આજે મહાભારતમાં સવારના એપિસોડમાં રામાયણનો ઉલ્લેખ આવ્યો જ્યારે માતા યશોદા કનૈયાને શ્રી રામની વાર્તા કહે છે. એ સિવાય પણ વનવાસ દરમ્યાન પાંડવોને ઋષિ માર્કંડેય રામાયણની ગાથા કહે છે.
રામાયણ અને મહાભારત વચ્ચે આવી કેટલી જોડતી કડીઓ છે?
મારો જવાબ પૂર્ણ નહીં જ હોય એમ માનીને મારી જાણકારી મૂકું છું. અહીં રહી ગયું હોય અને તમારા ધ્યાનમાં હોય એ ઉમેરણ કરશો તો મજા આવશે..
શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ વિષ્ણુના જ બે અવતાર; વિષ્ણુ પુરાણના બે પ્રકરણોમાં રામાયણ અને મહાભારત બંને ગાથાઓ છે.
પરશુરામ – તેઓ પણ બંનેમાં છે, રામ શિવધનુષ તોડે ત્યારે ગુસ્સે થયેલા પરશુરામ તથા ભીષ્મ, દ્રોણ અને કર્ણને વિદ્યા આપતા અને તથા કર્ણને શ્રાપ આપતા પરશુરામ;
હનુમાનજી – મહાભારતમાં તેઓ ભીમને એનો ગર્વ ભાંગવા માર્ગમાં મળે છે અને પોતાની પૂંછડી હટાવવા ભીમને કહે છે, જે એ પૂરું બળ અજમાવવા છતાં કરી શક્તો નથી; બંને વાયુપુત્રો હોવાથી હનુમાનજી ભીમના જ્યેષ્ઠ ભાઈ પણ ગણી શકાય. અર્જુન સાથે પણ તેમની આવી જ એક સ્પર્ધાની વાત છે જેમાં અર્જુન હારી જાય છે, પણ ફરી સ્પર્ધા કરતા કૃષ્ણની મદદથી અર્જુન જીતે છે અને એથી હનુમાનજી અર્જુનના રથને રક્ષાચક્ર આપે છે, અને તેના ધ્વજમાં વિરાજમાન છે.
વાલી - રામ જ્યારે વાલીને ઋષિમુખ પર્વત પર મારે છે ત્યારે વાલી તેમને કહે છે કે તમે મને છુપાઈને માર્યો છે, એથી શ્રી રામ એને આશીર્વાદ આપે છે કે આવતા જન્મમાં મારો મોક્ષ તારે હાથે થશે. કૃષ્ણને બાણ મારનાર પારધી વાલીનો અવતાર ગણાયો છે.
જામવંત – રામાયણમાં સીતા શોધ વખતે દક્ષિણ ગયેલા દળના બધા જ્યારે સમુદ્ર જોઈને હારીને બેસી જાય છે ત્યારે હનુમાનને આ કાર્ય કરવાની પ્રેરણા જામવંત આપે છે. લગભગ પંદરેક વર્ષ પહેલા મોરારિબાપુની મુંબઈમાં થયેલી એક કથામાં નાની સાથે મેં આ પ્રસંગ સાંભળ્યો હતો, જામવંત અને અંગદ એ સમયે મારા અતિપ્રિય હતા. લંકા જવા માટે સેતુ બન્યા બાદ રામ જામવંતને વરદાન માંગવાનું કહે છે, અને ભૂલમાં જામવંત તેમની સાથે યુદ્ધ માંગે છે. બીજા જન્મમાં જ્યારે શ્યામંતક મણિ, જે શ્રી કૃષ્ણની ત્રીજી પત્ની સત્યભામાના કાકા પ્રસેનજિત ગળામાં પહેરી રાખતા હોય છે, એ મણિમાંથી રોજ આઠ ભાર સોનું ઝરે છે. કૃષ્ણ એ મણિ ઉગ્રસેનને આપી દેવા પ્રસેનજિતને કહે છે, જેમાં એ સંમત થતો નથી. જંગલમાં શિકાર કરવા જતા પ્રસેનજિતને સિંહ મારી નાખે છે, અને એનો ભાઈ શત્રજીત એ આરોપ કૃષ્ણ પર મૂકે છે, કૃષ્ણ પોતાની નિર્દોષતા સાબિત કરવા એ મણિ ગળી ગયેલા સિંહને શોધવા નીકળે છે, એ મણિ જામવંતને મળે છે. રસ્તામાં જામવંત સાથે કૃષ્ણનું ૨૮ દિવસ યુદ્ધ ચાલે છે. જામવંત હારે છે અને એની પુત્રી જામવંતી સાથે કૃષ્ણના લગ્ન થાય છે તથા ભેટ સ્વરૂપ એ મણિ જામવંત તેમને પાછો આપે છે. કૃષ્ણ એ મણિ શત્રજીતને પાછો આપે ત્યારે મણિ તેમને આપી પોતાની પુત્રી સત્યભામા સાથે તે કૃષ્ણના લગ્ન કરાવે છે. પરંતુ કૃષ્ણ એ મણિ સ્વીકારતા નથી.
દાનવ મયાસુર – મંદોદરીના પિતા મયાસુર, જે સ્થપતિ અથવા આર્કિટેક્ટ ગણાયા છે એ મહાભારતમાં પણ દેખાય છે, જ્યારે ખાંડવપ્રસ્થ વન દહન વખતે માત્ર એ જ બચી જાય છે, અને કૃષ્ણ અને મારવા સુદર્શન ઉપાડે છે, ત્યારે એ અર્જુનની શરણમાં જાય છે અને અર્જુન કૃષ્ણને વિનંતિ કરે છે કે તેનો અપરાધ ક્ષમા કરે. એ પછી મયાસુર ઇન્દ્રપ્રસ્થની મયસભા પાંડવો માટે નિર્માણ કરે છે.
ઋષિ દુર્વાસા – આજના એપિસોડમાં બતાવાયેલ ઋષિ અત્રી અને સતી અનસૂયાના પુત્ર એટલે ઋષિ દુર્વાસા, જે રામના વનગમન વખતે ભવિષ્યવાણી કરે છે કે રામ અને સીતાનો વિયોગ થશે. એ જ ઋષિ મહાભારતમાં કુંતીને આશીર્વાદમાં મંત્ર આપે છે જેનો ઉપયોગ કરી એ કોઈપણ દેવતા થકી પુત્રવતી થઈ શકે.
ઋષિ વિશ્વામિત્ર – તેઓ રામને અસ્ત્રવિદ્યા શીખવે છે એ રીતે રામાયણમાં છે અને તેમની પુત્રી શકુંતલા – રાજા દુષ્યંતની પત્ની અને ભરતની માતા તરીકે ઓળખાય છે જે મહાભારતની શરૂઆતના સર્ગમાં છે.
વિભિષણ – રામાયણમાં તો એ છે જ, મહાભારતમાં યુધિષ્ઠિરના ઇન્દ્રપ્રસ્થના રાજ્યાભિષેક વખતે સહદેવ ઘટોત્કચને લંકા મોકલે છે અને તેની શુભેચ્છાઓ વાંચ્છે છે. પ્રત્યુત્તરમાં વિભિષણ અનેક ભેટ મોકલે છે.
રામાયનનો સમયકાળ પહેલા ગણાયો છે અને મહાભારત એ પછી થયું એમ માનીએ તો રામાયણના પાત્રો મહાભારતમાં દેખાય એ શક્ય છે, પણ મહાભારતના નવીન પાત્રો રામાયણમાં દેખાય એ શક્ય લાગતું નથી અને એવા પાત્રો જડતાં પણ નથી.
એ સિવાય માનવામાં આવે છે કે રામના પુત્ર કુશના ૨૮મા વંશજ બૃહદ્બાળ કૌરવો તરફથી મહાભારતના યુદ્ધમાં લડ્યા હતા અને ચક્રવ્યૂહ ભેદતી વખતે અભિમન્યુએ તેમનો શિરચ્છેદ કર્યો હતો.
આથી વધુ પણ દેવતાઓ, રાક્ષસો, ઋષિઓ વગેરે બંનેમાં સામાન્ય જોવા મળે છે.
