સૂવું ય જુદું અને ઊંઘવું ય જુદું .
એ જ રીતે ઉઠવું ય જુદું ને જાગવું ય જુદું.
મેં અનેક વાર સાંભળ્યું છે વાંચ્યું છે કે
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ક્યારે કોઈ નાઈટ પાર્ટીમાં જતા નથી. નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરતા નથી.
સમયસર ઊંઘી જાય છે.
ઘણા વહેલા જાગી જાય છે.
હમણાં જ મેં એક ઇન્ટરવ્યૂ માં એમને એવું બોલતા સાંભળેલ.
ऐसा एक भी दिन नहीं होगा जब मेने सूर्योदय का स्वागत न किया हो.
अगर बादलोके कारण सूर्य न भी दिखे तब भी पंछीओकी आवाज और पेड़ पौधों से सूर्योदयका अंदाज़ आ ही जाता है
પ્રધાન મંત્રીજીને એક વખત એવું કહેતા સાંભળેલા કે ગમે એવી સ્થિતિમાં સુતા પહેલાં દસ મિનિટ પ્રાણાયામ અને સુતા પછી છઠ્ઠી મિનિટે ઘઘસાટ ઊંઘી જાઉં છું
વિના એલાર્મ જાગી જાઉં છું.
ગાંધી બાપુ વિષે પણ એવું જ સાંભળેલું વાંચેલું છે.
વરસીંગપુર ગામે એક હમીર બાપા બારીયા નામે તબલચી હતા જેના વિષે એવું સાંભળેલ છે કે ચાલુ ભજન માં તબલાં વગાડતા વગાડતા ઝોકું ખાઈ લેતા પણ તબલાનો તાલ ન ચુકતા.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની ઊંઘ અતિ ઓછી હતી એવું સાંભળેલું વાંચેલું છે. ક્યારેક તો વૃક્ષને ટેકે ઉભા ઉભા કે બેઠા બેઠા જ નાનકડો વિશ્રામ લઇ લેતા .
રાત્રીના ચાર પ્રહર વિષે એક પ્રચલિત દુહો છે.
પ્રથમ પ્રહરે હર કોઈ જાગે
બીજા પ્રહરે ભોગી .
ત્રીજા પ્રહરે ચોર લૂંટારા
ચોથે સંત ને જોગી.
હું ઉમેરીશ કે
હર પલ જે જાગ્યા કરે ઈ કાં ભવ રોગી કાં વસમા વિજોગી....
નારાયણ સ્વામી એક ભજન ગાતા
હે જેને વ્હાલા થી વિજોગ રે જેને હરિ થી વિજોગ રે
સુખે થી મન કોઈ દી સુવે નહીં...
ખીમાણદભાઈ રામના શબ્દો
એ જ રીતે ઉઠવું ય જુદું ને જાગવું ય જુદું.
મેં અનેક વાર સાંભળ્યું છે વાંચ્યું છે કે
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ક્યારે કોઈ નાઈટ પાર્ટીમાં જતા નથી. નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરતા નથી.
સમયસર ઊંઘી જાય છે.
ઘણા વહેલા જાગી જાય છે.
હમણાં જ મેં એક ઇન્ટરવ્યૂ માં એમને એવું બોલતા સાંભળેલ.
ऐसा एक भी दिन नहीं होगा जब मेने सूर्योदय का स्वागत न किया हो.
अगर बादलोके कारण सूर्य न भी दिखे तब भी पंछीओकी आवाज और पेड़ पौधों से सूर्योदयका अंदाज़ आ ही जाता है
પ્રધાન મંત્રીજીને એક વખત એવું કહેતા સાંભળેલા કે ગમે એવી સ્થિતિમાં સુતા પહેલાં દસ મિનિટ પ્રાણાયામ અને સુતા પછી છઠ્ઠી મિનિટે ઘઘસાટ ઊંઘી જાઉં છું
વિના એલાર્મ જાગી જાઉં છું.
ગાંધી બાપુ વિષે પણ એવું જ સાંભળેલું વાંચેલું છે.
વરસીંગપુર ગામે એક હમીર બાપા બારીયા નામે તબલચી હતા જેના વિષે એવું સાંભળેલ છે કે ચાલુ ભજન માં તબલાં વગાડતા વગાડતા ઝોકું ખાઈ લેતા પણ તબલાનો તાલ ન ચુકતા.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની ઊંઘ અતિ ઓછી હતી એવું સાંભળેલું વાંચેલું છે. ક્યારેક તો વૃક્ષને ટેકે ઉભા ઉભા કે બેઠા બેઠા જ નાનકડો વિશ્રામ લઇ લેતા .
રાત્રીના ચાર પ્રહર વિષે એક પ્રચલિત દુહો છે.
પ્રથમ પ્રહરે હર કોઈ જાગે
બીજા પ્રહરે ભોગી .
ત્રીજા પ્રહરે ચોર લૂંટારા
ચોથે સંત ને જોગી.
હું ઉમેરીશ કે
હર પલ જે જાગ્યા કરે ઈ કાં ભવ રોગી કાં વસમા વિજોગી....
નારાયણ સ્વામી એક ભજન ગાતા
હે જેને વ્હાલા થી વિજોગ રે જેને હરિ થી વિજોગ રે
સુખે થી મન કોઈ દી સુવે નહીં...
ખીમાણદભાઈ રામના શબ્દો