કપૂરનાં પણ વૃક્ષો હોય છે. કપૂર મૂળ તો તજ કુટુંબના સભ્યો કહેવાય. તેથી વનસ્પતિશાસ્ત્રની ભાષામાં તેને (innamomum camphora) કહે છે. કપૂરના વૃક્ષોની ડાળીને ઊંચા તાપમાને વરાળ મળે એટલે તે નાનકડા ટીપાં જેટલું કપૂર મુકત કરે છે. આ ટીપાંમાંથી પાણી અને તેલ છુટૂં પાડવામાં આવે એટલે સફેદ રંગનું કપૂર બાકી રહે છે.
કપૂર એક મીણ જેવી જ ઉપ-પેદાશ છે. જેને કપૂરના ઝાડની છાલ માંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ હિન્દુ પુજા તેમજ અન્ય ઘણી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત પણ તેના કેટલાક એવા સ્વાસ્થ્યવર્ધક ઉપયોગો પણ છે કે જે વિષે કદાચ તમે નહીં જાણતા હોય. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કપૂરના અનેક ઉપયોગો જણાવવામાં આવ્યા છે. માટે જ કેટલાક આયુર્વેદના વૈદો ખાસ રીતે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. જો તમારી પાસે પણ કપૂર વિષે કંઈ ખાસ માહિતી ન હોય તો આજે તેના ઉપયોગની માહિતી આપણે આ લેખમાં જોઈએ.
જંતુ ઓ દૂર કરવા માટે જેમ કે તમારા ઘરને મચ્છર રહિત રાખવા માટે
આજકાલ બજારમાં મચ્છર તેમજ અન્ય જીવજંતુઓ મારવાની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. જેમાં હાનિકારક રસાયણો નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે જંતુઓને તો તમારા ઘરમાંથી દૂર રાખે છે પણ માનવ શરીર માટે પણ હાનિકારક હોય છે. બીજી બાજુ કપૂર એક સંપૂર્ણ કુદરતી વસ્તુ છે, જે ખુબ જ સુરક્ષિત રીતે મચ્છરોને ઘરમાથી દૂર રાખે છે. તમારા ઘરને મચ્છર રહીત રાખવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓ સળગાવવાની છે. અને તે વખતે તમારે તમારા ઘરની બધા જ બારી-બારણાઓ બંધ રાખવાના છે. તે માત્ર તમારા ઘરને સુંદર ખુશ્બુ થી જ નહીં ભરે પણ તેનાથી તમને શાંત ઉંઘ પણ આવશે કારણ કે ત્યારે તમને મચ્છર પણ હેરાન નહીં કરે.
તમારા વાયુમાર્ગ ને ખુલ્લો કરે છે એટલે કે તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે
તમારા નાકમાંથી પાણી વહેવા કરતાં વધારે સમસ્યા તમને નાક બંધ હોય ત્યારે થતી હોય છે. જ્યારે તમને શરદી થઈ હોય અને તમે નિરાતે શ્વાસ લઈ શકતા ન હોય ત્યારે, કપૂર તમને આ સમસ્યા માટે મદદ કરી શકે છે. આ માટે તમારે એક કટોરો પાણી ગરમ કરવાનું છે અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાખવાની છે. ત્યાર બાદ તેની વરાળ લેવાની છે. જો તમે આ વરાળ લેતા સમયે તમારું માથુ ટુવાલ અથવા તો કોઈ મોટા કપડાંથી ઢાંકી લેશો તો તે તમને વધારે મદદરૂપ થશે.
પગના તળિયા દુઃખાવો થતો હોય ત્યારે
જો તમને તમારા પગની પેનીઓ દુખે તો તે માટે તમારે ઠંડા પાણીનો શેક કરવાની જગ્યાએ પગની પેની પર કપૂરનું માલિશ કરવાથી તમારી જે સેન્સરી નર્વસ હોય છે તે બહેરી થઈ જશે અને તેના કારણે તમને પગના દુખાવાનો અહેસાસ થશે નહીં. તેનાથી તમારા પગના સોજા પણ ઉતરે છે કારણ કે તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવર પણ રહેલો છે. આમ છતાં, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. કપૂરને ગળવાથી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે અને તેની આડ અસરો પણ ભયંકર હોય છે અને તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
ફુગ દૂર કરવા માટે
આપણા પગના નખમાં હંમેશા ફુગ લાગતી જોવા મળતી હોય છે. તેમાં થતાં પરસેવા તેમજ પાણીના સંપર્કમાં રહેવાને કારણે તેને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહેલી હોય છે. જે લોકોને ઓનીકોમાઇકોસિસ ની સમસ્યા હોય તેમના પગની આંગળીના નખ ધીમે ધીમે કાળા પડી જતા હોય છે અને સાથે સાથે નબળા પણ પડી જતા હોય છે. આ ફુગના ચેપને દૂર કરવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓને પાણીમાં પલાળવાની છે અને તે પાણીમાં તમારા પગ રાખી મુકવા. આ પ્રયોગનું સતત પુનરાવર્તન કરતા રહેવું આમ કરવાથી તમને તમારા પગની આંગળીઓ પહેલા જેવી જ સ્વસ્થ થઈ જશે.
**શરીરના સાંધાના દુઃખાવા દૂર કરવા માટે*(
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હુંફાળા કોપરેલ તેલમાં કપૂર મિશ્ર કરી તેનું મસાજ કરવાથી આપણા શરીરના સાંધાના દુઃખાવામાં ખુબ રાહત થાય છે. ગંભીર રોગો જેમ કે સંધીવા, ગઠિયા વગેરે સાંધાના દુખાવાની સમસ્યામાં તમને તમારું આખું શરીર દુખતું હોય છે. આવા સંજોગોમાં તમે તમારા શરીર પાસે નાની સરખી પણ હલચલ પણ કરાવી શકતા નથી. કપૂરના આ મસાજથી તમારા શરીરને નવજીવન મળી રહેશે અને સોજાના કારણે થતાં દુઃખાવામાં પણ રાહત મળી શકે છે. ન્હાવા જતા પહેલા આ પ્રયોગ કરવો જોઈએ તેનાથી તમારું શરીર સ્ફુર્તિલું બની જશે.
સારી ઉંઘ માટે
આખા દીવસની ચિંતા, થાક તેમજ મનમાં ચાલતા જાત-જાતના વિચિત્ર વિચારોના કારણે લોકોને જલ્દીથી ઉંઘ નહીં આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તમે હંમેશા ઉંઘવાના સમયે પડખું ફેરવતા હોય તો તમારે સારી ઉંઘ માટે કપૂરોનો આ પ્રયોગ જરૂર અજમાવવો જોઈએ. અરોમા થેરાપીમાં કપૂરને બાદશાહ ગણવામાં આવે છે. તેની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને તમને એક શાંત સ્થિતિમાં લઈ જાય છે. આમ થવાથી તમને ઉંઘ પણ સરસ આવી જાય છે. આ પ્રયોગ માટે સુતા પહેલાં તમે તમારા ઓશિકા નીચે કપૂરની થોડી ગોળીઓ રાખી શકો છો જેથી કરીને સતત તેની ખુશ્બુ ફેલાયા કરે છે અથવા તો તમે કપૂરના તેલને પણ તમારા ઓશીકા પર ઘસી શકો છો.
વાળ પરની ઝૂ મારવા માટે
કપૂર વાળની ઝૂ દૂર કવરા માટે ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે. જે લોકોના શાળાએ જતા નાના બાળકો હોય તેમના માટે આ સમસ્યા કંઈ નવી નહીં હોય. વાળની ઝૂ દૂર કરવા માટે કપૂર નો આ સરળ ઉપાય ખુબ જ અસરકારક છે. તે માટે તમારે કપૂરની ગોળીનો ભુક્કો કરી તેને હુંફાળા કોપરેલ તેલમાં મિશ્ર કરી દેવું. હવે આ તેલનું વાળમાં હળવે હાથેથી માલિશ કરવું. તેને આખી રાત માટે રહેવા દેવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ નાખવા. તે માત્ર તમારી વાળમાં રહેલી ઝૂ ને જ નહીં મારે પણ કપૂરમાં રહેલી કેટલીક સુધીંગ પ્રોપર્ટીઝ તમને ખજવાળની સમસ્યા થી પણ રાહત આપશે.
બળવાના ડાઘ ઝાંખા કે હળવા કરે છે
જો તમે ક્યાંક બળી કે દાઝી ગયા હોય ત્યારે તમારા દાહમાંથી રાહત મળ્યા બાદ, તમે તેના પર પાણીમાં ઓગાળેલું કપૂર ડાઘ વાળી જગ્યા પર લગાવી શકો છો. આ પ્રયોગ તમારે નિયમિત કરવાનો રહેશે. કપૂરની જે નિશ્ચેત કરવાની અસર છે તેનાથી તમારી તે જગ્યાની પીડા તો દૂર થશે જ પણ તેનાથી બળ્યાનો ડાઘ પણ હળવો કે ઝાંખો બનશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે બળ્યાના તાજા ડાઘ પર તે નહીં લગાવી શકો. જો તેનો ઘા હજુ તાજો હશે અને તમે તેના પર કપૂર લગાવશો તો તમને ભારોભાર પછતાવો થશે.
પગની એડી કોમળ બનાવવા માટે
જો તમારી પગની એડી શુષ્ક હોય અને તેમાં વાઢિયા પડી ગયા હોય તો તેને કોમળ બનાવવા માટે તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. હુંફાળા પાણીમાં થોડુ કપૂર મિશ્ર કરો અને તે પાણીમાં તમારા પગને ૧૫ મીનીટ સુધી પલાળી રાખો. જ્યારે પગના તળિયાની ત્વચા સુંવાળી બની જાય ત્યારે તેના પર પ્યુમિક સ્ટોન ઘસો જેથી કરીને તેના પર રહેલી નીર્જીવ ત્વચા દૂર થઈ જાય છે. આ પ્રયોગને નિયમિત કરવાથી તમારી એડી સુંદર, સુવાળી અને કોમળ બની જશે.
તમારા કપડાને ફ્રેશ રાખવા – કપડા માંથી જીવાતને દૂર રાખવા
જો તમે તમારા કપડાની જીવાતથી કંટાળી ગયા હોય તો તમારા માટે કપૂર એક ઉત્તમ ઉપાય છે. સામાન્ય રીતે આપણે આપણા કબાટમાં તે જીવાતને દૂર રાખવા માટે નેપ્થેલીન ની ગોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેની ગંધ એટલી સારી હોતી નથી. પણ તેની જગ્યાએ તમારે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. કપૂર પણ તે જંતુનાશક ગોટીઓ જેવું જ અસરકારક છે. પણ તેનો બીજો એક ફાયદો તેની ખુશ્બુ છે. જે તમારા કપડાંને સુગંધિત બનાવી દેશે.
કપૂર એક મીણ જેવી જ ઉપ-પેદાશ છે. જેને કપૂરના ઝાડની છાલ માંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ હિન્દુ પુજા તેમજ અન્ય ઘણી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત પણ તેના કેટલાક એવા સ્વાસ્થ્યવર્ધક ઉપયોગો પણ છે કે જે વિષે કદાચ તમે નહીં જાણતા હોય. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કપૂરના અનેક ઉપયોગો જણાવવામાં આવ્યા છે. માટે જ કેટલાક આયુર્વેદના વૈદો ખાસ રીતે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. જો તમારી પાસે પણ કપૂર વિષે કંઈ ખાસ માહિતી ન હોય તો આજે તેના ઉપયોગની માહિતી આપણે આ લેખમાં જોઈએ.
જંતુ ઓ દૂર કરવા માટે જેમ કે તમારા ઘરને મચ્છર રહિત રાખવા માટે
આજકાલ બજારમાં મચ્છર તેમજ અન્ય જીવજંતુઓ મારવાની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. જેમાં હાનિકારક રસાયણો નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે જંતુઓને તો તમારા ઘરમાંથી દૂર રાખે છે પણ માનવ શરીર માટે પણ હાનિકારક હોય છે. બીજી બાજુ કપૂર એક સંપૂર્ણ કુદરતી વસ્તુ છે, જે ખુબ જ સુરક્ષિત રીતે મચ્છરોને ઘરમાથી દૂર રાખે છે. તમારા ઘરને મચ્છર રહીત રાખવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓ સળગાવવાની છે. અને તે વખતે તમારે તમારા ઘરની બધા જ બારી-બારણાઓ બંધ રાખવાના છે. તે માત્ર તમારા ઘરને સુંદર ખુશ્બુ થી જ નહીં ભરે પણ તેનાથી તમને શાંત ઉંઘ પણ આવશે કારણ કે ત્યારે તમને મચ્છર પણ હેરાન નહીં કરે.
તમારા વાયુમાર્ગ ને ખુલ્લો કરે છે એટલે કે તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે
તમારા નાકમાંથી પાણી વહેવા કરતાં વધારે સમસ્યા તમને નાક બંધ હોય ત્યારે થતી હોય છે. જ્યારે તમને શરદી થઈ હોય અને તમે નિરાતે શ્વાસ લઈ શકતા ન હોય ત્યારે, કપૂર તમને આ સમસ્યા માટે મદદ કરી શકે છે. આ માટે તમારે એક કટોરો પાણી ગરમ કરવાનું છે અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાખવાની છે. ત્યાર બાદ તેની વરાળ લેવાની છે. જો તમે આ વરાળ લેતા સમયે તમારું માથુ ટુવાલ અથવા તો કોઈ મોટા કપડાંથી ઢાંકી લેશો તો તે તમને વધારે મદદરૂપ થશે.
પગના તળિયા દુઃખાવો થતો હોય ત્યારે
જો તમને તમારા પગની પેનીઓ દુખે તો તે માટે તમારે ઠંડા પાણીનો શેક કરવાની જગ્યાએ પગની પેની પર કપૂરનું માલિશ કરવાથી તમારી જે સેન્સરી નર્વસ હોય છે તે બહેરી થઈ જશે અને તેના કારણે તમને પગના દુખાવાનો અહેસાસ થશે નહીં. તેનાથી તમારા પગના સોજા પણ ઉતરે છે કારણ કે તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવર પણ રહેલો છે. આમ છતાં, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. કપૂરને ગળવાથી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે અને તેની આડ અસરો પણ ભયંકર હોય છે અને તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
ફુગ દૂર કરવા માટે
આપણા પગના નખમાં હંમેશા ફુગ લાગતી જોવા મળતી હોય છે. તેમાં થતાં પરસેવા તેમજ પાણીના સંપર્કમાં રહેવાને કારણે તેને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહેલી હોય છે. જે લોકોને ઓનીકોમાઇકોસિસ ની સમસ્યા હોય તેમના પગની આંગળીના નખ ધીમે ધીમે કાળા પડી જતા હોય છે અને સાથે સાથે નબળા પણ પડી જતા હોય છે. આ ફુગના ચેપને દૂર કરવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓને પાણીમાં પલાળવાની છે અને તે પાણીમાં તમારા પગ રાખી મુકવા. આ પ્રયોગનું સતત પુનરાવર્તન કરતા રહેવું આમ કરવાથી તમને તમારા પગની આંગળીઓ પહેલા જેવી જ સ્વસ્થ થઈ જશે.
**શરીરના સાંધાના દુઃખાવા દૂર કરવા માટે*(
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હુંફાળા કોપરેલ તેલમાં કપૂર મિશ્ર કરી તેનું મસાજ કરવાથી આપણા શરીરના સાંધાના દુઃખાવામાં ખુબ રાહત થાય છે. ગંભીર રોગો જેમ કે સંધીવા, ગઠિયા વગેરે સાંધાના દુખાવાની સમસ્યામાં તમને તમારું આખું શરીર દુખતું હોય છે. આવા સંજોગોમાં તમે તમારા શરીર પાસે નાની સરખી પણ હલચલ પણ કરાવી શકતા નથી. કપૂરના આ મસાજથી તમારા શરીરને નવજીવન મળી રહેશે અને સોજાના કારણે થતાં દુઃખાવામાં પણ રાહત મળી શકે છે. ન્હાવા જતા પહેલા આ પ્રયોગ કરવો જોઈએ તેનાથી તમારું શરીર સ્ફુર્તિલું બની જશે.
સારી ઉંઘ માટે
આખા દીવસની ચિંતા, થાક તેમજ મનમાં ચાલતા જાત-જાતના વિચિત્ર વિચારોના કારણે લોકોને જલ્દીથી ઉંઘ નહીં આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તમે હંમેશા ઉંઘવાના સમયે પડખું ફેરવતા હોય તો તમારે સારી ઉંઘ માટે કપૂરોનો આ પ્રયોગ જરૂર અજમાવવો જોઈએ. અરોમા થેરાપીમાં કપૂરને બાદશાહ ગણવામાં આવે છે. તેની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને તમને એક શાંત સ્થિતિમાં લઈ જાય છે. આમ થવાથી તમને ઉંઘ પણ સરસ આવી જાય છે. આ પ્રયોગ માટે સુતા પહેલાં તમે તમારા ઓશિકા નીચે કપૂરની થોડી ગોળીઓ રાખી શકો છો જેથી કરીને સતત તેની ખુશ્બુ ફેલાયા કરે છે અથવા તો તમે કપૂરના તેલને પણ તમારા ઓશીકા પર ઘસી શકો છો.
વાળ પરની ઝૂ મારવા માટે
કપૂર વાળની ઝૂ દૂર કવરા માટે ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે. જે લોકોના શાળાએ જતા નાના બાળકો હોય તેમના માટે આ સમસ્યા કંઈ નવી નહીં હોય. વાળની ઝૂ દૂર કરવા માટે કપૂર નો આ સરળ ઉપાય ખુબ જ અસરકારક છે. તે માટે તમારે કપૂરની ગોળીનો ભુક્કો કરી તેને હુંફાળા કોપરેલ તેલમાં મિશ્ર કરી દેવું. હવે આ તેલનું વાળમાં હળવે હાથેથી માલિશ કરવું. તેને આખી રાત માટે રહેવા દેવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ નાખવા. તે માત્ર તમારી વાળમાં રહેલી ઝૂ ને જ નહીં મારે પણ કપૂરમાં રહેલી કેટલીક સુધીંગ પ્રોપર્ટીઝ તમને ખજવાળની સમસ્યા થી પણ રાહત આપશે.
બળવાના ડાઘ ઝાંખા કે હળવા કરે છે
જો તમે ક્યાંક બળી કે દાઝી ગયા હોય ત્યારે તમારા દાહમાંથી રાહત મળ્યા બાદ, તમે તેના પર પાણીમાં ઓગાળેલું કપૂર ડાઘ વાળી જગ્યા પર લગાવી શકો છો. આ પ્રયોગ તમારે નિયમિત કરવાનો રહેશે. કપૂરની જે નિશ્ચેત કરવાની અસર છે તેનાથી તમારી તે જગ્યાની પીડા તો દૂર થશે જ પણ તેનાથી બળ્યાનો ડાઘ પણ હળવો કે ઝાંખો બનશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે બળ્યાના તાજા ડાઘ પર તે નહીં લગાવી શકો. જો તેનો ઘા હજુ તાજો હશે અને તમે તેના પર કપૂર લગાવશો તો તમને ભારોભાર પછતાવો થશે.
પગની એડી કોમળ બનાવવા માટે
જો તમારી પગની એડી શુષ્ક હોય અને તેમાં વાઢિયા પડી ગયા હોય તો તેને કોમળ બનાવવા માટે તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. હુંફાળા પાણીમાં થોડુ કપૂર મિશ્ર કરો અને તે પાણીમાં તમારા પગને ૧૫ મીનીટ સુધી પલાળી રાખો. જ્યારે પગના તળિયાની ત્વચા સુંવાળી બની જાય ત્યારે તેના પર પ્યુમિક સ્ટોન ઘસો જેથી કરીને તેના પર રહેલી નીર્જીવ ત્વચા દૂર થઈ જાય છે. આ પ્રયોગને નિયમિત કરવાથી તમારી એડી સુંદર, સુવાળી અને કોમળ બની જશે.
તમારા કપડાને ફ્રેશ રાખવા – કપડા માંથી જીવાતને દૂર રાખવા
જો તમે તમારા કપડાની જીવાતથી કંટાળી ગયા હોય તો તમારા માટે કપૂર એક ઉત્તમ ઉપાય છે. સામાન્ય રીતે આપણે આપણા કબાટમાં તે જીવાતને દૂર રાખવા માટે નેપ્થેલીન ની ગોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેની ગંધ એટલી સારી હોતી નથી. પણ તેની જગ્યાએ તમારે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. કપૂર પણ તે જંતુનાશક ગોટીઓ જેવું જ અસરકારક છે. પણ તેનો બીજો એક ફાયદો તેની ખુશ્બુ છે. જે તમારા કપડાંને સુગંધિત બનાવી દેશે.