પણ આ શ્રેણીની સૌથી રસપ્રદ કડી જે મને મળી છે, આજના મહાભારતના યશોદા અને કૃષ્ણના તથા કૈકેયી અને રામના એપિસોડ જોઈ જે કડી મને લોજિકલ લાગે છે, એ છે..
કૌશલ્યા -> શ્રી રામ -> કૈકેયી -> દેવકી -> કૃષ્ણ -> યશોદા
કૈકેયી રામને સૌથી વધુ પ્રેમ કરતી હતી, ભરતથી પણ વધારે, પરંતુ દાસી મંથરાની કાનભંભેરણીને કારણે એ ખોટો નિર્ણય લઈ બેઠી જેના લીધે રામને વનવાસ વેઠવો પડ્યો. કૈકેયી સતત પશ્ચાતાપમાં રહી.
રામ જ્યારે વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે કૈકેયી દુ:ખ અને પશ્ચાતાપમાં હોવાથી સૌપ્રથમ એ કૈકેયીના ચરણસ્પર્શ કરવા આવ્યા. કૈકેયીએ તેમને પૂછ્યું કે (ઈશ્વર તરીકે) તેમણે એને જ આ આખા કાર્યમાં નિમિત્ત કેમ બનાવી? અને તેને સોળ વર્ષ રામનો વિયોગ કેમ સહન કરવો પડ્યો? (બે વર્ષ વિશ્વામિત્ર સાથે વનમાં અને ચૌદ વર્ષ વનવાસ)
એના બદલામાં એ રામ પાસે માંગે છે કે તમારે આવતા જન્મે મારી કુખે જન્મ લેવો. પરંતુ પોતાના દરેક અવતારમાં માતા અદિતિના અવતારની કુખે જન્મ લેવાનું તેમણે વચન આપ્યું હોવાથી શ્રી રામ એ વરદાન આપવા અસમર્થ હતા. (શ્રી વિષ્ણુ અવતારકાર્ય પહેલા જ મનુ અને શતરૂપાને વચન આપે છે કે તેઓ જ અવતારકાર્યમાં તેમના માતાપિતા હશે.) એટલે એ માતા કૌશલ્યાના પુનર્જન્મની કુખે જ પુત્ર તરીકે અવતરશે પરંતુ તેઓ માતા કૈકેયીના પુનર્જન્મ દ્વારા ઉછેર પામશે અને આ સોળ વર્ષની ભરપાઈ એ ત્યાં કરી આપશે.
આમ દ્વાપરયુગમાં તેઓ દેવકી (કૌશલ્યા, અદિતિ) ની કુખે જન્મ લઈને અવતર્યા પરંતુ માતા યશોદા (કૈકેયી) દ્વારા ઉછેર પામ્યા, રોહીણી પણ સુમિત્રાનો પુનર્જન્મ મનાય છે. કૈકેયીએ એ પણ માંગ્યુ હતું કે આ સોળ વર્ષ સંપૂર્ણપણે વિયોગમાં વીત્યા, એટલે પછીના અવતારમાં પ્રભુ તેને મમતાનો પૂરેપૂરો અવસર એક સામાન્ય બાળકની જેમ જ આપશે, અને એથી કૃષ્ણના ગોકુળમાં સમય દરમ્યાન એ બધું વહાલ જે કૈકેયી રામને નહોતા આપી શક્યા, એ યશોદા કૃષ્ણને આપે છે. આના પ્રમાણ દેવી ભાગવતમાંથી મળી રહે છે.
તા.ક. -
રામાનંદ સાગરની આ ધારાવાહિકની ઉડીને આંખે વળગતી એક અન્ય અગત્યની વાત છે તેનું અદ્રુત ડિટીએલિંગ..
