GSEB Std 12 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA
MCQ Test
Test 1
Test 2
Test 3
Test 4
Test 5
Test 6
Test 7
GSEB Std 12 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA
MCQ Test
Test 1
Test 2
Test 3
Test 4
Test 5
Test 6
Test 7
બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જારી કહે છે. ઉર્દૂમાં ફારી, હિન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.
આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.
અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.
એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.
કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે. બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.
શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.
ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.
ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.
લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.
ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’
સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી
એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.
જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.
એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.
કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.
જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને
Hongkongના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ Master Cao ને બોલાવી લીધા.
એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.
રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.
Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.
ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?
એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.
Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.
ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી 7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?
Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.
Master Cao..... થોડો સમય ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા, મિત્ર, આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.
એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?
Master Cao જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,
એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.
જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.
જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.
જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.
મિત્રો ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ ન રહે.
સ્વસ્થ રહો, મસ્ત રહો...
સાભાર :-
પ્રકાશ ઓઝા (અમર કથાઓ)
મોટાભાગના લોકોનો અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના પહોરમાં બસ, ટ્રેન પકડવાની હોય કે અન્ય કામે બહાર જવાનું હોય ત્યારે આપણે સવારના ચાર વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ જતા હોય છે, આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ અને એલાર્મ વાગે તે પહેલાં જ ઉઠી જઈએ છીએ. ઘણી વાર એલાર્મ વાગવાને સમયે જ આંખ લાગી જાય છે. આને Bio-Clock(માઈન્ડ સેટ) કહે છે. આપણે જ આપણા મનથી આવા એલાર્મ જાણ્યે અજાણ્યે Set કરતાં હોઈએ છીએ.
આપણામાંના ઘણા એવું માનતા હોય છે 80 થી 90 વર્ષના થયા એટલે બહુ જીવ્યા. આપણે એવું માનતા હોય કે આપણું શરીર એક મશીન છે જે 50-60 ની ઉંમરે ખોટકાવા માંડે છે. આવી માન્યતા જ આપણું Bio clock set કરતું હોય છે અને આપણે ખરેખર બીમારીનો શિકાર થતાં હોઈએ છીએ, વૃદ્ધત્વ તરફ અજાણ્યે ધકેલાઈ જઇએ છીએ.
ઘણા લોકો આરામથી 100 વર્ષ જીવતા હોય છે, કારણકે તેમનું Bio-Clock તે પ્રમાણે સેટ થયેલું હોય છે. આપણામાંના ઘણા લોકો પણ 100 વર્ષ કરતાં વધુ જીવતા જ હોય છે. એટલા માટે આપણે પણ આપણું Bio-clock એવી રીતે set કરીએ કે જેથી કમસે કમ 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવીએ.
આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે, જયારે કેટલાય મિત્રો 50-60ની ઉંમરમાં ખખડી ગયેલા જોયા છે.
યાદ રાખીએ કે Age is number and Old age is mind set.
લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી વણમાગેલી Tip નીચે મુજબ છે, માનવું કે ના માનવું એ મરજીની વાત છે.
1. આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવીએ. મનમાંથી એવા નકારાત્મક વિચારોને તિલાંજલી આપીએ કે લાંબુ જીવન કોને માટે જીવીએ.?
આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ. આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે આપણું નિર્માણ લોકોના કામો કરવા માટે જ થયેલું છે. આપણે ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને અમાપ શક્તિનો ધોધ મળે છે. આવી રીતે વિચારવાથી આપણું Bio-clock એવી રીતે આપો આપ set થશે. એટલે સૌથી પહેલું Important કામ.. Throw out negative thoughts from your mind and try to implant positive thoughts.
2. Look Young..
તમારો દેખાવ પહેરવેશ એવો રાખો કે યુવાન લાગો.. એમાં આછકલાઈ ન ગણો, મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. Do Not Allow The Appearance Of Ageing.
3. હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. ચાલો અને બની શકે તો દોડો. Be Active. Idle mind is devil's workshop.
4. Keep confidence that your health is improving. તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી જશે તેવા આત્મવિશ્વાસ રાખો.
5. Our Mindset Is The Reason For Everything. Never allow the Bio-clock to set your ending.
હંમેશા જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો.
6. તમારી જાતને કદી નીચી ના સમજો. ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તમને કોઈ ફરક નથી પડતો. તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન આપે છે. તો Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા માટે પોઝિટિવ કમાન્ડ જ આપવાના છે, આપણા કરમથી એ Bio- Clock ની જ ( માઈન્ડ સેટ)ની જ બધી અસર તમારા જીવનમાં થશે.
જિંદગી ની આખી રમત જ
માઈન્ડ સેટ (Bio Clock) પર છે...
જો સમજાય તો..
હંમેશાં પોઝિટિવ કમાન્ડ જ આપવા..
No- નેગેટિવ કમાન્ડ..
બસ ટુંક માં જેવો કમાન્ડ્સ આપશો આવું બહાર આવશે ..
ખુશ રહો અને તંદુરસ્ત રહો...🙏
રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે?
રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) કેમ લખવામાં આવે છે? દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે? ચાલો જાણીએ..
ટર્મિનલ (Terminal) :
ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.
સેન્ટ્રલ (Central) :
સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.
જંકશન (Junction) :
જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે. ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં
3 રૂટવાળા : 181
4 રૂટવાળા : 109
5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)
6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)
7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)
ભારતીય રેલ્વે વિશે જાણવા જેવું :
● સૌપ્રથમ 8 મે, 1857માં મુંબઈ થી થાણા વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી.
● ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે.
● ભારતીય રેલ્વે કુલ 1,19,630 કિ.મી.નો રેલ્વે ટ્રેક ધરાવે છે.
● ભારતીય રેલ્વે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.
● ભારતીય રેલ્વે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.
● ભારતીય રેલ્વેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
● દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલ્વે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.
● આખા ભારતમાં ભાવનગર રેલ્વે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.
● દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ ”શ્રી વેન્કટનરસિંહરાજુવારીપેટા” ........
પોરબંદર એક ટર્મીનલ છે.
પ્રજાસત્તાક દિન ની પૂર્વ રાત્રીએ આજના વિષય અંગે વિચારતા વિચારતાં ઊંઘ આવી ગઈ અને ભવ્ય ભારતનું સ્વપ્ન આવ્યું ...મેં મારા ભારત દેશ માટે જે સપનું જોયું છે જે કૈક આવું છે.
ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.
.
મારું એક સપનું છે કે ભારત દેશમાં સાક્ષરતા દર ૯૦ ટકા ઉપર હોવો જોઈએ.
દેશના તમામ લોકો ભણેલા ગણેલા હોવા જોઈએ જેથી દેશ વિકાસમાં રાષ્ટ્ર વિકાસમાં હરણફાળ મેળવી શકાય. મારો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ સુરક્ષા ક્ષેત્રે દુનિયામાં અવ્વલ હોવો જોઈએ.મારું એક સપનું છે કે મારા ભારત દેશમાં જ્ઞાતિવાદ તેમજ ઊચ નીચનો ભેદભાવ જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને લોકો એક સાથે શાંતિથી રહે.
મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહિ હોય. લોકો સુખસંપન્ન અને શાંતિ હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ શકે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે અને સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે અને દેશ ને આગળ વધારશે.
ભારત દેશને આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય દેશ ગણવામાં આવે છે. આખા વિશ્વમાં માત્ર ભારત દેશ જ એવો છે જ્યાં બધીજ જાતિ ના લોકો રહે છે. ભારત દેશ બહુમતી વાળો દેશ ગણવામાં આવે છે. સદીઓની ગુલામી પછી, ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમના વધતા જતા અત્યાચારોથી તમામ ભારતીયો સ્તબ્ધ થઈ ગયા અને પછી વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી અને દેશના અનેક વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, ગોળીઓ ખાધી અને આખરે આઝાદી મળ્યા પછી જ શાંતિ લીધી. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.
મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા થવા ના જોઈએ બધા હળીમળી ને રે. ત્યારબાદ, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદભાવ રે નહિ. નવી પેઢી માત્ર એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.
ભારત દેશના લોકોના સારા વિકાસ અને પ્રગતિ માટે સરકારે પગલાં લેવા જોઈએ. સરકારે સુશાસન અને વધુ નોકરીઓ માટે ભારતને ડિજિટલ વિસ્તરણ આપવું તેનો ધ્યેય. ડિજિટલ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય તમામ સરકારી સુવિધાઓ ઈલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થવાનું શરૂ કર્યું છે.
સરકારી સેવા અને લોકો વચ્ચેનો તફાવત નાબૂદ કરવા માટે ડિજિટાઇઝેશન અભિયાન અને ભારતના PM એ પોતાનું સર્વશ્રેષ્ઠ કામ કરવું જોઈએ. અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વૃદ્ધિ અને સારી ભવિષ્ય માટે ભારતમાં પુષ્કળ ડિજિટાઇઝેશન વધુ જરૂરી છે. માત્ર ભારતીય લોકો એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.
ભારત ને મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવું જોઈએ. એ એક નવી પહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી માટે ઘણા દેશોમાં આઇ ટી કંપનીઓના સીઈઓને મળ્યા અને તેમને પૂછ્યું ભારતમાં રોકાણ કરવા પ્રેરિત. આ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ યોજનાને સમર્થન આપવું જોઈએ અને તે જ સમયે ભારતમાં તે કંપનીઓ ભારત ઘણી જગ્યાએ પોતાની ફેક્ટરીઓ ખોલીને અને તેમાં ઘણા ભારતીય લોકોએ રોકાણ કર્યું છે. તેનાથી રોજગારી પણ મળી રહી છે.
મારા સપનાનું ભારત કુરિવાજોને સંપૂર્ણ મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ માં નાખવામાં નહીં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પરવાનગી નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય એક બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં સ્ત્રી સશક્તિકરણ એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે. મારા સપનાં નું ભારત આવું હશે.
ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.
તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.
આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત અને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે : હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.
21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.
21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇરછશે.
21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.
મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય, લોકો સુખસંપન્ન હશે, દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગા ચૂંટાશે.
આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.
ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે
Join thousands of our subscribers and get our best recipes delivered each week!
Join thousands of our subscribers and get our best recipes delivered each week!