Saturday, May 28, 2022

ડાયરામાં ધોર કરવાથી અપમાન થાય ? ખરું

ડાયરામાં ધોર કરવાથી અપમાન ના થાય કારણ લાખો જીવ નભે છે 

અપમાન તો ત્યાં થાય ગરીબ પાસે થી મજબુરી નો લાભ લઇ કમાણા હોય

અપમાન તો ત્યાં થાય રીસવત લીધી હોય કે દિધી હોય

અપમાન તો ત્યાં થાય દારુ જુગાર મા ઉડાડ્યા હોય

અપમાન તો ત્યાં થાય હરામની કમાણી કરી હોય

અપમાન તો ત્યાં થાય લોન લે પછી હપ્તા ના ભરે

અપમાન તો ત્યાં થાય જયા જરૂર નથી તો પણ સરકાર પાસે લાભ લેતા હોય છે

એવી તો અપમાન તો લખવા વેસુ તો સવાર થાય

બાકી ડાયરામાં રુપિયા સારા કાર્ય મા વપરાય છે

તમે ભણેલા ગણેલા હસો પરંતુ આ વિસે તમારુ જ્ઞાન ઓછું છે




આપડા ને જે વસ્તુ નું જ્ઞાન કે માહિતી ન હોય તેના બાબત સમજ્યા વગર માત્ર કોઈ નાં પ્રત્યે દ્વેષ ભાવ અથવા આપડા ને નથી સારું લાગતું એટલે પોસ્ટ મૂકી દેવી..એ વિશાળ જનહિત માટે નુકસાન કરતા બની સકે

કોઈ એકાદ બે વ્યક્તિ કલાજગત માં મદિરા પાન કરતા હસે..પણ સ્ટેજ ઉપર કોઈ આ રીતે નાં આવે અને આયોજકો આવવા પણ ન દે..

બીજી વાત લક્ષ્મી નું અપમાન જે પૈસા સત્કાર્ય .ધાર્મિક કાર્ય ..સામાજિક કાર્ય .જીવદયા માં વપરાતા હોય એ અપમાન નહિ યોગ્ય જગ્યા એ અને સારા કામ માં જાય..

આપ ને ખબર જ નથી કે સ્ટેજ ઉપર પ્રોગ્રામ માં આવતી રકમ એ કલાકારો લે છે..નાં...આવું બિલકુલ નથી એ રકમ સત્કાર્ય માં જ વપરાય એક પણ પૈસો કલાકાર ન લે..કલાકાર ની તો જે નકી કરેલ ફી ની રકમ હોય એ ચૂકવાય અને એ પણ પ્રોગ્રામ માં આવેલ પૈસા માંથી નહી

પ્રોગ્રામ અગાઉ જ જાહેરાત થઈ જાય કે આજે જમાં થશે એ રકમ આ કાર્ય માં વપરાશે ..એ એટલા માટે કે અત્યારે કોઈ ની પાસે જે પણ આવા સામાજિક ધાર્મિક કાર્યો કરે છે એની પાસે ઘરે ઘરે જઈ ને દાન લેવા નો સમય નથી હોતો કેમ કે એ લોકો પોતે પણ પોતાના કામ નાં સમય માંથી સમય કાઢી આ સત્કાર્યો કરતા હોય છે..જેનું એ કોઈ વેતન નથી લેતા..ગુજરાત માં અત્યારે ગામો ગામ ગૌ સાલા અને ભોજન ની વ્યવસ્થા ..અન્ય ધાર્મિક સામાજિક કામો ચાલુ છે ...એમાં ગુજરાતી લોકસંગીત ભજન માધ્યમ બન્યું છે..એનો આનંદ છે .બીજું આ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો થકી લોકો ને ઇતિહાસ ધર્મ રાષ્ટ્ર હિત ની વાતો થકી ખુબ જાણકારી મળે છે .અને લોકો ખરાબ કલ્ચર થી બચે છે...એટલે આખા મુદ્દા ને સમજી પછી પોસ્ટ મૂકવાનું રાખો..


 

ડાયરામાં ઘોરમા થતાં પૈસા કોઈ કલાકાર ના ખીસામાં નથી જતા એ પૈસા ગૌશાળા , મંદિરે કે અન્નક્ષેત્ર જેવા સેવાકીય પ્રવૃતિઓ મા વપરાતાં હોય..


એટલે ઘોરના પૈસા સારા કામમાં વપરાતા હોય છે અને ઘોર કરવી સહેલી પણ નથી

માટે ઘોર કરતા હોય એને કરવા દ્યો


તમે કલાકારો નું મંદિરાપાન કહો છો તો ઘણા બ્રાહ્મણો દાન-દક્ષિણા માંથી મળેલા પૈસા અયાસી દારૂ જુગાર સટ્ટામાં વાપરે તો શું બ્રાહ્મણોને દાન ના કરવું..?

Sunday, May 15, 2022

બરફના ગોળા :- બાળપણની મોજ

ઉનાળો ચાલતો હોય ત્યારે બરફનો ગોળો ન ખાવો, એ ઘણાને આગ્રા જઇને તાજમહાલ ન જોવા જેવી વાત લાગે છે. ઉનાળામાં દિવસે આગના ગોળાની (સૂરજની) અને સાંજે-રાત્રે બરફના ગોળાની આણ વર્તે છે. ઉનાળાની બપોર વિશે અનેક વાર નિબંધો પૂછાયા અને લખાયા છે, પણ ઉનાળાની રાત વિશેનો નિબંધ પૂછવા જેટલી મૌલિકતા પરીક્ષકો બતાવી શક્યા નથી. એવું થયું હોત તો ઉનાળાની બપોરના નિબંધમાં જે મહત્ત્વ વૃક્ષના છાંયડાને મળ્યું, તે ઉનાળાની રાત્રે બરફગોળાની લારીને મળ્યું હોત.



ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. સુવાક્ય-શૈલીમાં કહી શકાય કે કઠોર પરિશ્રમની જેમ બરફગોળાનો પણ કોઇ વિકલ્પ નથી. અલબત્ત, બરફગોળો ખાવા માટે સારો એવો પરિશ્રમ કરવો પડે છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. એટલે જ, બરફ ખાવાના પરિશ્રમથી કાયર થતા લોકો બરફગોળાને બદલે તેનું શરબત પીને સંતોષ માની લે, ત્યારે બરફભક્તોનું હૃદય પોકારી ઉઠે છેઃ ‘ગોળાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.’


