રામાયણમાં માતા સીતા રાવણ સાથેના સંવાદ વખતે વચ્ચે એક તૃણ રાખે છે, ઘાસનું એક તણખલું મને ઘણું અર્થગાંભીર્ય ધરાવતું લાગ્યું. એનો હેતુ શું છે? વાલ્મિકી રામાયણના સુંદરકાંડમાં એકવીસમાં સર્ગમાં રાવણને પ્રત્યુત્તર આપતા સીતા કહે છે,
दुःखार्ता रुदती सीता वेपमाना तपस्विनी|
चिन्तयन्ती वरारोह पतिमेव पतिव्रता||५-२१-२||
तृणमन्तरतः कृत्वा प्रत्युवाच शुचिस्मिता|
निवर्तय मनो मत्तः स्वजने क्रियतां मनः||५-२१-३||
દુ:ખથી વિકળ રોતી તથા થરથરતી સુંદરી તપસ્વિની સીતા પોતાના પતિવ્રતધર્મની રક્ષા માટે ચિંતા કરતી, શ્રી રામનું સ્મરણ કરતાં પોતાની અને રાવણની વચ્ચે એક તણખલાની આડશ કરી અને જાણે સ્મિત કરતી હોય એમ તણખલા તરફ જોઈને બોલી, ‘હે રાવણ, મારી તરફથી તારા મનને વાળી તારી પોતાની સ્ત્રીઓમાં એને લગાવ.’
रावणम् पृष्ठतः कृत्वा भूयो वचनम्ब्रवीत्|
वाहमौपयिकी भार्या परभार्या सती तव||५-२१-६||
રાવણ તરફ પોતાની પીઠ ફેરવી એ કહેવા લાગી, ‘’હે રાવણ હું બીજાની પત્ની છું, સતી સ્ત્રી છું.
અહીં સીતા પોતાના માટે સતી સ્ત્રી એવો શબ્દપ્રયોગ કરે છે. આપણે ત્યાં પાંચ સતીઓની વાત પ્રચલિત છે જેમને પતિવ્રતધર્મના આદર્શ ગણાય છે, એમને પંચકન્યાઓ કહેવાઈ છે.
अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा।
पंचकन्या: स्मरेतन्नित्यं महापातकनाशम्।।
અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા તથા મંદોદરી; આ પંચકન્યાઓનું નિત્ય સ્મરણ મહાપાપોના નાશ કરનારું છે.
તો એક સતીને તૃણની કેમ જરૂર પડી? તૃણ વિશે એક શ્લોક છે..
उदारस्य तृणं वित्तं शूरस्त मरणं तृणम्।
विरक्तस्य तृणं भार्या निस्पृहस्य तृणं जगत्॥
ઉદાર મનવાળાને ધન તણખલા સમાન છે; શૂરવીરને મૃત્યુ તણખલા જેવું તુચ્છ છે; વિરક્તોને સ્ત્રી (મોહ) તણખલા સમાન છે અને નિસ્પૃહને માટે જગત તણખલા સમાન ક્ષુલ્લક છે.
શ્રી રામ વિશેના રાવણના અપમાનજનક વચનો સાંભળી આંસુ અને ગુસ્સાને લીધે જેની આંખો અને ચહેરો લાલ થઈ ગયા છે એ સીતા પાસેથી ઘાસનું એક તણખલું તોડી પોતાની અને રાવણની વચ્ચે રાખે છે. આના અનેક સાંકેતિક અર્થ હોઈ શકે;
- રાવણ પોતાના પરાક્રમના અનેક વર્ણનો કરે છે, અનેક જીતેલા દેવો વિશે વાત કરે છે ત્યારે સીતા એમ કહેવા માંગતા હોય કે શ્રી રામ જેવા વંટોળ સામે તું માત્ર એક તણખલું છે. રામના પ્રતાપથી તું અજાણ છે એટલે તું મારી પાસે આવી એમના વિશે આવા વચનો કહી રહ્યો છે, પણ જ્યારે રામ આવશે ત્યારે તું એમની સામે આ તણખલા સમાન ટકી શકવાને લાયક પણ નહીં હોય.
- રાવણ સીતાજીને અનેક રત્નો, હીરા, માણેક, નીલમ, અલંકારો અને વસ્ત્રો વગેરેની લાલચ આપે છે; એની સામે સીતાજી એમ પણ કહેવા માંગતા હોઈ શકે કે તારી આ બધી સંપત્તિ રામના પ્રેમની સામે મારે માટે તણખલાં બરાબર ક્ષુલ્લક છે.
- અને અર્થ એમ પણ થાય કે સીતાજી રાવણને કહેવા માંગે છે કે જેમ વનનો અગ્નિ ઘાસના તણખલાંને પળભરમાં ભસ્મ કરી શકે છે તેમ સીતાજીના પતિવ્રતધર્મ અને પવિત્રતા રૂપી અગ્નિ તેને પળભરમાં આ તણખલાની માફક ભસ્મ કરી શકે છે.
- આવી જ તૃણની એક વાત અરણ્યકાડમાં પણ આવે છે. વનવાસ દરમ્યાન ચિત્રકૂટમાં વસવાટ દરમ્યાન એક વાર ઘાસ પર બેઠેલા માતા સીતાના પગ પર મસ્તક રાખી શ્રીરામ નિંદ્રાધીન થયા હતા. ત્યાંથી ઉડીને જઈ રહેલો ઈન્દ્રનો પુત્ર જયંત આ દૈવી યુગલને જોઈ ગયો, જેમ એક કીડી સમુદ્રની ઊંડાઈનું માપ કાઢવા માંગતી હોય એમ એ શ્રી રામના બળનું માપ કાઢવા માંગતો હતો, એટલે એણે એક કાગડાનું રૂપ ધારણ કર્યું.
રામચરિતમાનસના અરણ્યકાંડમાં ગોસ્વામીજી લખે છે,
सीता चरन चोंच हति भागा। मूढ़ मंदमति कारन कागा॥
चला रुधिर रघुनायक जाना। सींक धनुष सायक संधाना॥
મૂઢ, મંદબુદ્ધિને લીધે કાગડો બની એણે સીતાજીના ચરણમાં ચાંચ મારી અને ભાગ્યો. જ્યારે રક્તપ્રવાહ વહ્યો ત્યારે શ્રી રામજીને ખબર પડી અને ધનુષ પર તણખલાના બાણનું સંધાન કર્યું. મંત્રથી પ્રેરિત થઈ એ બ્રહ્મબાણ દોડ્યું. ગભરાયેલો જયંત મૂળ રૂપમાં પોતાના પિતા ઈન્દ્ર પાસે ગયો, પણ રામનો વિરોધી જાણી ઈન્દ્રએ તેને ન રાખ્યો, પછી એ ભયથી વ્યાકુળ થઈ બ્રહ્મલોક, શિવલોક અને અન્ય અનેક સ્થાનોએ ભાગતો રહ્યો, એને જોઈ નારદજીને દયા આવી અને એમણે જયંતને શ્રી રામની જ શરણમાં જવા કહ્યું. એણે શ્રી રામ પાસે જઈ પોતાની રક્ષા માટે વિનંતિ કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી, પરંતુ તૃણબાણ છોડાઈ ગયું હતું એટલે એ દ્વારા શ્રી રામે એને કાણો કરીને છોડી મૂક્યો.
- ભક્ત જ્યારે અપાર મુસીબતમાં હોય ત્યારે ભગવાન ગમે તે સ્વરૂપમાંથી એની પાસે આવે જ છે. પ્રહલાદ માટે એ થાંભલો ફાડીને પ્રગટ થયા હતા તો એ તૃણમાંથી પણ પ્રગટ થઈ શકે એવી ધારણા પણ હોઈ શકે.
- એક વાત એવી પણ વાંચી કે નવવધૂના રૂપે અયોધ્યા આવેલા સીતાજી મિષ્ટાન્ન બનાવીને સર્વે કુટુંબીજનોને પીરસે છે. મહારાજ દશરથને જ્યારે તેઓ પીરસી શ્રી રામને પીરસવા આગળ વધી રહ્યાં હતા ત્યારે હવાની સાથે એક તણખલું ઉડીને આવ્યું અને મહારાજ દશરથની થાળીમાં પડ્યું. સીતાજીએ આ જોયું, શ્રી રામને પીરસવાનું છોડીને તેઓ જઈ શકે તેમ નહોતા, એટલે તેમણે પોતાની દ્રષ્ટિથી એ તણખલાંને બાળી મૂક્યું અને એની ભસ્મનું એક નાનકડું ટપકું રચાઈ ગયું. દશરથજી આ જોઈ ગયાં, તેમણે સીતાજીને કહ્યું કે એ સાક્ષાત જગતજનની છે, પરંતુ તેમણે જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે એ અંગારા ઝરતી આંખોથી ન જોવું. સર્વે પર મમતામય દ્રષ્ટિ રાખવી. એટલે જ્યારે જ્યારે રાવણ તેમની પાસે આવતો ત્યારે સીતાજી એ તણખલું પોતાની પાસે આડશ તરીકે રાખતાં જેથી એમને દશરથજીની વાતનું સ્મરણ રહેતું કે એમણે પોતાની દ્રષ્ટિથી રાવણને બાળી દેવાનો નથી.
- રાવણ કસમયે વાસના ભૂખ્યો થઈને અશોકવનમાં આવ્યો હતો, એની વૃત્તિ પશુ સમાન હતી અને ભૂખ્યા પશુને જેમ ઘાસ આપવામાં આવે તેમ એની વાસનાના આહાર રૂપે સીતાજીએ ઘાસનું તણખલું તેની સમક્ષ નીર્યું એવો અર્થ પણ સમજી શકાય.
- તાત્વિક રીતે સીતાજી રાવણ તરફ જોઇને કંઈ બોલતા નથી, તેમની નજર સતત પોતાના ચરણ તરફ જ રહે છે, અને રાવણને જવાબ આપવાના હોય ત્યારે તણખલા તરફ જોઈને બોલે છે, અને રાવણ સંબોધન કરતો હોય ત્યારે પણ તણખલું વચ્ચે રાખે છે. કહેવાય છે કે નકારાત્મક વ્યક્તિના મનનો પ્રભાવ હકારાત્મકતા કરતા ઝડપથી ફેલાય છે. એ પ્રભાવ પોતાના સુધી ન પહોંચે એ માટે સીતાજી ઘાસનું તણખલું એ નકારાત્મકતાના પ્રભાવને ઝીલવા વચ્ચે રાખે છે.
એમ પણ વિચારી શકાય કે ઘાસના તણખલાં જેવી સામાન્ય વસ્તુ પણ સીતાજી માટે મદદરૂપ થઈ રહે છે. પ્રભુએ વાનરો અને રીંછને પોતાના સૈન્યમાં સ્થાન આપ્યું અને સીતાજીએ તૃણને પોતાના સેનાપતિનું સ્થાન આપ્યું, જે કપરાં સમયમાં સતત સીતાજીની રક્ષા કરતું રહ્યું. ઈશ્વરતત્વની પાસે રહેવું; ઈશ્વર કાર્યમાં જેમ પેલી નાનકડી ખિસકોલી પણ પોતાનું યોગદાન આપતી હતી એમ આ તણખલું પણ ઉપયોગી નીવડ્યું.
* * *
આજે એ પ્રશ્ન પણ જોયો કે દુર્યોધન સાથે રાજા દ્રુપદને હરાવવા ખરેખર કર્ણ ગયો હતો કે નહીં, અને જો સૂર્યપુત્ર કર્ણ સાથે હતો તો દુર્યોધન યુદ્ધ હાર્યો કેમ?
દુર્યોધનની સાથે દ્રુપદને હરાવવા સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં જઈ શકે જ નહીં, કારણ કે એણે ગુરુ દ્રોણને ગુરુદક્ષિણા આપવાની નહોતી. એ ફક્ત કુરુ રાજકુમારોએ આપવાની હતી. એટલે દુર્યોધનની સાથે સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં ગયો નહોતો.
અહીં સો કૌરવોના નામ જાણવા જરૂરી છે; દુર્યોધન, દુઃશાસન, દુસ્સહ, દુશ્શલ, જલસન્ધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્દર્ષ, સુબાહુ, દુષ્પ્રદર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ.. આમ સો પુત્રો પૈકીનો ગાંધારીનો સોળમો પુત્ર પણ કર્ણ નામધારી હતો.
