Friday, February 23, 2024

માતૃભાષા વિશેષ

ભાષા એ માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ જ નહી પરંતુ ભાવનાત્મક અભિવ્યક્તિ પણ છે. મુંગા જીવો ચોક્કસ રીતોથી માહિતીનું આદાન-પ્રદાન કરતા હોય છે અને જો માનવીને પણ ભાષા નામનું ઘરેણું ન મળ્યુ હોત તો માનવીએ પણ કંઇક ઠીકઠાક નિરાકરણ મેળવી જ લીધુ હોત જેમ હાલ મૂક-બધીર લોકો Sign language દ્વારા કરે છે તેમ જ પરંતુ ના, આપણને મળ્યો છે ભાષાનો અમુલ્ય વારસો, થોડી જુની, થોડી આધુનિક, થોડી અપ્રભ્રંશ, થોડી પ્રાશ્ર્વાત્ય, થોડી શિષ્ટ અને થોડી તોછડી, થોડી મીઠી, તો થોડી સરળ ભાષાનો વારસો. 


  🌸 ગુજરાત કે જેની માતૃભાષા ગુજરાતી છે તેમાં અને ખાસ કરીને શહેરોમાં એ ટ્રેન્ડ છે કે વાતચીતની શરૂઆત હિન્દીથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતી પર આવવું. જયારે બિઝનેશ મીટીંગ અથવા અપરિચિત ને પહેલી જ વાર મળતી વખતે અંગ્રેજીમાં વાતની શરૂઆત થાય. બે વાકય બોલી હિન્દીમાં અવતરણ થાય અને અંતે ગુજરાતી અથવા દરેક વ્યક્તિ ગુજરાતી હોવા છતાં ક્યારેક સમગ્ર વાત હિન્દીમાં જ વાતો કરવાનો ધારો છે. અંગ્રેજી મોર્ડન, હિન્દી કામચલાઉ, અને ગુજરાતી પછાત હોવાનો એક અત્યંત દુ:ખદ ધારો પડી ગયો છે. 


   🌸 નામ, Noun નું એક ઉદાહરણ લઈએ તો, અનાનસ તરીકે ઓળખાતુ ફળ કેટલુ સોહામણું લાગે પરંતુ અંગ્રેજી માધ્યમ અથવા કદાચ આધુનિકતાનાં રંગે તેને પાયનેપલ તરીકે ઓળખવામાં આવે છે. હકિકતમાં તમે જોશો કે અરબી, ફ્રેંચ, ફીનીશ, જર્મન, હિંદી, ગુજરાતી, હંગેરીયન, નોર્વેજીયન, રોમાનીયન, રશિયન, તુર્કી વગેરે ભાષામાં તો તેને અનાનસ જ કહેવામાં આવે છે તો આપણે કેમ તેને અનાનસ નથી કહેતા?


      એક સરળ Phrase-શબ્દ સમૂહ છે. At ease એટલે કે “સરળતાથી” તેનો વાકયપ્રયોગ જોઇએ તો I will do this task at ease. હવે થયુ એવુ કે આ કામ હુ at ease  થી કરી લઇશ એવા વાકય પ્રયોગથી એ થયુ અટેશ, આ કામ તો સરળ છે. અટેશ થી થઇ જશે. હવે ગુજરાતીમાં ‘અ’ એ નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે નિયમિત નું અનિયમિત થાય એમ અટેશનું સકારાત્મક ટેશ થયુ અને ડાયરાપ્રેમી લોકોએ તેને “ટેશડો” કરી દીધુ. હવે ટેશડો પડી જવુ મતલબ “ખુબ મજા પડી જવી”. 


🌸 વળી પાછા, પાઇનેપલ ઉપર આવીએ તો તેને Pine tree સાથે કોઇ નિસ્બત ન હોવા છતાં પાયનેપલ તરીકે એટલા માટે સર્વસ્વિકૃત બન્યુ કારણકે સ્પેનીશ ભાષામાં “પાઈન” શબ્દ પ્રચલિત હતો જ્યારે અન્ય જગ્યાએ “નાનસુ” અને આથી અહિં બન્યુ અનાનસ, જ્યારે અંગ્રેજોએ કેરેબીયન ટાપુ કે જ્યાં સ્પેનીશ ભાષા બોલતી પ્રજા સાથે વેપાર વધારીને અંતે પાયનેપલ શબ્દ સ્વીકાર્યો.  


પેન-પાયનેપલ-એપલ-પેન નામનું Song You-tube પર જરુરથી નિહાળજો. ૪૫ સેકન્ડનાં આ અતિ વાહિયાત અને નાના બાળકની રાયમ (કવિતા- Rhymes) જેવા ગીતે વિશ્વનાં તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે અને સૌથી નાનાં પ્રખ્યાત ગીતોમાં સામેલ થયુ છે. કદાચ આવા Songs થી એ સાબિત થયુ કે માણસની અંદરનો બાળક હજી જીવે છે અને ક્ષુલ્લક Rhymes પણ તેને હજી ખુબ આકર્ષે છે. 


 🌸  બાળપણમાં ક્રિસમસને નાતાલ કહેતા, કોલેજમાં આવતા આવતા ક્રિસમસ કહેવા લાગ્યા. જેમ કહેવાતા ફેશનેબલ લોકો ફ્રેન્ડસને ‘અમીગો’ અને આઇ લવ યુ ને ‘Te AMO’ કહેવા લાગ્યા છે. જે પોર્ટુગીઝ ભાષામાંથી ઉધાર લીધુ છે પરંતુ પોર્ટુગીઝ ક્રિસમસને નાતાલ કહે છે ક્રિસમસ નહી. પરંતુ અહિં નાતાલ કહેવાથી વળી પાછા દેશી હોવાનો ડર મનમાં પેસી જાય છે. આપણો પ્રિય ઘડીયો એક એકુ એક, બે દુ ચાર, એવુ હવે કોઇ નથી બોલતુ. ટુ ટુ ઝા ફોર, થ્રી થ્રી ઝા નાઇન એવુ કહે છે. મે એક મિત્ર ને કહ્યુ કે ટુ થ્રી ઝા એટલે શું? તો કહે બે તરી છ. આમ તરી એટલે અંગ્રેજીમાં થ્રી ઝા. અરે મારા ભાઇ ! એવુ નથી. થ્રીઝા ફોર્ઝા નથી. આ Two Twos are Four, Two Fives are Ten એવુ છે. પણ ના આપણે તો બસ આંઘળુ અનુકરણ કરવુ છે પછી ભલે ને શહેરી મહિલાઓ બુમો પાડતી ! લે બેટા “બનાનુ” ખાઇ લે એક હોય કે દસ એને બનાના જ કહેવાય બનાનુ ન કેવાય એવુ કોણ સમજાવે? 


🌸 ગુજરાતી ભાષાનું વ્યાકરણ સમજયા સિવાય આપણે ગુજરાતી સારૂ બોલી શકીયે છીએ. ચંદ્ર લખો ત્યારે આ અનુસ્વાર – (ટપકુ(.)) નો મતલબ અડધો “ન” “ચન્દ્ર” થાય જયારે કંપન માં અડધો “મ” કમ્પન તરીકે એ ટપકુ પોતાની હાજરી દર્શાવે છે. આપણે તો સમજી શકીયે. પરંતુ યુરોપના મિત્રોને કેમ સમજાવશો કે ચંદ્રમાં ટપકાને અડધો ન ખોલવાનો છે અને કંપનમાં અડધો મ એનું રહસ્ય ફોનેટિક્સમાં રહેલું છે. દંતવ્ય, તાલવ્ય દ્વારા રચાતા અક્ષરોનાં વ્યાકરણથી આ સમજી શકાય છે.

   

🌸 ગુજરાતી ભાષાનો વૈભવ જેવો તેવો નથી. ઊંટ ગાંગરે છે., કાબર કલબલ કરે છે., વાંદરુ દાંતિયા કરે છે, ઘોડો હણહણે છે., સિંહ ડણકે છે અને હરણ છિંકારે છે. જયારે અંગ્રેજોના વૈવિધ્યના અભાવે તેઓની માતૃભાષામાં લગભગ ૫૦ જેવા ફ્રુટ (ફળો)ના નામની પાછળ બેરી આવે છે. બારબેરી, બ્લેક્બેરી, બોક્સબેરી, બિલબેરી, કેન્ડલબેરી, બોયસનબેરી, બ્લુબેરી, રાસબેરી, ચાયનાબેરી, ક્લાઉડબેરી, કોરલબેરી, બફેલોબેરી, ક્રેનબેરી, ફ્રાર્કલબેરી, ગુસ્બેરી (આપણા ભારતીય આમળા), હેકબેરી, ઇન્કબેરી, વોલ્ફબેરી, યંગબેરી, વિન્ટરબેરી અને અવા હજી ઘણા છે.

 

  અંગ્રેજો Box નું બહુવચન Boxes કરે છે. પરંતુ Ox નું બહુવચન Oxes નહી પણ Oxen કરે છે. તેમના થી અંજાઈ ગયેલા અહીના લોકલ લોકો જો Xaviers માં ભણે તો તેઓ પોતાને Xaviarite તરીકે ઓળખાવે IIT વાળા IITIANS તરીકે તો મારા જેવા M.G.Science કોલેજમાં ભણેલાને શું કરવુ?  M.G.Sciencetifian કે પછી આના કોઇ ગ્રામરનાં ચોક્કસ નિયમો છે ? 


  🌸 હવે જુઓ, ભાષા અંગ્રેજી હોય કે હિન્દી, ગુજરાતી હોય કે ચાયનીઝ, પ્રશ્નાર્થ ચિહ્ન (?) ઉદગાર ચિહન (!) અને પૂર્ણવિરામ ( . ) તો દરેક ભાષામાં સમાન જ હોઈ છે, આનુ કારણ શુ હોઇ શકે ? ૧૮-૧૯મી સદી સુઘી લગભગ દરેક ભાષાનાં પોતપોતાના ચિહનો હતા. અમેરિકન સમયમાં પૂર્ણવિરામ ( : ) : આ રીતે હતી. જયારે Question Mark એ ડિગ્રી જેવો હતો (°) જે હાલ તાપમાન દર્શાવવા ઉપયોગમાં લેવાય છે. સ્પેનમાં Question માર્ક Up side Down હતો અને ૨૦મી સદી આવતા આવતા બધાએ થોડુ સ્વિકાર્યુ, થોડુ જતુ કર્યુ, અને થોડો બીજી ભાષા પર પ્રભાવ પાડ્યો અને અંતે ચિન્હ પુરતી સમાનતા લાગુ પડી. આપણા બંધારણમાં પણ અંગ્રેજી આંકડાને માન્યતા મળી છે. 1,2,3,4….એવી રીતે કેન્દ્ર સરકારનાં તમામ કાર્યોમાં આંકડા તો અંગ્રેજી ભાષામાં લખવાનો ધારો છે, અને તેમ કશુ ખોટુ પણ નથી. આવડા મોટા દેશમાં આંકડા પુરતી તો સમાનતા હોવી જ જોઈએ.  


