ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ
આજની નવી પેઢી માટે તો ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા યા દેશના કયા નેતાનો જન્મદિન દર ચાર વર્ષે આવે છે એવા બે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બની ગયા છે. ઇંદિરા ગાંધીએ જેમને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા તે મોરારજી દેસાઈનો જન્મદિન પણ તેમના ચડાવ-ઉતાર ને તડકી-છાંયડીવાળા જીવન જેવો જ છે. ૨૯મી ફેબ્રુઆરીએ આવતો હોવાથી દર ૪ વર્ષે આવે છે અને તેમના જીવનના અનેક રંગોની પેઠે દેશી તહેવાર મુજબ ‘ધુળેટી’ના દિવસે આવે છે. જેમનો દેશના નાણામંત્રી તરીકે ૧૦ વખત સંસદના કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો વિક્રમ કોઈ નાણામંત્રી હજુ સુધી તોડી શક્યા નથી તે મોરારજી અગાઉ ૨૯મી ફેબ્રુઆરીના રોજ પોતાના જન્મદિને બજેટ રજૂ કરતા હતા. સ્વસ્થ ને સ્થિતપ્રજ્ઞા રાજપુરુષ મોરારજીએ ૧૦૦ વર્ષનું નિરામય દીર્ઘાયુ ભોગવ્યું. શતાબ્દી ટાણે તેમણે રમૂજમાં કહેલું કે, હજુ તો હું માત્ર ૨૫ વર્ષનો જ થયો છું. જેમના જીવનમાં અધ્યાત્મ, રાજનીતિ ને રચનાત્મક સંસ્થાઓનો ત્રિવેણી સંગમ હતો તે મોરારજી ૮૨ વર્ષની વયે વડા પ્રધાન થયા અને એ ઉંમરે સોમનાથના દરિયામાં નાહવા પડેલા ને અકસ્માત સમયે નિસરણી વિના વિમાનમાંથી કૂદકો માર્યો હતો. આવા મોરારજી જીવતા હોત તો સવાસો વર્ષના હોત. રાત્રે નવ વાગે સૂઈ જનારા, રાંધેલું ન ખાનારા ને સ્વમૂત્રના ઉપાસક હતા. નહેરુ ને શાસ્ત્રીના અવસાન પછી વડા પ્રધાનપદે જેમનું નામ ચર્ચાતું, દાવેદાર હતા ને યોગ્ય હતા તે અદ્દલ ને સાચા કોંગ્રેસી મોરારજીના નસીબમાં ૮૨માં વર્ષે દેશની પ્રથમ બિનકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કરવાનું આવ્યું. એ અર્થમાં બે ગુજરાતી રાષ્ટ્રપુરુષો સરદાર ને મોરારજી ઉપેક્ષિત રહ્યા એમ કહીએ તો જરાયે ખોટું નથી. શાસ્ત્રીજીના અવસાન પછી તેઓ નાયબ વડા પ્રધાન ને નાણામંત્રી બન્યા પણ બેન્કોના રાષ્ટ્રીયકરણના તેમના સૈદ્ધાંતિક વિરોધને કારણે ઇંદિરાજીએ તેમની પાસેથી નાણાખાતું આંચકી લીધું ત્યારે તેમને સિદ્ધાંત ને સ્વમાનના ભોગે સત્તા પર ચીટકી રહેવાને બદલે નાયબ વડા પ્રધાન પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. મોરારજીએ પણ દિલ્હીને બદલે મુંબઈમાં મરવાનું પસંદ કર્યું. મોરારજી એકમાત્ર એવા ભારતીય રાજનેતા છે કે જેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ તથા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ પ્રાપ્ત થયાં છે. જોકે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન પ્રથમ મળ્યું ત્યાર બાદ ભારતનું મળ્યું. પોતાના વડા પ્રધાનપદ દરમિયાન દેશના પદ્મ એવોર્ડ બંધ કરનાર મોરારજીએ ‘ભારતરત્ન’ સન્માન સ્વીકાર્યું ત્યારે સ્પષ્ટતામાં તેમણે કહેલું કે, હું પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન સ્વીકારું ને ભારતનું ન સ્વીકારું તે દેશના અપમાન જેવું લાગે માટે સ્વીકારું છું. પાકિસ્તાને સન્માન સ્વીકારવા પૂર્ણ આદર ને સુવિધા સાથે પાકિસ્તાન આવવા નિમંત્રણ મોકલ્યું હતું. ત્યારે તેમણે તેનો અસ્વીકાર કરતાં કહેલું કે, હું ત્યાં નહીં આવું, કારણ કે હું ત્યાં આવું ને પાકિસ્તાની મીડિયા મને ભારત સરકારની ટીકાના પ્રશ્નો પૂછે ત્યારે પાકિસ્તાનની ભૂમિ પર મારે ભારત સરકારની ટીકા કરવી પડે તે અયોગ્ય છે. આજે તો ભારત બહાર ભારતની ચાલુ ને ભૂતકાળની સરકારોની ટીકા કરવાની ભારતીય નેતાઓ માટે એક ફેશન કે પ્રણાલી બની ગઈ છે. તે સમયે ચેનલો નહોતી એટલે આજે કોઈને ખબર નથી પણ તેમની વિદેશયાત્રા સમયે અમેરિકી પ્રમુખ જિમી કાર્ટર સહિત અનેક વિશ્વનેતાઓ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમને આવકારવા જતા હતા.
આજના રાજનેતાઓની વિશ્વસનીયતાનું એટલી હદે ધોવાણ થઈ ગયું છે કે, તેમની સામેની ખોટી ટીકાઓ હોય તોય લોકો સાચી માની લે છે પણ તેમને સીઆઈએના એજન્ટ કહેવા બદલ અમેરિકન પત્રકાર હર્ષ સામે તેમને બદનક્ષીનો અમેરિકી અદાલતમાં કેસ કર્યો હતો. તે કેસ કેટલાક ટેક્નિકલ ને કાનૂની કારણોસર મોરારજી હારી ગયા હતા છતાં તેમના કોઈ પ્રખર ટીકાકાર ભારતીય વર્તમાનપત્ર, પત્રકાર કે નેતાએ તેમની ઇમાનદારીને દેશભક્તિ સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે લખ્યો નહોતો. તે સમયના તેમના આલોચક કરન્ટના પત્રકાર કરાકા ને બ્લિટ્ઝના પત્રકાર કરંજિયાએ લખ્યું હતું કે મોરારજી અવ્વલ દરજ્જાના રાષ્ટ્રવાદીને ઇમાનદાર નેતા છે. મોરારજી બંધ ઓરડામાં ઉપવાસ કરે તોય તેમની સામે કોઈ શંકાની નજરે જોતું નહોતું. ગુજરાતમાં ચૂંટણી ને કટોકટી સામે તેમણે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તે જીવતા હતા ત્યાં સુધી કોઈ દારૂબંધી હટાવવાનું તો દૂર રહ્યું પણ હળવી કરવાની પણ વાત કરી શકતું ન હતું.
દાદા ધર્માધિકારીએ કહ્યું હતું કે, રાજકારણમાં સિદ્ધાંત માટે શહીદ થવું સહેલું છે પણ તેને પકડીને ચાલવું કઠિન છે પણ મોરારજીએ એ બંને કરી બતાવ્યું છે. જેલવાસ ને વનવાસ બંને ભોગવ્યાં છે. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે, મોરારજીના જે ગુણોએ મને આકર્ષ્યો છે તે તેમનું પારદર્શક ચારિત્ર, સ્પષ્ટ વિચારધારા, જીવનમાં ઉતારેલી સ્વયંશિસ્ત અને દૃઢ સંકલ્પનો સ્વભાવ. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા તડ-જોડ કરતા નથી. વિરોધીઓ સામે ષડ્યંત્રો રચતા નથી. તેમના આ ગુણોને કારણે જ મિત્રો ને દુશ્મનોમાં પણ તેમનું સ્થાન ઊંચું છે. રાજકીય સમાધાનો કર્યાં હોત તો ૮૨ વર્ષ સુધી વડા પ્રધાન પદ માટે રાહ ન જોવી પડત પણ સિદ્ધાંતના ભોગે એવાં સગાવાદમાં સમાધાનો કરે તે મોરારજી નહીં. જનતા સરકારમાં મોરારજીના નેતૃત્વમાં તેમના હાથે ઘડાયેલા ને પાછળથી સફળ વડા પ્રધાન પુરવાર થયેલા અટલ બિહારી વાજપેયીએ મોરારજીના ઉપવાસ ટાણે કહ્યું હતું કે, ઉપવાસ ટાણે મને મોરારજી બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ લાગ્યા છે. તફાવત એટલો જ હતો કે ભીષ્મ અન્યાય સાથે રહ્યા ને મોરારજી ન્યાયની લડાઈમાં આત્મોત્સર્ગ માટે કાર્યરત રહ્યા. વાજપેયીએ તેમના માટે એક સુંદર કવિતા લખી હતી-
”મૈંને મોરારજીભાઈ કો સત્તા પર દેખા હૈ, સત્યાગ્રહ મેં દેખા હૈ
કામરાજ કી માયા મેં દેખા હૈ, યમરાજ કી છાયા મેં દેખા હૈ
લોકસભા મેં પ્રથમ ઔર અંતિમ પંક્તિ મેં દેખા હૈ
વિરોધીઓં કે વાગ્બાણોં કો ધૈર્ય સે ઝેલતે હુએ ભી દેખા હૈ
વિરોધીઓં કો ચૂપ કરનેવાલે તીખે ઉત્તર દેતે હુએ ભી દેખા હૈ
સ્વદેશ મેં દેખા હૈ, વિદેશ મેં દેખા હૈ
વિજય ઔર પરાજય મેં ભી દેખા હૈ
મોરારજીભાઈ કહીં ભી હો, કૈસે ભી હો
ઉનકે બારે મેં યૂં કહા જા શકતા હૈ કિ
નજર ઊંચી, કમર સીધી, ચમકતા રૌબસે ચહેરા બૂરા માનો,
ભલા માનો, વહી તેજી વહી નખરા.”
૧૯૬૭માં માઉન્ટ બેટનને પૂછવામાં આવ્યું કે, તમને પાકિસ્તાન માટે કેવી લાગણી થાય છે ત્યારે પ્રત્યુત્તરમાં તેમણે કહેલું કે, પાકિસ્તાન પાસે ઝીણા ને લિયાકતને બાદ કરતાં સરદાર, નહેરુ ને મોરારજીની તોલે આવે એવા સામર્થ્ય અને વહીવટી સૂઝવાળા કોઈ આગેવાન નહોતા.
જેનો તે સમયે વિરોધ થયેલો તે મોરારજીએ દાખલ કરેલો ગોલ્ડ કંટ્રોલ આજે સોનાના આસમાને પહોંચેલા ભાવો સમયે કેટલો યથાર્થ લાગે છે. આજે અબજોના એનપીએથી વિશ્વસનીયતા ગુમાવી બેઠેલી રાષ્ટ્રીયકૃત બેન્કોના રાષ્ટ્રીયકરણનો મોરારજીનો વિરોધ કેટલો સાચો હતો તે હવે સમજાય છે. હજારની નોટ રદ કરી દીધી છતાં ક્યાંય વિરોધ, અવ્યવસ્થા કે ક્રાંતિ કરી દીધાનો દેખાડો કર્યો નહોતો. તેમણે દાખલ કરેલી નાના માણસો માટેની ફરજિયાત બચત, નાની બચત, પોસ્ટલ બચત અને સેલ્ફ એસેસમેન્ટ જકાત જેવી યોજનાઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું. મોંઘવારી કદી ઘટતી નથી તેમ કહેનારા આજના નેતાઓને ખબર પણ નહીં હોય કે મોરારજીના શાસનમાં મોંઘવારી ઘટી હતી ને રેશનકાર્ડ શોધવા પડે તેવી ને રેશનિંગની દુકાનો બંધ કરવી પડે તેવી સ્થિતિ તેમણે સર્જી હતી.
જીવનભર સ્વાતંત્ર્ય સેનાની, સાંસદ ને ધારાસભ્યનું હકદાર હોવા છતાં એક પાઈ પણ પેન્શન તેમણે લીધું નહોતું. વલસાડનું પોતાનું ઘર બાલમંદિરને, પંચમહાલની જમીન હોસ્પિટલને બાકી વધી તે ૮૦ હજાર જેટલી બચતની રોકડ રકમ ગૂજરાત વિદ્યાપીઠને દાનમાં આપી દીધી હતી. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ તેમની વિદાય પછી સરદાર પટેલે સંભાળી ને સરદારની વિદાય બાદ લાંબા સમય સુધી મોરારજીએ ચીવટપૂર્વક સંભાળી હતી. રાષ્ટ્રહિત ને નૈતિક મૂલ્યો માટેની લડતમાં તેઓ કદી લોકપ્રિયતા, પદ કે પ્રતિષ્ઠાનું બલિદાન આપતાં અચકાયા નથી. દેશની લોકશાહી બચાવવા વિકલ્પની જરૂર પડી ત્યારે સાચા બિનસાંપ્રદાયિક ને અસલ કોંગ્રેસી મોરારજી રાષ્ટ્રહિત ને લોકશાહીની પુનઃ સ્થાપના માટે જનસંઘ સાથે પણ બેઠા. એથી જ તો દેશને વાજપેયી જેવા સારા વડા પ્રધાન ભવિષ્યમાં મળ્યા પણ મોરારજી કોંગ્રેસ કે ભાજપ કોઈના સ્વીકાર્ય ન રહ્યા.
૧૨૫મા જન્મદિને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને જૂના સેવાદળના ‘આપણું મંડળ’ના કેટલાક સેવકો સિવાય બીજું કોઈ ભાગ્યે જ ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા ને ગાંધી આશ્રમની સોડમાં ‘અભયઘાટ’ ખાતે પોઢે
આજની નવી પેઢી માટે તો ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા યા દેશના કયા નેતાનો જન્મદિન દર ચાર વર્ષે આવે છે એવા બે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બની ગયા છે. ઇંદિરા ગાંધીએ જેમને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા તે મોરારજી દેસાઈનો જન્મદિન પણ તેમના ચડાવ-ઉતાર ને તડકી-છાંયડીવાળા જીવન જેવો જ છે. ૨૯મી ફેબ્રુઆરીએ આવતો હોવાથી દર ૪ વર્ષે આવે છે અને તેમના જીવનના અનેક રંગોની પેઠે દેશી તહેવાર મુજબ ‘ધુળેટી’ના દિવસે આવે છે. જેમનો દેશના નાણામંત્રી તરીકે ૧૦ વખત સંસદના કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો વિક્રમ કોઈ નાણામંત્રી હજુ સુધી તોડી શક્યા નથી તે મોરારજી અગાઉ ૨૯મી ફેબ્રુઆરીના રોજ પોતાના જન્મદિને બજેટ રજૂ કરતા હતા. સ્વસ્થ ને સ્થિતપ્રજ્ઞા રાજપુરુષ મોરારજીએ ૧૦૦ વર્ષનું નિરામય દીર્ઘાયુ ભોગવ્યું. શતાબ્દી ટાણે તેમણે રમૂજમાં કહેલું કે, હજુ તો હું માત્ર ૨૫ વર્ષનો જ થયો છું. જેમના જીવનમાં અધ્યાત્મ, રાજનીતિ ને રચનાત્મક સંસ્થાઓનો ત્રિવેણી સંગમ હતો તે મોરારજી ૮૨ વર્ષની વયે વડા પ્રધાન થયા અને એ ઉંમરે સોમનાથના દરિયામાં નાહવા પડેલા ને અકસ્માત સમયે નિસરણી વિના વિમાનમાંથી કૂદકો માર્યો હતો. આવા મોરારજી જીવતા હોત તો સવાસો વર્ષના હોત. રાત્રે નવ વાગે સૂઈ જનારા, રાંધેલું ન ખાનારા ને સ્વમૂત્રના ઉપાસક હતા. નહેરુ ને શાસ્ત્રીના અવસાન પછી વડા પ્રધાનપદે જેમનું નામ ચર્ચાતું, દાવેદાર હતા ને યોગ્ય હતા તે અદ્દલ ને સાચા કોંગ્રેસી મોરારજીના નસીબમાં ૮૨માં વર્ષે દેશની પ્રથમ બિનકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કરવાનું આવ્યું. એ અર્થમાં બે ગુજરાતી રાષ્ટ્રપુરુષો સરદાર ને મોરારજી ઉપેક્ષિત રહ્યા એમ કહીએ તો જરાયે ખોટું નથી. શાસ્ત્રીજીના અવસાન પછી તેઓ નાયબ વડા પ્રધાન ને નાણામંત્રી બન્યા પણ બેન્કોના રાષ્ટ્રીયકરણના તેમના સૈદ્ધાંતિક વિરોધને કારણે ઇંદિરાજીએ તેમની પાસેથી નાણાખાતું આંચકી લીધું ત્યારે તેમને સિદ્ધાંત ને સ્વમાનના ભોગે સત્તા પર ચીટકી રહેવાને બદલે નાયબ વડા પ્રધાન પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. મોરારજીએ પણ દિલ્હીને બદલે મુંબઈમાં મરવાનું પસંદ કર્યું. મોરારજી એકમાત્ર એવા ભારતીય રાજનેતા છે કે જેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ તથા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ પ્રાપ્ત થયાં છે. જોકે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન પ્રથમ મળ્યું ત્યાર બાદ ભારતનું મળ્યું. પોતાના વડા પ્રધાનપદ દરમિયાન દેશના પદ્મ એવોર્ડ બંધ કરનાર મોરારજીએ ‘ભારતરત્ન’ સન્માન સ્વીકાર્યું ત્યારે સ્પષ્ટતામાં તેમણે કહેલું કે, હું પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન સ્વીકારું ને ભારતનું ન સ્વીકારું તે દેશના અપમાન જેવું લાગે માટે સ્વીકારું છું. પાકિસ્તાને સન્માન સ્વીકારવા પૂર્ણ આદર ને સુવિધા સાથે પાકિસ્તાન આવવા નિમંત્રણ મોકલ્યું હતું. ત્યારે તેમણે તેનો અસ્વીકાર કરતાં કહેલું કે, હું ત્યાં નહીં આવું, કારણ કે હું ત્યાં આવું ને પાકિસ્તાની મીડિયા મને ભારત સરકારની ટીકાના પ્રશ્નો પૂછે ત્યારે પાકિસ્તાનની ભૂમિ પર મારે ભારત સરકારની ટીકા કરવી પડે તે અયોગ્ય છે. આજે તો ભારત બહાર ભારતની ચાલુ ને ભૂતકાળની સરકારોની ટીકા કરવાની ભારતીય નેતાઓ માટે એક ફેશન કે પ્રણાલી બની ગઈ છે. તે સમયે ચેનલો નહોતી એટલે આજે કોઈને ખબર નથી પણ તેમની વિદેશયાત્રા સમયે અમેરિકી પ્રમુખ જિમી કાર્ટર સહિત અનેક વિશ્વનેતાઓ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમને આવકારવા જતા હતા.
આજના રાજનેતાઓની વિશ્વસનીયતાનું એટલી હદે ધોવાણ થઈ ગયું છે કે, તેમની સામેની ખોટી ટીકાઓ હોય તોય લોકો સાચી માની લે છે પણ તેમને સીઆઈએના એજન્ટ કહેવા બદલ અમેરિકન પત્રકાર હર્ષ સામે તેમને બદનક્ષીનો અમેરિકી અદાલતમાં કેસ કર્યો હતો. તે કેસ કેટલાક ટેક્નિકલ ને કાનૂની કારણોસર મોરારજી હારી ગયા હતા છતાં તેમના કોઈ પ્રખર ટીકાકાર ભારતીય વર્તમાનપત્ર, પત્રકાર કે નેતાએ તેમની ઇમાનદારીને દેશભક્તિ સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે લખ્યો નહોતો. તે સમયના તેમના આલોચક કરન્ટના પત્રકાર કરાકા ને બ્લિટ્ઝના પત્રકાર કરંજિયાએ લખ્યું હતું કે મોરારજી અવ્વલ દરજ્જાના રાષ્ટ્રવાદીને ઇમાનદાર નેતા છે. મોરારજી બંધ ઓરડામાં ઉપવાસ કરે તોય તેમની સામે કોઈ શંકાની નજરે જોતું નહોતું. ગુજરાતમાં ચૂંટણી ને કટોકટી સામે તેમણે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તે જીવતા હતા ત્યાં સુધી કોઈ દારૂબંધી હટાવવાનું તો દૂર રહ્યું પણ હળવી કરવાની પણ વાત કરી શકતું ન હતું.
દાદા ધર્માધિકારીએ કહ્યું હતું કે, રાજકારણમાં સિદ્ધાંત માટે શહીદ થવું સહેલું છે પણ તેને પકડીને ચાલવું કઠિન છે પણ મોરારજીએ એ બંને કરી બતાવ્યું છે. જેલવાસ ને વનવાસ બંને ભોગવ્યાં છે. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે, મોરારજીના જે ગુણોએ મને આકર્ષ્યો છે તે તેમનું પારદર્શક ચારિત્ર, સ્પષ્ટ વિચારધારા, જીવનમાં ઉતારેલી સ્વયંશિસ્ત અને દૃઢ સંકલ્પનો સ્વભાવ. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા તડ-જોડ કરતા નથી. વિરોધીઓ સામે ષડ્યંત્રો રચતા નથી. તેમના આ ગુણોને કારણે જ મિત્રો ને દુશ્મનોમાં પણ તેમનું સ્થાન ઊંચું છે. રાજકીય સમાધાનો કર્યાં હોત તો ૮૨ વર્ષ સુધી વડા પ્રધાન પદ માટે રાહ ન જોવી પડત પણ સિદ્ધાંતના ભોગે એવાં સગાવાદમાં સમાધાનો કરે તે મોરારજી નહીં. જનતા સરકારમાં મોરારજીના નેતૃત્વમાં તેમના હાથે ઘડાયેલા ને પાછળથી સફળ વડા પ્રધાન પુરવાર થયેલા અટલ બિહારી વાજપેયીએ મોરારજીના ઉપવાસ ટાણે કહ્યું હતું કે, ઉપવાસ ટાણે મને મોરારજી બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ લાગ્યા છે. તફાવત એટલો જ હતો કે ભીષ્મ અન્યાય સાથે રહ્યા ને મોરારજી ન્યાયની લડાઈમાં આત્મોત્સર્ગ માટે કાર્યરત રહ્યા. વાજપેયીએ તેમના માટે એક સુંદર કવિતા લખી હતી-
”મૈંને મોરારજીભાઈ કો સત્તા પર દેખા હૈ, સત્યાગ્રહ મેં દેખા હૈ
કામરાજ કી માયા મેં દેખા હૈ, યમરાજ કી છાયા મેં દેખા હૈ
લોકસભા મેં પ્રથમ ઔર અંતિમ પંક્તિ મેં દેખા હૈ
વિરોધીઓં કે વાગ્બાણોં કો ધૈર્ય સે ઝેલતે હુએ ભી દેખા હૈ
વિરોધીઓં કો ચૂપ કરનેવાલે તીખે ઉત્તર દેતે હુએ ભી દેખા હૈ
સ્વદેશ મેં દેખા હૈ, વિદેશ મેં દેખા હૈ
વિજય ઔર પરાજય મેં ભી દેખા હૈ
મોરારજીભાઈ કહીં ભી હો, કૈસે ભી હો
ઉનકે બારે મેં યૂં કહા જા શકતા હૈ કિ
નજર ઊંચી, કમર સીધી, ચમકતા રૌબસે ચહેરા બૂરા માનો,
ભલા માનો, વહી તેજી વહી નખરા.”
૧૯૬૭માં માઉન્ટ બેટનને પૂછવામાં આવ્યું કે, તમને પાકિસ્તાન માટે કેવી લાગણી થાય છે ત્યારે પ્રત્યુત્તરમાં તેમણે કહેલું કે, પાકિસ્તાન પાસે ઝીણા ને લિયાકતને બાદ કરતાં સરદાર, નહેરુ ને મોરારજીની તોલે આવે એવા સામર્થ્ય અને વહીવટી સૂઝવાળા કોઈ આગેવાન નહોતા.
જેનો તે સમયે વિરોધ થયેલો તે મોરારજીએ દાખલ કરેલો ગોલ્ડ કંટ્રોલ આજે સોનાના આસમાને પહોંચેલા ભાવો સમયે કેટલો યથાર્થ લાગે છે. આજે અબજોના એનપીએથી વિશ્વસનીયતા ગુમાવી બેઠેલી રાષ્ટ્રીયકૃત બેન્કોના રાષ્ટ્રીયકરણનો મોરારજીનો વિરોધ કેટલો સાચો હતો તે હવે સમજાય છે. હજારની નોટ રદ કરી દીધી છતાં ક્યાંય વિરોધ, અવ્યવસ્થા કે ક્રાંતિ કરી દીધાનો દેખાડો કર્યો નહોતો. તેમણે દાખલ કરેલી નાના માણસો માટેની ફરજિયાત બચત, નાની બચત, પોસ્ટલ બચત અને સેલ્ફ એસેસમેન્ટ જકાત જેવી યોજનાઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું. મોંઘવારી કદી ઘટતી નથી તેમ કહેનારા આજના નેતાઓને ખબર પણ નહીં હોય કે મોરારજીના શાસનમાં મોંઘવારી ઘટી હતી ને રેશનકાર્ડ શોધવા પડે તેવી ને રેશનિંગની દુકાનો બંધ કરવી પડે તેવી સ્થિતિ તેમણે સર્જી હતી.
જીવનભર સ્વાતંત્ર્ય સેનાની, સાંસદ ને ધારાસભ્યનું હકદાર હોવા છતાં એક પાઈ પણ પેન્શન તેમણે લીધું નહોતું. વલસાડનું પોતાનું ઘર બાલમંદિરને, પંચમહાલની જમીન હોસ્પિટલને બાકી વધી તે ૮૦ હજાર જેટલી બચતની રોકડ રકમ ગૂજરાત વિદ્યાપીઠને દાનમાં આપી દીધી હતી. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ તેમની વિદાય પછી સરદાર પટેલે સંભાળી ને સરદારની વિદાય બાદ લાંબા સમય સુધી મોરારજીએ ચીવટપૂર્વક સંભાળી હતી. રાષ્ટ્રહિત ને નૈતિક મૂલ્યો માટેની લડતમાં તેઓ કદી લોકપ્રિયતા, પદ કે પ્રતિષ્ઠાનું બલિદાન આપતાં અચકાયા નથી. દેશની લોકશાહી બચાવવા વિકલ્પની જરૂર પડી ત્યારે સાચા બિનસાંપ્રદાયિક ને અસલ કોંગ્રેસી મોરારજી રાષ્ટ્રહિત ને લોકશાહીની પુનઃ સ્થાપના માટે જનસંઘ સાથે પણ બેઠા. એથી જ તો દેશને વાજપેયી જેવા સારા વડા પ્રધાન ભવિષ્યમાં મળ્યા પણ મોરારજી કોંગ્રેસ કે ભાજપ કોઈના સ્વીકાર્ય ન રહ્યા.
૧૨૫મા જન્મદિને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને જૂના સેવાદળના ‘આપણું મંડળ’ના કેટલાક સેવકો સિવાય બીજું કોઈ ભાગ્યે જ ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા ને ગાંધી આશ્રમની સોડમાં ‘અભયઘાટ’ ખાતે પોઢે