ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે કહ્યું એ ઉપરાંત એમણે એક માર્મિક વાત એમના જીવનના અંતિમ તબક્કામાં કરી હતી. યાદવો મદીરાપાન કરી, અંદરોઅંદર લડતાં હતાં. કોઈક શાણા માણસે કેશવને કહ્યું, "હે મુરલીધર ! આપ પોતે ભગવાન છો. આ યાદવો આપના કુળના છે. આપના ભાઈ-ભાંડુ છે. આપ શું તેમને વિનાશના માર્ગે જતાં નહી રોકો ?" શ્રી કૃષ્ણએ ઉદાસ ચહેરે જે વાત કહી, તે કદી વિસરવા જેવી નથી. તેમણે પેલાં શાણા માણસને એટલું જ કહ્યું," હે સજ્જન ! માફ કરજો પણ કુસંપી અને વ્યસનીને (ચારિત્ર્યહિન) તો હું પણ બચાવી શકતો નથી. ભલે ને એ મારુ કુળ હોય કે મારાં ભાઈ-ભાંડુ હોય." જેનો રાજા ઈશ્વર સ્વયં હોય તે કુળ પણ કુસંપ અને વ્યસનમાં નાશ પામ્યું. ઉત્તમ જીવન જીવવા માટે સંપ અને ચારિત્ર્ય જરૂરી છે.
માણસ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. સમય, શક્તિ અને સમજ. ખાટલે મોટી ખોડ એ જ છે કે પાયો જ નથી. સિનિયર સીટીઝન પાસે સમય અને સમજ બંને છે પણ શક્તિ નથી. બાળકો પાસે માત્ર સમય છે પણ સમજ અને શક્તિ નથી. યંગ જનરેશન પાસે ત્રણેય છે પણ સ્વાર્થીપણું નડે છે. સ્વાર્થીપણાની નાજાયાજ ઔલાદ કુસંપ છે.
યુધિષ્ઠિર ધર્મનો અવતાર મનાતા હતાં, ભીમમાં એક હજાર હાથીઓનું બળ હતું, સહદેવ ટોપ ક્લાસ જ્યોતિષી હતો, અર્જુન મહાન યોધ્ધા હતો, નકુલ જેવો ચતુર આખી અવનિ પર કોઈ ન હતો. સૌથી મોટો પ્લસ પોઈન્ટ ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે હતાં. વળી, તેમની વચ્ચે એકતાય હતી. તો પણ પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. સંપ હતો પણ ચારિત્ર્ય ખંડિત હતું. તેઓ જુગટું રમ્યા હતાં. લો, વધુ એકવાર આપણો પ્રમેય સિધ્ધ થઈ ગયો.
કુસંપના કેટલાં ઉદાહરણ જોઈએ છે ? ઈ.સ. 1000 થી ઈ.સ. 1026 સુધીમાં અફગાનિસ્તાનના મહમ્મદ ગઝનવીએ ભારત પર લગભગ સત્તર વખત ચડાઈ કરી. દર વખતે લૂંટફાટ અને ખૂનીખેલ ખેલ્યો. ભારતનો નકશો નજર સમક્ષ લાવો. મહમ્મદ ગઝનવી અફગાનિસ્તાનથી ભારતમાં છેક 2000 કી.મી. સુધી અંદર આવી લૂંટ ચલાવી જતો રહેતો હતો. આ 2000 કી.મી. સુધીમાં એને કોઈ રોકનાર ન હતું ? હતાં. નરબંકા શૂરવીરો હતાં. હાથી સાથે મલ્લયુધ્ધ કરે એવા રાજાઓ હતાં. ગઝનવીની સેના કરતાં ઉચ્ચ કક્ષાના હથિયારો હતાં. આપણી પાસે કોઈ વસ્તુની કમી હતી તો તે એકતા અને ચારિત્ર્યની કમી હતી. તે વખતે મારે શું ? અને આપણે શું ? આ બે પ્રશ્નો એ આપણાં ઈતિહાસને કલંકિત કર્યો.
આપણી આ ટેવથી કંટાળીને એકવાર ગુસ્સાથી લોકમાન્ય ટિળકે કહ્યું હતું કે, "આપણે સૌ ભારતીયો અંગ્રેજોએ સામે એક થઈને માત્ર થૂંકયા હોત ને તો તમામ અંગ્રેજોએ તેમાં ડૂબી ગયાં હોત !!!"
કોરોના એ ગઝનવીનો અર્વાચીન અવતાર છે. આજે એનાં ઘોડાં આખી દુનિયા ધમરોળી રહ્યાં છે. આપણે કલંકિત ઈતિહાસનું પુનરાવર્તન કરવું નથી. માત્ર અને માત્ર સંપથી લોકડાઉન થઈને જ આપણે કોરોનાને હરાવી શકીશું. તમામ ધર્મ અને કોમોએ એક બનવું પડશે.
કભી તું મંદિર કી છત પર બૈઠતાં હૈ,
કભી તું મસ્જિદ કે ઘૂમટ પર બૈઠતાં હૈ.
બતા એ પરિન્દે ,તેરા મજહબ કૌન-સા હૈ ???
જરૂર વગર ઘરની બહાર નીકળી પોતાને મૂર્ખ સાબિત કરવાનો પ્રયત્ન ન કરશો. એક વિદેશી કહેવત છે- "મુર્ખથી ચેતતા રહો, તે જુનાં કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે." આ મૂરખાઓ જોખમમાં વધારો કરી રહ્યાં છે. આપણાં દેશમાં એક પેટર્ન એવી છે કે આપત્તિ આવે એટલે આપણે એક થઈ જઈએ છીએ અને આપત્તિ જતાં પાછાં હતાં એનાં એ જ થઈ જઈએ છીએ.
એક ધનાઢ્ય માણસ અહમ ધરાવતો હતો. તે સદા-બારેમાસ છત્રી ખોલીને ફરતો. જાણે પોતાનું એક પ્રાઈવેટ અલગ કાળું આકાશ જોઈ લો. જ્યારે તે ખુલ્લી છત્રી લઈને ચાલતો ત્યારે બધાથી અલગ દેખાતો. તેની છત્રી જાણે બધાને કહેતી હોય કે આઘા ખાસો, શેઠની સવારી આવી રહી છે. સાહેબ, તમે છત્રી ખોલીને ફરો એનો કોઈ વાંધો નથી, પણ આ તમારી છત્રીનાં સળિયાની અણી બજારમાં કેટલાયની આંખમાં, ગાલમાં, કપાળમાં વાગે છે એનું તો ધ્યાન રાખો !!! આનું અર્થગ્રહણ પોતીકી રીતે કરી લેજો.
ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ વલભીથી શરૂ થાય છે. વલભી એક સમયે સમૃદ્ધ હતી. કુલ 1300 માઈલનો વિસ્તાર ધરાવતું રાજય હતું. સ્વયં વલભી પંદરેક માઈલનું ક્ષેત્રફળ ધરાવતું નગર હતું. આ નગરમાં એ સમયે સોથી પણ વધુ કરોડપતિઓ નિવાસ કરતાં હતાં. એકસો બૌધ્ધ મઠ અને છ હજાર કરતાં વધુ સાધુઓ વસવાટ કરતાં હતાં. આ વર્ણન ચીની યાત્રી હ્યુએનસાંગનું છે. આ નગરના વિનાશની એક દંતકથા પ્રસિધ્ધ છે. આ નગરમાં એક કૂકા નામનો અતિ ધનવાન શેઠ રહેતો હતો. તેની દીકરી પાસે મૂલ્યવાન રત્નોથી સુશોભિત હાથીદાંતનો કાંસકો હતો. રાજા શિલાદિત્યની પુત્રીને આ કાંસકો ગમી ગયો. કૂકા શેઠની દીકરી આ કાંસકો આપવા તૈયાર ન હતી.
રાજા શિલાદિત્યએ બળજબરીથી કાંસકો લઈ લીધો. કૂકા શેઠે સિંધ દેશનાં રાજાને એક કરોડ રૂપિયા આપ્યા અને વલભી પર આક્રમણ કરાવ્યુ. વલભીનો નાશ થયો.
એક વ્યક્તિની સ્વાર્થી મૂર્ખામી કેવું પરિણામ લાવી શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. બહાર નીકળી કોરોનાને તેડી ન લાવશો. એક રહો...લોક રહો.... શૂન્ય નીચેનું એક દિવસનું તાપમાન ત્રણ ફિટ બરફ જમાવવા માટે પુરતું નથી.
જે.કે.સાંઈ
માણસ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. સમય, શક્તિ અને સમજ. ખાટલે મોટી ખોડ એ જ છે કે પાયો જ નથી. સિનિયર સીટીઝન પાસે સમય અને સમજ બંને છે પણ શક્તિ નથી. બાળકો પાસે માત્ર સમય છે પણ સમજ અને શક્તિ નથી. યંગ જનરેશન પાસે ત્રણેય છે પણ સ્વાર્થીપણું નડે છે. સ્વાર્થીપણાની નાજાયાજ ઔલાદ કુસંપ છે.
યુધિષ્ઠિર ધર્મનો અવતાર મનાતા હતાં, ભીમમાં એક હજાર હાથીઓનું બળ હતું, સહદેવ ટોપ ક્લાસ જ્યોતિષી હતો, અર્જુન મહાન યોધ્ધા હતો, નકુલ જેવો ચતુર આખી અવનિ પર કોઈ ન હતો. સૌથી મોટો પ્લસ પોઈન્ટ ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે હતાં. વળી, તેમની વચ્ચે એકતાય હતી. તો પણ પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. સંપ હતો પણ ચારિત્ર્ય ખંડિત હતું. તેઓ જુગટું રમ્યા હતાં. લો, વધુ એકવાર આપણો પ્રમેય સિધ્ધ થઈ ગયો.
કુસંપના કેટલાં ઉદાહરણ જોઈએ છે ? ઈ.સ. 1000 થી ઈ.સ. 1026 સુધીમાં અફગાનિસ્તાનના મહમ્મદ ગઝનવીએ ભારત પર લગભગ સત્તર વખત ચડાઈ કરી. દર વખતે લૂંટફાટ અને ખૂનીખેલ ખેલ્યો. ભારતનો નકશો નજર સમક્ષ લાવો. મહમ્મદ ગઝનવી અફગાનિસ્તાનથી ભારતમાં છેક 2000 કી.મી. સુધી અંદર આવી લૂંટ ચલાવી જતો રહેતો હતો. આ 2000 કી.મી. સુધીમાં એને કોઈ રોકનાર ન હતું ? હતાં. નરબંકા શૂરવીરો હતાં. હાથી સાથે મલ્લયુધ્ધ કરે એવા રાજાઓ હતાં. ગઝનવીની સેના કરતાં ઉચ્ચ કક્ષાના હથિયારો હતાં. આપણી પાસે કોઈ વસ્તુની કમી હતી તો તે એકતા અને ચારિત્ર્યની કમી હતી. તે વખતે મારે શું ? અને આપણે શું ? આ બે પ્રશ્નો એ આપણાં ઈતિહાસને કલંકિત કર્યો.
આપણી આ ટેવથી કંટાળીને એકવાર ગુસ્સાથી લોકમાન્ય ટિળકે કહ્યું હતું કે, "આપણે સૌ ભારતીયો અંગ્રેજોએ સામે એક થઈને માત્ર થૂંકયા હોત ને તો તમામ અંગ્રેજોએ તેમાં ડૂબી ગયાં હોત !!!"
કોરોના એ ગઝનવીનો અર્વાચીન અવતાર છે. આજે એનાં ઘોડાં આખી દુનિયા ધમરોળી રહ્યાં છે. આપણે કલંકિત ઈતિહાસનું પુનરાવર્તન કરવું નથી. માત્ર અને માત્ર સંપથી લોકડાઉન થઈને જ આપણે કોરોનાને હરાવી શકીશું. તમામ ધર્મ અને કોમોએ એક બનવું પડશે.
કભી તું મંદિર કી છત પર બૈઠતાં હૈ,
કભી તું મસ્જિદ કે ઘૂમટ પર બૈઠતાં હૈ.
બતા એ પરિન્દે ,તેરા મજહબ કૌન-સા હૈ ???
જરૂર વગર ઘરની બહાર નીકળી પોતાને મૂર્ખ સાબિત કરવાનો પ્રયત્ન ન કરશો. એક વિદેશી કહેવત છે- "મુર્ખથી ચેતતા રહો, તે જુનાં કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે." આ મૂરખાઓ જોખમમાં વધારો કરી રહ્યાં છે. આપણાં દેશમાં એક પેટર્ન એવી છે કે આપત્તિ આવે એટલે આપણે એક થઈ જઈએ છીએ અને આપત્તિ જતાં પાછાં હતાં એનાં એ જ થઈ જઈએ છીએ.
એક ધનાઢ્ય માણસ અહમ ધરાવતો હતો. તે સદા-બારેમાસ છત્રી ખોલીને ફરતો. જાણે પોતાનું એક પ્રાઈવેટ અલગ કાળું આકાશ જોઈ લો. જ્યારે તે ખુલ્લી છત્રી લઈને ચાલતો ત્યારે બધાથી અલગ દેખાતો. તેની છત્રી જાણે બધાને કહેતી હોય કે આઘા ખાસો, શેઠની સવારી આવી રહી છે. સાહેબ, તમે છત્રી ખોલીને ફરો એનો કોઈ વાંધો નથી, પણ આ તમારી છત્રીનાં સળિયાની અણી બજારમાં કેટલાયની આંખમાં, ગાલમાં, કપાળમાં વાગે છે એનું તો ધ્યાન રાખો !!! આનું અર્થગ્રહણ પોતીકી રીતે કરી લેજો.
ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ વલભીથી શરૂ થાય છે. વલભી એક સમયે સમૃદ્ધ હતી. કુલ 1300 માઈલનો વિસ્તાર ધરાવતું રાજય હતું. સ્વયં વલભી પંદરેક માઈલનું ક્ષેત્રફળ ધરાવતું નગર હતું. આ નગરમાં એ સમયે સોથી પણ વધુ કરોડપતિઓ નિવાસ કરતાં હતાં. એકસો બૌધ્ધ મઠ અને છ હજાર કરતાં વધુ સાધુઓ વસવાટ કરતાં હતાં. આ વર્ણન ચીની યાત્રી હ્યુએનસાંગનું છે. આ નગરના વિનાશની એક દંતકથા પ્રસિધ્ધ છે. આ નગરમાં એક કૂકા નામનો અતિ ધનવાન શેઠ રહેતો હતો. તેની દીકરી પાસે મૂલ્યવાન રત્નોથી સુશોભિત હાથીદાંતનો કાંસકો હતો. રાજા શિલાદિત્યની પુત્રીને આ કાંસકો ગમી ગયો. કૂકા શેઠની દીકરી આ કાંસકો આપવા તૈયાર ન હતી.
રાજા શિલાદિત્યએ બળજબરીથી કાંસકો લઈ લીધો. કૂકા શેઠે સિંધ દેશનાં રાજાને એક કરોડ રૂપિયા આપ્યા અને વલભી પર આક્રમણ કરાવ્યુ. વલભીનો નાશ થયો.
એક વ્યક્તિની સ્વાર્થી મૂર્ખામી કેવું પરિણામ લાવી શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. બહાર નીકળી કોરોનાને તેડી ન લાવશો. એક રહો...લોક રહો.... શૂન્ય નીચેનું એક દિવસનું તાપમાન ત્રણ ફિટ બરફ જમાવવા માટે પુરતું નથી.
જે.કે.સાંઈ