એક રાજા હતાં. એમનું નામ રાજા સુખ-ચેન હતું. તેમનાં નગરમાં સહુ સુખ-ચેનથી રહેતાં હતાં. એક દિવસ રાજા નગરમાં ફરવા નીકળ્યો. ફરતાં-ફરતાં નગરની બહાર પહોંચી ગયો. ત્યાં તેણે એક સાધુને જોયા. રાજાને શું સૂઝયું કે એમણે પેલા સાધુને કહ્યું, "હે સન્યાસી ! શું આપ મારા મહેલમાં પધારવાનું પસંદ કરશો ?" રાજાને એમ કે સાધુ વળી ક્યાં મહેલમાં આવશે ! પેલા સાધુએ તો એક ક્ષણના વિલંબ વિના આવવાની હા પાડી દીધી.
રાજા તો સાધુને લઈને મહેલમાં આવ્યો. રાજાએ પોતાનાં રૂમ જેવો જ રૂમ તેમને ઉતારા માટે આપ્યો. પોતાનાં જેટલાં સેવકો હતાં તે બધાને સાધુની સેવામાં મોકલી આપ્યા. સવારે નાસ્તામાં કાજુ-બદામ-મેવા, બપોર અને રાત્રે બત્રીસ ભાતના વ્યંજનોનો જમણવાર. સૂવા માટે મખમલી ગાદી-ગોદડા. ફરવા માટે હાથી-ઘોડા. જે સગવડો રાજા ભોગવતો એ તમામ સગવડો સાધુને મળવા લાગી. આમ ને આમ દસ દિવસ વીતી ગયાં. રાજાને એક વિચાર આવ્યો, "હું જે રાજ-ઠાઠ ભોગવું છું એવા જ રાજ-ઠાઠ આ સાધુ ભોગવે છે તો મને એ સમજાતું નથી કે એને સાધુ શી રીતે કહી શકાય ? મારામાં અને એનામાં શું ફેર રહ્યો ?" રાજા જેવા સેમ ટુ સેમ વિચાર અત્યારનાં ઘણાં લોકોને પણ આવે છે !!!
રાજાએ આ જ વાત સાધુને આવીને કરી, "સાધુજી, તમારું ને મારુ જીવન એકસરખું છે તો આ રાજા-સન્યાસીનો ભેદ કેમ ?" સાધુ એ રાજાને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે આવવા કહ્યું. બીજા દિવસે રાજા સમયસર સાધુ પાસે પહોંચી ગયો. સાધુ કહે, "ચાલો, મારી સાથે તમને જવાબ આપું." રાજા અને સાધુ ચાલવા લાગ્યા. સવારના સાત વાગી ગયા પણ સાધુ કઈ બોલતા નથી. રાજા અકળાયો.
રાજા કહે, "હવે તો જવાબ આપો." સાધુ કહે, "જવાબ તો ક્યારનો આપી ચૂક્યો છું. તું સમજ્યો નથી. તું અહીથી મહેલમાં પાછો જઈશ જ્યારે હું પાછો નહી આવું. મારામાં અને તારામાં તફાવત શોધતો હતો ને તો આ તફાવત છે કે હું છોડી શકું છું અને તું પકડી રાખે છે. મને શાંતિ જોઈએ છે અને તારે સુખ જોઈએ છે. મારુ લક્ષ્ય શાંતિ મેળવવાનું છે અને તારું લક્ષ્ય સુખ મેળવવાનું છે. શાંતિનું કોઈ સરનામું હોતું નથી. એ તો તમારી સમજણની ઊંચાઈ કેટલી છે તેની પર નિર્ભર કરે છે."
સાધુએ આગળ વાત કરી. એકવાર ભગવાને માણસ સિવાય તમામ પશુ-પંખીઓને મિટિંગ માટે બોલાવ્યા. સૌને બેઠકનો એજન્ડા જણાવ્યો. "મારી પાસે દુનિયાની સૌથી દુર્લભ ચીજ શાંતિ છે. મારે એને એવી જગ્યાએ સંતાડવી છે કે લાયકાતવાળા મનુષ્ય સિવાય એ કોઈને ન મળે."
પક્ષીઓનાં રાજા ગરૂડે કહ્યું," પ્રભુ, મને આજ્ઞા આપો તો હું એ શાંતિને આકાશમાં એટલે ઊંચે કોઈ ગ્રહ પર મૂકી આવું કે કોઈને ન મળે." ઈશ્વર કહે, "ના, માનવી ભવિષ્યમાં ત્યાં પણ પહોંચી જશે. કોઈ અધૂરી લાયકાત ધરાવતો મનુષ્ય ત્યાં પહોંચી જાય તો ? આઈડિયા કેન્સલ." આ રીતે માછલીએ સાગરના તળીયે અને સાપે પાતાળમાં શાંતિને છૂપાવવાની વાત કરી. પ્રભુને જાણ હતી કે આ તમામ જગ્યાઓએ માનવી પહોંચવાનો છે. એટલે બધાં ઠરાવોનો અસ્વીકાર કર્યો.
આખરે સૌથી સમજુ હાથીએ કહ્યું, "પ્રભુ, માનવી બધે જ પહોંચશે પણ પોતાનાં હદયમાં નહી પહોંચે. તે હંમેશા મગજને મહત્વ આપે છે. તેની જ વાત સાંભળે છે. માનવી ગ્રહો પર, પાતાળમાં, પાણીમાં બધે જશે પણ હદયમાં તો લાયક માણસ જ ડોકિયું કરશે. તો શાંતિને માણસના હદયમાં જ સંતાડો તે યોગ્ય રહેશે." પરમેશ્વરે ગજરાજની વાતને અનુમોદન આપ્યું. "રાજા, તારામાં અને મારામાં આ પણ એક ફરક છે કે મને શાંતિ મળી ગઈ છે અને તને એ મળવાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી." એમ કહી સાધુ ચાલતાં થયાં.
સદીઓ અગાઉ ઋષિ કપિલે કહ્યું હતું કે આ સંસારમાં કોઈ સુખી નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ મૃત્યુલોકમાં શાંતિની સ્થાપના થાય તે હેતુથી યુનાઈટેડ નેશનનો તારીખ 24 મી ઓક્ટોબર 1945 ના રોજ જન્મ થયો. આ ચાર્ટરમાં એ મતલબની વાત લખી છે કે શાંતિ વગર પ્રગતિ સંભવ નથી.
સૃષ્ટિના ઈતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે નિયમોના પાલનથી શાંતિ મળે છે. આપણે બહુ ખાંડ ખાતાં હોઈએ તો જાણી લઈએ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, સ્વયં આ પૃથ્વી સૌ ચોક્કસ નિયમોમાં રહીને ચાલે છે. એટલે જ અબજો વર્ષોથી ટકી રહ્યાં છે. જેણે નિયમો માનવાથી ઈનકાર કર્યો એ ટુકડાઓમાં વિભાજીત થઈ બ્રહ્માંડમા રઝડી રહ્યાં છે.
આપણે ઘણીવાર વ્યસનીઓ પાસેથી એવું સાંભળ્યુ જ હશે- મફતકાકા 65 વર્ષથી તમાકુ ખાય છે તોય તેમને કશું થયું ? અપવાદને નિયમ માની બેસનારા પોતે તો મરે છે આખા પરિવારને પણ મારતાં જાય છે. આદમજાત માટે ત્રણ પ્રકારનાં નિયમો બનાવવામાં આવ્યા છે. (1) શારિરીક નિયમો (2) સામાજિક નિયમો અને (3) પ્રાકૃતિક નિયમો.
ડોક્ટરો જેનાં નામે પ્રતિજ્ઞા લે છે એ હિપોક્રેટ્સ પોતાના મહાન પુસ્તક "હિસ્ટ્રી ઑફ મેડીસીન" માં લખે છે- જે પોતાનાં સ્વાસ્થ્ય માટે ટાઈમ કાઢતાં નથી તેમણે ડોક્ટર માટે સમય કાઢવો પડે છે. લાઈફમાં ટોટલ શાંતિ માટે શરીરને પરસેવા અને પાણીથી નવડાવો. શ્વાસને પ્રાણાયામથી, આત્માને તપથી, સ્મૃતિને મનન-ચિંતનથી નવડાવો. મનને સત્યથી, બુધ્ધિને જ્ઞાનથી, અહંકારને સેવાથી, ભોજનને બનાવતી અને જમતી વખતે સકારાત્મક વિચારોથી, અનુભૂતિને પ્રેમથી અને ધનને દાનથી નવડાવવા જોઈએ.
વાત જ્યારે નિયમોના પાલનની હોય ત્યારે ભાવનાઓ કામ લાગતી નથી. દરેક પ્રકારની શાંતિ પર તેની કિંમતની ટેગ લાગેલી હોય છે. એ કિંમત ચૂકવ્યા સિવાય એ મળે નહી. રોલેક્સ ઘડીયાળના શો રૂમ પર જાઓ. ત્યાં જઈને ગોલ્ડ પ્લેટેડ સાડા છ લાખની વોચ પસંદ કરો. પછી ખિસ્સામાથી રોકડા પાંચ રૂપિયા કાઢી મેનેજરને આપી કહો - આ ઘડિયાળ મને આપી દો. તમે પૈસા સામું ન જોશે. મારી ભાવના જુઓ. તો શું મેનેજર તમને એ મહામૂલી વોચ આપી દેશે ???
I want peace... મને શાંતિ જોઈએ છે. તો અંગ્રેજી વાક્યમાંથી I=હું,અહમ કાઢી નાંખો અને want=કોઈપણ વસ્તુ મેળવવાની ઘેલછા કાઢી નાંખો, શાંતિ આપોઆપ મળી જશે.
જે.કે.સાંઈ
એક સંત અદભૂત વ્યક્તિત્વ ધરાવતાં હતા. એકવાર ચોમાસાનાં બે મહિના વીતી ગયાં પણ મેઘો વરસ્યો નહી. ખેડૂત,પશુ-પ્રાણીઓ વ્યાકુળ થઈ ઉઠ્યા. કો'કે વાત ફેલાવી કે સ્વામી નાચે તો અવશ્ય વરસાદ થાય !!! આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા, ગામને તો શું ? સ્વામી નાચે ને વરસાદ પડે તો ઠીક બાકી મફતનો તમાશો ક્યાં જોવા મળવાનો છે ? ટોળું આવ્યું આશ્રમે ....
"સ્વામી અમે સાંભળ્યુ છે કે તમે નાચો તો વરસાદ પડે ?"
"હા, એમાં શું મોટી વાત છે ! તમે નાચો તોય વરસાદ તો પડે !"
"સ્વામી શું વાત કરો છો ? અમે નાચીએ તોય વરસાદ પડે ?"
ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા. સંતે ઉલટાના જે આવ્યાં હતાં તે બધાને નચાવ્યા. પૂરા બે કલાક નાચ્યાં પણ વરસાદ ન પડ્યો. મનખું તો અકળાયું. "સ્વામી, તમે વરસાદ પાડીને બતાવો."
સ્વામીએ તો નાચવાનું ચાલુ કર્યું. એક કલાક-બે કલાક-ત્રણ કલાક નાચે જ રાખ્યું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સૌ મનખું કહે, હે સંત ! આ શું ચમત્કાર છે ? આમાં શું રહસ્ય છે ?"
વાર્તામાં સત્ય ભલે ન હોય પણ તથ્ય અવશ્ય હોય ! સ્વામી કહે, "કાંઈ નહી. એક તો મને પૂરેપૂરી શ્રધ્ધા હોય છે કે હું નાચીશ એટલે વરસાદ પડશે જ. અને બીજો મારો દ્રઢ સંકલ્પ હોય છે કે વરસાદ ન પડે ત્યાં સુધી મારે અવિરત નાચવાનું છે." મનખું એ જવાબ સાંભળી આળોટી આળોટીને નમન કર્યા. લોકડાઉન માટે શ્રધ્ધા અને સંકલ્પ બંને જરૂરી છે.
આ લોકડાઉનમાં એક સંકલ્પ કરવા જેવો છે, મને જે સમય મળ્યો છે તેનો હું સારો ઉપયોગ કરીશ. નવરાશના સમયનો ભોગવટો કરવા સેવા અને સારાં પુસ્તકોનું વાંચન કરવાથી ઉત્તમ અન્ય કોઈ માર્ગ નથી.
પુસ્તકો વાંચવાથી સૌને ત્રણ બાબતો જાણવા મળશે.
(1) આપણાં વિચારો કરતાંય આગળનું વિચારનારા લોકો છે.
(2) આપણાં વિચારો સર્વશ્રેષ્ઠ નથી.
(3) આપણાં વિચારો બદલી શકાય છે.
જ્યોર્જ આર.આર.માર્ટિન નામના વિચારકે કહ્યું હતું કે- પોતાની તેજસ્વીતા અને ધારને અકબંધ રાખવા જેમ તલવારને સરાણીયા પથ્થરની જરૂર હોય છે એમ માણસના મગજને પુસ્તકની જરૂર હોય છે.
અમેરિકાની એક ટ્રેનના કંપાર્ટમેન્ટમાં કેટલાક લોકો બેઠા હતાં. બધાં પોત-પોતાની વાતોમાં મસ્ત હતાં. આ બધામાં એક પ્રૌઢ ધાર્મિક પુસ્તક બાઈબલ વાંચી રહ્યો હતો. એક ટાઈ-કોટ પહેરેલ માણસે કઈક ચીડથી પેલા વાંચનાર સામે જોયું. પેલા વાચકનું ધ્યાન તો પુસ્તકમાં જ હતું. ટાઈ-કોટ પહેરેલ માણસે કહ્યું, "આપ અમેરિકા જેવા ઉચ્ચ વિકસિત દેશમાં રહો છો. એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં દેશમાં તમને આમ જાહેરમાં ધાર્મિક પુસ્તક વાંચતાં શરમ નથી આવતી ?" ડબ્બામાં રહેલા સૌને પેલા જેન્ટલમેનની વાત સાચી લાગી.
"મિસ્ટર, તમારે વાંચવું હોય તો વાંચો પણ વિજ્ઞાનનાં પુસ્તકો વાંચો. આ પુસ્તકોમાં શું વાંચવાનું છે ? જુઓ હું વિજ્ઞાનનો અભ્યાસ કરી, આજે એક પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર છું. આજે જમાનો સાયન્સનો છે. આપ જેવા લોકો આ વાત ક્યારે સમજશે ? આપ મહાશયે આ ધાર્મિક પુસ્તકની જગ્યાએ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોત તો તમે પણ મારી જેમ કદાચ કોઈ કોલેજમાં નોકરી કરી બે પૈસા કમાવવાની સાથે-સાથે સમાજમાં ઈજ્જત પણ મેળવી હોત !
પુસ્તક વાંચનાર સજ્જન કોઈ જ જવાબ આપી રહ્યાં ન હતાં. એ તો નિર્લેપભાવે વાંચન કરી રહ્યાં હતાં. ટ્રેનનું છેલ્લું સ્ટેશન આવી ગયું. આખો ડબ્બો ખાલી થવા લાગ્યો. પેલા સજ્જન પણ સૌની સાથે નીચે ઉતાર્યા. ત્યાં સ્ટેશને ઉભેલા એક પરિચિતે પેલાં પુસ્તક વાચક સજ્જનને જોઈ કહ્યું, " ઓહ ! મિસ્ટર થોમસ આલ્વા એડિસન....યુ મોસ્ટ વેલકમ ઈન અવર સીટી !!!" કોટ-ટાઈવાળા જનાબને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તેની સામે હવે અમેરિકાનો સૌથી મોટો સાઈન્ટિસ્ટ, 1093 શોધોની પેટન્ટ જેના નામે નોંધાયેલી હતી તે ઊભો હતો.
થોમસ આલ્વા એડિસને પેલાં ભાઈને એટલું જ કહ્યું, " વિજ્ઞાન આપણને સુવિધા અને ભોગ-વિલાસના સાધનો આપે છે. જ્યારે કોઈપણ ધર્મના ધાર્મિક પુસ્તકો સુખ અને શાંતિ આપે છે. આપણે કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે. સારાં પુસ્તકો આપણાં નૈતિક અધ:પતનને રોકે છે. વિજ્ઞાનના પુસ્તકોની જરૂર છે એમ સારાં પુસ્તકોની પણ એટલી જ જરૂર છે."
ઘરમાં સારાં પુસ્તકો વસાવજો પણ એક વાત ગાંઠે બાંધી રાખજો. પુસ્તકને સળગાવી દેવા કરતાંય ગંભીર ગુનો છે- તેને વસાવ્યા પછી ન વાંચવું. લોકડાઉનનાં આ સમયમાં પુસ્તકો તમને સારો સાથ આપશે. ચાર્લ્સ વિલિયમ એલિયોટે ચોટદાર વાત કરી છે- "પુસ્તક મિત્રોમાં સૌથી શાંત અને સ્થિર છે. સલાહકારોમાં સૌથી સુલભ અને બુધ્ધિમાન છે અને શિક્ષકોમાં સૌથી ધૈર્યવાન છે." નાઈઝિરીયા દેશમાં એક કહેવત બોલાય છે કે બચકું ભરતાં બાળકને તો ફ્ક્ત એની માં જ ઊંચકે ! પુસ્તક એવી માં છે જે પોતાનાં દીકરાને હંમેશા વ્હાલ કરશે, જીવનનો સાચો મર્મ સમજાવશે અને એક મૂઠ્ઠી ઊંચેરો માણસ બનાવશે.
જે.કે.સાંઈ
ભગવાન ગૌતમ બુધ્ધના જીવન પર આધારિત એક દંતકથા છે. બુધ્ધજી વિહાર કરતાં-કરતાં એક નગર બહાર આવી પહોંચ્યાં. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં. નગરજનોને સમાચાર મળતાં સૌ દર્શને આવવા લાગ્યાં. એ નગરનો રાજા પણ આવ્યો. તથાગતને પગે લાગી, તેમની નજીક બેઠો. મહાન માણસો ડિગ્રી વગરના મનોવૈજ્ઞાનિકો હોય છે ! તેઓ સામેવાળાની આંખો જોઈને જ તેમની મનોસ્થિતિને જાણી લેતાં હોય છે. આપણે ત્યાં તેને ચમત્કાર કહેવામાં આવે છે.
ગૌતમ બુધ્ધે રાજાને કહ્યું, "શું દુ:ખ છે ?" રાજા કહે, "પ્રભુ, આમ તો મારુ કૌટુંબિક જીવન સુખી છે. માત્ર એક સમસ્યા છે. મારાં નગરમાં છેલ્લાં કેટલાય સમયથી દુરાચાર વધી ગયો છે. ક્રિમિનલ કેસો વધી ગયાં છે. ચોરી-લૂટફાટ, અનૈતિકતાએ માઝા મૂકી છે. કુટુંબો અને સમાજમાં અશાંતિનો માહોલ છે." રાજાની વાત સાંભળી બુધ્ધ વિચારમાં પડી ગયાં. "રાજન, તમારી સમસ્યાનો મારી પાસે ઉપાય છે. ઉપાય સાવ સરળ છે. આ ઉપાયનો વિશ્વમાં પ્રથમવાર ઉપયોગ થવાનો છે. જો આપ એનો અમલ કરવાનાં હોય તો હું આપને જણાવું." રાજાએ સંમતિ આપી.
ભગવાન બુધ્ધે શાંત સ્વરમાં કહ્યું, "આજ રાતથી જ તારે તારાં રાજયમાં કડક રાત્રિ કરફ્યૂ અમલમાં મૂકવાનો છે. બરાબર એક વર્ષ પછી તું મને રિપોર્ટ કરજે." બુધ્ધ ત્યારબાદ ત્યાંથી ચાલી નીકળ્યાં. વાતને વર્ષ વીતી ગયું. રાજા બુધ્ધ પાસે આવ્યો. તે ખુશ હતો. રાજાએ ગૌતમને જણાવ્યુ કે હવે તેના રાજયમાં સૌ સુખી છે. ક્રાઈમ રેટ 80 % ઘટી ગયો હતો. રાજાને અચરજ એ વાતનું હતું કે રાત્રિ કરફ્યૂ અને ક્રાઈમને શું લેવા-દેવા હતી ?
ભગવાને જણાવ્યુ, "રાત્રે માણસો જ્યારે ભેગા થાય છે ત્યારે તેમની વાતો, વિચારો, આચરણ દિવસ જેવુ હોતું નથી. જ્યારે રાત્રિના અંધકારમાં એમને કોઈ જોતું ન હોય ત્યારે એમની અંદરનો શેતાન બહાર આવે છે. માણસને કોઈ જોતું ન હોય ત્યારે તે જે વર્તન કરે એ એનું સાચું વ્યક્તિત્વ છે. એટલે જ દિવસે જે માણસ આપણને સારો લાગે છે એ જ માણસનું "રાત્રિ ચારિત્ર્ય" અલગ હોય છે. વળી, આવા શેતાનો રાત્રે મંડળી બનાવી બેસે છે. ત્યારે તો સમાજ માટે વધુ જોખમ ઊભું થાય છે. સાવ સરળ વાત છે કે આવા હેવાનોને રાત્રે બહાર નીકળવાનું અને મહેફિલો ભરવાનું બંધ કરાવો એટલે ગુનાખોરી ઘટે જ !સજજનો મોડી રાત સુધી ઘરની બહાર જોવાં મળતાં નથી." આ દુનિયાનું સૌપ્રથમ "નાઈટ લોકડાઉન" હતું.
બાવળના જંગલમાં જાઓ ને કાંટો ન વાગે એવું ન બને, બાગમાં જાઓ અને ફૂલ જોવા ન મળે એવું કદાપિ ન બને અને મહાન માણસોનાં ચરિત્રો સાંભળો ને બે સારી વાતો શીખવા ન મળે એવું પણ કદી ન બને.
સોબતની અસર પડે જ છે. એક ઠીકરું લક્સ સાબુનો સંગ કરે તો ઠીકરુંય સુવાસિત થઈ જાય અને એ જ ઠીકરું મળનો સંગ કરે તો ? આપણે સંગને "બેકગ્રાઉન્ડ" કહીએ છીએ. અમેરીકામાં એક બિલિયોનર ઉધોગપતિ હતા. તેમની સંપત્તિનો અંદાજ લગાવજો.... એમની સવારની ચા સાડા આઠ લાખનાં ટી-સેટમાં આવતી. એમનો સસ્તામાં સસ્તો સૂટ ત્રણ લાખનો હતો. એમના ઘરનાં નોકરોય કાર લઈને નોકરીએ આવતાં. આ ઉધોગપતિના પત્નીનો બર્થ-ડે હતો. તેમને થયું કે પત્નીને ગમતી હોય એવી વસ્તુની સરપ્રાઈઝ ભેટ આપું. વાતવાતમાં એમણે ઘણાં દિવસ પહેલાં જાણી લીધું હતું કે પત્નીને બજારમાં આવેલી બુગાટી સ્પોર્ટ્સ કારનું યલો મોડલ ખૂબ ગમતું હતું. કિમતે સાવ મામૂલી સાડા છ કરોડ જ હતી !
પેલા ધનવાન માણસે જાણે પિત્ઝાનો ઓર્ડર આપતો હોય એમ શો રૂમના મેનેજરને બુગાટી યલો સ્પોર્ટ્સ કારનો ઓર્ડર આપી દીધો. ગાડીની સરપ્રાઈઝ આપવાની હોવાથી બંગલાના ગેરેજમાં જ મૂકી દેવી એવી સૂચના પણ આપી દીધી. મોડી રાતે પાર્ટી પૂરી થઈ એટલે પતિએ પોતાની પત્નીની આંખો બંધ કરી, ગેરેજમાં લઈ ગયો. ગેરેજમાં પેલી ગાડી પરથી કવર હટાવી સરપ્રાઈઝ આપી. પણ અનર્થ થઈ ગયો હતો. ગાડીનું મોડલ બરાબર હતું પણ પત્નીનો પ્રિય કલર યલોની જગ્યાએ ગ્રીન કલર હતો. આખી ખુશી ગમગીનીમાં ફેરવાઈ ગઈ.
ઉધોગપતિએ કાર ડિલરને ફોન લગાવી ખખડાવી નાંખ્યો. હાલ ને હાલ હાજર થવા કહ્યું. થોડીવારમાં મેનેજર ગેરેજમાં હાજર થયો. તેણે સ્પષ્ટતા કરી કે સાહેબ મેં મારી જાતે યલો કલરની કાર મોકલી છે. મને આશ્ચર્ય થાય છે કે પીળા રંગની કાર તમારે ત્યાં આવીને લીલા રંગની કેવી રીતે થઈ ગઈ ? અચાનક મેનેજરના દિમાગમાં ચમકારો થયો. "સર, જો તમારી પરવાનગી હોય તો થોડીવાર માટે ગેરેજની લાઈટ બંધ કરી શકું છું ?" ઉધોગપતિએ હા પાડી. જેવી લાઈટ બંધ કરી કે કાર પીળા રંગની થઈ ગઈ. હવે મેનેજરે સમજાવ્યું, "સર, તમારા ગેરેજની લાઈટ બ્લ્યૂ રંગની છે. બ્લ્યૂ રંગના બેકગ્રાઉન્ડમાં પીળો રંગ લીલો થઈ જાય છે. માફ કરજો, કાર પીળી જ છે પણ બ્લ્યૂ બેકગ્રાઉન્ડ લાઈટ એને ગ્રીન બનાવી દે છે." આ છે બેકગ્રાઉન્ડની અસર !!!
કુટુંબ સાથે રહેવાનો અણમોલ મોકો મળ્યો છે તો ઘરે રહો. કદાચ હનીમૂન પછી પહેલી વખત પત્ની સાથે ચોવીસે કલાક સાથે રહેવા મળ્યું છે. ઘણાં બાળકોને પ્રથમવાર મમ્મી-પપ્પાનો પ્રેમ એક સાથે અનલિમિટેડ માણવા મળ્યો છે. ઘણાં માતા-પિતાઓને વર્ષોથી ખોવાયેલા પોતાના સંતાનો પાછા મળ્યાં છે. લોકડાઉન ડાઘ છે તો દાગ અચ્છે હૈ !!!
જે.કે.સાંઈ
એક નગરમાં ઉગ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. નામ પ્રમાણે ગુણ પણ ધરાવતો હતો. તેનામાં ક્રૂરતા ઠાંસી ઠાંસીને ભરેલી હતી. એના વાંકમાં આવનારને જેમ સેલોટેપનાં રોલમાંથી સેલોટેપ ખેંચીએ એમ તે ગુનેગારના શરીર પરથી ચામડી ખેંચાવાતો. જ્વાળામુખી અમાસે ફાટે કે પૂનમે ફાટે, દિવસે ફાટે કે રાત્રે ફાટે, જોરથી ફાટે કે ધીમેથી ફાટે પણ નીકળે તો ધગધગતો લાવા જ .... આ ઉગ્રસેન જ્વાળામુખીનો સમાનાર્થી હતો.
ઉગ્રસેનનાં રૂપમાં બે ખામી હતી. તે એકાક્ષી (એક આંખવાળો) અને એકપગો હતો. રાજાજીએ ફરમાન છોડયું. આખા નગરમાં જાહેરાત કરાવી કે જે ચિત્રકાર મારું સુંદર ચિત્ર દોરી લાવશે એને ઈનામ આપવામાં આવશે અને જે ચિત્રકાર દ્વારા મારું સુંદર ચિત્ર બનાવવામાં નહી આવે તેને .... કોઈને આગળ સમજાવવાની જરૂર ન હતી. સ્ત્રી હોય કે પુરૂષ દરેકને પોતે હોય તે કરતાં વધારે રૂપાળાં થવું/દેખાવું ગમે છે. (વધુ એકવાર વાંચો. ભાવાર્થ સ્પષ્ટ થશે !) જ્યારે હકીકત આ છે- "Beauty is 10 percent appearance and 90 percent attitude."
કોઈ ચિત્રકાર લોકડાઉનમાં બહાર ફરવા નીકળી જીવને જોખમમાં મૂકે એવાં વ્યક્તિ જેવાં મૂર્ખ તો ન હતાં. જાહેરાત થતાં જ કેટલાક ચિત્રકારો ભૂગર્ભમાં ઉતરી ગયાં. કેટલાકે સામૂહિક હિજરત કરી. સામાન્ય માણસ જીવનમાં શિક્ષણ મેળવે છે અને પ્રતિભાશાળી શિક્ષણ મેળવીને જીવનમાં ઉતારે છે. એક ચિત્રકારે પડકાર ઝીલી લીધો. રાજા કહે- "તો ચિત્ર દોરવાનું શરૂ કર." ચિત્રકારે કહ્યું, " મહારાજ ! ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે. આપ મને પાંચ દિવસની મહેતલ આપો." રાજા ઉગ્રસેને વાત મંજૂર રાખી.
પાંચમાં દિવસે કલાકાર દરબારમાં હાજર થયો. દરબારમાં સન્નાટો. ચિત્રકાર રાજાની પાસે ગયો. ચિત્ર ખોલ્યું. ચિત્ર જોઈને રાજા તો ચિત્રકારને ભેટી પડ્યો. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. સુપર્બ, માઈન્ડબ્લોવિંગ, એક્સ્ટ્રા યુનિક, મારવેલસ..... 'સુંદર ચિત્ર' એવું કહેવા માટે શબ્દકોશમાં જેટલાં શબ્દો હતાં તે બધા ઉગ્રસેનને કહેવા હતાં.
ચિત્રમાં શું મોર મૂક્યા હતાં ? દ્રશ્ય જંગલનું હતું. રાજા શિકારે નીકળેલા છે. આગળ એક મૃગ છે. રાજા તેની પાછળ પોઝીશન લઈ એક પગ વાળીને બેઠો છે. હાથમાં ધનુષ્ય લઈ એક આંખ બંધ કરી હરણનું નિશાન લઈ રહ્યો છે. ફેન્ટાસ્ટિક..... રાજા ઉગ્રસેનની બંને ખામીઓને ચિત્રકારે બખૂબી સંતાડી ચિત્રને સુંદર બનાવી દીધું હતું. રાજાએ ચિત્રકારને ઘણું બધુ ધન આપી નવાજયો.
પરિસ્થિતિ ગમે તેવી વિકટ કેમ ન હોય તેના તરફ જોવાનો તમારો દૃષ્ટિકોણ તમારી હાર કે જીત નક્કી કરે છે. 21 દિવસના લોકડાઉનની સફળતાનો મોટો આધાર આ વાત પર જ છે. આ 21 દિવસ એક કહેવત યાદ રાખજો- બેદરકાર ઘેટું વરુનો શિકાર બને છે !!! અંગ્રેજીમાં બે શબ્દો છે જેનો ભેદ સમજવા જેવો છે. Reaction અને Responce. આપણે આપણી વિવેકશક્તિ (શું સારું અને શું ખરાબ એ પારખવાની શક્તિ)નો ઉપયોગ કરીને જે પ્રતિભાવ આપીએ એ Responce કહેવાય. અને સહેજ પણ વિચાર્યા વગર, તરત જ જે આપીએ એને Reaction કહેવાય.
એક અમેરિકન કપલ વિશ્વ પ્રવાસે નિકળ્યું. તેઓ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં પહોંચ્યા. બંને યુવાન હતા. ત્યાં તેમને "સ્વ-છબી" લેવાનું મન થયું. બે-ચાર આડીઅવળી સેલ્ફી લીધી. આ યુગલે ઉત્સાહમાં આવી લીપ કીસ કરી એક સેલ્ફી લીધી. તરત જ ત્યાંની લોકલ પોલીસે તેમને પકડી જેલ હવાલે કર્યા. સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં. પોલીસે રજૂઆત કરી કે આ બંને મક્કા જેવા પવિત્ર શહેરમાં લીપ કીસ સેલ્ફી લીધી છે. તેમને સજા કરવામાં આવે .પુરાવા તરીકે મોબાઈલ રજૂ કરવામાં આવ્યો. જજે પુરાવા અને પોલીસનો રેકર્ડ જોઈ કપલને પંદર દિવસની જેલ અને 500 સાઉદી રિયાલ દંડની સજા જાહેર કરવામાં આવી.
યુગલે વિનંતી કરી કે આ અન્યાય છે. તમારે અમને સાંભળી પછી ન્યાય આપવો જોઈએ. જજે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી. પેલા વિદેશીએ કહ્યું, "અમે કબૂલ કરીએ છીએ કે અમે સેલ્ફી લીધી. અમે અમેરિકાનાં નિવાસી છીએ. અમે અહી ફરવા માટે આવ્યાં છીએ. અમને તમારાં દેશનાં કાયદા-કાનૂનની જાણ ન હતી. એટલે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો અમને માફ કરો અથવા અમારી સજા ઓછી કરો."
જજે બંનેને સાંભળ્યા. તેઓ ફરીથી ચુકાદો લખવા માંડ્યા. યુગલને આશા બંધાઈ. જજે ચુકાદો સંભળાવ્યો, "આપની વાત પર વિચાર કર્યા બાદ આ અદાલત તમને ત્રીસ દિવસની જેલ અને 1000 સાઉદી રિયાલ દંડની સજા ફરમાવે છે." અમેરિકન દંપતિ તો અવાક થઈ ગયાં. જજે સમજાવતાં કહ્યું, " પહેલાં તમને જે સજા કરવામાં આવી હતી તે સેલ્ફીની સજા હતી. તમારી વાત સાંભળ્યા પછી ખબર પડી કે તમે આ દેશનાં કાયદા-નિયમો વિષે અજાણ છો. કોઈપણ દેશમાં તમે કાયમી કે હંગામી રહો છો તો તે દેશનાં કાયદા-નિયમોની જાણ ન હોવી એ બીજો ગુનો છે."
ભારતમાં ઈન્ડિયન પિનલ કોડમાં 26 ચેપ્ટર અને લગભગ 552 સેક્શન છે તમે આમાંથી કોઈનો ભંગ ન કરો તો સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેચ પણ તમને કોઈ સજા ન કરી શકે !!! નિયમોનું પાલન કરી બચો અને બચાવો.
એક પળને આપણે સાચવી લઈશું તો એ પળ આપણને સાચવી લેશે !!!
જે.કે.સાંઈ
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાના આશ્રમની આ વાત છે. તે શિષ્યોને પ્રશ્નો પૂછી તેની પર ચિંતન-મનન કરાવતાં. સીધો ઉપદેશ ન આપતાં. તેમનાં સવાલો સાંભળવામાં અને જવાબ આપવામાં સાવ સરળ લાગતાં હતાં. એક દિવસ ગુરૂજીએ પૂછ્યું ,"વત્સ ! સવાર પડી ક્યારે ગણાય ?" કેટલો ઈઝી પ્રશ્ન છે ને. આમ તો સંસારમાં જે કામ સરળ છે, તે જ સૌથી અઘરાં છે. સવારે ઊઠવું સરળ છે પણ ઉઠી શકાય છે ? સાચું બોલવું કેટલું સરળ છે પણ બોલી શકાય છે ? દરરોજ વીસેક મિનિટ કસરત કરવી જોઈએ. કેટલું સરળ છે. પણ થઈ શકે છે. ડેઈલી પાંચ માણસોની પ્રસંશા કરવી. આમાં જીભને તકલીફ પડવાની છે ? એક પૈસાનો ખર્ચ થવાનો છે ? છતાં થઈ શકે છે ??? પ્રભુ ઈસુએ કહ્યું કે પોતાના પાડોશીને પ્રેમ કરો. જો પાડોશીને પ્રેમ કરવો સરળ હોત તો પ્રભુ આવો ઉપદેશ આપે ખરાં ? જે સરળ લાગે છે એ જ સૌથી કઠિન છે.
શિષ્ય નંબર એક- "બાપજી, કૂકડો બોલે એટલે સવાર પડી ગણાય."
શિષ્ય નંબર બે- "મહારાજ, થોડું થોડું મોંસૂઝણું થાય એટલે સવાર પડી કહી શકાય."
શિષ્ય નંબર ત્રણ - "દૂર ક્ષિતિજમાં સૂર્ય ડોકિયું કરે એટલે સવાર થઈ કહેવાય."
શિષ્ય નંબર ચાર - "દૂરથી માનવ આકૃતિ દેખી શકાય ત્યારે સવાર પડી કહેવાય."
શિષ્ય નંબર પાંચ - "હે વંદનીય, દૂરથી માનવ અને પશુ ઓળખાઈ જાય એટલું અજવાળું થાય એટલે સવાર."
શિષ્ય નંબર છ - "બાપજી, થોડેક દૂરથી માણસ દેખાય અને આપણે તેમાં સ્ત્રી છે કે પુરૂષ તેનો ભેદ કરી શકીએ એટલે સવાર પડ્યું કહેવાય."
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ પોતાની શ્વેત દાઢી પસવારતાં કહ્યું, "મૂરખો ! તમે તો ભૂગોળ અને વિજ્ઞાન શિખ્યા પરંતુ માનવતા ન શિખ્યા ?? જ્યારે સામે આવનાર દરેક સ્ત્રી મારી માતા છે, બહેન છે, પુત્રી છે અને સામે આવનાર દરેક પુરૂષ મારો ભાઈ છે, પિતા છે કે પુત્ર છે એમ સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. કોઈનું અણહકનું મારાથી ન લેવાય એ વાત સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. પોતાનાં પાપોનો પસ્તાવો થાય અને ફરીથી આવું પાપ નહી કરું એમ દિલમાં થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. નાત-જાત, ધર્મ-રંગ જોયા વિના હું દરેકનું ભલું કરવા પ્રયત્ન કરીશ એવી ભાવના ઊગે ત્યારે સવાર પડ્યું કહેવાય. મને ભગવાને જે કાર્ય કે વ્યવસાય સોંપ્યો છે તેમાં કદાપિ કામચોરી નહી કરું એમ થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. બાકી તો ઘૂવડને સૂર્ય ઊગે તો ય ક્યાં સવાર પડે છે ?"
એક શ્રેષ્ઠ માતા પોતે ઊંધું ચાલીને પણ પોતાના બાળકને સીધું ચાલતાં શીખવે છે અને આપણાં સમાજની અનેક હસ્તીઓ પોતે ઊંધું ચાલીને બીજાને અવળું ચાલતાં જ શીખવે છે. આનું બેમિસાલ ઉદાહરણ ચીન ખાતે નોંધાયેલું છે. ઈ.સ. 1959-1961 દરમ્યાન ચીનના માઓ ઝેદોંગનું શાસન હતું. તેણે ચીનાઓને ત્રણ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યુ. (1) ખેતરના પાકને નુકશાન કરનારાં માખી-ઉંદર-મચ્છર અને ચકલીઓનો નાશ કરો. (2) જમીનમાં ખૂબ ઊંડી ખેડ કરો. (3) ખેતરમાં રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન કરો.
નતીજા ??? માખી-ઉંદર-મચ્છર તો સમજાય. ચકલીઓના નાશથી ખેતરનાં જીવડા-જીવાત ખાનાર કોઈ રહ્યું નહી. તમામ મોલ નાશ પામ્યો. અત્યંત ઊંડી ખેડ કરવાથી જમીનનની નીચે રહેલ રેતી ઉપર આવી ગઈ. ઉત્પાદન ઘટ્યું. રાસાયણિક ખાતર બંધ કર્યું ઉત્પાદન ઓછું થયું. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન માનવસર્જિત દુષ્કાળનું ભોગ બન્યું. ટોટલ મૃત્યુઆંક- 4.5 કરોડ. તે પૈકી ત્રીસ લાખ લોકોએ તો આત્મહત્યા કરી પ્રાણ ત્યાગ્યા હતા. ક્યારેક તમારી ધ્યાને એક વૈજ્ઞાનિક સંશોધન આવ્યું હશે. ધારી લો કે આજે તા. 30/03/2020 ના રોજ વિશ્વની તમામ મધમાખીઓએ નાશ પામે છે. તો તા. 30/03/2024 સુધીમાં માનવજાત ભૂતકાળ બની જશે !!! મધમાખીના વિનાશના ચાર વર્ષમાં જ "નાશ પામેલ પ્રજાતિ" માં આપણો સમાવેશ થઈ જશે.
લોકડાઉનના સમયમાં આપણી એક ભૂલથી આવનાર સમયમાં લગ્ન પ્રસંગ કરતાં શ્રધ્ધાંજલિના પ્રસંગો વધુ એટેન્ડ કરવા પડશે ! સ્મશાન અને કબ્રસ્તાનમાં "હાઉસફુલ"નો નજારો જોવા મળશે ! તલાટીઓના ચોપડાઓમાં પ્રથમવાર જન્મદર કરતાં મૃત્યુદર વધી જશે ! સમયનો તકાદો છે કે પોત પોતાને ગમે એવું ન કરો, એકબીજાને ગમે એવું કરો. શક્તિ પ્રદર્શન બંધ કરો. સહનશક્તિ પ્રદર્શન ચાલુ કરો. અત્યારે આપણી પરીક્ષા છે. આ પરીક્ષાનું ફોર્મ જાતે ભરવાનું છે. અભ્યાસક્રમ જાતે સિલેક્ટ કરવાનો છે. જાતે ભણવાનું છે. પેપર પોતે જ કાઢવાનું છે. પેપર જાતે તપાસવાનું છે. માર્ક્સ જાતે આપવાના છે. લોકડાઉન પૂરું થાય પછી નક્કી કરજો કે પાસ કે નાપાસ ???
ખેતરની વાડ નબળી હોય તો પાકનું ઉત્પાદન ઘટે છે એવું અમારા ગામનાં ખેડૂતો કહે છે ! એક સમયે રોમન સામ્રાજ્ય પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. છતાં તેનો નાશ થયો. તમે એકવાર પહેલવાન બની જાઓ પછી કસરત ન કરો, પૌષ્ટિક આહાર ન લો, વ્યસનો કરો તો શું થાય ? બસ, આજ રોમન સામ્રાજ્યનું થયું. અત્યારે ઘરમાં ભરાઈ રહેવું એ કાયરતા નથી. સમય જોઈને કામ કરવું. સમય ખરાબ ચાલતો હોય ત્યારે તનિષ્કના માલિકે પણ બગસરાના દાગીના પહેરીને ફરવું પડે !!! દુશ્મન મોટી સંખ્યામાં હોય, આપણાથી બળવાન હોય ત્યારે ગેરીલા (છૂપાઈને) યુધ્ધ કરવું જ ડહાપણ ભરેલું છે એવું છત્રપતિ શિવાજીએ કહેલું છે.
એક વાત નોટ કરી હશે, ક્રિકેટની રમતમાં ખેલાડી રન આઉટ થાય ત્યારે વધારે દુ:ખી થાય છે, વધારે ગુસ્સે થાય છે !!! સમજદારકો ઈશારા કાફી હૈ ! રન આઉટ થવું છે ???
જે.કે.સાંઈ
આર્થર શોપેનહાવર જર્મનીના એક મહાન દાર્શનિક હતાં. આજે પણ દુનિયાનાં મહાન દાર્શનિકોમાં એમનું સ્થાન છે. ભારતીય ઉપનિષદોના ચાહક હતાં. એમનાં અભ્યાસના ટેબલ પર સદા ઉપનિષદનું પુસ્તક રહેતું. દરરોજ રાત્રે સૂતાં પહેલાં તેઓ ઉપનિષદ આવશ્ય વાંચતાં. તેઓ જાહેરમાં એમ કહેતાં કે,"મને ઉપનિષદોથી શાંતિ મળી છે. આનાથી જ મને મૃત્યુ સમયે શાંતિ મળશે."
આ આર્થર શોપેનહાવરના જીવનનો એક સત્ય પ્રસંગ છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે જમવા નિયમિત જતાં. ત્યાં જઈને ઓર્ડર આપતાં પહેલાં પોતાનાં કોટના ખિસ્સામાંથી એક ગોલ્ડ કોઈન કાઢતાં. તેને ટેબલ પર મૂકતાં. પછી ઓર્ડર આપતાં. જમી લીધાં બાદ પેલો સિક્કો પાછો કોટનાં ખિસ્સામાં મૂકીને જતાં રહેતાં. વેઈટરોને હંમેશા એ સિક્કો ટીપમાં મળશે એની લાલચ રહેતી. એવું ક્યારેય થયું નહી. શોપેનહાવર વેઈટરોને ટીપ આપતાં પણ પેલો ગોલ્ડ કોઈન તો નહી. આ ક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો.
એક દિવસ એક વેઈટરે હિંમત કરી આર્થર શોપેનહાવરને કહ્યું, "સર, આપ દરરોજ આ ગોલ્ડ કોઈન કાઢીને ટેબલ પર મૂકો છો પણ કોઈને આપતાં કેમ નથી ?" શોપેનહાવરે નિરાશાના સ્વરે કહ્યું, "ભાઈ, આ સિક્કો હું આપવા માટે જ દરરોજ બહાર કાઢું છું. બસ મારી એક નાની શરત મેં નક્કી કરી છે. એ શરત કોઈ પૂરી કરે એને હું આ સિક્કો આપવાનો હતો. પણ આજદિન સુધી એ શરત કોઈએ પૂરી ન કરી." વેઈટરને રસ પડ્યો. "સર, એ શરત કઈ એ હું જાણી શકું છું ? જરૂર એ શરત કઠિન હશે ?" શોપેનહાવરે કહ્યું, "ના, શરત સાવ સરળ હતી. મેં એવી શરત નક્કી કરી હતી કે હું જ્યારે આ રેસ્ટોરન્ટમાં આવું અને અહીનાં કોઈ ટેબલ પર માત્ર ભગવાનની સારી વાતો થતી હોય એ ટેબલવાળાને હું આ સોનાનો સિક્કો આપીશ.અફસોસ એવો કોઈ વ્યક્તિ આજદિન સુધી આ રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો નથી." નિરાશ થઈને કહેવું પડે છે કે આર્થર શોપેનહાવર આજે જીવિત હોત તો પણ પેલો ગોલ્ડ કોઈન હજુ સુધી એમનાં કોટનાં ખિસ્સામાં જ હોત !!!
ક્યારેય આપણી વાતોના વિષય પર ધ્યાન આપ્યું છે ? ભગવાન સૌથી ગૌણ વિષય છે. કદાચ તેમના વિષે વાત થાય તોય એ નકારાત્મક જ હોય. સત્ય એ છે કે આપણે મંદિરની નજીક ગયાં પણ ભગવાનથી દૂર થતાં ગયાં. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને ધાર્મિક સંસ્થાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની ગયો છે. આગથી દૂર જવાના નિર્ણયથી આગની ગરમીમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે ઠંડા પડી જઈએ છીએ. અજવાળાથી દૂર જવાનાં નિર્ણયથી અજવાળાની ચમક સહેજ પણ ઓછી થતી નથી. હા, આપણે જરૂર અંધકારમાં ડૂબી જઈએ છીએ. આ જ વાત ઈશ્વરને પણ લાગુ પડે છે.
આપણી સમજણ અને જ્ઞાન કેટલાં અવિકસિત છે એની ખબર છે ? ચાલો, એક વાતનો જવાબ આપો. આપણાં શરીરમાં કેટલાં અંગો ડબલ (બે-બે) છે ? સમય મર્યાદા પાંચ મિનિટ. તમે તમારા શરીર સાથે વર્ષોથી જીવી રહ્યાં છો એટલે આમ તો પાંચ મિનિટનો સમય પણ ન અપાય. છતાં દયાભાવ રાખી તમને એટલો સમય આપ્યો. હવે ગણવા માંડો. હવે ઓથોરાઈઝ જવાબ સાથે સરખાવો- આંખ, ભ્રમરો, ગાલ, નાકનાં ફોયણા, હોઠ, ખભા, હાથ, બગલો, કોણી, હાથનાં અંગૂઠા, હથેળી, કાંડાં, પગ, ઢીંચણ, એડી, પગના અંગૂઠા, કૂલા, ફેફસા, કિડની, આંતરડાં વગેરે વગેરે.....જેને પોતાનાં શરીર વિષે ખ્યાલ નથી એને ઈશ્વરના વિષે પ્રશ્ન કરવાનો હક પણ નથી.
ઈશ્વરને ભૂલ્યા એટલે આજે એવી સ્થતિ આવી કે કૂતરાઓના સારા દિવસો આવ્યાં અને માણસોનાં ખરાબ દિવસો આવ્યાં..... કોરોના આપણી માનસિકતા બદલવા આવ્યો છે. ઈશ્વરની વાતો કરવાના બદલે ઈશ્વરના કામ કરીએ. ઘણાં કહે છે હું અગિયારસ રહ્યો છું, કોઈ કહે છે કે હું ગુરૂવાર રહ્યો છું, કોઈ વળી કહે છે હું શનિવાર રહયો છું. એ સાંભળવા કાન તલસી રહ્યાં છે કે કોક કહે હું હખણો રહ્યો છુ. આ બધુ હખણાં ન રહયાનું પરિણામ છે.
કેવા ભયંકર માહોલમાં જીવી રહ્યાં છીએ. રાતે સૂઈ જઈએ અને સવારે જીવતા ઊઠીએ છીએ ને એનો આભાર માનો. દરરોજ બર્થ ડે ઉજવવો પડે એવી દુ:ખદાયક ખુશી પહેલીવાર જોઈ છે. કુદરતે માણસ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય એવી સિચ્યુએશન ઊભી થઈ છે. બાટાનાં શોરૂમમાં જઈને કહો, બૂટ છે ? શો રૂમનો માલિક કહેશે, "ના". ચંપલ છે ? ના. સેન્ડલ છે ? ના. સ્લીપર છે ? ના. લૂફર છે ? ના. આપણે એને શું કહીશું ? ભાઈ, જો આ કશું જ તારાં શો રૂમમાં ન હોય તો દુકાન બંધ કરી દે. હવે તમારો અને મારો વારો. દયા છે ? ભાઈચારો છે ? માનવતા છે ? પ્રેમ છે ? વિનય છે ? વિવેક છે ? ભલમનસાઈ છે ? જવાબ ના છે તો બાટાવાળાને જે જવાબ આપ્યો હતો તે આપણે સ્વીકારી લઈએ.
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને ખ્યાતનામ લેખક ખુશવંતસિંહ ભગવાનમાં માનતા ન હતાં. આપણે તેમનું આંધળું અનુકરણ કરીએ છીએ. એમનાં તર્ક અને નોલેજની હાઈટ ઘણી હતી. એટલી ઊંચાઈ આપણી નથી. કોઈનો વિરોધ કરવા આપણાં પોતાનાં મૌલિક તર્ક હોવાં જોઈએ તો વિરોધ સાર્થક ગણાય.
કાળરાત્રીમાં તારાઓ વધુ ચમકે છે. આપણી કાળરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણી એક માન્યતા એવી છે કે પ્રભુ કોઈપણ રૂપ ધારણ કરી શકે છે. હાલ પ્રભુ ક્યાં રૂપે સમાજમાં વિચરી રહ્યો છે તે સમજાવવું જરૂરી નથી. બીજાને મદદરૂપ બનજો. કોઈની મુશ્કેલીમાં આનંદ ન અનુભવજો. ક્યાક ઈશ્વર તમને એ મુશ્કેલી ભેટ રૂપે ન આપી દે. કેમકે ભગવાન એ જ આપે છે જેમાં તમને આનંદ મળતો હોય !!!
જે.કે.સાંઈ
कई दशकों पहले टीबी जानलेवा बीमारी थी । जिसको टीबी हुई उसका मरना तय था .. कोई छह महीनें में मर जाता तो कोई 12 महीनें में .. मरना तय था। 1949 में टीबी की दवाई खोजी गयी लेकिन दुनिया के हर आम आदमी तक इस दवाई को पहुँचने में लगभग तीस साल लगे । पचास , साठ और सत्तर के दशक तक भारत में भी किसी को टीबी हो जाना मतलब मृत्यु का आगमन ही था । टीबी कन्फर्म की रिपोर्ट आते ही मरीज आधा तो डर से ही मर जाता था ।
टीबी की इसी दहशत के माहौल में साठ के दशक की एक घटना है । फ्राँस के टीबी हॉस्पिटल की । हॉस्पिटल में चालीस रूम थे । वहाँ टीबी के जितने मरीज भर्ती होते थे उनमें से से तीस प्रतिशत मरीज ही ठीक होकर घर जा पाते थे बाकि सत्तर प्रतिशत मरीज उन्ही दवाईयों को खाने के बाद भी नही बच पाते थे । डाक्टरों के लिये भी ये मृत्यु का ये प्रतिशत एक चुनौती बन गया था । किसी को समझ नही आ रहा था कि वही दवाइयाँ देने पर कुछ लोग बिल्कुल ठीक हो जाते है और बाकि नही बच पाते ।
एक बार जब इसी विषय पर एक गंभीर मीटिंग हुई तब एक नर्स ने बोला ... क्या आप सबने एक बात नोट की है ? पीछे की तरफ जो बारह कमरे बने है उन कमरों में आजतक कोई मौत नही हुई ..वहाँ जितने भी मरीज आये सभी ठीक होकर घर गये !
नर्स की बात से सारा मैनेजमेंट सहमत था .. आखिर ऐसा क्यूँ होता है ये जानने के लिये एक मनोचिकित्सक को बुलाया गया । पूरे हॉस्पिटल का अच्छे से मुआयना करके मनोचिकित्सक ने बताया ... ' टीबी की बीमारी छूत की बीमारी है इसलिये आप मरीज को रूम में अकेला ही रखते है । दिन में एक बार डाक्टर और तीन-चार बार नर्स जाती है बाकि पूरे समय मरीज अकेला रहता है । टीबी से कमजोर हो चुका मरीज पूरे दिन अपने बिस्तर पर पड़ा खिड़की से बाहर देखता रहता है । आगे की तरफ जो 28 कमरे बने है उनकी खिड़की से बाहर देखने पर खाली मैदान , दो चार बिल्डिंग और दूर तक आसमान नजर आता है .. मौत की आहट से डरे हुए मरीज को खिड़की के बाहर का ये सूनापन और डिप्रेस कर देता है जिससे उसकी खुद को जिंदा रखने की विल पावर खत्म हो जाती है..फिर उसपर दवाइयाँ भी काम नही करती और उसकी मौत हो जाती है ...
...जबकि पीछे की तरफ जो 12 कमरे बने है उनके बाहर की और बड़ा बगीचा बना हुआ है .. जहाँ सैकड़ो पेड़ और फूलों के पौधें लगे हुए है । पेड़ो की पत्तियों का झड़ना फिर नयी पत्तियाँ आना ..उनका लहराना .. तरह तरह के फूल खिलना .. ये सब खिड़की से बाहर देखने वाले मरीजों में सकारात्मकता लाते है .. इससे उनकी सोच भी पॉजिटिवहो जाती है .. इन पेड़ पौधों को देखकर वो खुश रहते है ..मुस्कुराते है .. उन्हें हर पल अपनी संभावित मृत्यु का ख्याल नही आता ..इसलिये उन मरीजों पर यही दवाइयाँ बहुत अच्छा असर करती है और वो ठीक हो जाते है ।
पॉजिटिव एनर्जी और पॉजिटिव सोच व्यक्ति को विपरीत परिस्थितियों में भी जिंदा रख सकती है ।
देश कोरोना से तो लड़ ही रहा है ..साथ ही जरूरत है इस लंबी लड़ाई में अपनी सोच को सकारात्मक रखने की ताकि हमारी 'विल पावर' हमेशा हाई रहे .. *ताली बजाकर आभार जताना हो या दिये जलाकर खुद को देश के साथ खड़ा दिखाने की कवायद हो* .. ये आपकी सकारात्मक ऊर्जा को बढ़ाने की कोशिश ही है ..
ना तब फ्राँस के उस हॉस्पिटल में उन पेड़ - पौधों से मरीज ठीक हुए थे और ना ही आज भारत में दिये जलाने से कोरोना का ईलाज हो जायेगा लेकिन इस लड़ाई में वही जीयेगा जो सकारात्मकता से भरा होगा ...
निगेटिव लोग तो वैसे भी खुद के और समाज के दुश्मन होते ही है ।