનાકાર છે. નદીના સામસામા કિનારેથી એકસાથે બે નોખી કમાનોનું બાંધકામ ઘણા વખતથી ચાલતું હતું. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ઇજનેરોએ બન્‍ને કમાનો વચ્‍ચે હસ્‍તમેળાપ કરાવી બહુ મોટું સીમાચિહ્ન પાર કર્યું.

ચિનાબ બ્રિજ તરીકે ઓળખાતો પુલ કઠિન ઇજનેરી પડકાર હતો. બ્રિજ પૂર્ણતઃ બની રહ્યા પછી તેની ગણના ઇજનેરી અજાયબી તરીકે થઈ છે. અલબત્ત, ઇજનેરી ઉપરાંત તેનું વ્‍યવહારિક મહત્ત્વ પણ છે. કારણ કે ચિનાબ બ્રિજ થકી પહેલી વાર જમ્‍મુ અને કાશ્‍મીર ખીણપ્રદેશ રેલવે લાઇન થકી એકબીજા જોડે સાંકળાયા છે. એક જ રાજ્યના (હવે કેંદ્રશાસિત પ્રદેશના) બે જુદા ભૌગોલિક છેડા વચ્‍ચે ઇતિહાસમાં પહેલી વાર રેલલિંક સ્‍થપાઈ છે. આજે જાણીને નવાઈ લાગે કે જમ્‍મુ-શ્રીનગરને લોઢાના પાટે સાંકળી લેવાનો માટેનો પ્રસ્‍તાવ છેક ૧૯૦પમાં મુકાયો હતો—અને છતાં પૂરાં ૧૨૦ વર્ષે હસ્‍તમેળાપનું મુહૂર્ત નીકળ્યું છે!

એપ્રિલ ૧૭, ૧૮પ૩ના રોજ મુંબઈના બોરીબંદર અને થાણે વચ્‍ચે પહેલી ટ્રેન દોડી એ સાથે હિંદુસ્‍તાનમાં રેલયુગનાં મંડાણ થયાં. પચાસેક વર્ષના સમયગાળામાં તો હિંદુસ્‍તાનનાં ઘણાં મુખ્‍ય શહેરો રેલવે થકી સંકળાઈ ચૂક્યાં હતાં. કાશ્‍મીર રજવાડાને રેલવેનો લાભ ૧૮૯૭માં મળ્યો. જમ્‍મુ અને  સિઆલકોટ (વર્તમાન પાકિસ્‍તાન) વચ્‍ચે તે વર્ષે નિયમિત રેલવે સેવા શરૂ થઈ. આઠેક વર્ષ પછી બ્રિટિશહિંદની સરકારે શ્રીનગરને રાવલપિંડી (વર્તમાન પાકિસ્‍તાન) તથા જમ્‍મુ સાથે રેલમાર્ગે જોડવાની કાશ્‍મીરના મહારાજા પ્રતાપ સિંહ  સમક્ષ રજૂઆત કરી. મહારાજાએ મંજૂરી પણ આપી, પરંતુ પ્રોજેક્ટની રૂપરેખા કાગળ પર જ રહી ગઈ. આઝાદી સુધી તો ઠીક, સ્‍વતંત્રતા મળ્યા બાદ પણ કાશ્‍મીર ખીણ ટ્રેનસેવાથી વંચિત રહી. દરમ્‍યાન જમ્‍મુ નગર પઠાણકોટ અને જાલંધર જેવાં શહેરો મારફત રેલવેના પાટે બાકીના ભારતથી જોડાયું.

વર્ષો વીત્‍યાં. જમ્‍મુ-શ્રીનગર રેલલિંકના ૧૯૦પમાં રજૂ કરાયેલા અને પછી ભૂલી જવાયેલા સૂચિત પ્રોજેક્ટને ૧૯૯૪માં ફરી યાદ કરાયો. ભારતીય રેલવેએ તે માટે બજેટ ફાળવ્યું, પરંતુ પાટા બિછાવવાનું કામકાજ હોતા હૈ, ચલતા હૈ ધોરણે આગળ વધ્યું. કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં ઇચ્‍છાશક્તિ નિર્ણાયક પરિબળ હોય છે. અહીં તેનો તીવ્ર દુકાળ હતો. ગોકળગાયને પણ ઉસૈન બોલ્‍ટ કહેવડાવે એ ગતિએ ચાલતા કાર્યમાં થોડીઘણી ઝડપ આવી હોય તો ૨૦૦૨ પછી કે જ્યારે કેંદ્ર સરકારે જમ્‍મુ-શ્રીનગર રેલવે લાઇનને રાષ્‍ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરી ૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવી આપ્યું.

