ભાગ પહેલો ....
પ્રકરણ - ૧
*મોહનદાસ કરમચંદ ગાંધી*
ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજયમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઇએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઇ ચૂકયો છે.’ ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઇઓ ઓરમાયા હતા એવો ખ્યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્લા તુલસીદાસ ગાંધી. બંને ભાઇએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડયા પછી પોતે રાજસ્થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્શનર હતા.
કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં. પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમે ભાઇઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.
પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્વરે પાઠ કરી જતા.
માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય.
માતા વ્યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઇ કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે. આ માત પિતાને ત્યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો.
બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઇ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છુ કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશકિત જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઇએ:
એકડે એક , પાપડ શેક; પાપડ કચ્ચો, --- મારો—
પહેલી ખાલી જગ્યાએ માસ્તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્યકતા ન હોય.
રસ્તામાં તરબૂચની દુકાન જોઈ.. મેં મારું એક્ટિવા બાજુ પર ઉભું રાખ્યું.. અને ત્યાં ગયો.. હું વિચારતો હતો.. આ સીઝનમાં એક પણ વખત તરબૂચ મારા પરિવાર માટે નથી લઈ ગયો.
આખર તારીખ હતી.. આગળ પગારમાં કેટલું મોડું થશે એ પણ ખબર ન હતી..
પણ સાથે સાથે વિચાર આવ્યો.. તરબૂચની સીઝન જતી રહેશે.. તો.. પરિવાર તો સમજુ છે.. એ કોઈ દિવસ મને નહીં કહે કે.. પપ્પા આ વખતે તરબૂચ કેમ ન લાવ્યા ? પણ હું આખું વર્ષ મારી જાત ને અપરાધી ગણતો રહીશ.
ત્યાં મારી નજર કેરીની પેટી ઉપર પડી.. મેં વિચાર્યું.. આ સીઝન ચાલુ થઈ ગઈ.. કેરી પણ ઘરે નથી લઈ ગયો.
કેરી અને તરબૂચ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવાર અટવાયો.. તો પણ હિંમત કરી.. મેં પૂછ્યું.. ભાઈ, કેરી ની પેટી નો ભાવ શું છે ?
એ બોલ્યો 900 રૂપિયા.. તમારા માટે 850 રૂપિયા.. 9kg આવશે.. એકદમ સાકાર જેવી મીઠી.. જુનાગઢની છે.. બોલો કેટલી પેટી આપું ?
એ બોલતો રહ્યો અને હું વિચાર માં ખોવાઈ ગયો પાકીટમાં ફક્ત રૂપિયા 2000 છે.. રૂપિયા 850 ની પેટી.. ના..ના.. ન લેવાય.
હું ધીરેથી બોલ્યો.. છતાં દુકાનદાર સાંભળી ગયો.. એ બોલ્યો.. કેમ ના ના કરો છો ?
મેં વાત બદલતા કીધું.. કેરી કાચી છે.. આ પહેલાં લઈ ગયો હતો.. 10 દિવસે માંડ પાકી હતી.
મનમાં તો હું જાણતો હતો.. ગયા વર્ષે પેટી લીધી હતી.. આ વર્ષે તો હજુ શુકન પણ ક્યાં કર્યા છે...?
પણ આજુબાજુ ઉભેલામાં વટ તો મારવો પડે..
અને આ તરબૂચ નો શું ભાવ છે ? મેં કેરી તરફ થી ધ્યાન બીજી તરફ વાળ્યું.
20 રૂપિયે કિલો...
હું ખુશ થયો.. મનમાં બોલ્યો.. આ આપણા બજેટમાં ફિટ થાય છે.. એટલે મેં મોટું તરબૂચ ગોત્યું...
મન માં વિચાર્યું.. કાલે રવિવાર છે.. આજે રાત્રે સમારી ફ્રિઝમાં મૂકી દઈશ.. અને રવિવારે બપોરે બધા આનંદ થી સાથે ખાશું...
દુકાનદાર જોરથી બોલ્યો.. સાહેબ સાત કિલો થાય છે.
હવે તો કોઈ સાહેબ કહે તો પણ ગાળો આપતો હોય તેવું લાગે છે.. અહીં અમને ખબર છે આખર તારીખ માં ટૂથપેસ્ટ પર વેલણ ફેરવિયે છીયે.. બ્લેડનો પણ કસ છેલ્લાં દિવસોમાં કાઢવા જતાં.. લોહી લુહાણ થઇ જઇયે છીયે..
અહીં અંડરવેર પણ બહારની દોરીએ સુકવાય નહીં.. તેવી દશા અને દિશા મધ્યમવર્ગની થઈ ગઈ છે..
અને આ લોકો.. સાહેબ સાહેબ કરી.. અને આપણી હવા ભરે છે.
મેં પણ કોલર ઉંચી કરી કીધું.. જેટલું થાય એટલું કરી દે.. મનમાં તો ટોટલ રકમ ગણી લીધી હતી.. ચલો 140 રૂપિયામાં રવિવાર ઉજવાઇ જશે.
અંદરથી ખુશી સાથે.. હું તરબૂચ લઈ ઘરે પહોંચ્યો..
બાળકો ખુશ થઈ ગયા.
હજુ મારી પત્ની મને ઠંડુ પાણી આપે છે.. ત્યાં મારી નાની દીકરી કહે પપ્પા.. સ્કૂલની વાન વાળા અંકલ આવ્યા હતા.
મારી પત્ની બોલી.. હજુ પપ્પાને બેસવા તો દે.
હું સમજી ગયો હતો.. ચાર મહિનાનું વાનનું ભાડું લેવા આવ્યો હશે.. હાથમાં પકડેલ ઠંડુ પાણી જાણે ગરમ થઇ ગયું હોય.. તેવો અનુભવ થયો.. છતાં પણ હિંમત હાર્યા વગર મેં કીધું.. હવે એ અંકલ આવે.. તો મારો મોબાઈલ નંબર આપી દેજે.. હું વાત કરી લઈશ.
અહીં રોજ સવાર પડે મુસીબતોનું લિસ્ટ સામે હોય.. સાંજ પડતાં તો લડતાં લડતાં થાકી જઇયે.. અને સવારે બીજું લિસ્ટ તૈયાર હોય.. અહીં મુસીબત સાથે લડતાં લોકો શીખી ગયા છે.. હવે કોઈ કોરોના સાથે લડવાની વાત કરે.. ત્યારે હસવું આવે.. સાથે કહેવાની ઈચ્છા પણ થાય આવી જા કોરોના.. તું પણ બાકી ન રહેવો જોઈએ.