લોકલાજથી, હાઇજિનની ચિતાથી કે કાલ્પનિક પ્રતિષ્ઠાના ખ્યાલથી પીડાતા લોકો માટે સૌથી પહેલો પડકાર લારી સુધી જવાનો હોય છે. ‘હું અને લારી પર ઉભો રહું? કોઇ જુએ તો કેવું લાગે?’


બીજા લોકો તેમને આશ્વાસન આપે છે, ‘ચિતા ન કરો. કોઇ તમને બરફની લારીવાળા નહીં ગણીને ‘ચાર ઓરેન્જ’ એવો ઓર્ડર નહીં આપે. કોઇને એવું પણ નહીં લાગે કે તમે તમારો મૂળ ધંધો છોડીને બરફની લારી શરૂ કરી છે. તમે કંઇ છેક એવા નથી લાગતા. ચાલો, એમ ઢીલા ન પડાય.’


સમજાવટ પછી પણ મનનું સમાધાન ન થતાં એ કહે છે, ‘એક કામ કરો. તમે લોકો ગોળો ખાઇ આવો અને મારા માટે ઘેર લઇ આવજો.’


પરંતુ ગોળાના પ્રેમીઓ આવાં છાનગપાતિયાંને પ્રોત્સાહન આપતા નથી. છાશ લેવા જવું ને દોણી શા માટે સંતાડવી? બરફગોળો ખાવા જવું ને જાત શા માટે સંતાડવી?


સામાજિક કારણો નિષ્ફળ જતાં વાંધો પાડનાર પાટો બદલીને આરોગ્યના રસ્તે વળે છે. ‘એમ મને બહાર ગોળો ખાવાનો વાંધો નથી, પણ બહારના ગોળા કેવા હોય? એમાં વપરાતો બરફ કેવો હોય? મેં તો સાંભળ્યું છે કે એ લોકો ગટરના પાણીનો બરફ બનાવે છે.’


આવી દલીલ સાંભળીને બરફપ્રેમીઓનું જૂથ ઘણુંખરું વળતી દલીલ કરવાને બદલે, ‘અત્યાર લગી ખોટો સમય બગાડ્યો. એટલી વારમાં એક ગોળો ખાઇ લીધો હોત.’ એવા ભાવ સાથે મોં મચકોડીને, પગ પછાડીને તે ગોળાની લારી તરફ ડગ માંડે છે. હકીકતે એ પગલાં વિશ્વશાંતિ તરફનાં હોય છે. કારણ કે ગોળાપ્રેમીઓ સાથે હાઇજિનની ચર્ચા વિશ્વયુદ્ધને નિમંત્રણ આપવા બરાબર છે.


ઉનાળાની બપોરે બરફની લારી જ્યાં ઉભી હોય તે જગ્યા ‘ફરવાલાયક સ્થળ’નો દરજ્જો પામે છે. લારીની આજુબાજુ પથરાયેલી ખુરશીઓ પર, આડાઅવળાં પાર્ક થયેલાં વાહનો સાથે અને સડક પર નાનાં જૂથોમાં ટોળે વળેલા લોકોને જોઇને એવું લાગે, જાણે ચૂંટણીનાં પરિણામોની કે કોઇ મસ્તમોટો ઝઘડો પૂરો થઇ ગયા પછીની રસિક ચર્ચા ચાલી રહી છે. પેરિસની સડકો પર ચર્ચા માટે વિખ્યાત કાફે હશે, પણ આઘ્યાત્મિક પ્રકાશની જેમ બરફના ગોળાની લારીઓ માટે ભારતના શરણે આવ્યા વિના ઉદ્ધાર નથી.


લારી પર પડેલા બરફના આખા ચોસલા અને બરફના ગોળા વચ્ચે નવલકથા અને વિવેચન જેટલો ફરક હોય છે. કહેવાય બન્ને એક જ પદાર્થનાં (કે ‘પદારથ’નાં) સ્વરૂપ, પણ એક ટાઢુંબોળ, અક્કડ, ભારેખમ પહાણા જેવું, રસ વગરનું, સંપર્કમાં આવનારને સંવેદનબધિર કરી નાખવાની ‘ક્ષમતા’ ધરાવતું અને બીજું? રસસભર, પ્રજાને આદત પાડી દેવાની ખૂબી ધરાવતું, આમજનતા જેનો આનંદ માણી શકે એવું... બરફના આખા ચોસલાને (કે વિવેચનને) બચકાં ન ભરાય, તેની ચુસ્કીઓ ન લેવાય. બહુ તો તેને કંતાન(માં) બાંધીને સાચવી રાખી શકાય.


નવલકથાની જેમ બરફનો ગોળો પણ રસપ્રધાન હોય છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો, તેમાંથી રસનિષ્પત્તિ કે રસાનુભૂતિ થવી આવશ્યક છે. ઘણી નવલકથાઓની જેમ, બરફમાં પોતાનો કોઇ રસ હોતો નથી. એ કેવળ રસ વહન કરવાનું માઘ્યમ છે. રસાનુભૂતિ સિદ્ધ કરવા માટે તેમાં ઉપરથી વિવિધ રસ રેડવામાં આવે છે- મસાલો છાંટવામાં આવે છે. સદ્‌ભાગ્યે, બરફના ગોળાના કે નવલકથાના બહુમતી ભાવકોને ઉપરથી રેડાયેલા રસ કે ભભરાવેલા મસાલા સામે વાંધો હોતો નથી.


બરફના ગોળાનો ઓર્ડર આપ્યા પછી ગોળો હાથમાં આવતાં સુધીનો સમય કસોટીનો હોય છે. એ વખતે રાહ જોનારને એવું લાગે છે, જાણે આખા જગતમાં બધા લોકો બરફગોળો ચૂસી રહ્યા છે, ચોતરફ તેમના સીસકારાનો કર્ણમંજૂલ ઘ્વનિ સંઘ્યાકાળે મંદિરમાં થતા ઘંટારવની જેમ ગુંજી રહ્યો છે અને આપણો જ ગોળો હજુ આવ્યો નથી. વાતચીતમાં મન પરોવાઇ જાય તો જુદી વાત છે. બાકી એક વાર આ ખ્યાલ મનનો કબજો લે, પછી તેના પીડિતોને ચેન પડતું નથી. વારંવાર એ બરફ બનતો હોય ત્યાં- ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર- ધસી જઇને તપાસ કરે છે. તેનાથી ગોળો બનવામાં ઝડપ થાય કે ન થાય, પણ ‘કોશિશ તો કી’ એવું આશ્વાસન મળે છે.


બરફના ગોળા હવે પડિયામાં કે બાઉલમાં મૂકીને આપવામાં આવે છે. આ વ્યવસ્થા નાનાં બાળકોની સાયકલ સાથે જોડવામાં આવતાં વધારાનાં બે પૈડાં/પોગો વ્હીલ્સ જેવી છે. બાકી બરફનો અસલી રોમાંચ કોઇ ‘બેક-અપ સીસ્ટમ’ (પડિયો-બાઉલ) વિના, કમરેથી સહેજ આગળની તરફ ઝૂકીને રસટપકતો બરફનો ગોળો ચૂસવામાં છે. એ પદ્ધતિમાં કેટકેટલા પડકાર સમાયેલા છેઃ રસનું ટીપું પણ એળે ન જાય એ જોવું, ચોતરફ પથરાયેલા રસને સરખો ન્યાય આપવો, ગોળો ચૂસવાની પ્રક્રિયામાં કોઇ ઠેકાણેથી ગચ્ચું નીકળી ન જાય તે જોવું, રસલીન અવસ્થામાં ગોળાને ભૂલથી બચકું ભરાઇ જાય તો પણ તેની ‘એકતા અને અખંડિતતા’ જાળવી રાખવી, ગોળો સળીનો સાથ છોડી ન દે એનું ઘ્યાન રાખવું, રસહીન થયેલા બરફ પર નવેસરથી- અને મફતમાં- રસ છંટાવવો...આ પડકારો વિના, રસભરેલા બાઉલમાં ટેકવાયેલો બરફનો ગોળો ખાવાનું કામ અરેન્જ્ડ મેરેજ કરવા જેવું- આનંદદાયક છતાં પરાક્રમના રોમાંચ વિનાનું- હોય છે. ‘હવે શું થશે?’નો દિલધડક અહેસાસ તેમાં મળતો નથી.


હવે તો જાણે ગોળાને રોમાંચરહિત કરવાની હોડ જામી છે. હવે મોંઘીદાટ ક્લબો, મલ્ટિપ્લેક્સ અને દુકાનોમાં પણ બરફના હાઇજેનિક (ગુજરાતી અર્થ : મોંઘા) ગોળા મળે છે. ક્યાંક વળી બરફગોળા પર કાજુ નાખવામાં આવે છે, પણ તેની ટીકા ન કરાય. સમૃદ્ધ ગુજરાતીઓ પીવાના પાણીમાં કાજુ નાખતા નથી, એ બદલ તેમનાં સંયમ અને સાદગીની પ્રશંસા કરવી રહી.


હાઇજિનના હાથી પર સવાર સજ્જનો-સન્નારીઓ મિનરલ વોટરમાંથી બનેલા બરફનો આગ્રહ રાખે છે. મિનરલ વોટર પૂરતું મોંધું આવતું હોવાથી તેની ગુણવત્તા વિશે શંકા કરવાની એમને જરૂર લાગતી નથી.


અને ‘મોંઘી વસ્તુ સારી જ હોય’ એવી માન્યતાનાં ચોસલાં છીણે એવા રંધા બજારમાં મળતા નથી.

(શીર્ષક પંક્તઃ કવિ અનિલ જોશીની ક્ષમા સાથે)


સાભાર લેખ સંકલિત :- FB SARAS આપણું ગામડું

લખોટી :- બાળપણની રમત

પરીક્ષાઓ પૂરી થતાં જ પદ્મનાભ મંદિરના ભોયરામાં કાળજીથી સચવાયેલા ખજાનાની માફક અમારા ઘરના માળીયા પર અમૂલ પાઉડરના જૂના અને કટવાયેલા ડબ્બાઓમાં ધરબાઈને પડેલી લખોટીઓને અમે હેતે બહાર કાઢતા. એકેએક લખોટી અમને સોનાની મહોર જેટલી જ અદકી ને વહાલી એટલે દરેકને અમે એના નામથી ઓળખતા.



મોટાભાગે એનું નામકરણ એના રંગને આધારે થતું જેમ કે લાલ, લીલી, પીળી, ભૂરી વગેરે વગેરે. આમાં સફેદ રંગની લખોટીઓ એટલે જાણે નાનકડાં મોતી. એના માન અને મૂલ્ય સૌથી વધારે આથી રમવા માટે એનો ભાગ્યે જ ઉપયોગ થાય. આ ઉપરાંત, કેટલીક લખોટીઓ એનાં કદ અને આકારને આધારે ઓળખાતી, જેમ કે કદમાં નાની લખોટી 'ટેણી', 'ટેણકી' કે 'ટીંચી' નામે ઓળખાતી તો વળી સામાન્ય કરતાં સુંદર તથા વધુ મોટી અને મજબૂત લખોટીને અમે 'કંચો' કહેતાં. મોટા ભાગે 'કંચા'નો ઉપયોગ દાવ લેવામાં એટલે કે અન્ય લખોટીઓને તાકવા માટે કરવામાં આવતો હતો આથી એને લખોટીઓનો રાજા કહી શકાય.(સંકલન:SARAS:આપણું ગામ)


લખોટીઓની રમત આમ તો દુનિયાભરમાં પ્રિય અને પ્રચલિત છે એટલે એને રમવાની રીતો પણ અનેક છે. પરંતુ, અમે બે કે વધારેમાં વધારે ત્રણ રીતોનો ઉપયોગ કરતાં. પહેલી રીતને અમે 'તાકોડીદાવ' કહેતા. નામ પ્રમાણે જ આ રીતમાં ગોળ નાના કુંડાળામાં સરખા ભાગે મૂકેલી લખોટીઓમાંથી દસબાર ફૂટ દૂરથી દાવ લેનારને ચોક્કસ લખોટીને તાકવાની રહેતી. દાવ લેનાર બરોબર લીટીની પહેલાં ઘુંટણેથી વાળીને પહેલાં ડાબો પગ મૂકતો અને પછી જમણા પગને પાછળની તરફ સીધો લંબાવતો ત્યારબાદ ડાબી આંખને મીંચીને જમણાં હાથમાં 'કંચા'ને રાખીને ચોક્કસ લખોટીને તાકવા માટે એ રીતે તૈયાર થતો કે એની એ અદાને નિરખતા જ રહી જઈએ.


સાત કોઠાની વચોવચ ઘેરાયેલી લખોટીને અન્ય લખોટીઓને અડ્યા વિના તાકીને બહાર કાઢવી એ કાંઈ ખાવાનો ખેલ નહોતો કારણ એમાં પણ લક્ષ્યવેધ કરવા માટે ધનુરધારી અર્જુનની જેવી તિક્ષણ અને સચોટ નજરની જરૂર પડતી જેને અમે 'તાકોડી' કે 'આંટોડી' તરીકે ઓળખતા. જે ભેરુ આ લખોટીને તાકીને કુંડાળાની બહાર મોકલી આપે એના હાથમાં સઘળો ખજાનો આવી જાય ને એને 'તાકોડીબાજ' કે 'આંટોડીબાજ' તરીકે નવાજવામાં આવતો. અલબત, જો ચોક્કસ લખોટીને તાકતી વેળાએ બીજી લખોટી તકાઈ જાય તો નક્કી કરેલો દંડ પણ ભરવો પડતો.


લખોટીઓની આવી જ બીજી એક રમત "ગબ્બીદાવ" તરીકે ઓળખાતી જેમાં મોટા ગોળ કુંડાળાની અંદર દડાના આકારનો એક નાનકડો ખાડો રહેતો જેને અમે "ગબ્બી" તરીકે ઓળખતા હતા. કુંડાળાથી લગભગ અઢી ત્રણ ફૂટના અંતરેથી ઉભડક બેસીને દાવ આપવાનો રહેતો. જે ભેરુ દાવ આપતો હોય એ બધી લખોટીઓને એકસાથે એક હાથમાં પકડીને કુશળતાથી ભોંયસરખી કુંડાળા ભણી ગબડાવતો. આમાંથી જેટલી લખોટીઓ "ગબ્બી'માં પડે એનો એ માલિક ગણાતો અને ત્યારપછી ત્યાંજ બેસીને એ બતાવવામાં આવેલી ચોક્કસ લખોટીને તાકતો. જો બતાવેલી લખોટી બહાર નીકળે તો એ જીતી ગયો ગણાય ને જો એને તાકવામાં નિષ્ફળતા મળે તો દાવ આગળ ચાલતો.


લખોટીઓની રમત આમ તો વ્યક્તિગત રમત હોવા છતાં આશ્ચર્યની વાત તો એ હતી કે એમાં પણ ટીમની જરૂર પડતી. એનું મૂળ કારણ એ કે મોટાભાગના ભેરુઓને રમવા કરતાં આ લખોટીઓને લુંટવામાં જ વધારે મજા આવતી. તમે આંખ મીંચીને લખોટીને તાકવામાં મશગૂલ હો ને બરોબર એ જ સમયે કેટલાક ભેરુઓ 'એ એ એ ......' સમુહમાં મોટેથી બોલતાં બોલતાં સમડી જેમ અચાનક છાપો મારીને છછુંદરને ઉઠાવે એમ લપક દઈને લખોટીઓ પર તૂટી પડતાં ને ગજા પ્રમાણે બધી જ લખોટીઓ લૂંટી લઈને ભાગી જતા. આ વેળાએ જો તમારી ટીમનો સભ્ય ત્યાં હાજર ન હોય તો તમારી લખોટીઓ ગઈ જ સમજો. કહેવાની જરૂર નથી કે એમાંથી જ સર્જાતું મહાભારતનું મહાયુદ્ધ.


આ મહાભારતના મહાયુદ્ધના મૂળીયા રોપવામાં અમારી ઉનાળાની રજાઓ તો ઝડપથી પૂરી થઇ જતી પણ એની અસરો કે આડઅસરો વરસભર જોવા મળતી. 

સાભાર લેખ : Kamal Sangeet


ચિલ્ડ વોટર :- ખતરનાક પાણી

શું તમે લિક્વિડ નાઇટ્રોજન વિષે જાણો છો..?




મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ  *ફક્ત એક ટીપું* જ નાંખવામાં આવે છે !!

જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.

અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી.

માત્ર એક સળી જેવું સાધન અને એના પર *અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા)* લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.

તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે  ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.

અને સાથે સાથે, તમે પણ કોઈને ત્યા ગયા હોવતો પોતે મિનરલ વોટરના કેરબાનુ (ડિસ્પેન્સર પર મુકેલા કેરબાનુ) પાણી પીવાનુ  ટાળો, આ વાત તમારા ફેમીલીમાં પણ સમજાવી દો.


લિક્વિડ નાઇટ્રોજન વિષેની સાચી જાણકારી.

જો ના જાણતા હોવ, તો થોડું જાણી લો.

લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકાર નું એસીડીક કેમિકલ છે.

જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને, ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઇફ મળે તે માટે, *ક્રાયોજેનીક અથવા નાયટ્રાઈડીંગ* કરી, પાર્ટસને *હાર્ડનીંગ* (સખત / ખુબ જ કડક) કરવામાં - આ પ્રવાહી માં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ *લિક્વિડનાઇટ્રોજન* માં નાંખીને કરાય છે.

અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ડીશ ની કિંમત 2000 રૂપિયા થી લઇ ને 10000 રૂપિયા સુધી ની હોય છે.

અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે.

તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેને લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેલ પી લેતા તેના જઠર માં છેદ થઇ ગયો હતો, મહામહેનતે માણસ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.


લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ?

તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) *-190 ડિગ્રી* તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.

તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા *600 ગણી જગ્યા વધુ રોકે છે* પરિણામે જઠર ફાટી જાય.


સાભાર :- fb પોસ્ટ

ગોધરીયા - એક જિંદગી

એક ખભા પર સંસાર અને બીજા ખભા પર સંતાનને બેસાડીને જોશભેર જતાં

કેટલાક પડછાયાને  જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,

હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 


એકમેકની આંગળી જાલીને રેતીની ઢગલી પર રમતી પગલીઓના સ્પર્શથી

ધોમ ધખેલા તડકાને’ય ટાઢક અનુભવતો જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,


હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 

વ્હેલી સવારે કે ઢળી ગયેલી સાંજે ક્યાંક ખુલ્લા મેદાનમાં સળગતા ચૂલાઓની

જ્વાળાઓ વચ્ચે સેકાતા સૂર્યને જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,


હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 

તગારે તગારે આખા પહાડને ઉઠાવી લેતા આ લોકોને

પોતાનો અવાજ ઉઠાવીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા


કે નથી જોયા


કાળમીંઢ અંધારાથી છેક સૂર્યના મ્હેલ સુધી સુરંગોની સુરંગોને ખોદી કાઢતા આ લોકોને પોતાની હથેળીમાં એક ચાંદરડુ ઉઠાવીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા


કે નથી જોયા


આ લોકોને બે પર્વત વચ્ચે પરસેવાની દીવાલ બાંધીને થંભાવી દેતાં પ્રવાહમાંથી

એક ખોબો નિરાંત ભરીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા

 

સવારે ક્યાંથી ઉતરી આવતા હોય છે અને સાંજે પાછા ક્યાં સમાઈ જતાં હોય છે ?


એ વાત ડામરની સડકો કરતાં ધૂળ મઢેલી કેડીને પૂછશો તો તરત જ કહેશે


એ લોકો ક્યારે’ય અળગા નથી રહી શકતા પોતાની માટીથી  


ક્યારે’ય સરકવા નથી દેતા પોતાના પગ નીચેથી પોતાની જમીનને


એમનામાં સહજ ફાવટ હોય છે જ્યાં ઉગ્યા હોય છે ત્યાં જ ખરી પડવાની

 

એમના અસ્તિત્વને તમે નજર અંદાજ તો કરી શકો છો પણ નકારી તો નથી જ શકતા

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે એફિલ ટાવરની ઊંચાઈને આંબવાની

કે ચીનની દીવાલ બાંધવાની ત્યારે ત્યારે પાયામાં ધરબાઇ ધરબાઈને ઊભા રહી ગયા છે


આ જ ગોધરીયાઓ

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે સંગેમરમરનો તાજમહેલ ચણવાની

કે ઈજીપ્તનાં પિરામિડોના રહસ્યોને રચવાની ત્યારે ત્યારે પથ્થરોમાં કોતરાઈ કોતરાઈ ને ઊભા રહી ગયા છે  


આ જ ગોધરીયાઓ   

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે સ્ટેચ્યું ઓફ લિબર્ટીને સ્થાપવાની

કે સ્ટેચ્યું ઓફ યુનિટી ને સાકાર કરવાની ત્યારે ત્યારે ધાતુઓમાં ઢળી ઢળી ને ઓગળી ગયા છે


આ જ ગોધરીયાઓ

 

ઊંચી ઊંચી ઇમારતોને ચણતા ચણતા આમ જ ચણાઈ જતાં લોકોને

જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું


હા આ એજ લોકો છે જેને તમે 

તુચ્છકાર પૂર્વક ગોધરીયા કહો છો.


કૃષ્ણ દવે

તા-૧૪-૫-૨૦૨૨

Friday, May 13, 2022

કેદારનાથ મંદિર હજુ પણ વણઉકેલાયેલ કોડ છે.

કેદારનાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તેના વિશે ઘણી વાતો કહેવામાં આવે છે.  પાંડવોથી લઈને આદ્ય શંકરાચાર્ય સુધી...

          આજનું વિજ્ઞાન સૂચવે છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ કદાચ 8 મી સદીમાં થયું હતું. જો તમે ના કહો તો પણ આ મંદિર ઓછામાં ઓછા 1200 વર્ષથી અસ્તિત્વમાં છે.

          કેદારનાથ જ્યાં છે તે ભૂમિ 21મી સદીમાં પણ અત્યંત પ્રતિકૂળ છે.

           એક તરફ 22,000 ફૂટ ઊંચો કેદારનાથ ટેકરી, બીજી બાજુ 21,600 ફૂટ ઊંચો કરચકુંડ અને ત્રીજી બાજુ 22,700 ફૂટ ઊંચો ભરતકુંડ છે.

           આ ત્રણ પર્વતોમાંથી વહેતી પાંચ નદીઓ મંદાકિની, મધુગંગા, ચિરગંગા, સરસ્વતી અને સ્વરંદરી છે.  તેમાંથી કેટલાક આ પુરાણમાં લખાયેલા છે.

           આ વિસ્તાર માત્ર "મંદાકિની નદી"નું રાજ્ય છે.  જ્યાં ઠંડીના દિવસે ખૂબ જ બરફ પડતો હોય અને વરસાદની મોસમમાં ખૂબ જ ઝડપે પાણી વહેતું હોય એવી જગ્યાએ આર્ટવર્ક બનાવવાનું કામ કેટલું ઊંડું હશે.


           આજે પણ, તમે જ્યાં "કેદારનાથ મંદિર" ઉભું છે ત્યાં સુધી તમે વાહન ચલાવી શકતા નથી.


           આવી જગ્યાએ મંદિર કેવી રીતે બાંધવામાં આવ્યું?

આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં 1000 વર્ષ પહેલાં મંદિર કેવી રીતે બની શકે? આપણે બધાએ ઓછામાં ઓછું એકવાર આ વિચારવું જોઈએ.

           વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જો મંદિર 10મી સદીમાં પૃથ્વી પર હોત, તો તે ટૂંકા "બરફ યુગ" સમયગાળામાં હોત.


           વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓલોજી, દેહરાદૂન, કેદારનાથ મંદિરના ખડકો પર લિગ્નોમેટિક ડેટિંગનું પરીક્ષણ હાથ ધર્યું હતું.  આ "પથ્થરોનું જીવન" ઓળખવા માટે કરવામાં આવે છે.  પરીક્ષણ દર્શાવે છે કે મંદિર 14મી સદીથી 17મી સદીના મધ્ય સુધી સંપૂર્ણપણે બરફમાં દટાયેલું હતું.  જો કે મંદિરના બાંધકામમાં કોઈ નુકસાન થયું નથી.


           2013 માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરને દરેક વ્યક્તિએ જોયો જ હશે. આ સમયગાળા દરમિયાન, વરસાદ સરેરાશ કરતા 375% વધુ હતો.  આ પૂરમાં "5748 લોકો" (સરકારી આંકડા) માર્યા ગયા અને 4200 ગામોને નુકસાન થયું.  ભારતીય વાયુસેના દ્વારા 1 લાખ 10 હજારથી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.  બધું વહી ગયું.  પરંતુ આવા વિનાશક પૂરમાં પણ કેદારનાથ મંદિરના સમગ્ર માળખાને સહેજ પણ અસર થઈ ન હતી.


           આર્કિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, પૂર પછી પણ મંદિરના સમગ્ર સ્ટ્રક્ચરના ઑડિટમાં 99 ટકા મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત છે.  2013ના પૂર દરમિયાન બાંધકામને કેટલું નુકસાન થયું હતું અને તેની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવા માટે "IIT મદ્રાસ" એ મંદિર પર "NDT પરીક્ષણ" હાથ ધર્યું હતું.  તેણે એમ પણ કહ્યું કે મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત છે.

           1200 વર્ષ પછી, જ્યાં તે વિસ્તારની દરેક વસ્તુ વહી જાય છે, ત્યાં એક પણ માળખું ઉભું નથી.  આ મંદિર ત્યાં ઊભું છે અને માત્ર ઊભું નથી, તે ખૂબ જ મજબૂત છે.


           આ મંદિરનું નિર્માણ જે રીતે કરવામાં આવ્યું છે તે તેની પાછળ હોવાનું માનવામાં આવે છે.  જે સ્થળની પસંદગી કરવામાં આવી છે.  આજે, વિજ્ઞાન કહે છે કે મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થર અને બંધારણની પદ્ધતિને કારણે આ મંદિર આ પૂરમાં ટકી શક્યું હતું.

           કેદારનાથ મંદિર "ઉત્તર-દક્ષિણ" તરીકે બાંધવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં લગભગ તમામ મંદિરો ‘પૂર્વ-પશ્ચિમ’ છે.  નિષ્ણાતોના મતે, જો મંદિર "પૂર્વ-પશ્ચિમ" હોત તો તે પહેલાથી જ નાશ પામ્યું હોત.  અથવા ઓછામાં ઓછું 2013 ના પૂરમાં, તે નાશ પામ્યું હોત.


           પરંતુ આ દિશાને કારણે કેદારનાથ મંદિર બચી ગયું છે.  બીજી વાત એ છે કે તેમાં વપરાયેલ પથ્થર ખૂબ જ સખત અને ટકાઉ છે.  ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણ માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ત્યાં ઉપલબ્ધ નથી, તો જરા કલ્પના કરો કે તે પથ્થર ત્યાં કેવી રીતે લઈ જવામાં આવ્યો હશે.  તે સમયે આટલા મોટા પથ્થરને લઈ જવા માટેના સાધનો પણ ઉપલબ્ધ નહોતા.  આ પથ્થરની વિશેષતા એ છે કે 400 વર્ષ બરફની નીચે રહ્યા પછી પણ તેની "ગુણધર્મો" માં કોઈ ફરક નથી.


           તેથી, મંદિરે પ્રકૃતિના ચક્રમાં તેની તાકાત જાળવી રાખી છે.  મંદિરના આ મજબૂત પત્થરો કોઈપણ સિમેન્ટના ઉપયોગ વિના "એશલર" રીતે એકસાથે ગુંદર ધરાવતા હોય છે.  તેથી મંદિરની મજબૂતાઈ પથ્થરના સાંધા પર તાપમાનના ફેરફારોની કોઈપણ અસર વિના અભેદ્ય છે.


           2013માં મંદિરના પાછળના ભાગમાં એક મોટો ખડક વિટા ઘાલાઈથી ફસાઈ ગયો હતો અને પાણીની ધાર વિભાજિત થઈ ગઈ હતી અને મંદિરની બંને બાજુનું પાણી બધું પોતાની સાથે લઈ ગયું હતું પરંતુ મંદિર અને મંદિરમાં આશરો લેનારા લોકો સુરક્ષિત રહ્યા હતા.  .  જેમને બીજા દિવસે ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.


           પ્રશ્ન એ છે કે શ્રદ્ધા રાખવી કે નહીં.  પરંતુ એમાં કોઈ શંકા નથી કે મંદિરના નિર્માણ માટે સ્થળ, તેની દિશા, તે જ બાંધકામ સામગ્રી અને પ્રકૃતિને પણ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી જે તેની સંસ્કૃતિ અને શક્તિને 1200 વર્ષ સુધી જાળવી રાખશે.


           ટાઇટેનિક ડૂબી ગયા પછી, પશ્ચિમના લોકોને સમજાયું કે "NDT પરીક્ષણ" અને "તાપમાન" કેવી રીતે ભરતીને ફેરવી શકે છે. પરંતુ આપણા પુર્વજો એ આ વિચાર્યું અને તે 1200 વર્ષ પહેલાં થયું હતું.

 શું કેદારનાથ એ જ આબેહૂબ ઉદાહરણ નથી?

           કેટલાક મહિનાઓ વરસાદમાં, કેટલાક મહિનાઓ બરફમાં અને કેટલાક વર્ષોમાં પણ બરફમાં, ઉન, પવન અને વરસાદ હજુ પણ સમુદ્રની સપાટીથી 12,000 ફૂટ ઉપર ઊનને ઢાંકી દે છે.


           6 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પથ્થર ના વિપુલ ને  પ્રચંડ જથ્થા વિશે વિચારીને આપણે દંગ રહી જઈએ છીએ.


           આજે, તમામ પૂર પછી, અમે ફરી એક વખત કેદારનાથના વૈજ્ઞાનિકોના નિર્માણ સમક્ષ નમન કરી રહ્યા છીએ, જેમને એટલી જ ભવ્યતા સાથે 12 જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ હોવાનું સન્માન મળશે.


           વૈદિક હિંદુ ધર્મ અને સંસ્કૃતિ કેટલી આગળ હતી તેનું આ ઉદાહરણ છે.  તે સમયે આપણા ઋષિમુનિઓ એટલે કે વૈજ્ઞાનિકોએ વાસ્તુશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, આયુર્વેદમાં ઘણી પ્રગતિ કરી હતી.


સાભાર :- મનોજ પટેલ


      *॥ ॐ નમઃ શિવાય॥*

              🙏🏻🙏🏻🙏🏻

Tuesday, May 10, 2022

11 May પોખરણ પરમાણુ શક્તિ પરીક્ષણ - ૧૯૯૮






ભારતે ૧૧ મે અને ૧૩ મે એમ બે દિવસમાં કુલ ૫ પરમાણુ શક્તિ પરીક્ષણ કર્યા હતા. પોખરણ પરીક્ષણ તે ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ હતી. પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવાનું છે તેની જાણ તત્કાલીન ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ, અબ્દુલ કલામ સાથે બહુ જ ઓછા લોકોને જ હતી. વાત ગુપ્ત રાખવાનું કારણ તે જ હતું કે બધું જ અમેરિકાથી છાનું રાખવાનું હતું. અમેરિકન સેટેલાઇટના કેમેરા પોખરણ પર મંડાયેલા રહેતા હતા. પરમાણુ પરીક્ષણ માટેનું મટીરીયલ્સ પણ બટેટા અને ડુંગળીની ટ્રકોમાં છુપાવીને લઇ જવામાં આવ્યું હતું. 


ભારતે સફળ પરમાણુ પરીક્ષણ કર્યું છે તે માહિતી અબ્દુલ કલામે હોટલાઈન પર અટલ બિહારી બાજપાઈને આપી હતી ત્યારે કહ્યું હતું કે " બુદ્ધા ફિર સે હ્સ ઉઠા હૈ" આ તે સફળ પરીક્ષણનો કોડવર્ડ રાખવામાં આવ્યો હતો.


૧૯૯૮માં ભારતે ૧૧ મે ના રોજ ૩ સફળ પરીક્ષણ કર્યા હતા જ્યારે ૧૩ મે ના રોજ બીજા ૨ પરમાણુ પરીક્ષણ કર્યા હતા.

સોમનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા દિવસ

11 મે 1951 ના દિવસે સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી.



તા.11 મેં 1951, વૈશાખ શુક્લ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલી 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમીકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકાસાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુનશી સામેલ હતા.


ચંદ્રએ કરી હતી સોમનાથ મહાદેવની સ્થાપના


શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ. અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. મલેચ્છ મહંમદ ઘોરી દ્વારા લૂંટનાં ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિરને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલએ સોમનાથના નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો.


ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર _ પ્રાણપ્રતિષ્ઠા


સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 70મો પ્રાણ પ્રતિષ્ઠા દીવસ સોમનાથમાં ઊજવાઇ રહ્યો છે. 1951ના વેશાખસુદ પાંચમના દીવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથ મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ સ્થાનીક ભુદેવો સાથે યાત્રીકોએ ભગવાન સોમનાથની મહાપુજા અને આરતી કરી ધ્વજા પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. બાદ સોમનાથ મંદીરના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.


સોમનાથ મંદિરને આક્રમણખોરોએ અનેક વખત કર્યું ધ્વસ્ત


પ્રાગ ઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર સાત વખત વિદેશી આક્રમણખોરો સામે લડીને ધ્વસ થઈને પુનઃ નિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં આજે પણ અજયે અને અડીખમ જોવા મળી રહ્યું છે. ઈસ્વીસન પહેલા સૈકામાં લકુવિસે પ્રથમ મંદિરના નિર્માણમાં બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો. સોમનાથ ખાતે આવેલા છઠ્ઠા મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ 1325 થી 1469ની વચ્ચે જૂનાગઢના રાખેંગારે મંદિરમાં લિંગનીની સ્થપના કરી ત્યાર બાદ 1469 માં અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ મંદિર પર ચડાઈ કરીને મંદિરને ધ્વસ્ત કર્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બરના 1947ના દિવસે સોમનાથ આવેલા ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે સોમનાથ મંદિરની જીર્ણ હાલત જોઈને સમુદ્રના જળથી મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. 13 નવેમ્બર 1947ના દિવસે કનૈયાલાલ મુન્સીને મંદિર નિર્માણની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ગાંધીજી દ્વારા આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીથી કરવાનું સુચન આવતા સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરીને 11મી મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડો રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું. આ મંદિર મહામેરુ પ્રાસાદ પૂર્ણ સ્વરૂપે બનીને આજે અડીખમ જોવા મળી રહ્યું છે.


હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા


સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. આજે વેગડાજી ભીલની સોમનાથ ખાતે આવેલી ડેરીમાં તેમના વંશજો દ્વારા તેમની વીરગતિને યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.


જય સોમનાથ જય ભોલેનાથ જય હિન્દ

Tuesday, May 3, 2022

क़ुतुबमीनार : - जो आपने पढ़ा वो झूठ था |

कुतुबुद्दीन, क़ुतुबमीनार, कुतुबुद्दीन की मौत और स्वामी भक्त घोड़ा "शुभ्रक"



किसी भी देश पर शासन करना है तो उस देश के लोगों का ऐसा ब्रेनवाश कर दो कि- वो अपने देश, अपनी संस्कृति् और अपने पूर्वजों पर गर्व करना छोड़ दें. इस्लामी हमलावरों और उनके बाद अंग्रेजों ने भी भारत में यही किया. हम अपने पूर्वजों पर गर्व करना भूलकर उन अत्याचारियों को महान समझने लगे जिन्होंने भारत पर बे-हिसाब जुल्म किये थे.


अगर आप दिल्ली घुमने गए है तो आपने कभी क़ुतुबमीनार को भी अवश्य देखा होगा. जिसके बारे में बताया जाता है कि- उसे कुतुबुद्दीन ऐबक ने बनबाया था. हम कभी जानने की कोशिश भी नहीं करते हैं कि- कुतुबुद्दीन कौन था, उसने कितने बर्ष दिल्ली पर शासन किया, उसने कब क़ुतुबमीनार को बनबाया या कुतूबमीनार से पहले वो और क्या क्या बनवा चुका था ?


कुतुबुद्दीन ऐबक, मोहम्मद गौरी का खरीदा हुआ गुलाम था. मोहम्मद गौरी भारत पर कई हमले कर चुका था मगर हर बार उसे हारकर वापस जाना पडा था. ख्वाजा मोइनुद्दीन चिश्ती की जासूसी और कुतुबुद्दीन की रणनीति के कारण मोहम्मद गौरी, तराइन की लड़ाई में पृथ्वीराज चौहान को हराने में कामयाबी रहा और अजमेर / दिल्ली पर उसका कब्जा हो गया.


अजमेर पर कब्जा होने के बाद मोहम्मद गौरी ने चिश्ती से इनाम मांगने को कहा. तब चिश्ती ने अपनी जासूसी का इनाम मांगते हुए, एक भव्य मंदिर की तरफ इशारा करके गौरी से कहा कि - तीन दिन में इस मंदिर को तोड़कर मस्जिद बना कर दो. तब कुतुबुद्दीन ने कहा आप तीन दिन कह रहे हैं मैं यह काम ढाई दिन में कर के आपको दूंगा.


कुतुबुद्दीन ने ढाई दिन में उस मंदिर को तोड़कर मस्जिद में बदल दिया. आज भी यह जगह "अढाई दिन का झोपड़ा" के नाम से जानी जाती है. जीत के बाद मोहम्मद गौरी, पश्चिमी भारत की जिम्मेदारी "कुतुबुद्दीन" को और पूर्वी भारत की जिम्मेदारी अपने दुसरे सेनापति "बख्तियार खिलजी" (जिसने नालंदा को जलाया था) को सौंप कर वापस चला गय था.


कुतुबुद्दीन कुल चार साल ( 1206 से 1210 तक) दिल्ली का शासक रहा. इन चार साल में वो अपने राज्य का विस्तार, इस्लाम के प्रचार और बुतपरस्ती का खात्मा करने में लगा रहा. हांसी, कन्नौज, बदायूं, मेरठ, अलीगढ़, कालिंजर, महोबा, आदि को उसने जीता. अजमेर के विद्रोह को दबाने के साथ राजस्थान के भी कई इलाकों में उसने काफी आतंक मचाया.


जिसे क़ुतुबमीनार कहते हैं वो महाराजा वीर विक्रमादित्य की बेधशाला थी. जहा बैठकर खगोलशास्त्री वराहमिहर ने ग्रहों, नक्षत्रों, तारों का अध्ययन कर, भारतीय कैलेण्डर "विक्रम संवत" का आविष्कार किया था. यहाँ पर 27 छोटे छोटे भवन (मंदिर) थे जो 27 नक्षत्रों के प्रतीक थे और मध्य में विष्णू स्तम्भ था, जिसको ध्रुव स्तम्भ भी कहा जाता था.


दिल्ली पर कब्जा करने के बाद उसने उन 27 मंदिरों को तोड दिया. विशाल विष्णु स्तम्भ को तोड़ने का तरीका समझ न आने पर उसने उसको तोड़ने के बजाय अपना नाम दे दिया. तब से उसे क़ुतुबमीनार कहा जाने लगा. कालान्तर में यह यह झूठ प्रचारित किया गया कि- क़ुतुब मीनार को कुतुबुद्दीन ने बनबाया था. जबकि वो एक विध्वंशक था न कि कोई निर्माता.


अब बात करते हैं कुतुबुद्दीन की मौत की. इतिहास की किताबो में लिखा है कि उसकी मौत पोलो खेलते समय घोड़े से गिरने पर से हुई. ये अफगान / तुर्क लोग "पोलो" नहीं खेलते थे, पोलो खेल अंग्रेजों ने शुरू किया. अफगान / तुर्क लोग बुजकशी खेलते हैं जिसमे एक बकरे को मारकर उसे लेकर घोड़े पर भागते है, जो उसे लेकर मंजिल तक पहुंचता है, वो जीतता है.


कुतबुद्दीन ने अजमेर के विद्रोह को कुचलने के बाद राजस्थान के अनेकों इलाकों में कहर बरपाया था. उसका सबसे कडा बिरोध उदयपुर के राजा ने किया, परन्तु कुतुबद्दीन उसको हराने में कामयाब रहा. उसने धोखे से राजकुंवर कर्णसिंह को बंदी बनाकर और  उनको जान से मारने की धमकी देकर, राजकुंवर और उनके घोड़े शुभ्रक को पकड कर लाहौर ले आया.  


एक दिन राजकुंवर ने कैद से भागने की कोशिश की, लेकिन पकड़ा गया. इस पर क्रोधित होकर कुतुबुद्दीन ने उसका सर काटने का हुकुम दिया. दरिंदगी दिखाने के लिए उसने कहा कि- बुजकशी खेला जाएगा लेकिन इसमें बकरे की जगह राजकुंवर का कटा हुआ सर इस्तेमाल होगा. कुतुबुद्दीन ने इस काम के लिए, अपने लिए घोड़ा भी राजकुंवर का "शुभ्रक" चुना.


कुतुबुद्दीन "शुभ्रक" पर सवार होकर अपनी टोली के साथ जन्नत बाग में पहुंचा. राजकुंवर को भी जंजीरों में बांधकर वहां लाया गया. राजकुंवर का सर काटने के लिए जैसे ही उनकी जंजीरों को खोला गया, शुभ्रक ने उछलकर कुतुबुद्दीन को अपनी पीठ से नीचे गिरा दिया और अपने पैरों से उसकी छाती पर कई बार किये, जिससे कुतुबुद्दीन बही पर मर गया.


इससे पहले कि सिपाही कुछ समझ पाते राजकुवर शुभ्रक पर सवार होकर वहां से निकल गए. कुतुबुदीन के सैनिको ने उनका पीछा किया मगर वो उनको पकड न सके. शुभ्रक कई दिन और कई रात दौड़ता रहा और अपने स्वामी को लेकर उदयपुर के महल के सामने आ कर रुका. वहां पहुंचकर जब राजकुंवर ने उतर कर पुचकारा तो वो मूर्ति की तरह शांत खडा रहा.


वो मर चुका था, सर पर हाथ फेरते ही उसका निष्प्राण शरीर लुढ़क गया. कुतुबुद्दीन की मौत और शुभ्रक की स्वामिभक्ति की इस घटना के बारे में हमारे स्कूलों में नहीं पढ़ाया जाता है लेकिन इस घटना के बारे में फारसी के प्राचीन लेखकों ने काफी लिखा है. धन्य है भारत की भूमि जहाँ इंसान तो क्या जानवर भी अपनी स्वामी भक्ति के लिए प्राण दांव पर लगा देते हैं।।


સંકલિત સાભાર :- આપણી ધરતીની આપણી સંસ્કૃતિની વાતો



રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...