 🌸  આ લખવાનો આશય શું હતો ? આશય એ હતો કે આપણે ગુજરાતના જ કોઈ મેકડોનાલ્ડસ કે કોઇ મોલમાં જઈએ ત્યારે મોલમાં નોકરી કરનાર સેલ્સમેનને કહીએ તમારી પાસે કયાં કયાં બર્ગર છે ? ગુજરાતી હોવાના કારણે સ્વાભાવિક ગુજરાતી બોલીમાં જ વાત કરીએ પરંતુ સેલ્સમેન રટાવેલ પોપટ ની જેમ  How may I help you ? થી વાત શરૂ કરે ત્યારે આપણે ફરાટ્ટેદાર અંગ્રેજીમાં જવાબ આપીએ એટલે એ હિન્દી ઉપર આવી ચડે ? એટલે આપણે ઉર્દુ મિશ્રિત તહેજીબવાળી હિન્દીમાં આવીએ એટલે પછી અંતે એ ગુજરાતીમાં આવે. અરે ! ગુજરાતી સરનેમ (અટક) એમના શર્ટ ઉપર ટિંગાતી હોય કે આ ગુજરાતી જ છે. આમ, છતાં આપણે આધુનિક રેસ્ટોરંટમાં હિન્દી કે અંગ્રેજીમાં કેમ વાત કરવી પડે ? ગુજરાતી બોલવાથી પછાતપણું હોવાનો ડર જો લોકમાનસમાં ઊંડે સુધી ઉતરી ગયો તો આપણી આગવી સંસ્કૃતીને ખુબ જોખમરૂપ છે.

સાભાર :-

- © કુણાલ ગઢવી.

ગીર પ્રદેશ વિશે અવનવી વાતો

ગીર : એક અછડતી દ્રષ્ટિ- ડૉ. જીત જોબનપુત્રા

         ગિરનારમાં તો મારે ઠીક ઠીક રખડવાનું થયું છે પણ ગીર વિસ્તારમાં સાવ ઓછું રખડવાનું થયું છે. પરંતુ જેટલીવાર ગીર જાઉં એટલીવાર કંઈક તો નવું મળે જ ! ગીર જંગલના બે ભાગ પડે છે : પશ્ચિમ ગીર અને પૂર્વ ગીર. પશ્ચિમ ગીરનું જંગલ પ્રમાણમાં હર્યાભર્યું અને લીલુંછમ છે જ્યારે પૂર્વ ગીર આટકાટનાં ઝાડવાળું, કાંટાળું અને સૂકું છે. ત્યાં કાંટાળું ઝાડ જેવાં કે બાવળ, બોરડી, હરમો, ખીજડો, મઢીર, કંથાર, ક્રાંકચ આદિ ઝાઝાં છે. પણ  રાયણ જેવાં નિત્ય લીલાં રહેતાં ઝાડ ઓછાં જોવા મળે છે. સૌરાષ્ટ્રનાં જંગલો ખરાઉ પાનખરનાં છે. ઉનાળામાં તેનાં વૃક્ષો પાન ખેરવીને ઠૂંઠાં બની જાય છે. બરડો, શત્રુંજય, ગીર અને ગિરનારનાં જંગલોનું પોત એકસરખું છે. આપણને કોઈએ આંખે પાટા બાંધીને મધ્ય જંગલમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે આ આલેચ, બરડો, ગીર કે ગિરનાર છે. 

            ગીરમાં પાર વિનાના નાના મોટા ડુંગરો આવેલા છે. એમાં સહુથી ઊંચું શિખર તો સરકલાનું (૬૪૩ મીટર) છે. તેને કેટલાક સરકડિયો તો કેટલાક ચરકિયો પણ કહે છે. તેની પાસે જ વાંસજાળિયો ડુંગર લાંબો થઈને પડેલો છે. સરકલો મથુરામાળની પર્વતમાળાનો જ એક ભાગ છે. ચાંપદરો, દેવો, લીલાપાણી, ઢોળપાણી, કાંટાસૂરિયો અને ચાંચઈ જેવાં તેનાં શિખરો છે. પૂર્વ ગીરનો નાંદિવેલો ( ૫૦૬ મીટર ) ગીરમાં બીજા ક્રમની ઊંચાઈનો ડુંગર છે. 

              ગીરના ડુંગરોના નામ પણ બહુ રસપ્રદ છે. વિસાવદરથી ધારી જતાં દક્ષિણ ક્ષિતિજ પર રોણિયો, નાળિયેરો, પંખિયો અને માલપરો દેખાય છે. માલપરો જે પૂર્વ પશ્ચિમ ભલે આડો દેખાય પણ આવા માલપરા પણ સાત છે. મેંદરડા પાસેના કનડો અને દાદરેચો, વિસાવદર પાસેનો કડકિયો, તુલસીશ્યામથી ઉગમણે રુક્ષ્મણીનો, ભીમચાસથી ઉપર ભીમસિયો, કાબરો અને દોઢીનો માળ, લાલપર વેકરિયાથી ઈશાનમાં હોથલિયો, લીમધ્રા ઉપરનો સરતાનિયો, ખાંભા પાસેના મીતિયાળાનો ડુંગરો, માંગડો અને લાપાળો, વેજલકોઠા પાસેનો ડાચાફાડનો, જળ જીવડીથી આગળ જતાં દૂંડિયો, હડાળીધાર અને બાબરોટનો ડુંગર, પાણિયાના ચાંચઈનો, સાસણ પાસેનો વાંસાઢોળનો, ઘંટલો, છોડિયો અને રાયડો ડુંગર, જાનવડલા અને કનકાઈનો મૂંડો, ઘોડાવડી ઉપરનો પારેવાનો, બાણેજનો આદિ વિશેષ ઉલ્લેખનીય છે. સદ્ભાગ્યે મને થોડા દૂરથી પણ આ ડુંગરોનાં દર્શન થયાં છે. આ ડુંગરો જેવા તેવા નથી હો, પ્રત્યેકને એનો મહિમા છે.

                   લીલાપાણીમાંથી શિંગવડો નદી નીકળે છે અને કોડીનાર પાસે સમુદ્રને મળે છે. લીલાપાણીના ઉદ્ગમ સ્થાને માલીઆઈનો મંડપ આવેલો છે. અહીં માતાજીનું પ્રાચીન સ્થાન છે. લીલાપાણી, દુંડી અને ચાંચઈમાંથી જ શેત્રુંજી નીકળે છે જે પૂર્વ તરફ વહે છે. શેત્રુંજી સિવાયની ગીરની સર્વે નદીઓ દક્ષિણ દિશા તરફ વહીને સમુદ્રને મળી જાય છે. જોકે, તેમાં અપવાદ પણ છે. જામવાળા પાસેના બથેશ્વરની જાતરડી પૂર્વવાહિની છે અને શિંગવડોમાં સમાઈ જાય છે. સિરવાણ પાસે ઢોળપાણી અને કાંસાની ટેકરીમાંથી હિરણ હલકાળી નીકળે છે અને કાજલી પાસે સરસ્વતીને મળે છે. સોમનાથ સાગરમાં હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે. કહે છે કે આ સરસ્વતી તો ગુપ્ત નદી છે, છતાં માર્ગમાં ક્યાંક ક્યાંક તે દેખા દે છે ખરી. સૌરાષ્ટ્રમાં તાલાલા પાસેના ગુંદરણના રામકુંડમાં તે સર્વ પ્રથમ દેખા દે છે. દોંડીનો ડુંગર દૂરથી ગોળાકાર ખીપા જેવો લાગે છે. ત્યાં જવું હોય તો કરમદડીથી જવાય. નાંદિવેલામાંથી માલણ નદી નીકળે છે અને તે રાવલને મળી જાય છે. રાવલને કાંઠે જ સરની ખોડિયારનાં બેસણાં છે. નાંદિવેલા પર પણ ખોડિયાર માતાજીનાં બેસણાં છે તો તેની તળેટીમાં આવેલા બરવાળા આશ્રમમાં હનુમાનજીના બેસણાં છે. નાંદિવેલા પાસેના ચરકિયા ડુંગરમાં ચરકવાળા બાપુ થઈ ગયા. તેઓ વનસ્પતિ આધારિત વૈદકના નિષ્ણાત હતા. વિસાવદરના માણંદિયા પાસે મંડોરિયા કેમ્પ આવેલો છે. અહીં ગિરનારના દામનગર હનુમાનવાળા નિર્મોહી બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. લાપાળા ડુંગરમાં અવિચળનાથનું ભોંયરું છે, ચાંચઈના ડુંગરમાં ચાંચબાઈ માતાજી વિરાજે છે, વાંસાઢોળ પર ખોડિયાર માતાજીને જુવારવા ગ્રામ્ય લોકો આવે છે. બાબરોટ ડુંગરના બાવનગાળામાં સુવિખ્યાત સંત દેવરાહાબાબાએ ભજન કરેલું. તેમના જ એક શિષ્ય સુદામાદાસજીએ ગિરનારમાં ભજન કરેલું.

                   તુલસીશ્યામ પાસેના જંગલની નદીમાં કાળમીંઢ શિલામાં એક વિશાળ ઊંડો ઝરેરો પડેલો છે, તેને ભીમચાસ કહે છે. કહે છે કે વનવાસ દરમિયાન કુંતામાતાને તરસ લાગવાથી ભીમે પાટું મારતાં ત્યાં ઝરેરો પડી ગયો અને પાણી ફૂટી નીકળ્યું. આવો જ ભીમચાસ ગિરનારમાં આલી છીપરની દક્ષિણે પણ આવેલો છે. સાસણથી ઉગમણે ઘંટલો ઘંટલી આવે છે. ઘંટલો તે મોટો ડુંગર અને ઘંટલી તે નાની ટેકરી ! જનસમૂહે  આ બંનેનાં લગ્ન કરાવ્યાં છે અને ગીતો તેમજ ફટાણાં પણ ગાયાં છે : " ઘંટલો પરણે ઘંટલીને અને અણવર વાંસાઢોળ ! " ગીરમાં લોક માનસે ડુંગર અને ટેકરીમાં સ્ત્રી પુરુષનું સાયુજ્ય કલ્પી અદ્વૈત સિદ્ધ કર્યું છે ! અદ્વૈત સિદ્ધ કરવામાં કંઈ કોઈ આચાર્યોના વાદની આવશ્યકતા નથી. આવા જોડકા-ડુંગર મળવા ગીરમાં આશ્ચર્યની વાત નથી. જેમ કે, રાયડો-રાયડી, કનડો-કનડી, નાંદિવેલો-નાંદિવેલી, દૂંડો-દૂંડી, હાથિયો-હાથણી, દોણકો-દોણકી, હડાળો-હડાળી, દાધરેચો-દાધરેચી આદિ.

                  મચ્છુન્દ્રી નદીનું ઉદ્ભવ સ્થાન રાજમલ ડુંગર કે મચ્છુન્દ્રો ડુંગર છે. અહીં મચ્છન્દરનાથની ગુફા છે અને શિવજીનું સ્થાનક છે. મચ્છન્દરનાથ પરથી જ મચ્છુન્દ્રી નામ પડેલું છે. મચ્છુન્દ્રી નીચે ઊતરતાં દ્રોણેશ્વર નામનું વિખ્યાત શિવાલય આવે છે. મચ્છુન્દ્રી ઉના-દેલવાડાથી આગળ નવાબંદરને મળે છે. ખાંભા પાસે કંટાળા ગામ નિકટ માંગડાવાળાનો ડુંગર છે. તે વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમ કથા સંઘરીને બેઠો છે. હડાળીધારની તળેટીમાં સાંખની ખોડિયાર આવેલાં છે. ગીરની વીડીઓ જેવી કે, ચરખડા વીડી અને બાબરા વીડીમાં પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો છે. ગીરના નેસડાઓમાં રહેતો માલધારી વર્ગ માતાજીમાં બહુ શ્રદ્ધા ધરાવતો હોય છે. પ્રત્યેક નેસમાં માતાજીનું સ્થાનક તો અવશ્ય હોવાનું. ખોડિયાર માતાજીના નાના નાના થડા તો ગીરમાં ઘણા છે પણ એમાં મુખ્ય ત્રણ સ્થાનકો વિશેષ ખ્યાત છે : સાંખની ખોડિયાર, સરની ખોડિયાર અને ભાંગલવડની ખોડિયાર. બાણેજના ડુંગર પર  ગુફામાં ખોડિયાર માતાજીનું સ્થાન છે ત્યાં સરસ્વતીદાસબાપુએ ભજન કરેલું. ગીર જંગલમાં અવધૂત વેશે પરિભ્રમણ કરનાર પહુડિયાબાપુની બેઠક બાબરિયા તરફ જતાં ખાખરાવાળી ખોડિયારે હતી.

           ઘોડાવડીના દેવગિરિબાપુ સિદ્ધ મહાત્મા થઈ ગયા. ઘોડાવડી નદી પારેવાના ડુંગરમાંથી નીકળે છે અને મચ્છુન્દ્રીને મળે છે. બાણેજ અને છોડવડી વચ્ચે આવેલા થોરાળા ડુંગરના ભોંયરામાં અઘોરી સંતો ભજન કરી ગયા છે.

          ગીરમાંથી ચાર મોટી નદીઓ હિરણ, શિંગવડો, મચ્છુન્દ્રી અને રાવલ નીકળે છે. ઓઝત ભલે ભેસાણ પાસેના ગોરવિયાળીથી નીકળતી હોય પરંતુ તેને પણ ગીરની જ એક નદી ગણી શકાય, કારણ કે ઓઝતને ગીરની પણ  કેટલીક નાની ઉપ નદીઓ મળે છે. પોપટડી, ધ્રાફડ અને આંબાજળ છેવટે તો ઓઝતમાં જ ભળે છે. પોપટડી હોથલિયા ડુંગરમાંથી નીકળે છે અને વિસાવદરના પાદરમાંથી પસાર થાય છે. જમરી કાબરામાંથી નીકળી રાવલમાં ભળી જાયછે, તો ઝેર કોચલી ચાહીમાં ભળી જાય છે. ચાહી તુલસીશ્યામ પાસેથી રુકમણિના ડુંગરમાંથી નીકળે છે. કનડામાંથી નીકળતી મધુવંતી, વ્રજની અને સાબળી માધવપુર ઘેડ પાસે આવેલા પાતાના સમુદ્રમાં મળી જાય છે.

             ગીરના પ્રત્યેક ડુંગરમાં અને નદીકાંઠે દેવ દેવીઓની દહેરીઓ આવેલી છે. ઠેર ઠેર સંતોના બેસણાં છે, એ વડલા જેવા સંતો આપણાં વિસામાનાં પ્રતીકો છે. ગીરમાં આવેલ રૂપાપાટે સમર્થ સંત શ્રી રાધેશ્યામ બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. અરલના નેસવાળા બુઢ્ઢેબાપુ શ્રી કોટવાળગિરિ વર્તમાનમાં બાબરિયાના આશ્રમે રહે છે. આપણે સહુ આવા શ્રદ્ધેય સંતો થકી ઉજળા છીએ. 

સાભાર:-

-ડૉ. જીત જોબનપુત્રા na FB માંથી.. ખૂબ સરસ માહિતી...

Saturday, February 17, 2024

Blog કઈ રીતે બનાવવો ?? જાણો...

 



સામાન્ય રીતે બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. આધુનિક બ્લોગ ઓનાલાઈન ડાયરીમાંથી નીપડ્યા છે , જેમાં લોકો તેમના અંગત જીવનોના જીવંત વર્ણનો રાખતા હોય છે આવા મોટા ભાગ ના લેખક પોતાને રોજનીશી લેખકો પત્રકારો કે જનરલ લેખક કહેવડાવે છે. બ્લોગ વેબલોગ નું ટુકું રૂપ એ વેબસાઈટ છે. ઘણા બ્લોગ ચોક્કસ વિષય પર કોમેન્ટરી કે સમાચાર પુરા પડે છે. જયારે અન્ય બ્લોગ વ્યક્તિત ઓનલાઈન ડાયરી કામગીરી બજવે છે. એક નમુનારૂપ બ્લોગમાં લખાણ અન્ય બ્લોગ સાથે લીંક , વેબ પેઇઝ અને તેના વિષય સંબંધીત અન્ય માઘ્યમનો સમાવેશ થાય છે.પણ હવે થોડા સમય બ્લોગ ને માર્કિટીંગ માં ઉપયોગ કરવા માં આવે છે જેમાં ગૂગલ અડસેન્ટ ની મદત થી બ્લોગ માં એડ મૂકી શકાય છે તેની મદદથી ઘર રહીને કમાણી કરી શકાય છે.

બ્લોગ શરૂ કરવા માટેના 6 પગલાં

  1. બ્લોગ લખવાનો એક વિષય નક્કી કરો
  2. કોઈ એક બ્લોગિંગ પ્લેટફોર્મ પસંદ કરો
  3. બ્લોગીંગ પ્લેટફોર્મ પસંદ કરો ( આપણે અહીંયા ગૂગલ નું બ્લોગર પસંદ કરીશું )
  4. તમારો બ્લોગ સેટ કરો
  5. કસ્ટમાઇઝ કરો અને લોંચ કરો!
સ્ટેપ નંબર 1
બ્લોગ લખવા માટે એક વિષય નક્કી કાર્ય બાદ તમારે તમારા ગૂગલ વેબ બ્રાઉઝર ક્રૉમ અથવા મોઝિલા ફાયરફોક્સ નામક બ્રાઉઝર નો ઉપયોગ કરી www.Blogger.com પર જવાનું છે.


મિત્રો એક વાત યાદ એ રાખવાની છે કે તમે આ બધાજ સ્ટેપ મોબાઈલ ની જગ્યા એ કોઈ કમ્પ્યુટર માં અથવા લેપટોપ માં કરો તો ખુબજ સરળતા રહશે. તેનું કારણ જાણવું તો હજુ સુધી ગૂગલ ના બ્લોગર પ્લેટફોર્મ ની એપ પ્લે સ્ટોર માં ઉપલબ્દ તો છે પરંતુ પૂરતી સગવડ સાથે નથી.

સ્ટેપ નંબર 2


ત્યાર બાદ CREATE YOUR BLOG પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કાર્ય બાદ તમે ગૂગલ લોગીન થવાનું કહેશે તમારે તમારો ઇમેઇલ અને પાસવડ આપીને લોગીન થાય જવાનું છે.

તમારું ઇમેઇલ અને ઇમેઇલ નો પાસવડ આપ્યા બાદ ગૂગલ તમને બ્લોગર ડેશબોર્ડ માં ઑટોમૅટિક લઇ જશે. 

સ્ટેપ નંબર 3




ડેશબોર્ડ માં તમારે Create a new blog શોધી ને તેના પર ક્લિક કરવાનું છે તેનાથી તમને એક પોપઅપ વિન્ડો જોવા મળશે જે ઉપર ફોટો આપેલો છે તે મુજબનું હશે. પોપઅપ વિન્ડો ની વિગત ધ્યાન થી જોઈને ભરવાની રહશે. ટાઇટલ તમારે ગુજરાતી માં રાખી શકો અને address આપ્યું તે તમારે અંગ્રેજી માં અથવા SMS ની ભાષા માં લખશો તો ચાલશે. આ તમારા બ્લોગ નું નામ છે.

ત્યારે બાદ બ્લોગ ની ડિઝાઇન કોઈ એક પસંદ કરવી અને create blog પર ક્લિક કરવું.

ત્યાર બાદ તમારો બ્લોગ સફળતા પૂર્વક બની ગયો છે!!!!  આવોજ એક મેસેજ તમારી સ્ક્રીન પાર દેખાશે અને તમારો પ્રથમ બ્લોગ બની જશે.
સ્ટેપ નંબર 4

બ્લોગ બની ગયા પછી આગળ એક મહત્વનો સ્ટેપ છે તે ધ્યાનથી જુવો.


અહીંયા તમારે create new post પર ક્લિક કરવાનું છે અને આ સ્ટેપ છે જેમાં તમારે નવી પોસ્ટ લખવાની છે.
 સ્ટેપ નંબર 5


મિત્રો તમે આ રીતે અલગ અલગ તમારા વિષય વસ્તુ ને ધ્યાન માં લઈ ને તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો. અને કહ્યા બાદ તમારે પબ્લિશ બટન દબાવાનું રહશે. ત્યાર બાદ તમે view blog પર ક્લિક કરશો તો તમારો બ્લોગ જોય શકશો.


બ્લોગ લખવા માટે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
બ્લોગ વિશેના કાયદા જાણો અને તેનાથી ડરો. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને? વેબસાઈટ કે બ્લોગ બનાવતા પહેલા બ્લોગરે પાળવાની કેટલીક આચાર સંહિતા છે જેનું ઉલ્લંઘન ગેરકાયદેસર છે અને એના ઉલ્લંઘન કરવા બદલ જેલ કે દંડની સજા પણ થઇ શકે છે.

(સોરી પણ એજ્યુકેશન સોર્સ વધુ આપવાના આશયને કારણે હું આ નિયમોનું પાલન કરી શકતો નથી)

બ્લોગરો માટેની આચાર સંહિતા:

(1) બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)

(2) જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી

(3) જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)

(4) ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે. કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.

(5) અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો.

(6) પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!

(7) લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે.

(8) લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.

આટલા નીતિનિયમો આપને મંજુર હોય તો આપ આપનો બ્લોગ કે વેબસાઈટ બનાવી શકો છો.

બ્લોગ બનાવવાની રીત માટે વધુ આર્ટિકલ માટે અહીં ક્લિક કરો.

Thursday, February 8, 2024

आदियोगी ईशा योग केन्द्र

 हम दोनों 4-5 दिन ईशा योग केन्द्र में रहने के बाद 4 फ़रवरी को मुन्नार आ गये। कल 6 फ़रवरी को मदुरै जायेंगे। ईशा केन्द्र के बारे में कुछ जानकारी साझा करना चाहता हूं शायद किसी के काम आ जाए।

 जो घुम्मकड़ कुछ दिन शान्त और सादा जीवन जीना चाहते हैं उनके लिए यह उपयुक्त स्थान कोयम्बतूर से 30 किलोमीटर है। यहां रहने के लिए आनलाइन बुकिंग होती है। प्रतिदिन 990रु या अधिक के हिसाब से बहुत सुंदर बड़ा रुम मिल जाता है।

सुबह शाम 2 बार संतुलित और पौष्टिक भोजन मिलता है। आप यदि चाहें तो केन्द्र में ही बहुत अच्छी कैंटीन भी है। केन्द्र के बाहर भी कुछ बहुत अच्छे भोजनालय है।

 आप चाहें तो 2100रू या   अधिक की सहयोग राशि भी केन्द्र में जमा करा सकते हैं।

यात्री 7 दिन से अधिक के लिए रुम नहीं ले सकते। जो लोग आध्यात्मिक या यौगिक विकास और अध्यन चाहते हैं उनके लिए लम्बे प्रवास अन्य सुविधाओं और नियमों के साथ सम्भव है।

 ईशा योग केन्द्र 3-4 किलोमीटर में फैला हुआ है। अन्दर आने जाने घूमने के लिए फ्री बस बैटरी ट्राली या बैलगाड़ी का इंतजाम है। करीब 500 पीले रंग की साइकल हैं जो आप कहीं से उठाकर कहीं भी छोड़ सकते हैं।

 आप कहीं भी जाएं हर जगह आपका हाथ जोड़कर स्माइल के साथ स्वागत है। चाहे लंगर (भीक्षा भवन) हो या किसी भी सवारी लेनी हो। यहां आप हजार लोगों से मिलोगे तो किसी के चेहरे पर तनाव या झुंझलाहट नहीं दिखेगी। 2-3 दिन में आपका भी तनाव खत्म।

 ध्यान लिंगम में विशाल शिवलिंग के समक्ष 10 मिनट ध्यान का अलग ही आनंद है। ध्यान लिंगम में जाने से पहले पुरुष सूर्यकुण्ड में और स्त्रियां चन्द्र कुंड में स्नान करते हैं।

 रात को दस बजे आधे मिनट लाइट बंद करके इशारा किया जाता है कि सो जाओ। दस मिनट बाद एक बार फिर।

रात के 8 से सुबह 8 तक पूरे केन्द्र में चाय काफी नहीं मिलेगी। रात 8.30 तक भीक्षा भवन भी बन्द। ‌

 ईशा योग केन्द्र के सामने ही एक बहुत ही सुन्दर और विशाल मैदान में महादेव के आदियोगी रूप की विशाल प्रतिमा है। अंधेरा होते ही यहां 20-25 मिनट का लेजर शो और शिव स्रोतम का गान होता है। यह सारा ही  स्थान बहुत सुंदर और मीलों तक फैला और वैलनगिरी की पहाड़ियों से घिरा हुआ है। चारों और नारियल के वृक्ष और खेत आदि हैं।

 यह स्थान एक पवित्र वैडिंग डेस्टिनेशन भी है। रोजाना यहां 5-7 शादियां महादेव और पार्वती माता के आशीर्वाद से सम्पन्न होती हैं।

और अधिक जानकारी हेतु केन्द्र की वेवसाइट और यूट्यूब वीडियो की सहायता ले सकते हैं।🙏

Sunday, February 4, 2024

વાર્તા :- Be Positive

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.


જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.


ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.


Be Positive


ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!


Thursday, February 1, 2024

જન્મથી અંધ વ્યક્તિ માટે તમે અનેક રીતે મદદરૂપ બની શકો છો.

અંધ વ્યક્તિ એટલે જે વ્યક્તિ જન્મથી અથવા પછીથી કોઈ કારણસર કંઈ જ જોઈ શકતી ન હોય. આવી વ્યક્તિઓ માટે દુનિયાને અનુભવવાની અને તેમાં સક્રિય રીતે ભાગ લેવાની રીત અલગ હોય છે.


અંધ વ્યક્તિઓને સમાજમાં સમાવિષ્ટ કરવા અને તેમનું જીવન સરળ બનાવવા માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ.


અંધ વ્યક્તિઓ માટે વિશેષ શિક્ષણની વ્યવસ્થા કરવામાં મદદ કરો. અંધ બાળકો માટે વિશેષ શાળાઓ અને સંસ્થાઓ છે જ્યાં તેઓ બ્રેઇલ લિપિ, ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયો શીખવી શકે છે.

અંધ વ્યક્તિઓને રોજગાર મેળવવામાં મદદ કરો. આ માટે તમે તેમને વિવિધ કૌશલ્ય વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી શકો છો  અંધ વ્યક્તિઓ કોલ સેન્ટર, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, મસાજ, ક્રાફ્ટ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરી શકે છે.

 

અંધ વ્યક્તિઓને સમાજમાં સમાવિષ્ટ કરવામાં મદદ કરો. આ માટે તમે તેમને વિવિધ સમાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

 

અંધ વ્યક્તિઓ માટે વિશેષ ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવો. આજકાલ ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે જે અંધ વ્યક્તિઓને સ્વતંત્ર રીતે જીવન જીવવામાં મદદ કરે છે. જેમ કે સ્માર્ટ કેન, જે અંધ વ્યક્તિને અવરોધો વિશે ચેતવણી આપે છે, અથવા સ્ક્રીન રીડર સોફ્ટવેર, જે કમ્પ્યુટર સ્ક્રીન પરની માહિતીને વાંચી આપે છે.

 

અંધ વ્યક્તિઓ માટે સમાજીક સમર્થન જૂથો અને સંસ્થાઓ છે જ્યાં તેઓ અન્ય અંધ વ્યક્તિઓ સાથે મળી શકે છે અને તેમના અનુભવો શેર કરી શકે છે.

 

 

તમે અન્ય કેટલીક રીતે પણ મદદ કરી શકો છો જેમ કે:

અંધ વ્યક્તિઓ માટે બનાવેલી સંસ્થાઓને દાન કરીને

અંધ વ્યક્તિઓ માટે જાગરૂકતા ફેલાવવામાં મદદ કરીને

અંધ વ્યક્તિઓને સંબંધિત કાયદાઓ અને નિયમો વિશે જાણકારી આપીને

  

યાદ રાખો, દરેક વ્યક્તિ અલગ હોય છે અને તેમની જરૂરિયાતો પણ અલગ હોય છે. તેથી, અંધ વ્યક્તિને મદદ કરતા પહેલા તેમની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને પ્રેરણા આપો. હકારાત્મક માહિતી પ્રદાન કરો. જે તેમના જીવનમાં આશા નો સંચાર કરશે. જેમ કે

 

આંખોમાં રોશની ન હોવા છતાં ભાવેશે દુનિયાને રોશન કરવાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે આ બિઝનેસ ઊંચાઈઓ પર છે.

 

ભાવેશ ભાટિયા વિશે વાત કરીએ તો આંખોથી લાચાર હોવા છતાં તેમણે તેની હિંમત અને જુસ્સાના બળ પર એવું કર્યું જેની કલ્પના કરવી દરેક માટે સરળ નથી. મીણબત્તીનો વ્યવસાય કરતી વખતે તેમણે કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે. ભાવેશની આંખો બાળપણથી જ નબળી હતી. સ્કૂલ ટાઈમથી જ તેમનો ફેવરેટ વિષય ક્રાફ્ટ રહ્યો છે.

 

એમએ સુધી ભણેલા ભાવેશે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ (એનએબી)માં બેઝિક કેન્ડલ મેકિંગ કોર્સ કર્યો હતો અને એક વર્ષની ટ્રેનિંગ લીધા બાદ 1994માં સનરાઈઝ કેન્ડલ્સની સ્થાપના કરી હતી. આ બિઝનેસ આઈડિયાએ તેમનું જીવન બદલી નાખ્યું અને તેઓ દેશના સફળ ઉદ્યોગપતિઓમાંના એક બની ગયા.

   

આવી જ રીતે શ્રીકાન્ત ની સફળતા પણ કહી શકો.

 આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં એક છોકરા શ્રીકાંત નો જન્મ થયો છે. જ્યારે છોકરાની કિલકારી ઘરમાં ગૂંજી ઊઠે છે ત્યારે માતા-પિતા આનંદિત થઇ જાય છે. જો કે, જ્યારે તેમને ખબર પડે છે કે તેમનું બાળક જન્મથી અંધ છે એટલે કે તે જોઈ શકતો નથી ત્યારે તેઓ ચોંકી જાય છે. બાળક જોઈ શકતું નથી, પરંતુ માતાપિતા તેના શિક્ષણમાં દખલ કરતા નથી. 10મા પછી શ્રીકાંત Science માં પ્રવેશ લેવા માંગે છે, પરંતુ અંધ હોવાને કારણે તેને પ્રવેશ મળતો નથી. શ્રીકાંત તેના શિક્ષકની મદદથી શિક્ષણ પ્રણાલી સામે કેસ કરે છે અને જીતે છે.

 

જો કે આ પછી પણ શ્રીકાંતની મુશ્કેલીઓ ઓછી થતી નથી. અંધ હોવાને કારણે તેને આઈઆઈટીમાં એડમિશન મળતું નથી, પરંતુ કહેવાય છે કે જ્યારે સપના મોટા હોય છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને સફળ થતા રોકી શકતી નથી. શ્રીકાંત MIT, અમેરિકામાં અરજી કરે છે, જે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે, જ્યાં તેને પ્રવેશ મળે છે. ત્યાંથી પાછા ફર્યા બાદ શ્રીકાંતના જીવનમાં પડકારો આવે છે અને તે પોતાનો બિઝનેસ શરૂ કરે છે અને સફળ થાય છે.  આવી રીતે સફળ થયેલ શ્રીકાન્ત ની સફળતા માં જેમ તેમના શિક્ષક નો ફાળો અગત્યનો છે. તેવી રીતે તમે પણ મદદ કરી શકો છો.

 

  

આ રીતે પ્રેરણા આપી અંધ વ્યક્તિઓને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરો. તેમને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવા અને સકારાત્મક રહેવા માટે પ્રોત્સાહિત કરો.


રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...