Monday, April 22, 2024

ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા

વડોદરા આવી ત્યાંથી રાજપીપલા વાયા કેવડીયા ની બસ માં તિલકવાડા ઉતરી ત્યાં થી પરિક્રમાં પ્રારંભ કરી શકાયઃ 

અથવા 

રાજપીપલા જઈ ત્યાંથી રામપુરા જવુ ત્યાંથી પણ પ્રારંભ કરી શકાય.


પરિક્રમા રૂટ 2 જો

મણિનાગેશ્વર થી પરિક્રમા  શરૂ કરીને રેવા વનપ્રસ્થનગર, મુનિ આશ્રમ, રેંગણ ઘાટ ક્રોસ કરીને રામપુરા રૂટ થઈને પરત તિલકવાડા આવવાનું રહેશે.

વર્ષોથી મનમાં થયા કરતું હતું કે માં નર્મદાની પરિક્રમા કરૂ પરંતુ સમય અને સંજોગો અનુકૂળ થતા નહોતા કોઈકે સાચું જ કહ્યું છે કે પરિક્રમા એ જ કરી શકે જેને માં પોતાના તીરે  બોલાવે. ? આમ તો હું સંસારમાં રહેતો અલગારી જીવ થોડામાં ઘણું માની મસ્તીથી જીવવું એ જ અભિલાષા અને સિદ્ધાંત હમણાં હમણાં ઘણી વાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી અને મા અંબા ના ગબ્બરની 52 શક્તિપીઠ ની પરિક્રમા પણ કરી સાથે સાથે કોઈપણ ધાર્મિક સ્થાન ના દર્શન કરવા મને ખૂબ ગમે જેથી ઘણીવાર કાઠીયાવાડ માં રહેલા આપણા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેવાનું ગમે મારો જન્મ કાંકરેજ તાલુકાના નાનકડા ગામ કસલપુરામાં થયો છે અને મારા ઘરથી બનાસ નદી થોડા જ અંતરે વહે છે અમે નાના હતા ત્યારે એમાં બારેમાસ પાણી વહેતું અને અમે ખૂબ જ નહાતા અને રમતા એ જૂની યાદો અને પ્રકૃતિ જોડેનો મારો નાતો ખૂબ જ પુરાણો સાથે સાથે ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે પુરાતન સ્થાપત્ય શિલ્પો મંદિરો નદીઓ અને પર્વતો પ્રત્યે પ્રગાઢ વળગણ 

       આવી મનોસ્થિતિ ના કારણે વર્ષોથી થતું હતું કે મા નર્મદા ની પરિક્રમા જરૂર કરવી છે કેમકે મ રેવા અહીં પણ આપણા ઉત્તર ગુજરાત રાજસ્થાન અને કચ્છ જિલ્લા સુધીની જીવાદોરી નું કામ કરે છેઃ એટલે હવે (નદી નહીં કહું) માં રેવા ના દર્શને જઈને માનો સાક્ષાતકાર કરવો છે એવી અદમ્ય ઈચ્છા હતી 

              એવામાં જ અત્યારે ત્યાં જવા માટેની જે લાગણીઓ હતી એ હવે શાંત થતી નહોતી એ ઊર્મિઓનો વેગ હવે સહી ના શકાય એટલો પ્રચંડ બની ગયો અને મે જવાનું નક્કી જ કરી લીધું 

મા રેવાની પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં શરૂ થાય છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી થઈ અને જવા માટેની બધી જ તૈયારી કરી લીધી ત્યાં ગરમી ન લાગે એટલા માટે ટોપી ઝભ્ભો કેનવાસના બુટ રાત્રી રોકાણ કરવા માટેનો સામાન બધી જ તૈયારી કરીને સવારે વહેલા પ્રભાતે ગાડી લઈને નીકળ્યા એ વખતનો આનંદ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી કોઈ કવિ શ્રી એ કહ્યું છે ને કે 