શનિવારે રાત્રે આખો પરિવાર આનંદ સાથે તરબૂચ સમારવા બેઠો.. જેવા તરબૂચના બે કટકા થયા.. ત્યાં..
તરબૂચ મધ્યમવર્ગીય પરિવારના નસીબ જેવું નીકળ્યું..
સાત કિલો તરબૂચમાં ખાઈ શકાય તેવો ભાગ માત્ર કિલો પણ નહીં.. આખું તરબૂચ સફેદ.. વચ્ચેનો ખોબા જેવો ભાગ લાલ ખાવા જેવો.
ઘરના બધાં મારી સામે જોવા લાગ્યા.. જાણે તરબૂચ મેં બનાવ્યું હોય.. મેં પણ ભગવાનની સામે જોઈ ધીરે થી કીધું.. હે ભગવાન, સરકાર તો મધ્યમ વર્ગની મજાક ઉડાવે છે.. હવે તેં પણ ચાલુ કર્યું ?
મારી પત્ની ધીરે થી બોલી.. દુકાનવાળો છેતરી ગયો.
મેં કીધું.. ડાર્લિંગ.. આપણે એક તરબૂચ ખરાબ નીકળ્યું.. તે પણ દુકાનદારે નથી બનાવ્યું.. છતાં એ છેતરી ગયો એમ કહીયે છીયે.
મેં પરિવારને હિંમત આપતા કીધું.. ચિંતા ન કરો.. કાલે નવું તરબૂચ કપાવી ને આવીશ.
ત્યાં મારી નાની છોકરી બોલી.. પપ્પા તરબૂચ કરતાં.. કેરી જ લઈ આવજો.. હું તેની સામે જોઈ રહ્યો.. તેને કેમ સમજાવવું કે હવે પુરા બે હજાર રૂપિયા પણ પાકીટમાં નથી.
ત્યાં મારી પત્ની મારી આબરૂ બચાવવા વચ્ચે બોલી.. બેટા, આ વખતે કોરોના ના કારણે આપણે કેરી ન ખાવી જોઈએ.
હું ભીની આંખે તરબૂચ સામે જોઈ ઉભો થયો.. ખૂણામાં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો.. હે ભગવાન, કાં તો ભિખારી બનાવ.. કાં ધનવાન.. આમ અમને વચ્ચે લટકતા ન રાખ.. ગાલે તમાચા મારી મોઢું લાલ રાખતાં હવે થાક લાગે છે.. આ મારી નાની છોકરીને તું જ હવે જવાબ આપ.. કેરી ખવાય કે ન ખવાય ?
ત્યાં ઓચિંતો ડોર બેલ વાગ્યો..
મેં બારણું ખોલ્યું.. એક વ્યક્તિ કેરી ની પેટી લઈ ઉભો હતો..
દવે સાહેબ નું ઘર..
મેં કીધું.. ભાઈ ગાળો ન આપ..
એ બોલ્યો.. સાહેબ મેં ક્યાં ગાળો દીધી..
સાહેબ ન કહે.. બાકી બધું કહે.. ચાલશે.. બોલ શું હતું.
આ કેરીની પેટી.. આ પરચીમાં સિગ્નનેચર કરો..
મેં જોયું.. તો અમારી સ્ટાફની ક્રેડિટ સોસાયટી એ આ વખતે વ્યાજને બદલે બે કેરી ની પેટી મોકલી હતી..
ખૂણામાં રાખેલ ભગવાનની મૂર્તિ સામે જોઈ.. હું બોલ્યો.. સાચું બોલજે મુરલીધર, આ પેટી તેં જ મોકલી છે ને ?
ઘરમાં આનંદ છવાઈ ગયો.. ત્યાં મારી નાની છોકરી બોલી.. પણ પપ્પા, કેરી તો ન ખવાય.. એવું મમ્મી હમણાં કહેતી હતી.
મેં તેના માથે હાથ ફેરવી કીધું.. બેટા આ સ્પેશ્યલ દવા છંટાવી તારા માટે જ મંગાવી છે.
હું અને મારી પત્નિ ભગવાનની મૂર્તિ સામે ભીની આંખે જોઈ બોલ્યા.. પ્રભુ, આ મધ્યમવર્ગ જીવે છે ફક્ત તારા ભરોસે.. અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતવરણ ઊભું થઇ રહ્યું છે..
મારાથી સ્માઈલ આપતાં બોલાઈ ગયું.. હે પ્રભુ, હવે તારી કસોટી છે..
જોઈએ તું જીતે છે.. કે અમે હારીયે છીયે..
ચોપાટ માંડી છે તારણહાર તે..
હારીશ નહીં.. થાકિશ જરૂર..
ફેંકવા હોય એમ ફેંકજે પાસા..
દાવ મારો પણ બાકી છે..
હારવા રમ્યો નથી.. જીત મારી પાકી છે..
આજ ભલે પડે અવળાં પાસા મારા..
કાલ તો હજી મારી બાકી છે..