મહાભારતના ભીષ્મપર્વમાં ૭૩મા સર્ગમાં સાતમો અને આઠમો શ્લોક આમ છે..
दुःशासनं दुर्विषहं दुःसहं दुर्मदं जयम।
जयत्सेनं विकर्णं च चित्रसेनं सुदर्शनम॥
चारुचित्रं सुवर्माणं दुष्कर्णं कर्णम एव च।
एतान अन्यांश च सुबहून समीपस्थान महारथान॥
વીર ભીમસેને તીખા બાણ છોડીને તમારી સેનાના વ્યૂહને તોડી નાખ્યો અને દુર્યોધનના બધા નાના ભાઈઓની સામે આવ્યો. દુઃશાસન, દુર્વિષહ, દુસ્સહ, દુર્મદ, જય, જ્યત્સેન, વિકર્ણ, ચિત્રસેન, સુદર્શન, ચારુમિત્ર, સુવર્માણ, દુષ્કર્ણ, કર્ણ વગેરે અનેક ક્રોધી મહારથી ત્યાં હતા તો પણ ભીષ્મજીએ રક્ષા કરેલી તમારી સેનામાં એ ઘૂસી ગયો.
સૂર્યપુત્ર કર્ણ ભીષ્મના વડપણ હેઠળ યુદ્ધ લડ્યો ન હતો. એટલે ભીષ્મપર્વમાં સૂર્યપુત્ર કર્ણ હતો એ શક્ય નથી. એ દુર્યોધનનો નાનો ભાઈ અને સો કૌરવોમાંનો એક કર્ણ હતો. વળી પોતાના દિગ્વિજય દરમ્યાન સૂર્યપુત્ર કર્ણે એકલા હાથે દ્રુપદને હરાવ્યો હતો. અને કર્ણના પુત્ર વૃષસેને કુરુક્ષેત્રના યુદ્ધમાં તેને તીર મારીને ઘાયલ કરી દીધો હતો અને સારથી એને યુદ્ધભૂમિની બહાર લઈ ગયો હતો એમ પણ કહેવાયું છે. કર્ણ અને એનો પુત્ર અલગ અલગ સમયે જેને એકલે હાથે હરાવી શકે એ દ્રુપદને તેઓ દુર્યોધન અને અન્ય કૌરવો સાથે ગુરુદક્ષિણા માટેના યુદ્ધમાં નહોતો હરાવી શક્યા એમ માની શકાય એવું નથી.
તા.ક
નીતિશ ભારદ્વાજનું કૃષ્ણ તરીકે આગમન મહાભારત ધારાવાહિકનું બહુ મોટું જમાપાસું છે. એમના જેવા પ્રભાવશાળી, અર્થગંભીર, સતત સ્મિત કરતા રહેતા અને શાંત કૃષ્ણ પછી કોઈ શ્રેણીમાં જોયા નથી. હકીકતે આ શ્રેણીના પાંચેય પાંડવો, દુર્યોધન, દુ:શાસન, ભીષ્મ, વિદુર, બલરામ, દ્રોણ, દ્રૌપદી વગેરે અભિનેતા /અભિનેત્રીઓ પોતપોતાના પાત્રોમાં એવા તે સજ્જડ ગોઠવાઈ ગયા છે કે આપણા મનમાં પાત્રોના નામ આવે તો આ કલાકારો જ સૌથી પહેલા દેખાય. રામાયણનું સંગીત રચનાર રવિન્દ્ર જૈન હોય કે મહાભારતનું સંગીત આપનાર રાજકમલ; એમના વિશે તો લંબાણપૂર્વક અલગથી લખી શકાય.
અમારા જેવી પેઢીમાં ત્યારે અને આજની પેઢીમાં પણ આ ધારાવાહિકની અસર અદ્રુત છે, મહાભારત કરતા રામાયણનું રિસર્ચ મને વધુ ઊંડું લાગે છે, પણ એ મારો દૃષ્ટિકોણ હોઈ શકે. બંને શ્રેણીઓમાં વચ્ચે ઉર્દૂ શબ્દો ઝળકી જાય છે પણ એ કદાચ હિન્દીમાં થયેલા ઉર્દૂના મિશ્રણનો પ્રભાવ હોઈ શકે. ભારતની આ અમર ગાથાઓ વિશે પેઢીઓને જાણકારી આપતી આ શ્રેણીઓ અવિસ્મરણીય હતી, છે અને રહેશે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat
સાભાર :-
લેખકશ્રી જીજ્ઞેશભાઈ અધ્યારું
આ વીડિયોમાં આ પ્રસંગ છે..
दुःखार्ता रुदती सीता वेपमाना तपस्विनी|
चिन्तयन्ती वरारोह पतिमेव पतिव्रता||५-२१-२||
तृणमन्तरतः कृत्वा प्रत्युवाच शुचिस्मिता|
निवर्तय मनो मत्तः स्वजने क्रियतां मनः||५-२१-३||
દુ:ખથી વિકળ રોતી તથા થરથરતી સુંદરી તપસ્વિની સીતા પોતાના પતિવ્રતધર્મની રક્ષા માટે ચિંતા કરતી, શ્રી રામનું સ્મરણ કરતાં પોતાની અને રાવણની વચ્ચે એક તણખલાની આડશ કરી અને જાણે સ્મિત કરતી હોય એમ તણખલા તરફ જોઈને બોલી, ‘હે રાવણ, મારી તરફથી તારા મનને વાળી તારી પોતાની સ્ત્રીઓમાં એને લગાવ.’
रावणम् पृष्ठतः कृत्वा भूयो वचनम्ब्रवीत्|
वाहमौपयिकी भार्या परभार्या सती तव||५-२१-६||
રાવણ તરફ પોતાની પીઠ ફેરવી એ કહેવા લાગી, ‘’હે રાવણ હું બીજાની પત્ની છું, સતી સ્ત્રી છું.
અહીં સીતા પોતાના માટે સતી સ્ત્રી એવો શબ્દપ્રયોગ કરે છે. આપણે ત્યાં પાંચ સતીઓની વાત પ્રચલિત છે જેમને પતિવ્રતધર્મના આદર્શ ગણાય છે, એમને પંચકન્યાઓ કહેવાઈ છે.
अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा।
पंचकन्या: स्मरेतन्नित्यं महापातकनाशम्।।
અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા તથા મંદોદરી; આ પંચકન્યાઓનું નિત્ય સ્મરણ મહાપાપોના નાશ કરનારું છે.
તો એક સતીને તૃણની કેમ જરૂર પડી? તૃણ વિશે એક શ્લોક છે..
उदारस्य तृणं वित्तं शूरस्त मरणं तृणम्।
विरक्तस्य तृणं भार्या निस्पृहस्य तृणं जगत्॥
ઉદાર મનવાળાને ધન તણખલા સમાન છે; શૂરવીરને મૃત્યુ તણખલા જેવું તુચ્છ છે; વિરક્તોને સ્ત્રી (મોહ) તણખલા સમાન છે અને નિસ્પૃહને માટે જગત તણખલા સમાન ક્ષુલ્લક છે.
શ્રી રામ વિશેના રાવણના અપમાનજનક વચનો સાંભળી આંસુ અને ગુસ્સાને લીધે જેની આંખો અને ચહેરો લાલ થઈ ગયા છે એ સીતા પાસેથી ઘાસનું એક તણખલું તોડી પોતાની અને રાવણની વચ્ચે રાખે છે. આના અનેક સાંકેતિક અર્થ હોઈ શકે;
- રાવણ પોતાના પરાક્રમના અનેક વર્ણનો કરે છે, અનેક જીતેલા દેવો વિશે વાત કરે છે ત્યારે સીતા એમ કહેવા માંગતા હોય કે શ્રી રામ જેવા વંટોળ સામે તું માત્ર એક તણખલું છે. રામના પ્રતાપથી તું અજાણ છે એટલે તું મારી પાસે આવી એમના વિશે આવા વચનો કહી રહ્યો છે, પણ જ્યારે રામ આવશે ત્યારે તું એમની સામે આ તણખલા સમાન ટકી શકવાને લાયક પણ નહીં હોય.
- રાવણ સીતાજીને અનેક રત્નો, હીરા, માણેક, નીલમ, અલંકારો અને વસ્ત્રો વગેરેની લાલચ આપે છે; એની સામે સીતાજી એમ પણ કહેવા માંગતા હોઈ શકે કે તારી આ બધી સંપત્તિ રામના પ્રેમની સામે મારે માટે તણખલાં બરાબર ક્ષુલ્લક છે.
- અને અર્થ એમ પણ થાય કે સીતાજી રાવણને કહેવા માંગે છે કે જેમ વનનો અગ્નિ ઘાસના તણખલાંને પળભરમાં ભસ્મ કરી શકે છે તેમ સીતાજીના પતિવ્રતધર્મ અને પવિત્રતા રૂપી અગ્નિ તેને પળભરમાં આ તણખલાની માફક ભસ્મ કરી શકે છે.
- આવી જ તૃણની એક વાત અરણ્યકાડમાં પણ આવે છે. વનવાસ દરમ્યાન ચિત્રકૂટમાં વસવાટ દરમ્યાન એક વાર ઘાસ પર બેઠેલા માતા સીતાના પગ પર મસ્તક રાખી શ્રીરામ નિંદ્રાધીન થયા હતા. ત્યાંથી ઉડીને જઈ રહેલો ઈન્દ્રનો પુત્ર જયંત આ દૈવી યુગલને જોઈ ગયો, જેમ એક કીડી સમુદ્રની ઊંડાઈનું માપ કાઢવા માંગતી હોય એમ એ શ્રી રામના બળનું માપ કાઢવા માંગતો હતો, એટલે એણે એક કાગડાનું રૂપ ધારણ કર્યું.
રામચરિતમાનસના અરણ્યકાંડમાં ગોસ્વામીજી લખે છે,
सीता चरन चोंच हति भागा। मूढ़ मंदमति कारन कागा॥
चला रुधिर रघुनायक जाना। सींक धनुष सायक संधाना॥
મૂઢ, મંદબુદ્ધિને લીધે કાગડો બની એણે સીતાજીના ચરણમાં ચાંચ મારી અને ભાગ્યો. જ્યારે રક્તપ્રવાહ વહ્યો ત્યારે શ્રી રામજીને ખબર પડી અને ધનુષ પર તણખલાના બાણનું સંધાન કર્યું. મંત્રથી પ્રેરિત થઈ એ બ્રહ્મબાણ દોડ્યું. ગભરાયેલો જયંત મૂળ રૂપમાં પોતાના પિતા ઈન્દ્ર પાસે ગયો, પણ રામનો વિરોધી જાણી ઈન્દ્રએ તેને ન રાખ્યો, પછી એ ભયથી વ્યાકુળ થઈ બ્રહ્મલોક, શિવલોક અને અન્ય અનેક સ્થાનોએ ભાગતો રહ્યો, એને જોઈ નારદજીને દયા આવી અને એમણે જયંતને શ્રી રામની જ શરણમાં જવા કહ્યું. એણે શ્રી રામ પાસે જઈ પોતાની રક્ષા માટે વિનંતિ કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી, પરંતુ તૃણબાણ છોડાઈ ગયું હતું એટલે એ દ્વારા શ્રી રામે એને કાણો કરીને છોડી મૂક્યો.
- ભક્ત જ્યારે અપાર મુસીબતમાં હોય ત્યારે ભગવાન ગમે તે સ્વરૂપમાંથી એની પાસે આવે જ છે. પ્રહલાદ માટે એ થાંભલો ફાડીને પ્રગટ થયા હતા તો એ તૃણમાંથી પણ પ્રગટ થઈ શકે એવી ધારણા પણ હોઈ શકે.
- એક વાત એવી પણ વાંચી કે નવવધૂના રૂપે અયોધ્યા આવેલા સીતાજી મિષ્ટાન્ન બનાવીને સર્વે કુટુંબીજનોને પીરસે છે. મહારાજ દશરથને જ્યારે તેઓ પીરસી શ્રી રામને પીરસવા આગળ વધી રહ્યાં હતા ત્યારે હવાની સાથે એક તણખલું ઉડીને આવ્યું અને મહારાજ દશરથની થાળીમાં પડ્યું. સીતાજીએ આ જોયું, શ્રી રામને પીરસવાનું છોડીને તેઓ જઈ શકે તેમ નહોતા, એટલે તેમણે પોતાની દ્રષ્ટિથી એ તણખલાંને બાળી મૂક્યું અને એની ભસ્મનું એક નાનકડું ટપકું રચાઈ ગયું. દશરથજી આ જોઈ ગયાં, તેમણે સીતાજીને કહ્યું કે એ સાક્ષાત જગતજનની છે, પરંતુ તેમણે જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે એ અંગારા ઝરતી આંખોથી ન જોવું. સર્વે પર મમતામય દ્રષ્ટિ રાખવી. એટલે જ્યારે જ્યારે રાવણ તેમની પાસે આવતો ત્યારે સીતાજી એ તણખલું પોતાની પાસે આડશ તરીકે રાખતાં જેથી એમને દશરથજીની વાતનું સ્મરણ રહેતું કે એમણે પોતાની દ્રષ્ટિથી રાવણને બાળી દેવાનો નથી.