  ઘટમાં ઘોડા થનગને આતમ વિઝે પાંખ વણ દીઠેલી ભોમ પર યોવન માડે આંખ 

            આવી મનોદશામ માં માની પરિકરમાં સ્થળે પહોંચવા નીકળી પડ્યા પાટણથી શરૂઆત કરી વચ્ચે ડાકોર શ્રી રણછોડરાયના દર્શન કર્યા અને બપોરે તો છેક ગરુડેશ્વર દત્ત ભગવાનના મંદિરે પહોંચી ગયા ત્યાંથી પરિક્રમા જવાના રૂટ ની શરૂઆત થાય છે એ ગામ જુના રામપુરા પહોંચવાનું હતું લગભગ ચાર વાગે ત્યાં પહોંચ્યા જ્યાંથી માં નર્મદા મૈયાની ઉત્તરકોશી પરિક્રમા શરૂ થાય છે અને લોકો ત્યાંથી પરિક્રમા ની શરૂઆત કરે છે ત્યાં પહોંચીને જોઉં છું તો 

     અ હા હા ?? શું મનોહર દ્રશ્ય છે ત્યાંનું ભેખડ ઉપર ઉભા રહીને જોઈએ તો એક બાજુ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ તિલકવાડા કે જ્યાં સુધીની પરિક્રમા કરવાની હતી એ સ્થળ સ્પષ્ટ થયું. ઘણા વર્ષોથી જોયેલ સ્વપ્ન સાકાર થતું હતું આટલા બધા કિલોમીટર ગાડી સતત ચલાવી હોવા છતાં થાકનું કોઈ નામો નિશાન ન હતું. આમ તો બે કલાક સતત ગાડી ચલાવું તો પણ થાક લાગે પરંતુ આજે સતત સાત કલાક ગાડી ચલાવી હોવા છતાં થાક કંટાળો કે આળસ નું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું આ ને મા રેવાનો સાક્ષાત્કાર જ કહીઁ શકુ 

    માં રેવાના તીરે ઉભો રહીને જોઉં છું તો ઊંચી ઊંચી ભેખડો જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવા ઘટાદાર વૃક્ષો કિનારાને અડીને અડીખમ ઉભેલ આશ્રમો અને ભગવાન રણછોડરાયનું મંદિર બાજુમાં જ આવેલ યોગાનંદ આશ્રમ અને માં રેવાનું પવિત્ર અને પુણ્યશાળી વાતાવરણ  અજબ શાંતિ આપી રહ્યું હતું માનો પટ નિહાળતા નિહાળતા ઘણો સમય વીતી ગયો જેનું ભાન જ ન રહ્યું

              સાંજની સંધ્યા આરતીની ઝાલર વાગી અને એ સંભળાણી ત્યારે જ લાગ્યું કે સાંજ થઈ ચૂકી છે અને હું જાગ્રત અવસ્થામાં આવ્યો મન તંદરામાંથી જાગૃત થયું જાણે (સમાધિ લાગી ગઈ ) હતી તે દૂર થઈ 

         સૌની સાથે રણછોડરાય ભગવાનની આરતીના દર્શન કરી એમાં સહભાગી થવા પગ ઉપાડ્યા રામપુરા ગામનું આ મંદિર નવું છે  ભગવાનના દર્શન કર્યા આરતી લીધી અને સાંજ થઈ અંધારાના ઓળા ધરતી પર ઉતરવા લાગ્યા હવે ભૂખ પણ લાગી હતી પરંતુ પ્રથમ વિચાર એ આવ્યો કે પહેલા માના પાવન પવિત્ર જળમાં સ્નાન કરું પછી જ વાળું કરીશ સાથે લાવેલ નહાવાનો સામાન લઈ નદી કિનારે ચાલ્યો  ત્યાં ફુવારા ની પણ સુંદર વ્યવસ્થા કરેલી હતી ઘણો લાંબો સમય સ્નાન કર્યુ ઠંડુ પાણી અને આખો દિવસ ગાડી ચલાવી હોવાથી નાહવાની જે મજા આવી રહી હતી એનું વર્ણન શબ્દ દ્વારા શક્ય નથી મન અને તન પ્રફુલિત થઈ ગયા નાહીને ફ્રેશ થયા પછી જમવા જવાનું હતું અહીં એક વાત ખાસ જણાવું કે જમવા માટે અહીં સુંદર વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ મંદિરો અને આશ્રમ તરફથી કરવામાં આવી હતી અહીં ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા હતી અમે યોગાનંદ આશ્રમ ગયા પ્રસાદમાં મોહનથાળ ખીચડી કઢી ભુંગળા અને આચાર સાથે છાશ હતી પેટ ભરીને નહીં કહું પરંતુ મન ભરીને ખાધું શુદ્ધ અને સ્વાક્તિક ભોજન માણ્યા પછી આશ્રમના દર્શન કર્યા જૂની બાંધણીનો સુંદર આશ્રમ જ્યાં સેવાભાવી લોકો પરિક્રમા વાસીઓની ખડે પગે સેવા કરી રહ્યા હતા અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા હતા એની બાજુમાં જ આવેલ રણછોડરાયનું મંદિર જ્યાં રહેવાની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું રાત્રે મોટો અને ખુલ્લો હોલ સુવા માટે નો હતો ત્યાં ઘણા પરિક્રમા વાસીઓ સાથે સુવાની વ્યવસ્થા હતી પરંતુ આંખોમાં નીંદર આવતી નહોતી એવું લાગતું હતું કે ક્યારે સવાર થાય અને પરિક્રમા ની શરૂઆત કરું એ જ વિચારમાં પડખા ફેરવી સવારની રાહ જોઈ રહયો છું.


સાભાર :- D.K. Raval 



🚩 *વનવગડો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા (Eco-friendly અને બિનનફાકીય) *


🕉️ *અમદાવાદથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા*


👉 5th - 6th April 2025

👉 12th - 13th April 2025

👉 19th - 20th April 2025


◆●◆●◆●◆●◆●◆●◆●◆●◆


🚩 ચૈત્ર માસનાં દર શનિવારે સાંજે 08:30 કલાકે અમદાવાદ થી બસ ઉપડશે (ઘરેથી જમીને નીકળવું) .


🕉️ *બસ ઉપાડવાનું સ્થળ :*

- ઈસ્કોન ક્રોમા શોરૂમ આગળ

- CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ

- કપૂરાઈ ચોકડી, વડોદરા 


🕉️ મણિનાગેશ્વર મંદિર, તિલકવાડા થી પરિક્રમા શરૂ કરીશું. 


🕉️ મણિનાગેશ્વર થી પરિક્રમા  શરૂ કરીને રેવા વનપ્રસ્થનગર, મુનિ આશ્રમ, રેંગણ ઘાટ ક્રોસ કરીને રામપુરા રૂટ થઈને પરત તિલકવાડા આવવાનું રહેશે.


🚩 *પરિક્રમા (ચાલતા) :*

- 18 કિલોમીટર


🚩 *વય મર્યાદા :* 

- 18 થી 60 વર્ષ 

- સ્વ-જવાબદારી થી તિલકવાડા થી તિલકવાડા સુધીની પરિક્રમા ચાલીને કરી શકે એવા સશક્ત વ્યક્તિઓએ જ સંપર્ક કરવા વિનંતી.


🙏 *વ્યક્તિ દીઠ બસ ભાડુ :*

- 800/- 

- પરિક્રમા પૂર્ણ કર્યા બાદ રવિવારે પરત ઘર ફરતાં રસ્તામાં ચા-નાસ્તો


☎️ *રજીસ્ટ્રેશન માટે સંપર્ક*


Mr. Hiren Panchal

 +91-7574 92 7169


◆●◆●◆●◆●◆●◆●◆●◆●


*Follow us on Instagram*

@explore_aravalli


*નિયમો અને શરતો* :


1). યાત્રા દરમિયાન જરૂરી દવાઓ, ટોર્ચ સાથે લાવવી.


2). પ્રસાશન ની મંજૂરી હશે તો જ સ્નાન કરવા મળશે.


3). યાત્રા દરમિયાન બોટનું ભાડું-સ્વખર્ચે ચૂકવવાનું રહેશે.


4).  યાત્રા/પરિક્રમા દરમિયાન સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે 


5).  યાત્રા માટે 100% એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે (Non-refundable) .


6).  રજીસ્ટ્રેશન માટે ગૂગલ ફોર્મ ભરવું આવશ્યક રહેશે અને પેમેન્ટ QR કોડ પર કરવું.


7) નફા ની તમામ રકમ પરિક્રમા માર્ગ પર આવેલ ગૌશાળા ને દાન આપવામાં આવશે.


8) પર્યાવરણ ની જાળવણી થાય એ માટે નાસ્તો કરવા ઘરેથી જ સ્ટીલનો વાટકો લઈને આવવું, રસ્તામાં કચરો કરવો નહીં તેમજ પાન-બીડી-તમાકું વાળાઓ એ અમારી સાથે ન આવવું. 


*રજીસ્ટ્રેશન લિંક*

 https://docs.googl/1FAl

Wednesday, April 17, 2024

લિન્ચપિન

લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

સરળ ભાષામાં સમજીએ તો અત્યારે જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ એમાં વાસ્તવમાં કશું નવીન નથી. નોકરી હોય તો સૂચનાઓ લેવાની અને એ મુજબ કામ કરવાનું, ધંધો હોય તો એ જ ધંધો બીજા કેવી રીતે કરે છે એ જોઈને એ જ રીતે એ જ ઢબે કરવાનું, કલા હોય તો બીજા કેવી રીતે એમાં કામ કરે છે એ જોવાનું અને એમ જ આપણે પણ કરવાનું… હા, આ રીતે નોકરી, ધંધા અને કલાના ક્ષેત્ર ચાલ્યા કરે છે.

પણ તમે કદી એ વિચાર્યું છે કે કુદરત દરેક માણસને કંઈક અલગ બનાવે છે. દરેકમાં કંઈક અલગ શક્તિ મૂકે છે. તો પછી કરોડો માણસો કેમ એક જ રીતે જીવે છે ? કોઈના જીવનમાં કેમ ખાસ કંઈ ફરક નથી? જાણે સવારે મશીન ચાલ્યા કરે અને સાંજે સ્વિચ બંધ થાય એમ આખી દુનિયા સવારથી દોડે છે ને સાંજે સ્વીચ બંધ કરી હોય એમ સુઈ જાય છે. કારણ શું? કુદરતે આપેલી અલગ અલગ શક્તિ, સમજ, વિચારો એ બધાનો શું ફાયદો? એનો દુર્વ્યય નથી થતો?

હા, કેમ કે આપણે ચોકઠાઓમાં જીવવા ટેવાઈ ગયા છીએ. જે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું. એમાં જીવન તો ક્યાંય ખોવાઈ ગયું છે. એક યાંત્રિક જીવન શૈલી પ્રવર્તે છે. એમાં દરેકને ભય છે કે કાલે મારી જગ્યા છીનવાઈ જશે. કેમ કે બધા એકજેવા છે. એક નોકરી કરતા માણસને ભય છે કે કાલે મારી નોકરી જશે કેમ કે, એના જેવા અનેક એમ્પ્લોઈ બેઠા છે. એક ધંધાદારીને ભય છે કે કાલે મારો ધંધો નહીં ચાલે કેમ કે, એના જેવા અનેક ધંધા છે. બલ્કે એમ કહો કે એણે એવો ધંધો ચાલુ કર્યો છે જે અનેક લોકો કરે છે, બીજા અનેક કરશે અને કોઈ પણ માણસ એ ધંધો કરી શકે છે. એક કલાકારને ભય છે કે કાલે મારું નામ નહીં રહે.કેમકે, એણે બીજા કલાકારોને જે કરતા જોયા છે એમ જ કર્યું છે અને બીજા અનેક માણસોએ ક્ષેત્રમાં આવશે.

બસ આ જ સમસ્યાના નિવારણ માટે લિન્ચપિન બનવું જરૂરી છે. લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

કોઈ પણ નોકરી, ધંધા કે કલામાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ભયમુક્ત થઈને જીવવા માટે શું જરૂરી છે તમારું લિન્ચપિન બનવું. જે બનવાની પણ જરૂર નથી. કેમ કે તમે પહેલેથી જ છો. કુદરતે તમને બનાવ્યા છે. બસ આ સિસ્ટમમાં તમે ક્યાંક ટોળાનો હિસ્સો બની ગયા છો એટલે એ ઓળખ દબાઈ ગઈ છે.


• વિકી ત્રિવેદી


સાભાર :-

Linchpin 

લેખક Seth Godin ની book 



Monday, April 8, 2024

ભવિષ્યનું એજ્યુકેશન !

શિક્ષણ વિભાગનો કોઈ દિગ્ગજમાં દિગ્ગજ શિક્ષણશાસ્ત્રી પૂરા આત્મવિશ્વાસથી કહી શકે કે, જૂન ૨૦૨૪માં ધોરણ ૧માં દાખલ થનાર વિદ્યાર્થીને આગામી સમયમાં કયું શિક્ષણ મેળવવું જોઈએ ? જેથી તેને યુવાવસ્થામાં રોજગારી મળી રહે ! દુનિયા એટલી રફ્તારથી બદલાઈ રહી છે કે, તમારે તેની સાથે કદમ મિલાવવા દોડવું પડે. 


અત્યારે જે પેઢીની ઉંમર ૫૦ પ્લસ છે તે લગભગ લગભગ આઉટ ડેટેડ થઈ ગઈ છે. આજથી સો વર્ષ પહેલાં માં-બાપ પોતાનાં પુત્રને બે પસંદગી આપતા. કાં તો ભણ અને કાં તો ખેતરે આવ. જે બાળક ખેતરે જતો તે ખેતી શીખતો. એ “ખેતી” કરીને પોતાનું આખું જીવન પસાર કરતો. એટલે કે એક જ વ્યવસાયના આધારે જીવન જીવી જતો. તેને આજીવિકા બાબતે કોઈ સંઘર્ષ કરવો પડતો નહી. હવે એક જ વ્યવસાય પકડી રાખીને જીવવું ટફ છે. 


જે કંપની વર્કરોએ સમયની સાથે પોતાને અપડેટ ન કર્યા તેઓની છટણી થઈ ગઈ. માંડ એકાદ બે વર્ષ પહેલાં ટીવી પર કોડિંગ શીખવવાની એડ આવતી હતી. આજે ચેટ જીટીપીને ટેક્સ્ટ મેસેજથી આદેશ આપો એટલે કોડિંગ તૈયાર !!! કોડિંગ શીખવાનાર કંપનીનું ખરેખર બાળમરણ થઈ ગયું. સિંગાપુર નામનો નાનકડો દેશ આ વાત બહુ પહેલાં જાણી ગયો. ત્યાંની સરકારે ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અપડેટેડ અભ્યાસક્રમો બનાવ્યા. આ અભ્યાસક્રમોમાં તેઓ ભણવા જાય છે. સરકારે ૨૦૨૪ના બજેટમાં તેમને સબસિડી આપવાની જાહેરાત પણ કરી દીધી. જો તેઓ અપડેટ નહી થાય તો સરકાર પર બોજો બને એમ છે. 


કરિયાણાની દુકાનો નામશેષ થવાની અણી પર છે, ડ્રાયવર લેસ કારનાં પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. AI રોબોટોએ ફેકટરીઓમાં ફરજ બજાવવાની શરૂ કરી દીધી છે. (ના કોઈ યુનિયન, ના કોઈ વીમા પોલિસી, ના કોઈ કામના કલાકો, ના કોઈ માંગણીઓ, ના કોઈ બહાનાબાજી !)  AI ડોકટરો તૈયાર થઈ રહ્યા છે. વર્ગખંડમાં પાંચ કલાક એક જ જગ્યાએ બેસીને ભણવું બોરિંગ થવા લાગ્યું છે. IKEA નામની વર્લ્ડ લાર્જેસ્ટ ફોલ્ડિંગ ફર્નિચર કંપનીએ ફોલ્ડિંગ ઘર બનાવ્યા છે. કડિયા, સુથાર, મજૂરો, આર્કિટેક બધાંની બાદબાકી ! 


SORA નામની એક વેબસાઈટ તમે જે પ્રમાણે નિર્દેશ આપો તે પ્રમાણેનો વિડીયો બનાવી આપે છે. એ પણ એટલો આબેહૂબ હોય છે કે જોનાર કહી ન શકે કે આ કોઈ AI જનરેટેડ વિડીયો છે. SORA એ ચેટ જીટીપીની જ પેટા કંપની છે. કવિઓ, લેખકો, આર્ટ ડિરેક્ટરો, સંગીતકારો થોડાંક સમયનાં મહેમાન છે. 


હવે કહો કે, એજ્યુકેશન કેવું હોવું જોઈએ ? લગભગ દસેક વર્ષ પહેલાં અમેરિકાએ ઈરાન પર માનવરહિત ડ્રોન વડે હુમલો કર્યો હતો. તે વખતે એ વાતની ખૂબ ચર્ચા થઈ કે, જો વિમાનો માનવરહિત થઈ જાય તો પાઈલોટને ઘરે બેસવાનો વારો આવે ! વાત સાચી છે. આનાથી તો બેરોજગારી વધે ! ત્યારે યુએસએના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ માનવરહિત પ્લેન ઉડાડવા માટે ત્રીસથી સો માણસનો સ્ટાફ જોઈએ !!! મતલબ ત્રણ પાઈલોટની નોકરી ખાઈને ત્રીસ માણસો માટે રોજગારી સર્જી ! તો પછી પાઈલોટની કોલેજને મારો ગોળી ને આપણે ત્રીસ માણસોની નોકરીવાળા અભ્યાસક્રમમાં જોડાઓ. 


પેટ્રોલ, ડીઝલ કાર રીપેર કરનાર ગેરેજવાળો લાંબુ નહી ખેંચે. તેણે ઈલેક્ટ્રિક વ્હીકલનું સમારકામ શીખવું પડશે .. હું તો કહું છું સાથેસાથે હાઈડ્રોજન વ્હીકલનું પણ વિચારવા માંડે. રેડિયો-ટીવી રિપેરીંગની જગ્યાએ સોલાર પેનલ રીપેરીંગ !!!



સાભાર :-

લેખક :- જે.કે.સાંઈ




Saturday, April 6, 2024

હરિદ્વાર જોવાલાયક સ્થળો

હરિદ્વાર તથા તેમની આસપાસ જોવાલાયક સ્થળો...

નીચે આપેલ સ્થળો હરકી પૌડી વિસ્તારથી રિક્ષા દ્વારા જોઈ શકાય છે.

  • હરકી પૌડી (જ્યાં ગંગા આરતી થાય છે. 4 વાગ્યા આસપાસ ગંગા માતાના મંદિરની સામે જગ્યા લઈ બેસી જવું...)
  • મનસા દેવી માતાજી (હર કી પૌડી ની સામેની ગલીમાંથી રોપ વે ટિકિટ મળે છે.. ત્યાંથી જવાનું)
  • ભીમગોડા રેલવે ટ્રેક પાસે
  • માં ચંડી દેવી. (નીલ પર્વત, નાઝિયા બાદ રોડ પર,  રોપ વે સુવિધા)
  • દક્ષ પ્રજાપતિ ટેમ્પલ, કનખલ (માતા પાર્વતીજી એ દેહ ત્યાગ કર્યો અને શિવજી ક્રોધિત થયા અને ત્યાંથી શક્તિ પીઠો ની રચના થઈ તે જગ્યા)
  • પારદ શિવલિંગ

નીચે આપેલ સ્થળો ભારત માતા મંદિર થી ચાલીને કે  રિક્ષા દ્વારા પણ જોઈ શકાય છે.

  • શાંતિકુંજ ગાયત્રી આશ્રમ
  • ભારત માતા મંદિર
  • સપ્તર્ષિ આશ્રમ
  • વૈષ્ણોદેવી ટેમ્પલ
  • પાવન ધામ
  • અન્ય વચ્ચે ઘણા પ્રદર્શન હશે.. બાળકોને મજા આવશે.
ઋષિકેશ જોવાલાયક સ્થળોની યાદી :- 
(જો તમે કચ્છી આશ્રમ બાજુ રોકાવ તો ત્યાંથી રિક્ષા મળે)
  • ત્રિવેણી ઘાટ : - ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જ્યાં દરરોજ સાંજે 'મહા આરતી' થાય છે.
  • રામ ઝુલા
  • લક્ષ્મણ ઝુલા
  • ત્ર્યંબકેશ્વર મંદિર (13 માળનું આ ભવ્ય મંદિર) અહીંથી જ નીલકંઠ જવા માટે ટેક્સી મળી રહે છે.)
  • નીલકંઠ મહાદેવ તથા ઝિલમિલ ગુફા
  • સ્વર્ગાશ્રમ. 
  • પરમાર્થ નિકેતન
  • ગીતા ભવન. 
  • ભારત મંદિર.
(સમય હોય તો જવાય.. એવા સ્થળો )
  • જંગલ સફારી વાઘ દર્શન રાજાજી નેશનલ પાર્ક. 
  • (સફારી ટાઈમ સવારે 07 વાગે અને બપોરે 02 વાગે.)
  • જાનકી સેતુ
  • નીરગઢ વોટરફોલ 
  • બીટલ્સ આશ્રમ (યોગ માટે)

દેહરાદૂન, મસુરી જોવાલાયક સ્થળો..
(તમે જ્યાં રોકાયા હોય ત્યાં આજુબાજુ થી બસ મળી રહેશે અથવા પ્રાઇવેટ વાહન પણ કરી શકો.)
  • સહસ્ત્રાધારા. (ન્હાવા માટે)
  • ગુછુ પાની રોબર્સ કેવ.
  • ટપકેશ્વર મંદિર. 
  • મસૂરીમાં
  • ગન હિલ. રોપ વે.
  • કેમ્પ્ટી ફોલ. 
  • માલ રોડ.

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...