સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળા એમનાં આશ્રમમાં બિરાજમાન હતાં. એક જિજ્ઞાસુ ભક્ત ત્યાં આવ્યો. "સ્વામી, ઘણાં સમયથી મનમાં એક પ્રશ્ન છે. જવાબ મેળવવા અનેક મહાત્માઓને મળ્યો. અફસોસ ! હજુ મને મારાં સવાલનો ઉત્તર મળી શક્યો નથી. મધ્ય ગુજરાતમાં આપનું ઘણું નામ છે. કેટલાંક બાવાઓનો જેલવાસ આપને ફળ્યો છે." સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ હળવેકથી કહ્યું, "હે મોબાઈલયુગના પામર જીવ ! વ્યાજસ્તુતિ અલંકારમાં વાત કર્યા વિના તારો પ્રશ્ન જણાવ."
"લો તારે, એ જણાવો કે ભગવાન છે ? જો હા છે, તો એ દેખાતો કેમ નથી ?"
સ્વામી તો એકદમ સહજ હતાં. "બોલ, થીયરી સમજાવું કે પ્રેક્ટિકલ સમજાવું ?"
ભક્ત- સ્વામી, આપણને પ્રેક્ટિકલમાં જ રસ છે.
સ્વામીજીએ એક કાગળ લીધો અને પેન્સિલથી એમાં 'ભગવાન' એમ લખ્યું. "વત્સ, આ શું લખ્યું છે ?"
ભક્ત- ભગવાન
સ્વામી- "ભગવાન" બરાબર દેખાય છે ને ?"
ભક્ત- હા
સ્વામી- તારી પાસે દસની નોટ છે ?
ભક્ત- હા
સ્વામી-લાવ.
સ્વામીએ દસની નોટ પેલા કાગળનાં ટુકડા પર મૂકી દીધી.
સ્વામી- હવે બોલ, ભગવાન દેખાય છે ?
ભક્ત- ના.
સ્વામી- કેમ ?
ભક્ત- રૂપિયા આડા આવે છે.
સ્વામી- હવે તું જઈ શકે છે. તારાં પ્રશ્નનો જવાબ તારી પાસે જ હતો. તરણાં ઓથે ડુંગર. જ્યારે આપણને કોઈ વસ્તુ હોવા છતાં દેખાતી નથી તો તેના સંભવત: બે કારણ હોઈ શકે છે. કાં તો આપણી નજર નબળી છે અથવા કશુંક આડું આવે છે. આપણને તો નોટો ઉપરાંતેય ઘણું ઘણું આડું આવે છે.
આ બધું સાંભળવામાં સારું લાગે છે. ઉપરાંત આવી વાતોથી લાગણીશીલ વ્યક્તિઓને સમજાવી શકાય છે. સ્ટીફન હોકિંગ એક મહાન સાઈન્ટીસ્ટ થઈ ગયાં. તે સંપૂર્ણ નાસ્તિક હતાં. એમનાં બેવાર છૂટાછેડા થયાં હતાં. પહેલાં ડાયવોર્સનું કારણ- એમનાં પત્ની પૂર્ણ આસ્તિક અને આપણાં હોકિંગભાઈ એનો બીજો છેડો. બંને વચ્ચે મનમેળ ન થયો. આ માણસે બિગ બેંગ થીયરી સમજાવી છે. જેને ખબર છે કે આ બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું છે એ ભલા આપણાં ભગવાનમાં કેવી રીતે વિશ્વાસ કરે ? જેનાં મગજ સુવિકસિત હોય છે એનાં હૃદય અર્ધવિકસિત હોવાની પૂરી શક્યતા છે. સ્ટીફન હોકિંગે ઈશ્વર અને પુન:જન્મ બંને માન્યતાઓનો સજ્જડ ઈન્કાર કરેલ છે.
બ્ટ્રાન્ડ રસેલ નામનાં નાસ્તિક બુદ્ધિજીવીએ એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે- "WHY I AM NOT A CHRISTAIN ?" આ પુસ્તકમાં હું કેમ ખ્રિસ્તી નથી બન્યો એનાં તર્ક રજૂ કર્યા છે. એમ ન માનસો કે આ માત્ર ખ્રિસ્તી ધર્મને જ લાગુ પડે છે. વિશ્વનાં તમામ ધર્મો તેની લપેટમાં આવી જાય છે. એમ માનવામાં આવે છે કે આ લેખકનાં તર્કને તોડવા અત્યંત કઠિન છે. નાસ્તિક બનવા માટે અતિ મેધાવી બુદ્ધિની જરૂર પડે છે.
જાણીને અત્યંત અચરજ થશે કે ધાર્મિક બનવા માટે ભગવાનની કોઈ જરૂર નથી. તમારી અને મારી આજુબાજુ એવા ધર્મો છે જેમાં કોઈ ભગવાન નથી અને છતાં આ ધર્મમાં માનનારાં સૌ ધાર્મિક કહેવાય છે. બૌધ્ધ અને જૈન ધર્મમાં ભગવાન નથી. ત્યાં શ્રમણ પરંપરા છે. શ્રમ કરી જ્ઞાન અને જે કઈ મેળવવું છે તે મેળવો. બુદ્ધએ કોઈ ભગવાનની મૂર્તિ કે છબીની પૂજા કરી નથી અને પૂજા કરવા કહ્યું પણ નથી. જૈન ધર્મમાં જે મૂર્તિઓ જોવા મળે છે એ તીર્થંકરોની મૂર્તિઓ છે. આવી વ્યવસ્થા હોવાં છતાં આ બંને ધર્મના અનુયાયીઓ ધાર્મિક જ છે, નાસ્તિક હરગીઝ નથી.
આપણાં ધર્મોમાં કેટલાંક પાખંડીઓ ઘૂસી ગયાં છે. જેનાં લીધે ધર્મ અને પંથના નામ બદનામ થાય છે. આવાં લોકોની કરતૂતોથી અસંખ્ય લોકોએ ધર્મને દૂરથી જ રામ રામ કરવાનું ચાલુ કર્યું છે. આ બિચારાં પોતાને નાસ્તિક કહેવડાવે છે પણ હકીકતમાં તે નાસ્તિક નથી પણ પાખંડીઓથી દાઝેલાં સજજનો છે. જો કોઈ સારો આશરો મળે તો આ લોકો ઘર વાપસી માટે તૈયાર હોય છે. અત્યારની ધાર્મિક પરિસ્થિતિ એવી નાજુક છે કે અહી કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની છૂટ નથી. દરેક ધર્મના શાસ્ત્રો પાસે એ સવાલોના તાર્કિક જવાબો છે. પણ સિનિયર કેજીનાં પાખંડીઓ ક્વોન્ટમ થિયરી ક્યાંથી સમજાવી શકે ???
જોગીદાસ ખુમાણને એક રજવાડાનાં રાજાએ મહેમાનગતિએ તેડાવ્યાં. જોગીદાસ એક બહારવટિયા હતાં. એમનાં માનમાં રાજાએ નાચ-ગાનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. રાજા, દરબારીઓ અને જોગીદાસે સ્થાન ગ્રહણ કર્યું એટલે મહેફિલ શરૂ કરવામાં આવી. ચાર નવયુવાન યુવતીઓએ પોતાનાં નાચ શરૂ કર્યા. સોળથી માંડીને અઢાર વર્ષ સુધીની એ કન્યાઓ માદક અદાઓથી નાચી રહી હતી. આ બાજુ જોગીદાસની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયો. કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો.
રાજાએ પૂછ્યું, "જોગીદાસ કાઈ થયું છે ? આપ કેમ રડો છો ? ત્યારે જોગીદાસ બોલ્યા, "મહારાજ, આ મારી દીકરીઓ સમાન નૃત્યાંગનાઓના નાચ હું નહી જોઈ શકું. આ પાપ છે. જો મને પહેલાથી ખબર હોત કે તમે આવો કાર્યક્રમ કરવાના છો તો હું અહી ન આવ્યો હોત. મને માફ કરજો. હું એક ક્ષણ પણ હવે અહી રોકાઈશ નહી." જોગીદાસ ખુમાણ ચાલી નીકળ્યા. એક સંત કક્ષાનું જીવન બહારવટિયો જીવતો હતો. જે દેશનાં ડાકુઓ પણ પવિત્ર જીવન જીવી જાણતાં હોય તે દેશનાં ધાર્મિક વડાઓ પાસેથી કેવી અપેક્ષાઓ રખાય ? એટલું સમજાય તોય ઘણું છે.
