અંગ્રેજી ભાષાનાં સમર્થ કટાર લેખક જોનાથન સ્વીફ્ટ ગણાય છે. "ગુલિવર્સ ટ્રાવેલ્સ" તેમની પ્રસિધ્ધ રચના છે. તેમનાં કેટલાક વિખ્યાત ક્વોટ છે. જે આજેપણ તરોતાજાં અને રેવલન્ટ લાગે છે.
"જેઓ ચેતવણી સાંભળતાં નથી, તેઓ સલાહ શું સાંભળે ???"
"ઉપદેશકને કોઈ સાંભળતું નથી. સમય બધાને સમજાવી દે છે. વૃધ્ધ પુરૂષોએ યુવાનોનાં દિમાગમાં જે ઠસાવવા કોશિશ કરી હોય છે તે વખત જતાં યુવાન જ્યારે વૃધ્ધની ઉમરે પહોંચે છે ત્યારે તેનાં દિમાગમાં તરત દાખલ થઈ જાય છે."
લોક-ડાઉન નિમિત્તે ઉપરનાં શબ્દો મહત્વના છે. ભૂલ એક એવો કઠોર ન્યાયાધીશ છે કે, તે સજા અને શીખ બંને આપે છે. હા, એવું બને કે રાતની ભૂલનું પરિણામ સવારે ભોગવવું પડે અને આજની ભૂલની સજા આવતીકાલે ભોગવવી પડે. ટૂંકમાં રાત્રે ખાવ કે દિવસે ખાઓ, ગોળ ગાળ્યો લાગે અને કાળી જીરી કડવી જ લાગે. ગુંદર વગરનાં ચાંદલાઓ કહેતાં હોય છે કે, "મારાથી એક 'નાની ભૂલ' થઈ ગઈ." તો સાંભળી લે, "હે એકવીસ દિવસના નજરકેદ કેદી ! ભૂલ નાની લાગે પણ તે ક્યારેય નાની હોતી નથી. તેનું પરિણામ આવવા દે, વાત સમજાઈ જશે."
આપણી કેટલીક સમજણ એ આપણી "અણસમજણ" હોય છે. પચાસ વર્ષ સુધી દુનિયાને ચોખ્ખી કરવાનો પ્રયત્ન કર્યા પછી સમજાય છે કે ધૂળ તો મારાં ચશ્મા પર હતી. અણસમજણ કે ભૂલ થઈ જાય પછી તેનાં પરિણામો નક્કી કરશે કે તમારી ભૂલ કેટલી ખતરનાક હતી. અઢારમી સદીમાં અમેરિકાના શિકાગો શહેરમાં આગ ફાટી નીકળી. લગભગ શહેરનાં ૩૦% મકાનો-સંપતિ બળીને રાખ થઈ ગઈ. આગ લાગવાનાં કારણોની તપાસ થઈ. જેને તમે અને હું નાની ભૂલ કહીએ છીએ તે... શિકાગોના એક ગોવાળે પોતાના તબેલામાં ફાનસ સળગાવ્યું હતું. તે સમયે વીજળી ન હતી. મોડી રાતે તે ગોવાળ ખાટલામાં સૂવા પડ્યો ત્યારે તેને યાદ આવ્યું કે, ફાનસ ઓલવવાનું રહી ગયું છે. ફાનસ એક સાવ નાની ખીંટીએ લટકાવ્યું હતું. ગોવાળે વિચાર્યું કે, ફાનસમાં થોડુક કેરોસીન છે એટલે થોડીવારમાં ઓલવાઈ જશે.
આ નાની ભૂલ ! મોડી રાતે તે ફાનસ નીચે ઘાસમાં પડ્યું. તે સમયે ઘરો લાકડાના હતા. આગને લાગ મળી ગયો. જોતજોતામાં ત્રીજા ભાગનાં શિકાગોનું હોલિકા દહન થઈ ગયું. ભૂલ અને મૂર્ખામી વચ્ચે એક નેનોમીટરનું અંતર છે. ભૂલ કરનાર, મૂર્ખામી કરનાર અને દોઢ ડહાપણ કરનાર આ ત્રણેય સમજવા જેવાં છે. ભૂલ થવામાં આળસ કે અજાણતાંનું તત્વ સમાયેલું છે. મૂર્ખ એટલે પોતાનું અહિત પોતે જ કરે એ. જ્યારે સમાજે આ દોઢ દહાપણિયાઓથી ચેતવા જેવુ છે. "દોઢ ડાહ્યો" એટલે પોતાનું ૧ ડહાપણ અને બીજાના એક ડહાપણમાંથી અડધું ડહાપણ સાચું માને. આ અડધું ડહાપણ પોતાનાં એક ડહાપણમાં ઉમેરી દે તે "દોઢ ડાહ્યો". પોતાને હોંશિયાર સમજે એ નહીં પણ સાથેસાથે બીજાને મૂર્ખ સમજે અને એના કારણે બીજાને નુકશાન પહોંચાડે એ આ "દોઢ ડાહ્યો".
લોક-ડાઉનમાં બહાર ફરવા નીકળવું એ વીરતા સંબંધિત કાર્ય નથી, એ દોઢ ડહાપણ છે. અત્યારે આપણે સામૂહિક જીવન જીવી રહ્યા છે. હાલ તમામ ધર્મ, વર્ગ, રંગના લોકો એકસરખું જીવન જીવી રહ્યા છીએ. સામૂહિક જીવન હંમેશા દૂધ જેવુ હોય છે. તમે એમાં લીંબુ નિચોવીને ફાડી નાંખી શકો છો, તેમાં પાણી નાંખીને તેનું પોત પાતળું કરી શકો છો, તેમાં મેળવણ નાંખીને ખાટું કરી શકો છો અને હા, તમે એમાં સાકર ભેળવીને મધુર પણ બનાવી શકો છો. નિર્ણય તમારે કરવાનો છે.
અત્યારે લોકોને તમારી દયાની નહી, મદદની જરૂર છે. કશું જ કરી શકો એમ ન હોવ તો પ્રાર્થના કરો. એક મોટી બેંકમાં કેશિયરની છ બારીઓ હતી. બેંકમાં નવા મેનેજર આવ્યા હતા. ત્રણેક દિવસનાં અવલોકન પરથી સમજાયું કે, બારી નંબર ૨ પર ગ્રાહકોની ભીડ રહેતી હતી. બાકીની બારીઓ પર કાગડાં ઊડતાં હતા. મેનેજરે ગ્રાહકો સાથે વાત કરી. ગ્રાહકોએ કહ્યું,"સાહેબ, ખબર નહી પણ આ કેશિયર ભાઈનાં હાથે પૈસા મળે છે તેનાથી ધંધામાં બરકત આવે છે. તેમનાં હાથે મળેલાં પૈસાથી ઘરમાં સુખ-શાંતિ આવ્યા. કોઈકે કહ્યું કે ઘરમાંથી બીમારી ચાલી ગઈ." હવે મેનેજરે પેલા બારી નંબર બે વાળા કેશિયરને પૂછ્યું ," ગ્રાહકને પૈસા આપતી વખતે તમે કઈક કરો છો ?" કેશિયરે કહ્યું," હા, હું પહેલાં પૈસા ગણું છુ. પછી એ પૈસા ગ્રાહકના હાથમાં મૂકું છુ. એ વખતે ભગવાનને પ્રાર્થના કરું છુ કે, આ પૈસા લેનારને સુખ-શાંતિ-પ્રસન્નતા પ્રાપ્ત થાય." મેનેજરને બારી નંબર બેનું રહસ્ય સમજાઈ ગયું. કોઈનો બળદ, કોઈની વેલ અને બંદાનો ડચકારો તે આનું નામ.
ગજવેલના પારખા ન હોય. બહાર નીકળવાનું બંધ કરો. ઘણીવાર નાની વાતો પણ ખૂબ મહત્વની હોય છે જેમ કે પૈડાંમાં ઓઈલ મૂકવું. અત્યારે એ જ સમય છે. ઘરે રહીને સુખ-શાંતિ અને પ્રસન્નતામાં ગતિ આવે એવી નાની નાની સમજણભરી ગતિવિધિઓ કરો.
જે.કે.સાંઈ
"જેઓ ચેતવણી સાંભળતાં નથી, તેઓ સલાહ શું સાંભળે ???"
"ઉપદેશકને કોઈ સાંભળતું નથી. સમય બધાને સમજાવી દે છે. વૃધ્ધ પુરૂષોએ યુવાનોનાં દિમાગમાં જે ઠસાવવા કોશિશ કરી હોય છે તે વખત જતાં યુવાન જ્યારે વૃધ્ધની ઉમરે પહોંચે છે ત્યારે તેનાં દિમાગમાં તરત દાખલ થઈ જાય છે."
લોક-ડાઉન નિમિત્તે ઉપરનાં શબ્દો મહત્વના છે. ભૂલ એક એવો કઠોર ન્યાયાધીશ છે કે, તે સજા અને શીખ બંને આપે છે. હા, એવું બને કે રાતની ભૂલનું પરિણામ સવારે ભોગવવું પડે અને આજની ભૂલની સજા આવતીકાલે ભોગવવી પડે. ટૂંકમાં રાત્રે ખાવ કે દિવસે ખાઓ, ગોળ ગાળ્યો લાગે અને કાળી જીરી કડવી જ લાગે. ગુંદર વગરનાં ચાંદલાઓ કહેતાં હોય છે કે, "મારાથી એક 'નાની ભૂલ' થઈ ગઈ." તો સાંભળી લે, "હે એકવીસ દિવસના નજરકેદ કેદી ! ભૂલ નાની લાગે પણ તે ક્યારેય નાની હોતી નથી. તેનું પરિણામ આવવા દે, વાત સમજાઈ જશે."
આપણી કેટલીક સમજણ એ આપણી "અણસમજણ" હોય છે. પચાસ વર્ષ સુધી દુનિયાને ચોખ્ખી કરવાનો પ્રયત્ન કર્યા પછી સમજાય છે કે ધૂળ તો મારાં ચશ્મા પર હતી. અણસમજણ કે ભૂલ થઈ જાય પછી તેનાં પરિણામો નક્કી કરશે કે તમારી ભૂલ કેટલી ખતરનાક હતી. અઢારમી સદીમાં અમેરિકાના શિકાગો શહેરમાં આગ ફાટી નીકળી. લગભગ શહેરનાં ૩૦% મકાનો-સંપતિ બળીને રાખ થઈ ગઈ. આગ લાગવાનાં કારણોની તપાસ થઈ. જેને તમે અને હું નાની ભૂલ કહીએ છીએ તે... શિકાગોના એક ગોવાળે પોતાના તબેલામાં ફાનસ સળગાવ્યું હતું. તે સમયે વીજળી ન હતી. મોડી રાતે તે ગોવાળ ખાટલામાં સૂવા પડ્યો ત્યારે તેને યાદ આવ્યું કે, ફાનસ ઓલવવાનું રહી ગયું છે. ફાનસ એક સાવ નાની ખીંટીએ લટકાવ્યું હતું. ગોવાળે વિચાર્યું કે, ફાનસમાં થોડુક કેરોસીન છે એટલે થોડીવારમાં ઓલવાઈ જશે.
આ નાની ભૂલ ! મોડી રાતે તે ફાનસ નીચે ઘાસમાં પડ્યું. તે સમયે ઘરો લાકડાના હતા. આગને લાગ મળી ગયો. જોતજોતામાં ત્રીજા ભાગનાં શિકાગોનું હોલિકા દહન થઈ ગયું. ભૂલ અને મૂર્ખામી વચ્ચે એક નેનોમીટરનું અંતર છે. ભૂલ કરનાર, મૂર્ખામી કરનાર અને દોઢ ડહાપણ કરનાર આ ત્રણેય સમજવા જેવાં છે. ભૂલ થવામાં આળસ કે અજાણતાંનું તત્વ સમાયેલું છે. મૂર્ખ એટલે પોતાનું અહિત પોતે જ કરે એ. જ્યારે સમાજે આ દોઢ દહાપણિયાઓથી ચેતવા જેવુ છે. "દોઢ ડાહ્યો" એટલે પોતાનું ૧ ડહાપણ અને બીજાના એક ડહાપણમાંથી અડધું ડહાપણ સાચું માને. આ અડધું ડહાપણ પોતાનાં એક ડહાપણમાં ઉમેરી દે તે "દોઢ ડાહ્યો". પોતાને હોંશિયાર સમજે એ નહીં પણ સાથેસાથે બીજાને મૂર્ખ સમજે અને એના કારણે બીજાને નુકશાન પહોંચાડે એ આ "દોઢ ડાહ્યો".
લોક-ડાઉનમાં બહાર ફરવા નીકળવું એ વીરતા સંબંધિત કાર્ય નથી, એ દોઢ ડહાપણ છે. અત્યારે આપણે સામૂહિક જીવન જીવી રહ્યા છે. હાલ તમામ ધર્મ, વર્ગ, રંગના લોકો એકસરખું જીવન જીવી રહ્યા છીએ. સામૂહિક જીવન હંમેશા દૂધ જેવુ હોય છે. તમે એમાં લીંબુ નિચોવીને ફાડી નાંખી શકો છો, તેમાં પાણી નાંખીને તેનું પોત પાતળું કરી શકો છો, તેમાં મેળવણ નાંખીને ખાટું કરી શકો છો અને હા, તમે એમાં સાકર ભેળવીને મધુર પણ બનાવી શકો છો. નિર્ણય તમારે કરવાનો છે.
અત્યારે લોકોને તમારી દયાની નહી, મદદની જરૂર છે. કશું જ કરી શકો એમ ન હોવ તો પ્રાર્થના કરો. એક મોટી બેંકમાં કેશિયરની છ બારીઓ હતી. બેંકમાં નવા મેનેજર આવ્યા હતા. ત્રણેક દિવસનાં અવલોકન પરથી સમજાયું કે, બારી નંબર ૨ પર ગ્રાહકોની ભીડ રહેતી હતી. બાકીની બારીઓ પર કાગડાં ઊડતાં હતા. મેનેજરે ગ્રાહકો સાથે વાત કરી. ગ્રાહકોએ કહ્યું,"સાહેબ, ખબર નહી પણ આ કેશિયર ભાઈનાં હાથે પૈસા મળે છે તેનાથી ધંધામાં બરકત આવે છે. તેમનાં હાથે મળેલાં પૈસાથી ઘરમાં સુખ-શાંતિ આવ્યા. કોઈકે કહ્યું કે ઘરમાંથી બીમારી ચાલી ગઈ." હવે મેનેજરે પેલા બારી નંબર બે વાળા કેશિયરને પૂછ્યું ," ગ્રાહકને પૈસા આપતી વખતે તમે કઈક કરો છો ?" કેશિયરે કહ્યું," હા, હું પહેલાં પૈસા ગણું છુ. પછી એ પૈસા ગ્રાહકના હાથમાં મૂકું છુ. એ વખતે ભગવાનને પ્રાર્થના કરું છુ કે, આ પૈસા લેનારને સુખ-શાંતિ-પ્રસન્નતા પ્રાપ્ત થાય." મેનેજરને બારી નંબર બેનું રહસ્ય સમજાઈ ગયું. કોઈનો બળદ, કોઈની વેલ અને બંદાનો ડચકારો તે આનું નામ.
ગજવેલના પારખા ન હોય. બહાર નીકળવાનું બંધ કરો. ઘણીવાર નાની વાતો પણ ખૂબ મહત્વની હોય છે જેમ કે પૈડાંમાં ઓઈલ મૂકવું. અત્યારે એ જ સમય છે. ઘરે રહીને સુખ-શાંતિ અને પ્રસન્નતામાં ગતિ આવે એવી નાની નાની સમજણભરી ગતિવિધિઓ કરો.
જે.કે.સાંઈ