STD 12 Commerce BA Chep 1 IMP Question

Paper Style...  (આ Chep માંથી કુલ 15 Marks ના પ્રશ્નો પૂછાય છે. )

વિભાગ A

આ વિભાગમાં પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે.  જેના પ્રત્યેકના 1 ગુણ છે.
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે.  જેની લિંક નીચે આપેલ છે. 
તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test

વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

1. B.B.A. નું પૂરું નામ જણાવો.

2. ડૉ. જ્યૉર્જ આર. ટેરી મુજબ 6M એટલે શું ?

3. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.

4. ધંધામાં નાણાની જરૂર કયારે પડે છે ?

5. કળા એટલે શું ?

6. સંચાલનમાં કેન્દ્રસ્થાને કોણ હોય છે ?

7. વ્યવસાય એટલે શું ?

8. સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવો.

9. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે ?

10. મધ્યસપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?

11. તળ સપાટી બીજા કયા નામે ઓળખાય છે ?

12. યંત્ર વિન્યાસ એટલે શું ?

13. વહીવટનું કાર્ય કઇ સપાટીએ વધુ હોય છે ?

14. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.

15. માર્કેટીંગ સંચાલન એટલે શું ?

16. H.R.M. નું વિસ્તૃત રૂપ આપો.

17. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?

18. I.I.M. નું વિસ્તૃત રૂપ લખો.

19. M.B.A. નું વિસ્તૃત રૂપ લખો.

20. C.E.O. નું વિસ્તૃત રૂપ લખો.

21. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?

વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)

1. સંચાલન એટલે શું ?

2. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.

3. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?

4. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?

5. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

6. મધ્ય સપાટીના કાર્યો જણાવો. (કોઈપણ બે)

7. માનવ સંસાધન સંચાલન એટલે શું ?

8. "સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે” - સમજાવો.

9. “સંચાલન એ વિજ્ઞાન છે” – સમજાવો.

10. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે ?

11. સંકલનનો અર્થ આપો.

વિભાગ D

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)

1. સંચાલનનું મહત્ત્વ જણાવો.

2. 'સંચાલન એક વ્યવસાય છે' - સમજાવો.

3. ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.

4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો.

5. સંચાલન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.

6. “સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે" - સમજાવો.

7. માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો.

8. માનવ સંસાધનનું મહત્ત્વ જણાવો.

9. સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.

10. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. 

11. સંકલનનું મહત્ત્વ જણાવો.


વિભાગ D માં દર્શાવેલ પ્રશ્નો વિભાગ E માટે પણ મહત્વના છે. જવાબ માં ફકત પ્રસ્તાવના અને ઉપસંહાર ઉમેરવું.





વાંચન વિશેષ

આપ સૌ વિદ્યાર્થી મિત્રો જયારે પ્રશ્નો નુ વાંચન કરતા હોવ અને કોઈ પ્રશ્નો ના જવાબ ન મળતા હોય તો નીચે આપેલ મટીરીયલ માંથી આપણે જવાબ મળી રહેશે.

Click here



પ્રશ્ન :-  સંચાલન કળા અને વ્યવસાયનો સમન્વય છે.

સંચાલન એક કળા છે.

  • કળા એટલે કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિમાં રહેલી નિપુણતા કે કુશળતા. આ કુશળતાનો ઉપયોગ કરવા માટે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.
  • સંચાલનનાં સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે કુનેહ, સૂઝ અને બુદ્ધિ ચાતુર્ય મહત્વની કામગીરી કરે છે.
  • માત્ર કાર્યના સિદ્ધાંતો અંગેનું પુસ્તકીય જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેક્નિકલ કળા તેમજ પોતાની વ્યકિતગત કુનેહ અને આવડત પણ તેટલી જ જરૂરી છે.
  • એટલે જ ડૉ. ટેરી કહે છે. "કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે."


સંચાલન એક વ્યવસાય છે.

  • વ્યવસાય એટલે એવી પ્રવૃતિ કે જેમાં કોઇપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમાજને ફીના બદલામાં આપવામાં આવે.
  • વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ તેમના વ્યવસાયને લગતી તાલીમ અને અનુભવ મેળવેલા હોવા જોઇએ. જેમકે  ડૉક્ટર, વકીલો, ઇજનેરો, સી.એ. વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે. 
  • જે પ્રકારનો વ્યવસાય હોય તે પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાન જરૂરી ગણાય છે. દા.ત., ડોકટરના વ્યવસાય માટે M.B.B.S, M.D. કે M.S ની પદવી મેળવવી પડે છે. તેવી રીતે સંચાલનમાં પણ Β.Β.Α, Μ.Β.Α ની પદવી મેળવવી પડે છે.
  • ઉપરોક્ત વ્યવસાય કરતા વ્યક્તિએ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન કરવું પડે છે. તેવી રીતે સંચાલનમાં પણ તાલીમ અને અનુભવ મેળવવો પડે છે.
  • વિવિધ વ્યવસાયનાં ક્ષેત્રોમાં મંડળો છે. જે તેમના વ્યવસાયના વિકાસ કરવાનું કામ કરે છે. તેવી રીતે સંચાલનમાં પણ IIM જેવી સંચાલનની શિક્ષણ આપતી સંસ્થા છે. જે સંચાલનના વ્યવસાયને વિકાસ કરવાનું કામ કરે છે.
  • વ્યવસાયના આચાર સંહિતાનું પાલન તેમજ નૈતિક જવાબદારી તેમજ અન્ય લક્ષણો જોતા સંચાલન પણ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે.
  • ટૂંકમાં સંચાલનમાં માનવ પરિબળ અગત્યનો હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત બુદ્ધિ ચતુરાઈ આંતરસુજ વગેરે જરૂર પડે છે જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય.
  • તેવી જ રીતે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. અને આધુનિક સમયમાં વકીલ ડોક્ટરની જેમ સંચાલકોએ પણ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કર્યું છે આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન પણ વ્યવસાય છે. 


આ પરથી કહી શકાય કે કળા અને વ્યવસાયના સમન્વયથી સંચાલનનો લાભ ફક્ત ધંધાકીય એકમને નહીં પણ એકમ સાથે જોડાયેલ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


પ્રશ્ન :-  નાણાની જરૂર ક્યારે પડે ?

ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાની જરૂર પડે છે.

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram