અશોકવાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએરાવણ નો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતામાતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હુનહોતતોશુંથાત?
(ઉપરોક્ત વિડીઓમાં આ પ્રસંગ જોઈ શકાય છે)
પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “ પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.
આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે.” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “ પ્રભુ એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકા ને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજી એ ત્યારે કહે છે જેવી પ્રભુ ની ઈચ્છા.
જ્યારે રાવણ નાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે. હનુમાનજી ને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે, આ વાનર ને મારવો નથી, પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએરાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજી ને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત હોઈએ.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસાર માં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર નિમિતપાત્ર છીએ. એટલા માટે ક્યારે પણ મનુષ્યજીવે એ ભ્રમ માં ન રહેવું જોઈએ કે, “ હુંનહોતતોશુથાત *?* અથવા હુંનહીહોઉતોશુંથશે?” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએભગવાન કોઈ બીજા પાત્ર ને નિમ્મીત બનાવે ,
શીખ :- માણસ માત્ર એ કોઈ ભ્રમ માં ન રહેવુ કે હુ છુ તો જ આ શક્ય છે અને હુ નહી હોઉ તો શુ થશે માણસ ને પ્રભુ કાર્ય માટે નિમ્મીત જ બનાવે છે ઘરમાં રહો મસ્ત રહો તમારા વગર અટકી નથી રહ્યું ને નથી રહેવાનુ તમારૂ અસ્તિત્વ ટકાવી રાખવુ એજ મહત્વ નુ છે માટે ઘરમાં રહો સુરક્ષિત રહો
આને કહેવાય લોક ડાઉન, ૧૯૩૯ નું ૨૨૦૦ દિવસનું લોકડાઉન
એ હતું ૨૨૦૦ દિવસનું 'લોકડાઉન' -
અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય
સાંભળીને રુવાડા ખડા થઈ ગયા ને.... સત્ય હકીકત છે.
આપણને ૨૦ દિવસનું ‘લોકડાઉન’ મળ્યું છે. એમાં માંડ ૨૦૦ કલાક પણ પુરા નથી થયા અને આપણે લોકો કંટાળી ગયા છે.
અહીં તો જગતના સૌથી મોટા લોકડાઉનની વાત છે જે બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન ૨૨૦૦ દિવસ અર્થાત ૫૨,૦૦૦ કલાક જેટલું ચાલ્યું હતું.
એક સપ્ટેમ્બર ૧૯૩૯ દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એની સાથે જગતનો લાંબામાં લાંબો લોકડાઉન ચાલુ થયો.
શરૂઆતમાં જર્મનો (નાઝી – હિટલર) એ પોલેન્ડ પર હુમલા શરૂ કર્યા. બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડને સપોર્ટ આપ્યો. બ્રિટન, ફ્રાંસ અને જર્મનીના આશરે ૫ કરોડ લોકો આ યુધ્ધમાં મૃત્યુ પામ્યા હતા.
પણ અહીં આપણે યુદ્ધની વાત નથી કરવી પણ લોકડાઉનની વાત પર આવીએ.
છ વર્ષ(૨૨૦૦ દિવસ) સુધી આ ત્રણેય દેશોમાં લોકોનું જીવન કેવું હતું તેની સરખામણી આપણા અત્યારના લોકડાઉન સાથે કરીએ તો આપણે કેટલા સુખી છીએ અને લોકડાઉન છતાં કેટલી ઓછી તકલીફો આપણને છે તે સ્વીકારી શકીશું.
આપણા દેશની આઝાદી પછી જન્મેલા છેલ્લા ૭૦ વર્ષની ત્રણ પેઢીઓએ ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં થયેલા પાકિસ્તાન સામેના યુધ્ધો જોયા.
આ યુધ્ધોનો સમયગાળો ૧૫ દિવસથી ત્રણ માસનો હતો.
દેશના ચોક્કસ વિસ્તાર પર જ આ યુધ્ધોની વધારે અસર હતી.
દેશના ૯૦% ભાગમાં જનજીવન સામાન્ય હતું.
ભૌતિક સુખસગવડ સાથે ઉછરેલી આ ત્રણ પેઢીઓને દુઃખ ખરેખર કેવું હોય તેની ખબર જ નથી.
જ્યારે ૧/૦૯/૧૯૩૯ થી ૦૨/૦૯/૧૯૪૫ સુધીના બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન લોકડાઉન સમયની સામાજિક, કૌટુંબિક અને આર્થિક તકલીફો બ્રિટન અને જર્મનીએ જે વેઠી તેની સરખામણીમાં અત્યારે એક ટકો પણ મુશ્કેલીઓ અત્યારે આપણને નથી.
આ ૨૨૦૦ દિવસના (છ વર્ષના) ગાળા દરમ્યાનનું બ્રિટન અને જર્મનીનું લોકડાઉન સમયનું લોકજીવન જોઈએ.
• સાંજ પછી અંધારપટ : સાંજના છ પછી આ દેશોના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો. લોકોને હવાઈ હુમલાનો સતત ડર રહેતો. દુશ્મન દેશો દ્વારા કોઈ ગેસ હુમલો થશે અને શ્વાસની તકલીફોથી લાખો લોકોના મૃત્યુ થઈ શકે છે તેવું સરકારે જ જાહેર કર્યું હતું. આથી સાંજના છ પછી ઘરમાં જ લોકો ગેસ માસ્ક પહેરીને બેસી રહેતા. લાઈટ કે ફાનસથી ઘરમાં અજવાળું કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ હતો.
• ગેસ – હવાઈ હુમલાનો ડર : ગમે તે સમયે સાયરન વાગે એટલે લોકોએ ગામમાં નક્કી કરેલા સલામત સ્થળો જેમકે શાળા, મ્યુઝીયમ, ચર્ચ,ટ્યુબ સ્ટેશનો કે બંકરોમાં દોડીને જતા રહેવું પડતું અને કલાકો કે દિવસો સુધી સુધી છુપાઈ રહેવું પડતું. ગેસ હુમલો કે હવાઈ હુમલો થાય તો પણ આ સ્થળો સલામત સ્થળો હતા. ત્યાં ખાવાપીવાની વ્યવસ્થાનું નક્કી ના હોય.
• માહિતીનું આદાનપ્રદાન : આંશિક પત્રવ્યવહાર, રેડિઓ અને અઠવાડિયા જુના છાપા દ્વારા માહિતીનું આદાનપ્રદાન થતું.
લોકડાઉન છતાં અત્યારના જેવા ટીવી, સોશિયલ મીડિયા અને ખુબ સરળ રીતે મોબાઈલ ફોન દ્વારા થતા સામિજિક સંપર્કો તે સમયે ન હતા.
આ ત્રણેય વિના એક દિવસ કેવો જાય તેનો અનુભવ આપણે અત્યારે કરવા જેવો છે તો ખબર પડે કે તે જ રીતે ૨૨૦૦ દિવસ કેમના જાય?
• પુરુષ વર્ગની ફરજો : ૧૭ થી ૬૦ વર્ષની વયના પુરુષોએ ફરજિયાતપણે દેશના સૈન્યમાં સેવા આપવા જવું પડતું.
ઘરના મુખ્ય પુરુષ દેશ વતી લડવા જાય પછી ક્યાં છે? ક્યારે પાછા આવશે? જીવે છે કે મૃત્યુ પામ્યા છે? તે પ્રશ્નોના કોઈ જ જવાબો કોઈની પાસે નહતા.
અમુક વિસ્તારોમાં રહેતા લોકો અને લશ્કરની ચોક્કસ રેન્કના અધિકારીઓના ઘરને જ તેમના પુરુષવર્ગ સાથે પત્રવ્યહાર દ્વારા સમ્પર્ક થતો.
મહિલાઓએ પોતાના ગામથી થોડા માઈલ દુર પગપાળા જઈ ત્યાંની રાહત છાવણીઓ કે ઉભી કરેલી હોસ્પિટલોમાં અમુક કલાકો સેવા આપવી પડતી.
તેમણે આપેલી સેવાના કલાકો પ્રમાણે ફળ, ઈંડા કે અનાજ મળતા. તે લાવીને ઘરે બાળકોને ભોજન આપી શકતી.
શાકભાજી મોટાભાગે લોકો પોતાના ઘર કે મહોલ્લામાં જ ઉગાડી લેતા.
આ રાહત છાવણીમાં જવાથી રેશન ઉપરાંત બીજા ફાયદા એ પણ રહેતા કે દેશ સેવા કરી તેનો આત્મસંતોષ રહેતો અને કદાચ તેમના પતિ કે પુરુષવર્ગના કોઈ સમાચાર કોઈના દ્વારા મળી જાય.
• ભણતર : માત્ર ૧૦% જેટલા વિધાર્થીઓ જ આ સમય ગાળા દરમ્યાન ભણી શક્યા.
મોટાભાગની શાળાઓ યુધ્ધ છાવણી અને હોસ્પિટલમાં ફેરવાઈ ગઈ હતી.
અમુક શાળાઓમાં યુધ્ધનો શસ્ત્ર સરંજામ બનતો અને રખાતો. અમુક શાળાઓમાં મહિનાના બે-ત્રણ દિવસ વિધાર્થીઓને બોલાવી આખા મહિનાનું હોમવર્ક આપી દેવામાં આવતું.
જે શાળામાં બેઝમેન્ટ હોય ત્યાં જ વર્ગો ચાલતા.
• ટીનએઈજ દીકરી : સૌથી દુઃખદાયક પરિસ્થિતિ ટીનએઈજ દીકરીઓની હતી.
ઘણી ટીનએઈજ દીકરીઓને તેની સગી જનેતા એ જ ચહેરા પર દામ દઈ, વાળ કાપી કદરૂપી બનાવી દેતી. તેને કેટલાય દિવસ સુધી ન્હાવા ના દેવાય. તેના શરીરમાંથી એટલી દુર્ગંધ આવવી જોઈએ કે કોઈ તેની નજીક નાં જઈ શકે. આવું બધું માતાએ એટલા માટે કરવું પડતું કે દુશ્મન દેશોના સૈનિકો તેમની દીકરીઓને ઉઠાવી જશે તેવો ભય સતત માતાને રહેતો.
આ સૈનિકોથી બચાવવા ટીનએઈજ દીકરીઓ પર આવો અત્યાચાર સગી જનેતા એ જ કરવો પડતો.
• તૂટેલું કુટુંબજીવન : લગભગ ૪૦ થી ૫૦ % કુટુંબ તૂટી ગયા હતા. ઘરના એક-બે વ્યક્તિનું યુધ્ધમાં કે કોઈ રોગથી મૃત્યુ થયું હોય અથવા લાપત્તા હોય તેવી પરિસ્થિતિ ઘેર ઘેર હતી.
બહુ ઓછા બાળકોએ માતાપિતા એમ બંનેનો પ્રેમ મેળવ્યો.
અત્યારે જે આપણે જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી હોય. કાકા, મામા, ફોઈ કે માસીના સગપણ હોય તેવો અનુભવ તો આ બાળકોએ કર્યો જ ન હતો.
ભાગ્યેજ પોતાને કોઈ કાકા કે મામા છે અને તેઓ ક્યા શહેરમાં રહે છે તેમના નામ અને ફોટાથી જોવા મળ્યા હોય.
• ટીનએઈજ બાળકોની પ્રવૃત્તિ : આ વખતના ગાળામાં ટીન એઈજ બાળકો કોમિક્સ ખુબ વાંચતા. ચાર્લી ચેપ્લિનના પિકચરો પણ ઘણા સિનેમાઘરોમાં દિવસ દરમ્યાન ચાલતા. બાળકોનો ઘરમાં જ ફળો અને શાકભાજીના ખેતીકામ તેમજ સીવણકામમાં સમય જતો. મ્યુઝિક, ચિત્રકામ અને બેડમિન્ટનનો લાભ સુખી પરિવારના બાળકો
લેખક: ડૉ આશિષ ચોકસી
http://drashishchokshi.com
1. लुईस ब्रेल दिवस – 4 जनवरी
2. विश्व हास्य दिवस – 10 जनवरी
3. राष्ट्रिय युवा दिवस – 12 जनवरी
4. थल सेना दिवस – 15 जनवरी
5. कुष्ठ निवारण दिवस – 30 जनवरी
6. भारत पर्यटन दिवस – 25 जनवरी
7. गणतंत्र दिवस – 26 जनवरी
8. अंतर्राष्ट्रीय सीमा शुल्क एवं उत्पाद दिवस - 26 जनवरी
9. सर्वोदय दिवस – 30 जनवरी
10. शहीद दिवस – 30 जनवरी
11. विश्व कैंसर दिवस – 4 जनवरी
12. गुलाब दिवस – 12 फरवरी
13. वेलेंटाइन दिवस – 14 फरवरी
14. अंतर्राष्ट्रीय मातृभाषा दिवस – 21 फरवरी
15. केन्द्रीय उत्पाद शुल्क दिवस – 24 फरवरी
16. राष्ट्रिय विज्ञानं दिवस – 28 फरवरी
17. राष्ट्रिय सुरक्षा दिवस – 4 मार्च
18. अंतर्राष्ट्रीय महिला दिवस – 8 मार्च
19. के०औ०सु० बल की स्थापना दिवस – 12 मार्च
20. विश्व उपभोक्ता अधिकार दिवस – 15 मार्च
21. आयुध निर्माण दिवस – 18 मार्च
22. विश्व वानिकी दिवस – 21 मार्च
23. विश्व जल दिवस – 22 मार्च
24. भगत सिंह, सुखदेव और राजगुरु के शहीद दिवस – 23 दिवस
25. विश्व मौसम विज्ञानं दिवस – 23 मार्च
26. राममनोहर लोहिया जयंती – 23 मार्च
27. विश्व टी०बी० दिवस – 24 मार्च
28. ग्रामीण डाक जीवन बिमा दिवस – 24 मार्च
29. गणेश शंकर विद्यार्थी का बलिदान दिवस – 25 मार्च
30. बांग्लादेश का राष्ट्रिय दिवस– 26 मार्च
31. विश्व थियेटर दिवस – 27 मार्च
32. विश्व स्वास्थ दिवस – 7 अप्रैल
33. अम्बेदकर जयंती – 14 अप्रैल
34. विश्व वैमानिकी दिवस – 14 अप्रैल
35. विश्व हीमोफीलिया दिवस – 17 अप्रैल
36. विश्व विरासत दिवस – 18 अप्रैल
37. पृथ्वी दिवस – 22 अप्रैल
38. विश्व पुस्तक दिवस – 23 अप्रैल
39. विश्व श्रमिक दिवस – 1 मई
40. विश्व प्रेस स्वतंत्रता दिवस – 3 मई
41. विश्व प्रवासी पक्षी दिवस – 8 मई
42. विश्व रेडक्रॉस दिवस – 8 मई
43. अंतर्राष्ट्रीय थैलीसिमिया दिवस – 8 मई
44. राष्ट्रिय प्रौधोगिकी दिवस – 11 मई
45. विश्व संग्रहालय दिवस – 18 मई
46. विश्व नर्स दिवस – 12 मई
47. विश्व परिवार दिवस – 15 मई
48. विश्व दूरसंचार दिवस – 17 मई
49. आतंकवाद विरोधी दिवस – 21 मई
50. जैविक विविधिता दिवस – 22 मई
51. माउन्ट एवरेस्ट दिवस – 29 मई
52. विश्व तम्बाकू रोधी दिवस – 31 मई
53. विश्व पर्यावरण दिवस – 5 जून
54. विश्व रक्तदान दिवस – 14 जून
55. अंतर्राष्ट्रीय ओलम्पिक समिति स्थापना दिवस – 6 जून
56. विश्व शरणार्थी दिवस – 20 जून .विश्व योग दिवस - 21 जून
57. राष्ट्रिय सांख्यिकी दिवस – 29 जून
58. पी०सी० महालनोबिस का जन्म दिवस – 29 जून
60. भारतीय स्टेट बैंक की स्थापना दिवस – 1 जुलाई
61. चिकित्सक दिवस – 1 जुलाई
62. डॉ० विधानचंद्र राय का जन्म दिवस – 1 जुलाई
63. विश्व जनसंख्या दिवस – 11 जुलाई
64. कारगिल स्मृति दिवस – 26 जुलाई
65. विश्व स्तनपान दिवस – 1 अगस्त
66. विश्व युवा दिवस – 12 अगस्त
67. स्वतंत्रता दिवस – 15 अगस्त
68. राष्ट्रिय खेल दिवस – 29 अगस्त
69. ध्यानचन्द्र का जन्म दिवस – 29 अगस्त
70. शिक्षक दिवस – 5 सितम्बर
71. अंतर्राष्ट्रीय साक्षरता दिवस – 8 सितम्बर
72. हिंदी दिवस – 14 सितम्बर
73. विश्व-बंधुत्व एवं क्षमा याचना दिवस – 14 सितम्बर
74. अभियंता दिवस – 15 सितम्बर
75. संचयिता दिवस – 15 सितम्बर
76. ओजोन परत रक्षण दिवस – 16 सितम्बर
77. RPF की स्थापना दिवस – 20 सितम्बर
78. विश्व शांति दिवस – 21 सितम्बर
79. विश्व पर्यटन दिवस – 27 सितम्बर
80. अंतर्राष्ट्रीय वृद्धजन दिवस – 1 अक्टूबर
81. लाल बहादुर शास्त्री जयंती – 2 अक्टूबर
82. अंतर्राष्ट्रीय अहिंसा दिवस – 2 अक्टूबर
83. विश्व प्रकृति दिवस – 3 अक्टूबर
84. विश्व पशु-कल्याण दिवस – 4 अक्टूबर
85. विश्व शिक्षक दिवस – 5 अक्टूबर
86. विश्व वन्य प्राणी दिवस – 6 अक्टूबर
87. वायु सेना दिवस – 8 अक्टूबर
88. विश्व डाक दिवस – 9 अक्टूबर
89. विश्व दृष्टि दिवस – 10 अक्टूबर
90. जयप्रकाश जयंती – 11 अक्टूबर
91. विश्व मानक दिवस – 14 अक्टूबर
92. विश्व एलर्जी जागरूकता दिवस – 16 अक्टूबर
93. विश्व खाद्य दिवस – 16 अक्टूबर
94. विश्व आयोडीन अल्पता दिवस – 21 अक्टूबर
95. संयुक्त राष्ट्र दिवस – 24 अक्टूबर
96. विश्व मितव्ययिता दिवस – 30 अक्टूबर
97. इंदिरा गाँधी की पुण्य तिथि – 31 अक्टूबर
98. विश्व सेवा दिवस – 9 नवम्बर
99. रा० विधिक साक्षरता दिवस – 9 नवम्बर
100. बाल दिवस – 14 नवम्बर
101. विश्व मधुमेह दिवस – 14 नवम्बर
102. विश्व विधार्थी दिवस – 17 नवम्बर
103. राष्ट्रिय पत्रकारिता दिवस – 17 नवम्बर
104. विश्व व्यस्क दिवस – 18 नवम्बर
105. विश्व नागरिक दिवस – 19 नवम्बर
106. सार्वभौमिक बाल दिवस – 20 नवम्बर
107. विश्व टेलीविजन दिवस – 21 नवम्बर
108. विश्व मांसाहार निषेध दिवस – 25 नवम्बर
109. विश्व पर्यावरण संरक्षण दिवस – 26 नवम्बर
સાભાર :- ગોસાઈ નિયતિ
ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ
આજની નવી પેઢી માટે તો ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા યા દેશના કયા નેતાનો જન્મદિન દર ચાર વર્ષે આવે છે એવા બે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બની ગયા છે. ઇંદિરા ગાંધીએ જેમને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા તે મોરારજી દેસાઈનો જન્મદિન પણ તેમના ચડાવ-ઉતાર ને તડકી-છાંયડીવાળા જીવન જેવો જ છે. ૨૯મી ફેબ્રુઆરીએ આવતો હોવાથી દર ૪ વર્ષે આવે છે અને તેમના જીવનના અનેક રંગોની પેઠે દેશી તહેવાર મુજબ ‘ધુળેટી’ના દિવસે આવે છે. જેમનો દેશના નાણામંત્રી તરીકે ૧૦ વખત સંસદના કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો વિક્રમ કોઈ નાણામંત્રી હજુ સુધી તોડી શક્યા નથી તે મોરારજી અગાઉ ૨૯મી ફેબ્રુઆરીના રોજ પોતાના જન્મદિને બજેટ રજૂ કરતા હતા. સ્વસ્થ ને સ્થિતપ્રજ્ઞા રાજપુરુષ મોરારજીએ ૧૦૦ વર્ષનું નિરામય દીર્ઘાયુ ભોગવ્યું. શતાબ્દી ટાણે તેમણે રમૂજમાં કહેલું કે, હજુ તો હું માત્ર ૨૫ વર્ષનો જ થયો છું. જેમના જીવનમાં અધ્યાત્મ, રાજનીતિ ને રચનાત્મક સંસ્થાઓનો ત્રિવેણી સંગમ હતો તે મોરારજી ૮૨ વર્ષની વયે વડા પ્રધાન થયા અને એ ઉંમરે સોમનાથના દરિયામાં નાહવા પડેલા ને અકસ્માત સમયે નિસરણી વિના વિમાનમાંથી કૂદકો માર્યો હતો. આવા મોરારજી જીવતા હોત તો સવાસો વર્ષના હોત. રાત્રે નવ વાગે સૂઈ જનારા, રાંધેલું ન ખાનારા ને સ્વમૂત્રના ઉપાસક હતા. નહેરુ ને શાસ્ત્રીના અવસાન પછી વડા પ્રધાનપદે જેમનું નામ ચર્ચાતું, દાવેદાર હતા ને યોગ્ય હતા તે અદ્દલ ને સાચા કોંગ્રેસી મોરારજીના નસીબમાં ૮૨માં વર્ષે દેશની પ્રથમ બિનકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કરવાનું આવ્યું. એ અર્થમાં બે ગુજરાતી રાષ્ટ્રપુરુષો સરદાર ને મોરારજી ઉપેક્ષિત રહ્યા એમ કહીએ તો જરાયે ખોટું નથી. શાસ્ત્રીજીના અવસાન પછી તેઓ નાયબ વડા પ્રધાન ને નાણામંત્રી બન્યા પણ બેન્કોના રાષ્ટ્રીયકરણના તેમના સૈદ્ધાંતિક વિરોધને કારણે ઇંદિરાજીએ તેમની પાસેથી નાણાખાતું આંચકી લીધું ત્યારે તેમને સિદ્ધાંત ને સ્વમાનના ભોગે સત્તા પર ચીટકી રહેવાને બદલે નાયબ વડા પ્રધાન પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. મોરારજીએ પણ દિલ્હીને બદલે મુંબઈમાં મરવાનું પસંદ કર્યું. મોરારજી એકમાત્ર એવા ભારતીય રાજનેતા છે કે જેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ તથા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ પ્રાપ્ત થયાં છે. જોકે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન પ્રથમ મળ્યું ત્યાર બાદ ભારતનું મળ્યું. પોતાના વડા પ્રધાનપદ દરમિયાન દેશના પદ્મ એવોર્ડ બંધ કરનાર મોરારજીએ ‘ભારતરત્ન’ સન્માન સ્વીકાર્યું ત્યારે સ્પષ્ટતામાં તેમણે કહેલું કે, હું પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન સ્વીકારું ને ભારતનું ન સ્વીકારું તે દેશના અપમાન જેવું લાગે માટે સ્વીકારું છું. પાકિસ્તાને સન્માન સ્વીકારવા પૂર્ણ આદર ને સુવિધા સાથે પાકિસ્તાન આવવા નિમંત્રણ મોકલ્યું હતું. ત્યારે તેમણે તેનો અસ્વીકાર કરતાં કહેલું કે, હું ત્યાં નહીં આવું, કારણ કે હું ત્યાં આવું ને પાકિસ્તાની મીડિયા મને ભારત સરકારની ટીકાના પ્રશ્નો પૂછે ત્યારે પાકિસ્તાનની ભૂમિ પર મારે ભારત સરકારની ટીકા કરવી પડે તે અયોગ્ય છે. આજે તો ભારત બહાર ભારતની ચાલુ ને ભૂતકાળની સરકારોની ટીકા કરવાની ભારતીય નેતાઓ માટે એક ફેશન કે પ્રણાલી બની ગઈ છે. તે સમયે ચેનલો નહોતી એટલે આજે કોઈને ખબર નથી પણ તેમની વિદેશયાત્રા સમયે અમેરિકી પ્રમુખ જિમી કાર્ટર સહિત અનેક વિશ્વનેતાઓ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમને આવકારવા જતા હતા.
આજના રાજનેતાઓની વિશ્વસનીયતાનું એટલી હદે ધોવાણ થઈ ગયું છે કે, તેમની સામેની ખોટી ટીકાઓ હોય તોય લોકો સાચી માની લે છે પણ તેમને સીઆઈએના એજન્ટ કહેવા બદલ અમેરિકન પત્રકાર હર્ષ સામે તેમને બદનક્ષીનો અમેરિકી અદાલતમાં કેસ કર્યો હતો. તે કેસ કેટલાક ટેક્નિકલ ને કાનૂની કારણોસર મોરારજી હારી ગયા હતા છતાં તેમના કોઈ પ્રખર ટીકાકાર ભારતીય વર્તમાનપત્ર, પત્રકાર કે નેતાએ તેમની ઇમાનદારીને દેશભક્તિ સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે લખ્યો નહોતો. તે સમયના તેમના આલોચક કરન્ટના પત્રકાર કરાકા ને બ્લિટ્ઝના પત્રકાર કરંજિયાએ લખ્યું હતું કે મોરારજી અવ્વલ દરજ્જાના રાષ્ટ્રવાદીને ઇમાનદાર નેતા છે. મોરારજી બંધ ઓરડામાં ઉપવાસ કરે તોય તેમની સામે કોઈ શંકાની નજરે જોતું નહોતું. ગુજરાતમાં ચૂંટણી ને કટોકટી સામે તેમણે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તે જીવતા હતા ત્યાં સુધી કોઈ દારૂબંધી હટાવવાનું તો દૂર રહ્યું પણ હળવી કરવાની પણ વાત કરી શકતું ન હતું.
દાદા ધર્માધિકારીએ કહ્યું હતું કે, રાજકારણમાં સિદ્ધાંત માટે શહીદ થવું સહેલું છે પણ તેને પકડીને ચાલવું કઠિન છે પણ મોરારજીએ એ બંને કરી બતાવ્યું છે. જેલવાસ ને વનવાસ બંને ભોગવ્યાં છે. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે, મોરારજીના જે ગુણોએ મને આકર્ષ્યો છે તે તેમનું પારદર્શક ચારિત્ર, સ્પષ્ટ વિચારધારા, જીવનમાં ઉતારેલી સ્વયંશિસ્ત અને દૃઢ સંકલ્પનો સ્વભાવ. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા તડ-જોડ કરતા નથી. વિરોધીઓ સામે ષડ્યંત્રો રચતા નથી. તેમના આ ગુણોને કારણે જ મિત્રો ને દુશ્મનોમાં પણ તેમનું સ્થાન ઊંચું છે. રાજકીય સમાધાનો કર્યાં હોત તો ૮૨ વર્ષ સુધી વડા પ્રધાન પદ માટે રાહ ન જોવી પડત પણ સિદ્ધાંતના ભોગે એવાં સગાવાદમાં સમાધાનો કરે તે મોરારજી નહીં. જનતા સરકારમાં મોરારજીના નેતૃત્વમાં તેમના હાથે ઘડાયેલા ને પાછળથી સફળ વડા પ્રધાન પુરવાર થયેલા અટલ બિહારી વાજપેયીએ મોરારજીના ઉપવાસ ટાણે કહ્યું હતું કે, ઉપવાસ ટાણે મને મોરારજી બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ લાગ્યા છે. તફાવત એટલો જ હતો કે ભીષ્મ અન્યાય સાથે રહ્યા ને મોરારજી ન્યાયની લડાઈમાં આત્મોત્સર્ગ માટે કાર્યરત રહ્યા. વાજપેયીએ તેમના માટે એક સુંદર કવિતા લખી હતી-
”મૈંને મોરારજીભાઈ કો સત્તા પર દેખા હૈ, સત્યાગ્રહ મેં દેખા હૈ
કામરાજ કી માયા મેં દેખા હૈ, યમરાજ કી છાયા મેં દેખા હૈ
૧૯૬૭માં માઉન્ટ બેટનને પૂછવામાં આવ્યું કે, તમને પાકિસ્તાન માટે કેવી લાગણી થાય છે ત્યારે પ્રત્યુત્તરમાં તેમણે કહેલું કે, પાકિસ્તાન પાસે ઝીણા ને લિયાકતને બાદ કરતાં સરદાર, નહેરુ ને મોરારજીની તોલે આવે એવા સામર્થ્ય અને વહીવટી સૂઝવાળા કોઈ આગેવાન નહોતા.
જેનો તે સમયે વિરોધ થયેલો તે મોરારજીએ દાખલ કરેલો ગોલ્ડ કંટ્રોલ આજે સોનાના આસમાને પહોંચેલા ભાવો સમયે કેટલો યથાર્થ લાગે છે. આજે અબજોના એનપીએથી વિશ્વસનીયતા ગુમાવી બેઠેલી રાષ્ટ્રીયકૃત બેન્કોના રાષ્ટ્રીયકરણનો મોરારજીનો વિરોધ કેટલો સાચો હતો તે હવે સમજાય છે. હજારની નોટ રદ કરી દીધી છતાં ક્યાંય વિરોધ, અવ્યવસ્થા કે ક્રાંતિ કરી દીધાનો દેખાડો કર્યો નહોતો. તેમણે દાખલ કરેલી નાના માણસો માટેની ફરજિયાત બચત, નાની બચત, પોસ્ટલ બચત અને સેલ્ફ એસેસમેન્ટ જકાત જેવી યોજનાઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું. મોંઘવારી કદી ઘટતી નથી તેમ કહેનારા આજના નેતાઓને ખબર પણ નહીં હોય કે મોરારજીના શાસનમાં મોંઘવારી ઘટી હતી ને રેશનકાર્ડ શોધવા પડે તેવી ને રેશનિંગની દુકાનો બંધ કરવી પડે તેવી સ્થિતિ તેમણે સર્જી હતી.
જીવનભર સ્વાતંત્ર્ય સેનાની, સાંસદ ને ધારાસભ્યનું હકદાર હોવા છતાં એક પાઈ પણ પેન્શન તેમણે લીધું નહોતું. વલસાડનું પોતાનું ઘર બાલમંદિરને, પંચમહાલની જમીન હોસ્પિટલને બાકી વધી તે ૮૦ હજાર જેટલી બચતની રોકડ રકમ ગૂજરાત વિદ્યાપીઠને દાનમાં આપી દીધી હતી. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ તેમની વિદાય પછી સરદાર પટેલે સંભાળી ને સરદારની વિદાય બાદ લાંબા સમય સુધી મોરારજીએ ચીવટપૂર્વક સંભાળી હતી. રાષ્ટ્રહિત ને નૈતિક મૂલ્યો માટેની લડતમાં તેઓ કદી લોકપ્રિયતા, પદ કે પ્રતિષ્ઠાનું બલિદાન આપતાં અચકાયા નથી. દેશની લોકશાહી બચાવવા વિકલ્પની જરૂર પડી ત્યારે સાચા બિનસાંપ્રદાયિક ને અસલ કોંગ્રેસી મોરારજી રાષ્ટ્રહિત ને લોકશાહીની પુનઃ સ્થાપના માટે જનસંઘ સાથે પણ બેઠા. એથી જ તો દેશને વાજપેયી જેવા સારા વડા પ્રધાન ભવિષ્યમાં મળ્યા પણ મોરારજી કોંગ્રેસ કે ભાજપ કોઈના સ્વીકાર્ય ન રહ્યા.
૧૨૫મા જન્મદિને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને જૂના સેવાદળના ‘આપણું મંડળ’ના કેટલાક સેવકો સિવાય બીજું કોઈ ભાગ્યે જ ૪૩ વર્ષ પહેલાં વડા પ્રધાન બનેલા ને ગાંધી આશ્રમની સોડમાં ‘અભયઘાટ’ ખાતે પોઢે
રામાયણમાં માતા સીતા રાવણ સાથેના સંવાદ વખતે વચ્ચે એક તૃણ રાખે છે, ઘાસનું એક તણખલું મને ઘણું અર્થગાંભીર્ય ધરાવતું લાગ્યું. એનો હેતુ શું છે? વાલ્મિકી રામાયણના સુંદરકાંડમાં એકવીસમાં સર્ગમાં રાવણને પ્રત્યુત્તર આપતા સીતા કહે છે,
દુ:ખથી વિકળ રોતી તથા થરથરતી સુંદરી તપસ્વિની સીતા પોતાના પતિવ્રતધર્મની રક્ષા માટે ચિંતા કરતી, શ્રી રામનું સ્મરણ કરતાં પોતાની અને રાવણની વચ્ચે એક તણખલાની આડશ કરી અને જાણે સ્મિત કરતી હોય એમ તણખલા તરફ જોઈને બોલી, ‘હે રાવણ, મારી તરફથી તારા મનને વાળી તારી પોતાની સ્ત્રીઓમાં એને લગાવ.’
રાવણ તરફ પોતાની પીઠ ફેરવી એ કહેવા લાગી, ‘’હે રાવણ હું બીજાની પત્ની છું, સતી સ્ત્રી છું.
અહીં સીતા પોતાના માટે સતી સ્ત્રી એવો શબ્દપ્રયોગ કરે છે. આપણે ત્યાં પાંચ સતીઓની વાત પ્રચલિત છે જેમને પતિવ્રતધર્મના આદર્શ ગણાય છે, એમને પંચકન્યાઓ કહેવાઈ છે.
अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा।
पंचकन्या: स्मरेतन्नित्यं महापातकनाशम्।।
અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા તથા મંદોદરી; આ પંચકન્યાઓનું નિત્ય સ્મરણ મહાપાપોના નાશ કરનારું છે.
તો એક સતીને તૃણની કેમ જરૂર પડી? તૃણ વિશે એક શ્લોક છે..
ઉદાર મનવાળાને ધન તણખલા સમાન છે; શૂરવીરને મૃત્યુ તણખલા જેવું તુચ્છ છે; વિરક્તોને સ્ત્રી (મોહ) તણખલા સમાન છે અને નિસ્પૃહને માટે જગત તણખલા સમાન ક્ષુલ્લક છે.
શ્રી રામ વિશેના રાવણના અપમાનજનક વચનો સાંભળી આંસુ અને ગુસ્સાને લીધે જેની આંખો અને ચહેરો લાલ થઈ ગયા છે એ સીતા પાસેથી ઘાસનું એક તણખલું તોડી પોતાની અને રાવણની વચ્ચે રાખે છે. આના અનેક સાંકેતિક અર્થ હોઈ શકે;
- રાવણ પોતાના પરાક્રમના અનેક વર્ણનો કરે છે, અનેક જીતેલા દેવો વિશે વાત કરે છે ત્યારે સીતા એમ કહેવા માંગતા હોય કે શ્રી રામ જેવા વંટોળ સામે તું માત્ર એક તણખલું છે. રામના પ્રતાપથી તું અજાણ છે એટલે તું મારી પાસે આવી એમના વિશે આવા વચનો કહી રહ્યો છે, પણ જ્યારે રામ આવશે ત્યારે તું એમની સામે આ તણખલા સમાન ટકી શકવાને લાયક પણ નહીં હોય.
- રાવણ સીતાજીને અનેક રત્નો, હીરા, માણેક, નીલમ, અલંકારો અને વસ્ત્રો વગેરેની લાલચ આપે છે; એની સામે સીતાજી એમ પણ કહેવા માંગતા હોઈ શકે કે તારી આ બધી સંપત્તિ રામના પ્રેમની સામે મારે માટે તણખલાં બરાબર ક્ષુલ્લક છે.
- અને અર્થ એમ પણ થાય કે સીતાજી રાવણને કહેવા માંગે છે કે જેમ વનનો અગ્નિ ઘાસના તણખલાંને પળભરમાં ભસ્મ કરી શકે છે તેમ સીતાજીના પતિવ્રતધર્મ અને પવિત્રતા રૂપી અગ્નિ તેને પળભરમાં આ તણખલાની માફક ભસ્મ કરી શકે છે.
- આવી જ તૃણની એક વાત અરણ્યકાડમાં પણ આવે છે. વનવાસ દરમ્યાન ચિત્રકૂટમાં વસવાટ દરમ્યાન એક વાર ઘાસ પર બેઠેલા માતા સીતાના પગ પર મસ્તક રાખી શ્રીરામ નિંદ્રાધીન થયા હતા. ત્યાંથી ઉડીને જઈ રહેલો ઈન્દ્રનો પુત્ર જયંત આ દૈવી યુગલને જોઈ ગયો, જેમ એક કીડી સમુદ્રની ઊંડાઈનું માપ કાઢવા માંગતી હોય એમ એ શ્રી રામના બળનું માપ કાઢવા માંગતો હતો, એટલે એણે એક કાગડાનું રૂપ ધારણ કર્યું.
મૂઢ, મંદબુદ્ધિને લીધે કાગડો બની એણે સીતાજીના ચરણમાં ચાંચ મારી અને ભાગ્યો. જ્યારે રક્તપ્રવાહ વહ્યો ત્યારે શ્રી રામજીને ખબર પડી અને ધનુષ પર તણખલાના બાણનું સંધાન કર્યું. મંત્રથી પ્રેરિત થઈ એ બ્રહ્મબાણ દોડ્યું. ગભરાયેલો જયંત મૂળ રૂપમાં પોતાના પિતા ઈન્દ્ર પાસે ગયો, પણ રામનો વિરોધી જાણી ઈન્દ્રએ તેને ન રાખ્યો, પછી એ ભયથી વ્યાકુળ થઈ બ્રહ્મલોક, શિવલોક અને અન્ય અનેક સ્થાનોએ ભાગતો રહ્યો, એને જોઈ નારદજીને દયા આવી અને એમણે જયંતને શ્રી રામની જ શરણમાં જવા કહ્યું. એણે શ્રી રામ પાસે જઈ પોતાની રક્ષા માટે વિનંતિ કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી, પરંતુ તૃણબાણ છોડાઈ ગયું હતું એટલે એ દ્વારા શ્રી રામે એને કાણો કરીને છોડી મૂક્યો.
- ભક્ત જ્યારે અપાર મુસીબતમાં હોય ત્યારે ભગવાન ગમે તે સ્વરૂપમાંથી એની પાસે આવે જ છે. પ્રહલાદ માટે એ થાંભલો ફાડીને પ્રગટ થયા હતા તો એ તૃણમાંથી પણ પ્રગટ થઈ શકે એવી ધારણા પણ હોઈ શકે.
- એક વાત એવી પણ વાંચી કે નવવધૂના રૂપે અયોધ્યા આવેલા સીતાજી મિષ્ટાન્ન બનાવીને સર્વે કુટુંબીજનોને પીરસે છે. મહારાજ દશરથને જ્યારે તેઓ પીરસી શ્રી રામને પીરસવા આગળ વધી રહ્યાં હતા ત્યારે હવાની સાથે એક તણખલું ઉડીને આવ્યું અને મહારાજ દશરથની થાળીમાં પડ્યું. સીતાજીએ આ જોયું, શ્રી રામને પીરસવાનું છોડીને તેઓ જઈ શકે તેમ નહોતા, એટલે તેમણે પોતાની દ્રષ્ટિથી એ તણખલાંને બાળી મૂક્યું અને એની ભસ્મનું એક નાનકડું ટપકું રચાઈ ગયું. દશરથજી આ જોઈ ગયાં, તેમણે સીતાજીને કહ્યું કે એ સાક્ષાત જગતજનની છે, પરંતુ તેમણે જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે એ અંગારા ઝરતી આંખોથી ન જોવું. સર્વે પર મમતામય દ્રષ્ટિ રાખવી. એટલે જ્યારે જ્યારે રાવણ તેમની પાસે આવતો ત્યારે સીતાજી એ તણખલું પોતાની પાસે આડશ તરીકે રાખતાં જેથી એમને દશરથજીની વાતનું સ્મરણ રહેતું કે એમણે પોતાની દ્રષ્ટિથી રાવણને બાળી દેવાનો નથી.
- રાવણ કસમયે વાસના ભૂખ્યો થઈને અશોકવનમાં આવ્યો હતો, એની વૃત્તિ પશુ સમાન હતી અને ભૂખ્યા પશુને જેમ ઘાસ આપવામાં આવે તેમ એની વાસનાના આહાર રૂપે સીતાજીએ ઘાસનું તણખલું તેની સમક્ષ નીર્યું એવો અર્થ પણ સમજી શકાય.
- તાત્વિક રીતે સીતાજી રાવણ તરફ જોઇને કંઈ બોલતા નથી, તેમની નજર સતત પોતાના ચરણ તરફ જ રહે છે, અને રાવણને જવાબ આપવાના હોય ત્યારે તણખલા તરફ જોઈને બોલે છે, અને રાવણ સંબોધન કરતો હોય ત્યારે પણ તણખલું વચ્ચે રાખે છે. કહેવાય છે કે નકારાત્મક વ્યક્તિના મનનો પ્રભાવ હકારાત્મકતા કરતા ઝડપથી ફેલાય છે. એ પ્રભાવ પોતાના સુધી ન પહોંચે એ માટે સીતાજી ઘાસનું તણખલું એ નકારાત્મકતાના પ્રભાવને ઝીલવા વચ્ચે રાખે છે.
એમ પણ વિચારી શકાય કે ઘાસના તણખલાં જેવી સામાન્ય વસ્તુ પણ સીતાજી માટે મદદરૂપ થઈ રહે છે. પ્રભુએ વાનરો અને રીંછને પોતાના સૈન્યમાં સ્થાન આપ્યું અને સીતાજીએ તૃણને પોતાના સેનાપતિનું સ્થાન આપ્યું, જે કપરાં સમયમાં સતત સીતાજીની રક્ષા કરતું રહ્યું. ઈશ્વરતત્વની પાસે રહેવું; ઈશ્વર કાર્યમાં જેમ પેલી નાનકડી ખિસકોલી પણ પોતાનું યોગદાન આપતી હતી એમ આ તણખલું પણ ઉપયોગી નીવડ્યું.
* * *
આજે એ પ્રશ્ન પણ જોયો કે દુર્યોધન સાથે રાજા દ્રુપદને હરાવવા ખરેખર કર્ણ ગયો હતો કે નહીં, અને જો સૂર્યપુત્ર કર્ણ સાથે હતો તો દુર્યોધન યુદ્ધ હાર્યો કેમ?
દુર્યોધનની સાથે દ્રુપદને હરાવવા સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં જઈ શકે જ નહીં, કારણ કે એણે ગુરુ દ્રોણને ગુરુદક્ષિણા આપવાની નહોતી. એ ફક્ત કુરુ રાજકુમારોએ આપવાની હતી. એટલે દુર્યોધનની સાથે સૂર્યપુત્ર કર્ણ યુદ્ધમાં ગયો નહોતો.
અહીં સો કૌરવોના નામ જાણવા જરૂરી છે; દુર્યોધન, દુઃશાસન, દુસ્સહ, દુશ્શલ, જલસન્ધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્દર્ષ, સુબાહુ, દુષ્પ્રદર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ.. આમ સો પુત્રો પૈકીનો ગાંધારીનો સોળમો પુત્ર પણ કર્ણ નામધારી હતો.
મહાભારતના ભીષ્મપર્વમાં ૭૩મા સર્ગમાં સાતમો અને આઠમો શ્લોક આમ છે..
વીર ભીમસેને તીખા બાણ છોડીને તમારી સેનાના વ્યૂહને તોડી નાખ્યો અને દુર્યોધનના બધા નાના ભાઈઓની સામે આવ્યો. દુઃશાસન, દુર્વિષહ, દુસ્સહ, દુર્મદ, જય, જ્યત્સેન, વિકર્ણ, ચિત્રસેન, સુદર્શન, ચારુમિત્ર, સુવર્માણ, દુષ્કર્ણ, કર્ણ વગેરે અનેક ક્રોધી મહારથી ત્યાં હતા તો પણ ભીષ્મજીએ રક્ષા કરેલી તમારી સેનામાં એ ઘૂસી ગયો.
સૂર્યપુત્ર કર્ણ ભીષ્મના વડપણ હેઠળ યુદ્ધ લડ્યો ન હતો. એટલે ભીષ્મપર્વમાં સૂર્યપુત્ર કર્ણ હતો એ શક્ય નથી. એ દુર્યોધનનો નાનો ભાઈ અને સો કૌરવોમાંનો એક કર્ણ હતો. વળી પોતાના દિગ્વિજય દરમ્યાન સૂર્યપુત્ર કર્ણે એકલા હાથે દ્રુપદને હરાવ્યો હતો. અને કર્ણના પુત્ર વૃષસેને કુરુક્ષેત્રના યુદ્ધમાં તેને તીર મારીને ઘાયલ કરી દીધો હતો અને સારથી એને યુદ્ધભૂમિની બહાર લઈ ગયો હતો એમ પણ કહેવાયું છે. કર્ણ અને એનો પુત્ર અલગ અલગ સમયે જેને એકલે હાથે હરાવી શકે એ દ્રુપદને તેઓ દુર્યોધન અને અન્ય કૌરવો સાથે ગુરુદક્ષિણા માટેના યુદ્ધમાં નહોતો હરાવી શક્યા એમ માની શકાય એવું નથી.
તા.ક
નીતિશ ભારદ્વાજનું કૃષ્ણ તરીકે આગમન મહાભારત ધારાવાહિકનું બહુ મોટું જમાપાસું છે. એમના જેવા પ્રભાવશાળી, અર્થગંભીર, સતત સ્મિત કરતા રહેતા અને શાંત કૃષ્ણ પછી કોઈ શ્રેણીમાં જોયા નથી. હકીકતે આ શ્રેણીના પાંચેય પાંડવો, દુર્યોધન, દુ:શાસન, ભીષ્મ, વિદુર, બલરામ, દ્રોણ, દ્રૌપદી વગેરે અભિનેતા /અભિનેત્રીઓ પોતપોતાના પાત્રોમાં એવા તે સજ્જડ ગોઠવાઈ ગયા છે કે આપણા મનમાં પાત્રોના નામ આવે તો આ કલાકારો જ સૌથી પહેલા દેખાય. રામાયણનું સંગીત રચનાર રવિન્દ્ર જૈન હોય કે મહાભારતનું સંગીત આપનાર રાજકમલ; એમના વિશે તો લંબાણપૂર્વક અલગથી લખી શકાય.
અમારા જેવી પેઢીમાં ત્યારે અને આજની પેઢીમાં પણ આ ધારાવાહિકની અસર અદ્રુત છે, મહાભારત કરતા રામાયણનું રિસર્ચ મને વધુ ઊંડું લાગે છે, પણ એ મારો દૃષ્ટિકોણ હોઈ શકે. બંને શ્રેણીઓમાં વચ્ચે ઉર્દૂ શબ્દો ઝળકી જાય છે પણ એ કદાચ હિન્દીમાં થયેલા ઉર્દૂના મિશ્રણનો પ્રભાવ હોઈ શકે. ભારતની આ અમર ગાથાઓ વિશે પેઢીઓને જાણકારી આપતી આ શ્રેણીઓ અવિસ્મરણીય હતી, છે અને રહેશે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat
સાભાર :-
લેખકશ્રી જીજ્ઞેશભાઈ અધ્યારું
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળા એમનાં આશ્રમમાં બિરાજમાન હતાં. એક જિજ્ઞાસુ ભક્ત ત્યાં આવ્યો. "સ્વામી, ઘણાં સમયથી મનમાં એક પ્રશ્ન છે. જવાબ મેળવવા અનેક મહાત્માઓને મળ્યો. અફસોસ ! હજુ મને મારાં સવાલનો ઉત્તર મળી શક્યો નથી. મધ્ય ગુજરાતમાં આપનું ઘણું નામ છે. કેટલાંક બાવાઓનો જેલવાસ આપને ફળ્યો છે." સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ હળવેકથી કહ્યું, "હે મોબાઈલયુગના પામર જીવ ! વ્યાજસ્તુતિ અલંકારમાં વાત કર્યા વિના તારો પ્રશ્ન જણાવ."
"લો તારે, એ જણાવો કે ભગવાન છે ? જો હા છે, તો એ દેખાતો કેમ નથી ?"
સ્વામી તો એકદમ સહજ હતાં. "બોલ, થીયરી સમજાવું કે પ્રેક્ટિકલ સમજાવું ?"
ભક્ત- સ્વામી, આપણને પ્રેક્ટિકલમાં જ રસ છે.
સ્વામીજીએ એક કાગળ લીધો અને પેન્સિલથી એમાં 'ભગવાન' એમ લખ્યું. "વત્સ, આ શું લખ્યું છે ?"
ભક્ત- ભગવાન
સ્વામી- "ભગવાન" બરાબર દેખાય છે ને ?"
ભક્ત- હા
સ્વામી- તારી પાસે દસની નોટ છે ?
ભક્ત- હા
સ્વામી-લાવ.
સ્વામીએ દસની નોટ પેલા કાગળનાં ટુકડા પર મૂકી દીધી.
સ્વામી- હવે બોલ, ભગવાન દેખાય છે ?
ભક્ત- ના.
સ્વામી- કેમ ?
ભક્ત- રૂપિયા આડા આવે છે.
સ્વામી- હવે તું જઈ શકે છે. તારાં પ્રશ્નનો જવાબ તારી પાસે જ હતો. તરણાં ઓથે ડુંગર. જ્યારે આપણને કોઈ વસ્તુ હોવા છતાં દેખાતી નથી તો તેના સંભવત: બે કારણ હોઈ શકે છે. કાં તો આપણી નજર નબળી છે અથવા કશુંક આડું આવે છે. આપણને તો નોટો ઉપરાંતેય ઘણું ઘણું આડું આવે છે.
આ બધું સાંભળવામાં સારું લાગે છે. ઉપરાંત આવી વાતોથી લાગણીશીલ વ્યક્તિઓને સમજાવી શકાય છે. સ્ટીફન હોકિંગ એક મહાન સાઈન્ટીસ્ટ થઈ ગયાં. તે સંપૂર્ણ નાસ્તિક હતાં. એમનાં બેવાર છૂટાછેડા થયાં હતાં. પહેલાં ડાયવોર્સનું કારણ- એમનાં પત્ની પૂર્ણ આસ્તિક અને આપણાં હોકિંગભાઈ એનો બીજો છેડો. બંને વચ્ચે મનમેળ ન થયો. આ માણસે બિગ બેંગ થીયરી સમજાવી છે. જેને ખબર છે કે આ બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું છે એ ભલા આપણાં ભગવાનમાં કેવી રીતે વિશ્વાસ કરે ? જેનાં મગજ સુવિકસિત હોય છે એનાં હૃદય અર્ધવિકસિત હોવાની પૂરી શક્યતા છે. સ્ટીફન હોકિંગે ઈશ્વર અને પુન:જન્મ બંને માન્યતાઓનો સજ્જડ ઈન્કાર કરેલ છે.
બ્ટ્રાન્ડ રસેલ નામનાં નાસ્તિક બુદ્ધિજીવીએ એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે- "WHY I AM NOT A CHRISTAIN ?" આ પુસ્તકમાં હું કેમ ખ્રિસ્તી નથી બન્યો એનાં તર્ક રજૂ કર્યા છે. એમ ન માનસો કે આ માત્ર ખ્રિસ્તી ધર્મને જ લાગુ પડે છે. વિશ્વનાં તમામ ધર્મો તેની લપેટમાં આવી જાય છે. એમ માનવામાં આવે છે કે આ લેખકનાં તર્કને તોડવા અત્યંત કઠિન છે. નાસ્તિક બનવા માટે અતિ મેધાવી બુદ્ધિની જરૂર પડે છે.
જાણીને અત્યંત અચરજ થશે કે ધાર્મિક બનવા માટે ભગવાનની કોઈ જરૂર નથી. તમારી અને મારી આજુબાજુ એવા ધર્મો છે જેમાં કોઈ ભગવાન નથી અને છતાં આ ધર્મમાં માનનારાં સૌ ધાર્મિક કહેવાય છે. બૌધ્ધ અને જૈન ધર્મમાં ભગવાન નથી. ત્યાં શ્રમણ પરંપરા છે. શ્રમ કરી જ્ઞાન અને જે કઈ મેળવવું છે તે મેળવો. બુદ્ધએ કોઈ ભગવાનની મૂર્તિ કે છબીની પૂજા કરી નથી અને પૂજા કરવા કહ્યું પણ નથી. જૈન ધર્મમાં જે મૂર્તિઓ જોવા મળે છે એ તીર્થંકરોની મૂર્તિઓ છે. આવી વ્યવસ્થા હોવાં છતાં આ બંને ધર્મના અનુયાયીઓ ધાર્મિક જ છે, નાસ્તિક હરગીઝ નથી.
આપણાં ધર્મોમાં કેટલાંક પાખંડીઓ ઘૂસી ગયાં છે. જેનાં લીધે ધર્મ અને પંથના નામ બદનામ થાય છે. આવાં લોકોની કરતૂતોથી અસંખ્ય લોકોએ ધર્મને દૂરથી જ રામ રામ કરવાનું ચાલુ કર્યું છે. આ બિચારાં પોતાને નાસ્તિક કહેવડાવે છે પણ હકીકતમાં તે નાસ્તિક નથી પણ પાખંડીઓથી દાઝેલાં સજજનો છે. જો કોઈ સારો આશરો મળે તો આ લોકો ઘર વાપસી માટે તૈયાર હોય છે. અત્યારની ધાર્મિક પરિસ્થિતિ એવી નાજુક છે કે અહી કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની છૂટ નથી. દરેક ધર્મના શાસ્ત્રો પાસે એ સવાલોના તાર્કિક જવાબો છે. પણ સિનિયર કેજીનાં પાખંડીઓ ક્વોન્ટમ થિયરી ક્યાંથી સમજાવી શકે ???
જોગીદાસ ખુમાણને એક રજવાડાનાં રાજાએ મહેમાનગતિએ તેડાવ્યાં. જોગીદાસ એક બહારવટિયા હતાં. એમનાં માનમાં રાજાએ નાચ-ગાનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. રાજા, દરબારીઓ અને જોગીદાસે સ્થાન ગ્રહણ કર્યું એટલે મહેફિલ શરૂ કરવામાં આવી. ચાર નવયુવાન યુવતીઓએ પોતાનાં નાચ શરૂ કર્યા. સોળથી માંડીને અઢાર વર્ષ સુધીની એ કન્યાઓ માદક અદાઓથી નાચી રહી હતી. આ બાજુ જોગીદાસની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયો. કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો.
રાજાએ પૂછ્યું, "જોગીદાસ કાઈ થયું છે ? આપ કેમ રડો છો ? ત્યારે જોગીદાસ બોલ્યા, "મહારાજ, આ મારી દીકરીઓ સમાન નૃત્યાંગનાઓના નાચ હું નહી જોઈ શકું. આ પાપ છે. જો મને પહેલાથી ખબર હોત કે તમે આવો કાર્યક્રમ કરવાના છો તો હું અહી ન આવ્યો હોત. મને માફ કરજો. હું એક ક્ષણ પણ હવે અહી રોકાઈશ નહી." જોગીદાસ ખુમાણ ચાલી નીકળ્યા. એક સંત કક્ષાનું જીવન બહારવટિયો જીવતો હતો. જે દેશનાં ડાકુઓ પણ પવિત્ર જીવન જીવી જાણતાં હોય તે દેશનાં ધાર્મિક વડાઓ પાસેથી કેવી અપેક્ષાઓ રખાય ? એટલું સમજાય તોય ઘણું છે.
ઓગસ્ટ કોમ્ટ નામનો એક ફ્રેંચ સમાજશાસ્ત્રી થઈ ગયો. તેણે ધાર્મિક સ્તરનાં ત્રણ પેટા સ્વરૂપો સમજાવ્યા છે. (1) જડત્વવાદ- આ ધાર્મિક સ્તરનાં પ્રથમ તબક્કામાં માનવી જડ-ચેતન પદાર્થોમાં ઈશ્વર રહેલો છે એમ માને છે. તે વૃક્ષો, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, પશુ-પક્ષીઓની પૂજા કરે છે. કુદરતના વિવિધ તત્વોમાં ઈશ્વરનો વાસ છે એમ માને છે.
(2) અનેકેશ્વરવાદ- આ ધાર્મિક સ્તરનો બીજો તબક્કો છે. આ તબક્કામાં ધાર્મિક વિચારો વધુ વિકસિત થાય છે. અનેક અમૂર્ત દેવો આ સંસારનું સંચાલન કરે છે એમ માને છે. એક કરતાં વધુ દેવી-દેવતાઓને પૂંજે છે. આદિવાસી અને હિન્દુ ધર્મમાં આ માન્યતા સૌથી વધુ જોવા મળે છે.
(3) એકેશ્વરવાદ- આ ત્રીજા તબક્કામાં માનવી ચિંતન કરતો થાય છે. તર્ક કરતો થાય છે. ચિંતનમાં શુદ્ધિ આવે છે. માનવી એ વાત સ્વીકારતો થાય છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓનું સંચાલન કોઈ સર્વોપરી શક્તિ કે સત્તા વડે થાય છે.
આગળ જતાં માનવીની બુદ્ધિ અતિ વિકસીત થાય ત્યારે તે માને છે કે દરેક પ્રાકૃતિક ઘટનાઓમાં વિજ્ઞાન છૂપાયેલું છે. ત્યારે તે ભગવાનને પણ છોડી વિજ્ઞાનને જ ભગવાન માનવા લાગે છે. જો કે આ સમયને આવતાં હજુ હજારો વર્ષ લાગવાનાં છે.
ભર્તૂહરીએ નિતીશતકમાં એક શ્લોક દ્વારા કહ્યું છે,
દેવોને નમસ્કાર કરીએ છીએ. ખરેખર તો તેઓ પણ નિષ્કૃષ્ટ ભાગ્યને વશ હોય છે. ભાગ્ય વંદનીય છે, પરંતુ તે પણ કર્મનું નક્કી થયેલું ફળ આપનાર છે. ફળ કર્મને આધીન હોય તો દેવોના સમૂહનું શું પ્રયોજન અને ભાગ્યનું શું પ્રયોજન ? જેમના પર ભાગ્યનો પણ પ્રભાવ પડતો નથી. તે કર્મોને નમસ્કાર હો !
જે.કે.સાંઈ
ગઈકાલે અને આજે એમ બે દિવસ વાલીના મૃત્યુની વાત જોઈ, અને એક ખૂબ સહજ પ્રશ્ન વિશે વિચાર્યું, કે પ્રભુ રામે વાલીની મદદ કેમ ન લીધી? સુગ્રીવ તો વાલી કરતા નબળો હતો એ સહજ સમજાય છે તો એની સાથેની મિત્રતા શું કામની? જો પ્રભુએ સુગ્રીવને બદલે વાલી સાથે મિત્રતા કરી હોત તો ફાયદામાં ન રહ્યા હોત?
એ પહેલા વાલી દુદુંભી યુદ્ધની વાત જરૂરી છે. દુદુંભી મયાસુરનો પુત્ર હતો, મંદોદરીનો ભાઈ. કહેવાય છે કે વાલીની સાથે જે યુદ્ધમાં ઉતરતું તેનું અડધું બળ વાલીને મળી જતું. દુદુંભીમાં હજાર હાથીઓનું બળ હતું અને એનો આકાર બળદ જેવો હતો. નાગલોક જીતી એણે ધરતી પર આવી વાલીને યુદ્ધ માટે લલકાર્યો. એ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને દુદુંભી ખરાબ રીતે હાર્યો પછી એણે વાલીને પોતાને છોડી મૂકવા વિનંતિ કરી, પણ વાલીએ એની ડોક મરડી એને મારી નાખ્યો અને એને હવામાં ગોળ ગોળ ફેરવીને બળપૂર્વક ફેંક્યો. એ ઋષિમુખ પર્વતની તળેટીમાં યજ્ઞ કરી રહેલા માતંગ ઋષિ પાસે પડ્યો અને એના ખુલ્લા મુખમાંથી રક્તના છાંટા ઉડ્યા. આથી ગુસ્સે થયેલા માતંગ ઋષિએ આકાશ તરફ જોઈને શ્રાપ આપ્યો કે જેણે એમના યજ્ઞને ભંગ કર્યો છે એ જો એમના પર્વતની આસપાસ પણ આવશે તો એનું મસ્તક એ જ ક્ષણે ફાટી જશે. હનુમાનને ખબર પડી કે માતંગ ઋષિના શ્રાપને કોઈ પણ વરદાન તોડી શકે એમ નથી.
પણ એ સાથે આ વાતના સંદર્ભને વધુ સ્પષ્ટ કરવા વાલી - રાવણનો પ્રસંગ પણ જરૂરી છે. દંડકવન વિંધ્યાચળ પર્વતમાળાથી લઈ દક્ષિણ ભારત સુધી ફેલાયેલ માનવામાં આવે છે અને કિષ્કિંધા એનો એક ભાગ હતો, જે આજના કર્ણાટકના હમ્પી પાસે હોવાનું મનાય છે. વાલી એકવાર સમુદ્રકિનારે પૂજા કરવા ગયો હતો, પૂજા શરૂ કરતા પહેલા એણે નારદજીને આકાશમાર્ગે દક્ષિણ તરફ જતા જોયા અને વાલીએ તેમનું અભિવાદન કર્યું. નારદજી ઉતાવળમાં હતા, એટલે વાલીએ એનું કારણ પૂછ્યું, જેના જવાબમાં નારદજીએ કહ્યું કે તેમને દક્ષિણમાં મહારાજ રાવણે ઈન્દ્ર પર વિજયના ઉત્સવમાં આમંત્રિત કર્યા છે જ્યાં રાવણ ભવ્ય ઉત્સવ મનાવી રહ્યો છે. રાવણે હવે દેવતાઓને પણ જીતી લીધા છે અને એ પણ હવે રાવણના તાબામાં છે.
આ સાંભળી વાલી તેમને કહે છે કે રાવણે પોતાના વરદાન અને માયાવી સેનાથી નબળાઓ પર વિજય મેળવ્યો છે, પણ એ મારી સરખામણીએ કંઈ નથી, મારું બળ એ જાણે છે અને મારાથી ડરે છે. તમે એને મળો ત્યારે મારી આ વાત જરૂર કહેજો.
નારદ રાવણને ઉત્સવ પછી આ વાત કહે છે, જેના ઉત્તરમાં રાવણ કહે છે કે એ વાનરને હું ઈન્દ્રની જેમ જ બાંધીને મારા તાબામાં રાખીશ, મારા રાક્ષસો એને હેરાન પરેશાન કરી મૂકશે અને એ મારા ચરણોમાં પોતાનું શીશ નમાવશે. રાવણ સેના સાથે જવા નીકળે છે કે નારદ એને કહે છે, કે એક વાનર માટે આખી સેનાની શી જરૂર, એ માટે તો તમે એકલા પૂરતા છો. વાલીને હરાવવા તત્પર રાવણ એકલો પુષ્પક વિમાનમાં બેસી કિષ્કિંધા આવે છે અને ત્યાં વાલીને યુદ્ધ માટે પડકાર કરે છે. કિષ્કિંધામાંથી વાલીને બદલે સુગ્રીવ બહાર આવી રાવણને જુએ છે, એ કહે છે કે વાલી સમુદ્રકિનારે પૂજા માટે ગયો છે. રાવણ એની રાહ જુએ અથવા સમુદ્ર કિનારે જઈ શકે છે.
ખૂબ શાંતિથી રાવણ પુષ્પક વિમાન સમુદ્રકિનારે ઉતારી ધ્યાનમગ્ન વાલીને જુએ છે. કંચનવરણી કાયા અને વિશાળ સ્વરૂપ જોઈ એ થોડો ગભરાય છે પણ હવે એ ભાગી શકે એમ નથી. રાવણ વિચારે છે કે એ ધ્યાનમાં છે ત્યાં સુધીમાં એની પાછળ જઈ, પૂંછડેથી એને પકડી, ગોળ ફેરવીને ફેંકી દેવો. એ ચૂપકીદીથી વાલીની પાછળ જઈ પોતાના હાથોથી એની પૂંછડી જોરથી પકડે છે. વાલીની પૂંછડી લાંબી થતી જાય છે, રાવણ આખરે પોતાના વીસેય હાથોથી પૂંછડી પકડી લે છે અને એના બધા હાથ ફરતે અને ધીરે ધીરે એના સમગ્ર શરીર ફરતે પૂંછડી વીંટળાઈ જાય છે. કલાકો પછી વાલી ધ્યાનમાંથી જાગે ત્યારે રાવણને પૂંછડે વીંટળાયેલો જોઈ એ હસે છે, એ રાવણને કહે છે કે કોઈ વ્યક્તિ પૂજામાં હોય, ધ્યાનમાં હોય તો તેના પર પાછળથી હુમલો તો કાયર જ કરી શકે. એ કહે છે કે રોજની શિવ પૂજા રૂપે એને બાકીના ત્રણ સમુદ્ર પણ ઓળંગવાના છે. રાવણના મસ્તકને એ પોતાની બગલમાં દબાવી પર્વતો કૂદતો કૂદતો વિશ્વની પ્રદક્ષિણા કરે છે અને પૂજા પૂર્ણ કરે છે. પછી ઘરે આવી રાવણને એ અંગદના ઘોડીયા પર લટકાવી દે છે. રાવણની અનેક વિનંતિઓ પછી એ એને છોડી મૂકે છે.
વાલી અને માયાવીના પ્રલંબ યુદ્ધ અને સુગ્રીવે રક્તની ધારા જોઈ અને દર્દભર્યો ચિત્કાર સાંભળી બંધ કરી દીધેલું ગુફાનું દ્વાર, પછી એનો રાજ્યાભિષેક, વાલીની ગેરસમજ અને એણે સુગ્રીવની પત્ની પર કબજો કરી એને કાઢી મૂક્યો એ બધી વાત તો બતાવાઈ છે જ. એનું પુનરાવર્તન ટાળું છું.
હવે મૂળ પ્રશ્ન તરફ આવીએ. સુગ્રીવ – વાલી – રામની ત્રિકોણીય વાતમાં મને એકથી વધુ પરિમાણ દેખાય છે.. પરમદિવસની પોસ્ટમાં વાત મૂકી હતી ત્યાંથી જ શરૂ કરું કે રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ઋષિમુખ પર્વત પાસે પહોંચે ત્યારે બળવાન અને રૂપસંપન્ન બંને રાજકુમાર જેવા દેખાતા ઋષિકુમાર છે કે કોણ છે એવું જાણવા સુગ્રીવ હનુમાનજીને મોકલે છે. સુગ્રીવ ઋષિમુખ પર્વત પર છે, ઋષિનું મુખ – એટલે શાસ્ત્રો – એટલે ધર્મ – જીવન પદ્ધતિ. સુગ્રીવ જો માતંગ ઋષિના આશ્રમના વિસ્તારમાં આવતા એ પર્વત વિસ્તારની બહાર નીકળે તો વાલી એને મારી નાખે. વાલી ત્યાં આવી શક્તો નથી. મને અહીં બે વસ્તુઓ સ્પર્શે છે, તાત્વિક રીતે વિચારતાં સુગ્રીવ નબળો છે, એને ઋષિમુખના વિસ્તારમાં જ જીવ બચાવવાની આશા છે, મતલબ એ ભલે નબળો છે પણ ધર્મની નજીક હશે.
બીજુ જુઓ, વાલી જ્યાં આવી શક્તો નથી એ પર્વતનું નામ છે ઋષિમુખ – શાસ્ત્રો; વાલી શાસ્ત્રોની, ધર્મની કે જીવનપદ્ધતિની નજીક ફરકી શક્તો નથી કારણ કે એણે સતત બળના મદમાં અધર્મ આચર્યો છે. અધર્મી માણસ ધર્મની નજીક આવે તો અભિમાન અને અહંને લીધે એનું માથું ફાટે છે, શક્તિ અને સત્તા અમાપ થઈ જાય ત્યારે અણસમજુ અને ગર્વિષ્ઠ માણસ ધર્મથી વિમુખ થઈ જતો હશે, ધર્મ એને લોજિક વગરનો લાગે છે. સારાસારનો વિવેક ભૂલીને કે સમાજવ્યવસ્થાને અવગણીને એ પોતાની મરજીને જ નિયમ માને છે, અને આમ એ અધર્મ આચરે છે. રામ તો ઋષિમુખ પર જ હોય, રામ તો શાસ્ત્રો અને ધર્મ પાસે જ હોય, અને વાલી ત્યાં નથી એટલે રામ એની સાથે ન જ હોઈ શકે, આ થયો મને સૂઝેલો એક અર્થ.
સુગ્રીવની ફક્ત એક જ ક્વોલિફિકેશન છે, કે હનુમાનજી એની સાથે છે, સુગ્રીવને પણ ધર્મની સમજ નથી, એ પોતાના ડરને લીધે ધર્મની સાથે છે, એ ધર્મથી એને કોઈ લાભ નથી, પણ એની સાથે હનુમાનજી છે, એની સાથે જ્ઞાનવાન માણસોની સંગત છે. એટલે જ્યારે એ રામ લક્ષ્મણને ઓળખવા હનુમાનને મોકલે ત્યારે મને એમ સમજાય છે કે ડરને લીધે ધર્મ પાળતો નબળો માણસ પોતાના જ્ઞાની મિત્રને ઈશ્વરની ખાતરી કરવા મોકલે છે. જ્ઞાનીને તો ખબર જ છે કે ઈશ્વર કોણ છે, પણ પેલા નબળા મનના માણસને તર્કથી ઈશ્વર વિશે સમજાવવા એ પણ મૂળભૂત પ્રશ્નો કરે છે. નહિંતર શું હનુમાનજી રામને કે રામ હનુમાનને નહોતા ઓળખી શકવાના? પણ આ આખો વહેવાર પેલા અજ્ઞાની માટે છે, દસમા પગથિયા સુધી એને લાવવા એને પહેલે પગથિયેથી યાત્રા શરૂ કરાવવી પડે છે. ઈશ્વરે પણ પોતાનો લૌકિક પરિચય આપવો પડે છે.
મજેદાર વાત એ છે કે સુગ્રીવને જ્ઞાનીના કહ્યા પછી પણ ભગવાન પર ભરોસો નથી, એટલે એ દુદુંભી રાક્ષસના મહાકાય કંકાલને દૂર ફેંકી બતાવવા રામને કહે છે. અને રામ એને દૂર ફેંકે છે. એ સાત નાળિયેરીના વૃક્ષો વીધવા કહે છે. તર્ક કરનાર માટે ઈશ્વરને ઓળખવાનો એક જ માર્ગ છે, ચમત્કાર બતાવો. એની કાલ્પનિક તકલીફોના કંકાલ દૂર કરવા અને એની દ્રષ્ટિ રોકતી આડશો વીંધી એને દૂરદ્રષ્ટિ આપવા. રામ એ પણ કરી બતાવે છે.
રામ શિવ છે અને સુગ્રીવ જીવ છે, અને બંનેને સાંકળતી કડી હનુમાન સુગ્રીવના ગુરુ છે.
પહેલો પ્રશ્ન તો એ થયો કે તાડકા, ખર દૂષણ જેવા રાક્ષસોને મારવા છતાં રામને સુગ્રીવ અને એની વાનરસેનાની જરૂર શા માટે પડી હશે?
પહાડો, નદીઓ, જંગલો પાર કરી રાવણ ક્યાં છે તે શોધવા જવું, એ સમાચાર લાવી આખી સેના ત્યાં લઈ જવી અને રાવણને હરાવવો એ યુદ્ધનીતી મુજબ માનવો માટે શક્ય નહોતું. યુદ્ધ પહેલા જ એ સેના થાકી હારી જાય. માનવસેના હોત તો પણ આપેલા સમયમાં એ અશક્ય હતું. (જો રામ સમયસર ન પહોંચે તો ભરતજી આત્મદાહ કરવાના હતા.) એની સામે વાનરો ઝડપથી આ બધું ઓળંગી શકે, ઝડપ અને ચપળતાને લીધે એ ક્યાંય વધુ ઉપયોગી હતા. પણ વાનરોનો રાજા શા માટે આ કામમાં રામની મદદ કરે, એ માટે એની પાસે કંઈક કારણ હોવું જોઈએ. અને વાલી અને સુગ્રીવ એ બે માંથી કોની પાસે મજબૂત કારણ છે? – સુગ્રીવ
સુગ્રીવનો ગુસ્સો, જીતની પ્રબળ આકાંક્ષા, ઘવાયેલું આત્મ સમ્માન અને પત્ની વિયોગ એ મુખ્ય કારણો હતા જેના લીધે એ રામનો સાથ આપવા તૈયાર થાય.
ધારો કે રામ વાલી પાસે ગયા હોત, તો વાલીને ફરી રાવણને હરાવવા સેના લઈને જવામાં રસ ન હોય, જેને હરાવ્યો છે એને ફરી શું કામ યુદ્ધ માટે ઉશ્કેરવો, આમ પણ કોઈ દરવાજે આવી પડકાર ન આપે ત્યાં સુધી વાલી લડવા જતો નહોતો, અને આ રીતે સીતાજીને શોધવામાં એ રસ ન દાખવે. પછી જો ત્યાંથી નિરાશ થઈ રામ સુગ્રીવ પાસે જાય તો પણ કામ ન બને. જો વાલી યુદ્ધ કરવા તૈયાર ન થાય તો પછી સુગ્રીવની સાથે વાનરોનો સમૂહ ન જ ઉભો રહે. અને થોડાક વાનરો જોડાય, થોડાક ન જોડાય એ પરિસ્થિતિ રામ માટે પ્રોત્સાહક ન રહે. એટલે હનુમાન પણ રામને લઈ સુગ્રીવ પાસે જાય છે. જ્ઞાની ગુરુ ક્યારેક ઈશ્વરને પણ જીવ સુધી લઈ આવે છે.
વળી રાવણે રામની પત્નીનું અપહરણ કર્યું છે, જે એના માટે એક સૂર્યવંશીની પત્ની છે. એ અધર્મને લીધે રાવણને હરાવવા કે સીતાજીને શોધવાની મદદ માટે રામ વાલી પાસે ન જ જઈ શકે, કારણ કે વાલીએ તો પોતાના ભાઈની પત્ની રૂમાને પડાવી રાવણથીય વધુ મોટો અધર્મ આચર્યો છે. તાત્વિક રીતે એવું કરતા રામ પર પણ અધર્મનો આરોપ લાગી શકે. એટલે એ રીતે પણ રામ વાલી પાસે જઈ શકે એમ નથી.
અહીં મને રામાયણ અને મહાભારતના પ્રસંગોની સરખામણી થઈ આવી. અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ કરતા વ્યાસ અને સુગ્રીવની પત્ની રૂમાને પડાવી રાખતો વાલી. જો વાલીનું કર્મ અધર્મ હોય તો વ્યાસનું કર્મ અધર્મ કેમ ન કહેવાય? પણ એનો જવાબ વાલ્મિકી રામાયણમાં રામ જ આપે છે..
અર્થાત, મહાત્મા સુગ્રીવ જીવે છે ત્યારે, અધર્મ કરવાની તારી આદતને વશ કામવાસનાથી ગ્રસ્ત થઈ સુગ્રીવની પત્ની સાથે, જે તારી પુત્રવધુ સમાન ગણાય; તેં પાપકર્મ આચર્યું છે. અહીં “મહાત્મા સુગ્રીવ જીવે છે ત્યારે” શબ્દો બોલ્ડ અને અંડરલાઈનમાં વાંચવા, એ વ્યાસના નિયોગનો ધર્મપ્રશ્ન મારે માટે ઉકેલી આપે છે.
રામ અને સુગ્રીવની એ સમયની પરિસ્થિતિ લગભગ સમાન છે. બંનેની પત્ની તેમની સાથે નથી, અને સુગ્રીવ સાથે મોટો અધર્મ થયો છે કારણ કે એની પત્ની તો એના સગા ભાઈએ પડાવી છે. ધર્મના પુન: પ્રસ્થાપન માટે વાલીને હણવું રામ માટે જરૂરી હતું. પોતાના નાના ભાઈની પત્ની તો પુત્રવધુ સમાન કહેવાય. પોતાની પુત્રી, અથવા બહેન, અથવા નાના ભાઈની પત્ની પર કુદ્રષ્ટિ કરવી ઘોર અપરાધ છે, એ કરનાર આતતાયી છે અને આતતાયીને હણવામાં પાપ નથી એટલે રૂમા પર કુદ્રષ્ટિ કરી વાલીએ પોતાનું મૃત્યુ નિશ્ચિત કરી લીધું.
વાલી અધિકારની વાત પણ કરે છે, જેના જવાબમાં રામ કહે છે કે સમગ્ર પૃથ્વી રઘુવંશીઓનું રાજ્ય છે અને મહારાજ ભરતની આજ્ઞાથી અધર્મીઓનો સંહાર એક સેવક તરીકે તેમની ફરજ છે. વાલી પોતાના ભાઈને એનો પક્ષ સમજ્યા વગર કાઢી મૂકે, એની પત્ની પડાવી લે, રાજ્ય પડાવી લે અને જીવ લેવા સતત એની પાછળ પડ્યો રહે એ અધર્મ છે, એથી વાલી વાનર હોવા છતાં શીલવંત ન રહેતા જંગલી જાનવર થઈ જાય છે અને શિકાર દરમ્યાન વનરાજીમાં રહીને જાનવરોને મારવા એ ક્ષત્રિયનો હક છે એમ પણ વાલ્મિકી રામાયણમાં રામ કહે છે. શ્રી રામનું તીર વાલીની છાતીમાં વાગે છે. એટલે રામ એની સામે હતા એ સ્પષ્ટ છે, સુગ્રીવ સાથે યુદ્ધ માટે જતા વાલીને તારા રોકે છે અને એને શ્રી રામનો મહિમા કહે છે, પણ એ તરફ ધ્યાન આપ્યા વગર વાલી યુદ્ધ કરવા નીકળે છે. રામ એની સામે જ છે, પણ વાલીનું સમગ્ર ધ્યાન સુગ્રીવને મારવા પર હોવાથી એ રામને જોઈ શક્તો નથી, એનું ધ્યાન રામ પર છે જ નહીં, એટલે રામ છુપાયા હશે એ કરતાં વાલી એમને જોઈ ન શક્યો હોય એમ હોય. આમ રામ વાલીના બધા સંશયો, બધા પ્રશ્નોના ઉત્તર આપે છે, અને વાલી પોતાની સજા બાબતે સંતુષ્ટ થઈ જીવ છોડે છે.
અને છેલ્લે ફરી ભક્તિ – એક સાચો ભક્ત ક્યારેક ઈશ્વરને પણ માર્ગ દેખાડી શકે, અને ઈશ્વર એ માર્ગને ફક્ત ભક્તની શ્રદ્ધાને લીધે, એના ભરોસે (ખભે બેસીને) પાર કરે એ તો હનુમાન જેવા આદર્શ અને સમર્પિત ભક્ત હોય તો જ શક્ય બને.