નાણાંકોથળી ખૂલ્‍યાના ત્રણેક વર્ષ પછી જમ્‍મુ-ઉધમપુર રેલસેવા શરૂ થઈ. ફક્ત પ૩ કિલોમીટર લાંબા પાટા બિછાવવામાં ૨૧ વર્ષ લાગ્યાં! આટલો બધો વિલંબ થવાનું બીજું લોજિકલ કારણ દુર્ગમ પહાડી ક્ષેત્ર હતું. હિમાલયના પર્વતોમાં બારૂદી ધડાકા કરીને કુલ ૨૨ બોગદાં કોતરવા પડ્યાં, જેમાંનું એક તો અઢી કિલોમીટર લાંબું હતું. ત્રેપન કિલોમીટરના રૂટ પર ઊભા કરાયેલા પુલોની સંખ્‍યા ૧પ૮ કરતાં ઓછી નહોતી.

આ તરફ જમ્‍મુની ઉત્તરે ઉધમપુર સુધી અને ત્‍યાર પછી ઉધમપુરથી વધુ ઉત્તરે વૈષ્ણોદેવી ધામના કતરા સુધી રેલવેના પાટાની બિછાત થઈ. પેલી તરફ શ્રીનગર તથા તેની દક્ષિણે બનિહાલ લગી ટ્રેક નખાયો. જમ્‍મુ-શ્રીનગર રૂટ પર હવે કોઈ કામ બાકી રહ્યું તો કતરાને બનિહાલ જોડે સાંકળવાનું—અને ત્‍યાં એક કહેતાં અનેક ભૌગોલિક અડચણો હતી. હિમાલયના પર્વતોનો ખીચોખીચ પથારો હતો, જેમાં રેલમાર્ગ ચાતરવા માટે બધું મળીને ૬૩ કિલોમીટર લાંબી ટનલો તથા કુલ સાડા સાત ‌‌કિલોમીટર લાંબા પુલો બનાવવા પડે તેમ હતા. સૌથી મોટી સમસ્‍યા તો જમ્‍મુના રિયાસી જિલ્‍લાના બક્કાલ અને કૌરી ગામો વચ્‍ચેની ઊંડી કોતરમાંથી વહેતી ચિનાબ નદીને ઠેકી જવાની હતી. કોતરની ઊંડાઈ લગભગ બારસો ફીટ અને પહોળાઈ પંદરસો ફીટ હોવાનું જોતાં પુલનું નિર્માણ સખત ચેલેન્‍જિંગ સાબિત થવાનું હતું.

ચિનાબના સામસામા કાંઠાનું ભૂસ્‍તરીય બંધારણ તપાસ્‍યા પછી ઇજનેરોએ arch/ આર્ચ પ્રકારનો બ્રિજ બનાવવાનું ઠરવ્‍યું. આર્ચ યાને કમાન, જે ઉપર તરફ વળેલી હોવાને લીધે તેના પર ટ્રેનનું વજન આવે ત્યારે તે પોતાના ડાબા-જમણા છેડા તરફ તેને ટ્રાન્સ્ફર કરે છે. કેટલુંક વજન આર્ચને આધાર આપતા મજબૂત સ્‍તંભોને પણ વરતાય, જેમની કસોકસ બાંધણી પુલને મજબૂતી પ્રદાન કરે છે.

અલબત્ત, ઇજનેરી પ્‍લાનમાં જ ડખો હોય તો તેના પરથી બનેલો આર્ચ બ્રિજ ફસક્યા વિના રહે નહિ. કમાન વધુ પડતી લાંબી હોય કે પછી તેને ટેકો દેનારા સ્‍તંભો જોઈએ તેટલા મજબૂત ન હોય ત્‍યારે પુલની સુરક્ષા જોખમાય છે. ભારેખમ ટ્રેનનું વજન કમાનના બન્‍ને છેડા તરફ ટ્રાન્‍સફર થતું સ્‍તંભોને કડાકાભેર તોડી નાખે. માનો કે સ્‍તંભ પોતે અડીખમ છે, પણ કમાનમાં કચાશ રહી ગઈ, તો એવે વખતે ડાબા-જમણા સ્‍તંભોનું વળતું દબાણ કમાનને વચલા ભાગે કડાકાભેર બટકાવી નાખે. આ બધા અને આવા તો બીજા અનેક તકાદા ધ્‍યાનમાં રાખી ઇજનેરોએ કમાનની અને સ્‍તંભોની વરસોવરસ ટકે તેવી ઠસોઠસ મજબૂતીવાળી ડિઝાઇન તૈયાર કરી દીધી.

કેટલાંક વર્ષ પછી ચિનાબ નદીના બેય કાંઠે પર્વતીય ઢોળાવ ઉપર ૪૨૬ ફીટ અને ૩૨૮ ફીટ ઊંચા બે સ્‍તંભો ઊભા કરી દેવાયા. આગામી તબક્કો ધાતુની મજબૂત કમાન રચવાનો હતો—અને તે સૌથી કઠણ કાર્ય હતું.  ચિનાબ નદીએ રચેલી ૧,૨૦૦ ફીટ ઊંડી અને ૧,પ૦૦ ફીટ પહોળી કોતરથી ઉત્તુંગ ઊંચાઈએ કશા આધાર વિના હવામાં લટકતી કમાન રચતી વખતે એક જોખમ સૂસવતા પવનનું હતું. આ પહાડી વિસ્‍તારમાં ઘણી વાર કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. આટલી તીવ્ર થપાટો લોખંડના કાચા માળખાને હલબલાવી નાખે અને હાડમાંસના માણસને તો ક્યાંય ફંગોળી દે. આથી ઇજનેરોએ તથા શ્રમિકોએ સાવધાની વર્તવી પડે.

બીજું, મેદાની પ્રદેશોમાં પુલો માટે જે સ્‍ટીલ વપરાય તે અહીંના વિષમ વાતાવરણમાં ન ચાલે. શિયાળામાં બક્કાલ અને કૌરી ગામોનું તાપમાન શૂન્‍ય નીચે પંદર અંશે સરી જાય ત્‍યારે કઠોર ઠંડીમાં સામાન્‍ય પોલાદની મજબૂતીનો ગુણધર્મ જોખમાય. આથી ચિનાબ બ્રિજ માટે ખાસ પ્રકારનું સ્‍ટીલ બનાવવું પડે. ઇજનેરોએ તે માટે ઇન્‍ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ, રૂરકી તથા ઇન્‍ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્‍સિસ, બેંગલુરુના ધાતુનિષ્‍ણાતોને રોક્યા. આઇસ કોલ્‍ડ વાતાવરણમાં પણ મજબૂતીનો ગુણધર્મ જાળવી રાખે તે પ્રકારનું ઉચ્‍ચ ગુણવત્તાનું સ્‍ટીલ તૈયાર કરાયું અને તેના વડે ૬૩ મિલિમીટર જાડાઈ ધરાવતા સેક્શન્સ (ટુકડા) ઘડવામાં આવ્યા. સ્‍ટીલની મજબૂતી કેટલી તેનો ખ્‍યાલ એ વાતે મળે કે ભવિષ્‍યમાં ધારો કે કોઈ આતંકવાદી ડાઇનામાઇટ વડે પુલની કમાનમાં ધડાકો કરે તો પણ ધાતુના સેક્શન્સને નુકસાન પહોંચવાની સંભાવના નહિવત્ જેવી છે. ધાતુની કમાન જેના ટેકે ઊભી કરાઈ છે તે સ્‍તંભોનું કોંક્રિટ પણ પ્રચંડ બારૂદી વિસ્‍ફોટની માર ખમી લે એટલું કાઠું છે.

કુલ મળી ૨પ,૦૦૦ ટન સ્‍ટીલમાંથી બનેલી હજારો પેનલોને પરસ્‍પર જોડવા માટે ૬,૦૦,૦૦૦ જેટલા નટ-બોલ્‍ટ તથા રીવેટો વપરાયા છે. વેલ્‍ડિંગના અસંખ્‍ય ટાંકા પણ લેવાયા છે. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ચિનાબ બ્રિજની કમાન પૂર્ણતઃ રચાઈ ત્‍યારે સપાટીથી તેનું લેવલ લગભગ ૧,૨૦૦ ફીટે હતું. (એક સરખામણી : ફ્રાન્‍સનો એફિલ ટાવર ૧,૦૬૩ ફીટ ઊંચો છે.) વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઊંચાઈએ રેલવે સેતુનું નિર્માણ કરાયું નથી. ભારતના ચિનાબ બ્રિજે એ બાબતે વર્લ્ડ-રેકોર્ડ પ્રસ્‍થાપિત કર્યો છે. 

સાભાર:-

લેખન : હર્ષલ પુષ્‍કર્ણા (જિપ્સી મેગેઝિન)




Wednesday, June 4, 2025

માલસર નર્મદા કાંઠે

નર્મદા મૈયાના પવિત્ર કિનારે પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા-ડભોઇ-શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.

અહીં પ.પૂ. ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાજેઁ બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.

કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી-પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એક વાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે.

દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ.

આ આશ્રમની વહીવટી વ્યવસ્થા શ્રી પ્રકાશભાઈ ઓઝા કરે છે તેઓના મોબાઈલ નંબર::93165 93616 છે.

તેઓને અગાઉથી ફોન દ્વારા વાત કરીને,સંસ્થાના બેંક ઓફ બરોડા, સીનોરના સેવિંગ એકાઉન્ટ નંબર:: 33460100009062 ઉપર અગાઉથી પૂરેપૂરી રકમ જમા કરવાની રહેશે. 

આ સંસ્થાની મેન્ટેનન્સ વ્યવસ્થા શ્રી દિનેશભાઈ જાની સંભાળે છે તેઓના મોબાઇલ નંબર::99780 67344 છે તે જાણ માટે. 

રૂમ રિઝર્વ રાખવા અંગે શ્રી પ્રકાશભાઈ ઓઝાનો સંપર્ક કરવો.💐

મેનેજર વિષ્ણુભાઈ નો નં : +919327796904


પુજ્ય ડોંગરેજી મહારાજ પુણ્ય તિથિ પર શત શત નમન

નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ માલસર, અહીં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે.

સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર પાંચેક કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. પુરાણ પ્રસિદ્ધ સ્થાન ન હોવા છતાં ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહ ત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું. એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. ચરૈવેતિનો સ્વભાવ ધરાવતા પૂ. બાપજીને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો, પ્રતિ વર્ષ અહીં એકાદ વાર કથા ન કરે ત્યાં સુધી ચેન ન પડે.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

    માલસરમાં બાપજી એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા, ઓરડીમાં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે. જ્યાં અનેક અનુષ્ઠાનો થયા છે એ ઓરડીમાં મન સ્વાભાવિક કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. બાપજી જે ભાગવતજી પોથીની પૂજા કરતા તે, તેમનો લાલો, એટલે કે બાલકૃષ્ણની ધાતુની મુર્તિ, તેમની ત્રિકાળ સંધ્યાવંદનના સાધનો, આચમનિ-તરભાણા સહિત ટોર્ચ અને તેમની રૂદ્દાક્ષની માળાઓ વિદ્યમાન છે.

બરાબર ઓરડીની નીચે બાબજીનું મંદિર છે. સેવા-પૂજા અને પ્રભાતફેરી નિત્યક્રમ મુજબ થતી રહે છે. શ્રદ્ધા અને વિશ્વાસના તાંતણે બંધાએલા ભક્તો વારે તહેવારે અહીં દર્શનાર્થે આવે છે. અને નર્મદાના નીરમાં સ્નાન કરી વૈતરણી તર્યાનો અનુભવ કરે છે.

Sunday, June 1, 2025

Free Ashram in India

भारत के एक से बड़कर एक 10 बेहतरीन आश्रम, जहां खाने और रहने के नही लगते पैसे, ठहरने की है बिल्कुल फ्री सुविधा !

आश्रम जिनमे रह सकते है बिल्कुल फ्री।


1. ऋषिकेश का गीता भवन 

https://gitabhawan.org

2. स्वामी दयानंद सरस्वती आश्रम, ऋषिकेश, उत्तराखंड

https://dayananda.org/contact-ashram/

3.अनामय आश्रम, कौसानी ,हिमालय, उत्तराखंड

https://anamayashram.org/volunteer/ 

4.गायत्री तीर्थ शांतिकुंज, हरिद्वार, उत्तराखंड

https://www.awgp.org

5. मणिकरण साहिब गुरुद्वारा 

http://shrimanikaransahib.com/

6. तमिलनाडु का श्री रामनाश्रमम 

https://www.sriramanamaharshi.org/contact-us

7. केरल का आनंदाश्रम 

https://anandashram.org/

8.Bhagirathi Dham Ashram

श्री भागीरथी धाम आश्रम, ऋषिकेश

9. ईशा फाउंडेशन, कोयंबटूर, Tamil Nadu

https://isha.sadhguru.org 

10. श्री राम सेवा आश्रम, वृंदावन, उत्तर प्रदेश

11. श्री श्याम मित्र मंडल, धर्मशाला, खाटू श्याम, राजस्थान 

https://youtu.be/nAa7jh1DN78

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...