#પાર્થિવ
विजय सिंह पथिक
जन्म 27 फरवरी 1882 , ग्राम गुठावली , जिला बुलन्द शहर , उत्तर प्रदेश
मृत्यु 28 मई 1954
अन्य नाम : भूप सिंह गुर्जर, राष्ट्रीय पथिक
माता-पिता : कमल कुमारी (माता) हमीर सिंह गुर्जर (पिता)
विजय सिंह पथिक उर्फ़ भूप सिंह गुर्जर भारतके एक प्रमुख स्वतंत्रता सेनानी थे। उन्हें राष्ट्रीय पथिक के नाम से भी जाना जाता है। उनका जन्म बुलन्द शहर जिले के ग्राम गुठावली कलाँ के एक गुर्जर परिवार में हुआ था। उनके दादा इन्द्र सिंह बुलन्द शहर स्थित मालागढ़ रियासत के दीवान (प्रधानमंत्री) थे जिन्होंने 1857 के प्रथम स्वतन्त्रता संग्राम में अंग्रेजों से लड़ते हुए वीरगति प्राप्त की थी। पथिक जी के पिता हमीर सिंह गुर्जर को भी क्रान्ति में भाग लेने के आरोप में अंग्रेज सरकारने गिरफ्तार किया था। पथिक जी पर उनकी माँ कमल कुमारी और परिवार की क्रान्तिकारी व देशभक्ति से परिपूर्ण पृष्ठभूमि का बहुत गहरा असर पड़ा। युवावस्था में ही उनका सम्पर्क रास बिहारी बोस और शचीन्द्र नाथ सान्याल आदि क्रान्तिकारियों से हो गया था।
1915 के लाहौर षड्यन्त्र के बाद उन्होंने अपना असली नाम भूपसिंह गुर्जर से बदल कर विजयसिंह पथिक रख लिया था। मृत्यु पर्यन्त उन्हें इसी नाम से लोग जानते रहे। मोहनदास करमचंद गांधीके सत्याग्रह आन्दोलन से बहुत पहले उन्होंने बिजौलिया किसान आंदोलनके नाम से किसानों में स्वतंत्रता के प्रति अलख जगाने का काम किया था।
बिजौलिया किसान आंदोलन
1912 में ब्रिटिश सरकार ने भारत की राजधानी कलकत्ता से हटाकर दिल्ली लाने का निर्णय किया। इस अवसर पर भारत के गवर्नर जनरल लार्ड हाडिंग ने दिल्ली प्रवेश करने के लिए एक शानदार जुलूस का आयोजन किया। उस समय अन्य क्रान्तिकारियों ने जुलूस पर बम फेंक कर लार्ड हार्डिग को मारने की कोशिश की किन्तु वायसराय साफ बच गया। रास बिहारी बोस, जोरावर सिंह, प्रताप सिंह, पथिक जी व अन्य सभी सम्बन्धित क्रान्तिकारी अंग्रेजों के हाथ नहीं आये और वे फरार हो गए। 1915 में रास बिहारी बोस के नेतृत्व में लाहौर में क्रान्तिकारियों ने निर्णय लिया कि 21 फ़रवरी को देश के विभिन्न स्थानों 1857 की क्रान्ति की तर्ज पर सशस्त्र विद्रोह किया जाए। भारतीय इतिहास में इसे गदर आन्दोलन कहते हैं। योजना यह थी कि एक तरफ तो भारतीय ब्रिटिश सेना को विद्रोह के लिए उकसाया जाए और दूसरी तरफ देशी राजाओं की सेनाओं का विद्रोह में सहयोग प्राप्त किया जाए। राजस्थान में इस क्रान्ति को संचालित करने का दायित्व विजय सिंह पथिक को सौंपा गया। उस समय पथिक जी फिरोजपुर षडयन्त्र केस में फरार थे और खरवा (राजस्थान) में गोपाल सिंह के पास रह रहे थे। दोनों ने मिलकर दो हजार युवकों का दल तैयार किया और तीस हजार से अधिक बन्दूकें एकत्र की। दुर्भाग्य से अंग्रेजी सरकार पर क्रान्तिकारियों की देशव्यापी योजना का भेद खुल गया। देश भर में क्रान्तिकारियों को समय से पूर्व पकड़ लिया गया। पथिक जी और गोपाल सिंह ने गोला बारूद भूमिगत कर दिया और सैनिकों को बिखेर दिया गया।
कुछ ही दिनों बाद अजमेरके अंग्रेज कमिश्नर ने पाँच सौ सैनिकों के साथ पथिक जी और गोपाल सिंह को खरवा के जंगलों से गिरफ्तार कर लिया और टाडगढ़ के किले में नजरबंद कर दिया। उन्हीं दिनों लाहौर षडयंत्र केस में पथिक जी का नाम उभरा और उन्हें लाहौर ले जाने के आदेश हुए। किसी तरह यह खबर पथिक जी को मिल गई और वो टाडगढ़ के किले से फरार हो गए। गिरफ्तारी से बचने के लिए पथिक जी ने अपना वेश राजस्थानी राजपूतों जैसा बना लिया और चित्तौडगढ़ क्षेत्र में रहने लगे। बिजौलिया से आये एक साधु सीताराम दास उनसे बहुत प्रभावित हुए और उन्होनें पथिक जी को बिजौलिया आन्दोलन का नेतृत्व सम्भालने को आमंत्रित किया। बिजौलिया उदयपुर रियासत में एक ठिकाना था। जहाँ पर किसानों से भारी मात्रा में मालगुजारी वसूली जाती थी और किसानों की दशा अति शोचनीय थी। पथिक जी 1916 में बिजौलिया पहुँच गए और उन्होंने आन्दोलन की कमान अपने हाथों में सम्भाल ली। प्रत्येक गाँव में किसान पंचायत की शाखाएँ खोली गई। किसानों की मुख्य माँगें भूमि कर, अधिभारों एवं बेगार से सम्बन्धित थी। किसानों से 84 प्रकार के कर वसूले जाते थे। इसके अतिरिक्त युद्व कोष कर भी एक अहम मुददा था। एक अन्य मुददा साहूकारों से सम्बन्धित भी था जो जमीदारों के सहयोग और संरक्षण से किसानों को निरन्तर लूट रहे थे। पंचायत ने भूमि कर न देने का निर्णय लिया गया। किसान वास्तव में 1917 की रूसी क्रान्ति की सफलता से उत्साहित थे, पथिक जी ने उनके बीच रूसमें श्रमिकों और किसानों का शासन स्थापित होने के समाचार को खूब प्रचारित किया था। विजय सिंह पथिक ने कानपुरसे प्रकाशित गणेशशंकर विद्यार्थी द्वारा सम्पादित पत्र प्रताप के माध्यम से बिजौलिया के किसान आन्दोलन को समूचे देश में चर्चा का विषय बना दिया।
1919 में अमृतसर कांग्रेस में पथिक जी के प्रयत्न से बाल गंगाधर तिलकने बिजौलिया सम्बन्धी प्रस्ताव रखा। पथिक जी ने मुम्बई जाकर किसानों की करुण कथा गांधी जी को सुनाई। गांधी जी ने वचन दिया कि यदि मेवाड़ सरकार ने न्याय नहीं किया तो वह स्वयं बिजौलिया सत्याग्रह का संचालन करेगें। महात्मा गांधी ने किसानों की शिकायत दूर करने के लिए एक पत्र महाराणा को लिखा पर कोई हल नहीं निकला। पथिक जी ने बम्बई यात्रा के समय गांधी जी की पहल पर यह निश्चय किया गया कि वर्धा से राजस्थान केसरी नामक पत्र निकाला जाये। पत्र सारे देश में लोकप्रिय हो गया, परन्तु पथिक जी का जमनालाल बजाज की विचारधारा से मेल नहीं खाया और वे वर्धा छोड़कर अजमेर चले गए।
1920 में पथिक जी के प्रयत्नों से अजमेर में राजस्थान सेवा संघकी स्थापना हुई। शीघ्र ही इस संस्था की शाखाएँ पूरे प्रदेश में खुल गईं। इस संस्था ने राजस्थान में कई जन आन्दोलनों का संचालन किया। अजमेर से ही पथिक जी ने एक नया पत्र नवीन राजस्थान प्रकाशित किया। 1920 में पथिक जी अपने साथियों के साथ नागपुर अधिवेशन में शामिल हुए और बिजौलिया के किसानों की दुर्दशा और देशी राजाओं की निरंकुशता को दर्शाती हुई एक प्रदर्शनी का आयोजन किया। गांधी जी पथिक जी के बिजौलिया आन्दोलन से प्रभावित तो हुए परन्तु उनका रुख देशी राजाओं और सामन्तों के प्रति नरम ही बना रहा।
कांग्रेस और गांधी जी यह समझने में असफल रहे कि सामन्तवाद साम्राज्यवाद का ही एक स्तम्भ है और ब्रिटिश साम्राज्यवाद के विनाश के लिए साम्राज्यवाद विरोधी संघर्ष के साथ-साथ सामन्तवाद विरोधी संघर्ष आवश्यक है। गांधी जी ने अहमदाबाद अधिवेशन में बिजौलिया के किसानों को हिजरत (क्षेत्र छोड़ देने) की सलाह दी। पथिक जी ने इसे अपनाने से यह कहकर इनकार कर दिया कि यह तो केवल हिजड़ों के लिए ही उचित है मर्दों के लिए नहीं। सन् 1921 के आते-आते पथिक जी ने राजस्थान सेवा संघ के माध्यम से बेगू, पारसोली, भिन्डर, बासी और उदयपुरमें शक्तिशाली आन्दोलन किए। बिजौलिया आन्दोलन अन्य क्षेत्र के किसानों के लिए प्रेरणा स्रोत बन गया था। ऐसा लगने लगा मानो राजस्थान में किसान आन्दोलन की लहर चल पड़ी है। इससे ब्रिटिश सरकार डर गई। इस आन्दोलन में उसे बोल्शेविक आन्दोलन की प्रतिछाया दिखाई देने लगी। दूसरी ओर कांग्रेस के असहयोग आन्दोलन शुरू करने से भी सरकार को स्थिति और बिगड़ने की भी आशंका होने लगी। अंतत: सरकार ने राजस्थान के ए० जी० जी० हालैण्ड को बिजौलिया किसान पंचायत बोर्ड और राजस्थान सेवा संघ से बातचीत करने के लिए नियुक्त किया। शीघ्र ही दोनो पक्षों में समझौता हो गया। किसानों की अनेक माँगें मान ली गईं। चैरासी में से पैंतीस लागतें माफ कर दी गईँ। जुल्मी कारिन्दे बर्खास्त कर दिए गए। किसानों की अभूतपूर्व विजय हुई। इस बीच में बेगू में आन्दोलन तीव्र हो गया। मेवाड सरकार ने पथिक जी को गिरफ्तार कर लिया और उन्हें पाँच वर्ष की सजा सुना दी गई। लम्बे अरसे की कैद के बाद पथिक जी अप्रैल 1927 में रिहा हुए।
अधेड़ आयु में विवाह
48 वर्ष की अधेड़ आयु में उन्होंने 1930 में एक विधवा अध्यापिका से विवाह करके गृहस्थ जीवन शुरू किया ही था कि एक माह बाद उन्हें फिर गिरफ़्तार कर लिया गया। उनकी पत्नी जानकी देवी ने ट्यूशन करके घर का खर्च चलाया। पथिक जी को इस बात का मरते दम तक अफ़सोस रहा कि वे राजस्थान सेवा आश्रमको ज्यादा दिनों तक चला न सके और अपने मिशन को अधूरा छोड़ कर चले गये।
निधन
पथिक जी जीवनपर्यन्त निःस्वार्थ भाव से देश सेवा में जुटे रहे। भारत माता का यह महान सपूत 28 मई 1954 में चिर निद्रा में सो गया। पथिक जी की देशभक्ति निःस्वार्थ थी और जब वह मरे उनके पास सम्पत्ति के नाम पर कुछ नहीं था जबकि तत्कालीन सरकार के कई मंत्री उनके राजनैतिक शिष्य थे। राजस्थान के पूर्व मुख्यमंत्री श्री शिवचरण माधुर ने पथिक जी का वर्णन राजस्थान की जागृति के अग्रदूत महान क्रान्तिकारी के रूप में किया। पथिक जी के नेतृत्व में संचालित हुए बिजौलिया आन्दोलन को इतिहासकार देश का पहला किसान सत्याग्रह मानते हैं।
कवि लेखक और पत्रकार
पथिक जी क्रांतिकारी व सत्याग्रही होने के अलावा कवि, लेखक और पत्रकार भी थे। अजमेरसे उन्होंने नव संदेश और राजस्थान संदेशके नाम से हिन्दी के अखबार भी निकाले।तरुण राजस्थान नाम के एक हिन्दी साप्ताहिक में वे"राष्ट्रीय पथिक" के नाम से अपने विचार भी व्यक्त किया करते थे। पूरे राजस्थानमें वे राष्ट्रीय पथिकके नाम से अधिक लोकप्रिय हुए।
उनकी कुछ पुस्तकें इस प्रकार हैं !
अजय मेरु (उपन्यास)
पथिक प्रमोद(कहानी संग्रह)
पथिकजी के जेल के पत्र
पथिक की कविताओं का संग्रह
गांधीजी का उनके बारे में कहना था-"और लोग सिर्फ़ बातें करते हैं परंतु पथिक एक सिपाही की तरह काम करता है।" उनके काम को देखकर ही उन्हें राजपूताना व मध्य भारत की प्रांतीय कांग्रेस का अध्यक्ष नियुक्त किया गया था। भारत सरकारने विजय सिंह पथिक की स्मृति में डाक टिकट भी जारी किया।उनकी लिखी हुई कविता की ये पंक्तियाँ बहुत लोकप्रिय हुई थीं :"यश वैभव सुख की चाह नहीं, परवाह नहीं जीवन न रहे; यदि इच्छा है तो यह है-जग में स्वेच्छाचार दमन न रहे।
शत शत नमन वंदे मातरम जय हिन्द !
भगवती चरण बोहरा
जन्म 15 नवंबर 1903 आगरा
बलिदान 28 मई 1930 रावी नदी के तट पर
भगवती चरण बोहरा जी एक प्रसिद्ध क्रांतिकारी थे, उनका जन्म आगरा में हुआ था।
उनके पिता राय साहब पंडित शिवचरण लाल जी रेलवे में नौकरी करने के साथ-साथ रूपए उधार देने का भी काम करते थे। इसलिए यह परिवार ‘बोहरा’ नाम से प्रसिद्ध हो गया।
भगवती चरण बोहरा जी की शिक्षा लाहौर के नेशनल कॉलेज में हुई। वहां सरदार भगत सिंह जी और सुखदेव जी उनके सहपाठी थे। यहीं से उनका क्रांतिकारी जीवन आरंभ हुआ।
इन लोगों ने क्रांतिकारी विचारों के प्रचार-प्रसार के लिए एक ‘अध्ययन केन्द्र’ बनाया।
लाला लाजपत राय जी द्वारा स्थापित ‘लोक सेवक समाज’ का पुस्तकालय इनका केन्द्र था। वहां संसार-भर की क्रांतियों से संबंधित ग्रंथ मंगाए और पढ़े जाते थे।
1926 में इन लोगों ने ‘नव जवान भारत सभा’ की स्थापना की। इसका उद्देश्य मुख्यतः अहिंसा और नरमपंथ की राजनीति का विरोध करना और सशस्त्र क्रांति के द्वारा विदेशी सत्ता को उखाड़ फेंकना था।
भगवती चरण बोहरा जी इस सभा के प्रचार मंत्री थे। इन लोगों ने बंगाल और उत्तर प्रदेश के क्रांतिकारियों से भी संपर्क स्थगित किया।
इसी के बाद ‘हिन्दुस्तान रिपब्लिकन एसोसिएशन’ की स्थापना हुई, जिसके साथ बाद में ‘सोशलिस्ट’ शब्द भी जोड़ दिया गया था।
भगवती चरण बोहरा जी का विवाह दुर्गा देवी जी से हुआ था। इस वीर महिला ने भी अपने पति के समान ही क्रांतिकारी आन्दोलन में सक्रिय भाग लिया और बड़े-बड़े खतरे उठाए। वे दुर्गा भाभी के नाम से प्रसिद्ध हुईं।
लाला लाजपत राय जी पर लाठी बरसाने वाले पुलिस अधिकारी स्कॉट के भ्रम में सांडर्स को गोली का निशाना बनाने और केन्द्रीय असेम्बली में बम फेंकने के बाद भगत सिंह जी और उनके साथी गिरफ्तार हो चुके थे।
क्रांतिकारियों ने इसी बीच वाइसराय की ट्रेन को बम से उड़ाने की असफल चेष्टा भी की थी। फिर यह निश्चय किया गया कि भगत सिंह जी को लाहौर की जेल से छुड़ाया जाए। इसके लिए बम बनाए गए। उन बमों का परीक्षण करते समय 28 मई 1930 को रावी नदी के तट पर भगवती चरण बोहरा जी वीरगति को प्राप्त हो गए।
शत शत नमन वंदे मातरम् जय जवान जय हिंद
આપણને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પહેલાં રાજાશાહીમાં દ્રારકામાં ગાયકવાડી રાજસત્તા વખતે ગરીબો પદયાત્રા કરીને દ્રારકા તો પહોંચી જતા હતા પરંતુ દ્રારકાધીશના દર્શન અને ગોમતી સ્નાન કરી શકતા નહી.
કારણ કે તેમની પાસે કર ભરવાના રૂપિયા ન રહેતા.
1. ઇ.વ. 1923માં મુંબઈથી જામનગર અને પોરબંદરથી જમીન મારગે દવારકા જઈ શકાતું હતું પરંતુ રસ્તામાં ચોર, લુંટારાઓ અને બહારવટીયાઓનું જોખમ હોવાથી સ્ટીમરમા કે બોટમાં જવું સગવડતા ભર્યું હતું. સ્ટીમરમાં મુંબઈથી ત્રીજા વર્ગનું ભાડું રૂ.5 અને બીજા વર્ગનું ભાડું રૂ. 10 હતું. સ્ટીમર અને બોટમાં ખાવાની ચીજો મળતી હતી પરંતુ મુસાફરો ખાવાનું સાથે લઈ આવતા હતા.
2. સ્ટીમર મુંબઈથી પ્રથમ વેરાવળ પછી માંગરોળ પછી પોરબંદર એમ એક એક કલાક ઊભી રહીને 36 કલાકે દવારકા પહોચીને કિનારાથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી હતી.
3. કિનારે જવા માટે હોડીઓ બાજુમાં તૈયાર રહેતી. હોડીઓ પણ કિનારેથી થોડે દુર સમુદ્રમાં ઉભી રહેતી હતી અને એક આનો આપવાથી ખારવાઓ હોડીમાથી ઉતારી ખુરશીમાં બેસાડીને ઊચકીને કિનારાએ ઉતારતા.
4. ગાયકવાડી રાજસત્તા ગોમતીજીમાં સ્નાન કરવાના દરેક યાત્રીના રૂ. 1.25 વસૂલતા હતા ઉપરાંત યાત્રાનો મૂંડકાવેરો અલગથી (દરેક વ્યક્તિનો કર ) લેવાતો હતો.
5. ઈ.વ. ૧૯૨૩માં દવારકની વસ્તી 400 ઘરોની હતી. અને ગુગલી બ્રાહ્મણની દ્રારકામાં ધાક હતી.
6. ઈ.વ. ૧૯૨૩માં જગદગુરુ શ્રીમદ શંકરાચાર્યને પોતાની ગાડી હતી.
