જન્મથી અંધ વ્યક્તિ માટે તમે અનેક રીતે મદદરૂપ બની શકો છો.

અંધ વ્યક્તિ એટલે જે વ્યક્તિ જન્મથી અથવા પછીથી કોઈ કારણસર કંઈ જ જોઈ શકતી ન હોય. આવી વ્યક્તિઓ માટે દુનિયાને અનુભવવાની અને તેમાં સક્રિય રીતે ભાગ લેવાની રીત અલગ હોય છે.


અંધ વ્યક્તિઓને સમાજમાં સમાવિષ્ટ કરવા અને તેમનું જીવન સરળ બનાવવા માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ.


અંધ વ્યક્તિઓ માટે વિશેષ શિક્ષણની વ્યવસ્થા કરવામાં મદદ કરો. અંધ બાળકો માટે વિશેષ શાળાઓ અને સંસ્થાઓ છે જ્યાં તેઓ બ્રેઇલ લિપિ, ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયો શીખવી શકે છે.

અંધ વ્યક્તિઓને રોજગાર મેળવવામાં મદદ કરો. આ માટે તમે તેમને વિવિધ કૌશલ્ય વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી શકો છો  અંધ વ્યક્તિઓ કોલ સેન્ટર, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, મસાજ, ક્રાફ્ટ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરી શકે છે.

 

અંધ વ્યક્તિઓને સમાજમાં સમાવિષ્ટ કરવામાં મદદ કરો. આ માટે તમે તેમને વિવિધ સમાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

 

અંધ વ્યક્તિઓ માટે વિશેષ ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવો. આજકાલ ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે જે અંધ વ્યક્તિઓને સ્વતંત્ર રીતે જીવન જીવવામાં મદદ કરે છે. જેમ કે સ્માર્ટ કેન, જે અંધ વ્યક્તિને અવરોધો વિશે ચેતવણી આપે છે, અથવા સ્ક્રીન રીડર સોફ્ટવેર, જે કમ્પ્યુટર સ્ક્રીન પરની માહિતીને વાંચી આપે છે.

 

અંધ વ્યક્તિઓ માટે સમાજીક સમર્થન જૂથો અને સંસ્થાઓ છે જ્યાં તેઓ અન્ય અંધ વ્યક્તિઓ સાથે મળી શકે છે અને તેમના અનુભવો શેર કરી શકે છે.

 

 

તમે અન્ય કેટલીક રીતે પણ મદદ કરી શકો છો જેમ કે:

અંધ વ્યક્તિઓ માટે બનાવેલી સંસ્થાઓને દાન કરીને

અંધ વ્યક્તિઓ માટે જાગરૂકતા ફેલાવવામાં મદદ કરીને

અંધ વ્યક્તિઓને સંબંધિત કાયદાઓ અને નિયમો વિશે જાણકારી આપીને

  

યાદ રાખો, દરેક વ્યક્તિ અલગ હોય છે અને તેમની જરૂરિયાતો પણ અલગ હોય છે. તેથી, અંધ વ્યક્તિને મદદ કરતા પહેલા તેમની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને પ્રેરણા આપો. હકારાત્મક માહિતી પ્રદાન કરો. જે તેમના જીવનમાં આશા નો સંચાર કરશે. જેમ કે

 

આંખોમાં રોશની ન હોવા છતાં ભાવેશે દુનિયાને રોશન કરવાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે આ બિઝનેસ ઊંચાઈઓ પર છે.

 

ભાવેશ ભાટિયા વિશે વાત કરીએ તો આંખોથી લાચાર હોવા છતાં તેમણે તેની હિંમત અને જુસ્સાના બળ પર એવું કર્યું જેની કલ્પના કરવી દરેક માટે સરળ નથી. મીણબત્તીનો વ્યવસાય કરતી વખતે તેમણે કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે. ભાવેશની આંખો બાળપણથી જ નબળી હતી. સ્કૂલ ટાઈમથી જ તેમનો ફેવરેટ વિષય ક્રાફ્ટ રહ્યો છે.

 

એમએ સુધી ભણેલા ભાવેશે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ (એનએબી)માં બેઝિક કેન્ડલ મેકિંગ કોર્સ કર્યો હતો અને એક વર્ષની ટ્રેનિંગ લીધા બાદ 1994માં સનરાઈઝ કેન્ડલ્સની સ્થાપના કરી હતી. આ બિઝનેસ આઈડિયાએ તેમનું જીવન બદલી નાખ્યું અને તેઓ દેશના સફળ ઉદ્યોગપતિઓમાંના એક બની ગયા.

   

આવી જ રીતે શ્રીકાન્ત ની સફળતા પણ કહી શકો.

 આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં એક છોકરા શ્રીકાંત નો જન્મ થયો છે. જ્યારે છોકરાની કિલકારી ઘરમાં ગૂંજી ઊઠે છે ત્યારે માતા-પિતા આનંદિત થઇ જાય છે. જો કે, જ્યારે તેમને ખબર પડે છે કે તેમનું બાળક જન્મથી અંધ છે એટલે કે તે જોઈ શકતો નથી ત્યારે તેઓ ચોંકી જાય છે. બાળક જોઈ શકતું નથી, પરંતુ માતાપિતા તેના શિક્ષણમાં દખલ કરતા નથી. 10મા પછી શ્રીકાંત Science માં પ્રવેશ લેવા માંગે છે, પરંતુ અંધ હોવાને કારણે તેને પ્રવેશ મળતો નથી. શ્રીકાંત તેના શિક્ષકની મદદથી શિક્ષણ પ્રણાલી સામે કેસ કરે છે અને જીતે છે.

 

જો કે આ પછી પણ શ્રીકાંતની મુશ્કેલીઓ ઓછી થતી નથી. અંધ હોવાને કારણે તેને આઈઆઈટીમાં એડમિશન મળતું નથી, પરંતુ કહેવાય છે કે જ્યારે સપના મોટા હોય છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને સફળ થતા રોકી શકતી નથી. શ્રીકાંત MIT, અમેરિકામાં અરજી કરે છે, જે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે, જ્યાં તેને પ્રવેશ મળે છે. ત્યાંથી પાછા ફર્યા બાદ શ્રીકાંતના જીવનમાં પડકારો આવે છે અને તે પોતાનો બિઝનેસ શરૂ કરે છે અને સફળ થાય છે.  આવી રીતે સફળ થયેલ શ્રીકાન્ત ની સફળતા માં જેમ તેમના શિક્ષક નો ફાળો અગત્યનો છે. તેવી રીતે તમે પણ મદદ કરી શકો છો.

 

  

આ રીતે પ્રેરણા આપી અંધ વ્યક્તિઓને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરો. તેમને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવા અને સકારાત્મક રહેવા માટે પ્રોત્સાહિત કરો.


0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram