*આપના વર્ગમા વિદ્યાર્થીને આ વાત કહો*
*શરીરની શુદ્ધિ માટે નવરાત્રિ*
_નવરાત્રિનાં ઉપવાસ કરવાની કેટલીક રીતો_
ચોમાસું પૂરું થાય કે તરત જ નવરાત્રિ શરૂ થાય છે. ચોમાસાંનાં ચાર માસ દરમિયાન ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણેયની સાથે આપણાં શરીરની સિસ્ટમને કામ કરવું પડે છે. આથી, શરીર નાની-મોટી બીમારીઓનો ભોગ બને છે. નવરાત્રિ દરમિયાન જો આપણે ફળાે, જ્યુસ, છાસ, દૂધ, પાણીની મદદથી ઉપવાસ કરીએ તો શરીરની ઈમ્યૂન સિસ્ટમ ફરીથી મજબૂત બને છે. વળી, ઉપવાસ દરમિયાન શરીર પોતાની અંદર જમા થયેલો કચરાે(ટાેક્સિક) બહાર ફેંકવા લાગે છે એટલે શરીર અંદરથી શુદ્ધ અને જંતુમુક્ત બનવા લાગે છે.
વર્ષમાં કુલ બે વખત વાતાવરણમાં ભારે ફેરફારો થાય છે. એક તો આપણે જ્યારે શિયાળાની ઋતુમાંથી ઉનાળામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અને બીજો સમય ચાેમાસાંની ઋતુ પૂરી થાય છે ત્યારે. આ બંને સમયે હિન્દુસ્તાનમાં નવરાત્રિ આવે છે અને એ બંને નવરાત્રિને ધર્મ સાથે જાેડી દેવાઈ છે જેથી લોકો સહ્જતાથી એવાં ઉપવાસ કરે અને તંદુરસ્ત રહી શકે.
સિઝન બદલાય ત્યારે અનેક લોકોને જુદી જુદી બીમારી થાય છે. એનું પણ ખાસ કારણ છે. શિયાળા દરમિયાન શરીરમાં જમા થયેલો કફ ઉનાળો શરૂ થાય એટલે પીગળીને નીચે ઊતરે છે, પેટમાં અમુક જગ્યાએ આવાે કફ ભરાવાથી તાવ, શરદી, શ્વાસની તકલીફ અને ચામડીની બીમારી થાય છે. આવા સમયે ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિનાં ઉપવાસ કરાય તો શરીર વગર દવાએ આપોઆપ શુદ્ધ થઈ જાય છે.
ફરીથી, ચાેમાસું પતે એટલે ચાેમાસાં દરમિયાન વિકૃત થયેલું પિત(બાઈલ) આપણને પજવે છે. ચાેમાસામાં ભેજવાળાં વાતાવરણને કારણે આપણી પાચનશક્તિ મંદ રહે છે. અને, વધુમાં વધુ તહેવારો ચાેમાસાં દરમિયાન જ આવે છે એટલે પેટ ઉપર અત્યાચાર ચાલુ જ રહે છે. જાેકે વધુમાં વધુ ઉપવાસ ચોમાસામાં જ છે પરંતુ ફરાળી ભજિયા અને ફરાળી સમોસા શોધીને જાતને છેતરનારી પ્રજાનું પેટ આવા ઉપવાસો પછી તો વધુ ખરાબ થાય છે.
વધુમાં વધુ બીમારી ચોમાસામાં જ કેમ હોય છે? કારણ કે, ચોમાસાં દરમિયાન સૂર્યની ગેરહાજરી હોય છે. સૂર્યનું કામ સતત જંતુઓને મારતાં રહેવાનું છે. વળી, સૂર્યનાં કિરણોને લીધે જ આપણું મગજ સેરોટોનિન નામનાં ન્યૂરાે ટ્રાન્સમીટર્સને સારી રીતે મેળવી શકે છે. સેરાેટોનિન આપણને મૂડમાં રાખે છે, ડીપ્રેશનથી બચાવે છે. ચોમાસાંમાં આપણાં શરીરમાં અનેક રસ્તેથી જંતુઓ પ્રવેશે છે અને ચોમાસાંમાં આપણું પાચન નબળું હોય છે સૂર્યની ગેરહાજરીને લીધે આ ઋતુમાં આપણું મન તણાવ(ટેન્શન)માં રહે છે.
*ગરબા શા માટે*
નવરાત્રિનો સમય પેટને આરામ આપવાનો અને ગરબાં વડે શક્તિ મેળવીને મનને ફરીથી ચાર્જ કરવાનો, મૂડમાં આવવાનો ઉત્સવ છે. ઉપવાસ કઈ રીતે કરવા એ વ્યક્તિ જાતે પણ નક્કી કરી શકે છે. છતાંય એક ટાઈમટેબલ જોઈએઃ
જ્યારે તરસ લાગે ત્યારે માત્ર ઊકાળેલું પાણી જ પીને પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી શકાય છે.
દિવસમાં બે વાર ચા કે કોફી, બેથી ત્રણ વખત એક ગ્લાસ જેટલું દૂધ પીને પણ ઉપવાસ કરાય.
ચા-કોફી, ગોળ કે ખાંડવાળો લીંબુ શરબત, સંતરા-મોસંબીનો મિક્સ જ્યુસ, પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ, એકાદ બે વખત કેળા કે ચીકુનો શેઈક( જે દૂધ અને ફળથી બને એને શેઈક કહેવાય..!) લઈને પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી શકાય છે.
જો એક સમય ભોજન લઈને નવરાત્રિનાં ઉપવાસ કરવા હોય તો દિવસે ભોજન લેવું વધુ સારું છે. રાત્રે ભોજનને બદલે જ્યુસ, ફળો અથવા શેઈક લેવાય તો એનાંથી ઉપવાસનો વધુ લાભ મળી શકે છે. આવા નવ દિવસથી શરીરમાં રહેલો કચરો બહાર નીકળે છે, રોગપ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી) વધુ સારી બને છે.
કોઈ પણ ધર્મનાં ઉપવાસ હોય એનાંથી મનની ધાર નીકળે છે, કુદરત સાથેનું આપણું જોડાણ વધું સરળ બને છે, આપણું જીવન સરળ બને છે.
માતાજી(આપના ઈષ્ટદેવ) આપને નવ દિવસ સુધી પૂરા ઉપવાસ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
posted from Bloggeroid