7. દ્રારકાથી દુર બેટદ્રારકાનું મહત્વ દ્રારકા જેટલું જ હતું. બળદ ગાડામાં તથા હોડીમા બેસીને બેટદ્રારકા જઈ શકાતું. બેટદ્રારકામાં ભગવાન દવારકાધીશનું મંદિર, બાજુમાં પ્રદ્યુમનજી ત્રિકમજી તથા ચાર રાણીઓ રાધિકા, સત્યભામા, જામવંતી અને રુકમણીજીનાં મંદિર હતાં.
8. ગાયકવાડી રાજસતા બેટદ્રારકામાં પણ મૂંડકાવેરો વસુલતી હતી. મુખ્ય મંદિરમાં દર્શન કરવાના દરેક યાત્રીના રૂ. 1.75નો કર હતો.
9 બેટદ્રારકાથી ગોપી તળાવે યાત્રાળુઓ અચૂક જતા હતા. ત્યાં ગોપીનાથજી તથા ગોપાલજીના મંદીર છે. કૃષ્ણ ભગવાન ગોપીચંદન અહિયાજ થયા હતા. ત્યાંથી નાગનાથ મહાદેવ જવાતું હતું.
9. દવારકાથી ગાડામાં બેસીને અથવા બોટમાં કે સ્ટીમરમાં બેસીને પોરબંદર જવાતું હતું. ગાડા મારગે રસ્તામાં ચોર લુટારાઓનો અતિશય ભય હતો તેથી યાત્રાળુઓ સ્ટીમરમાં કે બોટમાં જવાનું પસંદ કરતા અને સ્ટીમર અઠવાડિયાએ એક વખત જતી હતી અને બોટમાં માણસ દીઠ 1 રૂ. ભાડું હતું.
10 ત્યારે પોરબંદરમાં પથ્થરની બાંધણી, રેસમની પાઘડી અને ઉનના ધાબડાઓ અને બરડાની લાકડી પ્રખ્યાત હતા.
બહારના દેશમાંથી પગપેસારો કરનાર કોરોના વાયરસ ભારતમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી,જેના કારણે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાય.
જો કે વડાપ્રધાનના આ નિર્ણયને દેશની જનતાએ લોકડાઉનનું સમર્થન કર્યું છે,લોકડાઉનના કારણે દેશની જનતા ઘરમાં જ રહેતી થઈ અને વ્યવસાય પણ સંપૂર્ણ પણે બંધ થયા,જેના કારણે રસ્તાઓ સુના બન્યા અને હવામાન પણ શુદ્ધ થવા લાગ્યું, લોકડાઉનની સકારાત્મક અસરો થતી જોવા મળી રહી છે.
આપણામાં કહેવત છે કે સિક્કાની હંમેશા બે બાજુ પણ હોય જ છે, તેવી જ રીતે કોરોના વાયરસની નકારાત્મક અસરોની જેમ સકારાત્મરક બાજુ પણ છે. બીજી તરફ જોઈએ તો આ વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવાથી પર્યાવરણ પર તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
કોરોના વાયરસના કારણે એક તરફ સમગ્ર દુનિયામાં હજારો લોકોના મૃત્યુ નિપજ્યાછે ત્યારે બીજી તરફ લોકડાઉન પર્યાવરણ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે વાયુ અને જળના પ્રદુષણમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ.
પર્યાવરણના જાણકાર ભૂષણનું કહેવું છે કે કોરોના વાયરસના કેરના કારણે આજે સમગ્ર દુનિયામાં લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. ભાગતી દુનિયાની ઝડપ ઓછી થઈ છે. કાર્બન ઉત્સર્જન ખુબ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન 5 ટકા ઘટશે. જેનો ફાયદો સીધો આપણા જીવન પર જોવા મળશે.
તેઓના કહેવા મુજબ પ્રદૂષણની વાત કરીએ તો લોકડાઉનમાં વાયુ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું છે. જેની અસર એ છે કે જાનવરો અને જીવજંતુ બહાર નીકળે છે. તેમને પણ ખુબ રાહત મળી છે.
સમર્ગ દેશમાં લોકડાઉન બાદ દેશના વિવિધ શહેરમાં પ્રદૂષણમાં ધટાડો નોંધાયો છે. રોજિંદા સમયે અમુક શહેરોમાં એર કવોલિટી ઈન્ડેક્સ સરેરાશ 150 થી 200 સુધીમાં રહેતો હતો. જેથી શ્વાસના દર્દીઓ તેમજ નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. પરંતુ લોક ડાઉન બાદ અમુક શહેરોમાં જ્યાં ભારે ટ્રાફિક હોય છે. જેના કારણે પ્રદૂષણ વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્સ 100થી નીચે આવ્યો છે. જેથી પ્રદૂષણ ઘટ્યું છે.
જો પ્રદૂષણમાં ઘટાડાની વાત કરવામાં આવે તો 144ની કલમ લાગુ કરતા શહેરો તથા ગામડાઓ સજ્જડ બંધ જોવા મળે છે. કોરોના વાયરસના કારણે નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા માટેની સૂચના અપાઈ છે. જેનું નાગરિકો અને પોલીસ કર્મીઓ દ્વારા પણ પાલન કરવામાં આવે છે. જેથી શહેરીજનો આવી પરિસ્થિમાં કામ વગર બહાર નિકળતા નથી. જેથી વાહનોનો ઝેરી ધુમાડો હવાને પ્રદુષિત કરતો નથી. બીજી બાજુ વાત કરવામાં આવે તો તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના તમામ દુકાનો કે કેમિકલ કે અન્ય ફેક્ટરીઓ બંધ છે. જેને કારણે તેનો ઝેરી ધુમાડો હવામાં ભરતો નથી. જેથી હવાનું પ્રદૂષણ થતું નથી. તેમજ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જોકે આગામી દિવસોમાં હજી પણ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળી રહેશે. તેમજ શહેરીજનોને શુદ્ધ હવા મળી રહેશે. જેથી કહી શકાય કે લોક ડાઉન કરવાથી પ્રદૂષણમાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે
કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે લોકોને ભલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હોય, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિ માટે તો આ લોકડાઉન લાભદાયી નિવડ્યું છે. લોકડાઉનના કારણે પ્રદૂષણમાં અભુતપૂર્વ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નદીઓના પાણી પણ એકદમ શુદ્ધ અને પ્રદૂષણમુક્ત થાય છે. સરકાર જે કામ કરોડો રુપિયાના ખર્ચ છતા ના કરી શકી તે ગંગા અને યમુના નદીને સ્વચ્છ કરવાનું કામ લોકડાઉને કરી આપ્યું છે.
