રેખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે તે તેની મુખ્ય મર્યાદા છે. અહીં વિશિષ્ટકરણ નો અભાવ જોવા મળે છે. એટલે કે અહીં એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીએ અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે.
સ્વભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાતો ન જ હોય. તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહેવાય છે.
રચના :-
👉કાર્યનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે.
👉દરેક કાર્ય માટે અલગ- અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર હોય છે.
અહી આકૃતિ દોરો :-
👉આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે.
👉અહી એકમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમકે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ.
👉દરેક વિભાગના કાર્યોને યાદી નક્કી કરી તેને આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. જેમકે
- સુચના અધિકારી
- શિસ્તઅધિકારી
- હિસાબી અધિકારી
- માર્ગદર્શન અધિકારી
- જૂથ અધિકારી
- ઝડપ અધિકારી
- ગુણવત્તા નિયંત્રણ અધિકારી
- સમારકામ ઇજનેર અધિકારી
વગેરે.
👉આકૃતિમાં દર્શાવ્યા મુજબ વહીવટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે તેમજ કારખાના વિભાગના અધિકારીઓ તેમના કામદારોને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે.
ટૂંકમાં જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે.
-------------------------------------------------------------
પ્રશ્ન 👇
શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સહિત સમજાવો.
શ્રેણિક વ્યવસ્થાતંત્રએ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે.
આ વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. જેમાં એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. અને બીજું માળખું કે જે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું છે. જેને પ્રોજેક્ટ માળખું પણ કહેવાય છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે.
રચના :-
વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે.
અહી આકૃતિ દોરો :-
👉ઉપરના ચાર્ટ માં જોવા મળે છે, તે મુજબ આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં જનરલ મેનેજર હેઠળ દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ-અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેકટ હોય તેટલા પ્રોજેકટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે.
👉પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પુર્ણ કરવાની હોય છે.
👉આ ઉપરાંત આકૃતિ મુજબ પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા-જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી-જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. જેમકે ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ વગેરે માટે નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગ માંથી મેળવવામાં આવે છે. અને પ્રોજેક્ટ પૂરો થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે.
👉આકૃતિ પરથી જોવા મળે છે કે અહીં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમકે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટસ ના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તા આપવામાં આવે છે.
👉તેમજ આકૃતિ મુજબ ડાબી બાજુએ દરેક પ્રોજેક્ટ સંચાલક અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તે જોવા મળે છે.
ટૂંકમાં દરેક પ્રોજેક્ટ અને કાર્ય માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે.
વાંચન વિશેષ
આપ સૌ વિદ્યાર્થી મિત્રો જયારે પ્રશ્નો નુ વાંચન કરતા હોવ અને કોઈ પ્રશ્નો ના જવાબ ન મળતા હોય તો નીચે આપેલ મટીરીયલ માંથી આપણે જવાબ મળી રહેશે.
Click here
.