ઓગસ્ટ કોમ્ટ નામનો એક ફ્રેંચ સમાજશાસ્ત્રી થઈ ગયો. તેણે ધાર્મિક સ્તરનાં ત્રણ પેટા સ્વરૂપો સમજાવ્યા છે. (1) જડત્વવાદ- આ ધાર્મિક સ્તરનાં પ્રથમ તબક્કામાં માનવી જડ-ચેતન પદાર્થોમાં ઈશ્વર રહેલો છે એમ માને છે. તે વૃક્ષો, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, પશુ-પક્ષીઓની પૂજા કરે છે. કુદરતના વિવિધ તત્વોમાં ઈશ્વરનો વાસ છે એમ માને છે.
(2) અનેકેશ્વરવાદ- આ ધાર્મિક સ્તરનો બીજો તબક્કો છે. આ તબક્કામાં ધાર્મિક વિચારો વધુ વિકસિત થાય છે. અનેક અમૂર્ત દેવો આ સંસારનું સંચાલન કરે છે એમ માને છે. એક કરતાં વધુ દેવી-દેવતાઓને પૂંજે છે. આદિવાસી અને હિન્દુ ધર્મમાં આ માન્યતા સૌથી વધુ જોવા મળે છે.
(3) એકેશ્વરવાદ- આ ત્રીજા તબક્કામાં માનવી ચિંતન કરતો થાય છે. તર્ક કરતો થાય છે. ચિંતનમાં શુદ્ધિ આવે છે. માનવી એ વાત સ્વીકારતો થાય છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓનું સંચાલન કોઈ સર્વોપરી શક્તિ કે સત્તા વડે થાય છે.
આગળ જતાં માનવીની બુદ્ધિ અતિ વિકસીત થાય ત્યારે તે માને છે કે દરેક પ્રાકૃતિક ઘટનાઓમાં વિજ્ઞાન છૂપાયેલું છે. ત્યારે તે ભગવાનને પણ છોડી વિજ્ઞાનને જ ભગવાન માનવા લાગે છે. જો કે આ સમયને આવતાં હજુ હજારો વર્ષ લાગવાનાં છે.
ભર્તૂહરીએ નિતીશતકમાં એક શ્લોક દ્વારા કહ્યું છે,
દેવોને નમસ્કાર કરીએ છીએ. ખરેખર તો તેઓ પણ નિષ્કૃષ્ટ ભાગ્યને વશ હોય છે. ભાગ્ય વંદનીય છે, પરંતુ તે પણ કર્મનું નક્કી થયેલું ફળ આપનાર છે. ફળ કર્મને આધીન હોય તો દેવોના સમૂહનું શું પ્રયોજન અને ભાગ્યનું શું પ્રયોજન ? જેમના પર ભાગ્યનો પણ પ્રભાવ પડતો નથી. તે કર્મોને નમસ્કાર હો !
જે.કે.સાંઈ
"લો તારે, એ જણાવો કે ભગવાન છે ? જો હા છે, તો એ દેખાતો કેમ નથી ?"
સ્વામી તો એકદમ સહજ હતાં. "બોલ, થીયરી સમજાવું કે પ્રેક્ટિકલ સમજાવું ?"
ભક્ત- સ્વામી, આપણને પ્રેક્ટિકલમાં જ રસ છે.
સ્વામીજીએ એક કાગળ લીધો અને પેન્સિલથી એમાં 'ભગવાન' એમ લખ્યું. "વત્સ, આ શું લખ્યું છે ?"
ભક્ત- ભગવાન
સ્વામી- "ભગવાન" બરાબર દેખાય છે ને ?"
ભક્ત- હા
સ્વામી- તારી પાસે દસની નોટ છે ?
ભક્ત- હા
સ્વામી-લાવ.
સ્વામીએ દસની નોટ પેલા કાગળનાં ટુકડા પર મૂકી દીધી.
સ્વામી- હવે બોલ, ભગવાન દેખાય છે ?
ભક્ત- ના.
સ્વામી- કેમ ?
ભક્ત- રૂપિયા આડા આવે છે.
સ્વામી- હવે તું જઈ શકે છે. તારાં પ્રશ્નનો જવાબ તારી પાસે જ હતો. તરણાં ઓથે ડુંગર. જ્યારે આપણને કોઈ વસ્તુ હોવા છતાં દેખાતી નથી તો તેના સંભવત: બે કારણ હોઈ શકે છે. કાં તો આપણી નજર નબળી છે અથવા કશુંક આડું આવે છે. આપણને તો નોટો ઉપરાંતેય ઘણું ઘણું આડું આવે છે.
આ બધું સાંભળવામાં સારું લાગે છે. ઉપરાંત આવી વાતોથી લાગણીશીલ વ્યક્તિઓને સમજાવી શકાય છે. સ્ટીફન હોકિંગ એક મહાન સાઈન્ટીસ્ટ થઈ ગયાં. તે સંપૂર્ણ નાસ્તિક હતાં. એમનાં બેવાર છૂટાછેડા થયાં હતાં. પહેલાં ડાયવોર્સનું કારણ- એમનાં પત્ની પૂર્ણ આસ્તિક અને આપણાં હોકિંગભાઈ એનો બીજો છેડો. બંને વચ્ચે મનમેળ ન થયો. આ માણસે બિગ બેંગ થીયરી સમજાવી છે. જેને ખબર છે કે આ બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું છે એ ભલા આપણાં ભગવાનમાં કેવી રીતે વિશ્વાસ કરે ? જેનાં મગજ સુવિકસિત હોય છે એનાં હૃદય અર્ધવિકસિત હોવાની પૂરી શક્યતા છે. સ્ટીફન હોકિંગે ઈશ્વર અને પુન:જન્મ બંને માન્યતાઓનો સજ્જડ ઈન્કાર કરેલ છે.
બ્ટ્રાન્ડ રસેલ નામનાં નાસ્તિક બુદ્ધિજીવીએ એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે- "WHY I AM NOT A CHRISTAIN ?" આ પુસ્તકમાં હું કેમ ખ્રિસ્તી નથી બન્યો એનાં તર્ક રજૂ કર્યા છે. એમ ન માનસો કે આ માત્ર ખ્રિસ્તી ધર્મને જ લાગુ પડે છે. વિશ્વનાં તમામ ધર્મો તેની લપેટમાં આવી જાય છે. એમ માનવામાં આવે છે કે આ લેખકનાં તર્કને તોડવા અત્યંત કઠિન છે. નાસ્તિક બનવા માટે અતિ મેધાવી બુદ્ધિની જરૂર પડે છે.
જાણીને અત્યંત અચરજ થશે કે ધાર્મિક બનવા માટે ભગવાનની કોઈ જરૂર નથી. તમારી અને મારી આજુબાજુ એવા ધર્મો છે જેમાં કોઈ ભગવાન નથી અને છતાં આ ધર્મમાં માનનારાં સૌ ધાર્મિક કહેવાય છે. બૌધ્ધ અને જૈન ધર્મમાં ભગવાન નથી. ત્યાં શ્રમણ પરંપરા છે. શ્રમ કરી જ્ઞાન અને જે કઈ મેળવવું છે તે મેળવો. બુદ્ધએ કોઈ ભગવાનની મૂર્તિ કે છબીની પૂજા કરી નથી અને પૂજા કરવા કહ્યું પણ નથી. જૈન ધર્મમાં જે મૂર્તિઓ જોવા મળે છે એ તીર્થંકરોની મૂર્તિઓ છે. આવી વ્યવસ્થા હોવાં છતાં આ બંને ધર્મના અનુયાયીઓ ધાર્મિક જ છે, નાસ્તિક હરગીઝ નથી.
આપણાં ધર્મોમાં કેટલાંક પાખંડીઓ ઘૂસી ગયાં છે. જેનાં લીધે ધર્મ અને પંથના નામ બદનામ થાય છે. આવાં લોકોની કરતૂતોથી અસંખ્ય લોકોએ ધર્મને દૂરથી જ રામ રામ કરવાનું ચાલુ કર્યું છે. આ બિચારાં પોતાને નાસ્તિક કહેવડાવે છે પણ હકીકતમાં તે નાસ્તિક નથી પણ પાખંડીઓથી દાઝેલાં સજજનો છે. જો કોઈ સારો આશરો મળે તો આ લોકો ઘર વાપસી માટે તૈયાર હોય છે. અત્યારની ધાર્મિક પરિસ્થિતિ એવી નાજુક છે કે અહી કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની છૂટ નથી. દરેક ધર્મના શાસ્ત્રો પાસે એ સવાલોના તાર્કિક જવાબો છે. પણ સિનિયર કેજીનાં પાખંડીઓ ક્વોન્ટમ થિયરી ક્યાંથી સમજાવી શકે ???
જોગીદાસ ખુમાણને એક રજવાડાનાં રાજાએ મહેમાનગતિએ તેડાવ્યાં. જોગીદાસ એક બહારવટિયા હતાં. એમનાં માનમાં રાજાએ નાચ-ગાનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. રાજા, દરબારીઓ અને જોગીદાસે સ્થાન ગ્રહણ કર્યું એટલે મહેફિલ શરૂ કરવામાં આવી. ચાર નવયુવાન યુવતીઓએ પોતાનાં નાચ શરૂ કર્યા. સોળથી માંડીને અઢાર વર્ષ સુધીની એ કન્યાઓ માદક અદાઓથી નાચી રહી હતી. આ બાજુ જોગીદાસની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયો. કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો.
રાજાએ પૂછ્યું, "જોગીદાસ કાઈ થયું છે ? આપ કેમ રડો છો ? ત્યારે જોગીદાસ બોલ્યા, "મહારાજ, આ મારી દીકરીઓ સમાન નૃત્યાંગનાઓના નાચ હું નહી જોઈ શકું. આ પાપ છે. જો મને પહેલાથી ખબર હોત કે તમે આવો કાર્યક્રમ કરવાના છો તો હું અહી ન આવ્યો હોત. મને માફ કરજો. હું એક ક્ષણ પણ હવે અહી રોકાઈશ નહી." જોગીદાસ ખુમાણ ચાલી નીકળ્યા. એક સંત કક્ષાનું જીવન બહારવટિયો જીવતો હતો. જે દેશનાં ડાકુઓ પણ પવિત્ર જીવન જીવી જાણતાં હોય તે દેશનાં ધાર્મિક વડાઓ પાસેથી કેવી અપેક્ષાઓ રખાય ? એટલું સમજાય તોય ઘણું છે.
ઓગસ્ટ કોમ્ટ નામનો એક ફ્રેંચ સમાજશાસ્ત્રી થઈ ગયો. તેણે ધાર્મિક સ્તરનાં ત્રણ પેટા સ્વરૂપો સમજાવ્યા છે. (1) જડત્વવાદ- આ ધાર્મિક સ્તરનાં પ્રથમ તબક્કામાં માનવી જડ-ચેતન પદાર્થોમાં ઈશ્વર રહેલો છે એમ માને છે. તે વૃક્ષો, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, પશુ-પક્ષીઓની પૂજા કરે છે. કુદરતના વિવિધ તત્વોમાં ઈશ્વરનો વાસ છે એમ માને છે.
(2) અનેકેશ્વરવાદ- આ ધાર્મિક સ્તરનો બીજો તબક્કો છે. આ તબક્કામાં ધાર્મિક વિચારો વધુ વિકસિત થાય છે. અનેક અમૂર્ત દેવો આ સંસારનું સંચાલન કરે છે એમ માને છે. એક કરતાં વધુ દેવી-દેવતાઓને પૂંજે છે. આદિવાસી અને હિન્દુ ધર્મમાં આ માન્યતા સૌથી વધુ જોવા મળે છે.
(3) એકેશ્વરવાદ- આ ત્રીજા તબક્કામાં માનવી ચિંતન કરતો થાય છે. તર્ક કરતો થાય છે. ચિંતનમાં શુદ્ધિ આવે છે. માનવી એ વાત સ્વીકારતો થાય છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓનું સંચાલન કોઈ સર્વોપરી શક્તિ કે સત્તા વડે થાય છે.
આગળ જતાં માનવીની બુદ્ધિ અતિ વિકસીત થાય ત્યારે તે માને છે કે દરેક પ્રાકૃતિક ઘટનાઓમાં વિજ્ઞાન છૂપાયેલું છે. ત્યારે તે ભગવાનને પણ છોડી વિજ્ઞાનને જ ભગવાન માનવા લાગે છે. જો કે આ સમયને આવતાં હજુ હજારો વર્ષ લાગવાનાં છે.
ભર્તૂહરીએ નિતીશતકમાં એક શ્લોક દ્વારા કહ્યું છે,
દેવોને નમસ્કાર કરીએ છીએ. ખરેખર તો તેઓ પણ નિષ્કૃષ્ટ ભાગ્યને વશ હોય છે. ભાગ્ય વંદનીય છે, પરંતુ તે પણ કર્મનું નક્કી થયેલું ફળ આપનાર છે. ફળ કર્મને આધીન હોય તો દેવોના સમૂહનું શું પ્રયોજન અને ભાગ્યનું શું પ્રયોજન ? જેમના પર ભાગ્યનો પણ પ્રભાવ પડતો નથી. તે કર્મોને નમસ્કાર હો !
જે.કે.સાંઈ