ગંગા નદીનું પાણી એટલું શુદ્ધ થયું છે કે તળીયાની જમીન ઉપરથી જ સ્પષ્ટ દેખાવા લાગી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ગંગા નદીના પાણીમાં હાનિકારક જીવાણુ અને ગંદકીમાં અભુતપૂર્વ ઘટાડો થયો છે. ઋષિકેશ, હરિદ્વાર, બનારસ, બિહાર વગેરે તમામ જગ્યા પર ગંગા નદીનું પાણી એકદમ શુદ્ધ થયું છે. પાણી એટલું શુદ્ધ થયું છે કે હવે તે સીધું પીવાલાયક છે.
લોકડાઉનના કારણે ગંગાના કિનારા ઉપર તમામ પ્રકારની પ્રવૃતિ થંભી ગઇ છે. ઉપરાંત આસપાસની તમામ ફેક્ટરી, ઉદ્યોગો અને માનવ પ્રવૃતિ પણ બંધ છે. જેથી ગંગાને આ નવજીવન મળ્યું છે, તેમ કહી શકાય. જે માછલીઓ ગંદકી અને પ્રદૂષણના કારણે મોતને ભેટતી હતી, તેઓ હવે ઘાટના પગથિયા પર જોવા મળે છે. ગંગા કિનારે રહેતા લોકો જણાવે છે કે છેલ્લા 40 વર્ષમાં ગંગા પહેલી વખત આટલી શુદ્ધ થઇ છે.
લોકડાઉનના કારણે હાલ માત્ર નદીઓ જ નહી પરંતુ હવામાન પણ શુદ્ધ બન્યું છે,હવામાં પ્રદુષણનું પ્રમાણ મોટે ભાગે ઘટી ગયું છે તો બીજી તરફ પશું-પક્ષીઓ પણ શુદ્ધ હવામાં ફરકતા જોવા મળી રહ્યા છે, જ્યારે માનવ જાત હાલ ઘરોમાં બંધ છે ત્યારે પશુઓ તથા પક્ષીઓ બહાર ફરી રહ્યા છે, કુદરતી આફતે આજે પૃથ્વી પરના પ્રયાવરણને શુદ્ધ બનાવ્યું છે. યમુના નદી,ગંગા નદી અને બીજી ધણી નદીઓના પાણીઓ શુદ્ધ થયા છે.નદીઓની સુધરેલી ગુણવત્તા જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે,આ તમામ પ્રકારના પર્યાવરમ પ્રદુષમ માટે માત્રને માત્ર માનવ જ જવાબદાર છે.
શું તમે વિચારી શકો છો કે આપણે અત્યાર સુધી જે કામ કર્યા તેનાથી પૃથ્વીને કેટલી બરબાદી ઝેલવી પડી છે. જે હાલ તો ખુબ ઓછી થઈ ગઈ છે. 2016ના એક રિપોર્ટ મુજબ 6 અબજ કિલોગ્રામ ઔદ્યોગિક કચરો રોજ સમુદ્રમાં ઠલવાતો હતો જે હવે નહિવત જેવું છે.
જો ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે પ્રદૂષણના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડે છે. જ્યારે જળ પ્રદૂષણના આંકડા દર્શાવે છે કે દર 8 સેકન્ડમાં એક બાળક ગંદા પાણીના કારણે મરે છે. વાયુ પ્રદૂષણનું સ્તર પણ એ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું કે માત્ર મુંબઈમાં એક સ્વસ્થ વ્યક્તિનું શ્વાસ લેવું એ 100 સિગરેટ બરાબર જોવા મળતું હતું.
આજે જ્યારે ચારેબાજુ લોકડાઉન છે તો એવામાં માણસોના ફેફસા, કિડની અને હ્રદય પર પડનારી પ્રદૂષણની અસર ઓછી થઈ છે. પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યાં મુજબ જો ભવિષ્યમાં આ જ પ્રકારે કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાની કેટલીક અલગ કોશિશો કરવામાં આવે તો આ ધરતીનું સંકટ ઘણું ઓછું થઈ શકે છે.
ટૂંકમાં જો આપણે ખરેખર પર્યાવરણમાં પરિવર્તન લાવવું હોય તો લોંગ ટર્મ કાર્બન ઉત્સર્જન ઓછું થાય તેવી કોશિશ કરવી જોઈએ. બધાને આસમાની આકાશ અને ચોખ્ખુ પાણી ગમે છે. જેને કાયમ રાખવા માટે ઈન્ડસ્ટ્રીમાં કડકાઈથી પ્રતિબંધો લાદવા જોઈએ. જેથી કરીને તેઓ પ્રદૂષણ ન કરે. રોડ પર ગાડીઓને ઈલેક્ટ્રિક મોડ પર લઈ જવી જોઈએ, સોલર ઉર્જા અને વાયુ ઉર્જાનો વધુ ઉપયોગ થવો જોઈએ. જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય. ત્યારે જ આપણે આવનારા સમયમાં પૃથ્વી દિવસ પર પૃથ્વીને સાચી અને સુંદર ભેટ આપી શકીશું. જેથી કરીને તે પણ આપણને સારી રિટર્ન ભેટ આપી શકે.
યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?
ઈતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો દ ગામાને આપે છે. પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો, ત્યારે કચ્છના દરિયો ખુંદનાર માલમો આફ્રિકા સુધી પોતાના વહાણો લઈને જતા. ભારત સુધી પહોંચવામાં વાસ્કો દ ગામાને માર્ગ બતાવનાર માંડવીના કાનજી માલમની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે. કાનજી માલમે વાસ્કો દ ગામાને કાલીકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો, તેણે અરબ સાગરમાં વાસ્કો દ ગામાનું વહાણ પણ હંકાર્યું હતું. જેટલો જશ વાસ્કો દ ગામાને મળ્યો એટલો તે વખતે કાનજી માલમને મળત તો ઈતિહાસ કંઈક જુદો હોત.
એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે. તેમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે. માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટપટા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોળામાં રમતું બાળક. કચ્છના લોહાણા, ભાટિયા, ખોજા, મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી. પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી. તે સમયે કચ્છનાં ભદ્રેશ્વર, કોટેશ્વર, માંડવી અને મુંદ્રા જેવા બંદરીય નગરોમાં રહેતા વેપારીઓ ઈરાન, અરબસ્તાન, મોમ્બાસા, પૂર્વી આફ્રિકા ઝાંઝીબાર, જાવા, સુમાત્રા, એડન, મલીન્દી, દમાસ્કસ, મસ્કત જેવા વિદેશી બંદરો સાથે વેપાર કરતા. મીઠુ, અફીણ, ઢાલ, તલવાર, ચપ્પુ, કિનખાબી કાપડ, ધાબળા, ઢાલ અને પગરખાં જેવી ચીજવસ્તુઓને લઈને જતા અને ત્યાંથી ખજુર, હાથીદાંત, ઘઉં, ચોખા, નારીયેળી, સુકો મેવો, રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતા. એ વેપારીઓના વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રે જ શૌર્ય અને દિશા બતાવી હતી. જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા, ત્યારે કચ્છની વહાણવટાના ઈતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય તેવો કાનજી માલમ નામનો વહાણવટી પોતાની દરિયા વિશેની આગવી સુઝ દરિયાઈ પવનો અને એના આધારે ચલતા વહાણોની દિશા નક્કી કરી શકતો હતો. તે કાળી દીબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાનથી વહાનને સાચી દિશા આપી શકતો. કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડુ જ્ઞાન હતું. આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છી ભાષા. કાનજી માલમ કચ્છી બોલતો. ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઇને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા, મલીન્દી, મોગાદીસુ, કીલ્વા, ઝાઝીવાર અને દારેસલામ જેવા બંદરોની સફરે જતો. પરંતુ વિશ્વનો વહાણવટાનો ઈતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમા છૂટા છવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમજ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે.
વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો. કાનજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો દ ગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયેલો હતો. ૧૪૪૭ની આઠમી જુલાઈએ વાસ્કો દ ગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો. હતો. તેના કાફલામાં એકસો સીતેર માણસો હતા. પોર્ટુગલનાં લિસ્વન બંદરથી રવાના થઇને વાસ્કો જ્યારે ૧૪ મી એપ્રિલ ૧૪૯૮માં મલીંદી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિંદુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી. તેને ભારત પહોંચાડે તેવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરુર ઊભી થઈ. જોકે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતી. તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો. મુંજાયેલા વાસ્કો દ ગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી. યોગાનુયોગે કાનજી માલમ આરબ શેખનો અતિ વિશ્વાસુ માણસહતો. ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો. એટલે શેખના કહેવાથી કાનજી માલમ વાસ્કો દ ગામાના કાફલા સાથે ૧૪મી એપ્રિલ ૧૪૯૮ના રોજ મલિંદી બંદરથી ભારત આવવા નીકળ્યો. કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતું. વાસ્કો દ ગામા પણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે દરિયાના છોરુ કાનજીના અગાધ જ્ઞાન અને કુશળતા ઉપર વારી ગયો. રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું. એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. ઈતિહાસના પાના ઉપર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી. જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો. આ કચ્છી માણસની અસલિયત છે. આરબ શેખના કહેવાથી, જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો દ ગામાને તેણે ૨૦મી મે ૧૪૯૮ના રોજ દક્ષિણ ભારતાના કાલીકટ જે હવે કોમીકોડ તરીકે ઓળખાય છે તે બંદરે પહોંચાડ્યો. કાલીકટ બંદરમાં તે વખતે ઝામોરીન નામે રાજા હતો. તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે. એ કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામાના કાફલાને આવકાર્યો. વાસ્કો દ ગામાએ રાજાને કિંમતી ભેટ સોગાદોથી રાજી કર્યો અને કાલીકટમાં રહેવાની અનુમતી માગી. પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય તે પહેલા પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો. એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા. પરંતુ તે દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો. ૧૫૦૨ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો. ૨૪ ડીસેમ્બર ૧૫૨૪ના દિવસે કોઈ રહસ્યમય બિમારીને ને લીધે વાસ્કો દ ગામાનું મૃત્યુ થઈ ગયું. પણ અધકચરા ઈતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને જે યશ મળ્યો તેવો યશ તેને માર્ગ બતાવનાર કાનજી માલમને ન મળ્યો. કેટલાક ઈતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભોમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એલેકઝાન્ડર બર્ન્સ નામનો એક અંગ્રેજ તે વખતે કચ્છી વણવટીઓના પરિચયમાં આવ્યો હતો. તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને ૧૮૩૪ની સાલમાં આવું લખ્યું છે - યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારનાં દેશોમાં ઘૂમતા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો, આલેખનો (ચાર્ટસ) અને નકશાઓનો ઉપયોગ કરીને તેમનાં વહાણો આજે (૧૮૩૪) પણ હંકારે છે. તેના નમૂનાઓ ઉપલબ્ધ છે. તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે - વાસ્કો-દ-ગામાનાં વહાણો લિમ્બન બંદરથી મલિન્દી આવ્યાનાં નવ દિવસ બાદ મલિન્દીમાં રહેતા 'માલમ 'કાનાકવા' (કાનજી માલમ) નામના ભારતીય સુકાનીએ તેનું વહાણ હિંદી મહાસાગરમાં હંકાર્યું હતું. તે સહી સલામત રીતે પોર્ટુગીઝ કાફલાને મલિન્દીથી કાલિકટ લઈ આવ્યો હતો. વાસ્કો દ ગામાની ભારત આવ્યાની ઘટનાના સવા ચારસો વર્ષ બાદ ૧૯૨૦માં અંગ્રેજી લેખક પીયર્સે લખ્યું છે કે, હું ખાતરીપૂર્વક કહું છું, કે કચ્છનાં રહેવાસી કાનજી માલમે મલિન્દી બંદરથી વહાણ હંકાર્યું હતું અને તે હિંદી મહાસાગર તથા કેપ ઓફ ગુડ હોપ ઓળંગતો ઓળંગતો મલબાર કિનારાનાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો-દ-ગામાને એણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો. ઈટાલિયન ઇતિહાસકાર સિંથિયા સલ્વાડોરી પોતાના સંશોધન માટે ૧૯૮૯માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા. ત્યાં તેમણે કચ્છી વણાહણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો. અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ. દરિયો અમારો દેવ છે અને શીકોતર અમારી માતા છે. એટલું જ નહીં કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ.