આર્થર શોપેનહાવર જર્મનીના એક મહાન દાર્શનિક હતાં. આજે પણ દુનિયાનાં મહાન દાર્શનિકોમાં એમનું સ્થાન છે. ભારતીય ઉપનિષદોના ચાહક હતાં. એમનાં અભ્યાસના ટેબલ પર સદા ઉપનિષદનું પુસ્તક રહેતું. દરરોજ રાત્રે સૂતાં પહેલાં તેઓ ઉપનિષદ આવશ્ય વાંચતાં. તેઓ જાહેરમાં એમ કહેતાં કે,"મને ઉપનિષદોથી શાંતિ મળી છે. આનાથી જ મને મૃત્યુ સમયે શાંતિ મળશે."
આ આર્થર શોપેનહાવરના જીવનનો એક સત્ય પ્રસંગ છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે જમવા નિયમિત જતાં. ત્યાં જઈને ઓર્ડર આપતાં પહેલાં પોતાનાં કોટના ખિસ્સામાંથી એક ગોલ્ડ કોઈન કાઢતાં. તેને ટેબલ પર મૂકતાં. પછી ઓર્ડર આપતાં. જમી લીધાં બાદ પેલો સિક્કો પાછો કોટનાં ખિસ્સામાં મૂકીને જતાં રહેતાં. વેઈટરોને હંમેશા એ સિક્કો ટીપમાં મળશે એની લાલચ રહેતી. એવું ક્યારેય થયું નહી. શોપેનહાવર વેઈટરોને ટીપ આપતાં પણ પેલો ગોલ્ડ કોઈન તો નહી. આ ક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો.
એક દિવસ એક વેઈટરે હિંમત કરી આર્થર શોપેનહાવરને કહ્યું, "સર, આપ દરરોજ આ ગોલ્ડ કોઈન કાઢીને ટેબલ પર મૂકો છો પણ કોઈને આપતાં કેમ નથી ?" શોપેનહાવરે નિરાશાના સ્વરે કહ્યું, "ભાઈ, આ સિક્કો હું આપવા માટે જ દરરોજ બહાર કાઢું છું. બસ મારી એક નાની શરત મેં નક્કી કરી છે. એ શરત કોઈ પૂરી કરે એને હું આ સિક્કો આપવાનો હતો. પણ આજદિન સુધી એ શરત કોઈએ પૂરી ન કરી." વેઈટરને રસ પડ્યો. "સર, એ શરત કઈ એ હું જાણી શકું છું ? જરૂર એ શરત કઠિન હશે ?" શોપેનહાવરે કહ્યું, "ના, શરત સાવ સરળ હતી. મેં એવી શરત નક્કી કરી હતી કે હું જ્યારે આ રેસ્ટોરન્ટમાં આવું અને અહીનાં કોઈ ટેબલ પર માત્ર ભગવાનની સારી વાતો થતી હોય એ ટેબલવાળાને હું આ સોનાનો સિક્કો આપીશ.અફસોસ એવો કોઈ વ્યક્તિ આજદિન સુધી આ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો નથી." નિરાશ થઈને કહેવું પડે છે કે આર્થર શોપેનહાવર આજે જીવિત હોત તો પણ પેલો ગોલ્ડ કોઈન હજુ સુધી એમનાં કોટનાં ખિસ્સામાં જ હોત !!!
ક્યારેય આપણી વાતોના વિષય પર ધ્યાન આપ્યું છે ? ભગવાન સૌથી ગૌણ વિષય છે. કદાચ તેમના વિષે વાત થાય તોય એ નકારાત્મક જ હોય. સત્ય એ છે કે આપણે મંદિરની નજીક ગયાં પણ ભગવાનથી દૂર થતાં ગયાં. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને ધાર્મિક સંસ્થાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની ગયો છે. આગથી દૂર જવાના નિર્ણયથી આગની ગરમીમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે ઠંડા પડી જઈએ છીએ. અજવાળાથી દૂર જવાનાં નિર્ણયથી અજવાળાની ચમક સહેજ પણ ઓછી થતી નથી. હા, આપણે જરૂર અંધકારમાં ડૂબી જઈએ છીએ. આ જ વાત ઈશ્વરને પણ લાગુ પડે છે.
આપણી સમજણ અને જ્ઞાન કેટલાં અવિકસિત છે એની ખબર છે ? ચાલો, એક વાતનો જવાબ આપો. આપણાં શરીરમાં કેટલાં અંગો ડબલ (બે-બે) છે ? સમય મર્યાદા પાંચ મિનિટ. તમે તમારા શરીર સાથે વર્ષોથી જીવી રહ્યાં છો એટલે આમ તો પાંચ મિનિટનો સમય પણ ન અપાય. છતાં દયાભાવ રાખી તમને એટલો સમય આપ્યો. હવે ગણવા માંડો. હવે ઓથોરાઈઝ જવાબ સાથે સરખાવો- આંખ, ભ્રમરો, ગાલ, નાકનાં ફોયણા, હોઠ, ખભા, હાથ, બગલો, કોણી, હાથનાં અંગૂઠા, હથેળી, કાંડાં, પગ, ઢીંચણ, એડી, પગના અંગૂઠા, કૂલા, ફેફસા, કિડની, આંતરડાં વગેરે વગેરે.....જેને પોતાનાં શરીર વિષે ખ્યાલ નથી એને ઈશ્વરના વિષે પ્રશ્ન કરવાનો હક પણ નથી.
ઈશ્વરને ભૂલ્યા એટલે આજે એવી સ્થતિ આવી કે કૂતરાઓના સારા દિવસો આવ્યાં અને માણસોનાં ખરાબ દિવસો આવ્યાં..... કોરોના આપણી માનસિકતા બદલવા આવ્યો છે. ઈશ્વરની વાતો કરવાના બદલે ઈશ્વરના કામ કરીએ. ઘણાં કહે છે હું અગિયારસ રહ્યો છું, કોઈ કહે છે કે હું ગુરૂવાર રહ્યો છું, કોઈ વળી કહે છે હું શનિવાર રહયો છું. એ સાંભળવા કાન તલસી રહ્યાં છે કે કોક કહે હું હખણો રહ્યો છુ. આ બધુ હખણાં ન રહયાનું પરિણામ છે.
કેવા ભયંકર માહોલમાં જીવી રહ્યાં છીએ. રાતે સૂઈ જઈએ અને સવારે જીવતા ઊઠીએ છીએ ને એનો આભાર માનો. દરરોજ બર્થ ડે ઉજવવો પડે એવી દુ:ખદાયક ખુશી પહેલીવાર જોઈ છે. કુદરતે માણસ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય એવી સિચ્યુએશન ઊભી થઈ છે. બાટાનાં શોરૂમમાં જઈને કહો, બૂટ છે ? શો રૂમનો માલિક કહેશે, "ના". ચંપલ છે ? ના. સેન્ડલ છે ? ના. સ્લીપર છે ? ના. લૂફર છે ? ના. આપણે એને શું કહીશું ? ભાઈ, જો આ કશું જ તારાં શો રૂમમાં ન હોય તો દુકાન બંધ કરી દે. હવે તમારો અને મારો વારો. દયા છે ? ભાઈચારો છે ? માનવતા છે ? પ્રેમ છે ? વિનય છે ? વિવેક છે ? ભલમનસાઈ છે ? જવાબ ના છે તો બાટાવાળાને જે જવાબ આપ્યો હતો તે આપણે સ્વીકારી લઈએ.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને ખ્યાતનામ લેખક ખુશવંતસિંહ ભગવાનમાં માનતા ન હતાં. આપણે તેમનું આંધળું અનુકરણ કરીએ છીએ. એમનાં તર્ક અને નોલેજની હાઈટ ઘણી હતી. એટલી ઊંચાઈ આપણી નથી. કોઈનો વિરોધ કરવા આપણાં પોતાનાં મૌલિક તર્ક હોવાં જોઈએ તો વિરોધ સાર્થક ગણાય.
કાળરાત્રીમાં તારાઓ વધુ ચમકે છે. આપણી કાળરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણી એક માન્યતા એવી છે કે પ્રભુ કોઈપણ રૂપ ધારણ કરી શકે છે. હાલ પ્રભુ ક્યાં રૂપે સમાજમાં વિચરી રહ્યો છે તે સમજાવવું જરૂરી નથી. બીજાને મદદરૂપ બનજો. કોઈની મુશ્કેલીમાં આનંદ ન અનુભવજો. ક્યાક ઈશ્વર તમને એ મુશ્કેલી ભેટ રૂપે ન આપી દે. કેમકે ભગવાન એ જ આપે છે જેમાં તમને આનંદ મળતો હોય !!!
જે.કે.સાંઈ
આ આર્થર શોપેનહાવરના જીવનનો એક સત્ય પ્રસંગ છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે જમવા નિયમિત જતાં. ત્યાં જઈને ઓર્ડર આપતાં પહેલાં પોતાનાં કોટના ખિસ્સામાંથી એક ગોલ્ડ કોઈન કાઢતાં. તેને ટેબલ પર મૂકતાં. પછી ઓર્ડર આપતાં. જમી લીધાં બાદ પેલો સિક્કો પાછો કોટનાં ખિસ્સામાં મૂકીને જતાં રહેતાં. વેઈટરોને હંમેશા એ સિક્કો ટીપમાં મળશે એની લાલચ રહેતી. એવું ક્યારેય થયું નહી. શોપેનહાવર વેઈટરોને ટીપ આપતાં પણ પેલો ગોલ્ડ કોઈન તો નહી. આ ક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો.
એક દિવસ એક વેઈટરે હિંમત કરી આર્થર શોપેનહાવરને કહ્યું, "સર, આપ દરરોજ આ ગોલ્ડ કોઈન કાઢીને ટેબલ પર મૂકો છો પણ કોઈને આપતાં કેમ નથી ?" શોપેનહાવરે નિરાશાના સ્વરે કહ્યું, "ભાઈ, આ સિક્કો હું આપવા માટે જ દરરોજ બહાર કાઢું છું. બસ મારી એક નાની શરત મેં નક્કી કરી છે. એ શરત કોઈ પૂરી કરે એને હું આ સિક્કો આપવાનો હતો. પણ આજદિન સુધી એ શરત કોઈએ પૂરી ન કરી." વેઈટરને રસ પડ્યો. "સર, એ શરત કઈ એ હું જાણી શકું છું ? જરૂર એ શરત કઠિન હશે ?" શોપેનહાવરે કહ્યું, "ના, શરત સાવ સરળ હતી. મેં એવી શરત નક્કી કરી હતી કે હું જ્યારે આ રેસ્ટોરન્ટમાં આવું અને અહીનાં કોઈ ટેબલ પર માત્ર ભગવાનની સારી વાતો થતી હોય એ ટેબલવાળાને હું આ સોનાનો સિક્કો આપીશ.અફસોસ એવો કોઈ વ્યક્તિ આજદિન સુધી આ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો નથી." નિરાશ થઈને કહેવું પડે છે કે આર્થર શોપેનહાવર આજે જીવિત હોત તો પણ પેલો ગોલ્ડ કોઈન હજુ સુધી એમનાં કોટનાં ખિસ્સામાં જ હોત !!!
ક્યારેય આપણી વાતોના વિષય પર ધ્યાન આપ્યું છે ? ભગવાન સૌથી ગૌણ વિષય છે. કદાચ તેમના વિષે વાત થાય તોય એ નકારાત્મક જ હોય. સત્ય એ છે કે આપણે મંદિરની નજીક ગયાં પણ ભગવાનથી દૂર થતાં ગયાં. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને ધાર્મિક સંસ્થાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની ગયો છે. આગથી દૂર જવાના નિર્ણયથી આગની ગરમીમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે ઠંડા પડી જઈએ છીએ. અજવાળાથી દૂર જવાનાં નિર્ણયથી અજવાળાની ચમક સહેજ પણ ઓછી થતી નથી. હા, આપણે જરૂર અંધકારમાં ડૂબી જઈએ છીએ. આ જ વાત ઈશ્વરને પણ લાગુ પડે છે.
આપણી સમજણ અને જ્ઞાન કેટલાં અવિકસિત છે એની ખબર છે ? ચાલો, એક વાતનો જવાબ આપો. આપણાં શરીરમાં કેટલાં અંગો ડબલ (બે-બે) છે ? સમય મર્યાદા પાંચ મિનિટ. તમે તમારા શરીર સાથે વર્ષોથી જીવી રહ્યાં છો એટલે આમ તો પાંચ મિનિટનો સમય પણ ન અપાય. છતાં દયાભાવ રાખી તમને એટલો સમય આપ્યો. હવે ગણવા માંડો. હવે ઓથોરાઈઝ જવાબ સાથે સરખાવો- આંખ, ભ્રમરો, ગાલ, નાકનાં ફોયણા, હોઠ, ખભા, હાથ, બગલો, કોણી, હાથનાં અંગૂઠા, હથેળી, કાંડાં, પગ, ઢીંચણ, એડી, પગના અંગૂઠા, કૂલા, ફેફસા, કિડની, આંતરડાં વગેરે વગેરે.....જેને પોતાનાં શરીર વિષે ખ્યાલ નથી એને ઈશ્વરના વિષે પ્રશ્ન કરવાનો હક પણ નથી.
ઈશ્વરને ભૂલ્યા એટલે આજે એવી સ્થતિ આવી કે કૂતરાઓના સારા દિવસો આવ્યાં અને માણસોનાં ખરાબ દિવસો આવ્યાં..... કોરોના આપણી માનસિકતા બદલવા આવ્યો છે. ઈશ્વરની વાતો કરવાના બદલે ઈશ્વરના કામ કરીએ. ઘણાં કહે છે હું અગિયારસ રહ્યો છું, કોઈ કહે છે કે હું ગુરૂવાર રહ્યો છું, કોઈ વળી કહે છે હું શનિવાર રહયો છું. એ સાંભળવા કાન તલસી રહ્યાં છે કે કોક કહે હું હખણો રહ્યો છુ. આ બધુ હખણાં ન રહયાનું પરિણામ છે.
કેવા ભયંકર માહોલમાં જીવી રહ્યાં છીએ. રાતે સૂઈ જઈએ અને સવારે જીવતા ઊઠીએ છીએ ને એનો આભાર માનો. દરરોજ બર્થ ડે ઉજવવો પડે એવી દુ:ખદાયક ખુશી પહેલીવાર જોઈ છે. કુદરતે માણસ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય એવી સિચ્યુએશન ઊભી થઈ છે. બાટાનાં શોરૂમમાં જઈને કહો, બૂટ છે ? શો રૂમનો માલિક કહેશે, "ના". ચંપલ છે ? ના. સેન્ડલ છે ? ના. સ્લીપર છે ? ના. લૂફર છે ? ના. આપણે એને શું કહીશું ? ભાઈ, જો આ કશું જ તારાં શો રૂમમાં ન હોય તો દુકાન બંધ કરી દે. હવે તમારો અને મારો વારો. દયા છે ? ભાઈચારો છે ? માનવતા છે ? પ્રેમ છે ? વિનય છે ? વિવેક છે ? ભલમનસાઈ છે ? જવાબ ના છે તો બાટાવાળાને જે જવાબ આપ્યો હતો તે આપણે સ્વીકારી લઈએ.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને ખ્યાતનામ લેખક ખુશવંતસિંહ ભગવાનમાં માનતા ન હતાં. આપણે તેમનું આંધળું અનુકરણ કરીએ છીએ. એમનાં તર્ક અને નોલેજની હાઈટ ઘણી હતી. એટલી ઊંચાઈ આપણી નથી. કોઈનો વિરોધ કરવા આપણાં પોતાનાં મૌલિક તર્ક હોવાં જોઈએ તો વિરોધ સાર્થક ગણાય.
કાળરાત્રીમાં તારાઓ વધુ ચમકે છે. આપણી કાળરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણી એક માન્યતા એવી છે કે પ્રભુ કોઈપણ રૂપ ધારણ કરી શકે છે. હાલ પ્રભુ ક્યાં રૂપે સમાજમાં વિચરી રહ્યો છે તે સમજાવવું જરૂરી નથી. બીજાને મદદરૂપ બનજો. કોઈની મુશ્કેલીમાં આનંદ ન અનુભવજો. ક્યાક ઈશ્વર તમને એ મુશ્કેલી ભેટ રૂપે ન આપી દે. કેમકે ભગવાન એ જ આપે છે જેમાં તમને આનંદ મળતો હોય !!!
જે.કે.સાંઈ