- રાવણ કસમયે વાસના ભૂખ્યો થઈને અશોકવનમાં આવ્યો હતો, એની વૃત્તિ પશુ સમાન હતી અને ભૂખ્યા પશુને જેમ ઘાસ આપવામાં આવે તેમ એની વાસનાના આહાર રૂપે સીતાજીએ ઘાસનું તણખલું તેની સમક્ષ નીર્યું એવો અર્થ પણ સમજી શકાય.
- તાત્વિક રીતે સીતાજી રાવણ તરફ જોઇને કંઈ બોલતા નથી, તેમની નજર સતત પોતાના ચરણ તરફ જ રહે છે, અને રાવણને જવાબ આપવાના હોય ત્યારે તણખલા તરફ જોઈને બોલે છે, અને રાવણ સંબોધન કરતો હોય ત્યારે પણ તણખલું વચ્ચે રાખે છે. કહેવાય છે કે નકારાત્મક વ્યક્તિના મનનો પ્રભાવ હકારાત્મકતા કરતા ઝડપથી ફેલાય છે. એ પ્રભાવ પોતાના સુધી ન પહોંચે એ માટે સીતાજી ઘાસનું તણખલું એ નકારાત્મકતાના પ્રભાવને ઝીલવા વચ્ચે રાખે છે.
એમ પણ વિચારી શકાય કે ઘાસના તણખલાં જેવી સામાન્ય વસ્તુ પણ સીતાજી માટે મદદરૂપ થઈ રહે છે. પ્રભુએ વાનરો અને રીંછને પોતાના સૈન્યમાં સ્થાન આપ્યું અને સીતાજીએ તૃણને પોતાના સેનાપતિનું સ્થાન આપ્યું, જે કપરાં સમયમાં સતત સીતાજીની રક્ષા કરતું રહ્યું. ઈશ્વરતત્વની પાસે રહેવું; ઈશ્વર કાર્યમાં જેમ પેલી નાનકડી ખિસકોલી પણ પોતાનું યોગદાન આપતી હતી એમ આ તણખલું પણ ઉપયોગી નીવડ્યું.
* * *
આજે એ પ્રશ્ન પણ જોયો કે દુર્યોધન સાથે રાજા દ્રુપદને હરાવવા ખરેખર કર્ણ ગયો હતો કે નહીં, અને જો સૂર્યપુત્ર કર્ણ સાથે હતો તો દુર્યોધન યુદ્ધ હાર્યો કેમ?
દુર્યોધનની સાથે દ્રુપદને હરાવવા સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં જઈ શકે જ નહીં, કારણ કે એણે ગુરુ દ્રોણને ગુરુદક્ષિણા આપવાની નહોતી. એ ફક્ત કુરુ રાજકુમારોએ આપવાની હતી. એટલે દુર્યોધનની સાથે સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં ગયો નહોતો.
અહીં સો કૌરવોના નામ જાણવા જરૂરી છે; દુર્યોધન, દુઃશાસન, દુસ્સહ, દુશ્શલ, જલસન્ધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્દર્ષ, સુબાહુ, દુષ્પ્રદર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ.. આમ સો પુત્રો પૈકીનો ગાંધારીનો સોળમો પુત્ર પણ કર્ણ નામધારી હતો.
મહાભારતના ભીષ્મપર્વમાં ૭૩મા સર્ગમાં સાતમો અને આઠમો શ્લોક આમ છે..
दुःशासनं दुर्विषहं दुःसहं दुर्मदं जयम।
जयत्सेनं विकर्णं च चित्रसेनं सुदर्शनम॥
चारुचित्रं सुवर्माणं दुष्कर्णं कर्णम एव च।
एतान अन्यांश च सुबहून समीपस्थान महारथान॥
વીર ભીમસેને તીખા બાણ છોડીને તમારી સેનાના વ્યૂહને તોડી નાખ્યો અને દુર્યોધનના બધા નાના ભાઈઓની સામે આવ્યો. દુઃશાસન, દુર્વિષહ, દુસ્સહ, દુર્મદ, જય, જ્યત્સેન, વિકર્ણ, ચિત્રસેન, સુદર્શન, ચારુમિત્ર, સુવર્માણ, દુષ્કર્ણ, કર્ણ વગેરે અનેક ક્રોધી મહારથી ત્યાં હતા તો પણ ભીષ્મજીએ રક્ષા કરેલી તમારી સેનામાં એ ઘૂસી ગયો.
સૂર્યપુત્ર કર્ણ ભીષ્મના વડપણ હેઠળ યુદ્ધ લડ્યો ન હતો. એટલે ભીષ્મપર્વમાં સૂર્યપુત્ર કર્ણ હતો એ શક્ય નથી. એ દુર્યોધનનો નાનો ભાઈ અને સો કૌરવોમાંનો એક કર્ણ હતો. વળી પોતાના દિગ્વિજય દરમ્યાન સૂર્યપુત્ર કર્ણે એકલા હાથે દ્રુપદને હરાવ્યો હતો. અને કર્ણના પુત્ર વૃષસેને કુરુક્ષેત્રના યુદ્ધમાં તેને તીર મારીને ઘાયલ કરી દીધો હતો અને સારથી એને યુદ્ધભૂમિની બહાર લઈ ગયો હતો એમ પણ કહેવાયું છે. કર્ણ અને એનો પુત્ર અલગ અલગ સમયે જેને એકલે હાથે હરાવી શકે એ દ્રુપદને તેઓ દુર્યોધન અને અન્ય કૌરવો સાથે ગુરુદક્ષિણા માટેના યુદ્ધમાં નહોતો હરાવી શક્યા એમ માની શકાય એવું નથી.
તા.ક
નીતિશ ભારદ્વાજનું કૃષ્ણ તરીકે આગમન મહાભારત ધારાવાહિકનું બહુ મોટું જમાપાસું છે. એમના જેવા પ્રભાવશાળી, અર્થગંભીર, સતત સ્મિત કરતા રહેતા અને શાંત કૃષ્ણ પછી કોઈ શ્રેણીમાં જોયા નથી. હકીકતે આ શ્રેણીના પાંચેય પાંડવો, દુર્યોધન, દુ:શાસન, ભીષ્મ, વિદુર, બલરામ, દ્રોણ, દ્રૌપદી વગેરે અભિનેતા /અભિનેત્રીઓ પોતપોતાના પાત્રોમાં એવા તે સજ્જડ ગોઠવાઈ ગયા છે કે આપણા મનમાં પાત્રોના નામ આવે તો આ કલાકારો જ સૌથી પહેલા દેખાય. રામાયણનું સંગીત રચનાર રવિન્દ્ર જૈન હોય કે મહાભારતનું સંગીત આપનાર રાજકમલ; એમના વિશે તો લંબાણપૂર્વક અલગથી લખી શકાય.
અમારા જેવી પેઢીમાં ત્યારે અને આજની પેઢીમાં પણ આ ધારાવાહિકની અસર અદ્રુત છે, મહાભારત કરતા રામાયણનું રિસર્ચ મને વધુ ઊંડું લાગે છે, પણ એ મારો દૃષ્ટિકોણ હોઈ શકે. બંને શ્રેણીઓમાં વચ્ચે ઉર્દૂ શબ્દો ઝળકી જાય છે પણ એ કદાચ હિન્દીમાં થયેલા ઉર્દૂના મિશ્રણનો પ્રભાવ હોઈ શકે. ભારતની આ અમર ગાથાઓ વિશે પેઢીઓને જાણકારી આપતી આ શ્રેણીઓ અવિસ્મરણીય હતી, છે અને રહેશે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat
સાભાર :-
લેખકશ્રી જીજ્ઞેશભાઈ અધ્યારું