સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાના આશ્રમની આ વાત છે. તે શિષ્યોને પ્રશ્નો પૂછી તેની પર ચિંતન-મનન કરાવતાં. સીધો ઉપદેશ ન આપતાં. તેમનાં સવાલો સાંભળવામાં અને જવાબ આપવામાં સાવ સરળ લાગતાં હતાં. એક દિવસ ગુરૂજીએ પૂછ્યું ,"વત્સ ! સવાર પડી ક્યારે ગણાય ?" કેટલો ઈઝી પ્રશ્ન છે ને. આમ તો સંસારમાં જે કામ સરળ છે, તે જ સૌથી અઘરાં છે. સવારે ઊઠવું સરળ છે પણ ઉઠી શકાય છે ? સાચું બોલવું કેટલું સરળ છે પણ બોલી શકાય છે ? દરરોજ વીસેક મિનિટ કસરત કરવી જોઈએ. કેટલું સરળ છે. પણ થઈ શકે છે. ડેઈલી પાંચ માણસોની પ્રસંશા કરવી. આમાં જીભને તકલીફ પડવાની છે ? એક પૈસાનો ખર્ચ થવાનો છે ? છતાં થઈ શકે છે ??? પ્રભુ ઈસુએ કહ્યું કે પોતાના પાડોશીને પ્રેમ કરો. જો પાડોશીને પ્રેમ કરવો સરળ હોત તો પ્રભુ આવો ઉપદેશ આપે ખરાં ? જે સરળ લાગે છે એ જ સૌથી કઠિન છે.
શિષ્ય નંબર એક- "બાપજી, કૂકડો બોલે એટલે સવાર પડી ગણાય."
શિષ્ય નંબર બે- "મહારાજ, થોડું થોડું મોંસૂઝણું થાય એટલે સવાર પડી કહી શકાય."
શિષ્ય નંબર ત્રણ - "દૂર ક્ષિતિજમાં સૂર્ય ડોકિયું કરે એટલે સવાર થઈ કહેવાય."
શિષ્ય નંબર ચાર - "દૂરથી માનવ આકૃતિ દેખી શકાય ત્યારે સવાર પડી કહેવાય."
શિષ્ય નંબર પાંચ - "હે વંદનીય, દૂરથી માનવ અને પશુ ઓળખાઈ જાય એટલું અજવાળું થાય એટલે સવાર."
શિષ્ય નંબર છ - "બાપજી, થોડેક દૂરથી માણસ દેખાય અને આપણે તેમાં સ્ત્રી છે કે પુરૂષ તેનો ભેદ કરી શકીએ એટલે સવાર પડ્યું કહેવાય."
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ પોતાની શ્વેત દાઢી પસવારતાં કહ્યું, "મૂરખો ! તમે તો ભૂગોળ અને વિજ્ઞાન શિખ્યા પરંતુ માનવતા ન શિખ્યા ?? જ્યારે સામે આવનાર દરેક સ્ત્રી મારી માતા છે, બહેન છે, પુત્રી છે અને સામે આવનાર દરેક પુરૂષ મારો ભાઈ છે, પિતા છે કે પુત્ર છે એમ સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. કોઈનું અણહકનું મારાથી ન લેવાય એ વાત સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. પોતાનાં પાપોનો પસ્તાવો થાય અને ફરીથી આવું પાપ નહી કરું એમ દિલમાં થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. નાત-જાત, ધર્મ-રંગ જોયા વિના હું દરેકનું ભલું કરવા પ્રયત્ન કરીશ એવી ભાવના ઊગે ત્યારે સવાર પડ્યું કહેવાય. મને ભગવાને જે કાર્ય કે વ્યવસાય સોંપ્યો છે તેમાં કદાપિ કામચોરી નહી કરું એમ થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. બાકી તો ઘૂવડને સૂર્ય ઊગે તો ય ક્યાં સવાર પડે છે ?"
એક શ્રેષ્ઠ માતા પોતે ઊંધું ચાલીને પણ પોતાના બાળકને સીધું ચાલતાં શીખવે છે અને આપણાં સમાજની અનેક હસ્તીઓ પોતે ઊંધું ચાલીને બીજાને અવળું ચાલતાં જ શીખવે છે. આનું બેમિસાલ ઉદાહરણ ચીન ખાતે નોંધાયેલું છે. ઈ.સ. 1959-1961 દરમ્યાન ચીનના માઓ ઝેદોંગનું શાસન હતું. તેણે ચીનાઓને ત્રણ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યુ. (1) ખેતરના પાકને નુકશાન કરનારાં માખી-ઉંદર-મચ્છર અને ચકલીઓનો નાશ કરો. (2) જમીનમાં ખૂબ ઊંડી ખેડ કરો. (3) ખેતરમાં રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન કરો.
નતીજા ??? માખી-ઉંદર-મચ્છર તો સમજાય. ચકલીઓના નાશથી ખેતરનાં જીવડા-જીવાત ખાનાર કોઈ રહ્યું નહી. તમામ મોલ નાશ પામ્યો. અત્યંત ઊંડી ખેડ કરવાથી જમીનનની નીચે રહેલ રેતી ઉપર આવી ગઈ. ઉત્પાદન ઘટ્યું. રાસાયણિક ખાતર બંધ કર્યું ઉત્પાદન ઓછું થયું. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન માનવસર્જિત દુષ્કાળનું ભોગ બન્યું. ટોટલ મૃત્યુઆંક- 4.5 કરોડ. તે પૈકી ત્રીસ લાખ લોકોએ તો આત્મહત્યા કરી પ્રાણ ત્યાગ્યા હતા. ક્યારેક તમારી ધ્યાને એક વૈજ્ઞાનિક સંશોધન આવ્યું હશે. ધારી લો કે આજે તા. 30/03/2020 ના રોજ વિશ્વની તમામ મધમાખીઓએ નાશ પામે છે. તો તા. 30/03/2024 સુધીમાં માનવજાત ભૂતકાળ બની જશે !!! મધમાખીના વિનાશના ચાર વર્ષમાં જ "નાશ પામેલ પ્રજાતિ" માં આપણો સમાવેશ થઈ જશે.
લોકડાઉનના સમયમાં આપણી એક ભૂલથી આવનાર સમયમાં લગ્ન પ્રસંગ કરતાં શ્રધ્ધાંજલિના પ્રસંગો વધુ એટેન્ડ કરવા પડશે ! સ્મશાન અને કબ્રસ્તાનમાં "હાઉસફુલ"નો નજારો જોવા મળશે ! તલાટીઓના ચોપડાઓમાં પ્રથમવાર જન્મદર કરતાં મૃત્યુદર વધી જશે ! સમયનો તકાદો છે કે પોત પોતાને ગમે એવું ન કરો, એકબીજાને ગમે એવું કરો. શક્તિ પ્રદર્શન બંધ કરો. સહનશક્તિ પ્રદર્શન ચાલુ કરો. અત્યારે આપણી પરીક્ષા છે. આ પરીક્ષાનું ફોર્મ જાતે ભરવાનું છે. અભ્યાસક્રમ જાતે સિલેક્ટ કરવાનો છે. જાતે ભણવાનું છે. પેપર પોતે જ કાઢવાનું છે. પેપર જાતે તપાસવાનું છે. માર્ક્સ જાતે આપવાના છે. લોકડાઉન પૂરું થાય પછી નક્કી કરજો કે પાસ કે નાપાસ ???
ખેતરની વાડ નબળી હોય તો પાકનું ઉત્પાદન ઘટે છે એવું અમારા ગામનાં ખેડૂતો કહે છે ! એક સમયે રોમન સામ્રાજ્ય પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. છતાં તેનો નાશ થયો. તમે એકવાર પહેલવાન બની જાઓ પછી કસરત ન કરો, પૌષ્ટિક આહાર ન લો, વ્યસનો કરો તો શું થાય ? બસ, આજ રોમન સામ્રાજ્યનું થયું. અત્યારે ઘરમાં ભરાઈ રહેવું એ કાયરતા નથી. સમય જોઈને કામ કરવું. સમય ખરાબ ચાલતો હોય ત્યારે તનિષ્કના માલિકે પણ બગસરાના દાગીના પહેરીને ફરવું પડે !!! દુશ્મન મોટી સંખ્યામાં હોય, આપણાથી બળવાન હોય ત્યારે ગેરીલા (છૂપાઈને) યુધ્ધ કરવું જ ડહાપણ ભરેલું છે એવું છત્રપતિ શિવાજીએ કહેલું છે.
એક વાત નોટ કરી હશે, ક્રિકેટની રમતમાં ખેલાડી રન આઉટ થાય ત્યારે વધારે દુ:ખી થાય છે, વધારે ગુસ્સે થાય છે !!! સમજદારકો ઈશારા કાફી હૈ ! રન આઉટ થવું છે ???
જે.કે.સાંઈ
આર્થર શોપેનહાવર જર્મનીના એક મહાન દાર્શનિક હતાં. આજે પણ દુનિયાનાં મહાન દાર્શનિકોમાં એમનું સ્થાન છે. ભારતીય ઉપનિષદોના ચાહક હતાં. એમનાં અભ્યાસના ટેબલ પર સદા ઉપનિષદનું પુસ્તક રહેતું. દરરોજ રાત્રે સૂતાં પહેલાં તેઓ ઉપનિષદ આવશ્ય વાંચતાં. તેઓ જાહેરમાં એમ કહેતાં કે,"મને ઉપનિષદોથી શાંતિ મળી છે. આનાથી જ મને મૃત્યુ સમયે શાંતિ મળશે."
આ આર્થર શોપેનહાવરના જીવનનો એક સત્ય પ્રસંગ છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે જમવા નિયમિત જતાં. ત્યાં જઈને ઓર્ડર આપતાં પહેલાં પોતાનાં કોટના ખિસ્સામાંથી એક ગોલ્ડ કોઈન કાઢતાં. તેને ટેબલ પર મૂકતાં. પછી ઓર્ડર આપતાં. જમી લીધાં બાદ પેલો સિક્કો પાછો કોટનાં ખિસ્સામાં મૂકીને જતાં રહેતાં. વેઈટરોને હંમેશા એ સિક્કો ટીપમાં મળશે એની લાલચ રહેતી. એવું ક્યારેય થયું નહી. શોપેનહાવર વેઈટરોને ટીપ આપતાં પણ પેલો ગોલ્ડ કોઈન તો નહી. આ ક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો.
એક દિવસ એક વેઈટરે હિંમત કરી આર્થર શોપેનહાવરને કહ્યું, "સર, આપ દરરોજ આ ગોલ્ડ કોઈન કાઢીને ટેબલ પર મૂકો છો પણ કોઈને આપતાં કેમ નથી ?" શોપેનહાવરે નિરાશાના સ્વરે કહ્યું, "ભાઈ, આ સિક્કો હું આપવા માટે જ દરરોજ બહાર કાઢું છું. બસ મારી એક નાની શરત મેં નક્કી કરી છે. એ શરત કોઈ પૂરી કરે એને હું આ સિક્કો આપવાનો હતો. પણ આજદિન સુધી એ શરત કોઈએ પૂરી ન કરી." વેઈટરને રસ પડ્યો. "સર, એ શરત કઈ એ હું જાણી શકું છું ? જરૂર એ શરત કઠિન હશે ?" શોપેનહાવરે કહ્યું, "ના, શરત સાવ સરળ હતી. મેં એવી શરત નક્કી કરી હતી કે હું જ્યારે આ રેસ્ટોરન્ટમાં આવું અને અહીનાં કોઈ ટેબલ પર માત્ર ભગવાનની સારી વાતો થતી હોય એ ટેબલવાળાને હું આ સોનાનો સિક્કો આપીશ.અફસોસ એવો કોઈ વ્યક્તિ આજદિન સુધી આ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો નથી." નિરાશ થઈને કહેવું પડે છે કે આર્થર શોપેનહાવર આજે જીવિત હોત તો પણ પેલો ગોલ્ડ કોઈન હજુ સુધી એમનાં કોટનાં ખિસ્સામાં જ હોત !!!
ક્યારેય આપણી વાતોના વિષય પર ધ્યાન આપ્યું છે ? ભગવાન સૌથી ગૌણ વિષય છે. કદાચ તેમના વિષે વાત થાય તોય એ નકારાત્મક જ હોય. સત્ય એ છે કે આપણે મંદિરની નજીક ગયાં પણ ભગવાનથી દૂર થતાં ગયાં. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને ધાર્મિક સંસ્થાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની ગયો છે. આગથી દૂર જવાના નિર્ણયથી આગની ગરમીમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે ઠંડા પડી જઈએ છીએ. અજવાળાથી દૂર જવાનાં નિર્ણયથી અજવાળાની ચમક સહેજ પણ ઓછી થતી નથી. હા, આપણે જરૂર અંધકારમાં ડૂબી જઈએ છીએ. આ જ વાત ઈશ્વરને પણ લાગુ પડે છે.
આપણી સમજણ અને જ્ઞાન કેટલાં અવિકસિત છે એની ખબર છે ? ચાલો, એક વાતનો જવાબ આપો. આપણાં શરીરમાં કેટલાં અંગો ડબલ (બે-બે) છે ? સમય મર્યાદા પાંચ મિનિટ. તમે તમારા શરીર સાથે વર્ષોથી જીવી રહ્યાં છો એટલે આમ તો પાંચ મિનિટનો સમય પણ ન અપાય. છતાં દયાભાવ રાખી તમને એટલો સમય આપ્યો. હવે ગણવા માંડો. હવે ઓથોરાઈઝ જવાબ સાથે સરખાવો- આંખ, ભ્રમરો, ગાલ, નાકનાં ફોયણા, હોઠ, ખભા, હાથ, બગલો, કોણી, હાથનાં અંગૂઠા, હથેળી, કાંડાં, પગ, ઢીંચણ, એડી, પગના અંગૂઠા, કૂલા, ફેફસા, કિડની, આંતરડાં વગેરે વગેરે.....જેને પોતાનાં શરીર વિષે ખ્યાલ નથી એને ઈશ્વરના વિષે પ્રશ્ન કરવાનો હક પણ નથી.
ઈશ્વરને ભૂલ્યા એટલે આજે એવી સ્થતિ આવી કે કૂતરાઓના સારા દિવસો આવ્યાં અને માણસોનાં ખરાબ દિવસો આવ્યાં..... કોરોના આપણી માનસિકતા બદલવા આવ્યો છે. ઈશ્વરની વાતો કરવાના બદલે ઈશ્વરના કામ કરીએ. ઘણાં કહે છે હું અગિયારસ રહ્યો છું, કોઈ કહે છે કે હું ગુરૂવાર રહ્યો છું, કોઈ વળી કહે છે હું શનિવાર રહયો છું. એ સાંભળવા કાન તલસી રહ્યાં છે કે કોક કહે હું હખણો રહ્યો છુ. આ બધુ હખણાં ન રહયાનું પરિણામ છે.
કેવા ભયંકર માહોલમાં જીવી રહ્યાં છીએ. રાતે સૂઈ જઈએ અને સવારે જીવતા ઊઠીએ છીએ ને એનો આભાર માનો. દરરોજ બર્થ ડે ઉજવવો પડે એવી દુ:ખદાયક ખુશી પહેલીવાર જોઈ છે. કુદરતે માણસ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય એવી સિચ્યુએશન ઊભી થઈ છે. બાટાનાં શોરૂમમાં જઈને કહો, બૂટ છે ? શો રૂમનો માલિક કહેશે, "ના". ચંપલ છે ? ના. સેન્ડલ છે ? ના. સ્લીપર છે ? ના. લૂફર છે ? ના. આપણે એને શું કહીશું ? ભાઈ, જો આ કશું જ તારાં શો રૂમમાં ન હોય તો દુકાન બંધ કરી દે. હવે તમારો અને મારો વારો. દયા છે ? ભાઈચારો છે ? માનવતા છે ? પ્રેમ છે ? વિનય છે ? વિવેક છે ? ભલમનસાઈ છે ? જવાબ ના છે તો બાટાવાળાને જે જવાબ આપ્યો હતો તે આપણે સ્વીકારી લઈએ.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને ખ્યાતનામ લેખક ખુશવંતસિંહ ભગવાનમાં માનતા ન હતાં. આપણે તેમનું આંધળું અનુકરણ કરીએ છીએ. એમનાં તર્ક અને નોલેજની હાઈટ ઘણી હતી. એટલી ઊંચાઈ આપણી નથી. કોઈનો વિરોધ કરવા આપણાં પોતાનાં મૌલિક તર્ક હોવાં જોઈએ તો વિરોધ સાર્થક ગણાય.
કાળરાત્રીમાં તારાઓ વધુ ચમકે છે. આપણી કાળરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણી એક માન્યતા એવી છે કે પ્રભુ કોઈપણ રૂપ ધારણ કરી શકે છે. હાલ પ્રભુ ક્યાં રૂપે સમાજમાં વિચરી રહ્યો છે તે સમજાવવું જરૂરી નથી. બીજાને મદદરૂપ બનજો. કોઈની મુશ્કેલીમાં આનંદ ન અનુભવજો. ક્યાક ઈશ્વર તમને એ મુશ્કેલી ભેટ રૂપે ન આપી દે. કેમકે ભગવાન એ જ આપે છે જેમાં તમને આનંદ મળતો હોય !!!
જે.કે.સાંઈ
कई दशकों पहले टीबी जानलेवा बीमारी थी । जिसको टीबी हुई उसका मरना तय था .. कोई छह महीनें में मर जाता तो कोई 12 महीनें में .. मरना तय था। 1949 में टीबी की दवाई खोजी गयी लेकिन दुनिया के हर आम आदमी तक इस दवाई को पहुँचने में लगभग तीस साल लगे । पचास , साठ और सत्तर के दशक तक भारत में भी किसी को टीबी हो जाना मतलब मृत्यु का आगमन ही था । टीबी कन्फर्म की रिपोर्ट आते ही मरीज आधा तो डर से ही मर जाता था ।
टीबी की इसी दहशत के माहौल में साठ के दशक की एक घटना है । फ्राँस के टीबी हॉस्पिटल की । हॉस्पिटल में चालीस रूम थे । वहाँ टीबी के जितने मरीज भर्ती होते थे उनमें से से तीस प्रतिशत मरीज ही ठीक होकर घर जा पाते थे बाकि सत्तर प्रतिशत मरीज उन्ही दवाईयों को खाने के बाद भी नही बच पाते थे । डाक्टरों के लिये भी ये मृत्यु का ये प्रतिशत एक चुनौती बन गया था । किसी को समझ नही आ रहा था कि वही दवाइयाँ देने पर कुछ लोग बिल्कुल ठीक हो जाते है और बाकि नही बच पाते ।
एक बार जब इसी विषय पर एक गंभीर मीटिंग हुई तब एक नर्स ने बोला ... क्या आप सबने एक बात नोट की है ? पीछे की तरफ जो बारह कमरे बने है उन कमरों में आजतक कोई मौत नही हुई ..वहाँ जितने भी मरीज आये सभी ठीक होकर घर गये !
नर्स की बात से सारा मैनेजमेंट सहमत था .. आखिर ऐसा क्यूँ होता है ये जानने के लिये एक मनोचिकित्सक को बुलाया गया । पूरे हॉस्पिटल का अच्छे से मुआयना करके मनोचिकित्सक ने बताया ... ' टीबी की बीमारी छूत की बीमारी है इसलिये आप मरीज को रूम में अकेला ही रखते है । दिन में एक बार डाक्टर और तीन-चार बार नर्स जाती है बाकि पूरे समय मरीज अकेला रहता है । टीबी से कमजोर हो चुका मरीज पूरे दिन अपने बिस्तर पर पड़ा खिड़की से बाहर देखता रहता है । आगे की तरफ जो 28 कमरे बने है उनकी खिड़की से बाहर देखने पर खाली मैदान , दो चार बिल्डिंग और दूर तक आसमान नजर आता है .. मौत की आहट से डरे हुए मरीज को खिड़की के बाहर का ये सूनापन और डिप्रेस कर देता है जिससे उसकी खुद को जिंदा रखने की विल पावर खत्म हो जाती है..फिर उसपर दवाइयाँ भी काम नही करती और उसकी मौत हो जाती है ...
...जबकि पीछे की तरफ जो 12 कमरे बने है उनके बाहर की और बड़ा बगीचा बना हुआ है .. जहाँ सैकड़ो पेड़ और फूलों के पौधें लगे हुए है । पेड़ो की पत्तियों का झड़ना फिर नयी पत्तियाँ आना ..उनका लहराना .. तरह तरह के फूल खिलना .. ये सब खिड़की से बाहर देखने वाले मरीजों में सकारात्मकता लाते है .. इससे उनकी सोच भी पॉजिटिवहो जाती है .. इन पेड़ पौधों को देखकर वो खुश रहते है ..मुस्कुराते है .. उन्हें हर पल अपनी संभावित मृत्यु का ख्याल नही आता ..इसलिये उन मरीजों पर यही दवाइयाँ बहुत अच्छा असर करती है और वो ठीक हो जाते है ।
पॉजिटिव एनर्जी और पॉजिटिव सोच व्यक्ति को विपरीत परिस्थितियों में भी जिंदा रख सकती है ।
देश कोरोना से तो लड़ ही रहा है ..साथ ही जरूरत है इस लंबी लड़ाई में अपनी सोच को सकारात्मक रखने की ताकि हमारी 'विल पावर' हमेशा हाई रहे .. *ताली बजाकर आभार जताना हो या दिये जलाकर खुद को देश के साथ खड़ा दिखाने की कवायद हो* .. ये आपकी सकारात्मक ऊर्जा को बढ़ाने की कोशिश ही है ..
ना तब फ्राँस के उस हॉस्पिटल में उन पेड़ - पौधों से मरीज ठीक हुए थे और ना ही आज भारत में दिये जलाने से कोरोना का ईलाज हो जायेगा लेकिन इस लड़ाई में वही जीयेगा जो सकारात्मकता से भरा होगा ...
निगेटिव लोग तो वैसे भी खुद के और समाज के दुश्मन होते ही है ।
1.🍯❓d♌♑
2.🎄✖
3.🚪k🅰️dℹ💲♓
4.♑♌®️🅰️✔♑
5.♓🅰️®️⚠
6.👌❔d📧♈
7.D📧♈🔑♑🅰️♑d♌♑
8.Y♌💰♓🅾️d🅰️♑♌♑d♌♑
9.K📧💰♌♈
10.🚶♈♌®️💴
11.〽♌k♓🅰️♑©️♓⭕®️
12.♍u®️♌®️❕
13.®️♌d♓📧y
14.🅱️♌♑💲♓❗d♓🅰️®️
15.♈🅰️♑〽♌d
16.♑🅰️♑d🔴
17.🚶👨l
18.👩d♓♌♈
19.🚶♈💨
20. 🌌🌴
જવાબ :-
૧ મધુસુદન
૨ ક્રિષ્ના
૩ દ્વારિકાધીશ
4 નારાયણ
૫ હરી
૬ વાસુદેવ
૭ દેવકીનંદન
૮ યશોદાનંદન
9 કેશવ
10 ગોવર્ધન
11 માખણ ચોર
12 મુરારી
13 રાધેય
૧૪ બંસીધર
15 વનમાળી
16 નંદલાલ
17 ગોપાલ
18 માધવ
19 ગોવાળ
૨૦ રણછોડ
કપૂરનાં પણ વૃક્ષો હોય છે. કપૂર મૂળ તો તજ કુટુંબના સભ્યો કહેવાય. તેથી વનસ્પતિશાસ્ત્રની ભાષામાં તેને (innamomum camphora) કહે છે. કપૂરના વૃક્ષોની ડાળીને ઊંચા તાપમાને વરાળ મળે એટલે તે નાનકડા ટીપાં જેટલું કપૂર મુકત કરે છે. આ ટીપાંમાંથી પાણી અને તેલ છુટૂં પાડવામાં આવે એટલે સફેદ રંગનું કપૂર બાકી રહે છે.
કપૂર એક મીણ જેવી જ ઉપ-પેદાશ છે. જેને કપૂરના ઝાડની છાલ માંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ હિન્દુ પુજા તેમજ અન્ય ઘણી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત પણ તેના કેટલાક એવા સ્વાસ્થ્યવર્ધક ઉપયોગો પણ છે કે જે વિષે કદાચ તમે નહીં જાણતા હોય. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં કપૂરના અનેક ઉપયોગો જણાવવામાં આવ્યા છે. માટે જ કેટલાક આયુર્વેદના વૈદો ખાસ રીતે કપૂરનો ઉપયોગ કરતા હોય છે. જો તમારી પાસે પણ કપૂર વિષે કંઈ ખાસ માહિતી ન હોય તો આજે તેના ઉપયોગની માહિતી આપણે આ લેખમાં જોઈએ.
જંતુ ઓ દૂર કરવા માટે જેમ કે તમારા ઘરને મચ્છર રહિત રાખવા માટે
આજકાલ બજારમાં મચ્છર તેમજ અન્ય જીવજંતુઓ મારવાની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. જેમાં હાનિકારક રસાયણો નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે જંતુઓને તો તમારા ઘરમાંથી દૂર રાખે છે પણ માનવ શરીર માટે પણ હાનિકારક હોય છે. બીજી બાજુ કપૂર એક સંપૂર્ણ કુદરતી વસ્તુ છે, જે ખુબ જ સુરક્ષિત રીતે મચ્છરોને ઘરમાથી દૂર રાખે છે. તમારા ઘરને મચ્છર રહીત રાખવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓ સળગાવવાની છે. અને તે વખતે તમારે તમારા ઘરની બધા જ બારી-બારણાઓ બંધ રાખવાના છે. તે માત્ર તમારા ઘરને સુંદર ખુશ્બુ થી જ નહીં ભરે પણ તેનાથી તમને શાંત ઉંઘ પણ આવશે કારણ કે ત્યારે તમને મચ્છર પણ હેરાન નહીં કરે.
તમારા વાયુમાર્ગ ને ખુલ્લો કરે છે એટલે કે તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે
તમારા નાકમાંથી પાણી વહેવા કરતાં વધારે સમસ્યા તમને નાક બંધ હોય ત્યારે થતી હોય છે. જ્યારે તમને શરદી થઈ હોય અને તમે નિરાતે શ્વાસ લઈ શકતા ન હોય ત્યારે, કપૂર તમને આ સમસ્યા માટે મદદ કરી શકે છે. આ માટે તમારે એક કટોરો પાણી ગરમ કરવાનું છે અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાખવાની છે. ત્યાર બાદ તેની વરાળ લેવાની છે. જો તમે આ વરાળ લેતા સમયે તમારું માથુ ટુવાલ અથવા તો કોઈ મોટા કપડાંથી ઢાંકી લેશો તો તે તમને વધારે મદદરૂપ થશે.
પગના તળિયા દુઃખાવો થતો હોય ત્યારે
જો તમને તમારા પગની પેનીઓ દુખે તો તે માટે તમારે ઠંડા પાણીનો શેક કરવાની જગ્યાએ પગની પેની પર કપૂરનું માલિશ કરવાથી તમારી જે સેન્સરી નર્વસ હોય છે તે બહેરી થઈ જશે અને તેના કારણે તમને પગના દુખાવાનો અહેસાસ થશે નહીં. તેનાથી તમારા પગના સોજા પણ ઉતરે છે કારણ કે તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવર પણ રહેલો છે. આમ છતાં, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. કપૂરને ગળવાથી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે અને તેની આડ અસરો પણ ભયંકર હોય છે અને તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
ફુગ દૂર કરવા માટે
આપણા પગના નખમાં હંમેશા ફુગ લાગતી જોવા મળતી હોય છે. તેમાં થતાં પરસેવા તેમજ પાણીના સંપર્કમાં રહેવાને કારણે તેને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહેલી હોય છે. જે લોકોને ઓનીકોમાઇકોસિસ ની સમસ્યા હોય તેમના પગની આંગળીના નખ ધીમે ધીમે કાળા પડી જતા હોય છે અને સાથે સાથે નબળા પણ પડી જતા હોય છે. આ ફુગના ચેપને દૂર કરવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓને પાણીમાં પલાળવાની છે અને તે પાણીમાં તમારા પગ રાખી મુકવા. આ પ્રયોગનું સતત પુનરાવર્તન કરતા રહેવું આમ કરવાથી તમને તમારા પગની આંગળીઓ પહેલા જેવી જ સ્વસ્થ થઈ જશે.
**શરીરના સાંધાના દુઃખાવા દૂર કરવા માટે*(
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હુંફાળા કોપરેલ તેલમાં કપૂર મિશ્ર કરી તેનું મસાજ કરવાથી આપણા શરીરના સાંધાના દુઃખાવામાં ખુબ રાહત થાય છે. ગંભીર રોગો જેમ કે સંધીવા, ગઠિયા વગેરે સાંધાના દુખાવાની સમસ્યામાં તમને તમારું આખું શરીર દુખતું હોય છે. આવા સંજોગોમાં તમે તમારા શરીર પાસે નાની સરખી પણ હલચલ પણ કરાવી શકતા નથી. કપૂરના આ મસાજથી તમારા શરીરને નવજીવન મળી રહેશે અને સોજાના કારણે થતાં દુઃખાવામાં પણ રાહત મળી શકે છે. ન્હાવા જતા પહેલા આ પ્રયોગ કરવો જોઈએ તેનાથી તમારું શરીર સ્ફુર્તિલું બની જશે.
સારી ઉંઘ માટે
આખા દીવસની ચિંતા, થાક તેમજ મનમાં ચાલતા જાત-જાતના વિચિત્ર વિચારોના કારણે લોકોને જલ્દીથી ઉંઘ નહીં આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો તમે હંમેશા ઉંઘવાના સમયે પડખું ફેરવતા હોય તો તમારે સારી ઉંઘ માટે કપૂરોનો આ પ્રયોગ જરૂર અજમાવવો જોઈએ. અરોમા થેરાપીમાં કપૂરને બાદશાહ ગણવામાં આવે છે. તેની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને તમને એક શાંત સ્થિતિમાં લઈ જાય છે. આમ થવાથી તમને ઉંઘ પણ સરસ આવી જાય છે. આ પ્રયોગ માટે સુતા પહેલાં તમે તમારા ઓશિકા નીચે કપૂરની થોડી ગોળીઓ રાખી શકો છો જેથી કરીને સતત તેની ખુશ્બુ ફેલાયા કરે છે અથવા તો તમે કપૂરના તેલને પણ તમારા ઓશીકા પર ઘસી શકો છો.
વાળ પરની ઝૂ મારવા માટે
કપૂર વાળની ઝૂ દૂર કવરા માટે ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે. જે લોકોના શાળાએ જતા નાના બાળકો હોય તેમના માટે આ સમસ્યા કંઈ નવી નહીં હોય. વાળની ઝૂ દૂર કરવા માટે કપૂર નો આ સરળ ઉપાય ખુબ જ અસરકારક છે. તે માટે તમારે કપૂરની ગોળીનો ભુક્કો કરી તેને હુંફાળા કોપરેલ તેલમાં મિશ્ર કરી દેવું. હવે આ તેલનું વાળમાં હળવે હાથેથી માલિશ કરવું. તેને આખી રાત માટે રહેવા દેવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ નાખવા. તે માત્ર તમારી વાળમાં રહેલી ઝૂ ને જ નહીં મારે પણ કપૂરમાં રહેલી કેટલીક સુધીંગ પ્રોપર્ટીઝ તમને ખજવાળની સમસ્યા થી પણ રાહત આપશે.
બળવાના ડાઘ ઝાંખા કે હળવા કરે છે
જો તમે ક્યાંક બળી કે દાઝી ગયા હોય ત્યારે તમારા દાહમાંથી રાહત મળ્યા બાદ, તમે તેના પર પાણીમાં ઓગાળેલું કપૂર ડાઘ વાળી જગ્યા પર લગાવી શકો છો. આ પ્રયોગ તમારે નિયમિત કરવાનો રહેશે. કપૂરની જે નિશ્ચેત કરવાની અસર છે તેનાથી તમારી તે જગ્યાની પીડા તો દૂર થશે જ પણ તેનાથી બળ્યાનો ડાઘ પણ હળવો કે ઝાંખો બનશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે બળ્યાના તાજા ડાઘ પર તે નહીં લગાવી શકો. જો તેનો ઘા હજુ તાજો હશે અને તમે તેના પર કપૂર લગાવશો તો તમને ભારોભાર પછતાવો થશે.
પગની એડી કોમળ બનાવવા માટે
જો તમારી પગની એડી શુષ્ક હોય અને તેમાં વાઢિયા પડી ગયા હોય તો તેને કોમળ બનાવવા માટે તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. હુંફાળા પાણીમાં થોડુ કપૂર મિશ્ર કરો અને તે પાણીમાં તમારા પગને ૧૫ મીનીટ સુધી પલાળી રાખો. જ્યારે પગના તળિયાની ત્વચા સુંવાળી બની જાય ત્યારે તેના પર પ્યુમિક સ્ટોન ઘસો જેથી કરીને તેના પર રહેલી નીર્જીવ ત્વચા દૂર થઈ જાય છે. આ પ્રયોગને નિયમિત કરવાથી તમારી એડી સુંદર, સુવાળી અને કોમળ બની જશે.
તમારા કપડાને ફ્રેશ રાખવા – કપડા માંથી જીવાતને દૂર રાખવા
જો તમે તમારા કપડાની જીવાતથી કંટાળી ગયા હોય તો તમારા માટે કપૂર એક ઉત્તમ ઉપાય છે. સામાન્ય રીતે આપણે આપણા કબાટમાં તે જીવાતને દૂર રાખવા માટે નેપ્થેલીન ની ગોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેની ગંધ એટલી સારી હોતી નથી. પણ તેની જગ્યાએ તમારે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. કપૂર પણ તે જંતુનાશક ગોટીઓ જેવું જ અસરકારક છે. પણ તેનો બીજો એક ફાયદો તેની ખુશ્બુ છે. જે તમારા કપડાંને સુગંધિત બનાવી દેશે.
♦ *બંધારણમાં સુધારાની પદ્ધતિ*
💁🏻♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .
👉🏿 (1)સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો .
👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો.
👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.
➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.
➖બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં 42 માં સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે .
♦ *બંધારણના મહત્વના સુધારાઓ*
👉🏿 પ્રથમ સુધારો (1951) :
➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .
👉🏿 બીજો સુધારો (1953) : ➖રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.
👉🏿 સાતમો સધારો (1956) :
➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા.
👉🏿 આઠમો સુધારો (1960) : ➖અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો .
👉🏿 દસમો સુધારો (1961) :
➖દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો.
👉🏿 બારમો સુધારા (1961) :
➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા .
👉🏿 તેરમો સુધારો (1962) :
➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો.
👉🏿 ચોદમો સુધારો (1962) :
➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .
👉🏿 પંદરમો સુધારો (1963) :
➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.
👉🏿 એકવીસમો સુધારો (1967) :
➖બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .
👉🏿 છવ્વીસમો સુધારો (1971) :
➖ રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા.
👉🏿 એક્ત્રીસમો સુધારો (1973) :
➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી.
👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) :
➖આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.
👉🏿 સાડાત્રીસ્મો સુધારો (1975 ) :
➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .
👉🏿 બેતાલીસમો સુધારો (1976) :
➖આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .
👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :
➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.
👉🏿 સુડતાલીસમો સુધારો (1984 ) :
➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .
👉🏿 બાવનમો સુધારો (1985) :
➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.
👉🏿 ત્રેપનમો સુધારા (1986) :
➖આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું.
👉🏿 ચોપનમો સુધારો (1986) :
➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.
👉🏿 સત્તાવનમો સુધારો (1987) : ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.
👉🏿 એકસઠમો સુધારો ( 1989) :
➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.
👉🏿 બાસઠમો સુધારો (1989) :
➖લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ જે 2000 સુધી અમલમાં રહેશે.
👉🏿 છાસઠમો સુધારો (1990) :
➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા.
👉🏿 ઓગણસીત્તેરમો સુધારો (1991) :
➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.
👉🏿 સીતેરમો સુધારો (1962) :
➖પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો.
👉🏿 એકોતેરમાં સુધારો (1992) :
➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી , મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.
👉🏿 તોતેરમો સુધારો (1992) :
➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપ
ાલિકાઓમાં 33 % બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .
👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :
➖પંચાયતીરાજ સબંધી સુધારો .
👉🏿 પંચોતેરમો સુધારો (2002) :
➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.
👉🏿 પંચયાસીમો સુધારો (2002) :
➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.
👉🏿 છ્યાસીમો સુધારો (2002) :
➖આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં આવ્યો . આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.
👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) :
➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .
👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :
➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.
👉🏿 92 મો સુધારા (2003) :
➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.
👉🏿 93 મો સુધારા (2005) :
➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .
👉🏿 94 મો સુધારો (2006) :
➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .
👉🏿 95મો સુધારો (2009) :
➖SC અને ST માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)
👉🏿 96 મો સુધારો (2011) :
➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે કહ્યું એ ઉપરાંત એમણે એક માર્મિક વાત એમના જીવનના અંતિમ તબક્કામાં કરી હતી. યાદવો મદીરાપાન કરી, અંદરોઅંદર લડતાં હતાં. કોઈક શાણા માણસે કેશવને કહ્યું, "હે મુરલીધર ! આપ પોતે ભગવાન છો. આ યાદવો આપના કુળના છે. આપના ભાઈ-ભાંડુ છે. આપ શું તેમને વિનાશના માર્ગે જતાં નહી રોકો ?" શ્રી કૃષ્ણએ ઉદાસ ચહેરે જે વાત કહી, તે કદી વિસરવા જેવી નથી. તેમણે પેલાં શાણા માણસને એટલું જ કહ્યું," હે સજ્જન ! માફ કરજો પણ કુસંપી અને વ્યસનીને (ચારિત્ર્યહિન) તો હું પણ બચાવી શકતો નથી. ભલે ને એ મારુ કુળ હોય કે મારાં ભાઈ-ભાંડુ હોય." જેનો રાજા ઈશ્વર સ્વયં હોય તે કુળ પણ કુસંપ અને વ્યસનમાં નાશ પામ્યું. ઉત્તમ જીવન જીવવા માટે સંપ અને ચારિત્ર્ય જરૂરી છે.
માણસ પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. સમય, શક્તિ અને સમજ. ખાટલે મોટી ખોડ એ જ છે કે પાયો જ નથી. સિનિયર સીટીઝન પાસે સમય અને સમજ બંને છે પણ શક્તિ નથી. બાળકો પાસે માત્ર સમય છે પણ સમજ અને શક્તિ નથી. યંગ જનરેશન પાસે ત્રણેય છે પણ સ્વાર્થીપણું નડે છે. સ્વાર્થીપણાની નાજાયાજ ઔલાદ કુસંપ છે.
યુધિષ્ઠિર ધર્મનો અવતાર મનાતા હતાં, ભીમમાં એક હજાર હાથીઓનું બળ હતું, સહદેવ ટોપ ક્લાસ જ્યોતિષી હતો, અર્જુન મહાન યોધ્ધા હતો, નકુલ જેવો ચતુર આખી અવનિ પર કોઈ ન હતો. સૌથી મોટો પ્લસ પોઈન્ટ ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે હતાં. વળી, તેમની વચ્ચે એકતાય હતી. તો પણ પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. સંપ હતો પણ ચારિત્ર્ય ખંડિત હતું. તેઓ જુગટું રમ્યા હતાં. લો, વધુ એકવાર આપણો પ્રમેય સિધ્ધ થઈ ગયો.
કુસંપના કેટલાં ઉદાહરણ જોઈએ છે ? ઈ.સ. 1000 થી ઈ.સ. 1026 સુધીમાં અફગાનિસ્તાનના મહમ્મદ ગઝનવીએ ભારત પર લગભગ સત્તર વખત ચડાઈ કરી. દર વખતે લૂંટફાટ અને ખૂનીખેલ ખેલ્યો. ભારતનો નકશો નજર સમક્ષ લાવો. મહમ્મદ ગઝનવી અફગાનિસ્તાનથી ભારતમાં છેક 2000 કી.મી. સુધી અંદર આવી લૂંટ ચલાવી જતો રહેતો હતો. આ 2000 કી.મી. સુધીમાં એને કોઈ રોકનાર ન હતું ? હતાં. નરબંકા શૂરવીરો હતાં. હાથી સાથે મલ્લયુધ્ધ કરે એવા રાજાઓ હતાં. ગઝનવીની સેના કરતાં ઉચ્ચ કક્ષાના હથિયારો હતાં. આપણી પાસે કોઈ વસ્તુની કમી હતી તો તે એકતા અને ચારિત્ર્યની કમી હતી. તે વખતે મારે શું ? અને આપણે શું ? આ બે પ્રશ્નો એ આપણાં ઈતિહાસને કલંકિત કર્યો.
આપણી આ ટેવથી કંટાળીને એકવાર ગુસ્સાથી લોકમાન્ય ટિળકે કહ્યું હતું કે, "આપણે સૌ ભારતીયો અંગ્રેજોએ સામે એક થઈને માત્ર થૂંકયા હોત ને તો તમામ અંગ્રેજોએ તેમાં ડૂબી ગયાં હોત !!!"
કોરોના એ ગઝનવીનો અર્વાચીન અવતાર છે. આજે એનાં ઘોડાં આખી દુનિયા ધમરોળી રહ્યાં છે. આપણે કલંકિત ઈતિહાસનું પુનરાવર્તન કરવું નથી. માત્ર અને માત્ર સંપથી લોકડાઉન થઈને જ આપણે કોરોનાને હરાવી શકીશું. તમામ ધર્મ અને કોમોએ એક બનવું પડશે.
કભી તું મંદિર કી છત પર બૈઠતાં હૈ,
કભી તું મસ્જિદ કે ઘૂમટ પર બૈઠતાં હૈ.
બતા એ પરિન્દે ,તેરા મજહબ કૌન-સા હૈ ???
જરૂર વગર ઘરની બહાર નીકળી પોતાને મૂર્ખ સાબિત કરવાનો પ્રયત્ન ન કરશો. એક વિદેશી કહેવત છે- "મુર્ખથી ચેતતા રહો, તે જુનાં કપડા જેવો હોય છે, જેને તમે જેટલી વખત સાંધો, પવન તેટલી વખત તેને ફાડશે." આ મૂરખાઓ જોખમમાં વધારો કરી રહ્યાં છે. આપણાં દેશમાં એક પેટર્ન એવી છે કે આપત્તિ આવે એટલે આપણે એક થઈ જઈએ છીએ અને આપત્તિ જતાં પાછાં હતાં એનાં એ જ થઈ જઈએ છીએ.
એક ધનાઢ્ય માણસ અહમ ધરાવતો હતો. તે સદા-બારેમાસ છત્રી ખોલીને ફરતો. જાણે પોતાનું એક પ્રાઈવેટ અલગ કાળું આકાશ જોઈ લો. જ્યારે તે ખુલ્લી છત્રી લઈને ચાલતો ત્યારે બધાથી અલગ દેખાતો. તેની છત્રી જાણે બધાને કહેતી હોય કે આઘા ખાસો, શેઠની સવારી આવી રહી છે. સાહેબ, તમે છત્રી ખોલીને ફરો એનો કોઈ વાંધો નથી, પણ આ તમારી છત્રીનાં સળિયાની અણી બજારમાં કેટલાયની આંખમાં, ગાલમાં, કપાળમાં વાગે છે એનું તો ધ્યાન રાખો !!! આનું અર્થગ્રહણ પોતીકી રીતે કરી લેજો.
ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ વલભીથી શરૂ થાય છે. વલભી એક સમયે સમૃદ્ધ હતી. કુલ 1300 માઈલનો વિસ્તાર ધરાવતું રાજય હતું. સ્વયં વલભી પંદરેક માઈલનું ક્ષેત્રફળ ધરાવતું નગર હતું. આ નગરમાં એ સમયે સોથી પણ વધુ કરોડપતિઓ નિવાસ કરતાં હતાં. એકસો બૌધ્ધ મઠ અને છ હજાર કરતાં વધુ સાધુઓ વસવાટ કરતાં હતાં. આ વર્ણન ચીની યાત્રી હ્યુએનસાંગનું છે. આ નગરના વિનાશની એક દંતકથા પ્રસિધ્ધ છે. આ નગરમાં એક કૂકા નામનો અતિ ધનવાન શેઠ રહેતો હતો. તેની દીકરી પાસે મૂલ્યવાન રત્નોથી સુશોભિત હાથીદાંતનો કાંસકો હતો. રાજા શિલાદિત્યની પુત્રીને આ કાંસકો ગમી ગયો. કૂકા શેઠની દીકરી આ કાંસકો આપવા તૈયાર ન હતી.
રાજા શિલાદિત્યએ બળજબરીથી કાંસકો લઈ લીધો. કૂકા શેઠે સિંધ દેશનાં રાજાને એક કરોડ રૂપિયા આપ્યા અને વલભી પર આક્રમણ કરાવ્યુ. વલભીનો નાશ થયો.
એક વ્યક્તિની સ્વાર્થી મૂર્ખામી કેવું પરિણામ લાવી શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. બહાર નીકળી કોરોનાને તેડી ન લાવશો. એક રહો...લોક રહો.... શૂન્ય નીચેનું એક દિવસનું તાપમાન ત્રણ ફિટ બરફ જમાવવા માટે પુરતું નથી.
જે.કે.સાંઈ