ગઈકાલના ભાગમાં જ્યાં રામ અને લક્ષ્મણ તેમના પિતા દશરથનું તર્પણ કરે છે ત્યારે બ્રાહ્મણો તેમને નદીએ જનોઈ અપસવ્ય કરાવે છે (જમણે ખભે થી ડાબે ખભે). ધર્મકાર્યો સિવાય ટી.વીમાં આવું જોવા મળવું અદ્રુત સંયોગ છે. આ જ વાત ભરત અને શત્રુઘ્ન મહારાજ દશરથના અસ્થિ વિસર્જન કરે છે ત્યારે પણ નોંધી હતી પણ મનમાંથી નીકળી ગયેલી, કાલે એ ફરી યાદ આવી. શ્રેણી માટે ખૂબ વિગતે કરેલું રિસર્ચ દેખાઈ આવે છે.
મહારાજ દશરથનું રામ અને લક્ષ્મણ દ્વારા હાથમાં દર્ભ (ડાભ)ની વીંટી પહેરીને કરાતું તર્પણ પણ યથાર્થ વિધિનું નિરુપણ દેખાડી ગયું, તેંત્રીસ વર્ષ પહેલા ઓછા સાધનો અને ટેકનોલોજીમાં પણ આ ડિટેઇલિંગ અને બનાવટની Rawness જ આ શ્રેણીને આટલી પ્રિયપાત્ર બનાવે છે. કોઈ પણ પવિત્ર જગ્યાએ પ્રવેશ કરતા પહેલા પગ ધોવાની અહીં દર્શાવેલી રીત દક્ષ પુત્રીઓ દિતિ અને અદિતિની વાર્તામાં પણ આવે છે જેમાં ગર્ભાવસ્થા દરમ્યાન એક દિવસ પાદપ્રક્ષાલન ન કરી શકવાને લીધે દોષ રહી જતા અદિતિનો ગર્ભ નાશ કરવામાં ઇન્દ્ર સફળ થાય છે. ત્યાં પણ આ જ વિધિ દર્શાવાઈ છે.
મહાભારત શ્રેણીમાં વાર્તા સિવાય આવી વિગતો ખાસ દેખાતી નથી. એ કરતા રામાયણનું ડિટેઇલિંગ જોવાની મજા આવે છે. રામાયણ શ્રેણીમાં અન્ય એક રીત જે ગમી એ છે ચરણસ્પર્શની. કોઈ પણ પાત્ર અન્ય પૂજ્યપાત્રના અધૂરા ચરણસ્પર્શ નથી કરતું, પણ એક પગ વાળી, પૂર્ણપણે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. આ જોવું પણ ખૂબ ગમે તેવું છે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat
રામાયણ અને મહાભારત વચ્ચે આવી કેટલી જોડતી કડીઓ છે?
મારો જવાબ પૂર્ણ નહીં જ હોય એમ માનીને મારી જાણકારી મૂકું છું. અહીં રહી ગયું હોય અને તમારા ધ્યાનમાં હોય એ ઉમેરણ કરશો તો મજા આવશે..
શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ વિષ્ણુના જ બે અવતાર; વિષ્ણુ પુરાણના બે પ્રકરણોમાં રામાયણ અને મહાભારત બંને ગાથાઓ છે.
પરશુરામ – તેઓ પણ બંનેમાં છે, રામ શિવધનુષ તોડે ત્યારે ગુસ્સે થયેલા પરશુરામ તથા ભીષ્મ, દ્રોણ અને કર્ણને વિદ્યા આપતા અને તથા કર્ણને શ્રાપ આપતા પરશુરામ;
હનુમાનજી – મહાભારતમાં તેઓ ભીમને એનો ગર્વ ભાંગવા માર્ગમાં મળે છે અને પોતાની પૂંછડી હટાવવા ભીમને કહે છે, જે એ પૂરું બળ અજમાવવા છતાં કરી શક્તો નથી; બંને વાયુપુત્રો હોવાથી હનુમાનજી ભીમના જ્યેષ્ઠ ભાઈ પણ ગણી શકાય. અર્જુન સાથે પણ તેમની આવી જ એક સ્પર્ધાની વાત છે જેમાં અર્જુન હારી જાય છે, પણ ફરી સ્પર્ધા કરતા કૃષ્ણની મદદથી અર્જુન જીતે છે અને એથી હનુમાનજી અર્જુનના રથને રક્ષાચક્ર આપે છે, અને તેના ધ્વજમાં વિરાજમાન છે.
વાલી - રામ જ્યારે વાલીને ઋષિમુખ પર્વત પર મારે છે ત્યારે વાલી તેમને કહે છે કે તમે મને છુપાઈને માર્યો છે, એથી શ્રી રામ એને આશીર્વાદ આપે છે કે આવતા જન્મમાં મારો મોક્ષ તારે હાથે થશે. કૃષ્ણને બાણ મારનાર પારધી વાલીનો અવતાર ગણાયો છે.
જામવંત – રામાયણમાં સીતા શોધ વખતે દક્ષિણ ગયેલા દળના બધા જ્યારે સમુદ્ર જોઈને હારીને બેસી જાય છે ત્યારે હનુમાનને આ કાર્ય કરવાની પ્રેરણા જામવંત આપે છે. લગભગ પંદરેક વર્ષ પહેલા મોરારિબાપુની મુંબઈમાં થયેલી એક કથામાં નાની સાથે મેં આ પ્રસંગ સાંભળ્યો હતો, જામવંત અને અંગદ એ સમયે મારા અતિપ્રિય હતા. લંકા જવા માટે સેતુ બન્યા બાદ રામ જામવંતને વરદાન માંગવાનું કહે છે, અને ભૂલમાં જામવંત તેમની સાથે યુદ્ધ માંગે છે. બીજા જન્મમાં જ્યારે શ્યામંતક મણિ, જે શ્રી કૃષ્ણની ત્રીજી પત્ની સત્યભામાના કાકા પ્રસેનજિત ગળામાં પહેરી રાખતા હોય છે, એ મણિમાંથી રોજ આઠ ભાર સોનું ઝરે છે. કૃષ્ણ એ મણિ ઉગ્રસેનને આપી દેવા પ્રસેનજિતને કહે છે, જેમાં એ સંમત થતો નથી. જંગલમાં શિકાર કરવા જતા પ્રસેનજિતને સિંહ મારી નાખે છે, અને એનો ભાઈ શત્રજીત એ આરોપ કૃષ્ણ પર મૂકે છે, કૃષ્ણ પોતાની નિર્દોષતા સાબિત કરવા એ મણિ ગળી ગયેલા સિંહને શોધવા નીકળે છે, એ મણિ જામવંતને મળે છે. રસ્તામાં જામવંત સાથે કૃષ્ણનું ૨૮ દિવસ યુદ્ધ ચાલે છે. જામવંત હારે છે અને એની પુત્રી જામવંતી સાથે કૃષ્ણના લગ્ન થાય છે તથા ભેટ સ્વરૂપ એ મણિ જામવંત તેમને પાછો આપે છે. કૃષ્ણ એ મણિ શત્રજીતને પાછો આપે ત્યારે મણિ તેમને આપી પોતાની પુત્રી સત્યભામા સાથે તે કૃષ્ણના લગ્ન કરાવે છે. પરંતુ કૃષ્ણ એ મણિ સ્વીકારતા નથી.
દાનવ મયાસુર – મંદોદરીના પિતા મયાસુર, જે સ્થપતિ અથવા આર્કિટેક્ટ ગણાયા છે એ મહાભારતમાં પણ દેખાય છે, જ્યારે ખાંડવપ્રસ્થ વન દહન વખતે માત્ર એ જ બચી જાય છે, અને કૃષ્ણ અને મારવા સુદર્શન ઉપાડે છે, ત્યારે એ અર્જુનની શરણમાં જાય છે અને અર્જુન કૃષ્ણને વિનંતિ કરે છે કે તેનો અપરાધ ક્ષમા કરે. એ પછી મયાસુર ઇન્દ્રપ્રસ્થની મયસભા પાંડવો માટે નિર્માણ કરે છે.
ઋષિ દુર્વાસા – આજના એપિસોડમાં બતાવાયેલ ઋષિ અત્રી અને સતી અનસૂયાના પુત્ર એટલે ઋષિ દુર્વાસા, જે રામના વનગમન વખતે ભવિષ્યવાણી કરે છે કે રામ અને સીતાનો વિયોગ થશે. એ જ ઋષિ મહાભારતમાં કુંતીને આશીર્વાદમાં મંત્ર આપે છે જેનો ઉપયોગ કરી એ કોઈપણ દેવતા થકી પુત્રવતી થઈ શકે.
ઋષિ વિશ્વામિત્ર – તેઓ રામને અસ્ત્રવિદ્યા શીખવે છે એ રીતે રામાયણમાં છે અને તેમની પુત્રી શકુંતલા – રાજા દુષ્યંતની પત્ની અને ભરતની માતા તરીકે ઓળખાય છે જે મહાભારતની શરૂઆતના સર્ગમાં છે.
વિભિષણ – રામાયણમાં તો એ છે જ, મહાભારતમાં યુધિષ્ઠિરના ઇન્દ્રપ્રસ્થના રાજ્યાભિષેક વખતે સહદેવ ઘટોત્કચને લંકા મોકલે છે અને તેની શુભેચ્છાઓ વાંચ્છે છે. પ્રત્યુત્તરમાં વિભિષણ અનેક ભેટ મોકલે છે.
રામાયનનો સમયકાળ પહેલા ગણાયો છે અને મહાભારત એ પછી થયું એમ માનીએ તો રામાયણના પાત્રો મહાભારતમાં દેખાય એ શક્ય છે, પણ મહાભારતના નવીન પાત્રો રામાયણમાં દેખાય એ શક્ય લાગતું નથી અને એવા પાત્રો જડતાં પણ નથી.
એ સિવાય માનવામાં આવે છે કે રામના પુત્ર કુશના ૨૮મા વંશજ બૃહદ્બાળ કૌરવો તરફથી મહાભારતના યુદ્ધમાં લડ્યા હતા અને ચક્રવ્યૂહ ભેદતી વખતે અભિમન્યુએ તેમનો શિરચ્છેદ કર્યો હતો.
આથી વધુ પણ દેવતાઓ, રાક્ષસો, ઋષિઓ વગેરે બંનેમાં સામાન્ય જોવા મળે છે.
પણ આ શ્રેણીની સૌથી રસપ્રદ કડી જે મને મળી છે, આજના મહાભારતના યશોદા અને કૃષ્ણના તથા કૈકેયી અને રામના એપિસોડ જોઈ જે કડી મને લોજિકલ લાગે છે, એ છે..
કૌશલ્યા -> શ્રી રામ -> કૈકેયી -> દેવકી -> કૃષ્ણ -> યશોદા
કૈકેયી રામને સૌથી વધુ પ્રેમ કરતી હતી, ભરતથી પણ વધારે, પરંતુ દાસી મંથરાની કાનભંભેરણીને કારણે એ ખોટો નિર્ણય લઈ બેઠી જેના લીધે રામને વનવાસ વેઠવો પડ્યો. કૈકેયી સતત પશ્ચાતાપમાં રહી.
રામ જ્યારે વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે કૈકેયી દુ:ખ અને પશ્ચાતાપમાં હોવાથી સૌપ્રથમ એ કૈકેયીના ચરણસ્પર્શ કરવા આવ્યા. કૈકેયીએ તેમને પૂછ્યું કે (ઈશ્વર તરીકે) તેમણે એને જ આ આખા કાર્યમાં નિમિત્ત કેમ બનાવી? અને તેને સોળ વર્ષ રામનો વિયોગ કેમ સહન કરવો પડ્યો? (બે વર્ષ વિશ્વામિત્ર સાથે વનમાં અને ચૌદ વર્ષ વનવાસ)
એના બદલામાં એ રામ પાસે માંગે છે કે તમારે આવતા જન્મે મારી કુખે જન્મ લેવો. પરંતુ પોતાના દરેક અવતારમાં માતા અદિતિના અવતારની કુખે જન્મ લેવાનું તેમણે વચન આપ્યું હોવાથી શ્રી રામ એ વરદાન આપવા અસમર્થ હતા. (શ્રી વિષ્ણુ અવતારકાર્ય પહેલા જ મનુ અને શતરૂપાને વચન આપે છે કે તેઓ જ અવતારકાર્યમાં તેમના માતાપિતા હશે.) એટલે એ માતા કૌશલ્યાના પુનર્જન્મની કુખે જ પુત્ર તરીકે અવતરશે પરંતુ તેઓ માતા કૈકેયીના પુનર્જન્મ દ્વારા ઉછેર પામશે અને આ સોળ વર્ષની ભરપાઈ એ ત્યાં કરી આપશે.
આમ દ્વાપરયુગમાં તેઓ દેવકી (કૌશલ્યા, અદિતિ) ની કુખે જન્મ લઈને અવતર્યા પરંતુ માતા યશોદા (કૈકેયી) દ્વારા ઉછેર પામ્યા, રોહીણી પણ સુમિત્રાનો પુનર્જન્મ મનાય છે. કૈકેયીએ એ પણ માંગ્યુ હતું કે આ સોળ વર્ષ સંપૂર્ણપણે વિયોગમાં વીત્યા, એટલે પછીના અવતારમાં પ્રભુ તેને મમતાનો પૂરેપૂરો અવસર એક સામાન્ય બાળકની જેમ જ આપશે, અને એથી કૃષ્ણના ગોકુળમાં સમય દરમ્યાન એ બધું વહાલ જે કૈકેયી રામને નહોતા આપી શક્યા, એ યશોદા કૃષ્ણને આપે છે. આના પ્રમાણ દેવી ભાગવતમાંથી મળી રહે છે.
તા.ક. -
રામાનંદ સાગરની આ ધારાવાહિકની ઉડીને આંખે વળગતી એક અન્ય અગત્યની વાત છે તેનું અદ્રુત ડિટીએલિંગ..
ગઈકાલના ભાગમાં જ્યાં રામ અને લક્ષ્મણ તેમના પિતા દશરથનું તર્પણ કરે છે ત્યારે બ્રાહ્મણો તેમને નદીએ જનોઈ અપસવ્ય કરાવે છે (જમણે ખભે થી ડાબે ખભે). ધર્મકાર્યો સિવાય ટી.વીમાં આવું જોવા મળવું અદ્રુત સંયોગ છે. આ જ વાત ભરત અને શત્રુઘ્ન મહારાજ દશરથના અસ્થિ વિસર્જન કરે છે ત્યારે પણ નોંધી હતી પણ મનમાંથી નીકળી ગયેલી, કાલે એ ફરી યાદ આવી. શ્રેણી માટે ખૂબ વિગતે કરેલું રિસર્ચ દેખાઈ આવે છે.
મહારાજ દશરથનું રામ અને લક્ષ્મણ દ્વારા હાથમાં દર્ભ (ડાભ)ની વીંટી પહેરીને કરાતું તર્પણ પણ યથાર્થ વિધિનું નિરુપણ દેખાડી ગયું, તેંત્રીસ વર્ષ પહેલા ઓછા સાધનો અને ટેકનોલોજીમાં પણ આ ડિટેઇલિંગ અને બનાવટની Rawness જ આ શ્રેણીને આટલી પ્રિયપાત્ર બનાવે છે. કોઈ પણ પવિત્ર જગ્યાએ પ્રવેશ કરતા પહેલા પગ ધોવાની અહીં દર્શાવેલી રીત દક્ષ પુત્રીઓ દિતિ અને અદિતિની વાર્તામાં પણ આવે છે જેમાં ગર્ભાવસ્થા દરમ્યાન એક દિવસ પાદપ્રક્ષાલન ન કરી શકવાને લીધે દોષ રહી જતા અદિતિનો ગર્ભ નાશ કરવામાં ઇન્દ્ર સફળ થાય છે. ત્યાં પણ આ જ વિધિ દર્શાવાઈ છે.
મહાભારત શ્રેણીમાં વાર્તા સિવાય આવી વિગતો ખાસ દેખાતી નથી. એ કરતા રામાયણનું ડિટેઇલિંગ જોવાની મજા આવે છે. રામાયણ શ્રેણીમાં અન્ય એક રીત જે ગમી એ છે ચરણસ્પર્શની. કોઈ પણ પાત્ર અન્ય પૂજ્યપાત્રના અધૂરા ચરણસ્પર્શ નથી કરતું, પણ એક પગ વાળી, પૂર્ણપણે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. આ જોવું પણ ખૂબ ગમે તેવું છે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat